Showing posts with label Mahadevbhai Desai. Show all posts
Showing posts with label Mahadevbhai Desai. Show all posts

The Miracle that Sardar Wrought

The Miracle that Sardar Wrought



Shri Mahadev Desai, in his famous book The Story of Bardoli gives this fascinating account of the extraordinary forbearance of an illiterate old woman who was ready to lose her all at the call of the Sardar :
One of the japti officers ordered his men to lay siege to a village. Apparently it was a single house, but really, it was one whole street that was besieged, as the armed policemen posted in front of the house with a Circle Inspector and the two Pathans who guarded the back door were ready to pounce upon any door that opened within their beat. These men were posted there at 2.30 am and were there until 6 pm when we visited the place. The house belonged to an old Government pensioner aged about 75. He had not even signed the Satyagraha pledge. But the officer thought that the best way to coerce the prisoner was to put his house under siege. The old man's wife was sitting at a window on the storey of the house, rosary in hand, and repeating Ramanama. 'I hope, old mother, you are not afraid,' asked the Sardar from outside her house. 'Why should I be afraid, when you are there to protect us?' she replied. 'Not I, but Rama,' said the Sardar correcting her.'Indeed Ramji is Merciful,' she said nodding assent. 'But how do you like these Pathans and Policemen at your doors?' asked one of us. 'The are quite welcome. But for them the Sardar would not have graced my house.'
Not an ill word, nor one of anger, though the old woman had not been able to go out of her house for those fifteen hours!

સરદારે ઘડેલ ચમત્કાર

શ્રી મહાદેવ દેસાઇએ તેમના પ્રખ્યાત પુસ્તક ધ સ્ટોરી ઓફ બારડોલીમાં એક અભણ વૃદ્ધ મહિલાની અસાધારણ મૌનનો આ રસપ્રદ અહેવાલ આપ્યો છે જે સરદારના કહેવાથી પોતાનું બધુ ગુમાવવા તૈયાર હતી:

જપ્તીના એક અધિકારીએ તેના માણસોને આદેશ આપ્યો કે તે ગામને ઘેરો ઘેરે. દેખીતી રીતે તે એક જ મકાન હતું, પરંતુ ખરેખર, તે એક આખી શેરી હતી જેને ઘેરી લેવામાં આવી હતી, કારણ કે ઘરની સામે સશસ્ત્ર પોલીસ કર્મચારીઓ એક સર્કલ ઇન્સ્પેક્ટર અને પાછળના દરવાજા પર રક્ષક બનેલા બે પઠાણ કોઈપણ દરવાજાને પછાડીને અંદર ખોલવા તૈયાર હતા. આ માણસો ત્યાં સવારે ૨ વાગ્યે તૈનાત કરવામાં આવ્યા હતા અને અમે સ્થળની મુલાકાત લીધાં ત્યાં સુધી સાંજના ૬ વાગ્યા સુધી ત્યાં હતા. આ ઘર લગભગ ૭૫ વર્ષના વૃદ્ધ સરકારી પેન્શનરનું હતું. તેમણે સત્યાગ્રહના પ્રતિજ્ઞાપત્ર પર સહી પણ કરી ન હતી. પરંતુ અધિકારીએ વિચાર્યું કે કેદીને મજબૂર કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેના ઘરને ઘેરા હેઠળ રાખવું. વૃદ્ધાની પત્ની ઘરની બારી પર એક બારી પાસે બેઠેલી હતી, હાથમાં ગુલાબ અને રામનું  નામ જપન કરતી હતી. 'મને આશા છે કે વૃદ્ધ માતા, તમે ડરશો નહીં,' સરદારને તેના ઘરની બહારથી પૂછ્યું. 'જ્યારે તમે અમારી રક્ષા કરવા માટે હોવ ત્યારે મારે કેમ ડરવું જોઈએ?' તેણીએ જવાબ આપ્યો. 'હું નહીં, રામ,' સરદારે તેને સુધારતા કહ્યું, 'રામ ભગવાન દયાળુ છે,' તેણીએ સંમતિ આપતા કહ્યું. 'પણ તમને તમારા દરવાજા પર આ પઠાણ અને પોલીસકર્મી કેવી ગમશે?' અમને એક પૂછ્યું. 'તેમનું ખૂબ સ્વાગત છે. પણ જો તેઓ ન હોત તો સરદારે મારા ઘર પર કૃપા કરી ન હોત.'


કોઈ હતાશાના શબ્દો ન હતા, કે કોઈ ગુસ્સો નથી, તેમ છતાં વૃદ્ધ સ્ત્રી તે પંદર કલાકથી ઘરની બહાર જઇ શક્યા ન હતા!

