Sardar Patel, Gandhiji and Aruna Asafali | Vithalbhai Patel, Sardar Patel

Sardar Patel, Gandhiji and Aruna Asafali

Sardar Patel, Gandhiji and Aruna Asaf ali સરદાર પટેલના વિરોધીઓ દ્વારા ફેલાવેલી ગેરસમજ બાબતે સરદાર પટેલે ગાંધીજીને તા. ૨૪ ફેબ્રુઆરી ૧૯૪૬ના રોજ લખેલ એક મહત્વપુર્ણ પત્ર
0

Sardar Patel, Gandhiji and Aruna Asaf ali

સરદાર પટેલના વિરોધીઓ દ્વારા ફેલાવેલી ગેરસમજ બાબતે સરદાર પટેલે ગાંધીજીને તા. ૨૪ ફેબ્રુઆરી ૧૯૪૬ના રોજ લખેલ એક મહત્વપુર્ણ પત્ર

અરુણા અસફઅલીએ એક એવી આગ લગાવી છે કે જેના કારણે ખુબ મોટો ભડકો થઈ ગયો છે. લગભગ બસો પચાસ લોકોને ગોળીઓ મારી મારી નંખાયા. એક હજારથી પણ વધારે લોકોને પકડી લેવામાં આવ્યા છે. પોલિસ પોતાને નિ:સહાય અનુભવી રહી છે અને એટલે જ તેમની જગ્યાએ સૈનિકોની ટુકડી તૈનાત કરવામાં આવી છે. અચ્યુત પટવર્ધન અને તેમના સાથીઓએ અરુણા અસફઅલીને આગળ રાખ્યા છે. અરુણા અસફઅલીએ જવાહરલાલને તાર મોકલેલ છે અને સમાચાર પત્રો થકી પણ આ તાર જાહેર કરી દીધો છે અને એવો આડકતરો સંદેશો ફેલાવવાની કોશિષ કરવામાં આવેલ છે કે આ પરિસ્થિતિઓમાં ફક્ત જવાહરલાલ એક એવા નેતા છે કે જેઓ તેમની આગેવાની લઈ શકે છે. આવુ અરુણા અસફઅલીને મારા તરફથી સમર્થન ન મળ્યુ તેથી આમ તેઓએ કર્યુ છે.


Aruna Asaf Ali
Aruna Asaf Ali - अरुणा असफ अली - અરુણા અસફ અલી
જવાહરે મને તાર મોકલાવી મને પુછ્યું છે કે શું તેમની ઉપસ્થિતિ જરૂરી હશે અને આવી સ્થિતિમાં બીજા કામ પડતા મુકીને આવી જશે. મેં તેમને ન આવવાની સલાહ આપી છે. તેમ છતાં તેઓ અહીયાં આવી રહ્યા છે. તેમના જવાબી તારમાં મને જણાવ્યુ છે કે તેઓ બહુ બેચેની અનુભવી રહ્યા છે અને તેઓ કાલે બપોર પછી ૩ વાગે પહોચી જશે. એ આવે તે સારુ જ છે પરંતુ તેઓ અરુણા અસફઅલીના તારને કારણે આવે છે જેથી અરુણા અસફઅલી આગને ઔર હવા આપશે અને તેમના અવિવેકી અને ઉતાવળનો વિરોધ નહી કરીએ તો સ્થિતિ બદથી બદતર થઈ જશે. શહેરમાં દુકાનોની સાથે સાથે રાહદારીઓને પણ લુંટવામાં આવ્યા છે. સાર્વજનિક ઈમારતો, થોડા રેલ્વે ક્વાટર્સ અને એક રેલગાડીને આગ લગડવામાં આવી છે. અને આવી પરિસ્થિતિમાં સેનાને બોલાવવી પડે તો તેના માટે દોષ આપવો નિરર્થક છે.


આજે વાતાવરણ શાંત છે અને કાલથી શાંતિ બહાલ કરી શકાય તેમ છે. પરંતુ સેનાને જલ્દી પરત બોલાવી લેવાશે તેની સંભાવના બહુ ઓછી છે. આવા ઝેરી વાતાવરણમાં અંગ્રેજ અને અંગ્રેજી વેશભૂષાને નાપસંદ કરવાની સાથે સાથે તેઓએ વિદ્યાર્થીઓનો ભરપુર ઉપયોગ કર્યો જે ત્રાસદી સમાન છે. જલસેના અને વાયુસેનામાં હડતાલ થવાના કારણે આવા બનાવ બન્યા છે. તેઓ હવે એ સહન નથી કરી શકતા કે તેમના અંગ્રેજ સહકર્મીઓની તુલનામાં તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યુ છે. અને હવે તેઓ પોતાના અંગ્રેજ અધિકારીઓના હાથે અપમાનિત થવાનુ સહન કરી શક્તા નથી.

આપણું કામ કઠિન છે. તેઓ કોંગ્રેસના સમાજવાદીઓની સલાહ પર ધ્યાન નથી આપી રહ્યા. તેઓ તમારુ સન્માન ફક્ત એક સંતના રૂપે કરે છે. પરંતુ તેઓ વાસ્તવમાં તમને એક કંટાળાજનક નેતાના સ્વરુપે જોઈ રહ્યા છે. તેઓ સાર્વજનિક રુપમાં આપણી નિંદા કરતા કહે છે કે તેમનો રસ્તો નિષ્ફળ અને અવ્યવહારિક સાબિત થયો છે. આ વાત વિચાર કરવા જેવી છે કે આપણે આ સ્થિતિનો સામનો કેવી રીતે કરીશુ.




No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in