Showing posts with label સરદાર વલ્લભભાઈ પટેલ. Show all posts
Showing posts with label સરદાર વલ્લભભાઈ પટેલ. Show all posts

Sardar Patel's view on Balochistan: Integration priorities, communal concerns

સરદાર પટેલનો બલુચિસ્તાન અંગેનો દૃષ્ટિકોણ: એકીકરણની પ્રાથમિકતાઓ, સાંપ્રદાયિક ચિંતાઓ


    ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના એકીકરણના શિલ્પી તરીકે ઇતિહાસમાં અંકિત છે. ૧૯૪૭ના ભાગલા અને ત્યારપછીના રજવાડાઓના વિલીનીકરણના અત્યંત જટિલ અને સંકટપૂર્ણ સમયમાં, તેમણે ૫૬૦થી વધુ રજવાડાઓને ભારતીય સંઘમાં ભેળવવાની અતિમહત્વની ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન, બલુચિસ્તાનનો પ્રશ્ન, ખાસ કરીને કલાતના ખાનશાહીનો, એક જટિલ પરિસ્થિતિ તરીકે ઉભરી આવ્યો. બલુચિસ્તાન અંગે સરદાર પટેલના વિચારો બહુપક્ષીય હતા, જેમાં રાજ્યના સંભવિત જોડાણના રાજકીય-વ્યૂહાત્મક પાસાઓ તેમજ ત્યાં વસતા લઘુમતી સમુદાયો, ખાસ કરીને હિન્દુઓની સુરક્ષા અને સાંપ્રદાયિક સ્થિતિ અંગેની ઊંડી ચિંતાઓનો સમાવેશ થતો હતો. 

    ૧૯૪૭માં ભારતના ભાગલા સમયે, બલુચિસ્તાન, ખાસ કરીને કલાતનું રજવાડું, એક વ્યૂહાત્મક રીતે મહત્વનો અને જટિલ આદિજાતિ માળખું ધરાવતો પ્રદેશ હતો. ઐતિહાસિક અહેવાલો સૂચવે છે કે કલાતના ખાન, મીર અહમદ યાર ખાન, સ્વતંત્રતા માટે આકાંક્ષાઓ ધરાવતા હતા અને તેમણે વિવિધ તબક્કે ભારત સાથે ગાઢ સંબંધો અથવા તો સંભવિત જોડાણ સહિતના વિકલ્પો શોધ્યા હતા. આ ઇચ્છા નવા રચાયેલા પાકિસ્તાનના ડોમિનિયન દ્વારા પણ આ પ્રદેશ પર દાવો કરવાની પૃષ્ઠભૂમિ સામે હતી.

    આ સંદર્ભમાં, એક મુખ્ય અને વારંવાર ટાંકવામાં આવતી ઘટના ૨૭  માર્ચ, ૧૯૪૮ ના રોજ બની હતી, જ્યારે ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) એ રાજ્ય મંત્રાલયના સચિવ વી.પી. મેનનને ટાંકીને એક નિવેદન પ્રસારિત કર્યું હોવાનું કહેવાય છે. પ્રસારણમાં સૂચવવામાં આવ્યું હતું કે કલાતના ખાન જોડાણ માટે ભારત પર દબાણ કરી રહ્યા હતા પરંતુ ભારત તેને આગળ વધારવા માટે અનિચ્છુક હતું.

    જોકે, સરદાર પટેલે પોતે જ તરત દરમિયાનગીરી કરી. બીજા જ દિવસે, ૨૮ માર્ચ, ૧૯૪૮ના રોજ, પટેલે જાહેરમાં AIRના અહેવાલનું ખંડન કર્યું, અને ભારતે કલાતના ખાન તરફથી જોડાણ માટે કોઈ ઔપચારિક વિનંતી પ્રાપ્ત થઈ હોવાનો ઇનકાર કર્યો. આ ઇનકાર વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા પણ થોડા સમય પછી પુનરાવર્તિત કરવામાં આવ્યો હતો. સરદાર પટેલનો બલુચિસ્તાન પ્રત્યેનો અભિગમ ભૌગોલિક નિકટતા, તાત્કાલિક વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ અને રાષ્ટ્ર નિર્માણના પહેલેથી જ જબરજસ્ત પડકારો જેવા વ્યવહારિક વિચારણાઓ દ્વારા નક્કી થતો હોય તેવું જણાય છે.

    તેમના જીવનચરિત્ર, "પટેલ: અ લાઈફ" (નવજીવન પબ્લિશિંગ હાઉસ, ૧૯૯૧) માં, રાજમોહન ગાંધી આ સમયગાળા દરમિયાન પટેલ જે પ્રચંડ દબાણ અને જટિલ વાટાઘાટોનું સંચાલન કરી રહ્યા હતા તેનો ઉલ્લેખ કરે છે, જેમાં તેમનું મુખ્ય ધ્યાન ભારતના ભૌગોલિક કેન્દ્રના એકત્રીકરણ પર હતું. સરદાર પટેલ સહિતનું ભારતીય નેતૃત્વ, તે સમયે ભાગલાના લોહિયાળ પરિણામો, વિશાળ શરણાર્થી સંકટ અને હૈદરાબાદ અને જુનાગઢ જેવા રાજ્યોના જટિલ, ઘણીવાર તણાવપૂર્ણ, એકીકરણના સંચાલનમાં ઊંડે ઊંડે વ્યસ્ત હતું. જેમ કે વી.પી. મેનને તેમના મુખ્ય કાર્ય, "ધ સ્ટોરી ઓફ ધ ઈન્ટીગ્રેશન ઓફ ઈન્ડિયન સ્ટેટ્સ" માં વિગતવાર જણાવ્યું છે, રાજ્ય મંત્રાલયે ભારત સાથે ભૌગોલિક રીતે સંલગ્ન રાજ્યોના જોડાણને સુરક્ષિત કરવા માટે ભારે દબાણ હેઠળ કામ કર્યું. બલુચિસ્તાન, ભારત સાથે સીધી ભૌગોલિક નિકટતાનો અભાવ ધરાવતું હોવાથી, એકીકરણના આ તાત્કાલિક માળખામાં બંધબેસતું ન હતું.

    એચ.વી. હોડસને "ધ ગ્રેટ ડિવાઈડ: બ્રિટન-ઈન્ડિયા પાકિસ્તાન" માં રજવાડાઓના જોડાણની આસપાસના કરારો અને દબાણોનો વ્યાપક સંદર્ભ પૂરો પાડ્યો છે. પટેલની રણનીતિ, તેમના કાર્યો પરથી સ્પષ્ટ થાય છે તેમ, પહેલા એકીકૃત ભારતને સુરક્ષિત કરવાની હતી. એ નોંધવું અગત્યનું છે કે ભારતમાં આ નિવેદનો અને પ્રતિ-નિવેદનો કરવામાં આવી રહ્યા હતા, ત્યારે પણ બલુચિસ્તાનમાં ઘટનાઓ ઝડપથી બની રહી હતી અને માર્ચ 1948ના અંત સુધીમાં, કલાત ખાનશાહી પાકિસ્તાનમાં ભળી ગઈ.

    પટેલના અભિગમ અંગે વધુ આંતરદૃષ્ટિ દુર્ગા દાસ દ્વારા સંપાદિત "સરદાર પટેલ'સ કોરસ્પોન્ડન્સ (1945-50)" માંથી મળે છે. "અ પ્રિન્સલી અફેર: ધ એક્સેશન એન્ડ ઈન્ટીગ્રેશન ઓફ ધ પ્રિન્સલી સ્ટેટ્સ ઓફ પાકિસ્તાન, ૧૯૪૭-૧૯૫૫" માં, યાકુબ ખાન બાંગશ પાકિસ્તાની પરિપ્રેક્ષ્ય રજૂ કરે છે, જ્યારે માર્ટિન એક્સમેનનું "બેક ટુ ધ ફ્યુચર: ધ ખાનેટ ઓફ કલાત એન્ડ ધ જીનેસિસ ઓફ બલોચ નેશનાલિઝમ, ૧૯૧૫-૧૯૫૫" કલાતની અનન્ય સ્થિતિ પર વિસ્તૃત ઐતિહાસિક વિગતો પૂરી પાડે છે.

