Vithalbhai Patel, Sardar Patel

LATEST POSTS

Vithalbhai Patel

Vithalbhai Patel

Sardar Patel

sardar patel

27-11-1948 Sardar Patel warned Pakistan to stay away from Kashmir.

सरदार पटेल ने पाकिस्तान को कश्मीर से दूर रहने की चेतावनी दी।


27 नवंबर 1948 को, भारत के उपप्रधानमंत्री सरदार वल्लभभाई पटेल ने एक जनसभा को संबोधित करते हुए पाकिस्तान को कश्मीर से दूर रहने की कड़ी चेतावनी दी। उनकी यह घोषणा न केवल कश्मीर की अखंडता के प्रति भारत की प्रतिबद्धता को दर्शाती है, बल्कि उस समय की जटिल भू-राजनीतिक स्थिति में भारत की दृढ़ता को भी उजागर करती है। सरदार पटेल का यह संदेश आज भी भारत की एकता और संप्रभुता के लिए प्रेरणा का स्रोत है।

कश्मीर के प्रति अटल संकल्प


सरदार पटेल ने अपने संबोधन में स्पष्ट किया, "अगर पाकिस्तान ने हमारे साथ अपना भाग्य लिखना तय कर लिया है, तो हम कश्मीर और उसकी जनता को अपने से अलग नहीं करेंगे।" यह कथन कश्मीर को भारत का अभिन्न अंग मानने की उनकी अटल नीति को दर्शाता है। उन्होंने कश्मीर की जनता के साथ भारत के गहरे भावनात्मक और रणनीतिक जुड़ाव पर जोर दिया, जिसे किसी भी कीमत पर तोड़ा नहीं जा सकता।

पाकिस्तान की धमकियों का जवाब

संयुक्त राष्ट्र सुरक्षा परिषद में पाकिस्तान के विदेश मंत्री जफरुल्ला खान ने धमकी दी थी कि यदि भारत कश्मीर से अपनी सेना नहीं हटाता, तो पाकिस्तान अतिरिक्त सैन्य बल भेजेगा और हवाई हमलों का सहारा लेगा। इस धमकी का जवाब देते हुए सरदार पटेल ने निर्भीकता के साथ कहा, "हम इस तरह की धमकियों से डरने वाले नहीं हैं।" उन्होंने स्पष्ट किया कि भारत को अपने क्षेत्र की रक्षा करने और आक्रमण से बचाने का पूर्ण अधिकार है। यह कथन भारत की सैन्य और नैतिक ताकत को प्रदर्शित करता है।

हैदराबाद और जूनागढ़ का उदाहरण

सरदार पटेल ने अपने संबोधन में हैदराबाद और जूनागढ़ के उदाहरणों का उल्लेख किया। उन्होंने बताया कि हैदराबाद के निजाम को बार-बार विलय के लिए समझाने की कोशिश की गई, लेकिन उनकी अनिच्छा के कारण स्थिति जटिल हो गई। अंततः, निजाम ने अपनी गलती स्वीकारी और विलय के लिए सहमति दी। इसी तरह, कश्मीर ने भी शुरुआत में अलग-थलग रहने का प्रयास किया, लेकिन समय पर कार्रवाई न करने के कारण पिछले एक वर्ष में कई दुखद घटनाएं हुईं। सरदार पटेल ने जोर देकर कहा कि यदि समय पर उचित कदम उठाए गए होते, तो इन घटनाओं से बचा जा सकता था।

कश्मीर में भारत की त्वरित सहायता

जब कश्मीर के शासक और जनता ने भारत से मदद मांगी, तो भारत ने तुरंत अपनी सेना और संसाधन उनकी सुरक्षा के लिए भेजे। सरदार पटेल ने कहा, "जब जरूरत के समय राज्य ने हमसे संपर्क किया और जनता व शासक दोनों हमारे पास मदद के लिए आए, तो हमने तुरंत उनकी सहायता की।" यह कदम भारत की संवेदनशीलता और जिम्मेदारी को दर्शाता है। हालांकि, युद्ध को एक वर्ष बीत चुका था, और संयुक्त राष्ट्र में यह मुद्दा अभी भी अनसुलझा था।

धमकियों के खिलाफ भारत की दृढ़ता

पाकिस्तान के विदेश मंत्री ने भारत पर अधिक सैन्य बल भेजने का आरोप लगाया और सेना वापस बुलाने की मांग की। इसके साथ ही, उन्होंने हवाई हमलों की धमकी भी दोहराई। सरदार पटेल ने इन धमकियों को खारिज करते हुए कहा, "हम अपने राज्य को विश्वासघात और आक्रमण से बचाने के लिए सेना और सामग्री भेजेंगे। ऐसा करना हमारा अधिकार है।" यह कथन भारत की संप्रभुता और आत्मरक्षा के प्रति उनकी दृढ़ता को रेखांकित करता है।

सरदार पटेल का यह संबोधन कश्मीर की रक्षा और भारत की एकता के लिए उनकी अटूट प्रतिबद्धता का प्रतीक है। उन्होंने न केवल पाकिस्तान की धमकियों का निर्भीक जवाब दिया, बल्कि कश्मीर की जनता और भारत के बीच अटूट बंधन को भी रेखांकित किया। उनका यह संदेश आज भी हमें सिखाता है कि एकता, दृढ़ता और संवेदनशीलता के साथ किसी भी चुनौती का सामना किया जा सकता है। सरदार पटेल की यह चेतावनी भारत के इतिहास में एक महत्वपूर्ण पल है, जो हमें अपनी संप्रभुता और एकता की रक्षा के लिए प्रेरित करता है।



Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

05-01-1948 Kashmir and the unity of India: Sardar Patel's historic speech at Kolkata

कश्मीर का एक इंच भी नहीं छोड़ा जाएगा : सरदार पटेल ने बंगाल के लोगों को विश्वास दिलाया 

5 जनवरी 1948 को, कोलकाता के मैदान में एक विशाल जनसभा को संबोधित करते हुए, भारत के उपप्रधानमंत्री सरदार वल्लभभाई पटेल ने देशवासियों से धैर्य, एकता और सहनशीलता बनाए रखने की भावपूर्ण अपील की। इस संबोधन में उन्होंने कश्मीर की अखंडता, भारत की एकता, और विभाजन के बाद की चुनौतियों पर अपने विचार स्पष्ट रूप से व्यक्त किए। सरदार पटेल का यह संदेश न केवल उस समय की परिस्थितियों के लिए प्रासंगिक था, बल्कि आज भी यह भारत के लिए प्रेरणा का स्रोत है।

कश्मीर की अखंडता का संकल्प

सरदार पटेल ने अपने संबोधन में कश्मीर के मुद्दे पर भारत की दृढ़ स्थिति को रेखांकित किया। उन्होंने कहा, "कश्मीर का एक इंच भी नहीं छोड़ा जाएगा।" यह कथन भारत की संप्रभुता और कश्मीर के प्रति अटूट प्रतिबद्धता को दर्शाता है। उन्होंने जनमत के सिद्धांत का समर्थन करते हुए स्पष्ट किया कि यदि कोई बलपूर्वक निर्णय थोपने का प्रयास करेगा, तो भारत जवाबी कार्रवाई के लिए तैयार है।

पाकिस्तान के साथ मतभेदों को सुलझाने में भारत की उदारता का जिक्र करते हुए उन्होंने कहा कि भारत सहिष्णुता का पालन करना चाहता है। लेकिन यदि पाकिस्तान भारत से प्राप्त संसाधनों का दुरुपयोग करके भारत पर हमला करता है, तो इसे बर्दाश्त नहीं किया जाएगा। यह संदेश भारत की शांति और दृढ़ता के बीच संतुलन को दर्शाता है।

बंगाल के विभाजन का दर्द और एकता की अपील

पूर्वी और पश्चिमी बंगाल के विभाजन से बंगाल की जनता को हुए कष्ट के प्रति गहरी सहानुभूति व्यक्त करते हुए सरदार पटेल ने कहा कि अब यह प्रश्न उठाने का समय नहीं है कि विभाजन क्यों स्वीकार किया गया। इसके बजाय, हमें बुराई से अच्छाई निकालने पर ध्यान देना चाहिए। उन्होंने जोर देकर कहा कि विभाजन के बावजूद दोनों बंगालों के बीच शत्रुता की दीवार नहीं बननी चाहिए। यह अपील बंगाल के लोगों को एकजुट रहने और आपसी मित्रता को बढ़ावा देने का संदेश देती है।

विभाजन के बाद की चुनौतियां और उपलब्धियां

विभाजन के बाद भारत को कई जटिल चुनौतियों का सामना करना पड़ा। सरदार पटेल ने अपने संबोधन में उन उपलब्धियों का उल्लेख किया, जो इस कठिन समय में हासिल की गईं। उन्होंने सेना और भंडारों के विभाजन, साथ ही 40 से 50 लाख लोगों की अदला-बदली को बिना किसी न्यायालय के हस्तक्षेप के सफलतापूर्वक पूरा करने का जिक्र किया। यह कार्य इतना विशाल था कि दुनिया की कोई भी सरकार इस बोझ तले दब सकती थी, लेकिन भारत ने इस तूफान से निकलकर अपनी ताकत साबित की।

