Showing posts with label featured. Show all posts
Showing posts with label featured. Show all posts

Renunciation of Sardar Patel

Renunciation of Sardar Patel - સરદાર પટેલનો ત્યાગ

સન ૧૯૨૯ના પ્રવચનો દ્વારા જાણી શકાય કે સરદાર પટેલનો મુખ્ય મુદ્દો જમીન મહેસૂલનો અન્યાયી બોજ હતો, તેમનું માનવુ હતુ કે આ મુદ્દા ઉપર આખા હિંદુસ્તાને સરકાર સામે લડવા તૈયાર કરી શકાશે. સપ્ટેમ્બર ૧૯૨૯ના યંગ ઈંડિયામાં ગાંધીજીએ આ વિષય બાબતે વિસ્તારથી લખેલ છે અને જેમા બારડોલીનું મહત્વ અને સરદારની શક્તિઓની જાણકારી દેશ સમક્ષ મુકી હતી. જેમા તેમણે જણાવ્યુ કે “સરદારની આગેવાની શક્તિઓનો લાભ ઉઠાવી શકે તેવા કેટલા બારડોલી જેવા ગામો છે?” બારડોલીની લડાઈ માટે તૈયાર ખેડુતોએ તાલીમબધ્ધ સેવકોની મદદથી અહિંસાની આ લડતમાં વિજય મેળવ્યો હતો.

કોંગ્રેસના પ્રમુખપદ જેવા મહત્વના સવાલમાં મોતીલાલ નહેરુ પછી કોની વરણી કરવી તેમાં સરદાર પટેલ અને ગાંધીજી વ્યસ્ત બન્યા હતા. સુભાષચંદ્ર બોઝે લખેલ કે “કોંગ્રેસના સભ્યોમાં સરદાર પટેલ અને ગાંધીજી બન્નેમાંથી આ પદ કોને મળવું જોઈએ તે બાબતે અસમંજસ હતી. કેટલાક સભ્યો સરદાર પટેલને આ માન મળવું જોઈએ અને કેટલાક સભ્યો એમ માનતા હતા કે અંગ્રેજો સામેની લડત ગાંધીજીએ લડવાની હતી તેથી આ માન તેમને મળવું જોઈએ. ગાંધીજીને આ માન મળે તેમાં રાજાજી અને ઘણાખરા અંશે સરદાર પટેલ પોતે પણ આ મત ધરાવતા હતા.

સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં વૈદારણ્ય પરિષદમાં સરદારે કહ્યુ હતુ કે “સહું કોઈ ગાંધીજીને પ્રમુખપદ સોંપવા આતુર છે.” દસ પ્રાંતિક સમિતિઓએ ગાંધીજીના નામની દરખાસ્ત મૂકી હતી અને નવા પ્રમુખ તરીકે ગાંધીજીના નામની જાહેરાત પણ કરી દેવામા આવી હતી. પણ ગાંધીજીએ આ હોદ્દો સ્વીકરવાની સાફ મનાઈ કરી. હવે પાંચ પ્રાંતિક સમિતિઓએ સરદાર વલ્લભભાઈ પટેલના નામની અને ત્રણ પ્રાંતિક સમિતિઓએ જવાહરલાલ નેહરુના નામની દરખાસ્ત કરેલ, હવે પસંદગી આ બન્ને વચ્ચે કરવાની હતી. લખનૌમાં મળેલ કોંગ્રેસ સમિતિની સભામાં ગાંધીજીને તેમના નિર્ણય બાબતે ફરી વિચારવા વિનંતી કરી પરંતુ ગાંધીજી પોતાની વાતને વળગી રહ્યા.
ઉત્તરપ્રદેશના નરેંદ્ર દેવ અને બાલકૃષ્ણ શર્મા જવાહરલાલના યુવાન અને ઉત્સાહી ટેકેદારો હતા. અને તેઓએ વલ્લભભાઈ ઉપર દબાણ કરવાનું શરુ કર્યુ અને જાહેરમાં હવે સરદાર શુ કરશે? સરદાર શુ કહેશે? આ બાબતોને પ્રાધાન્ય આપી ચર્ચા કરવા માંડી. આ સમયે નરેંદ્ર દેવ અને બાલકૃષ્ણએ જે ભાગ ભજવેલ તેની યાદ તાજી કરતા સરદારે આશરે ૧૯ વર્ષ પછી એટલે કે આશરે ૧૯૪૮માં તેમને જવાહરલાલના “ડાઘિયા કુતરા” તરીકે ગણાવ્યા હતા. નરેંદ્ર દેવ ના લખાણ મુજબ ૧૯૨૯માં ઉમેદવારી પાછી ખેચી લેવા માટે સમજાવવા ગાંધીજી માટે કપરો સમય હતો, આ લખાણનો ઉલ્લેખ રાણીએ કરેલ તે સાવ ખોટી રીતે બોમ્બે ક્રોનિકલ ૨૮-૧૯૩૯માં વંચાયો છે. હકીકતમાં આ લખાણ વર્ષ ૧૯૩૬ બાબતે નરેંદ્ર દેવે લખેલ જે ખોટી રીતે વંચાયેલ હોવાતી ૧૯૨૯ માટે ગેર સમજ ઉભી કરે છે. હકીકતમાં તો વર્ષ ૧૯૨૯માં તો સરદાર પટેલે તરત ઉમેદવારી પાછી ખેચી લીધી હતી. અને જવાહરલાલ નેહરુ ૧૯૨૯માં કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા.