    બલુચિસ્તાનમાં સાંપ્રદાયિક મુદ્દાઓ અંગે સરદાર પટેલની ચિંતાઓમાં મુખ્યત્વે રાજકીય અને વ્યૂહાત્મક પાસાઓ ઉપરાંત, સરદાર પટેલ બલુચિસ્તાન અને નવા બનેલા પાકિસ્તાનના અન્ય ભાગોમાં હિન્દુ લઘુમતીઓની દુર્દશા અંગે ખૂબ જ ચિંતિત હતા. તેમના આ વિચારોનું સૌથી પ્રમાણભૂત પ્રતિબિંબ તેમની પુત્રી મણિબેન પટેલ દ્વારા લિખિત ડાયરી "ઇનસાઇડ સ્ટોરી ઓફ સરદાર પટેલ: ધ ડાયરી ઓફ મણિબેન પટેલ" (વિઝન બુક્સ) માં જોવા મળે છે. મણિબેન, તેમના પિતાના વિશ્વાસુ અને સચિવ તરીકે, તેમના નિખાલસ વિચારો નોંધ્યા હતા, જે આ ડાયરીને એક અનન્ય ઐતિહાસિક દસ્તાવેજ બનાવે છે.

    ૨૪ એપ્રિલ, ૧૯૫૦ની ડાયરી નોંધમાં, મણિબેન તેમના પિતાના શબ્દો ટાંકે છે: “સિંધ, પંજાબ, બલુચિસ્તાન અને ફ્રન્ટિયર પ્રોવિન્સમાં હિન્દુઓને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવ્યા છે. આ જ પૂર્વ પાકિસ્તાનમાં પુનરાવર્તન થઈ રહ્યું છે અને હફીઝુર રહેમાન જેવા લોકો, જેઓ ભારતમાં રહ્યા છે, તેઓ ભારતમાં (સ્વતંત્ર) વતનની માંગ કરશે. ત્યારે આપણી સ્થિતિ શું હશે? આપણી સંતાનો આપણને ગદ્દાર કહેશે.” આ નિવેદન બલુચિસ્તાન અને અન્ય વિસ્તારોમાંથી હિન્દુ સમુદાયોના લગભગ સંપૂર્ણ નાબૂદી, જે હિંસા, જબરદસ્તી ધર્માંતરણ અથવા સ્થળાંતર દ્વારા થયું હતું, તે અંગે પટેલની ઊંડી વેદના અને ચિંતાને દર્શાવે છે.

    પટેલની ચિંતા ખાસ કરીને મહિલાઓ પરના અત્યાચારના અહેવાલોથી વધી હતી. 5 એપ્રિલ, 1950ની નોંધમાં, મણિબેન લખે છે કે પટેલ “મહિલાઓ પરના હુમલાઓ અને તેમના જબરદસ્તી ઇસ્લામમાં ધર્માંતરણને સહન નહોતા કરી શકતા.” આ ચિંતા પૂર્વ પાકિસ્તાન પૂરતી સીમિત નહોતી, પરંતુ બલુચિસ્તાન અને અન્ય પાકિસ્તાની પ્રાંતો સુધી વિસ્તરી હતી જ્યાં આવા જ મુદ્દાઓના અહેવાલ હતા. તેમના “સંપૂર્ણપણે ખતમ” જેવા તીવ્ર શબ્દોનો ઉપયોગ પરિસ્થિતિની ગંભીરતા અને પાકિસ્તાનમાં સાંપ્રદાયિક નીતિઓ પ્રત્યેની તેમની હતાશાને રેખાંકિત કરે છે.

    આ વિચારોને સમજવા માટે, ૧૯૪૭-૧૯૫૦નો ઐતિહાસિક સંદર્ભ ધ્યાનમાં લેવો જરૂરી છે. બલુચિસ્તાનનું પાકિસ્તાનમાં સંકલન વિવાદાસ્પદ હતું. ગૃહમંત્રી તરીકે પટેલનું મુખ્ય ધ્યાન ભારતના રજવાડાઓને ભારતીય સંઘમાં સામેલ કરવા પર હતું, પરંતુ ભાગલામાંથી ઉદ્ભવેલા સાંપ્રદાયિક પરિણામો, જેમાં બલુચિસ્તાનમાંથી હિન્દુઓનું મોટા પાયે સ્થળાંતર શામેલ હતું, તે એક મોટી ચિંતા હતી. તેમના નિવેદનો સૂચવે છે કે હિન્દુઓનું વિસ્થાપન આ ક્ષેત્રની વસ્તી વિષયક રચનાને બદલવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ હતો, જેને તેઓ પ્રાદેશિક સ્થિરતા અને ભારતના સાંપ્રદાયિક સૌહાર્દ માટે જોખમ તરીકે જોતા હતા. પટેલનો હફીઝુર રહેમાન જેવા નેતાઓનો ઉલ્લેખ તેમની ચિંતા દર્શાવે છે કે સાંપ્રદાયિક વિભાજનનો ઉપયોગ ભારતમાં આંતરિક સંઘર્ષો ઉભા કરવા માટે થઈ શકે છે.

    સરદાર વલ્લભભાઈ પટેલનો બલુચિસ્તાન અંગેનો દૃષ્ટિકોણ જટિલ અને બહુપક્ષીય હતો. એક તરફ, તેમણે રાજ્યના જોડાણ અંગે વ્યૂહાત્મક વાસ્તવિકતા અને તાત્કાલિક પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો. બીજી તરફ, તેઓ બલુચિસ્તાન અને પાકિસ્તાનના અન્ય ભાગોમાં હિન્દુ લઘુમતીઓના સંપૂર્ણ વિસ્થાપન અને તેમના પર થતા અત્યાચારોથી ઊંડી રીતે વ્યથિત અને ચિંતિત હતા. તેમની આ ચિંતાઓ માનવીય અને વ્યૂહાત્મક બંને પરિમાણોને પ્રતિબિંબિત કરે છે. મણિબેન પટેલની ડાયરી જેવા પ્રામાણિક સ્ત્રોતો, રાજમોહન ગાંધીના "પટેલ: અ લાઈફ" જેવા ગૌણ સ્ત્રોતો દ્વારા સમર્થિત, સરદાર પટેલના વિચારો અને તે અશાંત સમયગાળામાં તેમની ભૂમિકાને સમજવા માટે અમૂલ્ય અને વિશ્વસનીય આધાર પૂરો પાડે છે. આ દસ્તાવેજો ભાગલા પછીના ભારતના ઇતિહાસના અભ્યાસ માટે મહત્વપૂર્ણ બોધપાઠ આપે છે.




Subscribe us : WhatsApp Youtube Channel Visit us : Sardar Patel


Tribute to Sardar Patel - 15-12-2024 - સરદાર વલ્લભભાઈ પટેલનો દેહાંત

સરદાર વલ્લભભાઈ પટેલનો દેહાંત

૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના દિવસે મુંબઈમાં ભારતના નરશાર્દૂલ સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન ૭૫ વર્ષની ઉંમરે થયું. સરદારના અવસાનના સમાચારે ચોગરદમ જાણે વીજળી પડી હોય તેવું વાતાવરણ થયું હતું. અમદાવાદમાં એ દિવસે લોકોના ટોળેટોળાં કોંગ્રેસ હાઉસ પર સરદાર સાહેબના અવસાનના સમાચારો મેળવવા માટે ઉમટ્યા.

