Showing posts with label નેહરુ. Show all posts
Showing posts with label નેહરુ. Show all posts

Tribute to Sardar Patel - 15-12-2024 - સરદાર વલ્લભભાઈ પટેલનો દેહાંત

સરદાર વલ્લભભાઈ પટેલનો દેહાંત

૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના દિવસે મુંબઈમાં ભારતના નરશાર્દૂલ સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન ૭૫ વર્ષની ઉંમરે થયું. સરદારના અવસાનના સમાચારે ચોગરદમ જાણે વીજળી પડી હોય તેવું વાતાવરણ થયું હતું. અમદાવાદમાં એ દિવસે લોકોના ટોળેટોળાં કોંગ્રેસ હાઉસ પર સરદાર સાહેબના અવસાનના સમાચારો મેળવવા માટે ઉમટ્યા.

બપોરના સમયે મુંબઈમાં સરદારશ્રીના નિવાસસ્થાનેથી એમની વિરાટ સ્મશાનયાત્રા નીકળી. નજરે જોનારાઓએ તો એમમ કહ્યું કે મુંબઈમાં આવી સ્મશાનયાત્રા સ્વ. લોકમાન્ય ટિળકની નીકળી હતી. ભારતના આ સિંહપુરુષને શોકાનજળી આપવા વડાપ્રધાન નેહરુ, ડો. રાજેન્દ્રપ્રસાદ, અને કોંગ્રેસના વરિષ્ટ નેતાઓ ચાર્ટર્ડ વિમાનમાં મુંબઈ પહોંચ્યા હતા. સરદારશ્રીની સ્મશાનયાત્રા દરમ્યાન સરદારશ્રીની પુત્રી કુ. મણીબેન પટેલને પોતાની સમીપ લઈ આશ્વાસન આપતા શ્રી નહેરુ, અને ત્યારબાદ વડાપ્રધાનશ્રી એ સરદારશ્રીના પાર્થિવ શરીર પર પુષ્પગુચ્છ પધરાવી દૂર ખસ્યા ત્યાંતો તેમના આસું સારી પડ્યા. શ્રી મોરારજી દેસાઈ એ સમયે મુંબઈ રાજ્યના પંત પ્રધાન હતા અને તેમની રાહબરી હેઠળ લશ્કરી ગાડીમાં, સૌ કોઈ સરદારશ્રીના દર્શન કરી શકે તે રીતે તેમના પાર્થિવ દેહને પધારાવવામાં આવ્યો.

માઉન્ટબેટન સરદાર સાહેબની શક્તિના પ્રશંસક હતા, ગાંધીજી સમક્ષ માઉન્ટબેટને સરદારશ્રીની વહીવટી ક્ષમતા વિષે પોતાનો અભિપ્રાય વ્યક્ત કહેલ કે આઝાદ ભારતને સરદાર સિવાય કોઈ સ્થિર કરી શકે તેમ નથી. દેશી રાજ્યોનું ભારત સંઘમાં જે વિલીનીકરણ થયું એ માટે પણ તેમણે સરદારશ્રીની શક્તિઓને ખુલ્લી રીતે બિરદાવી હતી.

સરદારશ્રીના અંતિમ દિવસો દરમ્યાનના એક પ્રસંગ વિષે એન. વી. ગાડગીલે તેમના પુસ્તક ગવર્ન્મેંટ ઈનસાઈડમાં નોંધ્યુ છે કે એક સમય હતો કે જ્યારે લોકો મુક્તપણે કહેતા હતા કે કેબિનેટ બે જુથો વચ્ચે વિભાજિત થયેલ છેએક જુથ વલ્લભભાઈની આગેવાની હેઠળ અને બીજુ જુથ નહેરૂની આગેવાની હેઠળપરંતુ હકીકતમાં આવા કોઈ જુથો નહોતા. ૧૧ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ સરદાર સાહેબના સચિવ શંકર નો ફોન એન. વી. ગાડગીલ પર આવ્યો અને જણાવ્યું કે સરદાર સાહેબ તેમને મળવા માંગે છે. આથી ૧૨ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ એન. વી. ગાડગીલ સરદાર સાહેબને મળ્યા હતા. મુલાકાત દરમ્યાન સરદાર સાહેબે ગાડગીલને જણાવ્યું કે “હવે હું જઊ છું.” તેમણે હળવી મુસ્કાન સાથે કહ્યું કે “હવે હું વધારે નહી જીવી શકું. તમે મને એક વચન આપો કે હું જે કહીશ તેનું તમે પાલન કરશો.” ગાડગીલે જણાવ્યું કે “પહેલાં મને કહો તો ખરા કે વાત શું છે.” પરંતુ સરદાર સાહેબ મારી સામે જોઈ ને જાણે વિચારતા હોય કે જાણે હું તેમને વચન નહી આપુ આથી તેમણે વચન માટે સતત આગ્રહ રાખ્યો. તેમના દિકરા ડાહ્યાભાઈ આ બધુ દરવાજે ઊભા રહી સાંભળતા હતા. જેવું મે સરદાર સાહેબને વચન આપી તેમની વાત માનવાની હામી ભરી કે તરત તેમણે મારો હાથ તેમના હાથમાં લઈ કહ્યું કે “તમારે નહેરૂ સાથે ગમે તેટલા મતભેદ હોય પરંતુ તમે તેમને છોડશો નહી.” મે તેમને ફરીવાર હા કહ્યુ અને સરદાર સાહેબની જાણે અંતિમ ઈચ્છા હોય તેમ તેઓને જાણે રાહત થઈ તેમ લાગ્યું. અને આખરે ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ તેઓએ આ દુનિયાને અંતિમ વિદાય આપી. તેમના મૃત્યુ બાદ મને જાણવા મળ્યું કે સરદાર પટેલે જગજીવન રામમુંશી,અને બલદેવ સિંહને જણાવ્યું હતુ કે તમે ગાડગીલની સલાહ મુજબ અનુસરજો. આમ આ પ્રસંગથી સમજાય કે સરદારને ગાડગીલ પર કેટલો વિશ્વાસ હશે કે તેમને વચન બધ્ધ કરતાં પહેલાં જગજીવન રામમુંશી,અને બલદેવ સિંહને જણાવેલ કે તેમના બાદ તેઓ ગાડગીળની સલાહ માનજો.