Narayan Dev
“ડાઘિયા” શબ્દપ્રયોગ ઉપરથી તો સમજી શકાય કે વલ્લભભાઈ પટેલના મનમાં કેટલી કડવાશ હશે. આ કડવાશ શા કારણે છે? તે સમજવા ઘણા કારણો છે. તેમના માટે સૌથી વેદનાકારી કારણ એ હતુ કે જેના માટે થઈને તેમણે ઘરબાર છોડ્યાં, અને દરેક બાબતે જેમનો અભિપ્રાય સર્વોપરી અને મૂલ્યવાન હતો, તે મહાત્મા ગાંધીજીએ તેમની શક્તિઓને ઊતરતી ગણાવી હતી. “ડાઘિયાઓ” જવાહરલાલને ટેકો આપે તે સમજી શકાય પરંતુ ગાંધીજી પોતે જવાહરલાલની વરણી કરે તે તેમના માટે અસહ્ય હતું. માઈકલ બ્રેચરના પુસ્તક નેહરુમાં આ બાબતે ઉલ્લેખ કરેલ છે. અને મોતીલાલ નેહરુ અને માતા સ્વરૂપરાણી ની ખુશીનો તો કોઈ પાર નહોતો. વર્ષને અંતે લાહોર કોંગ્રેસના પ્રમુખપદેથી જવાહરલાલ નહેરુએ કહ્યુ કે “હું ગણતંત્રવાદી છુ અને રાજાઓ અને રાજકુમારોની પરંપરામાં મને જરા પણ શ્રધ્ધા નથી.” સ્વાયત્તની શાસનની બાબતમાં વલ્લભભાઈ જવાહરલાલ કરતા ઓછા ઉગ્ર હતા. તેમ છતા ગણતંત્ર તેમના લોહીમાં વણાઈ ગયેલું. આ ગોળી ઘણી કડવી હતી પરંતુ વલ્લભભાઈએ કોઈપણ આનાકાની વગર ગળે ઉતારી લીધી.

Balkrishna Sharma

ગાંધીજીને અનુસરવાની પોતાની પ્રતિજ્ઞાને કારણે જ વલ્લભભાઈ બધા જ આઘાત અને અણગમાને પોતાના મનમાં ઉગતા પહેલા જ દાબી દીધા. પરંતુ એક વાતથી તો ગાંધીજી, જવાહરલાલ અને બીજા સભ્યો પણ પરિચિત હતા કે ગુજરાતમાં તો ફક્ત પટેલ કહેશે તે જ થશે ખુદ કોંગ્રેસ પ્રમુખ કે ગાંધીજી કહેશે તો પણ નહી ઉપજે. જેમ ૧૯૦૫માં વલ્લભભાઈએ વિઠ્ઠલભાઈ માટે જે ભોગ આપ્યો (બેરિસ્ટર થવા માટે વિલાયત જવાનો) તેમા એક વણલખી શરત હતી તેમ ૧૯૨૯માં તેમણે જવાહરલાલ માટે આપેલ ભોગમાં પણ એક મૂક શરત હતી – ગુજરાતમાં વલ્લભભાઈ ધારશે તેમ જ થશે.