બપોરના સમયે મુંબઈમાં સરદારશ્રીના નિવાસસ્થાનેથી એમની વિરાટ સ્મશાનયાત્રા નીકળી. નજરે જોનારાઓએ તો એમમ કહ્યું કે મુંબઈમાં આવી સ્મશાનયાત્રા સ્વ. લોકમાન્ય ટિળકની નીકળી હતી. ભારતના આ સિંહપુરુષને શોકાનજળી આપવા વડાપ્રધાન નેહરુ, ડો. રાજેન્દ્રપ્રસાદ, અને કોંગ્રેસના વરિષ્ટ નેતાઓ ચાર્ટર્ડ વિમાનમાં મુંબઈ પહોંચ્યા હતા. સરદારશ્રીની સ્મશાનયાત્રા દરમ્યાન સરદારશ્રીની પુત્રી કુ. મણીબેન પટેલને પોતાની સમીપ લઈ આશ્વાસન આપતા શ્રી નહેરુ, અને ત્યારબાદ વડાપ્રધાનશ્રી એ સરદારશ્રીના પાર્થિવ શરીર પર પુષ્પગુચ્છ પધરાવી દૂર ખસ્યા ત્યાંતો તેમના આસું સારી પડ્યા. શ્રી મોરારજી દેસાઈ એ સમયે મુંબઈ રાજ્યના પંત પ્રધાન હતા અને તેમની રાહબરી હેઠળ લશ્કરી ગાડીમાં, સૌ કોઈ સરદારશ્રીના દર્શન કરી શકે તે રીતે તેમના પાર્થિવ દેહને પધારાવવામાં આવ્યો.

માઉન્ટબેટન સરદાર સાહેબની શક્તિના પ્રશંસક હતા, ગાંધીજી સમક્ષ માઉન્ટબેટને સરદારશ્રીની વહીવટી ક્ષમતા વિષે પોતાનો અભિપ્રાય વ્યક્ત કહેલ કે આઝાદ ભારતને સરદાર સિવાય કોઈ સ્થિર કરી શકે તેમ નથી. દેશી રાજ્યોનું ભારત સંઘમાં જે વિલીનીકરણ થયું એ માટે પણ તેમણે સરદારશ્રીની શક્તિઓને ખુલ્લી રીતે બિરદાવી હતી.

સરદારશ્રીના અંતિમ દિવસો દરમ્યાનના એક પ્રસંગ વિષે એન. વી. ગાડગીલે તેમના પુસ્તક ગવર્ન્મેંટ ઈનસાઈડમાં નોંધ્યુ છે કે એક સમય હતો કે જ્યારે લોકો મુક્તપણે કહેતા હતા કે કેબિનેટ બે જુથો વચ્ચે વિભાજિત થયેલ છેએક જુથ વલ્લભભાઈની આગેવાની હેઠળ અને બીજુ જુથ નહેરૂની આગેવાની હેઠળપરંતુ હકીકતમાં આવા કોઈ જુથો નહોતા. ૧૧ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ સરદાર સાહેબના સચિવ શંકર નો ફોન એન. વી. ગાડગીલ પર આવ્યો અને જણાવ્યું કે સરદાર સાહેબ તેમને મળવા માંગે છે. આથી ૧૨ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ એન. વી. ગાડગીલ સરદાર સાહેબને મળ્યા હતા. મુલાકાત દરમ્યાન સરદાર સાહેબે ગાડગીલને જણાવ્યું કે “હવે હું જઊ છું.” તેમણે હળવી મુસ્કાન સાથે કહ્યું કે “હવે હું વધારે નહી જીવી શકું. તમે મને એક વચન આપો કે હું જે કહીશ તેનું તમે પાલન કરશો.” ગાડગીલે જણાવ્યું કે “પહેલાં મને કહો તો ખરા કે વાત શું છે.” પરંતુ સરદાર સાહેબ મારી સામે જોઈ ને જાણે વિચારતા હોય કે જાણે હું તેમને વચન નહી આપુ આથી તેમણે વચન માટે સતત આગ્રહ રાખ્યો. તેમના દિકરા ડાહ્યાભાઈ આ બધુ દરવાજે ઊભા રહી સાંભળતા હતા. જેવું મે સરદાર સાહેબને વચન આપી તેમની વાત માનવાની હામી ભરી કે તરત તેમણે મારો હાથ તેમના હાથમાં લઈ કહ્યું કે “તમારે નહેરૂ સાથે ગમે તેટલા મતભેદ હોય પરંતુ તમે તેમને છોડશો નહી.” મે તેમને ફરીવાર હા કહ્યુ અને સરદાર સાહેબની જાણે અંતિમ ઈચ્છા હોય તેમ તેઓને જાણે રાહત થઈ તેમ લાગ્યું. અને આખરે ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ તેઓએ આ દુનિયાને અંતિમ વિદાય આપી. તેમના મૃત્યુ બાદ મને જાણવા મળ્યું કે સરદાર પટેલે જગજીવન રામમુંશી,અને બલદેવ સિંહને જણાવ્યું હતુ કે તમે ગાડગીલની સલાહ મુજબ અનુસરજો. આમ આ પ્રસંગથી સમજાય કે સરદારને ગાડગીલ પર કેટલો વિશ્વાસ હશે કે તેમને વચન બધ્ધ કરતાં પહેલાં જગજીવન રામમુંશી,અને બલદેવ સિંહને જણાવેલ કે તેમના બાદ તેઓ ગાડગીળની સલાહ માનજો.

મહારાષ્ટ્રની ફડનવીસ સરકારે આશરે વર્ષ ૨૦૧૫ દરમ્યાન સદા આદરણીય ડો. બાબા સાહેબની શિક્ષા ભૂમિ ઉત્તરી લંડનનું ઘર કે જ્યા સદા આદરણીય ડો. બાબા સાહેબ લંડન સ્કૂલ ઓફ ઈકોનિમિક્સમાં ઉચ્ચ અભ્યાસાર્થે રહ્યા તે ઘર જે ૧૦, કિંગ હેનરી રોડ પર આવેલ છે તે લગભગ રૂ. ૪૦ કરોડમાં ખરીદી લેવામાં આવ્યું. આ સાચે જ હ્રદયપુર્વક સર્વ સ્વીકૃત અને યોગ્ય કાર્ય કે જે આનંદની અનુભુતિ કરાવે તેવું છે. આ એક અદ્ભુત સ્મરણાંજલી કહી શકાય અને આ કાર્ય વર્ષો પહેલાં થવું જોઈએ જે હવે થયું.

ગુજરાત સરકાર પણ સરદાર વલ્લભભાઈ પટેલનું લંડન સ્થિત ૨૩, અલ્ડ્રિજ રોડ, વિલા લાડબ્રોક ગ્રોવ, લંડન ઘર ગુજરાત સરકાર બ્રિટિશ સરકાર પાસેથી ખરીદે, તેમ થાય તો રાષ્ટ્ર હિતમાં કાર્યો કરેલ આ મહાન વિભુતિને એક સ્મરણાંજલી અર્પણ કરી શકાય.




Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

Sardar Patel's Important Role in Borsad Satyagraha

Sardar Patel's Important Role in Borsad Satyagraha

બોરસદ  સત્યાગ્રહમાં સરદાર પટેલની મહત્વની ભૂમિકા - ૧


સરદારશ્રીના જીવન ચરિત્ર માં બોરસદ સત્યાગ્રહ એક મહત્વનો ભાગ ભજવ્યો છે,  આ સત્યાગ્રહ થકી સરદાર શ્રી જાહેર જનતા ને કેવી રીતે પીઠબળ પૂરું પાડ્યું તથા તેમણે બોરસદના લોકોને અંગ્રેજ શાસન સામે લડવાની  હિંમત પણ આપી. આ લડત એટલા માટે વિશેષ છે કારણકે સરદાર શ્રી બોરસદ તાલુકાના આશરે દોઢેક લાખ લોકોને આ લડત લડવા માટે જાગૃત કર્યા.  તથા આ લડત અસહકાર ની પડતી ના સમયે યોજાઇ હતી જે સમયે ગાંધીજી લાંબો જેલવાસ ભોગવી રહ્યા હતા અને મહાસભાના મંચ ઉપર અસહકાર કે ધારાસભા પ્રવેશ એવું સંઘર્ષણ ચાલી રહ્યું હતું. સરકારે આ લડત ને  પ્રજાની વાત સાચી ગણી માન્ય રાખી જે તે સમયની ઘટનામાં અભૂતપૂર્વ કહેવાય!