भारत की आर्थिक और सैन्य चुनौतियां

सरदार पटेल ने भारत की तत्कालीन संकटपूर्ण स्थिति का भी वर्णन किया। खाद्यान्न की कमी और आयात की भारी कीमत ने देश को आर्थिक रूप से कमजोर किया था। इसके अलावा, स्वतंत्रता को बनाए रखने के लिए एक सुदृढ़ सेना की आवश्यकता थी, जिसमें थलसेना, नौसेना, और वायुसेना के लिए उचित उपकरणों की जरूरत थी। इन चुनौतियों के बावजूद, भारत ने रियासतों का संविलयन करके देश को विखंडन से बचाया, जो उनकी दूरदर्शिता और नेतृत्व का प्रमाण है।

धर्मनिरपेक्षता और एकता का संदेश

धर्मनिरपेक्षता बनाम हिंदू राज्य के अनावश्यक विवाद की आलोचना करते हुए सरदार पटेल ने स्पष्ट किया कि हिंदू राज्य की बात गंभीर नहीं है। उन्होंने कहा कि भारत में 4.5 करोड़ मुसलमान हैं, जिनमें से कई ने पाकिस्तान के निर्माण में योगदान दिया था। लेकिन उनकी देशभक्ति पर शक करने के बजाय, उन्हें अपनी अंतरात्मा से सवाल करना चाहिए। यह कथन भारत की धर्मनिरपेक्षता और समावेशी नीति को दर्शाता है, जो सभी धर्मों के लोगों को एक साथ जोड़ने पर केंद्रित थी।

पाकिस्तान के लिए संदेश और भारत की आकांक्षा

सरदार पटेल ने पाकिस्तान को संबोधित करते हुए कहा, "अब आप पाकिस्तान पा चुके हैं। इसे स्वर्ग बनाएं, हम इसका स्वागत करेंगे।" उन्होंने यह भी कहा कि यदि भारत ने विभाजन स्वीकार नहीं किया होता, तो देश टुकड़ों में बंट गया होता। लेकिन अब जब भारत एक बड़े हिस्से को एकजुट करने में सफल हुआ है, तो इसे और शक्तिशाली बनाने का समय है। उन्होंने युवाओं से अनुशासन और एकता के साथ कार्य करने की अपील की, ताकि भारत विश्व में अपना गौरवशाली स्थान प्राप्त कर सके।

सरदार पटेल का यह संबोधन भारत की एकता, कश्मीर की अखंडता, और स्वतंत्रता के बाद की चुनौतियों से निपटने की उनकी दृढ़ इच्छाशक्ति का प्रतीक है। उन्होंने न केवल कश्मीर के प्रति भारत की प्रतिबद्धता को दोहराया, बल्कि बंगाल के लोगों को एकता और सहिष्णुता का संदेश भी दिया। उनका यह कथन कि "हमें ऐसा कोई कार्य नहीं करना चाहिए, जिससे हमारा सिर शर्म से झुक जाए," आज भी हमें प्रेरित करता है कि हम अपनी स्वतंत्रता का उपयोग गर्व और सम्मान के साथ करें। सरदार पटेल का यह संदेश भारत के इतिहास में एक अमर अध्याय है, जो हमें एकजुट और शक्तिशाली राष्ट्र के निर्माण की दिशा में मार्गदर्शन करता है।




Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

12-05-1948 - Independence of Kashmir and the historical message of Sardar Patel (कश्मीर की स्वतंत्रता और सरदार पटेल का ऐतिहासिक संदेश)

कश्मीर की स्वतंत्रता और सरदार पटेल का ऐतिहासिक संदेश

12 मई 1948 को, कश्मीर में स्वतंत्रता समारोह की पूर्व संध्या पर, भारत के लौह पुरुष सरदार वल्लभभाई पटेल ने मसूरी से देश की भावी पीढ़ियों के लिए एक प्रेरणादायक संदेश दिया। यह वह समय था जब कश्मीर एक जटिल और चुनौतीपूर्ण दौर से गुजर रहा था। सरदार पटेल, जो उस समय स्वास्थ्य कारणों से समारोह में व्यक्तिगत रूप से उपस्थित नहीं हो सके, ने अपने संदेश में कश्मीर के संघर्ष, एकता और भविष्य के लिए अपनी आशाओं को व्यक्त किया।

सरदार पटेल का संदेश और उनका स्वास्थ्य


मार्च 1948 में हृदयघात का सामना करने के बाद, चिकित्सकों की सलाह पर सरदार पटेल को मसूरी में रहना पड़ा। उन्होंने अपने संदेश में कहा, "मैं कश्मीर के स्वतंत्रता समारोह में उपस्थित होकर बहुत प्रसन्न होता, किंतु चिकित्सकों के परामर्श के कारण मुझे इतनी दूर रहकर ही इस समारोह को देखने से संतोष करना पड़ रहा है।" उनकी यह भावना दर्शाती है कि भले ही वह शारीरिक रूप से वहां मौजूद नहीं थे, उनका मन और आत्मा कश्मीर की जनता के साथ थी।

कश्मीर का संघर्ष और उत्तरदायी सरकार

1948 में कश्मीर एक कठिन परिस्थिति का सामना कर रहा था। एक ओर शत्रु ताकतें थीं, जो कश्मीर की शांति और समृद्धि को खतरे में डाल रही थीं, तो दूसरी ओर कश्मीर की जनता अपने अधिकारों और स्वतंत्रता के लिए लंबे समय से संघर्ष कर रही थी। सरदार पटेल ने अपने संदेश में इस बात पर जोर दिया कि कश्मीर में एक उत्तरदायी सरकार की स्थापना, जिसमें शेख अब्दुल्ला को मेहर चंद महाजन की जगह प्रधानमंत्री नियुक्त किया गया था, एक महत्वपूर्ण कदम था।

शेख अब्दुल्ला ने 27 अप्रैल 1948 को सरदार पटेल को लिखे पत्र में उल्लेख किया था कि "इस राज्य की जनता ने एक लंबे और कड़े संघर्ष के बाद जम्मू व कश्मीर में एक उत्तरदायी सरकार की स्थापना कर ली है।" यह कथन कश्मीर की जनता के दृढ़ संकल्प और उनके संघर्ष की ताकत को दर्शाता है।

भूतकाल की कड़वाहट को भुलाकर भविष्य की ओर

सरदार पटेल ने अपने संदेश में भूतकाल की कड़वाहट को भुलाकर वर्तमान के मित्रतापूर्ण संबंधों और भविष्य के गौरवशाली विकास पर ध्यान देने की बात कही। उन्होंने कहा, "हमें भूतकाल की कड़वाहट की झलक को वर्तमान के हर्षित और मित्रतापूर्ण संबंधों के सामने प्रदर्शित नहीं करना चाहिए।" यह संदेश न केवल कश्मीर के लिए, बल्कि पूरे भारत के लिए एकता और सहयोग का प्रतीक था।

उन्होंने ब्रिटिश शासन के दौरान हुए संघर्षों का भी जिक्र किया, जो लंबे समय तक कड़वाहट और तनाव से भरे रहे। लेकिन ब्रिटिश सरकार ने अंततः सहयोग का रास्ता अपनाया, जिसके परिणामस्वरूप अतीत की घृणा को मित्रता और सहयोग में बदला गया। यह उदाहरण कश्मीर के लिए भी प्रेरणा का स्रोत था, जहां कठिनाइयों के बावजूद एक नई शुरुआत की उम्मीद थी।

कश्मीर के साथ भारत की एकता

सरदार पटेल का संदेश कश्मीर के लोगों के प्रति उनकी गहरी सहानुभूति और समर्थन को दर्शाता है। उन्होंने कहा, "यद्यपि मैं आपके समारोह से दूर रहूंगा, लेकिन मेरा मन पूरी तरह आपके साथ होगा। हमारी पूरी सहानुभूति सदा आपके हाल के वर्षों में किए गए स्वतंत्रता संघर्ष में आपके साथ रही है।" यह कथन भारत और कश्मीर के बीच गहरे भावनात्मक और वैचारिक जुड़ाव को दर्शाता है।

उन्होंने यह भी कहा कि भारत और कश्मीर के बीच की मित्रता समान आदर्शों और साझा लक्ष्यों पर आधारित है। यह मित्रता न केवल अतीत के संघर्षों से मजबूत हुई है, बल्कि भविष्य में भी स्थायी और सकारात्मक संबंधों का आधार बनेगी।




Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

The mobile office of Assembly President Vithalbhai Patel

એસેમ્બલી પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલની હરતી ફરતી ઓફિસ


એસેમ્બલીની બેઠક પૂરી થાય એટલે શ્રી વિઠ્ઠલભાઈ પટેલ મુંબઈ પરત ફરે એટલે પ્રમુખ પોતાની ઓફિસ સાથે લઈને ફરતા. આ ઓફિસ લોટવાળાના મકાનમાં રાખવામાં આવતી અને તેનું ભાડું સરકાર લોટવાળાને આપતી. પહેલા પ્રમુખ બેઠક પૂરી થાય એટલે પોતાની ઓફિસ ક્યારેય દિલ્હી કે સિમલાથી ખસેડતા નહી. પરંતુ વિઠ્ઠલભાઈ પટેલે આ પ્રણાલીનો ભંગ કર્યો, તેમનું માનવું હતું કે પ્રમુખની ઓફિસ તો પ્રમુખની સાથે જ હોવી જોઈએ. તેઓ માન્યતા કે પ્રમુખ જ્યાં સુધી દિલ્હી કે સિમલા માં હોય ત્યાં સુધી જ કામ કરવું અને અલગ શહેરમાં જાય એટલે કામ અટકી પડતું જે વિઠ્ઠલભાઈને પસંદ નહોતું.

