Showing posts with label Darbar Gopaldas. Show all posts
Showing posts with label Darbar Gopaldas. Show all posts

Borsad Satyagrah Sardar Patel's Appeal

Borsad Satyagrah Sardar Patel's Appeal 

શ્રી વલ્લભભાઈ પટેલે બોરસદ સત્યાગ્રહ વખતે પ્રજાજોગ જે અપીલ કરેલ તેના પરથી ખ્યાલ આવે કે સરદાર પટેલના જાહેરજીવનમાં બોરસદ સત્યાગ્રહે એક મહત્વનો ભાગ ભજ્વ્યો, આ સત્યાગ્રહ થકી વલ્લભભાઈ પટેલે જાહેર જનતા ને કેવી રીતે પીઠબળ પૂરું પાડ્યું તથા તેમણે બોરસદના લોકોને અંગ્રેજ શાસન સામે લડવાની  હિંમત પણ આપી અને આ લડત એટલા માટે વિશેષ છે કારણકે સરદાર શ્રી બોરસદ તાલુકાના આશરે દોઢેક લાખ લોકોને આ લડત લડવા માટે જાગૃત કર્યા.  તથા આ લડત અસહકાર ની પડતી ના સમયે યોજાઇ હતી જે સમયે ગાંધીજી લાંબો જેલવાસ ભોગવી રહ્યા હતા અને મહાસભાના મંચ ઉપર અસહકાર કે ધારાસભા પ્રવેશ એવું સંઘર્ષણ ચાલી રહ્યું હતું. સરકારે આ લડત ને  પ્રજાની વાત સાચી ગણી માન્ય રાખી જે તે સમયની ઘટનામાં અભૂતપૂર્વ કહેવાય!

બોરસદ સત્યાગ્રહનો પ્રારંભ તારીખ ૨ ડિસેમ્બર ૧૯૨૩ના દિવસે થયો.  તથા તેની યશસ્વી પૂર્ણાહુતિ ૧૨ જાન્યુઆરી ૧૯૨૪ના દિવસે ઉજવવામાં આવી. આ લડત ના કારણો પરિસ્થિતિઓ જાણવી ચરોતરના નાગરિકો તથા દેશના નાગરિકો માટે  અગત્યની છે. આ લડત પૂરી થયાના ચારેક માસ પછી બોરસદમાં સાતમી ગુજરાત રાજકીય પરિષદ ભરાઈ. આ પરિષદમાં ગાંધીજી દ્વારા મોકલવામાં આવેલ સંદેશો ખૂબ જ મહત્વનો હતો,  તેમણે કહ્યું કે” બોર્ડ સાથે ગુજરાતને શોભાવ્યું છે. બોરસદ સત્યાગ્રહ કરી, ભોગ ત્યાગ કરી, પોતાની જાતને હિન્દુસ્તાનની સેવા માટે અર્પણ કરી છે. બોરસદ જમીન સાફ કરી; ચણતર કરવાનું બાકી છે ને તે કઠણ છે. તે કામ થઈ રહ્યું છે, કેમ હું જાણું છું.”

બોરસદ સત્યાગ્રહ બાદ ચારેક વર્ષ પછી બારડોલીનો સત્યાગ્રહ થયો અને બારડોલી સત્યાગ્રહ સમયે જ મકોટી ગામના ભીખીબેને વલ્લભભાઈને સરદાર કહી સંબોધ્યા. પરંતુ બારડોલી સત્યાગ્રહના બીજ કદાચ બોરસદ સત્યાગ્રહ વખતે રોપાયા હશે. વલ્લભભાઈએ લોકોને બોરસદ સત્યાગ્રહ સમયે જે અપીલ કરી છે તે જાણીએ તો સાચેજ સમજ પડે કે સત્યાગ્રહનો સુત્રધાર કે પડદા પાછળ કામ કરનાર કર્મવીર કોણ? ગાંધીજીના સત્યાગ્રહોનું આયોજન સરદાર સાહેબ કરતા અને દરેક સત્યાગ્રહે જન માનસ પર એક છાપ છોડી હતી.

શ્રી વલ્લભભાઈ પટેલની બોરસદની જનતાને અપીલ

બોરસદ અને આણંદ તાલુકાની નિર્દોષ પ્રજા પર અઢી લાખ રૂપિયા જેટલી ભારે રકમનો દંડ ઠોકી બેસાડી સરકારે લગભગ એકસો ગામો પર વધારાની પોલીસ બેસાડી છે. તેની સામે તે ગામના લોકોએ સત્યાગ્રહ કરવાનો નિશ્ચય કર્યો છે.

