Sardar Patel’s Important Role in Borsad Satyagraha-2
બોરસદ સત્યાગ્રહ માં સરદાર પટેલની ભૂમિકા ભાગ-૨
સપ્ટેમ્બરના અંતમાં જેવા સરદાર પટેલ અમદાવાદ પહોંચ્યા કે તરત બોરસદના લોકો પોલીસ થી થતી કનડગત અને દંડના અનેક પ્રશ્નો લઈને તેમની પાસે આવ્યા. સરદાર પટેલે આખી વિગત નો તાગ મેળવી, આખી પરિસ્થિતિ વિશે વિચાર-વિમર્શ કરવા ૨૦ ઓક્ટોબર ૧૯૨૩ ના દિવસે ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક બોલાવી. આ બેઠક પણ નક્કી થયું કે બોરસદના ગામડાઓની તપાસ શ્રી મોહનલાલ પંડ્યા અને શ્રી રવિશંકર મહારાજ કરશે. મોહનલાલ પંડયા અને રવિશંકર મહારાજ બંને ગામડાઓના ભોમિયા આથી તેઓ સરળતાથી પરિસ્થિતિ નો રિપોર્ટ ગુજરાત પ્રાંતિક સમિતિ આગળ રાખ્યો સાથે સાથે સરદાર પટેલે પણ આ બાબતે સરકાર નું શું અભિગમ છે તથા સરકાર ના અમલદારો આ બાબતે શું કરી રહ્યા છે તેની માહિતી મેળવી.બોરસદની પ્રજાએ જે ફરિયાદો સરકાર ને લગતી કરેલી તે સાચી પડી અને પ્રજા ને જે કનડગત થઈ રહી છે તે સાચી છે. હવે આ અન્યાય સામે લડવા લોકો કેટલા તૈયાર છે તે સમજવાનું હતું આ માટે ૨જી ડિસેમ્બર ૧૯૩૦ ના દિવસે બોરસદમાં જ બોરસદ તાલુકા પરિષદ બોલાવવામાં આવી. અને તેના આગલા દિવસે ગુજરાત પ્રાંતિક સમિતિની ખાસ બેઠક પણ ત્યાં જ રાખી, બેઠકમાં સરદાર પટેલ દ્વારા રવિશંકર મહારાજ અને મોહનલાલ પંડ્યા ને તેમના દ્વારા સોંપાયેલ રિપોર્ટ વિશે અનેક પ્રશ્નો પૂછ્યા, રવિશંકર મહારાજ આ પહેલા સરદાર પટેલ ના સંપર્ક માં બહુ ઓછા આવેલા હતા જેથી તેમને થોડું માઠુ પણ લાગ્યું, બંનેને અંદરખાને એવું લાગવા માંડ્યું ગામેગામ ફરીને જે રિપોર્ટ બનાવ્યો તેને શંકાની દૃષ્ટિએ જોવામાં આવી રહ્યો છે અને મોહનલાલ પંડ્યા એ તો કહી પણ દીધું કે વલ્લભભાઈ સાથે એમનાથી ભવિષ્યમાં કોઈ પણ કામ નહીં બને.વલ્લભભાઈએ જે પ્રશ્નો ઉલટ તપાસ માટે પુછેલ તેનું એક જ કારણ હતુ કે દરેક વાત ઝીણવટથી સમજવી અને પ્રજાનો પક્ષ માત્ર સાચો છે તેમ માની લઈને આગળ વધતા પહેલાં જાતખરાઈ કરવી એ વલ્લભભાઈનો જાણે કે નિયમ છે.ગાંધીજીના શબ્દોમાં કહીએ તો "સત્યને અનુસરવું હોય તો હંમેશા સાવધ રહેવું."પ્રાંતિક સમિતિની બેઠકમાં વલ્લભભાઈએ જે ભાષણ કર્યુ તે સાંભળીને રવિશંકર મહારાજ કે જેઓ વલ્લભભાઈથી અંતર રાખવાનું મન મક્કમ બનાવી બેઠા હતા તેઓ આ ભાષણથી એવા તો પ્રભાવિત થયા કે તેઓનું મનદુ:ખ દુર થવાની સાથે સાથે તેઓ વલ્લભભાઈના ચાહક બની ગયા. તેમના ભાષણમાં રવિશંકર મહારાજ અને મોહનલાલ પંડ્યાએ જે રીપોર્ટ આપેલ તે બાબતે પ્રશંસા કરી અને તેમાં ખાસ વિગતો ટાંકી પ્રાંતિક સમિતિ વતી ઠરાવ પણ લખી નાખ્યો.ગુજરાત પ્રાંતિક સમિતિએ તા. ૦૧-૧૨-૧૯૨૩ ના રોજ જે કરેલ તેનાથી તો સમજમાં તરત આવી જાય કે જાણે વલ્લભભાઈ પટેલના મનમાં "પાર્થને કહો ચડાવે બાણ" જેવી ઉક્તિ રમતી હશે. આ ઠરાવમાં તો જાણે પ્રારંભિક લડાઈ શરુ થઈ હોય તેમ લાગે છે.