વિઠ્ઠલભાઈ પટેલ ઓફિસ મુંબઈ લાવે એટલે તેમના વાંદરા નિવાસસ્થાને કોંગ્રેસ કમિટીનું કામ ચાલતું, આ સમયે પોતાના યુરોપિયન સેક્રેટરી અને કોંગ્રેસ કમિટીના સેક્રેટરીને જાણી જોઈને નજીક સામસામે બેસાડતા અને તેમની પાસે કામ પણ કરાવતા. વિઠ્ઠલભાઈ બતાવવા માંગતા કે કામની દ્રષ્ટિએ પ્રમુખનો સેક્રેટરી અને કોંગ્રેસ કમિટીના સેક્રેટરીનો દરજ્જો સમાન છે અને યુરોપિયન સેક્રેટરીને આ ચૂપચાપ માન્ય રાખી કામ કરવું પડતું.

આવો વિરલો વિઠ્ઠલભાઈ પટેલ 




Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

1st May 1960 Gujarat Foundation Day Jay Jay Garvi Gujarat

મહાગુજરાતનો હુંકાર, ઇન્દુચાચાનો પડકાર,
મહારાજનું માંગલ્ય: ગરવી ગુજરાતની ગૌરવગાથા



પહેલી મે... ગુજરાત માટે આ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી, આ છે સ્વાભિમાનના સંઘર્ષનો વિજય દિવસ, લાખો ગુજરાતીઓના સ્વપ્નની સિદ્ધિનો ઉત્સવ અને એક ગૌરવશાળી રાજ્યના જન્મનો મંગલ પ્રભાત. ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી આપણને એ ભવ્ય, પરંતુ કઠિન અને બલિદાનોથી ભરેલા ઇતિહાસની યાદ અપાવે છે, જે મહાગુજરાત આંદોલન તરીકે ઓળખાય છે. આ આંદોલનના પ્રાણ હતા જનનાયક ઇન્દુલાલ યાજ્ઞિક, જેમણે જનતાને જાગૃત કરી, અને આ નવનિર્મિત રાજ્યના શ્રીગણેશ જેના પવિત્ર હાથે થયા, તે હતા ગુજરાતના અંતરાત્મા સમાન પૂજ્ય રવિશંકર મહારાજ. આ ત્રણેય – આંદોલન, નેતા અને સંત – ના તાણાવાણાથી ગરવી ગુજરાતનો પટ રચાયો છે.

૧૯૪૭માં ભારત આઝાદ થયું, પણ દેશનું આંતરિક માળખું ઘડવાનું બાકી હતું. ભાષા અને સંસ્કૃતિના આધારે રાજ્યોની પુનર્રચનાની માંગ દેશભરમાં ઉઠી. કેન્દ્ર સરકારે નિયુક્ત કરેલા રાજ્ય પુનર્રચના પંચ (SRC) એ ૧૯૫૫માં ભલામણ કરી કે મુંબઈ રાજ્યને યથાવત દ્વિભાષી રાખવું, જેમાં મરાઠી અને ગુજરાતી બંને ભાષી પ્રદેશોનો સમાવેશ થાય. આ નિર્ણય ગુજરાતી પ્રજા માટે પોતાની ભાષાકીય ઓળખ, સાંસ્કૃતિક અસ્મિતા અને આર્થિક હિતો પરના પ્રહાર સમાન હતો. તેમને ડર હતો કે વિશાળ મરાઠી ભાષી બહુમતીવાળા રાજ્યમાં તેમનો અવાજ દબાઈ જશે અને વિકાસ રૂંધાશે. આ ભલામણે ગુજરાતીઓના હૃદયમાં અસંતોષની ચિનગારી મૂકી, જેણે ટૂંક સમયમાં મહાગુજરાત આંદોલનની જ્વાળાનું રૂપ લીધું.

ð મહાગુજરાત આંદોલન: જનશક્તિનો ઉદય

મહાગુજરાત આંદોલન (૧૯૫૬-૬૦) શરૂ થયું તેના ઘણા વર્ષો પહેલાં, ૧૯૫૦માં સરદાર વલ્લભભાઈ પટેલ દેવલોક પામ્યા હતા. તેથી, તેઓ સીધી રીતે આ આંદોલનમાં સામેલ ન હતા. પરંતુ, આજના ગુજરાતના નિર્માણના સંદર્ભમાં સરદારનું યોગદાન પાયાનું છે. ભારતની આઝાદી પછી, ૫૬૨ જેટલા દેશી રજવાડાંને ભારતીય સંઘમાં વિલીન કરવાનું ભગીરથ કાર્ય સરદારની કુનેહ, દ્રઢતા અને દૂરંદેશી વિના શક્ય ન હતું. તેમણે એક મજબૂત, અખંડ ભારતનું નિર્માણ કર્યું, જેની અંદર ભવિષ્યમાં ભાષાકીય અને સાંસ્કૃતિક ઓળખના આધારે રાજ્યોની રચના શક્ય બની.

સરદાર પોતે ભાષા આધારિત રાજ્યોની રચના અંગે શરૂઆતમાં ખૂબ ઉત્સાહી ન હતા. દેશની એકતા અને સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા હતી. તેમને ડર હતો કે ભાષાકીય રાજ્યો સંકુચિત પ્રાદેશિકતાને ઉત્તેજન આપશે અને રાષ્ટ્રીય એકતાને નબળી પાડશે. જોકે, તેઓ પ્રજાની ભાવનાઓને સમજતા હતા. તેમના જીવનકાળ દરમિયાન જ ભાષા આધારિત પ્રાંત રચનાની માંગણીઓ શરૂ થઈ ગઈ હતી. તેમણે જે એકીકૃત રાષ્ટ્રનું નિર્માણ કર્યું, તેની મજબૂત છત્રછાયા હેઠળ જ ભવિષ્યમાં મહાગુજરાત જેવી પ્રાદેશિક અસ્મિતાની માંગણીઓ પ્રબળ બની અને આખરે સફળ થઈ શકી.

અલગ ગુજરાત રાજ્યની માંગ સાથે શરૂ થયેલું આંદોલન શરૂઆતમાં વેરવિખેર હતું. પરંતુ તેને એકસૂત્રે બાંધવાનું, જન-જન સુધી પહોંચાડવાનું અને સરકાર સામે એક પ્રચંડ પડકાર તરીકે ઉભું કરવાનું શ્રેય જાય છે મહાગુજરાત જનતા પરિષદ અને તેના નેતાઓને. આ નેતાઓમાં અગ્રણી, જેમણે લોકોના દિલમાં 'ચાચા' બનીને સ્થાન મેળવ્યું, તે હતા ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક – ઇન્દુચાચા.

ઇન્દુલાલ યાજ્ઞિક માત્ર એક રાજનેતા ન હતા, તેઓ એક પત્રકાર, લેખક, સમાજ સુધારક અને પ્રખર સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમની ઓજસ્વી વાણી, સામાન્ય માણસ સાથે સીધો સંવાદ સ્થાપવાની અદભુત ક્ષમતા અને અતૂટ નિડરતાએ તેમને મહાગુજરાત આંદોલનના નિર્વિવાદ નેતા બનાવી દીધા. જ્યારે સ્થાપિત નેતાઓ દ્વિભાષી રાજ્યના પક્ષમાં હતા અથવા મૌન હતા, ત્યારે ઇન્દુચાચાએ ખુલ્લેઆમ અલગ ગુજરાતનો હુંકાર કર્યો.

