Showing posts with label પટેલ સરદાર. Show all posts
Showing posts with label પટેલ સરદાર. Show all posts

Bardoli Satyagrah - આપણો વલ્લભ જ આપણો સરદાર

બારડોલી સત્યાગ્રહ – આપણો વલ્લભ જ આપણો સરદાર


 બારડોલી વિજય દિવસ ૧૨ જુન નજીક છે ત્યારે થોડી બારડોલી સત્યાગ્રહની વાતો વાગોળીએ

 ૫મી ફેબ્રુઆરી ૧૯૨૮ના દિવસે ખેડૂતોના મહેસૂલના પહેલાં હપ્તાની શરૂઆત થવાની હતી, અને આથી જ સરદાર પટેલે ૪ ફેબ્રુઆરીએ પ્રજાની તથા આખા તાલુકાની વાત સમજવા માટે ખેડૂતોની પરિષદ બોલાવી. આ પરિષદના પ્રમુખ પદેથી સરદાર વલ્લભભાઈએ પોતાના ભાષણમાં કહ્યું તેના અંશો

    “આજે આપણે એક ગંભીર પ્રસંગે ભેગા થયા છીએ. આપણે જે નિર્ણય કરીએ તે ખૂબ સંભાળથી, વિચારથી અને જવાબદારી સમજીને કરવો જોઈએ. જમીનમહેસૂલનો પ્રશ્ન આ રાજ્યમાં અટપટો છે, સહેલો નથી. જમીનમહેસૂલનો કાયદો અતિશય જુલ્મી કાયદો છે. ખેડૂતોને ચારે તરફથી બાંધી રૂંધી નાખનારો કાયદો છે. આજે પ્રશ્ન આપણી પાસે એ છે કે બારડોલીના ખેડૂતોનું જમીનમહેસૂલ બાવીસ ટકા વધ્યું તે વધારવાનો સરકારને હક છે કે કેમ, એ વધારો વાજબી છે કે કેમ, જો એ વાજબી ન હોય તો ખેડૂતોએ શું કરવુ?

    આ તાલુકાનું મહેસૂલ દરેક આકારણી વખતે વધતું આવ્યુ છે. છેલ્લી આકરણી સમયે બુમરાણ થયેલ અને તે સમયે કોઈએ દાદ આપી નહોતી અને આથી દર વર્ષે રૂ ૧,૦૫,૦૦૦નો કાયમી બોજો થયો.

    ઉત્તર વિભાગના હાલ જે કમિશ્નર છે તેમણે વર્ષ ૧૯૨૪માં જુબાનીમાં જણાવ્યુ હતુ કે જમીન મહેસૂલ ગણોતને આધારે આકારણી કરવાની પધ્ધતિ ખોટી છે, ગેરવાજબી છે.

સરકારના મહેસૂલ ખાતાના જવાબની સરદારે ઘણી રાહ જોઈ આખરે તેમણે ૧૨ માર્ચના દિવસે તમામ ખેડૂતોની પરિષદ કરી. આ પરિષદ પહેલા સરદારે ફરી એક વખતે ગામે ગામના પ્રતિનિધિઓની ઊલટતપાસ કરી અને દરેક ગામોની તૈયારીઓ, અને ખાતરીઓની જાણકારી મેળવી લીધી. અને દરેકને લડતની ગંભીરતા અને જોખમો વિશે પણ જાણ કરી. આ પછી જ તેમણે પરિષદ બોલાવી.જેમાં ઠરાવ કરવામાં આવ્યો જે ઐતિહાસિક ઠરાવ બની ગયો. આ ઠરાવ મુજબ

બારડોલી તાલુકાના ખાતેદારોની આ પરિષદ ઠરાવ કરે છે કે, અમારા તાલુકામાં લેવામાં આવતા મહેસૂલમાં સરકારે જે વધારો લેવાનો જાહેર કર્યો તે અયોગ્ય, અન્યાયી, અને જુલ્મી છે એમ અમારૂ માનવું છે; એટલે જ્યાં સુધી સરકાર ચાલુ મહેસૂલને પૂરેપૂરા મહેસૂલ તરીકે લેવા, અગર તો નિષ્પક્ષ પંચ મારફતે મુદ્દ્લ ન ભરવું; અને તેમ કરતાં સરકાર જપ્તી, ખાલસા વગેરે જે કાંઈ ઉપયો લે તેથી પડતાં સઘળાં કષ્ટો શાંતિ થી સહન કરવા.

