Showing posts with label gandhi and jawahar. Show all posts
Showing posts with label gandhi and jawahar. Show all posts

Gandhiji and Sardar Patel at Yerwada Jail 04-11-32

યરવડા જેલવાસ દરમ્યાન તા. ૪ નવેમ્બર ૧૯૩૨ના રોજ બાપુ સાથે સરદાર સાહેબનો વાર્તાલાપ – મહાદેવભાઈ દેસાઈ થકી..

બાપુએ આજે વધુ એક ઉપવાસ રાખવાની સંભાવના વ્યક્ત કરી અને સાથે સાથે ટીપ્પણી પણ કરી કે આ ઉપવાસ કરવામાં એક મુશ્કેલી છે. સરકાર આ ઉપવાસ બાબતે એવુ સમજશે કે આ વ્યક્તિ કોઈ પણ બહાને જેલની બહાર આવવા માંગે છે.

મે (મહાદેવભાઈ) સહમતિ આપી, આ વ્યાજબી વાંધા સાથે છે.

બાપુએ પુછ્યું કે વલ્લભભાઈ, તમે આ બાબતે શું વિચારો છો?
વલ્લભભાઈએ થોડો વિચાર કરીને થોડા દુ:ખી સ્વરે કહ્યું કે હું ઈચ્છું છું કે તમે થોડો સમય લોકોને આરામ આપો. જે લોકો ત્યાં એકત્ર થયા છે તેઓને તેમની મરજી મુજબ કરવા દો. તમે તેમને માથે પિસ્તોલ (ઉપવાસ રુપી) રાખીને તેમને ચિંતિત કેમ કરો છો? અન્ય લોકો પણ એવુ વિચારશે કે આ માણસ પાસે કરવા માટે કશું નથી એટલે ટાણે કટાણે ઉપવાસ કરવાની વાત કરે છે. પરંતુ આ ફક્ત જેલની બહાર નિકળવાનું બહાનું છે તે એક બિલકુલ અલગ વાત છે.
બાપુએ હસતા હસતા કહ્યું, શું તમે આ પ્રકારના ઉપવાસની સાથે સહમતિ આપશો, જેની સિફારિશ મહાદેવ કરે છે?
વલ્લભભાઈએ કહ્યું, હકીકતમાં આ પ્રશ્ન અમારી પરીક્ષા લેવા માટે પુછ્યો છે. જો હું “ના” કહુ તો તમે “હા” કહેશો અને જો મે “હા” કહ્યુ હોત તો તમે “ના” કહેશો. આ તમારી ખાસિયત છે.
બાપુ કહે ઓહ તો પછી હુ વિચારું છુ કે હવે મારે ઉપવાસ અવશ્ય રાખવો જોઈએ.
વલ્લભભાઈએ હસતા હસતા જવાબ આપ્યો કે, જો તમે ઉપવાસ રાખવા જ માંગો છો, તો તમે એ બધાજ લોકો વિરુધ્ધ ઉપવાસ કેમ નથી રાખતા કે જેઓએ ગોળમેજી પરીષદમાં ભાગ લેવા જઈ રહ્યા છે?
બાપુએ કહ્યું, આ તો તમારે અવશ્ય કરવુ જોઈએ, હુ તમને આની મંજુરી આપું છું.
વલ્લભભાઈએ કહ્યું, હું શુ કામ ઉપવાસ રાખું? જો હું ઉપવાસ રાખીશ, તો લોકો મને મરવા દેશે. આ બધા લોકો તો તમારા મિત્ર છે અને તમારી વાત સાંભળી શકે છે. પરંતુ, આવો આપણે આ વાતને છોડી દઈએ. જેઓ પહેલાથી ત્યા ગયા છે તેમની પરત આવવાની સંભાવના નથી. પરંતુ હુ એક વાત ભારપુર્વક કહેવા માંગુ છું. એવું દેખાઈ રહ્યુ છે કે આપણા લોકો થોડા નિરુત્સાહી થઈ ગયા છે. ચાલો, હવે આપણે ત્રણે આ માટે ઉપવાસ રાખીએ.
બાપુ કહે તમે સાચા છો. પરંતુ આ સમય આવા ઉપવાસ રાખવા માટે યોગ્ય સમય નથી. આ માટે યોગ્ય સમય આવશે, પરંતુ આ યોગ્ય સમય નથી.
વલ્લભભાઈ કહે જો તમે મને મંજુરી આપો તો હુ આ બાબતે ઉપવાસ રાખવા પુરી રીતે સહમત છું.