ઓગસ્ટ ૧૯૫૬માં અમદાવાદમાં કોંગ્રેસ હાઉસ પાસે વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ દેખાવો પર પોલીસે ગોળીબાર કર્યો અને કેટલાક યુવાનો શહીદ થયા. આ ઘટનાએ આગમાં ઘી નાખ્યું. ઇન્દુચાચાએ આ શહીદીને એળે ન જવા દીધી. તેમણે સભાઓ ગજવી, લોકોને સંગઠિત કર્યા અને સરકાર સામે સીધો મોરચો માંડ્યો. 'લડેંગે ભાઈ લડેંગે, મહાગુજરાત લે કે રહેંગે' જેવા નારા ગુંજવા લાગ્યા. તેમનો પ્રભાવ એવો હતો કે સામાન્ય રિક્ષાવાળાથી લઈને બુદ્ધિજીવીઓ સુધી, સૌ કોઈ તેમની સાથે જોડાયા. સરકારે તેમને જેલમાં પણ પૂર્યા, પણ તેમની લોકપ્રિયતા અને આંદોલન પ્રત્યેની પ્રતિબદ્ધતા અડગ રહી. તેમણે મહાગુજરાત જનતા પરિષદના નેજા હેઠળ આંદોલનને એક એવી તાકાત બનાવી દીધી, જેની સામે દિલ્હીની સલ્તનતને પણ ઝૂકવું પડ્યું. ઇન્દુચાચા એ જનશક્તિના પ્રતીક હતા, જેમણે સાબિત કર્યું કે લોકોનો અવાજ સત્તાના સિંહાસનને પણ હલાવી શકે છે.

મહાગુજરાત આંદોલનનો માર્ગ કાંટાળો હતો. સરકારી દમનચક્ર અવિરત ચાલ્યું. લાઠીચાર્જ, અશ્રુવાયુ, ગોળીબાર સામાન્ય બન્યા. અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં ૧૦૦થી વધુ યુવાનોએ મહાગુજરાતના સ્વપ્ન માટે પોતાના પ્રાણની આહુતિ આપી. ખાંભી સત્યાગ્રહ જેવા કાર્યક્રમોએ આંદોલનને વધુ વેગ આપ્યો. આ શહીદોનું બલિદાન વ્યર્થ ન ગયું. તેમના રક્તથી સિંચાઈને મહાગુજરાતનો સંકલ્પ વધુ દ્રઢ બન્યો. વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, કામદારો, ખેડૂતો – સમાજનો કોઈ વર્ગ બાકી ન રહ્યો, જેણે આ લડતમાં પોતાનું યોગદાન ન આપ્યું હોય.


ð પૂજ્ય રવિશંકર મહારાજ: નૈતિકતાનું શિખર અને મંગલ આશીર્વાદ


જ્યારે ચાર વર્ષના સતત સંઘર્ષ બાદ અલગ ગુજરાત રાજ્યનું સ્વપ્ન સાકાર થવાની અણી પર હતું, ત્યારે એક મહત્વનો પ્રશ્ન ઉભો થયો: આ નવા રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે કરાવવું? રાજકીય ખેંચતાણ અને પદની લાલસાથી પર રહીને, કોઈ એવા વ્યક્તિત્વની શોધ હતી જે ગુજરાતની સાચી ઓળખ, તેના મૂલ્યો અને તેની સેવાની ભાવનાનું પ્રતીક હોય. અને ત્યારે સૌની નજર ઠરી ગુજરાતના 'મૂક સેવક' – પૂજ્ય રવિશંકર મહારાજ પર.

રવિશંકર મહારાજ એટલે સાદગી, સેવા અને નૈતિકતાની જીવંત પ્રતિમા. જેમણે પોતાનું જીવન ગુજરાતના દુર્ગમ ગામડાઓમાં, ગરીબો, પીડિતો અને વંચિતોની સેવામાં ખપાવી દીધું હતું. બહારવટિયાઓને સુધારવાથી લઈને દુષ્કાળ અને પૂર જેવી આપત્તિઓમાં રાહત પહોંચાડવા સુધી, તેમનું કાર્યક્ષેત્ર વિશાળ હતું. તેઓ સત્તા અને રાજકારણથી માઈલો દૂર હતા. તેમની નિ:સ્વાર્થ સેવા અને ઉચ્ચ નૈતિક ચારિત્ર્યને કારણે તેઓ સમગ્ર ગુજરાત માટે પિતાતુલ્ય અને આદરણીય હતા.

નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે કરાવવાનો નિર્ણય એ વાતનો સંકેત હતો કે આ રાજ્ય માત્ર ભૌગોલિક સીમાઓનો સરવાળો નથી, પરંતુ તે સેવા, સંસ્કાર અને પ્રજા કલ્યાણના પાયા પર રચાઈ રહ્યું છે. તેમના જેવા સંતપુરુષના આશીર્વાદથી રાજ્યની શરૂઆત કરવી એ તેના ભવિષ્ય માટે શુભ શુકન સમાન હતું.

ð પહેલી મે, ૧૯૬૦: સ્વર્ણિમ પ્રભાત અને ગુજરાતનો ઉદય

આખરે એ દિવસ આવી પહોંચ્યો. લાખો લોકોની કુરબાની અને ઇન્દુચાચા જેવા નેતાઓના અથાગ પ્રયાસો ફળ્યા. સંસદે બોમ્બે રીઓર્ગેનાઈઝેશન એક્ટ, ૧૯૬૦ પસાર કર્યો. અને પહેલી મે, ૧૯૬૦ ના રોજ, મુંબઈ રાજ્યનું વિભાજન થયું અને મહારાષ્ટ્રની સાથે સ્વતંત્ર ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.

અમદાવાદના સાબરમતી આશ્રમની પવિત્ર ભૂમિ પર, ગાંધીજીના આશીર્વાદ સાથે, અત્યંત સાદગીપૂર્ણ પણ ગરિમામય સમારોહમાં, પૂજ્ય રવિશંકર મહારાજે દીપ પ્રગટાવીને ગુજરાત રાજ્યનું મંગલ ઉદ્ઘાટન કર્યું. તેમના મુખ પર સંતોષ અને આશીર્વાદની ભાવના હતી. તેમણે નવા શાસકોને પ્રજાના સેવક બની રહેવાની શીખ આપી. ડો. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા અને શ્રી મહેંદી નવાઝ જંગ પ્રથમ રાજ્યપાલ. ગુજરાતભરમાં આનંદ અને ઉત્સાહની લહેર ફરી વળી. વર્ષોનો સંઘર્ષ સફળ થયો હતો. 'જય જય ગરવી ગુજરાત'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.

મહાગુજરાત આંદોલન એ માત્ર એક રાજ્ય મેળવવાની લડાઈ ન હતી, તે ગુજરાતી અસ્મિતાની પુનઃસ્થાપના, લોકશાહીમાં જનશક્તિનો વિજય અને અહિંસક સંઘર્ષની તાકાતનું ઉદાહરણ છે. ઇન્દુલાલ યાજ્ઞિકનું નેતૃત્વ આપણને શીખવે છે કે જનતા સાથેનો સીધો નાતો અને નિડરતાથી સત્ય કહેવાની હિંમત શું પરિવર્તન લાવી શકે છે. પૂજ્ય રવિશંકર મહારાજનું જીવન અને તેમના દ્વારા રાજ્યનું ઉદ્ઘાટન એ સંદેશ આપે છે કે સાચી સત્તા નૈતિકતા અને સેવામાં રહેલી છે.

ગુજરાત સ્થાપના દિવસ એ માત્ર ઉજવણી કરવાનો દિવસ નથી, પરંતુ એ તમામ શહીદોને, ઇન્દુચાચા જેવા જનનાયકોને અને રવિશંકર મહારાજ જેવા મૂક સેવકોને યાદ કરવાનો, તેમના બલિદાન અને યોગદાનને સન્માનિત કરવાનો અને તેમના સ્વપ્નના ગુજરાતને વધુ સમૃદ્ધ, સંસ્કારી અને ગૌરવવંતુ બનાવવાનો સંકલ્પ લેવાનો દિવસ છે.

 

જય જય ગરવી ગુજરાત!


Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel




Why was the hope of installing a Shivling on historical Brahmashila at the hands of Sardar Patel on the day of Shivratri destroyed?

૧૨૦૦ વર્ષથી પણ જૂની સોમનાથ મંદિરની બ્રહ્મશિલા મહમદ ગઝની પણ હટાવી નહોતો શક્યો, તે બ્રહ્મશિલા પર કેમ સરદાર પટેલના હસ્તે શિવરાત્રીના દિવસે શિવલિંગ સ્થાપનાની આશા નષ્ટ પામી?



સોમનાથ મંદિરની એ ઐતિહાસિક બ્રહ્મશિલા કે જે ૧૨૦૦ વર્ષથી પણ જૂની હશે જ્યારે મહમદ ગઝનીએ સોમનાથ પાટણ પર કરોડોની કિમતનું ઝવેરાત લૂટયું અને શિવલિંગ તોડ્યું અને તેની નજર આ બ્રહ્મશિલા પર પડી, ગઝનીએ એમ માન્યું કે આ શિલા નીચે અમૂલ્ય ખજાનો હશે આથી આ શિલા ખસેડવા પ્રયાસો કર્યા પણ આ શિલા ત્યાંથી એક તસુ પણ ખસી નહી.