જો વધારા વિનાના ચાલુ મહેસૂલને પૂરેપૂરા મહેસૂલ તરીકે લેવા સરકાર કબૂલ થાય તો તેટલું મહેસૂલ વિનાતકરારે તરત ભરી દેવું.

 




sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

Farmers - 3 - સરદાર વાણી - सरदार वाणी

Farmers - 3 - સરદાર વાણી - सरदार वाणी

A person has to anyhow fill his belly and for that he is prepared to do anything. This is how bonded labour originates. If we try to provide subsistence to everybody then automatically bonded labour will be abolished.




sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel


The Miracle that Sardar Wrought

The Miracle that Sardar Wrought



Shri Mahadev Desai, in his famous book The Story of Bardoli gives this fascinating account of the extraordinary forbearance of an illiterate old woman who was ready to lose her all at the call of the Sardar :
One of the japti officers ordered his men to lay siege to a village. Apparently it was a single house, but really, it was one whole street that was besieged, as the armed policemen posted in front of the house with a Circle Inspector and the two Pathans who guarded the back door were ready to pounce upon any door that opened within their beat. These men were posted there at 2.30 am and were there until 6 pm when we visited the place. The house belonged to an old Government pensioner aged about 75. He had not even signed the Satyagraha pledge. But the officer thought that the best way to coerce the prisoner was to put his house under siege. The old man's wife was sitting at a window on the storey of the house, rosary in hand, and repeating Ramanama. 'I hope, old mother, you are not afraid,' asked the Sardar from outside her house. 'Why should I be afraid, when you are there to protect us?' she replied. 'Not I, but Rama,' said the Sardar correcting her.'Indeed Ramji is Merciful,' she said nodding assent. 'But how do you like these Pathans and Policemen at your doors?' asked one of us. 'The are quite welcome. But for them the Sardar would not have graced my house.'
Not an ill word, nor one of anger, though the old woman had not been able to go out of her house for those fifteen hours!

સરદારે ઘડેલ ચમત્કાર

શ્રી મહાદેવ દેસાઇએ તેમના પ્રખ્યાત પુસ્તક ધ સ્ટોરી ઓફ બારડોલીમાં એક અભણ વૃદ્ધ મહિલાની અસાધારણ મૌનનો આ રસપ્રદ અહેવાલ આપ્યો છે જે સરદારના કહેવાથી પોતાનું બધુ ગુમાવવા તૈયાર હતી:

જપ્તીના એક અધિકારીએ તેના માણસોને આદેશ આપ્યો કે તે ગામને ઘેરો ઘેરે. દેખીતી રીતે તે એક જ મકાન હતું, પરંતુ ખરેખર, તે એક આખી શેરી હતી જેને ઘેરી લેવામાં આવી હતી, કારણ કે ઘરની સામે સશસ્ત્ર પોલીસ કર્મચારીઓ એક સર્કલ ઇન્સ્પેક્ટર અને પાછળના દરવાજા પર રક્ષક બનેલા બે પઠાણ કોઈપણ દરવાજાને પછાડીને અંદર ખોલવા તૈયાર હતા. આ માણસો ત્યાં સવારે ૨ વાગ્યે તૈનાત કરવામાં આવ્યા હતા અને અમે સ્થળની મુલાકાત લીધાં ત્યાં સુધી સાંજના ૬ વાગ્યા સુધી ત્યાં હતા. આ ઘર લગભગ ૭૫ વર્ષના વૃદ્ધ સરકારી પેન્શનરનું હતું. તેમણે સત્યાગ્રહના પ્રતિજ્ઞાપત્ર પર સહી પણ કરી ન હતી. પરંતુ અધિકારીએ વિચાર્યું કે કેદીને મજબૂર કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેના ઘરને ઘેરા હેઠળ રાખવું. વૃદ્ધાની પત્ની ઘરની બારી પર એક બારી પાસે બેઠેલી હતી, હાથમાં ગુલાબ અને રામનું  નામ જપન કરતી હતી. 'મને આશા છે કે વૃદ્ધ માતા, તમે ડરશો નહીં,' સરદારને તેના ઘરની બહારથી પૂછ્યું. 'જ્યારે તમે અમારી રક્ષા કરવા માટે હોવ ત્યારે મારે કેમ ડરવું જોઈએ?' તેણીએ જવાબ આપ્યો. 'હું નહીં, રામ,' સરદારે તેને સુધારતા કહ્યું, 'રામ ભગવાન દયાળુ છે,' તેણીએ સંમતિ આપતા કહ્યું. 'પણ તમને તમારા દરવાજા પર આ પઠાણ અને પોલીસકર્મી કેવી ગમશે?' અમને એક પૂછ્યું. 'તેમનું ખૂબ સ્વાગત છે. પણ જો તેઓ ન હોત તો સરદારે મારા ઘર પર કૃપા કરી ન હોત.'