Gandhiji and Sardar Patel at Yerwada Jail 04-11-32

યરવડા જેલવાસ દરમ્યાન તા. ૪ નવેમ્બર ૧૯૩૨ના રોજ બાપુ સાથે સરદાર સાહેબનો વાર્તાલાપ – મહાદેવભાઈ દેસાઈ થકી..

બાપુએ આજે વધુ એક ઉપવાસ રાખવાની સંભાવના વ્યક્ત કરી અને સાથે સાથે ટીપ્પણી પણ કરી કે આ ઉપવાસ કરવામાં એક મુશ્કેલી છે. સરકાર આ ઉપવાસ બાબતે એવુ સમજશે કે આ વ્યક્તિ કોઈ પણ બહાને જેલની બહાર આવવા માંગે છે.

મે (મહાદેવભાઈ) સહમતિ આપી, આ વ્યાજબી વાંધા સાથે છે.

બાપુએ પુછ્યું કે વલ્લભભાઈ, તમે આ બાબતે શું વિચારો છો?
વલ્લભભાઈએ થોડો વિચાર કરીને થોડા દુ:ખી સ્વરે કહ્યું કે હું ઈચ્છું છું કે તમે થોડો સમય લોકોને આરામ આપો. જે લોકો ત્યાં એકત્ર થયા છે તેઓને તેમની મરજી મુજબ કરવા દો. તમે તેમને માથે પિસ્તોલ (ઉપવાસ રુપી) રાખીને તેમને ચિંતિત કેમ કરો છો? અન્ય લોકો પણ એવુ વિચારશે કે આ માણસ પાસે કરવા માટે કશું નથી એટલે ટાણે કટાણે ઉપવાસ કરવાની વાત કરે છે. પરંતુ આ ફક્ત જેલની બહાર નિકળવાનું બહાનું છે તે એક બિલકુલ અલગ વાત છે.
બાપુએ હસતા હસતા કહ્યું, શું તમે આ પ્રકારના ઉપવાસની સાથે સહમતિ આપશો, જેની સિફારિશ મહાદેવ કરે છે?
વલ્લભભાઈએ કહ્યું, હકીકતમાં આ પ્રશ્ન અમારી પરીક્ષા લેવા માટે પુછ્યો છે. જો હું “ના” કહુ તો તમે “હા” કહેશો અને જો મે “હા” કહ્યુ હોત તો તમે “ના” કહેશો. આ તમારી ખાસિયત છે.
બાપુ કહે ઓહ તો પછી હુ વિચારું છુ કે હવે મારે ઉપવાસ અવશ્ય રાખવો જોઈએ.
વલ્લભભાઈએ હસતા હસતા જવાબ આપ્યો કે, જો તમે ઉપવાસ રાખવા જ માંગો છો, તો તમે એ બધાજ લોકો વિરુધ્ધ ઉપવાસ કેમ નથી રાખતા કે જેઓએ ગોળમેજી પરીષદમાં ભાગ લેવા જઈ રહ્યા છે?
બાપુએ કહ્યું, આ તો તમારે અવશ્ય કરવુ જોઈએ, હુ તમને આની મંજુરી આપું છું.
વલ્લભભાઈએ કહ્યું, હું શુ કામ ઉપવાસ રાખું? જો હું ઉપવાસ રાખીશ, તો લોકો મને મરવા દેશે. આ બધા લોકો તો તમારા મિત્ર છે અને તમારી વાત સાંભળી શકે છે. પરંતુ, આવો આપણે આ વાતને છોડી દઈએ. જેઓ પહેલાથી ત્યા ગયા છે તેમની પરત આવવાની સંભાવના નથી. પરંતુ હુ એક વાત ભારપુર્વક કહેવા માંગુ છું. એવું દેખાઈ રહ્યુ છે કે આપણા લોકો થોડા નિરુત્સાહી થઈ ગયા છે. ચાલો, હવે આપણે ત્રણે આ માટે ઉપવાસ રાખીએ.
બાપુ કહે તમે સાચા છો. પરંતુ આ સમય આવા ઉપવાસ રાખવા માટે યોગ્ય સમય નથી. આ માટે યોગ્ય સમય આવશે, પરંતુ આ યોગ્ય સમય નથી.
વલ્લભભાઈ કહે જો તમે મને મંજુરી આપો તો હુ આ બાબતે ઉપવાસ રાખવા પુરી રીતે સહમત છું.