સોમનાથના ઐતિહાસિક મંદિરમાં ૧૨૦૦ વર્ષ પુરાણી આ બ્રહ્મશિલા પી. ડબલ્યુ ડી. ખાતાના માણસોની બિનઆવડતના કારણે આશરે ૧૯ નવેમ્બર ૧૯૫૦ના દિવસે તૂટી ગયેલ. દશેરાના દિવસથી જૂના મંદિરની દીવાલો તોડવાનું કાર્ય શરૂ કરવામાં આવેલ અને ૯ મંદિરનો ઘુમ્મટ પર કામ કરતાં માણસોની બિનઆવડતના કારણે આ શિલાના ચાર ટુકડા થયા. ૧૯ ઓકટોબર ૧૯૫૦ના દિવસે સોમનાથ ટ્રસ્ટના કાર્યવાહકો, મધ્યસ્થ સરકારના પ્રધાન કનૈયાલાલ મુન્શી, સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી ઢેબર અને અન્ય અધિકારીઓની હાજરીમાં આ બ્રહ્મશિલા કાયમી રાખી તેના પર શિવરાત્રીના દિવસે સરદાર સાહેબના વરદ હસ્તે સોમનાથ મંદિરના નવા શિવલિંગની સ્થાપના કરવા માટેનું આયોજન કરવામાં આવેલ.

આર્કિયોલોજીસ્ટો મુજબ આ બ્રહ્મશિલા નીચે ખોદકામ થાય તો બીજું મંદિર નીકળવાની શક્યતા છે. પરંતુ ખોદકામ કરતાં પણ મંદિરના ચિન્હો દેખાયા નહોતા. પણ આ બ્રહ્મશિલા ચાર પાકી દીવાલોના ટેકે હતી અને દીવાલો વચ્ચે માટે ભરી તેના પર બ્રહ્મશિલા મૂકવામાં આવેલ હતી.

સોમનાથ ટ્રસ્ટે મંદિરની આજુબાજુના મકાનો ખરીદી લીધા અને બાજુમાં આવેલ પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના શ્રી મહાપ્રભુજીની બેઠક તથા શ્રી લક્ષ્મીનારાયણના મંદિરના વિસ્તારનો અમુક ભાગ બાકી રાખી ધરમશાળા તથા બીજા મકાનો તોડી મંદિરની આસપાસનો વિસ્તાર રમણીય સ્થળ તરીકે ફેરવી નાખ્યો. આ સ્થળની વધારે રમણીય બનાવવા ૫૦૦ એકર જમીન પણ સોમનાથ ટ્રસ્ટે ખરીદી લીધી.

આમ, સોમનાથ મંદિરની એ ઐતિહાસિક બ્રહ્મશિલા કે જે ૧૨૦૦ વર્ષથી પણ જૂની હતી તે તૂટી જવાના કારણે તે શિલા પર સરદાર પટેલના હસ્તે શિવલિંગની સ્થાપનાની આશા નષ્ટ પામી.




Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

HAPPY BIRTHDAY MANIBEN - 03-04-2025

સત્યાગ્રહી વલ્લભનંદીની કુ. મણીબેન પટેલ

આજે કુ. મણીબેન પટેલ સરદાર સાહેબના પુત્રીના જન્મ દિવસે તેમનું સત્યાગ્રહમાં યોગદાન


સફેદ ખાદીના કાપડ ની થીંગડાવાળી સાડી અને કોણી સુધી ની બાંય વાળો બ્લાઉઝ કે પોલકુંસાડી થોડી ઊંચી પહેરેલ અને માથે ઓઢેલી હોયસદાય આ પહેરવેશમાં નજર આવનાર ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રીના દીકરી મણીબેન પટેલ - વલ્લભનંદીની એક અલગ દેખાઈ આવતા, સ્વભાવે તેઓ ગરમ મિજાજના અને સદાય સરદાર સાહેબની પાછળ પડછાયો બનીને રહ્યા. મણીબેનનો આટલો જ પરિચય ન હોઈ શકે. મણીબેન પટેલ પોતે સત્યાગ્રહી બન્યા તેની સાથે તેમણે આદર્શ પુત્રીની પણ ફરજ બજાવી.

સરદાર પટેલે ખેડા સત્યાગ્રહથી અંગ્રેજી પોશાક ત્યજી ધોતિયું, કોટ અને ટોપી પહેરવાના શરૂ કર્યા. નરહરિ પરીખ તેમના પુસ્તકમાં ટાંકે છે કે સરદારે તેમના બેરિસ્ટરના ઝભ્ભા ઉપરાંત ડઝનબંધ સૂટઓ, નેકટાઈઓ, બસો થી અઢીસો જેટલા કોલર અને દસેક જોડી જૂતાં બાળ્યા હતા આમ સરદાર સાહેબે પોતાના વૈભવી ઠાઠનો દેશની આઝાદીની લડત માટે ત્યાગ કર્યો. અને ત્યારબાદ વર્ષ ૧૯૨૧ થી આ પહેરવેશ છોડી ફક્ત ખાદી પહેરવા લાગ્યા હતા અને ૧૯૨૩ થી તો મણીબેન પોતાના હાથે કાંતેલા સૂતરને વણાવી વલ્લભભાઈના કપડાં બનાવતા. અને વર્ષ ૧૯૨૭ પછી સરદાર પટેલ મણિબેનના હાથે કાંતેલા સુતરની ખાદી જ પહેરવાનું પસંદ કરતા.

મણીબેનને સરદાર સાહેબે સત્યાગ્રહ માટે લોકોને જગાડવા અને હિંમત આપવા માટે ૦૯ સપ્ટેમ્બર ૧૯૩૦ના રોજ યરવડા જેલમાંથી પત્ર લખ્યો તેમાં જણાવ્યું કે : તબિયત સંભાળીને ખૂબ કામ કરજે, ખેડા જિલ્લામાં રખડવાનું રાખજે અને લોકોને હિંમત આપ્યા કરજે, માવળંકરને બને તો એક દિવસ મળી આવજે, બાને ફરી વખત મળે તો મળી આવજે. એમને કંઈ પૈસાની જરૂર હોય તો કૃષ્ણલાલને મળી મારા ખાનગી ખાતામાંથી મંગાવી આપી શકાય. તું હાલ ક્યાં રહે છે તે ખબર લખી નથી. હું માની લઉં છું કે દાદુભાઈને ત્યાંજ રહેવાનું રાખ્યું હશે.”

૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહના અંત સુધીમાં જ્યારે સરદારને માંદગી અનુભવતા હતાત્યારે એવું સૂચન કરવામાં આવ્યું હતું કે કોઈકે તેમને સચિવ તરીકે મદદ કરવી જોઈએ.ત્યારે મણીબેને કહ્યું: "જો કોઈને રાખવા હોય તો હું કેમ નહીં?" ૧૯૨૯થી બાપુજીના મૃત્યુ સુધીજ્યારે પણ શક્ય હોય ત્યારે મેં તેમનો પત્રવ્યવહાર જાળવી રાખ્યો હતો. મણીબેન એક પ્રસંગ જણાવતા કહે છે કે એક વખત ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રાજકીય વિવેચક કે. ગોપાલસ્વામી મુંબઈના મરીન ડ્રાઈવ પરના તેમના ફ્લેટમાં તેમની મુલાકાતે આવ્યા ત્યારે બાપુજીએ સી. રાજગોપાલાચારીએ લખેલ એક પત્ર મંગાવ્યો. તેઓ એ ભૂલી ગયા હતા કે તેમણે પત્ર ફાડી નાખ્યો હતો અને તેમણે તેને કચરાપેટીમાં ફેંકી દીધો હતો. સદભાગ્યેમેં એ ટુકડાઓ એકઠા કર્યા હતા. તેને પસાર કરતા પહેલા તેમને એક સાથે ગોઠવી ચોંટાડવામાં મને થોડો સમય લાગ્યો. અને આ પત્ર તેમના હાથમાં જ્યારે મે આપ્યો ત્યારે તેઓ એકીટસે મારી સામે જોઇ રહ્યા, જાણે વિચારતા હોય કે આ દીકરી મારુ કેટલું ધ્યાન રાખે છે.