કોઈ હતાશાના શબ્દો ન હતા, કે કોઈ ગુસ્સો નથી, તેમ છતાં વૃદ્ધ સ્ત્રી તે પંદર કલાકથી ઘરની બહાર જઇ શક્યા ન હતા!

Children's Day - Jawaharlal Nehru's Birthday

Children's Day - Jawaharlal Nehru's Birthday

 HAPPY BIRTHDAY JAWAHARLAL NEHRU

પંડિત જવાહરલાલ નહેરુ રાજનિતિજ્ઞો તથા રાષ્ટ્રનિર્માતાઓમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે. વિશ્વની રાજનીતિમાં વ્યક્તિઓને એટલા માટે મહત્વ પ્રાપ્ત થાય છે કારણકે જે દેશોનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે તે દેશોનું પ્રભુત્વ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં હોય છે. ગાંધીજીના ભાવનાત્મક માનવવાદનું તેમણે સ્પષ્ટ નિરુપણ કર્યું અને ગાંધીવાદને એક નવો આકાર આપ્યો. ભારતીય રાજનીતિમાં જે રીતે ગાંધીના ઉદ્ભવથી એક નવો યુગ શરૂ થયોતેવી જ રીતે નહેરૂનું આગમન એક નવા સમયનો સંકેત કરે છે. ગાંધીજી દ્વારા પ્રસ્તાવિત સમાજ દર્શનને નહેરૂએ નવો રંગ આપ્યોગાંધી વિચારધારાને તેમણે સમાજવાદી રૂપ આપ્યું. 

સરદારે જવાહરને ફક્ત નેતા તરીકે જ સ્વીકાર્યા નહોતાબલ્કે અણીના વખતે તેઓ હરહંમેશ એમની પડખે ઉભા રહેતા. અપ્રિલ ૧૯૫૦માં જ્યારે નહેરુ-લિયાકત કરાર વખતે જે મદદ સરદારે કરી તે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. નહેરુ અને સરદાર વચ્ચે મતભેદો હતા પરંતુ તે ક્યારેય રાજકીય દુશ્મનાવટમાં પરિવર્તિત નહોતા થયા. સરદારે ગૃહમંત્રી પદે જેટલી મદદ નહેરુ ને કરી છે તે જ આ વાત સાબિત કરે છે કે નહેરુને સરદારની જરૂર હંમેશા રહી હતી.

સરદાર પટેલે અંતિમ શ્વાસ લીધો તેના આશરે ૨-૩ દિવસ પહેલાં તેમના પ્રધાનમંડળના સાથી અને ટેકેદાર ડો. ગાડગીલ મળવા આવ્યા, ડો. ગાડગીલ સરદાર અને જવાહરલાલ નહેરુ સાથેના સંઘર્ષમાં હંમેશા સરદાર પટેલ સાથે રહ્યા અને સરદારના પ્રખર ટેકેદાર જ્યારે સરદારને મળ્યાં અને તેમના ખબર અંતર પુછ્યાં ત્યારે સરદારે તેમને કહ્યું 
ગાડગીલ તમારી જવાબદારીઓ હવે વધી જશે, મારી ગેરહાજરીમાં જવાહરલાલ સાથે તમે હંમેશા રહેજો.
આવું અણધાર્યુ સરદાર પટેલનું કથન સાંભળી તેઓથી કાંઈ બોલાયુ જ નહી અને ગાડગીલ પણ નહેરુ પ્રત્યે સરદારની લાગણી સમજી ન શક્યા.

