Vithalbhai Patel, Sardar Patel

LATEST POSTS

Vithalbhai Patel

Vithalbhai Patel

Sardar Patel

sardar patel




Today That Day - 29-11-2023 - Tribute to Shri Motibhai Amin

મોતીભાઈ અમીન ૨૯-૧૧-૧૮૭૩ – ચરોતરના ગ્રંથાલયોના પ્રણેતા, મૌન લોક સેવક, અને શિક્ષક  

 


મારુ કામ જ્યાં અંધારું હોય ત્યાં અજવાળું કરવાનું છે, જ્યાં કઈં ન હોય ત્યાં કઈંક કરી બતાવી માર્ગદર્શક બનવાનું છે. ઊંઘતાને જગાડવાનું છે, જાગતાને બેઠા કરવાનું છે; બેઠેલાને ઊભા કરવાનું, ઊભેલાને ચાલતા કરવાનું અને ચાલતાને દોડતા કરવાનું છે. – મોતીભાઈ અમીન (૧૯૩૧ના પત્રમાં લખેલ)

વસો ગામના વતની એવા મોતીભાઈ અમીનનો જન્મ દિવસ ૨૯-૧૧-૧૮૭૩ના રોજ તેમના મોસાળ આલીદ્રા ગામે થયેલ. મોતીભાઈના માંટા જીબા ભોળા અને નમ્ર સ્વભાવના, આંખે ઓછું દેખાય અને થોડી બહેરાશની અસર ખરી, આખો દિવસ તેઓ શ્રી કૃષ્ણ શરણં મમઃ ની માળા જપતા. નરસિંહભાઈ શરીરે કદાવર અને દેખાવડા, સ્વતંત્ર મિજાજના, નરસિંહભાઈ પેટલાદની વહીવટી કચેરીમાં કારકુન હતા અને મોતીભાઈના જન્મ પછી તેમની બદલી તેમના વતન વસોમાં મેજિસ્ટ્રેટની કચેરીમાં ફોજદારી કારકુનની જગ્યાએ થયી હતી. નરસિંહભાઈ એક કુટુંબીની જાનમાં જવા માટે નાહી ધોઈ એક ઓરડીમાં બીજા સગાં સાથે પૂજા કરવા બેઠા અને તે સમયે દીવો પ્રગટાવી  સળગતી દિવાસળી ઓરડીમાં ફેકી તે જ ઓરડીમાં દારૂખાનું ભરેલ હતું તેમાંથી એક પર પડી અને આગ લાગી, આ અકસ્માતમાં નરસિંહભાઈ અને અન્ય દઝાયા, બે જાણ તો ત્યાંજ મૃત્યુ પામ્યા અને બીજા દિવસે નરસિંહભાઈ અને ત્યાર બાદ ચાર દિવસે તેમના કાકાના દીકરા શંકરભાઈ મૃત્યુ પામ્યા. તે સમયે મોતીભાઈ અમીનની ઉંમર આશરે નવેક વર્ષની હશે. 

તેમના દ્વારા ‘વસો યુવક મંડળ’, ‘ચરોતર એજ્યુકેશન સોસાયટી’ અને ‘ચરોતર યુવક મંડળ’ની સ્થાપનાના કારણએ ચરોતર પ્રદેશમાં કેળવણી અને જ્ઞાનનો પુરાવો સાબિત થયો. લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કર્યા. દુષ્કાળ સંકટ સમયે ચરોતર યુવક મંડળ થકી શું સેવ કરી શકાય તેવા વિચારો તેમના મનમાં શરૂ થયા. બ્રિટિશ પ્રદેશ ખેડા જીલ્લામાટે ફેમિન કમિટી નિમાઈ અને તેના ઉપપ્રમુખ રા. રા. દાદુભાઈ દેસાઈ હતા. અને તેમણે મળી જિલ્લાના સ્વયંસેવકો દ્વારા દુષ્કાળ રાહત કાર્યોની યોજના બનાવી. મોતીભાઈ અમીન મુંબઈથી આવનાર બંગાળી બાબુ સુધીરચંદ્ર બેનર્જીને લઈ જાતે ભડકદ ગયા અને ત્યાં આગેવાનો સાથે ચર્ચા કરી ઘેર ઘેર જઈ પરિવારની પરિસ્થિતિની ખાતરી કરી માણસ દીઠ એક શેર અનાજ ગામમાંથી બજારભાવે ખરીદી આપવાની યોજના કરી. અને બીજા દિવસે તે અનાજ વિતરણ માટે મોતીભાઈના વિદ્યાર્થી હીમચંદ કપૂરચંદ શાહની નિમણૂક કરી. વડોદરા રાજયાના કોમન કમિશનર તરફથી પેટલાદ તાલુકામાં દંતાળી, ધર્મજ, મઘરોલ, સાઠ વગેરે ગામોમાં આ કાર્ય શરૂ થયું. આ માટે ધર્મજના રાય. વલ્લભભાઈ નરોત્તમદાસ પટેલના પુત્રોએ મુંબઈની ભાટિયા વૉલંટિયર કોરને રૂ. ૩૦૦૦૦ ના કપડાં ગુજરાતનાં ગરીબોને વહેવા આપ્યા. આ સાથે ગામે ગામ થી દાન મળતું થયું, આથી નાણાંનો વ્યય અને દુરુપયોગ ન થાય તેની તકેદારી પણ મોતીભાઈ એ રાખી. 