દાંડી કૂચ દરમ્યાન ૧૯૩૦ ના સપ્ટેમ્બર મહિનામાં મણીબેન જેલમાં ગયા અને તેમને પહેલા ખેડા જેલમાં અને ત્યારબાદ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા. સાબરમતીમાં સરદારે મણીબેનને લખેલા પત્રોમાં તેમની હિન્દી અને મરાઠી તાજું કરી લેવાની સલાહ આપી હતી. સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક નિયમ હતો કે જે બહેનોને જેલની સજા થઈ હોય તેઓ કાચની બંગડી પહેરી ન શકે. અને હિન્દુ ધર્મ અનુસાર પરણેલી સ્ત્રીઓ માટે હાથમાં બંગડીઓ પહેરાવી એ સૌભાગ્યવંતીનું નિશાન છે અને તેને ઉતારવી તેનો અર્થ એ થાય કે તેનું સૌભાગ્ય સાથે અમંગળ થયું તેમ સૂચવે, આવી એક ધાર્મિક લાગણી હોવાના કારણે જેલમાં પુરાયેલ દરેક પરણીત સ્ત્રીઓએ તેનો સખત વિરોધ કર્યો અને વારંવાર જેલ અધિકારીઓ સાથે ઝઘડા કર્યા, આખરે મણીબેને આ બાબતે જેલ અધિકારી સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું ત્યારે હવાલદારે તુમાખી ભરી નજરે જાણે મણીબેનને ડરવતા હોય તેમ ગુસ્સે થઈ જોયું, પરંતુ મણીબેનને તેનો કોઈ ભય નહતો, તેમણે મક્કમતાથી જેલ અધિકારીને જણાવ્યું કે અમારે જેલ બાબતે કોઈ ફરિયાદ નથી કે કોઈ સગવડ નથી જોઈતી, પરંતુ અમારી પરંપરાઓ બાબતે રજૂઆત કરવી છે અને જણાવ્યું કે તમે રોજ ચર્ચમાં જતાં હશો, તમે કરેલ પ્રાર્થનાને વિશ્વાસ સાથે કાયમ કરવા ગાળામાં ક્રોસ પહેર્યો છે, તેવી જ રીતે અમારી બહેનો દેશની આઝાદી ખાતર જેલવાસ ભોગવી રહી છે, અને અમારા ધર્મ અનુસાર પરીણિત સ્ત્રીના હાથમાં કાચની બંગડીઓ અને તેનો રણકાર સ્ત્રીને સૌભાગ્યવંતી છે તેનો વિશ્વાસ અને તેની હિંમત છે, તો આ કાચની બંગડીઓ ઉતારવાનો જે નિયમ છે તે પરત ખેચવામાં આવે. મણીબેનની રજૂઆત જેલ અધિકારીને ગળે ઉતારી અને પરિણામે આ જડ નિયમને નાબૂદ કરવાની પરવાનગી મળી (મણીબેન પટેલ – લે. મેધા ત્રિવેદી). રાજકોટ સત્યાગ્રહ સમયે ઢેબરભાઈની ધરપકડ થયા પછી તરત સરદાર સાહેબે તેમના પુત્રી મણીબેનને રાજકોટ મોકલ્યા. મણીબેને ગામેગામ ફરી લોકજાગૃતિ ટકાવી રાખી. પાંચમી ડીસેમ્બરે તેમની ધરપકડ કસ્તૂરબાની સાથે મણીબેન પણ રાજ્યની જેલમાં પુરાયા.

મણીબેન પટેલે સરદાર સાહેબના અંતિમ સમય સુધી તો સાથ આપ્યો પરંતુ સરદાર સાહેબના સ્વર્ગવાસ બાદ પણ સરદાર સાહેબના પત્રો અને માહિતી જાહેર જનતા સમક્ષ મૂકી. તેમણે પોતાના અંત સામે સુધી સરદાર સાહેબ વિષે લોકોને માહિતગાર કર્યા અને એક સાદગી ભર્યું જીવન જીવ્યા. આજે આપણે જે કાંઈ પણ સરદાર સાહેબ વિષે જાણીએ છે તે મણીબેનને આભારી છે.



Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

Tribute to Vallabh Nandini - Maniben Patel - 26-03-2025

આજે મણિબેન પટેલ વલ્લભ નંદિની ની પુણ્યતિથી તા. ૨૬-૦૩-૨૦૨૫


આખા હિંદુસ્તાનના કેટલાક લોકો આ નામ બોલીને તરત જ કહેતા હતા કે સફેદ વસ્ત્રોમાં સજ્જ હતાં, માથું ઢાંકેલું હતું, અને એ હતા સરદારની પુત્રી વલ્લભ નંદિની કુ. મણીબેન પટેલ

પરંતુ શું મણિબહેનનો આટલો પરિચય જ પૂરતો હશે? તે કેવી દેખાતી હતી તે જાણવા માટે; તેના કૌટુંબિક ઇતિહાસ અને તેણીનો જન્મ જે યુગમાં થયો હતો તેની વિગતોમાં જવું ખરેખર હિતાવહ છે. સફેદ ખાદીના કાપડની થિગડાવાળી સાડી અને કોણી સુધીની બાય વાળો બ્લાઉઝ કે પોલકુંસાડી થોડી ઊંચી પહેરેલ અને માથે ઓઢેલી હોયસદાય આ પહેરવેશમાં નજર આવનાર ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રીના દીકરી મણીબેન પટેલ - વલ્લભનંદીની એક અલગ દેખાઈ આવતા, સ્વભાવે તેઓ ગરમ મિજાજના અને સદાય સરદાર સાહેબની પાછળ પડછાયો બનીને રહ્યા. મણીબેનનો આટલો જ પરિચય ન હોઈ શકે. તેમના વિષે વિગતવાર સમજીએ તો તેઓનો જન્મ એવા યુગમાં થયો કે તે સમયે પુત્રીનો જન્મ એક અભિશાપ માનવામાં આવતો હતો, અને કદાચ જન્મ પછી તરત દૂધપીતી કરવાનો પણ રિવાજ હશે. આવા સમયમાં મણીબેન પટેલ ૩ એપ્રિલ ૧૯૦૪ ના દિવસે બેરિસ્ટર વલ્લભભાઈ પટેલના ઘરે માતા ઝવેરાબા ની કૂખે જન્મ લીધો. અને ૧૦ નવેમ્બર ૧૯૦૫ના દિવસે મણિબેનના નાના ભાઈ ડાહ્યાભાઈ પટેલનો જન્મ થયો. પાચેક વર્ષના મણીબેન થયા હશે. ઝવેરબાના ચેપગ્રસ્ત અને નબળા શરીરમાં પુત્રના જન્મનો આનંદ અનુભવવા માટે કોઈ જીવનનિર્વાહ નહોતો - કોઈના હૃદયમાં સુખ અથવા દુ:ખની વાર્તાઓ ક્યાં રેડવી? ધોળા દિવસે પણ પરિવારના સભ્યોને ઝવેરબેનના ચહેરાની ઝલક ભાગ્યે જ જોવા મળી હતી. તેને પેટમાં વારંવાર દુખાવો થતો હતો. ઘરનું કામ, બે શિશુઓ - તે બને ત્યાં સુધી ચલાવતા હતા. પણ દીર્ઘકાલિન રોગને હવે છુપાવી શકાયો નહિ અને પછી વલ્લભભાઈ બધા રિવાજોને બાજુએ મૂકીને પત્નીને મુંબઈ લઈ ગયા. મોટાભાઈ વિઠ્ઠલભાઈ મુંબઈ ખાતે રહેતા હતા. ચર્ચા કર્યા પછી અને તેમની સલાહનો લાભ લીધા પછી, ઝવેરબાને કામા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ૧૯૦૮નું વર્ષ હતું. પત્નીની આટલી તીવ્ર કાળજી લેતો પતિ જાણે દુનિયાની નવમી અજાયબી હોય તેવું લાગતું હતું. અંતે તેમના (મણીબેનના) માતા ઝવેરબાનું અવસાન થયું.

વલ્લભભાઈને તેમનાં પત્નીના અવસાન વિશે એક તાર મોકલવામાં આવ્યો હતો. જ્યારે ટેલિગ્રામ આણંદ ખાતે પહોંચાડવામાં આવ્યો ત્યારે તે સમયે કોર્ટમાં દાવો ચાલી રહ્યો હતો. ટેલિગ્રામ મહત્ત્વનો હતો. તેથી, તે કોર્ટમાં સેવા આપવામાં આવી હતી. વલ્લભભાઈએ માત્ર તેના પર નજર નાખી. કાળા અક્ષરો જાણે કે, જીવનમાં થોડો આનંદ લીધા વિના, તેનો જીવનસાથી આ દુનિયા છોડીને ચાલ્યો ગયો હોવાનો ઘટસ્ફોટ કરી રહ્યા હતા. એક ક્ષણ માટે, પેલા બે દયનીય અનાથ બાળકોના ચહેરા તેની આંખો સામે ફરી વળ્યા, પરંતુ સામેના પાંજરામાં જ આરોપી તેના પર આશાભરી નજર રાખી રહ્યો હતો.  વિદાય થયેલા આત્માની કરુણ પીડા જીવનભર સહન કરવી પડી હતી અને તે બે નિર્દોષ બાળકો માટે જીવન ટકાવી રાખવું પણ ખૂબ જ આવશ્યક હતું; તેમ છતાં, આ ક્ષણે, તેની સામે તાકી રહેલા યુવાનોનો જીવ બચાવવા માટે સ્વસ્થ મનથી દલીલ કરવી અનિવાર્ય હતી. તેણે થોડા સમય માટે પોતાના દુ:ખને બાજુ પર મૂકી દીધું. તેમની પ્રથમ અને મુખ્ય ફરજ: વલ્લભભાઈએ તાર ખિસ્સામાં મૂક્યો - દુ:ખને ગળી ગયા - પોતાની પોતાની ફરજ પૂરી કરી, પછી ભલે તે તેમના બાળપણના મોલાસ, ઘી અને પાણીનું મિશ્રણ ખાવાના અનુભવથી હોય કે વારસામાંથી, મણિબેને જે કંઈ પણ જીવન-સંપત્તિ પ્રાપ્ત કરી હતી તે આ હતી. સાવકી માનો બોજો હું એ બાળકો પર ઢોળી શકું નહિ, જેઓ તેમના બાળપણથી જ અનાથ થઈ ગયાં હતાં, તેથી વલ્લભભાઈએ બીજા લગ્ન નહી કરવાનો નિશ્ચય કર્યો અને તે સહન પણ કર્યો.  તેમણે ક્યારેય પોતાના દુ:ખ અથવા એકલતાને વ્યક્ત કરી ન હતી. તે પોતાની પત્ની કે સંતાનને પોતાનો પ્રેમ અને લાગણીઓ બતાવી શક્યો નહીં. બાળપણથી જ મણિબેનના વ્યક્તિત્વની આસપાસ શણગારની આવી રેખા વણાઈ ગઈ.