બોરસદ સત્યાગ્રહનો પ્રારંભ તારીખ ૨ ડિસેમ્બર ૧૯૨૩ના દિવસે થયો.  તથા તેની યશસ્વી પૂર્ણાહુતિ ૧૨ જાન્યુઆરી ૧૯૨૦ના દિવસે ઉજવવામાં આવી. આ લડત ના કારણો પરિસ્થિતિઓ જાણવી ચરોતરના નાગરિકો તથા દેશના નાગરિકો માટે  અગત્યની છે. આ લડત પૂરી થયાના ચારેક માસ પછી બોરસદમાં સાતમી ગુજરાત રાજકીય પરિષદ ભરાઈ. આ પરિષદમાં ગાંધીજી દ્વારા મોકલવામાં આવેલ સંદેશો ખૂબ જ મહત્વનો હતો,  તેમણે કહ્યું કે” બોર્ડ સાથે ગુજરાતને શોભાવ્યું છે. બોરસદ સત્યાગ્રહ કરી, ભોગ ત્યાગ કરી, પોતાની જાતને હિન્દુસ્તાનની સેવા માટે અર્પણ કરી છે. બોરસદ જમીન સાફ કરી; ચણતર કરવાનું બાકી છે ને તે કઠણ છે. તે કામ થઈ રહ્યું છે, કેમ હું જાણું છું.”

બોરસદની આ લડત બાદ આશરે ચારેક વર્ષ પછી બારડોલીનો સુપ્રસિદ્ધ  સત્યાગ્રહ થયો. આ સત્યાગ્રહથી શ્રી વલ્લભભાઈ ને સરદાર તરીકે દેશના ખૂણે ખૂણે લોકો જાણતા થયા તથા તેમનું નામ દેશના નેતાઓની પ્રથમ યાદીઓમાં ધડકવા લાગ્યું. બારડોલી સત્યાગ્રહ વિક્રમ સર્જ્યો તેના બીજ કદાચ બોરસદ સત્યાગ્રહ માં રોપાયા હશે અને આથી જ દેશને સરદાર મળ્યા.  બોરસદ સત્યાગ્રહ આશરે દોઢ માસ સુધી ચાલ્યો, અને આ સત્યાગ્રહનો ખૂબ ટૂંકો ગાળો હતો, જેથી તેને દેશમાં નહીં પરંતુ તે સમયના મુંબઇ રાજ્યમાં પણ પ્રસિદ્ધિ ન મળી. લોકો જાણે સમજે કે બોરસદમાં શું થઈ રહ્યું છે તે પહેલા તો લડત નો સંપૂર્ણ વિજય થયો.આ લડતનો વિજય કેટલો જ્વલંત હતો તે વિશે ગાંધીજીએ નવજીવન માં તારીખ ૬ એપ્રિલ ૧૯૨૪ ના રોજ લખેલ લેખ વાંચવા  જેવો છે. ગાંધીજી એ લખેલ આ લેખના અમુક મહત્વના મુદ્દા દરેક ગુજરાતીઓએ જાણવા જેવા ખરા. ગાંધીજી લેખની શરૂઆતમાં લખેલ કે ગુજરાતના છેલ્લા બે વર્ષના ઇતિહાસ ગુજરાતીને શોભાવે તેવા હતા, જે ગુજરાતને શોભાવે તે હિન્દુસ્તાનને શોભાવે. વલ્લભભાઈની કાર્યદક્ષતા દરેક જગ્યાએ જોઈ શકાય છે અને તેમના જેવા જ તેમના સાથીઓ. બોરસદ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ઘણેઅંશે ચડી જાય તેવી છે.  ખેડા સત્યાગ્રહ ની જીત માન ની હતી, જ્યારે બોરસદ સત્યાગ્રહ માં માન અને અર્થ બંને સચવાયા.

આ લડત પછી વલ્લભભાઈ પટેલ ગુજરાતના સૂબા તરીકે ઓળખાયા. તે સમયે તો બોરસદ તાલુકામાં ડાકુઓ નો ત્રાસ ખૂબ જ વધેલો હતો. સાંજના પાંચ વાગ્યા પછી કોઈ બહાર જવાની હિંમત પણ ન કરે, પરંતુ આ ત્રાસ વધારવામાં સરકારનો પણ એટલો જ હાથ હતો. સરકારે બાબરદેવા નામના ધાડપાડુને પકડવા  અલી નામના ધાડપાડુ ને બંદૂક અને કારતૂસો પૂરા પાડ્યા. અલી ને પોલીસ નું રક્ષણ મળ્યું અને ઉપરથી સરકાર લોકો ઉપર દોષારોપણ કરે કે લોકો બહારવટિયાઓને સંઘરે છે અને તે માટે સરકારી નોકરો ને બાદ કરતા ૧૬ વર્ષથી ઉપરના ભાઈઓ બહેનો પર વેરો નાખી, અને એટલે જ લોકો આ વેરાને હૈડિયાવેરો કહેતા.

મહી સાગરના કાંઠે ઘણા  કોતરો બનેલા છે જેમાં ચોર અને બહારવટિયાઓ લોકોની નજરે આવ્યા વગર સહેલાઇથી સંતાઈ શકતા હતા, આ  કોતરો ના કારણે તેમને પકડવા પણ મુશ્કેલ હતા.જેમ જેમ અંગ્રેજ હકૂમત નો વ્યાપ આ દેશમાં વધતો ગયો તેમ તેમ રાજા રજવાડા અંગ્રેજ રાજ સામે શરણાગતિ સ્વીકારી  લીધી, તથા તેમાંના કેટલાક રાજવીઓએ અંગ્રેજોની આધીનતા સ્વીકારી અને પોતાના રાજપાટ સાચવી લીધા. આના લીધે રાજ રજવાડા માં સિપાઈ કે બીજી અન્ય રોજગાર નું કામ ઓછું થતું ગયું જેનો આંચકો પ્રજાને સહન કરવો પડ્યો.  તથા લોકોનું બીજુ ભરણપોષણના સાધન તરીકે ખેતી હતી, પરંતુ પ્રજા ઘણી ભોળી અને અભણ હોવાના કારણે તથા સિપાઈગીરી કરી હોવાના કારણે કેટલેક અંશે ખર્ચાળ અને આળસુ બની ગયેલા. અને દારૂ તથા અફીણની લતે ચડી ગયેલા જેથી ખેતીનું કામ ભાગ્યે જ સારું હતું પરિણામે દેવું  વધી જતું.


