Renunciation of Sardar Patel | Vithalbhai Patel, Sardar Patel

Renunciation of Sardar Patel

Renunciation of Sardar Patel - સરદાર પટેલનો ત્યાગ
0

Renunciation of Sardar Patel - સરદાર પટેલનો ત્યાગ

સન ૧૯૨૯ના પ્રવચનો દ્વારા જાણી શકાય કે સરદાર પટેલનો મુખ્ય મુદ્દો જમીન મહેસૂલનો અન્યાયી બોજ હતો, તેમનું માનવુ હતુ કે આ મુદ્દા ઉપર આખા હિંદુસ્તાને સરકાર સામે લડવા તૈયાર કરી શકાશે. સપ્ટેમ્બર ૧૯૨૯ના યંગ ઈંડિયામાં ગાંધીજીએ આ વિષય બાબતે વિસ્તારથી લખેલ છે અને જેમા બારડોલીનું મહત્વ અને સરદારની શક્તિઓની જાણકારી દેશ સમક્ષ મુકી હતી. જેમા તેમણે જણાવ્યુ કે “સરદારની આગેવાની શક્તિઓનો લાભ ઉઠાવી શકે તેવા કેટલા બારડોલી જેવા ગામો છે?” બારડોલીની લડાઈ માટે તૈયાર ખેડુતોએ તાલીમબધ્ધ સેવકોની મદદથી અહિંસાની આ લડતમાં વિજય મેળવ્યો હતો.

કોંગ્રેસના પ્રમુખપદ જેવા મહત્વના સવાલમાં મોતીલાલ નહેરુ પછી કોની વરણી કરવી તેમાં સરદાર પટેલ અને ગાંધીજી વ્યસ્ત બન્યા હતા. સુભાષચંદ્ર બોઝે લખેલ કે “કોંગ્રેસના સભ્યોમાં સરદાર પટેલ અને ગાંધીજી બન્નેમાંથી આ પદ કોને મળવું જોઈએ તે બાબતે અસમંજસ હતી. કેટલાક સભ્યો સરદાર પટેલને આ માન મળવું જોઈએ અને કેટલાક સભ્યો એમ માનતા હતા કે અંગ્રેજો સામેની લડત ગાંધીજીએ લડવાની હતી તેથી આ માન તેમને મળવું જોઈએ. ગાંધીજીને આ માન મળે તેમાં રાજાજી અને ઘણાખરા અંશે સરદાર પટેલ પોતે પણ આ મત ધરાવતા હતા.

સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં વૈદારણ્ય પરિષદમાં સરદારે કહ્યુ હતુ કે “સહું કોઈ ગાંધીજીને પ્રમુખપદ સોંપવા આતુર છે.” દસ પ્રાંતિક સમિતિઓએ ગાંધીજીના નામની દરખાસ્ત મૂકી હતી અને નવા પ્રમુખ તરીકે ગાંધીજીના નામની જાહેરાત પણ કરી દેવામા આવી હતી. પણ ગાંધીજીએ આ હોદ્દો સ્વીકરવાની સાફ મનાઈ કરી. હવે પાંચ પ્રાંતિક સમિતિઓએ સરદાર વલ્લભભાઈ પટેલના નામની અને ત્રણ પ્રાંતિક સમિતિઓએ જવાહરલાલ નેહરુના નામની દરખાસ્ત કરેલ, હવે પસંદગી આ બન્ને વચ્ચે કરવાની હતી. લખનૌમાં મળેલ કોંગ્રેસ સમિતિની સભામાં ગાંધીજીને તેમના નિર્ણય બાબતે ફરી વિચારવા વિનંતી કરી પરંતુ ગાંધીજી પોતાની વાતને વળગી રહ્યા.
ઉત્તરપ્રદેશના નરેંદ્ર દેવ અને બાલકૃષ્ણ શર્મા જવાહરલાલના યુવાન અને ઉત્સાહી ટેકેદારો હતા. અને તેઓએ વલ્લભભાઈ ઉપર દબાણ કરવાનું શરુ કર્યુ અને જાહેરમાં હવે સરદાર શુ કરશે? સરદાર શુ કહેશે? આ બાબતોને પ્રાધાન્ય આપી ચર્ચા કરવા માંડી. આ સમયે નરેંદ્ર દેવ અને બાલકૃષ્ણએ જે ભાગ ભજવેલ તેની યાદ તાજી કરતા સરદારે આશરે ૧૯ વર્ષ પછી એટલે કે આશરે ૧૯૪૮માં તેમને જવાહરલાલના “ડાઘિયા કુતરા” તરીકે ગણાવ્યા હતા. નરેંદ્ર દેવ ના લખાણ મુજબ ૧૯૨૯માં ઉમેદવારી પાછી ખેચી લેવા માટે સમજાવવા ગાંધીજી માટે કપરો સમય હતો, આ લખાણનો ઉલ્લેખ રાણીએ કરેલ તે સાવ ખોટી રીતે બોમ્બે ક્રોનિકલ ૨૮-૧૯૩૯માં વંચાયો છે. હકીકતમાં આ લખાણ વર્ષ ૧૯૩૬ બાબતે નરેંદ્ર દેવે લખેલ જે ખોટી રીતે વંચાયેલ હોવાતી ૧૯૨૯ માટે ગેર સમજ ઉભી કરે છે. હકીકતમાં તો વર્ષ ૧૯૨૯માં તો સરદાર પટેલે તરત ઉમેદવારી પાછી ખેચી લીધી હતી. અને જવાહરલાલ નેહરુ ૧૯૨૯માં કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા.