તેમના મનમાં ગામેગામ પુસ્તકાલય એ ધૂન ઘર કરી ગયેલ અને તે માટે તેમણે બે વર્ષ કામ કર્યું. આ ધૂનને નવા નામ સાથે જ્યાં શાળા ત્યાં પુસ્તકાલય તેવા સિદ્ધાંતમાં ફેરવી, તેના અમલ માટે શિક્ષકોને પ્રેરણા આપી. મહિલા પુસ્તકાલયો, અને બાળ પુસ્તકાલયોની સ્થાપના ની યોજનાઓ પણ શરૂ કરી. પુસ્તકાલયને પ્રવૃત્તિની પ્રગતિના પ્રયત્નો ચાલુ જ હતા. તેમણે ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા ચરોતર પુસ્તકાલયની યોજનાઓ શરૂ કરી. ૧૯૩૧ માં ચરોતર ફરતું પુસ્તકાલય યોજ્યું. આમ તેઓ ચરોતરના પુસ્તકાલયોના પ્રણેતા તરીકે ઓળખાયા. 




Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

150th Birthday Celebration of Honorable Vithalbhai Patel (President V J Patel) - 27-09-2023

150th Birthday Celebration of Honorable Vithalbhai Patel (President V J Patel) - 27-09-2023




જ્યારે ૧૯૧૭ની ગોધરા રાજકીય પરિષદ સમયે સફેદ દાઢી જુલાવતા, સાધુની લાંબી ગેરુરંગની કફની, ધોતિયું, કાનટોપી પહેરેલા વેશમાં વિઠ્ઠલભાઈ પટેલ ખૂણામાં બેઠા હતા, અને ગાંધીજીએ જ્યારે સભાસ્થાને જ્યારે દલિત વસ્તીમાં વિઠ્ઠલભાઈને જોયા તે જ સમયે ઠક્કરબાપાએ વિઠ્ઠલભાઈને ગાંધીજીની પાસે બેસાડ્યા ત્યારે ગાંધીજી વિઠ્ઠલભાઈનો વેશ જોઈ બંને એક બીજાની જોઈ પેટભરીને ભેટયા અને હસ્યાં. અનેક ભાષણો બાદ ગાંધીજી વિઠ્ઠલભાઈને ખભે હાથ મૂકીને ઊભા થયા અને કહ્યું

“નરસિંહ મહેતાએ ગાયું છે કે પક્ષાપક્ષી ત્યાં નહી વસે પરમેશ્વર! એટલે પરમ દિવસથી જે રાજકીય પરિષદ થઈ તેમાં પરમેશ્વર હતા કે નહી એ કહી શકાય નહી. પણ આ પરિષદમાં ચોક્કસ તેમની હાજરી છે. વિઠ્ઠલભાઈની કફની પર હાથ ફેરવીને કહ્યું વિઠ્ઠલભાઈ આજે આ પોષાકમાં આવીને બેઠા છે એટલે હું છાતી તપાસીને જોઉ છું કે અંત્યજ પ્રેમ એમના દિલમાં છે કે શું? જો હશે તો આ કામમાં આપણે ચોક્કસ ફતેહ પામીશું આવી પરિષદો ઘેર ઘેર થાય, તેમાં ભાષણો થાય અને વિખેરાઈ જાય તે મને નથી ગમતું. આજે આપણે આટલા બધા કામ કરનારા ભેગા થયા છીએ તો આજે અંત્યજ લોકોનું કાઈ કાયમી કામ શરૂ કરવું જોઈએ.”

ત્યાર બાદ ઠકકરબાપાના ભાષણ બાદ વિઠ્ઠલભાઈ પટેલે ભાષણ કરતાં કહ્યું

“ અહીના માણસોને મારો પોષાક જોઈને નવાઈ લાગી હશે પણ મુંબઈ શહેરમાં હું ઘણીવાર આ પોષાકમાં ફરું છું. એનું કારણ એ છે કે હું સાધુ છું. મારે નથી ઉલાળ કે ધરાળ. પણ ગાંધીજીને એટલી હું ખાતરી આપું છું કે આ પોષાક ઉપર જે દેખાય છે તે જ મારા દિલની અંદર પણ છે.”

વિઠ્ઠલભાઈની આ વાતને ગાંધીજી અને શ્રોતાઓએ વધાવી લીધી. આવીજ એક ભરૂચની પરિષદમાં ગાંધીજી ભાષામાં સ્વદેશીનો કડક અમલ કર્યો અને બધાજ વક્તાઓને ગુજરાતીમાં બોલવાનું કહ્યું. ત્યારે વિઠ્ઠલભાઈએ ટીખળ કરતાં કહ્યું

“ગઈ કાલે ઝીણાની પરીક્ષા લેવાઈ હતી, આજે ગાંધીજીએ ગુજરાતી બોલતા મને આવડે છે કે હું ભૂલી ગયો છું તે વિષે મારી પરીક્ષા લેવાનું ઠરાવ્યું છે.”