પ્રજાનું સાચું દુઃખ તો આર્થિક  સંકડામણ હતું, અને તેમાં બળતામાં ઘી હોમાતું હોય તેમ અંગ્રેજોનો ક્રિમિનલ ટ્રાઈબ એક્ટ, જેના કારણે બ્રિટિશ સરકારે ખેડા જિલ્લાની આખી ઠાકોર કોમને આ કાયદો લાગુ પડાયો, જેમાં તમામ પુખ્ત વયના લોકો પુરુષો તથા સ્ત્રીઓ બધા જ ને સવાર-સાંજ પોલીસ થાણે હાજરી આપવા જવું પડતું. કોઈ સ્થળે ગુરુઓ કે લૂંટફાટ થઈ હોય તો આ લોકોમાંથી કેટલાય લોકો પર કેસ કરવામાં આવતા. જે લોકો જામીન ન લાવી શકે તેવા નિર્દોષ લોકોને પણ જેલમાં જવાનો  વારો આવતો. આવી હેરાનગતિના કારણે લોકો નાસી છુટતા અને ચોરી તથા લૂંટફાટના રવાડે ચડી જતા.
ક્રમશ:


Sardar Patel, Gandhiji and Aruna Asafali

Sardar Patel, Gandhiji and Aruna Asaf ali

સરદાર પટેલના વિરોધીઓ દ્વારા ફેલાવેલી ગેરસમજ બાબતે સરદાર પટેલે ગાંધીજીને તા. ૨૪ ફેબ્રુઆરી ૧૯૪૬ના રોજ લખેલ એક મહત્વપુર્ણ પત્ર

અરુણા અસફઅલીએ એક એવી આગ લગાવી છે કે જેના કારણે ખુબ મોટો ભડકો થઈ ગયો છે. લગભગ બસો પચાસ લોકોને ગોળીઓ મારી મારી નંખાયા. એક હજારથી પણ વધારે લોકોને પકડી લેવામાં આવ્યા છે. પોલિસ પોતાને નિ:સહાય અનુભવી રહી છે અને એટલે જ તેમની જગ્યાએ સૈનિકોની ટુકડી તૈનાત કરવામાં આવી છે. અચ્યુત પટવર્ધન અને તેમના સાથીઓએ અરુણા અસફઅલીને આગળ રાખ્યા છે. અરુણા અસફઅલીએ જવાહરલાલને તાર મોકલેલ છે અને સમાચાર પત્રો થકી પણ આ તાર જાહેર કરી દીધો છે અને એવો આડકતરો સંદેશો ફેલાવવાની કોશિષ કરવામાં આવેલ છે કે આ પરિસ્થિતિઓમાં ફક્ત જવાહરલાલ એક એવા નેતા છે કે જેઓ તેમની આગેવાની લઈ શકે છે. આવુ અરુણા અસફઅલીને મારા તરફથી સમર્થન ન મળ્યુ તેથી આમ તેઓએ કર્યુ છે.


Aruna Asaf Ali
Aruna Asaf Ali - अरुणा असफ अली - અરુણા અસફ અલી
જવાહરે મને તાર મોકલાવી મને પુછ્યું છે કે શું તેમની ઉપસ્થિતિ જરૂરી હશે અને આવી સ્થિતિમાં બીજા કામ પડતા મુકીને આવી જશે. મેં તેમને ન આવવાની સલાહ આપી છે. તેમ છતાં તેઓ અહીયાં આવી રહ્યા છે. તેમના જવાબી તારમાં મને જણાવ્યુ છે કે તેઓ બહુ બેચેની અનુભવી રહ્યા છે અને તેઓ કાલે બપોર પછી ૩ વાગે પહોચી જશે. એ આવે તે સારુ જ છે પરંતુ તેઓ અરુણા અસફઅલીના તારને કારણે આવે છે જેથી અરુણા અસફઅલી આગને ઔર હવા આપશે અને તેમના અવિવેકી અને ઉતાવળનો વિરોધ નહી કરીએ તો સ્થિતિ બદથી બદતર થઈ જશે. શહેરમાં દુકાનોની સાથે સાથે રાહદારીઓને પણ લુંટવામાં આવ્યા છે. સાર્વજનિક ઈમારતો, થોડા રેલ્વે ક્વાટર્સ અને એક રેલગાડીને આગ લગડવામાં આવી છે. અને આવી પરિસ્થિતિમાં સેનાને બોલાવવી પડે તો તેના માટે દોષ આપવો નિરર્થક છે.


આજે વાતાવરણ શાંત છે અને કાલથી શાંતિ બહાલ કરી શકાય તેમ છે. પરંતુ સેનાને જલ્દી પરત બોલાવી લેવાશે તેની સંભાવના બહુ ઓછી છે. આવા ઝેરી વાતાવરણમાં અંગ્રેજ અને અંગ્રેજી વેશભૂષાને નાપસંદ કરવાની સાથે સાથે તેઓએ વિદ્યાર્થીઓનો ભરપુર ઉપયોગ કર્યો જે ત્રાસદી સમાન છે. જલસેના અને વાયુસેનામાં હડતાલ થવાના કારણે આવા બનાવ બન્યા છે. તેઓ હવે એ સહન નથી કરી શકતા કે તેમના અંગ્રેજ સહકર્મીઓની તુલનામાં તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યુ છે. અને હવે તેઓ પોતાના અંગ્રેજ અધિકારીઓના હાથે અપમાનિત થવાનુ સહન કરી શક્તા નથી.

આપણું કામ કઠિન છે. તેઓ કોંગ્રેસના સમાજવાદીઓની સલાહ પર ધ્યાન નથી આપી રહ્યા. તેઓ તમારુ સન્માન ફક્ત એક સંતના રૂપે કરે છે. પરંતુ તેઓ વાસ્તવમાં તમને એક કંટાળાજનક નેતાના સ્વરુપે જોઈ રહ્યા છે. તેઓ સાર્વજનિક રુપમાં આપણી નિંદા કરતા કહે છે કે તેમનો રસ્તો નિષ્ફળ અને અવ્યવહારિક સાબિત થયો છે. આ વાત વિચાર કરવા જેવી છે કે આપણે આ સ્થિતિનો સામનો કેવી રીતે કરીશુ.



Tribute to Sardar Patel

Tribute to Sardar Patel - 15th December 2018

અતુલ્ય સરદાર

શુક્રવાર તારીખ ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે સરદાર વલ્લભભાઈના દેહાંતના સમાચાર આખા દેશમાં પ્રસરી ગયા હતા. આ સમાચાર જાણી આખો દેશ આઘાતમાં સરી પડ્યો હતો. સરદાર પટેલે ૧૯૧૬-૧૭માં ગાંધીજીના એક અનન્ય સાથી તરીકે રાષ્ટ્રની સેવામાં અને તેમની આઝાદીની લડાઈમાં શામેલ થયા., ત્યારથી વિદેશી હુકુમતોને દેશમાંથી હટાવવા માટે ગાંધીજીની સાથે રહીને તેમણે સત્યાગ્રહની એક એવી આંધી ચલાવી કે આ આંધીએ બ્રિટિશ સરકારના મુળિયા ઉખેડી નાખ્યા. સરદાર પટેલની આજે ૬૮મી પુણ્ય તિથીના દિવસે સરદાર પટેલે લીલાવતીબેન આસરને જે રીતે આશ્વાસન આપેલ તે સાચે જ દરેકે સમજવા લાયક છે. લીલાવતીબેને તા ૧૬-૫-૧૯૪૯ના રોજ સરદાર પટેલને પોતાનું દુ:ખ સરદાર સાહેબ સમક્ષ પત્ર દ્વારા રજુ કરેલ. લીલાવતીબેનને પત્રમાં જણાવેલ કે મારા ભાઈ જેઓ ઘણા લાંબા સમયથી માંદા રહેતા હતા તેઓ આખરે ગુજરી ગયા. મારી છેલ્લી એમ.બી.બી.એસની પરિક્ષાને આગલે દિવસે ગુજરી ગયા. આ અઘાતને સહન કરી પરીક્ષા આપેલ. મારી સફળતાનું જેમને કૌતુક હતુ તેવા ભાઈ સરખા મહાદેવભાઈ પણ ખોયા. મા-બાપ જેવા બા-બાપુને ખોયા. અને હવે બાકી હતુ તે ભાઈએ પુરુ કર્યુ. હવે બાકી શુ રહ્યુ છે? કોને માટે હવે કરુ? જન્મીને દુ:ખ સિવાય કદી કાંઈ જોયુ નથી. બાળપણમાં માતાપિતા ખોયા, બાળવયે વૈધવ્ય, ત્યાર બાદ પૂ. બાપુને ખોળે આવીને પડી. બધાનો પ્રેમ પામીને બધાને ખોયા. ઘર તરફ નજર વાળી તો જે ભાઈ જે મારા જ વિચારોના અને મને ચાહનાર હતા તેને ખોયા. હજી પણ પથ્થરની થઈ જીવું છું.