Sardar, Gandhi And Jawahar



ગાંધીજી અને સરદારશ્રીનો સંબંધ કેટલો નિકટનો હતો તે સમજવા અમુક પ્રસંગો વાગોળવાથી જણાશે. સરદારશ્રી ગાંધીજીના અંધભક્ત તરીકે ઓળખાતા. સરદાર પારદર્શી દૃષ્ટિના અને વ્યવહારકુશળ માનવી હતા કે તેઓ પોતાની બુધ્ધિ ગીરવે મુકે જ નહી! ગાંધીજી સરદારશ્રીના મનની વાત સમજતા તેવી જ રીતે સરદારશ્રી પણ ગાંધીજીના મનની વાત સમજતા અને એટલેજ ગાંધીજીએ તા. ૮ મે ૧૯૩૩ના રોજ પોતાના નિવેદનમાં જ કહેલ કે “
યરવાડા જેલવાસ દરમ્યાન સરદારે જે પ્રેમથી મને તરબોળ કર્યો છે. તેના કારણે જ મને મારા માતાની યાદ આવતી. મને જરાક કાંઈ થાય તો સરદાર પથારીમાંથી ઊઠ્યાજ સમજો. મારી સગવડની નાનામાં નાની વસ્તુઓની પણ કાળજી રાખતા. ક્યારેક તો ગાંધીજી બોલી ઉઠતા સરદાર તો મને મારા પુત્રની જેમ વહાલા છે.




વર્ષ ૧૯૪૭ના અંતમાં લોકતંત્રના વહીવટી કાર્યક્ષેત્રોમાં જ્યારે સરદાર અને જવાહરલાલ વચ્ચે મતભેદો ઉભા થયા ત્યારે બન્ને અવારનવાર ગાંધીજી સાથે રજુઆત કરતા. સરદારશ્રી સાથે ગાંધીજીએ વાત કરતા એક સમયે તો સરદારશ્રીને કહ્યું હતું કે 
તમારી આજની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠાનો ખ્યાલ કરતા મને લાગે છે કે તમારે પ્રધાનમંત્રી પદનો સ્વીકાર કરવો જોઈએ!
આ પ્રસંગનીતો મણીબેને પણ નોંધ લીધેલ. ત્યારે સરદારે ગાંધીજીને જણાવ્યું કે 
પ્રધાનમંત્રી તો જવાહર જ રહે. માત્ર મને રાજકાજથી મુક્ત કરો એટલું જ પ્રાર્થુ છું. જો હું આ પદ સ્વીકારુ તો જે લોકો મારી સામે અવળી વાતો ફેલાવી રહ્યા છે તેમની વાતોને પણ નાહકની પુષ્ટિ મળશે.
કોંગ્રેસ સંગઠનમાં સૌથી કાર્યકુશળ અને પ્રભાવી વ્યક્તિ તરીકે પ્રધાનમંત્રી બનવું સરદાર માટે તો જરાય અઘરું નહોતુ. ગાંધી કહે તે પ્રમાણે વર્તવું એવો ધર્મ પોતાના અંગત જીવનમાં સદાય પાળ્યો હતો.