મહારાષ્ટ્રની ફડનવીસ સરકારે આશરે વર્ષ ૨૦૧૫ દરમ્યાન સદા આદરણીય ડો. બાબા સાહેબની શિક્ષા ભૂમિ ઉત્તરી લંડનનું ઘર કે જ્યા સદા આદરણીય ડો. બાબા સાહેબ લંડન સ્કૂલ ઓફ ઈકોનિમિક્સમાં ઉચ્ચ અભ્યાસાર્થે રહ્યા તે ઘર જે ૧૦, કિંગ હેનરી રોડ પર આવેલ છે તે લગભગ રૂ. ૪૦ કરોડમાં ખરીદી લેવામાં આવ્યું. આ સાચે જ હ્રદયપુર્વક સર્વ સ્વીકૃત અને યોગ્ય કાર્ય કે જે આનંદની અનુભુતિ કરાવે તેવું છે. આ એક અદ્ભુત સ્મરણાંજલી કહી શકાય અને આ કાર્ય વર્ષો પહેલાં થવું જોઈએ જે હવે થયું.

ગુજરાત સરકાર પણ સરદાર વલ્લભભાઈ પટેલનું લંડન સ્થિત ૨૩, અલ્ડ્રિજ રોડ, વિલા લાડબ્રોક ગ્રોવ, લંડન ઘર ગુજરાત સરકાર બ્રિટિશ સરકાર પાસેથી ખરીદે, તેમ થાય તો રાષ્ટ્ર હિતમાં કાર્યો કરેલ આ મહાન વિભુતિને એક સ્મરણાંજલી અર્પણ કરી શકાય.




Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

Children's Day - Jawaharlal Nehru's Birthday

Children's Day - Jawaharlal Nehru's Birthday

 HAPPY BIRTHDAY JAWAHARLAL NEHRU

પંડિત જવાહરલાલ નહેરુ રાજનિતિજ્ઞો તથા રાષ્ટ્રનિર્માતાઓમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે. વિશ્વની રાજનીતિમાં વ્યક્તિઓને એટલા માટે મહત્વ પ્રાપ્ત થાય છે કારણકે જે દેશોનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે તે દેશોનું પ્રભુત્વ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં હોય છે. ગાંધીજીના ભાવનાત્મક માનવવાદનું તેમણે સ્પષ્ટ નિરુપણ કર્યું અને ગાંધીવાદને એક નવો આકાર આપ્યો. ભારતીય રાજનીતિમાં જે રીતે ગાંધીના ઉદ્ભવથી એક નવો યુગ શરૂ થયોતેવી જ રીતે નહેરૂનું આગમન એક નવા સમયનો સંકેત કરે છે. ગાંધીજી દ્વારા પ્રસ્તાવિત સમાજ દર્શનને નહેરૂએ નવો રંગ આપ્યોગાંધી વિચારધારાને તેમણે સમાજવાદી રૂપ આપ્યું. 