આ પત્ર બાદ સરદાર સાહેબે તા. ૧૯-૫-૧૯૪૯ના રોજ પત્ર લીલાવતીબેન આસરને પાઠવ્યો તે સાચે જ હિમ્મત આપનારો હતો. સરદાર લખે છે કે.


ચિ. લીલાવતી,


તારો તા. ૧૬મીનો પત્ર મળ્યો. કાગળ દુ:ખ અને વેદનાથી ભરેલો છે. એટલે તારા મનની સ્થિતિ હું સમજી શકુ છુ. બાપુની ખોટ તો સૌને થોડેઘણે અંશે લાગે જ અને તારા જેવીને તો વિશેષ લાગે! પૂ. બાપુએ આપણને શું શીખવ્યું તેનો ખ્યાલ રાખવો જોઈએ અને એમણે જ શીખ્વ્યું તે યાદ રાખીએ તો અનેક સંકટોમાંથી રસ્તો કાઢવાની સુઝ પડે. તારા ઉપર એક પછી એક મુસીબતો આવી પડી. પણ ઈશ્વર મુસીબતોથી જ કસોટી કરે છે ને સોનું જેમ તપે તેમ શુધ્ધ થતું જાય તેમ માણસના મન ઉપર જેમ દુ:ખ પડતુ જાય તેમ ઈશ્વરની નજીક જવાનો પ્રયત્ન કરે ને હિંમત હારે નહીં- તો જ બાપુનો માર્ગ પકડેલો ગણાય.


તારા ભાઈ તો ઘણા વર્ષોથી માંદા હતા અને છેવટના ભાગમાં તો અતિશય દુ:ખી થતા હતા. એટલે તે દુ:ખમાંથી છુટી ગયા. તેને માટે તારે શોક ન કરવો જોઈએ. નાનામોટા સૌને જવાનું તો છે જ અને આ જગતમાં

દુ:ખી થઈને રહેવુને પોતાનું ને પારકાનું ભલુ ન કરી શકાય તેવી સ્થિતિમા બીજાના ઉપર બોજારૂપ થઈને દુ:ખ્માં સડ્યા કરવુ તેના કરતા છુટી જવુ તે જ સારુ ગણાય. બાકી મરણ એ તો મુક્તિનું દ્વાર છે ને બાપુએ આપણને વારંવાર શીખવ્યું છે, તે ભુલવુ ન જોઈએ.


તું આ વખતે હિમ્મત હારી ગઈ તેથી મને દુ:ખ થયુ છે. હજી થોડો વખત વિચાર કરજે ને હવે છેલ્લા એક વરસ માટે ફરીથી હિમ્મત કરીને જો. તુ તારો અભ્યાસ પૂરો કરી શકે તો ઘણું સારુ ગણાય. તારી પ્રતિજ્ઞા પણ પૂરી થશે. (ઉલ્લેખનીય છે કે લીલાવતીબેનને બાપુની સેવા કરવાની ઘણી જ હોશ હતી અને આ જ કારણે તેમણે એમ.બી.બી.એસ. થવાની પ્રતિજ્ઞા લીધી હતી.), અને ભવિષ્યમાં પણ તારે જે કામ કરવાનું છે તેમાં તને સંતોષ રહે. તું આવતે વર્ષે જરૂર પાસ થઈ જઈશ ને પછી નિરાંતે તુ સેવાગ્રામમાં જઈને બાપુના સ્થાનમાં જે કામ કરવાનું છે તે પુરુ કરી શકીશ. તારી જિંદગી ત્યાં સફળ થશે.


તારી ભાભી બહુ ઉદાર દિલની છે. તેણે હિમ્મતથી તને ભણવા માટે રજા આપી તે માટે તેને ધન્યવાદ ઘટે છે. તારી મદદની તો તેને જરૂર પડવાની જ. પણ તેની બહાદુરીમાંથી તારે પણ શીખવાનું છે. હવે તુ તારુ કામ પુરૂ કરી લે ને સેવાગ્રામ જવાની ઉતાવળ ન કર.



તું જાણે છે કે મને પણ ઘણાં વર્ષથી આંતરડાનો રોગ લાગુ પડ્યો છે જે તારા ભાઈને પ્રાણઘાતક નીવડ્યો.
હું સંભાળી સંભાળીને ચલાવી રહ્યો છું અને એ ઉપર વળી હ્રદયનું દરદ પણ થયેલું છે. અહીયા આરામને માટે આવ્યો છું. થોડોઘણો આરામ અહીં મળી શકે છે. બાકી કામનો પાર નથી.


સુશીલાના કાગળો મારા પર આવે છે. તે આ વર્ષની આખર સુધી ત્યાં રહેવાનો વિચાર કરે છે.


તું. હિમ્મત હારતી નહી. અમતુસ્સલામ તેના કામમાં ઊંડી ઉતરી ગયેલી છે. ભારે બહાદુરી બતાવી રહી છે. ભઠ્ઠીમાં પડેલી છે.



તારા સમાચાર લખતી રહેજે.


લિ.
વલ્લભભાઈનાઆશિર્વાદ

સરદાર પટેલ તો મરતાને પણ જીવન જીવવાની હિમ્મત આપતા, આવા સરદાર જેઓ  કહે છે કે મરણ તો મુક્તિનું દ્વાર છે! 

સરદાર પટેલ અમર રહો.

Vallabhbhai Patel on Importance of Faizpur Session

Vallabhbhai Patel on Importance of Faizpur Session


“The Maharashtra Provincial Congress had to work against heavy odds, both nature and some anti-Congress elements in that province putting obstacles in their way, but Faizpur was a tremendous success of the first experiment of the village Congress, and all those who scoffed have been effectively silenced” said Sardar Vallabhbhai Patel, Chairman of the Parliamentary Board, in an interview (1st January 1937), summing up his impression of the Faizpur session.


“Its effect in rural areas in Maharashtra will last for years-- millions of villages have taken active interest in the great national organisation which they had worshiped in the past from a distance and for whose cause they had made tremendous sacrifices. Maharashtra has reasons to be proud of the splendid organising capacity disclosed during the Congress week by a number of willing workers, both men and women, which is an eye opener. That Maharashtra is thoroughly Congress minded has been effectively demonstrated, and I have no doubt that the successful demonstration will be repeated at the polls in February on the polling day.”

Problems after Independence

Problems after Independence


ભારત જ્યારે સ્વતંત્ર થયુ ત્યારે ખરા અર્થમાં તો બ્રિટિશ હકુમતોના પ્રદેશો સ્વતંત્ર બન્યા હતા. ભારતના વિભાજન તથા ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે બ્રિટિશ શાસનમાંથી મુક્તિની મોહર માઉંટબેટને ૩ જુન ૧૯૪૭ના રોજ જાહેર થતાં કરેલ.


મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ અને તે સમયના કોંગ્રેસના પ્રમુખ આચાર્ય જે. બી. કૃપલાણી અને બંધારણ સભાના પ્રમુખ ડો. રાજેંદ્ર પ્રસાદ ભારતના પ્રતિનીધીઓ હતા. સ્વતંત્રતાનો ખરડો જ્યારે જાહેર થયો ત્યારે જ સૌને એક મોટો ઝટકો લાગ્યો અને બ્રિટીશ સરકારે જે રીતે આ ખરડો તૈયાર કરેલ તે મુજબતો ભારત ટુકડાઓમાં વહેચાઈ જાય. આ ખરડા મુજબ બ્રિટિશ પાર્લામેંટૅ બ્રિટીશ તાજે લડાઈ કે કુટનીતી ધ્વારા રજવાડા ઉપર સર્વોપરિત્વ મેળવ્યુ હતુ. અને જ્યારે ભારતને સ્વતંત્રતા આપવાનો સમય આવ્યો ત્યારે રજવાડાના રાજાઓને બ્રિટિશ તાજની વફાદારીના બદલામાં મુક્તિ તથા સર્વભૌમત્વ આપવાનો ઉલ્લેખ હતો.


ભારતને આ રાજ્યો સામે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ તથા આ ખરડા મુજબ ભારત ટુકડાઓમાં વહેચાઈ જાય તેવી યોજના વ્યવસ્થિત રીતે ગોઠવીને રજુ કરેલ હતી. ૧૯૩૫માં ગવર્ન્મેંટ ઓફ ઈંડીયા એક્ટ પસાર થયો. ભારતમાં ૫૫૯ રજવાડા હતા જેમા આશરે ૧૧૮ રજવાડાઓને ૨૧ થી ૯ તોપોની સલામી મેળવવાનું સન્માન ધરાવતા હતા. જેમા હૈદરાબાદ પણ એક હતુ જેનો ૮૨૬૮૯ ચો. માઈલ નો વિસ્તાર હતો. અને ફક્ત ૪૯ ચો. માઈલ ધરાવતું સચીન રાજ્ય પણ હતુ. તોપોની સલામી વિનાના ૪૪૧ નાના મોટા રાજ્યોમાં ૨૩૧ રાજ્યો મુંબઈ પ્રાંતમાં હતા અને લગભગ ૧૮૯ રાજ્યો ઉત્તર ગુજરાત અને કાઠીયાવાડ / સૌરાષ્ટ્રમાં હતા. બાકીના ૧૨૧ રાજ્યો મધ્યપ્રાંત, મધ્ય ભારત, બિહાર, અને ઓરિસ્સામાં હતા.


રજવાડાઓ સિવાય પશ્ચિમ ભારતમાં અસંખ્ય જાગીરદારો પણ હતા. વડોદરા, ગ્વાલિયર, હૈદરાબાદ, કાશ્મીર, મૈસુર, અને સિક્કીમ ભારત સરકાર સાથે રેસીડંટ દ્વારા સીધા સંબંધમાં હતા. સર્વોપરીતાના સિધ્ધાંત મુજબ બ્રિટીશ તાજના પ્રતિનિધી તરીકે વાઈસરોયની આ બધા રાજ્યો ઉપર અબાધિત સત્તા હતી. બ્રિટિશ તાજની સર્વોપરિતાનો અંત આવે એટલે તેની સાથે સાથે રજવાડાઓને બાકીના ભારત સાથે કોઈ બંધારણીય કે કાયદેસરનો સંબંધ ન રહે, તે બધા રાજ્યો સર્વભૌમ રાજ્યો બને.આ રાજ્યોમાં થોડા વારસાગત કુટુંબો દ્વારા શાસિત હતા. ત્રાવણકોર સિવાય ગુહિલપુત્રો અથવા ઘેલોતોનું કુટુંબ મુખ્ય હતું. આ કુટુંબમાંથી જ પ્રતાપગઢ, વાંસવાડા, અને ડુંગરપુરના રાજાઓ આવ્યા હતા. ગુહિલપુત્રો બાપ્પા રાવળના વંશજો હતા અને ગુપ્ત સામ્રાજ્યના વિસર્જન પછી મેવાડને પોતાનું રાજ્ય  બનાવ્યુ. પોતાના રાજ્ય માટે સૈકાઓ સુધી  લડવાનું સન્માન આ બહાદુર ગુહિલપુત્રોને જાય છે. મહારાણા પ્રતાપ પણ આજ કુટુંબના વંશજ હતા.


આર્યવ્રતના મહારાજાધિરાજ તરીકે કન્નોજમાંથી રાજ્ય કરતા પ્રતિહાર ગોત્રના ગુર્જરોના સેનાપતિઓ તરીકે નવમી અને દસમી સદીમાં કામ કરનારાઓએ જયપુર, જોધપુર, જેસલમેર, સિરોહી, બુંદી, કરૌલી, અલ્વર, બિકાનેર, જેવા રાજ્યો સ્થપાયા. આ રાજ્યકર્તાઓ સાથે મળીને સૈકાઓ સુધી તુર્કીઓ, અફઘાનો, અને મોગલોનો સામનો કર્યો હતો. તેઓના વંશ પરંપરાગત ધર્મનું રક્ષણ કરતા અને ટકી રહ્યા હતા.


આ બધા જ રજવાડાઓને એકત્રિત કરવાનું કાર્ય કોઈ કાચાપોચા હ્રદયના વ્યક્તિ માટે તો શક્ય જ નથી. ભારતના ટુકડાઓ થતા અટકાવવા માટે જ કદાચ સરદાર પટેલનો જન્મ થયો હતો. આ કાર્ય એ સમયના કોઈ વ્યક્તિ દ્વારા થઈ ન શકત એવુ મારુ માનવું છે.

Sardar Vallabhbhai Patel and family

Sardar Vallabhbhai Patel and family

સરદારશ્રી સાધનસંપન્ન ઘરમા‌‌‍‍ જન્મ્યા નહોતા. એમના પિતા ઝવેરભાઈ પાસે આશરે કુલ ૧૦ વિઘા જેટલી જમીન હતી. તેની આવકમાંથી મોટા કુટુંબનું ભરણપોષણ થતું. એક રીતે જોઈએ તો માતાપિતા અને સરદાર પટેલ સહિત પાંચ ભાઈઓ અને બહેન ડાહીબા માટે આજે કપરો સમય હતો. અને પિતા ઝવેરભાઈ નું મન તો સંસાર કરતા પરમાર્થ તરફ ઢળેલું અને પચાસ વર્ષ પૂરા થતાં પહેલાં જ તેમણે વાનપ્રસ્થાન જીવન શરૂ કર્યું હતું. સરદાર સાહેબના માતૃશ્રી ભારે સ્નેહાળ, મોટા મનનાં તથા પરગજુ હતા.


આજથી સો વર્ષ પહેલાં ભારતમાંસાક્ષરતા કેટલી હશેતેનો અંદાજો લગાવી શકાય અને કરમસદ તો એક નાનું ગામ ગણાય, એવામાં કરમસદમાં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું અને વિઠ્ઠલભાઈ મામાને ત્યાં નડીયાદ ભણ્યા. ૧૯૪૯માં દીલ્હીના એક બાળકોના વિશેષાંક માટે પોતાના બાલ્ય જીવન બાબતે એક લેખમાં કહેલું કે “મને સ્મરણ છે કે ઠઠ્ઠામશ્કરી કરવમાં કે મોટાઓને પજવવામાં હું કોઈનાથી ઉણો ઊતરુ એવો નહોતો. પરંતુ એ સમયે પણ કંઈક સારુ કરવા માટે જ આવી મસ્તી કરવા પ્રેરાતો. વિદ્યાઅભ્યાસ માટે જેટલી ધગશ હતી તેટલી જ ધગશ રમતમાં હતી. આજે જે હું ઘડાયેલો છું તેનો શ્રેય મારા બાલ્યકાળ ને કેટલો આપુ તે વિષે કહી ન શકું? પરંતુ મારુ શરીર જે રીતે ઘડાયેલ છે તે બાલ્યકાળમાં જેવુ બનેલું તેવુ જ છે. મારુ જીવન ખુલ્લા પુસ્તક જેવુ છે. મને નાનપણ થી ઓળખનારા આજે ગણ્યા ગાંઠયા જ રહ્યા હશે. આજે ૧૯૪૯ના પ્રસાદી વર્ષમાં જીવી રહ્યો છુ તેના કરતા સિત્તેર વર્ષ પહેલા હું જેવો બાળક હતો તે રીતે જીવવાનું વધુ પસંદ કરીશ.