વિઠ્ઠલભાઈ પટેલે સરકારી શૈક્ષણિક સંસ્થાઓના બહિષ્કાર સંદર્ભે બોમ્બે (હાલ મુંબઈ) શહેરમાં ઉલ્લેખનીય કામ કર્યું. સરોજીની નાયડુ, વિઠ્ઠલભાઈ પટેલ, ગંગાધરરાવ દેશપાંડે, જમનાદાસ મહેતા અને અન્ય નેતાઓ વિદ્યાર્થીઓને સંબોધન કરતાં અને તેમના ભાષણોની અસર વિદ્યાર્થી પર અસર પણ કરતાં હતા. અને જે વિદ્યાર્થીઓને અભ્યાસ ચાલુ રાખવો હોય તેઓ પર પણ કોઈ પણ પ્રકારનું દબાણ લાદવામાં આવતું નહોતું. બહિષ્કાર સંપૂર્ણ અહિંસા સાથે થયું હતું.

વિઠ્ઠલભાઈ પટેલની એક વિશિષ્ટતા હતી કે ધારાસભાના પ્રમુખ બન્યા ત્યારબાદ તેઓએ ચાણક્યની માફક પોતાના બધાએ સાથીઓ મારફત મુંબઈ સરકારના ઘરમાં જ લડાઈનો પલીતો સળગાવ્યો. અને ત્યારબાદ અંદર અંદર ચાલતી સરકારી તકરારની વાતો સાંભળી તેઓ મલકાતા અને રાજ્યોના દ્વિભાગી તંત્રને બદનામ કરવામાં તેઓ તેનો પૂરો ઉપયોગ કરતાં. જ્યારે એપ્રિલ મહિના અંતમાં સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ, કાકા કાલેલકર, નરીમાન, રાજગોપાલચારી વગેરે અગ્રણીઓ પકડાયા. અને ચિત્તાગોંગ શસ્ત્રાગાર પર ક્રાંતિકારીઓએ મરણીયો હુમલો કરી હથિયારો કબજે કર્યા, આ હુમલાના કારણે સરકારે પેશાવરના આગેવાનોની ધરપકડ કરી તેનો વિરોધ કરનાર લોકોના ટોળા પર યુધ્ધમાં વાપારાતી ટેન્ક ચલાવી અને કેટલાયને કચડી નાખ્યા, આ હત્યાકાંડ અને દેશભરમાં સરકારની દમનકારી નીતિ અસહ્ય લાગતાં વિઠ્ઠલભાઈએ ધારાસભાના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને આઝાદીની લડતમાં જંપલાવ્યું. અને તરતજ કોંગ્રેસ તરફથી પેશાવરમાં થયેલ અત્યાચારની તપાસ કરવા વિગતવાર અહેવાલ તૈયાર કરવાનું કામ વિઠ્ઠલભાઈને સોંપાયું હતું.  




Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

06 Do you know? સરદાર સાહેબનો જુનાગઢનો ઐતિહાસિક પ્રવાસ

શું તમે જાણો છો?
સરદાર સાહેબનો જુનાગઢનો ઐતિહાસિક પ્રવાસ




સરદાર સાહેબનો જુનાગઢનો પ્રવાસ એટલા માટે ઐતિહાસિક હતો કારણકે તે આવનાર ભવિષ્યમાં એક એવી ધરોહર અર્પણ કરવાના હતાં કે જે એક યાદગાર સ્થળ અને ઈતિહાસમાં જેને વારંવાર લૂંટવામાં આવ્યું તે મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ લીધો હતો. આ ઐતિહાસિક મંદિર એટલે સોમનાથ મહાદેવનું મંદિર. સરદાર સાહેબ જામ સાહેબના પ્લેનમાં જામસાહેબ, હિંમતસિંહજી, દરબાર સાહેબ વગેરે સાથે કેશોદ માટે રવાના થયા. કેશોદ સ્ટેશનથી રેસિડેંટ સલૂનમાં (ટ્રેનનો ખાસ ડબ્બો) જુનાગઢ ગયા. જુનાગઢ સ્ટેશન પર તેમને ખાસ ગાર્ડ ઓફ ઓનર અને પુષ્પહારથી સન્માનિત કરવામાં આવ્યા. જુનાગઢમાં એક જાહેરસભામાં જુનાગઢના લોકો વથી શામળદાસ ગાંધીએ સરદાર સાહેબનું સન્માન કર્યું. અને સરદાર સાહેબે તેનો યોગ્ય જવાબ પણ આપ્યો. એજ સલૂનમાં વેરાવળ અને ત્યાંથી કાર દ્વારા સોમનાથ પહોચ્યા. ત્યાંના રમણીય દરિયા કિનારે પાણીમાં પગ રાખી એક શાંતિની અનુભુતી કરી. સોમનાથમાં ખંડેર હાલતમાં મંદિર જોઈ અને પાતાળેશ્વર મહાદેવ તરીકે ઓળખાતા ભગવાન શિવના દર્શન કરી મંદિર પરિસરની સભામાં સરદાર સાહેબે સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારની પ્રતિજ્ઞા લીધી.