સરદારે જવાહરને ફક્ત નેતા તરીકે જ સ્વીકાર્યા નહોતાબલ્કે અણીના વખતે તેઓ હરહંમેશ એમની પડખે ઉભા રહેતા. અપ્રિલ ૧૯૫૦માં જ્યારે નહેરુ-લિયાકત કરાર વખતે જે મદદ સરદારે કરી તે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. નહેરુ અને સરદાર વચ્ચે મતભેદો હતા પરંતુ તે ક્યારેય રાજકીય દુશ્મનાવટમાં પરિવર્તિત નહોતા થયા. સરદારે ગૃહમંત્રી પદે જેટલી મદદ નહેરુ ને કરી છે તે જ આ વાત સાબિત કરે છે કે નહેરુને સરદારની જરૂર હંમેશા રહી હતી.

સરદાર પટેલે અંતિમ શ્વાસ લીધો તેના આશરે ૨-૩ દિવસ પહેલાં તેમના પ્રધાનમંડળના સાથી અને ટેકેદાર ડો. ગાડગીલ મળવા આવ્યા, ડો. ગાડગીલ સરદાર અને જવાહરલાલ નહેરુ સાથેના સંઘર્ષમાં હંમેશા સરદાર પટેલ સાથે રહ્યા અને સરદારના પ્રખર ટેકેદાર જ્યારે સરદારને મળ્યાં અને તેમના ખબર અંતર પુછ્યાં ત્યારે સરદારે તેમને કહ્યું 
ગાડગીલ તમારી જવાબદારીઓ હવે વધી જશે, મારી ગેરહાજરીમાં જવાહરલાલ સાથે તમે હંમેશા રહેજો.
આવું અણધાર્યુ સરદાર પટેલનું કથન સાંભળી તેઓથી કાંઈ બોલાયુ જ નહી અને ગાડગીલ પણ નહેરુ પ્રત્યે સરદારની લાગણી સમજી ન શક્યા.

જ્યાં સુધી સરદાર પટેલ વિશે આછું કે નહીવત્ત જાણતો હતો ત્યાં સુધી તો હું પણ માનતો કે સરદાર ને અન્યાય થયો અને તેમને પ્રધાનમંત્રી પદથી વંચિત રાખ્યા. જેમ જેમ સરદાર પટેલ વિશે જાણતો થયો તેમ તેમ તેમની ખુદ્દારીરાષ્ટ્રપ્રેમની ભાવના અને નિડરતા જોઈને એક સવાલ થયો કે શું સરદાર અન્યાય સહન કરે તેવા વ્યક્તિ હતાંસરદારને અન્યાય થયો છે તેમ કહી જાણે અજાણે આપણે જ સરદારને અન્યાય કરીએ છીએ. સરદાર સાથે ન્યાય અને અન્યાય થયો તેનું વિષ્લેશણ કરનાર આપણે કોણન તો તે સમયે આપણે હાજર હતા અને તે સમયે સરદારના મનમાં શું ચાલતું હતુ તે જાણતા નથી તો આપણે કેવી રીતે અનુમાન લગાવી શકીએ. જો સરદારને એવુ લાગ્યુ હોય કે પોતાને અન્યાય થયો તો તેમણે કે કુ. મણીબેને તો ક્યારેક આ બાબતે ઉલ્લેખ કર્યો જ હોત. સરદારને ગાંધીજીનો કોઈ નિર્ણય ન ગમે તો તેઓ ગાંધીજીને પોતાનો ગમો-અણગમો દર્શાવતા પરંતુ પ્રધાન મંત્રી બાબતે ક્યારેય આ વાતનો ઉલ્લેખ કર્યો નથી કે ક્યાય નોંધાયો પણ નથી. વર્ષ ૧૯૪૭ના અંતમાં લોકતંત્રના વહીવટી કાર્યક્ષેત્રોમાં જ્યારે સરદાર અને જવાહરલાલ વચ્ચે મતભેદો ઉભા થયા ત્યારે બન્ને અવારનવાર ગાંધીજી સાથે રજુઆત કરતા. સરદારશ્રી સાથે ગાંધીજીએ વાત કરતા એક સમયે તો ગાંધીજીએ સરદારશ્રીને કહ્યું હતું કે
તમારી આજની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠાનો ખ્યાલ કરતા મને લાગે છે કે તમારે પ્રધાનમંત્રી પદનો સ્વીકાર કરવો જોઈએ!
 આ પ્રસંગનીતો મણીબેને પણ નોંધ લીધેલ.ત્યારે સરદારે ગાંધીજીને જણાવ્યું કે
પ્રધાનમંત્રી તો જવાહર જ રહે. માત્ર મને રાજકાજથી મુક્ત કરો એટલું જ પ્રાર્થુ છું. જો હું આ પદ સ્વીકારુ તો જે લોકો મારી સામે અવળી વાતો ફેલાવી રહ્યા છે તેમની વાતોને પણ નાહકની પુષ્ટિ મળશે.
કોંગ્રેસ સંગઠનમાં સૌથી કાર્યકુશળ અને પ્રભાવી વ્યક્તિ તરીકે પ્રધાનમંત્રી બનવું સરદાર માટે તો જરાય અઘરું નહોતુ. ગાંધી કહે તે પ્રમાણે વર્તવું એવો ધર્મ પોતાના અંગત જીવનમાં સદાય પાળ્યો હતો. (મણીબેનની ડાયરીમાંથી - સરદાર પટેલની જન્મ શતાબ્દી ગ્રંથમાળામાં પણ ઉલ્લેખ કરેલ છે.)