Sardar, Gandhi And Jawahar



ગાંધીજી અને સરદારશ્રીનો સંબંધ કેટલો નિકટનો હતો તે સમજવા અમુક પ્રસંગો વાગોળવાથી જણાશે. સરદારશ્રી ગાંધીજીના અંધભક્ત તરીકે ઓળખાતા. સરદાર પારદર્શી દૃષ્ટિના અને વ્યવહારકુશળ માનવી હતા કે તેઓ પોતાની બુધ્ધિ ગીરવે મુકે જ નહી! ગાંધીજી સરદારશ્રીના મનની વાત સમજતા તેવી જ રીતે સરદારશ્રી પણ ગાંધીજીના મનની વાત સમજતા અને એટલેજ ગાંધીજીએ તા. ૮ મે ૧૯૩૩ના રોજ પોતાના નિવેદનમાં જ કહેલ કે “
યરવાડા જેલવાસ દરમ્યાન સરદારે જે પ્રેમથી મને તરબોળ કર્યો છે. તેના કારણે જ મને મારા માતાની યાદ આવતી. મને જરાક કાંઈ થાય તો સરદાર પથારીમાંથી ઊઠ્યાજ સમજો. મારી સગવડની નાનામાં નાની વસ્તુઓની પણ કાળજી રાખતા. ક્યારેક તો ગાંધીજી બોલી ઉઠતા સરદાર તો મને મારા પુત્રની જેમ વહાલા છે.




વર્ષ ૧૯૪૭ના અંતમાં લોકતંત્રના વહીવટી કાર્યક્ષેત્રોમાં જ્યારે સરદાર અને જવાહરલાલ વચ્ચે મતભેદો ઉભા થયા ત્યારે બન્ને અવારનવાર ગાંધીજી સાથે રજુઆત કરતા. સરદારશ્રી સાથે ગાંધીજીએ વાત કરતા એક સમયે તો સરદારશ્રીને કહ્યું હતું કે 
તમારી આજની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠાનો ખ્યાલ કરતા મને લાગે છે કે તમારે પ્રધાનમંત્રી પદનો સ્વીકાર કરવો જોઈએ!
આ પ્રસંગનીતો મણીબેને પણ નોંધ લીધેલ. ત્યારે સરદારે ગાંધીજીને જણાવ્યું કે 
પ્રધાનમંત્રી તો જવાહર જ રહે. માત્ર મને રાજકાજથી મુક્ત કરો એટલું જ પ્રાર્થુ છું. જો હું આ પદ સ્વીકારુ તો જે લોકો મારી સામે અવળી વાતો ફેલાવી રહ્યા છે તેમની વાતોને પણ નાહકની પુષ્ટિ મળશે.
કોંગ્રેસ સંગઠનમાં સૌથી કાર્યકુશળ અને પ્રભાવી વ્યક્તિ તરીકે પ્રધાનમંત્રી બનવું સરદાર માટે તો જરાય અઘરું નહોતુ. ગાંધી કહે તે પ્રમાણે વર્તવું એવો ધર્મ પોતાના અંગત જીવનમાં સદાય પાળ્યો હતો.