જ્યાં સુધી સરદાર પટેલ વિશે આછું કે નહીવત્ત જાણતો હતો ત્યાં સુધી તો હું પણ માનતો કે સરદાર ને અન્યાય થયો અને તેમને પ્રધાનમંત્રી પદથી વંચિત રાખ્યા. જેમ જેમ સરદાર પટેલ વિશે જાણતો થયો તેમ તેમ તેમની ખુદ્દારીરાષ્ટ્રપ્રેમની ભાવના અને નિડરતા જોઈને એક સવાલ થયો કે શું સરદાર અન્યાય સહન કરે તેવા વ્યક્તિ હતાંસરદારને અન્યાય થયો છે તેમ કહી જાણે અજાણે આપણે જ સરદારને અન્યાય કરીએ છીએ. સરદાર સાથે ન્યાય અને અન્યાય થયો તેનું વિષ્લેશણ કરનાર આપણે કોણન તો તે સમયે આપણે હાજર હતા અને તે સમયે સરદારના મનમાં શું ચાલતું હતુ તે જાણતા નથી તો આપણે કેવી રીતે અનુમાન લગાવી શકીએ. જો સરદારને એવુ લાગ્યુ હોય કે પોતાને અન્યાય થયો તો તેમણે કે કુ. મણીબેને તો ક્યારેક આ બાબતે ઉલ્લેખ કર્યો જ હોત. સરદારને ગાંધીજીનો કોઈ નિર્ણય ન ગમે તો તેઓ ગાંધીજીને પોતાનો ગમો-અણગમો દર્શાવતા પરંતુ પ્રધાન મંત્રી બાબતે ક્યારેય આ વાતનો ઉલ્લેખ કર્યો નથી કે ક્યાય નોંધાયો પણ નથી. વર્ષ ૧૯૪૭ના અંતમાં લોકતંત્રના વહીવટી કાર્યક્ષેત્રોમાં જ્યારે સરદાર અને જવાહરલાલ વચ્ચે મતભેદો ઉભા થયા ત્યારે બન્ને અવારનવાર ગાંધીજી સાથે રજુઆત કરતા. સરદારશ્રી સાથે ગાંધીજીએ વાત કરતા એક સમયે તો ગાંધીજીએ સરદારશ્રીને કહ્યું હતું કે
તમારી આજની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠાનો ખ્યાલ કરતા મને લાગે છે કે તમારે પ્રધાનમંત્રી પદનો સ્વીકાર કરવો જોઈએ!
 આ પ્રસંગનીતો મણીબેને પણ નોંધ લીધેલ.ત્યારે સરદારે ગાંધીજીને જણાવ્યું કે
પ્રધાનમંત્રી તો જવાહર જ રહે. માત્ર મને રાજકાજથી મુક્ત કરો એટલું જ પ્રાર્થુ છું. જો હું આ પદ સ્વીકારુ તો જે લોકો મારી સામે અવળી વાતો ફેલાવી રહ્યા છે તેમની વાતોને પણ નાહકની પુષ્ટિ મળશે.
કોંગ્રેસ સંગઠનમાં સૌથી કાર્યકુશળ અને પ્રભાવી વ્યક્તિ તરીકે પ્રધાનમંત્રી બનવું સરદાર માટે તો જરાય અઘરું નહોતુ. ગાંધી કહે તે પ્રમાણે વર્તવું એવો ધર્મ પોતાના અંગત જીવનમાં સદાય પાળ્યો હતો. (મણીબેનની ડાયરીમાંથી - સરદાર પટેલની જન્મ શતાબ્દી ગ્રંથમાળામાં પણ ઉલ્લેખ કરેલ છે.)