ચંદ્ર ભાનુ ગુપ્તાને (૧૯૧૬થી કોંગ્રેસના નેતા તથા યુ. પી.ના મુખ્ય મંત્રી)  શ્યામલાલ મનચંદા એક પત્રકારે જ્યારે પુછ્યુ કે તમે જવાહરલાલ નહેરુને તે સમયના બીજા નેતાઓ સાથે કેવી રીતે સરખામણી કરી શકો ઉદા. તરીકે ગાંધીજીસરદાર પટેલરાજેંદ્રબાબુ તથા અન્ય.

ચંદ્ર ભાનુ ગુપ્તાએ જવાબ આપ્યો કે 
રાજેંદ્ર બાબુસરદાર પટેલ અને નહેરુજી આપણા રાષ્ટ્રીય ઈતિહાસમાં પોત પોતાની જ્ગ્યાએ પોતાનું મહ્ત્વપુર્ણ સ્થાન પર છે. જ્યાં જવાહરલાલને નવયુવકો ને જોશ આપ્યો હતોનવયુવકોને પ્રેરણા પ્રદાન કરીપ્રોત્સાહન આપ્યુત્યા ગાંધીજીની એ દરેક પ્રવૃત્તિઓ કે જે દેશની રાજનીતિને એક નવુ સ્વરુપ પ્રદાન કર્યુ. રાજેંદ્રબાબુએ અને સરદાર પટેલે દેશમાં આ પ્રવૃત્તિઓને ફેલાવવાનું કાર્ય કર્યુ. જવાહરલાલ આદર્શવાદી હતા. જ્યારે સરદાર પટેલ વ્યવહારિક હતાપટેલ દરેક ચીજને વ્યવહારિકતાની કસોટીથી તોલતા. 
સાથે સાથે મનચંદાએ ગુપ્તાજીને પ્રશ્ન કર્યો કે ઓલ ઈંડિયા કમીટીના મોટાભાગના સભ્યોની રાય હતી કે સરદાર પટેલ પ્રધાનમંત્રી બને પરંતુ ગાંધીજીએ નહેરુને પોતાના રાજનૈતિક વારિસ ઘોષિત કર્યા હતા અને તેમને જ પ્રધાનમંત્રી બનાવવા પડ્યા. આ બાબતે વધુ આપનાથી જાણવું છે.

ગુપ્તાજીએ જણાવ્યુ કે
અંદરની વાત તો હું નથી જાણતો પરંતુ હું એક વાત અવશ્ય જાણું છુ કે જયાં સુધી કોંગ્રેસ સંગઠનનો સંબંધ છે તો મોટાભાગે સંગઠનના સભ્યો સરદાર પટેલ સાથે સંબંધ રાખતા હતા પરંતુ ગાંધીજી દૂરદર્શી વ્યક્તિ હતા અને તે કાલે દેશમાં શુ થવુ જોઈએ અને દેશને કઈ દિશાઓ પકડવી જોઈએ તે તેઓ ખુબ સારી રીતે જાણતા હતા. તેઓ એ પણ જાણતા હતા કે જવાહરલાલ યુવકોને વધુ સાંત્વના આપી શકશેતેમના આદર્શોની પૂર્તિ કરી શકશે અને તેમના વિશ્વાસને દેશમાં ફેલાવવામાં સમર્થન પ્રાપ્ત થઈ શકશે. આ સાથે સાથે તેમના બન્ને વચ્ચેની ઉંમરને પણ ધ્યાનમાં રાખી કદાચ નિર્ણય લીધો હશે કે દેશના ભવિષ્યના નિર્માતાજેઓ પ્રધાનમંત્રી બનશેતેઓ પંડિત જવાહરલાલ નહેરુ જ હોવા જોઈએ.
એક વાત તો સ્વીકારવી જ રહી કે પંડિત જવાહરલાલ નહેરુએ વિશ્વની કેટલીક જટીલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને આ કોઈ સામાન્ય વાત નથી કે આવી સમસ્યાઓ હોવા છતાં ભારતમાં શાંતિ અને વ્યવ્સ્થા કાયમ રાખી અને આંતરાષ્ટ્રીય જગતમાં ભારતની પ્રતિષ્ઠા વધતી રહી. 
© all rights reserved
SardarPatel.in