તા. ૦૧-૧૨-૧૯૨૩ નો ભાષણ :ભાઈઓ તથા બહેનો,આવતી કાલે જે પરિષદ થવાની છે તેનો ઉદ્દેશ શુ છે તે આજની રાતે જ વિચારીને રાખજો, પ્રશ્ન ખુબજ ગંભીર છે અને ધારાસભા ભરાશે અને ત્યાં તમારી સમસ્યાનો નિકાલ આવશે તેવી રાહ જોવે હવે પાલવે તેમ નથી. ધારાસભા તો હજુ ફેબ્રુઆરીમાં ભરાશે, તમે લુંટારાઓની સોબતમાં છો અને બહારવટીયાઓની મદદ કરો છો તેવું જુઠ્ઠાણું ચલાવીને તમારી ઉપર ૨,૪૦,૦૦૦૦નો દંડ લાધ્યો છે. આજ સુધીતો તમને બે ચાર બહારવટીયાઓનો ત્રાસ હતો અને તેમણે ઘણી લુંટ પણ ચલાવી. પોલીસ પણ ગામેગામ તુટી પડી. એ બહારવટીયાઓ તો પૈસા જ લુંટી જતા. આ નવા બહારવટીયાઓ (અંગ્રેજ સરકાર) તો કહે કે અમારે ત્યાં આવીને પૈસા આપી જાવ અને અધુરામાં પુરુ કહે કે તમે લોકો બહારવટીયાઓની મદદ કરો છો. એક ત્રાસ છોડાવતા બીજો ત્રાસ આવ્યો.દરબાર ગોપાળદાસને માન આપી તમે આજ સુધી દંડ નથી આપ્યો, હવે દંડ ભરવો કે નહી તે આવતી કાલે વિચારવાનું છે પરંતુ આજે રાતે એક નિશ્ચય કરવાનો છે આમાં પાખંડ નહી ચાલે, આ કાંઈ આર્થિક લાભ માટે નહી પરંતુ સ્વમાન માટે કરવાનું છે, ફરી કોઈ તમન બહારવટીયાઓના મદદગાર ન કહે તેના માટે કરવાનું છે. સાચા માણસ હોવ તો દંડ નહી ભરવાનો નિશ્ચય કરજો.આ લડત બોરસદમાં જ શરુ થાય અને બોરસદના લોકો જ પાછા પડે તો બધા જ પાછા પડશે, સરકારના ચોપડે લખાયુ છે કે બોરસદની પ્રજા ડરપોક છે, કાયર છે, બાયલા છે, ચોરીનો માલ રાખનાર છે, આ બધુ જ ભુસી નાખવા પણ લડતનો નિશ્ચય કરવો પડશે. ક્રમશ:
Showing posts with label બોરસદ સત્યાગ્રહ. Show all posts
Showing posts with label બોરસદ સત્યાગ્રહ. Show all posts
sardar patel
બોરસદ સત્યાગ્રહ
રવિશંકર મહારાજ
સરદાર પટેલ
Sardar Patel’s ImportantRole in Borsad Satyagraha-2
borsad satyagraha
બોરસદ સત્યાગ્રહ
વિઠ્ઠલભાઈ પટેલ
સરદાર પટેલ
સરદાર વલ્લભભાઈ પટેલ
Sardar Patel's Important Role in Borsad Satyagraha
Sardar Patel's Important Role in Borsad Satyagraha
બોરસદ સત્યાગ્રહમાં સરદાર પટેલની મહત્વની ભૂમિકા - ૧
સરદારશ્રીના જીવન ચરિત્ર માં બોરસદ સત્યાગ્રહ એક મહત્વનો ભાગ ભજવ્યો છે, આ સત્યાગ્રહ થકી સરદાર શ્રી જાહેર જનતા ને કેવી રીતે પીઠબળ પૂરું પાડ્યું તથા તેમણે બોરસદના લોકોને અંગ્રેજ શાસન સામે લડવાની હિંમત પણ આપી. આ લડત એટલા માટે વિશેષ છે કારણકે સરદાર શ્રી બોરસદ તાલુકાના આશરે દોઢેક લાખ લોકોને આ લડત લડવા માટે જાગૃત કર્યા. તથા આ લડત અસહકાર ની પડતી ના સમયે યોજાઇ હતી જે સમયે ગાંધીજી લાંબો જેલવાસ ભોગવી રહ્યા હતા અને મહાસભાના મંચ ઉપર અસહકાર કે ધારાસભા પ્રવેશ એવું સંઘર્ષણ ચાલી રહ્યું હતું. સરકારે આ લડત ને પ્રજાની વાત સાચી ગણી માન્ય રાખી જે તે સમયની ઘટનામાં અભૂતપૂર્વ કહેવાય!