Narayan Dev
“ડાઘિયા” શબ્દપ્રયોગ ઉપરથી તો સમજી શકાય કે વલ્લભભાઈ પટેલના મનમાં કેટલી કડવાશ હશે. આ કડવાશ શા કારણે છે? તે સમજવા ઘણા કારણો છે. તેમના માટે સૌથી વેદનાકારી કારણ એ હતુ કે જેના માટે થઈને તેમણે ઘરબાર છોડ્યાં, અને દરેક બાબતે જેમનો અભિપ્રાય સર્વોપરી અને મૂલ્યવાન હતો, તે મહાત્મા ગાંધીજીએ તેમની શક્તિઓને ઊતરતી ગણાવી હતી. “ડાઘિયાઓ” જવાહરલાલને ટેકો આપે તે સમજી શકાય પરંતુ ગાંધીજી પોતે જવાહરલાલની વરણી કરે તે તેમના માટે અસહ્ય હતું. માઈકલ બ્રેચરના પુસ્તક નેહરુમાં આ બાબતે ઉલ્લેખ કરેલ છે. અને મોતીલાલ નેહરુ અને માતા સ્વરૂપરાણી ની ખુશીનો તો કોઈ પાર નહોતો. વર્ષને અંતે લાહોર કોંગ્રેસના પ્રમુખપદેથી જવાહરલાલ નહેરુએ કહ્યુ કે “હું ગણતંત્રવાદી છુ અને રાજાઓ અને રાજકુમારોની પરંપરામાં મને જરા પણ શ્રધ્ધા નથી.” સ્વાયત્તની શાસનની બાબતમાં વલ્લભભાઈ જવાહરલાલ કરતા ઓછા ઉગ્ર હતા. તેમ છતા ગણતંત્ર તેમના લોહીમાં વણાઈ ગયેલું. આ ગોળી ઘણી કડવી હતી પરંતુ વલ્લભભાઈએ કોઈપણ આનાકાની વગર ગળે ઉતારી લીધી.

Balkrishna Sharma

ગાંધીજીને અનુસરવાની પોતાની પ્રતિજ્ઞાને કારણે જ વલ્લભભાઈ બધા જ આઘાત અને અણગમાને પોતાના મનમાં ઉગતા પહેલા જ દાબી દીધા. પરંતુ એક વાતથી તો ગાંધીજી, જવાહરલાલ અને બીજા સભ્યો પણ પરિચિત હતા કે ગુજરાતમાં તો ફક્ત પટેલ કહેશે તે જ થશે ખુદ કોંગ્રેસ પ્રમુખ કે ગાંધીજી કહેશે તો પણ નહી ઉપજે. જેમ ૧૯૦૫માં વલ્લભભાઈએ વિઠ્ઠલભાઈ માટે જે ભોગ આપ્યો (બેરિસ્ટર થવા માટે વિલાયત જવાનો) તેમા એક વણલખી શરત હતી તેમ ૧૯૨૯માં તેમણે જવાહરલાલ માટે આપેલ ભોગમાં પણ એક મૂક શરત હતી – ગુજરાતમાં વલ્લભભાઈ ધારશે તેમ જ થશે.

No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in