સરદારે જવાહરને ફક્ત નેતા તરીકે જ સ્વીકાર્યા નહોતા, બલ્કે અણીના વખતે તેઓ હરહંમેશ એમની પડખે ઉભા રહેતા. અપ્રિલ ૧૯૫૦માં જ્યારે નહેરુ-લિયાકત કરાર વખતે જે મદદ સરદારે કરી તે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ બાબતે આપણે વિગતવાર ચર્ચા ફરી ક્યારેક કરીશું. નહેરુ અને સરદાર વચ્ચે મતભેદો હતા પરંતુ તે ક્યારેય રાજકીય દુશ્મનાવટમાં પરિવર્તિત નહોતા થયા. સરદારે ગૃહમંત્રી પદે જેટલી મદદ નહેરુ ને કરી છે તે જ આ વાત સાબિત કરે છે કે નહેરુને સરદારની જરૂર હંમેશા રહી હતી.



ગાંધીજીના નિર્વાણ પછીનો સરદારનો તા. ૮-૨-૪૮ના પત્રમાં જ સરદારની ગાંધીભક્તિ આંખે ઉડીને વળગે
છે. આપણા માથેથી છત્ર ચાલી ગયુ, સૂનુ લાગે છે, પણ શું થાય! મહાત્માનું જીવન એટલે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઈતિહાસ! આ ઉદ્ગારો રૂપે બાપુને ભવ્ય શ્રધ્ધાંજલી આપતા સરદારના મુખેથી રામલીલા મેદાન પર ભાષણ આપતા સરી પડ્યા.

જ્યારેબાપુની હત્યા થઈ ત્યારે કેટલાક સમાજવાદી નેતાઓએ તે જ સમયે બાપુની શહીદીનો ડાઘ સરદારના માથે ચોટાડવાનો સુવર્ણ અવસર માનવા લાગ્યા. દેશના કેટલાય અખબારોએ આ બાબતેસમાજવાદીઓ ઉપર ઉગ્ર ટીકાઓ પણ કરી. સરદારને ગૃહપ્રધાન પદ ઉપરથી ખસેડવાનો જેઅંદરખાને પ્રયાસ મૌલાના આઝાદે કર્યો હતો તેનો જ ભાગ હતો. સરદારે તો આ વાત મૌલાનાનેરોકડી પરખાવી હતી અને તેનો પ્રતિઉત્તર મૌલાના આપી શકે તેવી પરિસ્થિતિમાં જ નહોતા.


સરદારને તો સૌથી વધુ ખરાબ તો એ લાગ્યુ કે જ્યારે બાપુના મૃત્યુના શોકમાં ભારત આખું ડુબેલ છે ત્યારે આવું કર્મ સમાજવાદીઓએ કર્યુ. પ્રાર્થના સ્થળ ઉપર કોઈની પણ ઝડતી ન લેવાનો આદેશ સ્વંય બાપુનો જ હતો. સરદારે તો બાપુને ઘણું સમજાવ્યા પરંતુ બાપુ માન્યા નહોતા. તેમ છતાં બાપુના રક્ષણ માટે ૩૦ જેટલા પોલીસના માણસો સાદા વેશમાં પ્રાર્થનામાં બેસતા જેથી બાપુના રક્ષણ માટે જઈ શકાય. લોકસભા કોંગ્રેસના સભ્યો આગળ સરદારે તા. ૪-૨-૪૮ ના રોજ પોતાના ભાષણમાં જણાવ્યુ કે “બોમ્બનો બનાવ બનતા પહેલા બિરલા હાઉસને સંપૂર્ણ શસ્ત્રધારી દળોથી ઘેરી લેવામાં આવ્યું હતું. બોમ્બના બનાવ પછી તો દરેક ઓરડામાં એક એક સશ્સ્ત્ર પોલીસ અધિકારી રાખવામાં આવ્યો હતો. આગળ સરદારે કહ્યુ કે હું જાણતો હતો કે બાપુને આ પસંદ નહોતુ અને તે બાબતે બાપુએ અણગમો દર્શાવેલ હતો. પરંતુ આખરે તેઓ માની ગયા પણ સાફ સાફ કહ્યુ કે કોઈ પણ સંજોગોમાં પ્રાર્થનામાં ભાગ લેવા આવતા માણસોની તલાશી ન લેવાવી જોઈએ.