પટેલ પરિવાર પૂરતો મોટો હતો, જેમાં માતા, પિતા, ભાઈઓ અને એકમાત્ર બહેન દહીબેનનો સમાવેશ થતો હતો. વલ્લભભાઈએ પોતે આટલા મોટા કુટુંબના વડીલો પ્રત્યે નમ્રતાનું નિરીક્ષણ કર્યું. (તેઓ) તેમની સેવા કરવા બદલ ધન્યતા અનુભવતા હતા. પરિવારના સભ્યો  પણ તેના માટે નરમ ખૂણો ધરાવતા હતા. તેથી, એચએ પત્નીની વિદાય પછી, બાળકોની સંભાળ રાખવી શક્ય હતી, તેમ છતાં વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ બંને સારી રીતે સમજી ગયા હતા કે શિક્ષણને પણ એટલું જ મહત્વ છે જેટલું   કુટુંબની સૌમ્ય રક્ષણાત્મક સંભાળ છે. તેમને પોતે અભ્યાસ  દરમિયાન અવર્ણનીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વલ્લભભાઈને કાયદાના વધુ અભ્યાસ માટે ઇંગ્લેંડ જવાની ઊંડી આંતરિક ઇચ્છા હતી અને તેમને પણ આવી તક મળે  તેવી શક્યતા હતી.  તેથી, તેમણે મણિબેન અને ડાહ્યાભાઈ બંનેને મુંબઈ ખાતે વિઠ્ઠલભાઈ પાસે મોકલ્યા અને નામાંકિત શાળાઓમાં તેમના શિક્ષણની વ્યવસ્થા કરી અને ૧૯૧૦માં તેઓ ઇંગ્લેન્ડ ગયા. મુંબઈની જીવનશૈલી તદ્દન જુદી હતી. ગામના મોટા કુટુંબના પુરુષ સભ્યો ચર્ચામાં આદર અને શિષ્ટાચાર માનતા હતા, પરંતુ મુંબઈનું વાતાવરણ તદ્દન જુદું જ હતું, જ્યાં પશ્ચિમી પ્રભાવ પ્રવર્તતો હતો. ડાહ્યાભાઈ એક નાના બાળક હતા, મણિબેન પોતે બાળક હોવા છતાં હંમેશાં તેમના માટે મોટી બહેન હતા. તેથી, ડાહ્યાભાઈને બહેન તરફથી બધી હૂંફ મળી.  પિતાજીના  હૃદયમાં (બાળકો માટે) આંતરિક પ્રેમ હતો.

બેરિસ્ટર થયા પછી વલ્લભભાઈએ અમદાવાદ વકીલાત અને રહેવા માટે પસંદ કર્યુ અને બન્ને બાળકો પણ સાથે રહેવા લાગ્યાવલ્લભભાઈ કામની વ્યસ્તતાના કારણે બહુ ઓછો સમય ઘરમાં ગાળતાપરંતુ સમયાંતરે પુત્ર ડાહ્યાભાઈ સાથે ગેલ પણ કરી લેતાપણ મણિબેન એક શબ્દ પણ વલ્લભભાઈ સાથે બોલતા નહીઅને મણીબેનને સરદાર સાહેબ સામે આવતા પણ સંકોચ થતો. જ્યારે સવારે દિવાનખાનામાં સરદાર સાહેબ આંટા મારતા ત્યારે મણીબેન નહાઈ ને પાસેના ખંડના બારણાં પાસે આવતા ત્યારે સરદાર સાહેબ પૂછાતા કેમ છે? અને વળતાં જવાબમાં મણીબેન કહે સારું છે. પિતા પુત્રી વચ્ચે આખા દિવસમાં આટલો જ સંવાદ થતો. પાડોશમાં રહેતા દાદાસાહેબ માવળંકર રહેતા, અને તેમના માતૃશ્રી મણીબહેનની ખૂબ સંભાળ રાખતા. તેમના પત્ની મણિબેનનું દુઃખ સમજીને અવારનવાર તેને તેના ઘરે બોલાવતી હતી. તે  તેની સાથે વાત કરતી અને ક્યારેક તેની સાથે રમતી. મણિબેનમાં  થઈ રહેલું પરિવર્તન  તેના પિતાના ધ્યાનમાં આવ્યું અને તે સમજી ગયા કે પરિવારનો પ્રેમ કેવી રીતે  અનિવાર્ય છે. તે પછી તેણે ઘનિષ્ઠ મિત્રોના પરિવારો સાથે ગાઢ સંપર્કો કેળવવાનો  પ્રયાસ કર્યો. ડો.કાનુગા અને ડો.હરિપ્રસાદ દેસાઈના બે પરિવારો  સાથે ગૃહસંબંધ બાંધવામાં  આવ્યા  હતા, જેમની સાથે મણિબેન પણ ગાઢ રીતે જોડાયેલા હતા. આમાં પરિવારો, તેણીને  તેની ઉંમરના સાથીઓ હતા. મૈત્રીપૂર્ણ સંબંધોનું આવું બંધન છેલ્લે સુધી રહ્યું.

જ્યારે ડાહ્યાભાઈએ ગાંધીજીને કહ્યું કે “મણીબેન મોટા છે અને તેમના લગ્ન પછી હું લગ્ન કરીશ”, ત્યારે મણીબેને ગાંધીજીને કહ્યું કે “મારા લગ્ન માટે ડાહ્યાભાઈ બેસી રહેશે તો એને બેસી જ રહેવું પડશે કારણ કે મારે પરણવું નથી.” મણીબેને તો લગ્ન નહી કરવા વિષે મક્કમતાથી નક્કી કરી લીધું હતું. વર્ષ ૧૯૨૭ પછી સરદાર પટેલ મણિબેનના હાથે કાંતેલા સુતરની ખાદી જ પહેરવાનું પસંદ કરતા. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહના અંત સુધીમાં જ્યારે સરદારને માંદગી અનુભવતા હતાત્યારે એવું સૂચન કરવામાં આવ્યું હતું કે કોઈકે તેમને સચિવ તરીકે મદદ કરવી જોઈએ.ત્યારે મણીબેને કહ્યું: "જો કોઈને રાખવા હોય તો હું કેમ નહીં?" ૧૯૨૯થી બાપુજીના મૃત્યુ સુધીજ્યારે પણ શક્ય હોય ત્યારે મેં તેમનો પત્રવ્યવહાર જાળવી રાખ્યો હતો. એક વખત ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રાજકીય વિવેચક કે. ગોપાલસ્વામી મુંબઈના મરીન ડ્રાઈવ પરના તેમના ફ્લેટમાં તેમની મુલાકાતે આવ્યા ત્યારે બાપુજીએ સી. રાજગોપાલાચારીએ લખેલ એક પત્ર મંગાવ્યો. તેઓ એ ભૂલી ગયા કે તેમણે પત્ર ફાડી નાખ્યો હતો અને તેમણે તેને કચરાપેટીમાં ફેંકી દીધો હતો. સદભાગ્યેમેં એ ટુકડાઓ એકઠા કર્યા હતા. તેને પસાર કરતા પહેલા તેમને એક સાથે ગોઠવી ચોંટાડવામાં મને થોડો સમય લાગ્યો. અને આ પત્ર તેમના હાથમાં જ્યારે મે આપ્યો ત્યારે તેઓ એકીટસે મારી સામે જોઇ રહ્યા, જાણે વિચારતા હોય કે આ દીકરી મારુ કેટલું ધ્યાન રાખે છે. 

મણિબહેને ઉત્સાહભેર ઘરનું કામ હાથમાં લીધું.  કોઈ વ્યક્તિ પોતાનો હાથ લગાવે કે તરત જ ''ઈંટ અને પથ્થર"નું ઘર "ઘર"માં ફેરવાઈ જાય છે- આ અનોખા અને અસાધારણ અનુભવે માનસિક અને શારીરિક બીમારીને દૂર કરવામાં મદદ કરી હતી. છેલ્લે સુધી મણિબેને માવલંકરની પત્ની તેમજ સમગ્ર પરિવાર પ્રત્યે અનહદ પ્રેમ અને આદર જાળવ્યો  હતો.