તા. ૧૨ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સરદાર પટેલ (ભારતના સંરક્ષણ પ્રધાન અને નાયબ વડા પ્રધાન તથા ગુજરાતનાં પનોતા પુત્ર) તેમના સાથીઓ કાકા સાહેબ ગાડગીલ સાથે જુનાગઢ આવ્યા. અને બીજા દિવસે એટલે કે ૧૩ નવેમ્બર ૧૯૪૭ ના રોજ તેઓ સોમનાથ મંદિરના દર્શને ગયા અને ત્યાં સમુદ્રતટે તેમણે જળ હાથમાં લઈ સાથે આવેલા મહારાજ જામસાહેબ દિગ્વિજયસિંહજીની ઉપસ્થિતિમાં જાહેર કર્યું કે “ભારત સરકાર સોમનાથ મંદિરનું નવનિર્માણ કરશે અને જ્યોતિર્લિંગની સ્થાપના કરવાનો ઠરાવ કરે છે.” આ ઘોષણા ત્યાં હાજર રહેલ જનસમુદાયે સહર્ષ વધાવી અને દરેક સ્ત્રી પુરુષોની આંખોમાં હર્ષના આસું પણ ઉભરાયા. સરદાર સાહેબે ગંભીર અને મક્કમ સવારે જાહેર કર્યું કે “આજના નવા વર્ષના શુભ દિવસે અમે એવો નિર્ણય કર્યો છે કે ભગવાન સોમનાથના મંદિરને ફરી બાંધવું; સૌરાષ્ટ્રની પ્રજાએ તે માટે બનતું કરવું જોઈએ, કારણ કે આ પવિત્ર કાર્યમાં પ્રત્યેક વ્યક્તિએ પોતાનો યથાશક્તિ ફાળો આપવો જોઈએ.”

મહારાજા જામસાહેબે એક લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી. આરઝી હકુમતના શામળદાસ ગાંધીએ આરઝી હકૂમત વતી ૫૧ લાખ રૂપિયાની જાહેરાત કરી. વેરાવળમાં મિલીટરી થાણું પણ મૂકવામાં આવ્યું. મહારાજા જામસાહેબના અધ્યક્ષપદે સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી અને મંદિરના જીર્ણોદ્ધારનો પ્રારંભ થયો.

રાજા કુમારપાળ દ્વારા બંધાયેલ અને અનેક વખત ખંડિત થયેલ, તે સ્થળે નવા મંદિરને બાંધવાનો નિર્ણય ટ્રસ્ટે લીધો. પ્રભાસના લોકોએ, પ્રભાસ ઇતિહાસ સંશોધન સભા, સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદ વગેરે જેવી સંસ્થાઓએ સખત વાંધાઓ નોંધાવ્યા, પરંતુ સોમનાથ ટ્રસ્ટે આ બધા વાંધાઓને અમાન્ય રાખી પુરાતત્ત્વની એક દુર્લભ ઇમારત જેવા આ મંદિરને પાયેથી પાડી નાંખવાનો નિર્ણય લીધો.




क्या आप जानते हैं?

सरदार साहब का जूनागढ़ का ऐतिहासिक दौरा


क्या आप जानते हैं?

सरदार साहब का जूनागढ़ का ऐतिहासिक दौरा

सरदार साहब की जूनागढ़ यात्रा ऐतिहासिक थी क्योंकि उन्हें आने वाले भविष्य के लिए एक विरासत पेश करनी थी जो एक यादगार जगह है और इतिहास में बार-बार लूटे गए मंदिर को पुनर्स्थापित करने का संकल्प लेना था। यह ऐतिहासिक मंदिर सोमनाथ महादेव का मंदिर है। सरदार साहब जाम साहब, हिम्मतसिंहजी, दरबार साहब आदि के साथ जाम साहब के विमान से केशोद के लिए रवाना हुए। केशोद स्टेशन से रेजिडेंट सैलून (ट्रेन का विशेष डिब्बा) से जूनागढ़ तक। जूनागढ़ स्टेशन पर उन्हें विशेष गार्ड ऑफ ऑनर और माला पहनाकर सम्मानित किया गया। जूनागढ़ में एक सार्वजनिक बैठक में शामलदास गांधी ने जूनागढ़ के लोगों की ओर से सरदार साहब का सम्मान किया। और सरदार साहब ने इसका उचित उत्तर भी दिया। वेरावल एज सैलून और वहां से कार द्वारा सोमनाथ पहुंचे। वहां का खूबसूरत समुद्र तट पानी में पैर रखने पर शांति का एहसास कराता है। सोमनाथ में खंडहर हो चुके मंदिर को देखने और पातालेश्वर महादेव के नाम से प्रसिद्ध भगवान शिव के दर्शन करने के बाद सरदार साहब ने मंदिर परिसर की बैठक में सोमनाथ मंदिर के जीर्णोद्धार का संकल्प लिया।