Tribute to Sardar Patel

Tribute to Sardar Patel - 15th December 2018

અતુલ્ય સરદાર

શુક્રવાર તારીખ ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે સરદાર વલ્લભભાઈના દેહાંતના સમાચાર આખા દેશમાં પ્રસરી ગયા હતા. આ સમાચાર જાણી આખો દેશ આઘાતમાં સરી પડ્યો હતો. સરદાર પટેલે ૧૯૧૬-૧૭માં ગાંધીજીના એક અનન્ય સાથી તરીકે રાષ્ટ્રની સેવામાં અને તેમની આઝાદીની લડાઈમાં શામેલ થયા., ત્યારથી વિદેશી હુકુમતોને દેશમાંથી હટાવવા માટે ગાંધીજીની સાથે રહીને તેમણે સત્યાગ્રહની એક એવી આંધી ચલાવી કે આ આંધીએ બ્રિટિશ સરકારના મુળિયા ઉખેડી નાખ્યા. સરદાર પટેલની આજે ૬૮મી પુણ્ય તિથીના દિવસે સરદાર પટેલે લીલાવતીબેન આસરને જે રીતે આશ્વાસન આપેલ તે સાચે જ દરેકે સમજવા લાયક છે. લીલાવતીબેને તા ૧૬-૫-૧૯૪૯ના રોજ સરદાર પટેલને પોતાનું દુ:ખ સરદાર સાહેબ સમક્ષ પત્ર દ્વારા રજુ કરેલ. લીલાવતીબેનને પત્રમાં જણાવેલ કે મારા ભાઈ જેઓ ઘણા લાંબા સમયથી માંદા રહેતા હતા તેઓ આખરે ગુજરી ગયા. મારી છેલ્લી એમ.બી.બી.એસની પરિક્ષાને આગલે દિવસે ગુજરી ગયા. આ અઘાતને સહન કરી પરીક્ષા આપેલ. મારી સફળતાનું જેમને કૌતુક હતુ તેવા ભાઈ સરખા મહાદેવભાઈ પણ ખોયા. મા-બાપ જેવા બા-બાપુને ખોયા. અને હવે બાકી હતુ તે ભાઈએ પુરુ કર્યુ. હવે બાકી શુ રહ્યુ છે? કોને માટે હવે કરુ? જન્મીને દુ:ખ સિવાય કદી કાંઈ જોયુ નથી. બાળપણમાં માતાપિતા ખોયા, બાળવયે વૈધવ્ય, ત્યાર બાદ પૂ. બાપુને ખોળે આવીને પડી. બધાનો પ્રેમ પામીને બધાને ખોયા. ઘર તરફ નજર વાળી તો જે ભાઈ જે મારા જ વિચારોના અને મને ચાહનાર હતા તેને ખોયા. હજી પણ પથ્થરની થઈ જીવું છું.


આ પત્ર બાદ સરદાર સાહેબે તા. ૧૯-૫-૧૯૪૯ના રોજ પત્ર લીલાવતીબેન આસરને પાઠવ્યો તે સાચે જ હિમ્મત આપનારો હતો. સરદાર લખે છે કે.


ચિ. લીલાવતી,


તારો તા. ૧૬મીનો પત્ર મળ્યો. કાગળ દુ:ખ અને વેદનાથી ભરેલો છે. એટલે તારા મનની સ્થિતિ હું સમજી શકુ છુ. બાપુની ખોટ તો સૌને થોડેઘણે અંશે લાગે જ અને તારા જેવીને તો વિશેષ લાગે! પૂ. બાપુએ આપણને શું શીખવ્યું તેનો ખ્યાલ રાખવો જોઈએ અને એમણે જ શીખ્વ્યું તે યાદ રાખીએ તો અનેક સંકટોમાંથી રસ્તો કાઢવાની સુઝ પડે. તારા ઉપર એક પછી એક મુસીબતો આવી પડી. પણ ઈશ્વર મુસીબતોથી જ કસોટી કરે છે ને સોનું જેમ તપે તેમ શુધ્ધ થતું જાય તેમ માણસના મન ઉપર જેમ દુ:ખ પડતુ જાય તેમ ઈશ્વરની નજીક જવાનો પ્રયત્ન કરે ને હિંમત હારે નહીં- તો જ બાપુનો માર્ગ પકડેલો ગણાય.