મણીબેન પટેલે સરદાર સાહેબના અંતિમ સમય સુધી તો સાથ આપ્યો પરંતુ સરદાર સાહેબના સ્વર્ગવાસ બાદ પણ સરદાર સાહેબના પત્રો અને માહિતી જાહેર જનતા સમક્ષ મૂકી. તેમણે પોતાના અંત સામે સુધી સરદાર સાહેબ વિષે લોકોને માહિતગાર કર્યા અને એક સાદગી ભર્યું જીવન જીવ્યા. આજે આપણે જે કાંઈ પણ સરદાર સાહેબ વિષે જાણીએ છે તે મણીબેનને આભારી છે.




Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

Sardar Saheb was arrested for the first time at Ras - 07-03-1930

Sardar Saheb was arrested for the first time at Ras - 07-03-1930


૦૭-૦૩-૧૯૩૦ સરદાર સાહેબની પહેલી ધરપકડ

– દાંડીકૂચની ગુજરાતમાં સૌ પ્રથમ ધરપકડ

વર્ષ ૧૯૩૦ની શરૂઆતમાં લાહોર અધિવેશનમાં મહાસભાએ સંપૂર્ણ સ્વરાજની માંગ કરી અને ૨૬મી જાન્યુઆરી ૧૯૩૦ના દિવસે પૂર્ણ સ્વરાજ દિન તરીકે દેશભરમાં ઉજવ્યો, અંગ્રેજોને પ્રજાશક્તિનું ભાન થાય તે ધ્યાને રાખી દાંડીકૂચની યોજના બની.

દાંડીકૂચ શરૂ થાય તે પહેલા સરદાર પટેલ ખેડા જિલ્લાની એકવાર મુલાકાત કરે તો લોકજાગૃતિ અને ઉત્સાહ વધે તેમ વિચારી જિલ્લાના કાર્યકરોએ સરદારને ખેડા જિલ્લામાં નોંતર્યા. ૭મી માર્ચે સરદાર આણંદ આવી બોરસદ આવે અને સાંજે મહી કાંઠે કંકાપુરા ગામમાં સભા સંબોધે તેવું આયોજન કરવામાં આવ્યુ. આણંદ ઉતારી મોહનલાલ પંડયા, ફૂલચંદભાઈ શાહ, ગોકલદાસ બાપુ, રાવજીભાઈ મણિભાઈ પટેલ, અને દરબાર ગોપાલદાસ સાથે બોરસદ થઈ આશરે સાડા દસ વાગ્યે રાસ પહોંચ્યા. બપોરનું ભોજન બોરસદને બદલે રાસ ગામે ગોઠવાયું અને તેમનો ઉતારો ગામના મંદિરે રાખેલ હતો અને ગામના લોકોએ સરદારને વિનંતી કરી કે “અમે સભાની વ્યવસ્થા રાખી છે આપ કઈક કહો.” ગામના લોકોને સાચે જ ભાષણમાં રસ છે કે નહી તે ચકાસવા તેમણે ગામના લોકોને પૂછ્યું કે “આગામી સત્યાગ્રહની લડતમાં રાસ કેટલા સૈનિકો આપશે?” 
આશાભાઈ એ કહ્યું “બસો”, એટલે સરદારે પૂછ્યું, “બહેનો પણ ભાગ લેશે ને?”

ગામના લોકોનો હકારાત્મક જવાબ મળતા સરદારે સભા ભરવાની પરવાનગી આપી. ગામમાં સાદ પાડીને સભાની જાહેરાત કરવામાં આવી, પણ પોલીસને આ સભાની જાણ થયા વગર રહે જ નહી, પોલીસ સુપ્રિટેન્ડેન્ટે કંકાપુરાથી સરદારની ધરપકડ કરવાની તૈયારી કરેલ હતી અને કાયદેસર હુકમ માટે બોરસદના પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ પણ કંકાપુરા પહોંચ્યા હતા, પરંતુ કંકાપુરાને બદલે રાસમાં સભા ગોઠવાતા બધો જ સરકારી બંદોબસ્ત રાસ ગામે પહોંચ્યો. ગામની ભાગોળે વડ નીચે સભા માટે મોટી સંખ્યામાં લોકો શાંતિપૂર્વક જોડાયા, જેવા સરદાર સભામાં પધાર્યા તે સમયે ભારતમાતા, ગાંધીજી અને સરદાર પટેલના જયઘોષના પોકાર પડ્યા. એટલામાં જ મેજીસ્ટ્રેટે ધ્રૂજતા સરદાર પાસે ગયા અને જણાવ્યું કે “રાસ અને તેની આસપાસના પાંચ માઈલના વિસ્તારમાં ભાષણ, સૂત્રો કે સુલેહશાંતિનો ભંગ થાય” તેવા કૃત્યની મનાઈ ફરમાવતી નોટીસ આપી.

સરદારે ગામના લોકોને મનાઈ હુકમની વાત કરી અને જણાવ્યું કે “ મારા ભાષણથી શાંતિનો ભંગ થવાનો સરકારને દર છે, પણ મને પૂછે તો હું જરૂર ખાતરી આપું કે તેમ નહી થાય. સરકારે પૂછવાને બદલે મનાઈ ફરમાવી છે, હું તો ભાષણ કરવાનો જ છું. મને પકડે તો તમે શાંતિ રાખજો. જરાય ગરબડ ના કરશો, બધા જ તમારી જગ્યાએ શાંતિ પૂર્વક બરાબર બેસી રહેજો. બાકી ભગવાન રસ્તો સુઝાડશે. ત્યાર બાદ સરદારે ભાષણ શરૂ કરતાં કહ્યું “ભાઈઓ અને બહેનો” આટલું સંબોધન કર્યું ત્યાં મેજીસ્ટ્રેટે કહ્યું, “નોટિસના ભંગ બદલ મારે આપની ધરપકડ કરવી પડશે.” અને તરત જ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ બિલીમોરીઆ નજીક આવી ધરપકડ કરતાં બોલ્યા “ સાહેબ પેલી મોટરમાં પધારો.” સરદારે બધાને નમન કરી હસ્તે મોંએ મોટરમાં બેઠા કે તરત જ લોકોએ સરદાર અને મહાત્મા ગાંધીજીની જય જયકાર કરી વાતાવરણ ગજવી મૂક્યું. અત્રે નોંધનીય છે કે જે વડ નીચે સરદાર ભાષણ આપવા આવ્યા હતા અને તેમની ધરપકડ થઈ તે આજે પણ રાસ ગામે હયાત છે અને સરદાર વડ કે વલ્લભ વડ તરીકે ઓળખાય છે.

ગાંધીજીની ધરપકડ ન કરવા પાછળ શ્રી વિઠ્ઠલભાઈ પટેલનું દિમાગ કામ કરતું હતું. વિઠ્ઠલભાઈ પટેલ અને વાઈસરોય લોર્ડ ઈરવિન ખુબ સારા મિત્રો હતા અને વિઠ્ઠલભાઈ પટેલ તે સમયની વડી ધારાસભાના પ્રમુખ પણ હતા અને વાઈસરોય વિઠ્ઠલભાઈ પર વિશ્વાસ કરતા હતાં એથી જ વિઠ્ઠલભાઈ એ વાઈસરોયને સલાહ આપી કે, ડોસો આ ઉંમરે દાંડી સુધી ચાલતા જવાનો પરિશ્રમ ઉઠાવી, ત્યાં પહોંચી શકશે કે કેમ તે જ શંકા ભરેલું છે; તો તમારી ધરપકડ કરીને શા માટે કાળી ટીલી લેવી છે? આ સલાહના કારણે જ ગાંધીજીની ધરપકડ ન થઈ હોવાની ચર્ચા તે સમયે હતી. 

ચૌરીચૌરા પછી લોર્ડ બર્કનહેડએ પાર્લામેન્ટમાં અભિમાનથી કહ્યું હતું કે “ગાંધીજીને પકડ્યા છતાં હિન્દુસ્તાનમાં એક કૂતરૂ પણ ભસ્યું નથી; અને અમારો કારવાં સુખેથી આગળ વધી રહ્યો છે.” આનો જડબાતોડ જવાબ આપવાનો વિચાર સરદારના મનમાં ઘોળાયાં કરતો હતો, ગાંધીજીની ધરપકડ થતાં જ આખા દેશમાં સત્યાગ્રહની પાવક જ્વાળા ભભૂકી ઊઠે, અને બધી જ જેલો ઊભરાઈ જાય, એવી પરિસ્થિતિ સર્જાવાની સરદારની તમન્ના હતી, જે તેમના ભરૂચમાં આપેલ ભાષણમાં જણાઈ આવે છે.

Sardar Patel

sardar%20patel

Vithalbhai Patel

Vithalbhai%20Patel

Maniben Patel

Maniben%20Patel

Mahatma Gandhi | Gandhiji

gandhiji
© all rights reserved
SardarPatel.in