दिनांक १२ नवंबर १९४७ को सरदार पटेल (भारत के रक्षा मंत्री और उप प्रधान मंत्री और गुजरात के पोते) अपने साथियों काका साहेब गाडगिल के साथ जूनागढ़ आये। और अगले दिन यानी १३ नवंबर १९४७ को उन्होंने सोमनाथ मंदिर के दर्शन किए और वहां समुद्र तट पर अपने साथ आए महाराज जामसाहेब दिग्विजयसिंहजी की उपस्थिति में उन्होंने घोषणाकी कि "भारत सरकार सोमनाथ मंदिर का जीर्णोद्धार करेगी और ज्योतिर्लिंग स्थापित करने का संकल्प लेगी।" इस घोषणा पर वहां मौजूद भीड़ खुशी से झूम उठी और हर महिला-पुरुष की आंखों में खुशी के आंसू छलक पड़े। सरदार साहब ने सुबह गंभीरता और दृढ़ता से घोषणा की कि “आज, नए साल के शुभ दिन पर, हमने भगवान सोमनाथ के मंदिर का पुनर्निर्माण करने का फैसला किया है; सौराष्ट्र के लोगों को इसके लिए अपना सर्वश्रेष्ठ प्रयास करना चाहिए, क्योंकि प्रत्येक व्यक्ति को इस पवित्र कार्य में अपनी क्षमता का योगदान देना चाहिए।”

महाराजा जामसाहब ने एक लाख रुपये दान देने की घोषणा की. आरज़ी हकूमत के शामलदास गांधी ने आरज़ी हकूमत की ओर से ५१ लाख रुपये देने की घोषणा की, वेरावल में एक सैन्य अड्डा भी स्थापित किया गया था। महाराजा जामसाहब की अध्यक्षता में सोमनाथ ट्रस्ट की स्थापना हुई और मंदिर का जीर्णोद्धार शुरू हुआ।

ट्रस्ट ने भगवान सोमनाथ के मंदिर के स्थान पर एक नया मंदिर बनाने का निर्णय लिया, जिसे राजा कुमारपाल ने बनवाया था। प्रभास के लोगों, प्रभास इतिहास अनुसंधान परिषद, सौराष्ट्र इतिहास परिषद आदि संगठनों ने कड़ी आपत्ति जताई, लेकिन सोमनाथ ट्रस्ट ने इन सभी आपत्तियों को नजरअंदाज कर दिया और एक दुर्लभ पुरातात्विक इमारत की तरह इस मंदिर को ध्वस्त करने का फैसला किया।



Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel



05 Do you know? What can Sardar Patel do if he gets to rule Britain for a week?



૦૫ શું તમે જાણો છો?

સરદાર પટેલને જો એક અઠવાડિયું બ્રિટન પર રાજ કરવા મળે તો તેઓ શું કરી શકે?

૯ ઓગષ્ટ ૧૯૪૫ના રોજ સરદાર પટેલે પોતાના ભાષણમાં કહ્યું કે : “અંગ્રેજો હિંદુ-મુસ્લિમ લડાઈની વાતો કરે છે, પરંતુ તેમના ખભે આ બોજ કોણે નાખ્યો છે? જો અંગ્રેજો સાચી નિષ્ઠા ધરાવતા હોય તો તેઓ સરકાર કોંગ્રેસને અથવા લીગને હવાલે કરે અથવા પછી આંતરાષ્ટ્રીય મધ્યસ્થી સ્વીકારે. અને વધુમાં તેમણે અંગ્રેજોને કહ્યુ કે એમને બ્રિટન ઉપર રાજ કરવા માટે માત્ર એક જ અઠવાડિયુ આપે. તેઓ ઇંગ્લિશ, આયરિશ અને વેલ્શ પ્રજા વચ્ચે એવા મતભેદો ઊભા કરશે કે તેઓ કાયમ માટે લડતા રહેશે. “ભાગલા પાડો અને રાજ કરો” આ નિતિથી જ અંગ્રેજોએ રાજ કર્યુ છે, અને તેમાં તેઓ પાવરધા થઈ ગયા છે. સરદાર પટેલના આ ભાષણના શબ્દોમાં નર્યો ક્રોધ વર્તાતો હતો, પરંતુ તેનો મતલબ એ ક્યારેય નહોતો કે તેઓ વાસ્તવિક પરિસ્થિતિને શાંતિપુર્ણ હલ કરવાના વિરોધી હતા.

०५ क्या आप जानते हैं?

अगर सरदार पटेल को एक सप्ताह के लिए ब्रिटेन पर शासन करने का मौका मिले तो वे क्या कर सकते हैं?

९ अगस्त १९४५ को सरदार पटेल ने अपने भाषण में कहा था कि: “अंग्रेज हिंदू-मुस्लिम युद्ध की बात करते हैं, लेकिन उनके कंधों पर यह बोझ किसने डाला है? यदि अंग्रेज सचमुच ईमानदार होते तो वे सरकार कांग्रेस या लीग को सौंप देते या अंतर्राष्ट्रीय मध्यस्थता स्वीकार कर लेते। और आगे उन्होंने अंग्रेजों से ब्रिटेन पर शासन करने के लिए केवल एक सप्ताह का समय मांगा। वे अंग्रेजी, आयरिश और वेल्श लोगों के बीच ऐसे मतभेद पैदा करेंगे कि वे हमेशा लड़ते रहेंगे। "फूट डालो और राज करो" वह नीति है जिसके द्वारा अंग्रेजों ने शासन किया है, और वे शक्तिशाली बन गए हैं। सरदार पटेल के भाषण के शब्द गुस्से से भरे थे, लेकिन इसका मतलब यह कदापि नहीं था कि वे वास्तविक स्थिति के शांतिपूर्ण समाधान के ख़िलाफ़ थे।

05 Do you know?

What can Sardar Patel do if he gets to rule Britain for a week?