સરદારે જવાહરને ફક્ત નેતા તરીકે જ સ્વીકાર્યા નહોતા, બલ્કે અણીના વખતે તેઓ હરહંમેશ એમની પડખે ઉભા રહેતા. અપ્રિલ ૧૯૫૦માં જ્યારે નહેરુ-લિયાકત કરાર વખતે જે મદદ સરદારે કરી તે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ બાબતે આપણે વિગતવાર ચર્ચા ફરી ક્યારેક કરીશું. નહેરુ અને સરદાર વચ્ચે મતભેદો હતા પરંતુ તે ક્યારેય રાજકીય દુશ્મનાવટમાં પરિવર્તિત નહોતા થયા. સરદારે ગૃહમંત્રી પદે જેટલી મદદ નહેરુ ને કરી છે તે જ આ વાત સાબિત કરે છે કે નહેરુને સરદારની જરૂર હંમેશા રહી હતી.



ગાંધીજીના નિર્વાણ પછીનો સરદારનો તા. ૮-૨-૪૮ના પત્રમાં જ સરદારની ગાંધીભક્તિ આંખે ઉડીને વળગે
છે. આપણા માથેથી છત્ર ચાલી ગયુ, સૂનુ લાગે છે, પણ શું થાય! મહાત્માનું જીવન એટલે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઈતિહાસ! આ ઉદ્ગારો રૂપે બાપુને ભવ્ય શ્રધ્ધાંજલી આપતા સરદારના મુખેથી રામલીલા મેદાન પર ભાષણ આપતા સરી પડ્યા.

જ્યારેબાપુની હત્યા થઈ ત્યારે કેટલાક સમાજવાદી નેતાઓએ તે જ સમયે બાપુની શહીદીનો ડાઘ સરદારના માથે ચોટાડવાનો સુવર્ણ અવસર માનવા લાગ્યા. દેશના કેટલાય અખબારોએ આ બાબતેસમાજવાદીઓ ઉપર ઉગ્ર ટીકાઓ પણ કરી. સરદારને ગૃહપ્રધાન પદ ઉપરથી ખસેડવાનો જેઅંદરખાને પ્રયાસ મૌલાના આઝાદે કર્યો હતો તેનો જ ભાગ હતો. સરદારે તો આ વાત મૌલાનાનેરોકડી પરખાવી હતી અને તેનો પ્રતિઉત્તર મૌલાના આપી શકે તેવી પરિસ્થિતિમાં જ નહોતા.


સરદારને તો સૌથી વધુ ખરાબ તો એ લાગ્યુ કે જ્યારે બાપુના મૃત્યુના શોકમાં ભારત આખું ડુબેલ છે ત્યારે આવું કર્મ સમાજવાદીઓએ કર્યુ. પ્રાર્થના સ્થળ ઉપર કોઈની પણ ઝડતી ન લેવાનો આદેશ સ્વંય બાપુનો જ હતો. સરદારે તો બાપુને ઘણું સમજાવ્યા પરંતુ બાપુ માન્યા નહોતા. તેમ છતાં બાપુના રક્ષણ માટે ૩૦ જેટલા પોલીસના માણસો સાદા વેશમાં પ્રાર્થનામાં બેસતા જેથી બાપુના રક્ષણ માટે જઈ શકાય. લોકસભા કોંગ્રેસના સભ્યો આગળ સરદારે તા. ૪-૨-૪૮ ના રોજ પોતાના ભાષણમાં જણાવ્યુ કે “બોમ્બનો બનાવ બનતા પહેલા બિરલા હાઉસને સંપૂર્ણ શસ્ત્રધારી દળોથી ઘેરી લેવામાં આવ્યું હતું. બોમ્બના બનાવ પછી તો દરેક ઓરડામાં એક એક સશ્સ્ત્ર પોલીસ અધિકારી રાખવામાં આવ્યો હતો. આગળ સરદારે કહ્યુ કે હું જાણતો હતો કે બાપુને આ પસંદ નહોતુ અને તે બાબતે બાપુએ અણગમો દર્શાવેલ હતો. પરંતુ આખરે તેઓ માની ગયા પણ સાફ સાફ કહ્યુ કે કોઈ પણ સંજોગોમાં પ્રાર્થનામાં ભાગ લેવા આવતા માણસોની તલાશી ન લેવાવી જોઈએ.


© all rights reserved
SardarPatel.in