Tribute to Sardar Patel

Tribute to Sardar Patel - 15th December 2018

અતુલ્ય સરદાર

શુક્રવાર તારીખ ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે સરદાર વલ્લભભાઈના દેહાંતના સમાચાર આખા દેશમાં પ્રસરી ગયા હતા. આ સમાચાર જાણી આખો દેશ આઘાતમાં સરી પડ્યો હતો. સરદાર પટેલે ૧૯૧૬-૧૭માં ગાંધીજીના એક અનન્ય સાથી તરીકે રાષ્ટ્રની સેવામાં અને તેમની આઝાદીની લડાઈમાં શામેલ થયા., ત્યારથી વિદેશી હુકુમતોને દેશમાંથી હટાવવા માટે ગાંધીજીની સાથે રહીને તેમણે સત્યાગ્રહની એક એવી આંધી ચલાવી કે આ આંધીએ બ્રિટિશ સરકારના મુળિયા ઉખેડી નાખ્યા. સરદાર પટેલની આજે ૬૮મી પુણ્ય તિથીના દિવસે સરદાર પટેલે લીલાવતીબેન આસરને જે રીતે આશ્વાસન આપેલ તે સાચે જ દરેકે સમજવા લાયક છે. લીલાવતીબેને તા ૧૬-૫-૧૯૪૯ના રોજ સરદાર પટેલને પોતાનું દુ:ખ સરદાર સાહેબ સમક્ષ પત્ર દ્વારા રજુ કરેલ. લીલાવતીબેનને પત્રમાં જણાવેલ કે મારા ભાઈ જેઓ ઘણા લાંબા સમયથી માંદા રહેતા હતા તેઓ આખરે ગુજરી ગયા. મારી છેલ્લી એમ.બી.બી.એસની પરિક્ષાને આગલે દિવસે ગુજરી ગયા. આ અઘાતને સહન કરી પરીક્ષા આપેલ. મારી સફળતાનું જેમને કૌતુક હતુ તેવા ભાઈ સરખા મહાદેવભાઈ પણ ખોયા. મા-બાપ જેવા બા-બાપુને ખોયા. અને હવે બાકી હતુ તે ભાઈએ પુરુ કર્યુ. હવે બાકી શુ રહ્યુ છે? કોને માટે હવે કરુ? જન્મીને દુ:ખ સિવાય કદી કાંઈ જોયુ નથી. બાળપણમાં માતાપિતા ખોયા, બાળવયે વૈધવ્ય, ત્યાર બાદ પૂ. બાપુને ખોળે આવીને પડી. બધાનો પ્રેમ પામીને બધાને ખોયા. ઘર તરફ નજર વાળી તો જે ભાઈ જે મારા જ વિચારોના અને મને ચાહનાર હતા તેને ખોયા. હજી પણ પથ્થરની થઈ જીવું છું.


આ પત્ર બાદ સરદાર સાહેબે તા. ૧૯-૫-૧૯૪૯ના રોજ પત્ર લીલાવતીબેન આસરને પાઠવ્યો તે સાચે જ હિમ્મત આપનારો હતો. સરદાર લખે છે કે.


ચિ. લીલાવતી,


તારો તા. ૧૬મીનો પત્ર મળ્યો. કાગળ દુ:ખ અને વેદનાથી ભરેલો છે. એટલે તારા મનની સ્થિતિ હું સમજી શકુ છુ. બાપુની ખોટ તો સૌને થોડેઘણે અંશે લાગે જ અને તારા જેવીને તો વિશેષ લાગે! પૂ. બાપુએ આપણને શું શીખવ્યું તેનો ખ્યાલ રાખવો જોઈએ અને એમણે જ શીખ્વ્યું તે યાદ રાખીએ તો અનેક સંકટોમાંથી રસ્તો કાઢવાની સુઝ પડે. તારા ઉપર એક પછી એક મુસીબતો આવી પડી. પણ ઈશ્વર મુસીબતોથી જ કસોટી કરે છે ને સોનું જેમ તપે તેમ શુધ્ધ થતું જાય તેમ માણસના મન ઉપર જેમ દુ:ખ પડતુ જાય તેમ ઈશ્વરની નજીક જવાનો પ્રયત્ન કરે ને હિંમત હારે નહીં- તો જ બાપુનો માર્ગ પકડેલો ગણાય.


તારા ભાઈ તો ઘણા વર્ષોથી માંદા હતા અને છેવટના ભાગમાં તો અતિશય દુ:ખી થતા હતા. એટલે તે દુ:ખમાંથી છુટી ગયા. તેને માટે તારે શોક ન કરવો જોઈએ. નાનામોટા સૌને જવાનું તો છે જ અને આ જગતમાં

દુ:ખી થઈને રહેવુને પોતાનું ને પારકાનું ભલુ ન કરી શકાય તેવી સ્થિતિમા બીજાના ઉપર બોજારૂપ થઈને દુ:ખ્માં સડ્યા કરવુ તેના કરતા છુટી જવુ તે જ સારુ ગણાય. બાકી મરણ એ તો મુક્તિનું દ્વાર છે ને બાપુએ આપણને વારંવાર શીખવ્યું છે, તે ભુલવુ ન જોઈએ.