On 9 August 1945, Sardar Patel said in his speech that: “The British talk of Hindu-Muslim war, but who has put this burden on their shoulders? If the British were really sincere, they would hand over the government to the Congress or the League or else accept international mediation. And further he asked the British to give him only one week to rule Britain. He will create such differences between the English, Irish and Welsh people that they will be fighting forever. "Divide and rule" is the policy by which the British have ruled, and they have become powerful. The words of Sardar Patel's speech were full of anger, but it never meant that he was against a peaceful solution to the real situation.

#SardarPatel #vithalbhaipatel



Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

04 Do you Know? Sardar Patel's family members



૦૪ શુ તમે જાણો છો?

ઝવેરભાઈ પટેલ અને લાડબાઈ પટેલ (સરદારના માતા-પિતા)ને કુલ છ (૬) સંતાનો હતા. જેઓના નામ : સોમાભાઈ પટેલ, નરસિંહભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, કાશીભાઈ પટેલ અને એક પુત્રી ડાહીબા પટેલ એમ કુલ પાંચ ભાઈ અને એક બહેન હતા. ડાહીબાને વડોદરા રાજ્યમાં એક વેપારી પેઢીના મોટા અધિકારી સાથે પરણાવેલા અને તેઓ વર્ષ ૧૯૧૬ના ફેબ્રુઆરી મહિના દરમ્યાન પાંત્રીસેક વર્ષની નાની ઉમરે મૃત્યુ પામ્યા હતાં.

०४ क्या आप जानते हैं

ज़वेरभाई पटेल और लाडबाई पटेल (सरदार के माता-पिता) के कुल छह (6) बच्चे थे।
उनके नाम: सोमाभाई पटेल, नरसिंहभाई पटेल, विट्ठलभाई पटेल, वल्लभभाई पटेल, काशीभाई पटेल और एक बेटी दहिबा पटेल के कुल पांच भाई और एक बहन थे। दाहिबा का विवाह वडोदरा राज्य की एक व्यापारिक फर्म के एक वरिष्ठ अधिकारी से हुआ था और पैंतीस वर्ष की अल्पायु में फरवरी 1916 के दौरान उनकी मृत्यु हो गई।

04 Do you Know?

Zaverbhai Patel and Ladbai Patel (Sardar's parents) had a total of six (6) children.

Named: Somabhai Patel, Narsinghbhai Patel, Vitthalbhai Patel, Vallabhbhai Patel, Kashibhai Patel and a daughter Dahiba Patel had a total of five brothers and one sister. Dahiba was married to a senior official of a trading firm in Vadodara state and died during the month of February 1916 at the young age of thirty-five.

#SardarPatel #vithalbhaipatel #manibenpatel



Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

03 Do you know? About the poems of fights of Bardoli



૦૩ શું તમે જાણો છો?

બારડોલી લડતના કાવ્યો વિશે

આજે બારડોલી વિજય દિવસ ૧૨ જુન છે ત્યારે બારડોલી સત્યાગ્રહ સમયે જે સત્યાગ્રહી કાવ્યો કે કવિતાઓ લોકો ગાતા હતાં તે કવિતાઓ કે લોક ગીત કે યુધ્ધગીતો. ગુજરાત સત્યાગ્રહના ઇતિહાસમાં કદાચ પહેલીવાર હશે કે આવા લોકગીતોની રચના થઈ. દેશમાં યુધ્ધગીતો લખાય તે સ્વાભાવિક હતું અને ગીતો તો ખુબ રચાયા, જેને સત્યાગ્રહના ગીતો કહી શકાય, તેવા સત્યાગ્રહી ગીતોની શરૂઆત બારડોલી સત્યાગ્રહથી જ શરૂ થઈ.

બારડોલી સત્યાગ્રહ વિશે વધારે રસપ્રદ માહિતી વાંચવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો. : https://www.sardarpatel.in/search?q=bardoli

०३ क्या आप जानते हैं?

बारडोली सत्याग्रह लड़ाई की कविताओं के बारे में

आज 12 जून को बारडोली विजय दिवस है, बारडोली सत्याग्रह के दौरान लोग जिन सत्याग्रही कविताओं को गाते थे, वे कविताएं या लोक गीत या युद्ध गीत हैं। शायद गुजरात सत्याग्रह के इतिहास में पहली बार इस तरह के लोकगीत रचे गए। देश में युद्धगीतों का लिखा जाना स्वाभाविक था और ऐसे अनेक गीतों की रचना हुई, जिन्हें सत्याग्रह गीत कहा जा सकता है, ऐसे गीतों की शुरुआत बारडोली सत्याग्रह से ही हुई।

बारडोली सत्याग्रह के बारे मे अधिक जानकारी के लिए नीचे दी गए लिंक पर क्लिक करे : https://www.sardarpatel.in/search?q=bardoli

03 Do you know?

About the poems of fights of Bardoli

Today is Bardoli Victory Day on 12th June, the satyagrahi poems that people used to sing during the Bardoli Satyagraha, are poems or folk songs or war songs. Perhaps for the first time in the history of Gujarat Satyagraha, such folk songs were composed. It was natural for war songs to be written in the country and many songs were composed, which can be called Satyagraha songs, that was started from Bardoli Satyagraha itself.