બોરસદ સત્યાગ્રહનો પ્રારંભ તારીખ ૨ ડિસેમ્બર ૧૯૨૩ના દિવસે થયો. તથા તેની યશસ્વી પૂર્ણાહુતિ ૧૨ જાન્યુઆરી ૧૯૨૦ના દિવસે ઉજવવામાં આવી. આ લડત ના કારણો પરિસ્થિતિઓ જાણવી ચરોતરના નાગરિકો તથા દેશના નાગરિકો માટે અગત્યની છે. આ લડત પૂરી થયાના ચારેક માસ પછી બોરસદમાં સાતમી ગુજરાત રાજકીય પરિષદ ભરાઈ. આ પરિષદમાં ગાંધીજી દ્વારા મોકલવામાં આવેલ સંદેશો ખૂબ જ મહત્વનો હતો, તેમણે કહ્યું કે” બોર્ડ સાથે ગુજરાતને શોભાવ્યું છે. બોરસદ સત્યાગ્રહ કરી, ભોગ ત્યાગ કરી, પોતાની જાતને હિન્દુસ્તાનની સેવા માટે અર્પણ કરી છે. બોરસદ જમીન સાફ કરી; ચણતર કરવાનું બાકી છે ને તે કઠણ છે. તે કામ થઈ રહ્યું છે, કેમ હું જાણું છું.”
બોરસદની આ લડત બાદ આશરે ચારેક વર્ષ પછી બારડોલીનો સુપ્રસિદ્ધ સત્યાગ્રહ થયો. આ સત્યાગ્રહથી શ્રી વલ્લભભાઈ ને સરદાર તરીકે દેશના ખૂણે ખૂણે લોકો જાણતા થયા તથા તેમનું નામ દેશના નેતાઓની પ્રથમ યાદીઓમાં ધડકવા લાગ્યું. બારડોલી સત્યાગ્રહ વિક્રમ સર્જ્યો તેના બીજ કદાચ બોરસદ સત્યાગ્રહ માં રોપાયા હશે અને આથી જ દેશને સરદાર મળ્યા. બોરસદ સત્યાગ્રહ આશરે દોઢ માસ સુધી ચાલ્યો, અને આ સત્યાગ્રહનો ખૂબ ટૂંકો ગાળો હતો, જેથી તેને દેશમાં નહીં પરંતુ તે સમયના મુંબઇ રાજ્યમાં પણ પ્રસિદ્ધિ ન મળી. લોકો જાણે સમજે કે બોરસદમાં શું થઈ રહ્યું છે તે પહેલા તો લડત નો સંપૂર્ણ વિજય થયો.આ લડતનો વિજય કેટલો જ્વલંત હતો તે વિશે ગાંધીજીએ નવજીવન માં તારીખ ૬ એપ્રિલ ૧૯૨૪ ના રોજ લખેલ લેખ વાંચવા જેવો છે. ગાંધીજી એ લખેલ આ લેખના અમુક મહત્વના મુદ્દા દરેક ગુજરાતીઓએ જાણવા જેવા ખરા. ગાંધીજી લેખની શરૂઆતમાં લખેલ કે ગુજરાતના છેલ્લા બે વર્ષના ઇતિહાસ ગુજરાતીને શોભાવે તેવા હતા, જે ગુજરાતને શોભાવે તે હિન્દુસ્તાનને શોભાવે. વલ્લભભાઈની કાર્યદક્ષતા દરેક જગ્યાએ જોઈ શકાય છે અને તેમના જેવા જ તેમના સાથીઓ. બોરસદ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ઘણેઅંશે ચડી જાય તેવી છે. ખેડા સત્યાગ્રહ ની જીત માન ની હતી, જ્યારે બોરસદ સત્યાગ્રહ માં માન અને અર્થ બંને સચવાયા.
