Showing posts with label middle temple. Show all posts
Showing posts with label middle temple. Show all posts

02 Do You Know the facts : Vithalbhai Patel & Sardar Patel's Admission



૦૨ શું તમે જાણો છો?
વિઠ્ઠલભાઈ પટેલ તેમના નાના ભાઈ વલ્લભભાઈ પટેલની ટ્રાવેલ પરમિટ પર બેરિસ્ટર થવા લંડન ગયેલા અને વિઠ્ઠલભાઈ પટેલે ૦૯ એપ્રિલ ૧૯૦૬ના રોજ લિંકન્સ ઇનમાં પ્રવેશ મળ્યો હતો. અને વલ્લભભાઈ પટેલે ૧૪ ઓકટોબર ૧૯૧૦ના રોજ મિડલ ટેમ્પલમાં પ્રવેશ મળ્યો હતો. અને વલ્લભભાઈ પટેલના વર્ષ ૧૯૧૦ થી ૧૯૧૨ સુધીમાં ૪ ઓપરેશન થયા હતા, આથી ડો. કીડ, ૫૫ હાર્લે સ્ટ્રીટ દ્વારા સલાહ આપવામાં આવી કે શક્ય હોય તેટલા વહેલાં વલ્લભભાઈ પટેલને ભારતના ગરમ વાતાવરણમાં મોકલવા, તેઓ ઈંગ્લેન્ડનું ઠંડીની આબોહવા વધારે સહન નહીં કરી શકે.

०२ क्या आप जानते हैं?
विठ्ठलभाई पटेल अपने छोटे भाई वल्लभभाई पटेल के यात्रा परमिट पर बैरिस्टर बनने के लिए लंदन चले गए और विट्ठलभाई पटेल को ०९ अप्रैल १९०६ को लिंकन इन में प्रवेश मिला। और वल्लभभाई पटेल को १४ अक्तूबर १९१० को मिडल टेम्पल में प्रवेश मिला। वर्ष १९१० से १९१२ के दौरान वल्लभभाई पटेल के पाव में ४ ऑपरेशन हुए। इसलिए ५५ हार्ले स्ट्रीट के डॉ. किड ने वल्लभभाई पटेल को जल्द से जल्द भारत की गर्म वातावरण में भेजने की सलाह दी, क्योंकि वे इंग्लैंड की ठंडे वातावरण को बहुत अधिक सहन नहीं कर सकेंगे।

02 Do you know?
Vitthalbhai Patel went to London to become a barrister on his younger brother Vallabhbhai Patel's travel permit and Vitthalbhai Patel got admission in Lincoln's Inn on 09 April 1906. And Vallabhbhai Patel got admission in Middle Temple on 14 October 1910. And Vallabhbhai Patel had 4 operations from 1910 to 1912, so Dr. Kidd, 55 Harley Street, advised to send Vallabhbhai Patel to the hot climate of India as soon as possible, as he could not bear the cold climate of England very much.



Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

What Did Dr. Kedd said about Vallabhabhai's disease?

What Did Dr. Kedd said about Vallabhabhai's disease?



સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા કેવડિયા ખાતે મુકાવાની હતી તે પહેલાં કરમસદ ગામમાં તારીખ ૨૭ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ તેની ૧૮ ફૂટ ઊંચી પ્રતિકૃતિ જાહેર નિરીક્ષણ માટે સરદાર પટેલ મેમોરિયલ કરમસદ ખાતે મુકવામાં આવેલી અને તે દિવસે મેમોરિયલમાં જ કંસલ્ટેશન વર્કશોપ ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો હતો તે સમયે કરમસદ ગામના સરદાર પટેલના પરીવારજનો, કરમસદ ગામના અગ્રણીઓ અને અનેક સરદાર પ્રેમીઓએ તેમના પ્રતિભાવો આપેલ હતા. આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના સભ્ય શ્રી કે. શ્રીનિવાસન સાહેબ, મુર્તીકાર શ્રી રામ સુતાર, સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્યોએ જેમ પ્રતિકૃતિ અંગે પ્રતિભાવો આપ્યા તેમ મે (રશેષ નરેંદ્રભાઈ પટેલે) તે સમયે પ્રતિમા અંગે મારા પ્રતિભાવો સાથે સાથે જણાવેલ કે સરદાર સાહેબની ડાબા પગની અંગુઠા પછીની આંગળી ખેંચાઈ ગયેલ છે. આ વાત તો તે સમયે સરદાર સાહેબના ફોટાઓ અને વિડીયો થકી મારા ધ્યાનમાં આવેલ પરંતુ સ્વભાવ ખણખોદનો એટલે શોધખોળ આ બાબતે ચાલુ જ હતી, જે આ વર્ષે એટલે કે ૨૦૨૨માં આધાર પુરાવા સાથે પુર્ણ થયેલ. અને આ પુરાવાઓના આધારે હવે સ્પષ્ટ થયું કે સરદાર પટેલને પગમાં તકલીફ વર્ષ ૧૯૧૨માં જ્યારે તેઓ બેરિસ્ટર બનવા લંડન ગયા હતાં તે સમયે હતી. વિગતે વાત કરૂ તો સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલ વિશે શોધ ખોળ કરતા સમયે લંડન મિડલ ટેમ્પલ કે જ્યાં સરદાર સાહેબ બેરિસ્ટર થયા તે સંસ્થામાંથી વિક્ટોરિઅ હિલ્ડર્થ ના ઈ-મેલમાં સરદાર સાહેબ વિશે ૫૫, હાર્લે સ્ટ્રીટ ખાતે, એક ડોક્ટર ફ્રેંક કેડ - દ્વારા સહી કરેલ તા : ૬ જુન ૧૯૧૨ના રોજની એક મેડિકલ નોંધ મળી જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખેલ છે કે : વી. જે. પટેલને તપાસ્યા હતા અને તે તપાસ દરમ્યાન તેમના રોગના કારણે મારે પગમાં ૪ ઓપરેશન કરવા પડેલ, તેમની લાંબી માંદગી અને પરીક્ષા દરમ્યાન સખત મહેનતના કારણે તેઓના શરીરનું બંધારણ હલી ગયેલ છે. મારૂં માનવું છે કે તેઓ ઈંગલેંડનો આવનાર શિયાળો ઈંગલેંડમાં ગાળવાની ફરજ પાડવી તેમના સ્વાસ્થ્ય માટે અયોગ્ય છે આથી તેમને વહેલામાં વહેલાં ભારતીય ગરમ વાતાવરણમાં પરત મોકલવા જોઈએ.

ડો. કેડની આ નોંધ જ સાબિત કરે છે કે સરદાર સાહેબના પગમાં તકલીફ હતી. અને મારૂ ફોટા અને વિડિયોના આધારે કરેલ તારણ આખરે સાચું સાબિત થયું.  




sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

© all rights reserved
SardarPatel.in