Showing posts with label tribute to sardar patel. Show all posts
Showing posts with label tribute to sardar patel. Show all posts

Tribute to the National Hero of India Sardar Patel by His Excellency Chakraborty Shri Rajagopalachari - Governor General of India

Tribute to the National Hero of India Sardar Patel by His Excellency Chakraborty Shri Rajagopalachari - Governor General of India

भारत के राष्ट्र नायक सरदार पटेल को हिज एक्सीलेंसी चक्रवर्ति श्री राजगोपालाचारी - गवर्नर जनरल भारतवर्ष कि श्रध्धांजलि


तीस साल पहले मेरी ज़िंदगि में वह कभि न भूलने योग्य महत्व का दिन था, जब मद्रास में गांधीजीने मुझसे बातें करते हुये सरदार वल्लभभाई का नाम लिया, और उनसे मिलकर परिचय प्राप्त करने के लिये कहा। तब से इन तमाम वर्षों में हम लोगों ने साथ काम किया है और मैं कह सकता हूँ की मैं उन्हें जानता हूँ। जो आदमी ऐसा सोचते हैं की सरदार वल्लभभाई पटेल एक कठोर व्यक्ति हैं, वे पूरी तरह से गलतफहमी में है। इसके विरुद्ध, यह असंगत न होगा यदि कोई यह कह दे की उनकी प्रकृति एक प्यारी और ईर्षालु स्त्री की भांति है। उनका प्रेम सच्चा है और उनके शांत और रूखे स्वरूप के पीछे उनमें बड़ी भावुक और उत्तरदायित्वपूर्ण आत्मा एवं कार्यशील सजाग-शक्ति विद्यमान है। वे शासक अवश्य है, लेकिन एक माता की भांति निरंकुश की भांति नहीं। दुनिया में उनके लिये सुख बहुत काम है, लेकिन वे अपने विषय में कुछ नहीं सोचते। वे अन्याय सहन नहीं कर सकते। इसी कारण वे लोग उन्हें कठोर समाज बैठते है, जो अन्याय करना चाहते है। लेकिन यह क्रोध नहीं है। यह उनकी विरोध करने की शक्ति में विश्वास है। वह एक भी मंत्र कहते अथवा प्रार्थना करते हुये नहीं मिल सकते, लेकिन मैं जानता हूँ की वे बड़े धार्मिक पुरुष है; विशेषकर वे बातें करने वाले धार्मिक व्यक्तियों की अपेक्षा बहुत अधिक धार्मिक है।

चक्रवर्ती राजगोपालाचारी 




Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

Tribute to Sardar Patel - 15-12-2023 - રાજકુમારી અમૃત કૌરે સરદાર પટેલને આપેલ શ્રદ્ધાંજલિ

રાજકુમારી અમૃત કૌરે સરદાર પટેલને આપેલ શ્રદ્ધાંજલિ


ભારતના મહાન સૈનિક અને રાજકીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલને અંજલિ આપતી વેળા સદ્દગત જે દ્રષ્ટાંત તેમની પાછળ મૂકતાં ગયા છે તે જ યાદ કરવું ઠીક થઈ પડશે. જે ભાવના વડે સરદાર પટેલ મહાન બન્યા એ ભાવના પોત પોતાના ક્ષેત્રમાં બધા જ અમલી બનાવવાનો પ્રયત્ન કરશે નહી ત્યાં સુધી તેમણે માત્ર અંજલિ આપવાનો કશો અર્થ નથી. જે હ્રદય અને બુધ્ધિ સરદારમાં હતા તે બધાને મળતા નથી. આમ છતાં દરેક માણસ એવો ખ્યાલ રાખશે કે અમુક ચોક્કસ કાર્ય કરવા માટે તેમણે આ દુનિયામાં મોકલવામાં આવ્યા છે. આપણી આજુબાજુની પરિસ્થિતિ સુધારી શકવાની આપણામાં શક્તિ છે, અને આપણાય બંધુઑ પ્રત્યે આપણે સેવા અને પ્રેમની ભાવના દર્શાવી શકીએ છીએ, તો જે મહાન સિધ્ધાંતની દિશામાં સરદાર પ્રસ્થાન કરી રહ્યા હતા તેની પ્રાપ્તિ દૂર નહી રહે. ગાંધીજી કહ્યું છે કે “જો બારડોલી સત્યાગ્રહને કારણએ સરદારને તેમની શક્તિનો ખ્યાલ આવ્યો હોય તો પણ બારડોલીનો જંગ યાદગાર બની જશે.” સરદારના જીવનમાં બારડોલી જેવાતો અનેક બનાવો બની ગયા, અને એમને જીત મળી. અંગત રીતે હું ઈચ્છું છું કે સરદાર આજે આપણને સલાહ અને માર્ગદર્શન આપવા જીવતા રહ્યા હોત તો ઠીક થયું હોત. મુશ્કેલીમાં આવેલો કોઈ પણ માનવી સરદારની સલાહ લેવા જતો ત્યારે હિંમત અને આનંદ મેળવીનેજ પાછો આવતો. આજે આપણી સૌની પાસેથી દેશ સેવા અને પ્રેમની ભાવના માંગે છે.



Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

Tribute to Sardar Patel - 15-12-2023 - યુવરાજ કરણસિંઘે સરદાર પટેલને આપેલ શ્રદ્ધાંજલિ

યુવરાજ કરણસિંઘે સરદાર પટેલને આપેલ શ્રદ્ધાંજલિ


સ્વરાજ્ય માટેની આપણી ઝંખેશના વિરલાઑ અને સુવિખ્યાત નેતાઓમાં સરદાર પટેલનું નામ મોખરે રહેશે. તેમની બહાદુરીભરી હિંમત, સ્થિર અને તીક્ષ્ણ દૃષ્ટિ, માતૃભૂમિની સેવા માટેની ધગશ અને દૃઢ સંકલ્પ, ઇતિહાસના પાના ઉપર એમના નામના કે બજાવશે. માતૃભૂમિને સાદ જે ઘડીએ તેમણે સાંભળ્યા તેજ ઘડીએ તેમણે વકીલાતનો ધંધો ફગાવી દીધો, અને સામ્રાજ્યવાદી સત્તા સામેની રાષ્ટ્રની મહાન લડતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પડખે જ તે ઉભા. રાજકીય સ્વતંત્રતાની પ્રાપ્ત અર્થે અહિંસક સત્યાગ્રહની ચળવળની યથાતા તેમણે બારડોલી સત્યાગ્રહમાંથી ચકાસી લેઈ અને તેમને મળેલા વિજયને કારણે લોકેએ સરદારની ઉપાધિ તેમને અર્પણ કરી, ગાંધીજીએ પણ તેમની હંમેશા કદર કરી હતી. 

આઝાદી બાદ સરદારે પોતાનો સામે ભારતની એકતા માટે વિતાવ્યો. ભારતના સંખ્યાબંધ રાજવાડાઓને સંઘ સરકારના અંકુશ હેઠળ લાવવાનું જે કાર્ય તેમણે ઉપાડેલ તે અશક્ય છે, એવી જેઓ ટીકા કરી રહ્યા હતા તેમણે પાછળથી શરમમાં શિર ઝુકાવ્યા. ભારતના એક બનાવવામાં અને ખાસ કરીને અનેક દેશી રાજ્યોને મધ્યસ્થ એકમના એક મજબૂત ભાગો તરીકે રાજીખુશીથી જોડવાનું કાર્ય ઉપાડી સરદારે ખરેખર મહાન કાર્ય કર્યું છે. કાશ્મીર અંગેના કામકાજમાં સરદારને ખૂબ જ રસ હતો. તેમની હયાતી દરમ્યાન અમે વારંવાર તેમની સલાહ લેવા દોડી જતાં. 15-12-1950ના રોજ નિપજેલ મૃત્યુ ભારતની જાણતા પર કારમો ઘા સમું હતું, પરંતુ તેમના ઝળકતા જીવને માત્ર આઝાદી કાજે જ નહી. પરંતુ આપણી માતૃભૂમિ સંયુક્ત, બળવાન અને સ્વાવલંબી બની શકે એ માટે પણ પૂરતા પ્રમાણમાં માર્ગદર્શન કર્યું છે. જો આજે તમામ લોકશાહી અને શાંતિવાન્છું રાષ્ટ્રો આપણી નીતિ તેમજ સલાહને યોગ્ય માં આપતા હોય તો તે સદગતે રાષ્ટ્રની બજાવેલી સેવાઓને આભારી છે. 




Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

© all rights reserved
SardarPatel.in