તારા ભાઈ તો ઘણા વર્ષોથી માંદા હતા અને છેવટના ભાગમાં તો અતિશય દુ:ખી થતા હતા. એટલે તે દુ:ખમાંથી છુટી ગયા. તેને માટે તારે શોક ન કરવો જોઈએ. નાનામોટા સૌને જવાનું તો છે જ અને આ જગતમાં

દુ:ખી થઈને રહેવુને પોતાનું ને પારકાનું ભલુ ન કરી શકાય તેવી સ્થિતિમા બીજાના ઉપર બોજારૂપ થઈને દુ:ખ્માં સડ્યા કરવુ તેના કરતા છુટી જવુ તે જ સારુ ગણાય. બાકી મરણ એ તો મુક્તિનું દ્વાર છે ને બાપુએ આપણને વારંવાર શીખવ્યું છે, તે ભુલવુ ન જોઈએ.


તું આ વખતે હિમ્મત હારી ગઈ તેથી મને દુ:ખ થયુ છે. હજી થોડો વખત વિચાર કરજે ને હવે છેલ્લા એક વરસ માટે ફરીથી હિમ્મત કરીને જો. તુ તારો અભ્યાસ પૂરો કરી શકે તો ઘણું સારુ ગણાય. તારી પ્રતિજ્ઞા પણ પૂરી થશે. (ઉલ્લેખનીય છે કે લીલાવતીબેનને બાપુની સેવા કરવાની ઘણી જ હોશ હતી અને આ જ કારણે તેમણે એમ.બી.બી.એસ. થવાની પ્રતિજ્ઞા લીધી હતી.), અને ભવિષ્યમાં પણ તારે જે કામ કરવાનું છે તેમાં તને સંતોષ રહે. તું આવતે વર્ષે જરૂર પાસ થઈ જઈશ ને પછી નિરાંતે તુ સેવાગ્રામમાં જઈને બાપુના સ્થાનમાં જે કામ કરવાનું છે તે પુરુ કરી શકીશ. તારી જિંદગી ત્યાં સફળ થશે.


તારી ભાભી બહુ ઉદાર દિલની છે. તેણે હિમ્મતથી તને ભણવા માટે રજા આપી તે માટે તેને ધન્યવાદ ઘટે છે. તારી મદદની તો તેને જરૂર પડવાની જ. પણ તેની બહાદુરીમાંથી તારે પણ શીખવાનું છે. હવે તુ તારુ કામ પુરૂ કરી લે ને સેવાગ્રામ જવાની ઉતાવળ ન કર.



તું જાણે છે કે મને પણ ઘણાં વર્ષથી આંતરડાનો રોગ લાગુ પડ્યો છે જે તારા ભાઈને પ્રાણઘાતક નીવડ્યો.
હું સંભાળી સંભાળીને ચલાવી રહ્યો છું અને એ ઉપર વળી હ્રદયનું દરદ પણ થયેલું છે. અહીયા આરામને માટે આવ્યો છું. થોડોઘણો આરામ અહીં મળી શકે છે. બાકી કામનો પાર નથી.


સુશીલાના કાગળો મારા પર આવે છે. તે આ વર્ષની આખર સુધી ત્યાં રહેવાનો વિચાર કરે છે.


તું. હિમ્મત હારતી નહી. અમતુસ્સલામ તેના કામમાં ઊંડી ઉતરી ગયેલી છે. ભારે બહાદુરી બતાવી રહી છે. ભઠ્ઠીમાં પડેલી છે.



તારા સમાચાર લખતી રહેજે.


લિ.
વલ્લભભાઈનાઆશિર્વાદ

સરદાર પટેલ તો મરતાને પણ જીવન જીવવાની હિમ્મત આપતા, આવા સરદાર જેઓ  કહે છે કે મરણ તો મુક્તિનું દ્વાર છે! 

સરદાર પટેલ અમર રહો.

© all rights reserved
SardarPatel.in