Click on Link to Read More Interesting facts and stories about Bardoli : https://www.sardarpatel.in/search?q=bardoli



Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

02 Do You Know the facts : Vithalbhai Patel & Sardar Patel's Admission



૦૨ શું તમે જાણો છો?
વિઠ્ઠલભાઈ પટેલ તેમના નાના ભાઈ વલ્લભભાઈ પટેલની ટ્રાવેલ પરમિટ પર બેરિસ્ટર થવા લંડન ગયેલા અને વિઠ્ઠલભાઈ પટેલે ૦૯ એપ્રિલ ૧૯૦૬ના રોજ લિંકન્સ ઇનમાં પ્રવેશ મળ્યો હતો. અને વલ્લભભાઈ પટેલે ૧૪ ઓકટોબર ૧૯૧૦ના રોજ મિડલ ટેમ્પલમાં પ્રવેશ મળ્યો હતો. અને વલ્લભભાઈ પટેલના વર્ષ ૧૯૧૦ થી ૧૯૧૨ સુધીમાં ૪ ઓપરેશન થયા હતા, આથી ડો. કીડ, ૫૫ હાર્લે સ્ટ્રીટ દ્વારા સલાહ આપવામાં આવી કે શક્ય હોય તેટલા વહેલાં વલ્લભભાઈ પટેલને ભારતના ગરમ વાતાવરણમાં મોકલવા, તેઓ ઈંગ્લેન્ડનું ઠંડીની આબોહવા વધારે સહન નહીં કરી શકે.

०२ क्या आप जानते हैं?
विठ्ठलभाई पटेल अपने छोटे भाई वल्लभभाई पटेल के यात्रा परमिट पर बैरिस्टर बनने के लिए लंदन चले गए और विट्ठलभाई पटेल को ०९ अप्रैल १९०६ को लिंकन इन में प्रवेश मिला। और वल्लभभाई पटेल को १४ अक्तूबर १९१० को मिडल टेम्पल में प्रवेश मिला। वर्ष १९१० से १९१२ के दौरान वल्लभभाई पटेल के पाव में ४ ऑपरेशन हुए। इसलिए ५५ हार्ले स्ट्रीट के डॉ. किड ने वल्लभभाई पटेल को जल्द से जल्द भारत की गर्म वातावरण में भेजने की सलाह दी, क्योंकि वे इंग्लैंड की ठंडे वातावरण को बहुत अधिक सहन नहीं कर सकेंगे।

02 Do you know?
Vitthalbhai Patel went to London to become a barrister on his younger brother Vallabhbhai Patel's travel permit and Vitthalbhai Patel got admission in Lincoln's Inn on 09 April 1906. And Vallabhbhai Patel got admission in Middle Temple on 14 October 1910. And Vallabhbhai Patel had 4 operations from 1910 to 1912, so Dr. Kidd, 55 Harley Street, advised to send Vallabhbhai Patel to the hot climate of India as soon as possible, as he could not bear the cold climate of England very much.



Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

01 Do You Know the facts about Ayurvedic Medicine And Unani Meidcine ?

Fact about Ayurvedic Medicine And Unani Meidcine 




શું તમે જાણો છો?

બ્રિટિશ સરકાર દ્વારા બોમ્બે મેડિકલ એક્ટ ૧૯૧૨ માં આયુર્વેદિક અને યુનાની દવાઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જેનો વિરોધ  વીર વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ અને તેમની ધારદાર રજૂઆતો અને દલીલો ના કારણે બ્રિટિશ સરકારે બોમ્બે મેડિકલ એક્ટ ૧૯૧૪ માં સુધારો કરવો પડ્યો હતો.

क्या आप जानते हैं?

बॉम्बे मेडिकल एक्ट १९१२ में ब्रिटिश सरकार द्वारा आयुर्वेदिक और यूनानी दवाओं पर प्रतिबंध लगा दिया गया था, जिसका वीर विठ्ठलभाई पटेल ने विरोध किया था और उनकी मजबूत प्रस्तुतियों और तर्कों के कारण ब्रिटिश सरकार को बॉम्बे मेडिकल एक्ट १९१४ में संशोधन करना पड़ा था।

Do you know?

Ayurvedic and Unani medicines were banned by the British Government in the Bombay Medical Act 1912, which was opposed by Veer Vitthalbhai Patel and due to his strong submissions and arguments, the British Government had to amend the Bombay Medical Act 1914.