આ લડત પછી વલ્લભભાઈ પટેલ ગુજરાતના સૂબા તરીકે ઓળખાયા. તે સમયે તો બોરસદ તાલુકામાં ડાકુઓ નો ત્રાસ ખૂબ જ વધેલો હતો. સાંજના પાંચ વાગ્યા પછી કોઈ બહાર જવાની હિંમત પણ ન કરે, પરંતુ આ ત્રાસ વધારવામાં સરકારનો પણ એટલો જ હાથ હતો. સરકારે બાબરદેવા નામના ધાડપાડુને પકડવા અલી નામના ધાડપાડુ ને બંદૂક અને કારતૂસો પૂરા પાડ્યા. અલી ને પોલીસ નું રક્ષણ મળ્યું અને ઉપરથી સરકાર લોકો ઉપર દોષારોપણ કરે કે લોકો બહારવટિયાઓને સંઘરે છે અને તે માટે સરકારી નોકરો ને બાદ કરતા ૧૬ વર્ષથી ઉપરના ભાઈઓ બહેનો પર વેરો નાખી, અને એટલે જ લોકો આ વેરાને હૈડિયાવેરો કહેતા.
મહી સાગરના કાંઠે ઘણા કોતરો બનેલા છે જેમાં ચોર અને બહારવટિયાઓ લોકોની નજરે આવ્યા વગર સહેલાઇથી સંતાઈ શકતા હતા, આ કોતરો ના કારણે તેમને પકડવા પણ મુશ્કેલ હતા.જેમ જેમ અંગ્રેજ હકૂમત નો વ્યાપ આ દેશમાં વધતો ગયો તેમ તેમ રાજા રજવાડા અંગ્રેજ રાજ સામે શરણાગતિ સ્વીકારી લીધી, તથા તેમાંના કેટલાક રાજવીઓએ અંગ્રેજોની આધીનતા સ્વીકારી અને પોતાના રાજપાટ સાચવી લીધા. આના લીધે રાજ રજવાડા માં સિપાઈ કે બીજી અન્ય રોજગાર નું કામ ઓછું થતું ગયું જેનો આંચકો પ્રજાને સહન કરવો પડ્યો. તથા લોકોનું બીજુ ભરણપોષણના સાધન તરીકે ખેતી હતી, પરંતુ પ્રજા ઘણી ભોળી અને અભણ હોવાના કારણે તથા સિપાઈગીરી કરી હોવાના કારણે કેટલેક અંશે ખર્ચાળ અને આળસુ બની ગયેલા. અને દારૂ તથા અફીણની લતે ચડી ગયેલા જેથી ખેતીનું કામ ભાગ્યે જ સારું હતું પરિણામે દેવું વધી જતું.
પ્રજાનું સાચું દુઃખ તો આર્થિક સંકડામણ હતું, અને તેમાં બળતામાં ઘી હોમાતું હોય તેમ અંગ્રેજોનો ક્રિમિનલ ટ્રાઈબ એક્ટ, જેના કારણે બ્રિટિશ સરકારે ખેડા જિલ્લાની આખી ઠાકોર કોમને આ કાયદો લાગુ પડાયો, જેમાં તમામ પુખ્ત વયના લોકો પુરુષો તથા સ્ત્રીઓ બધા જ ને સવાર-સાંજ પોલીસ થાણે હાજરી આપવા જવું પડતું. કોઈ સ્થળે ગુરુઓ કે લૂંટફાટ થઈ હોય તો આ લોકોમાંથી કેટલાય લોકો પર કેસ કરવામાં આવતા. જે લોકો જામીન ન લાવી શકે તેવા નિર્દોષ લોકોને પણ જેલમાં જવાનો વારો આવતો. આવી હેરાનગતિના કારણે લોકો નાસી છુટતા અને ચોરી તથા લૂંટફાટના રવાડે ચડી જતા.
ક્રમશ:
Subscribe to:
Comments (Atom)