ચંદ્ર ભાનુ ગુપ્તાને (૧૯૧૬થી કોંગ્રેસના નેતા તથા યુ. પી.ના મુખ્ય મંત્રી)  શ્યામલાલ મનચંદા એક પત્રકારે જ્યારે પુછ્યુ કે તમે જવાહરલાલ નહેરુને તે સમયના બીજા નેતાઓ સાથે કેવી રીતે સરખામણી કરી શકો ઉદા. તરીકે ગાંધીજીસરદાર પટેલરાજેંદ્રબાબુ તથા અન્ય.

ચંદ્ર ભાનુ ગુપ્તાએ જવાબ આપ્યો કે 
રાજેંદ્ર બાબુસરદાર પટેલ અને નહેરુજી આપણા રાષ્ટ્રીય ઈતિહાસમાં પોત પોતાની જ્ગ્યાએ પોતાનું મહ્ત્વપુર્ણ સ્થાન પર છે. જ્યાં જવાહરલાલને નવયુવકો ને જોશ આપ્યો હતોનવયુવકોને પ્રેરણા પ્રદાન કરીપ્રોત્સાહન આપ્યુત્યા ગાંધીજીની એ દરેક પ્રવૃત્તિઓ કે જે દેશની રાજનીતિને એક નવુ સ્વરુપ પ્રદાન કર્યુ. રાજેંદ્રબાબુએ અને સરદાર પટેલે દેશમાં આ પ્રવૃત્તિઓને ફેલાવવાનું કાર્ય કર્યુ. જવાહરલાલ આદર્શવાદી હતા. જ્યારે સરદાર પટેલ વ્યવહારિક હતાપટેલ દરેક ચીજને વ્યવહારિકતાની કસોટીથી તોલતા. 
સાથે સાથે મનચંદાએ ગુપ્તાજીને પ્રશ્ન કર્યો કે ઓલ ઈંડિયા કમીટીના મોટાભાગના સભ્યોની રાય હતી કે સરદાર પટેલ પ્રધાનમંત્રી બને પરંતુ ગાંધીજીએ નહેરુને પોતાના રાજનૈતિક વારિસ ઘોષિત કર્યા હતા અને તેમને જ પ્રધાનમંત્રી બનાવવા પડ્યા. આ બાબતે વધુ આપનાથી જાણવું છે.

ગુપ્તાજીએ જણાવ્યુ કે
અંદરની વાત તો હું નથી જાણતો પરંતુ હું એક વાત અવશ્ય જાણું છુ કે જયાં સુધી કોંગ્રેસ સંગઠનનો સંબંધ છે તો મોટાભાગે સંગઠનના સભ્યો સરદાર પટેલ સાથે સંબંધ રાખતા હતા પરંતુ ગાંધીજી દૂરદર્શી વ્યક્તિ હતા અને તે કાલે દેશમાં શુ થવુ જોઈએ અને દેશને કઈ દિશાઓ પકડવી જોઈએ તે તેઓ ખુબ સારી રીતે જાણતા હતા. તેઓ એ પણ જાણતા હતા કે જવાહરલાલ યુવકોને વધુ સાંત્વના આપી શકશેતેમના આદર્શોની પૂર્તિ કરી શકશે અને તેમના વિશ્વાસને દેશમાં ફેલાવવામાં સમર્થન પ્રાપ્ત થઈ શકશે. આ સાથે સાથે તેમના બન્ને વચ્ચેની ઉંમરને પણ ધ્યાનમાં રાખી કદાચ નિર્ણય લીધો હશે કે દેશના ભવિષ્યના નિર્માતાજેઓ પ્રધાનમંત્રી બનશેતેઓ પંડિત જવાહરલાલ નહેરુ જ હોવા જોઈએ.
એક વાત તો સ્વીકારવી જ રહી કે પંડિત જવાહરલાલ નહેરુએ વિશ્વની કેટલીક જટીલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને આ કોઈ સામાન્ય વાત નથી કે આવી સમસ્યાઓ હોવા છતાં ભારતમાં શાંતિ અને વ્યવ્સ્થા કાયમ રાખી અને આંતરાષ્ટ્રીય જગતમાં ભારતની પ્રતિષ્ઠા વધતી રહી. 
© all rights reserved
SardarPatel.in