સરદારશ્રીને માતાપિતા પ્રત્યે લાગણી એમના કુટુંબની સંસ્કારીતાને આભારી છે. મહાદેવભાઈ દેસાઈએ તેમની ડાયરીમાં લખેલ કે માતાપિતા વિષે સરદારશ્રી તેમનો પ્રેમ અને ભક્તિભાવ ઘણીવાર વ્યક્ત કરતા. અને દાદીમાં (લાડબાના માતા) પ્રત્યે જે લગાવ હતો તે તો તેમના શબ્દોમાં જાણીએ : “હું જ્યારે નડીયાદમાં રહેતો ત્યારે કોઈક વાર કરમસદ જાઉં, ત્યારે દાદીમા મને નડીયાદ રેલ્વે ક્રોસિંગ ઓળંગાવી થોડેક દુર મુકી આવતા. ત્યારે નડીયાદથી આણંદ રેલ્વે હતી. પરંતુ કરમસદ જવા માટે તેનો ઉપયોગ નહોતા કરતા. ઘેરથી નીકળતી વેળા રસ્તામાં ખાવાનું લેવા બે-ચાર આના ખિસ્સામાં મુકી દે. પરંતુ તે અમે ગાડીભાડામાં ન વાપરી નાખીએ એટલા માટે દાદીમા અમને રેલ્વે ફાટકથી કેટલેક દુર સુધી મુકી જતા.

સરદારશ્રીના પિતા સને ૧૯૧૪માં ૮૫ વર્ષની વયે સ્વર્ગવાસી થયા. તેના એકાદ વર્ષ પહેલા જ સરદારશ્રી વિલાયતથી પરત આવી અમદાવાદમાં વકીલાત શરૂ કરવા માંડી હતી. તેમના પિતા સરદાર્શ્રીમાં થયેલ જીવનપલટાને અને તેમની ઉત્તરોત્તર વધતી યશકિર્તી અને પ્રતિભા જોઈ ન શક્યા. પરંતું આ ભાગ્ય લાડબાને થોડા ઘણાં અંશે મળ્યુ. ૧૯૩૨માં સરદાર સાહેબ જ્યારે ગાંધીજી અને મહાદેવભાઈ સાથે યરવડા જેલમાં હતા તે સમયના અરસામાં લાડબાનું અવસાન થયુ. રાષ્ટ્રભક્તિના જે રંગે સરદાર સાહેબ રંગાયા તેનાથી તો લાડબા પણ વંચિત ન રહ્યા. ૮૦ વર્ષની ઉમરે તેમણે રેંટીયો કાંતતા. લાડબાઈના અવસાન પર કરમસદમાં કંઈક ધર્માદા કામ માટે સરદારશ્રીએ એમની પુણ્યસ્મૃતિમાં ૧૦૦૦.૦૦ પોતાની નજીવી બચતમાંથી મોકલ્યા હતા.


સરદારશ્રીનો મોટા ભાઈઓ પ્રત્યેનો સંબંધ એક આદર્શ હતો. વિઠ્ઠલભાઈ પ્રત્યે તેમના માન અને આદર વિષે આજે કેટલીય વાતો જાણીતી છે. પોતાના ભાઈઓના સુખ ખાતર સરદારશ્રી મોટામાં મોટો ત્યાગ ખચકાયા વગર કરી શકતા. સૌથી મોટા સોમાભાઈ, તે પછી નરસિંહભાઈ પ્રત્યે પણ સરદારશ્રી નો વિઠ્ઠલભાઈ પ્રત્યેની જેમ જ બંધુભાવ હતો. કેટલાક જુના રિવાજો જે સરદારશ્રીને પસંદ નહોતા તે બાબતે પણ તેમણે પોતાના ભાઈઓનું મન સંભાળીને જ સુધારાનું કામ કર્યુ હતુ. નરસિંહભાઈ અને સરદારશ્રી આ બન્ને ભાઈઓએ કુટુંબને ઊંચુ લાવવા હળીમળીને પ્રયત્નો કર્યા હતા અને સરદારશ્રીને રાષ્ટ્રીયતાનો રંગ લાગ્યો ત્યારથી કુટુંબની જવાબદારી નરસિંહભાઈ ઉપર જ આવી. જમીન ખરીદવાની નાની સરખી બાબતે તેમનુ ભેદી રીતે ખૂન થયુ હતુ ત્યારે સરદારશ્રી બારડોલી સત્યાગ્રહના વિજય પછી લોકજાગૃતિ માટે દરેક પ્રાંતમાં ફરી રહ્યા હતા. સરદારશ્રીના શબ્દોમાં મહાદેવભાઈ એ મણીબેનને પત્ર માં લખ્યુ કે “ આ જાહેરજીવનના કારણે ઘર તરફ જરાય ધ્યાન અપાતુ નથી. કેટલાક વર્ષો થયા, ઘરે ગયો જ નથી. સામાન્ય રીતે જમીનની કે કશી તકરાર આટલી હદ સુધી પહોચવાની હોત તો એક દિવસ જઈ આવી અને તકરાર પણ પતાવી આવીએ. અમદાવાદમાં હોત અને ખબર પડત તો પણ જઈ આવત. પણ રોજ રખડતા હોઈએ એટલે શુ થાય? એ ભાઈ જાહેરકામમાં ભાગ લેનાર હતા. શાળાનું મકાન પણ એમણે જ બંધાવેલુ. દાદુભાઈને એમની બહુ મદદ હતી. હવે બધો ભાર કાશીભાઈ ઉપર પડવાનો અને બહુ હેરાન થવાના.”


સરદારશ્રીને તેમના એકમાત્ર સૌથી નાના બહેન ડાહીબા પ્રત્યે સરદારશ્રીને ભારે હેત હતુ. સરદાર વિલાયતમાં હતા તે દિવસોમાં મણીબેનને રજાઓમાં ડાહીબા પાસે જ રહેવાનું કહેતા. યુવાવસ્થામાં જ એમને જીવલેણ રોગ લાગુ પડ્યો હતો. તે વખતે સરદાર અમદાવાદમાં બેરિસ્ટર હતા. પરંતુ તેઓ જીવી શક્યા નહી. આ બહેનના સ્મરણથી સરદારશ્રી ઘણીવાર ભાવુક બની જતા.

Unity - Ekta - Quotes by Sardar Patel

Ekta - Quotes by Sardar Patel


Unity : - The negligence of a few could easily send a ship to the bottom, but it required the whole-hearted co-operation of all on board; she could be safely brought to port.

(Date : 14th May 1928, To villagers of Bardoli Taluka during Bardoli Movement)



एकता : - कुछ लोगो की लापरवाही बडी आसानी से एक बडे जहाज को डुबो सक्ती है, लेकिन सब एक दिल से किये सहयोग से अगर जहाज को चलाया जाए तो उसे सुरक्षित रुपसे बंदरगाह लाया जा सक्ता है।

(दि. : १४ मे १९२८, बोरसद सत्याग्रह के दौरान)

 

એકતા : - થોડા લોકોની લાપરવાહી સરળતાથી એક મોટા જહાજને ડુબાડી શકે છે, પરંતુ બધા એકસાથે ભેગા મળીને સહકારથી જો જહાજ ચલાવવામાં આવે તો તેને આસાનીથી બંદરગાહ સુધી પહોચાડી શકાય છે. (તા : ૧૪ મે ૧૯૨૮, બોરસદ સત્યાગ્રહ દરમ્યાન)
© all rights reserved
SardarPatel.in