તું આ વખતે હિમ્મત હારી ગઈ તેથી મને દુ:ખ થયુ છે. હજી થોડો વખત વિચાર કરજે ને હવે છેલ્લા એક વરસ માટે ફરીથી હિમ્મત કરીને જો. તુ તારો અભ્યાસ પૂરો કરી શકે તો ઘણું સારુ ગણાય. તારી પ્રતિજ્ઞા પણ પૂરી થશે. (ઉલ્લેખનીય છે કે લીલાવતીબેનને બાપુની સેવા કરવાની ઘણી જ હોશ હતી અને આ જ કારણે તેમણે એમ.બી.બી.એસ. થવાની પ્રતિજ્ઞા લીધી હતી.), અને ભવિષ્યમાં પણ તારે જે કામ કરવાનું છે તેમાં તને સંતોષ રહે. તું આવતે વર્ષે જરૂર પાસ થઈ જઈશ ને પછી નિરાંતે તુ સેવાગ્રામમાં જઈને બાપુના સ્થાનમાં જે કામ કરવાનું છે તે પુરુ કરી શકીશ. તારી જિંદગી ત્યાં સફળ થશે.


તારી ભાભી બહુ ઉદાર દિલની છે. તેણે હિમ્મતથી તને ભણવા માટે રજા આપી તે માટે તેને ધન્યવાદ ઘટે છે. તારી મદદની તો તેને જરૂર પડવાની જ. પણ તેની બહાદુરીમાંથી તારે પણ શીખવાનું છે. હવે તુ તારુ કામ પુરૂ કરી લે ને સેવાગ્રામ જવાની ઉતાવળ ન કર.



તું જાણે છે કે મને પણ ઘણાં વર્ષથી આંતરડાનો રોગ લાગુ પડ્યો છે જે તારા ભાઈને પ્રાણઘાતક નીવડ્યો.
હું સંભાળી સંભાળીને ચલાવી રહ્યો છું અને એ ઉપર વળી હ્રદયનું દરદ પણ થયેલું છે. અહીયા આરામને માટે આવ્યો છું. થોડોઘણો આરામ અહીં મળી શકે છે. બાકી કામનો પાર નથી.


સુશીલાના કાગળો મારા પર આવે છે. તે આ વર્ષની આખર સુધી ત્યાં રહેવાનો વિચાર કરે છે.


તું. હિમ્મત હારતી નહી. અમતુસ્સલામ તેના કામમાં ઊંડી ઉતરી ગયેલી છે. ભારે બહાદુરી બતાવી રહી છે. ભઠ્ઠીમાં પડેલી છે.



તારા સમાચાર લખતી રહેજે.


લિ.
વલ્લભભાઈનાઆશિર્વાદ

સરદાર પટેલ તો મરતાને પણ જીવન જીવવાની હિમ્મત આપતા, આવા સરદાર જેઓ  કહે છે કે મરણ તો મુક્તિનું દ્વાર છે! 

સરદાર પટેલ અમર રહો.

Gandhiji’s Letter to Sardar Vallabhbhai Patel

Gandhiji’s Letter to Sardar Vallabhbhai Patel


Date : 7th December 1933


                I shall keep writing to Ba. Going to prison this time was not easy for her, but God will look after her. showed me your letter. But the fault is not his. As a matter of fact he tries unceasingly to protect me. He does not let troublesome people come to me at all in the first place. His disposes of so many himself, but some have to be brought to me. There is constant improvement in dealing with visitors as a result of experience. But do not worry about it. His will be done.


                Kishorlal has fallen ill in Bombay. He is somewhat better now. Do write to inquire about his healthy.


                Dr. Jivraj Mehta is also considerable pulled down. He is in Rugby hotel, Matheran.


                Mathuradas came along with others and is still with me and will go with me up to Delhi. He is also much reduced and has backache. He cannot move around much, but he will get stronger if he takes some rest.


                The Working Committee meeting can only be described as a mere talking session.


                What should I say about Jamnalalji? He has put on weight and is generally better, but his car is as troublesome to him as your nose to you. I am glad to see that you propose to practice neti but who is there to teach it to you? I can be regarded as an expert in it. Could you not call me in as a specialist? Inexpert use of neti often results in slight bleeding. A twig or straw is often used at first, but you should never try it. A strip of fine cloth should suffice. There is no difficulty if you do it slowly. Krishnadas, Mahadev and Devadas all learned it from me. Janakibehn had come with Jamnalalji. Both left at night.


                Chandrashankar is doing good work. Kaka and Swami have gone to Matheran for a few days.


                I reach Delhi on the Roth.


Ref. :  Letters to Sardar Patel Pg. 29

© all rights reserved
SardarPatel.in