#sardarpatel #vithalbhaipatel #veervithalbhai



Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel


Happy Birthday Maniben Patel - 03-04-1903

Happy Birthday Maniben Patel - 03-04-1903




સફેદ ખાદીના કાપડની સાડી (એમાંય પાછા થીંગડા), અને કોણી સુધીની બાય વાળો બ્લાઉઝ કે પોલકું, સાડી થોડી ઊંચી પહેરેલ અને માથે ઓઢેલી હોય, ક્યારેય આ પહેરવેશમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નહીં. પોતાના પિતાની પડખે સદાય રહેલ દિલના એકદમ દૌલા અને તેમ છતાં બોલવામાં થોડા આકરાં, જેની સાથે ફાવટ આવી અને પોતીકું માન્યા તેના માટે પોતાનાથી શક્ય હોય તે બધુ જ કરી છૂટવા તૈયાર આ એક સામાન્ય ઓળખ ગુજરાતની દીકરી અને સ્વતંત્ર ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના દીકરીની. મણિબેન વિષે તો ઘણું લખી શકાય તેમ છે પરંતુ આજે તેમના જન્મદિવસે તેમની થોડી યાદો તાજી કરીએ. 

જ્યારે દીકરીઓને દૂધપીતી કરવામાં આવતી તેવે સમયે સરદાર વલ્લભભાઈ પટેલના ઘરે ૩જી એપ્રીલ ૧૯૦૪ના રોજ મણિબેન પટેલનો જન્મ થયો. માતાની છત્રછાયા તેઓ ૬ વર્ષના હતા ત્યારેજ ગુમાવેલ અને વલ્લભભાઈ પટેલે જ મા-બાપ બંનેની જવાબદારી નિભાવેલ. વિઠ્ઠલભાઈ વિલાયતથી બેરિસ્ટર થઈ પરત આવ્યા અને ત્યાર બાદ વલ્લભભાઈ વિલાયત ગયા ત્યારે વિઠ્ઠલભાઈ પટેલે જ વલ્લભભાઈ પટેલના બંને સંતાનોની જવાબદારી સ્વીકારેલ. અને મુંબઈમાં મિસ વિલ્સનને ત્યાં બોર્ડર તરીકે મૂક્યા હતા. 

૧૯૧૩ પછી વલ્લભભાઈ પરદેશથી પરત આવેલ અને અમદાવાદમાં જ્યારે પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે તેઓ મણિબેનને અમદાવાદ સાથે લઈ ગયા. ૧૯૨૩થી તો મણિબહેન પોતે કાંતેલું સૂતર વણાવીને વલ્લભભાઈનાં કપડાં બનાવડાવતા અને પોતે પણ ખાદી જ પહેરતા. જ્યારે ૧૯૩૦થી વલ્લભભાઈ સંપૂર્ણપણે દેશસેવક બન્યા ત્યારે તેમણે ઘર કાઢી નાખ્યું, પણ આના કારણે મણિબેનને વધારે અગવડ પડી હશે, એમણે લગ્ન નહીં કરવાનો નિર્ણય કરી સરદારના સેક્રેટરી તરીકે કામ કરવાનું પસંદ કર્યું. આ બાબતે એક પ્રસંગની જરૂર નોંધ લેવાવી જોઈએ : ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહના અંત સુધીમાં જ્યારે સરદારને માંદગી અનુભવતા હતા, ત્યારે એવું સૂચન કરવામાં આવ્યું હતું કે કોઈકે તેમને સચિવ તરીકે મદદ કરવી જોઈએ. ત્યારે મણિબેને કહ્યું: "જો કોઈને રાખવા હોય તો હું કેમ નહીં?" ૧૯૨૯થી સરદાર પટેલના અંતિમ સામે સુધી, જ્યારે પણ શક્ય હોય ત્યારે તેમણે વલ્લભભાઈનો પત્રવ્યવહાર જાળવી રાખ્યો હતો. એક વખત ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રાજકીય વિવેચક કે. ગોપાલસ્વામી મુંબઈના મરીન ડ્રાઈવ પરના તેમના ફ્લેટમાં તેમની મુલાકાતે આવ્યા ત્યારે સરદારે સી. રાજગોપાલાચારી પાસેથી તેમને મળેલો એક પત્ર મંગાવ્યો. તેઓ એ ભૂલી ગયા કે ટેવ મુજબ તેમણે પત્ર ફાડી નાખ્યો હતો અને તેમણે તેને કચરાપેટીમાં ફેંકી દીધો હતો. સદભાગ્યે, મણિબેને એ થોડા સમયમાં એ ટુકડાઓ ભેગા કરી સાથે ગોઠવી ચોંટાડીને વલ્લભભાઈને વાંચવા આપ્યો. 

સુરતની સ્ત્રીઓની જેલ માં મહિલાઓ માટે કોઈ સગવડ નહોતી કરવામાં આવતી, ત્યાંની જેલોમાં મચ્છરો, ગંદકી પારાવાર હતી. અને આ બધી વાતનો વિરોધ કરતાં મણિબેને ઉપવાસની ધમકી આપી ત્યારે તેમના પર કેસ ચલાવવામાં આવ્યો અને તેમણે ૧૦ મહિનાની કેદ ફરમાવવામાં આવી. 




Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel



Sardar Patel

sardar%20patel

Vithalbhai Patel

Vithalbhai%20Patel

Maniben Patel

Maniben%20Patel

Mahatma Gandhi | Gandhiji

gandhiji
© all rights reserved
SardarPatel.in