ગામેગામ જે પોલીસ મુકવામાં આવી છે તે બહારથી આણેલી છે. તેમાંના કેટલાક પોલીસોએ લોકો પર અનેક અત્યાચારો શરૂ કર્યા છે. બહારવટિયાના ત્રાસથી કચડાયેલી પ્રજા હવે પોલીસના ત્રાસમાં સપડાઈ છે. ગામડામાં પોલીસના અત્યાચાર સામે થવાની પ્રજામાં તાકત નથી. સ્ત્રીઓની ઈજ્જત પર હાથ નંખાય છે છતાં, શરમના માર્યા લોકો એવી વાત પ્રસિધ્ધ થાય એ ઈચ્છતા નથી.

વળી તલાટીઓને તાકીદે જપ્તીઓ કરી દેવાનો હુકમો મળી ચુક્યા છે. જલ્દીથી વસૂલ કરનારને પાઘડીની લાલચો અપાય છે. દુષ્કાળનું જ વર્ષ હોવાથી લોકો પર બેવડો માર પડ્યો છે.

સરકાર તો રૂઠેલી જ હતી, અને ઈશ્વર પણ રૂઠ્યો.

આ દુ:ખી સ્થિતિમાં લોકોની પડખે ઊભા રહેવાની અને તેમના દુ:ખ્માં ભાગ લેવાની ખાસ જરૂર છે. ગુજરાતના નવ જુવાનોને પ્રજાની સેવા કરવાની આ તક મળેલી છે. નાગપુર સુધી વહારે દોડનારા ગુજરાતના જુવાનો પોતાના જ પ્રાંતમાં પીડાતા ભાઈઓને વીલા મૂકી ન શકે. દરબારશ્રી ગોપાળદાસભાઈ બોરસદમાં સત્યાગ્રહ છાવણી નાખીને પડ્યા છે. જે સૈનિકો બોરસદ તાલુકામાં કામ કરવા ઈચ્છતા હોય તેમણે પ્રાંતિક સમિતિના મંત્રીને તાકીદે પોતાની અરજી મોકલી આપવી.

આ લડતમાં નાણાંની પણ જરૂર પડશે. મારી ઉમ્મીદ છે કે ગુજરાત જ બોરસદની લડતમાં જોઈતા નાણાં પુરા પાડશે. જે ભાઈઓ મદદ કરવા ઈચ્છતા હોય તેમણે ગુજરાત પ્રાંતિક સમિતિને પોતાનો ફાળો મોકલી આપવો. લડત શરૂ થઈ ચૂકી છે એટલે ઉતાવળથી મદદ કરવાની જરૂર છે.

સરદાર ખુબજ સારી રીતે જાણતા હતા કે લડતમાં જુસ્સો, લોકોનો આત્મવિશ્વાસ અને નાણાં ત્રણેય ની જરૂર છે. આ ત્રણમાંથી એક પણ નબળુ પડે કે લડત ભાંગી પડે પરંતુ તેમણે તેમની વાત કે અપીલમાં નાણાંને વધુ ભાર ન આપતા લોકોનો આત્મવિશ્વાસ અને જુસ્સો વધે તેના પર વધુ ધ્યાન આપ્યું.

આવા તો આપણા સરદાર .. સરદાર તમને કેવી રીતે અમે ભુલી શકીએ...!!!

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

Vallabhbhai Kanya Kelavani Mandal - Rajkot

VALLABH KANYA KELAVANI MANDAL - RAJKOT



His Excellency the Governor-General made the following speech at the opening ceremony of the Vallabh Kanya Kelavani Mandal building at Rajkot on October 22, 1948

Darbar Shri, Ladies and Gentlemen,

It gives me great joy to see a finished block of buildings dedicated to the cause of girls' education. It gives me additional joy to have been asked formally to open what will serve as a memorial to Sardar Vallabhbhai Patel's services to the people. The organisers are sad that Sardar Vallabhbhai Patel is not able to be here in the flesh. He is, as you know, not enjoying strong health. You must therefore permit me to represent him both in body and mind. I can claim the privilege of sharing" as a brother in everything that is done for Vallabhbhai Patel. It is sad to remember that Vithalbhai Patel whose heart would have swelled with pride to see the freedom that we have now attained is gone You have already a memorial for him in Swaraj as well as in other institutions.
I was gratified to learn that eminent educationists have drawn up the scheme of education in this institution, philanthropic citizens have given all material assistance and good trustees are in charge. It is bound to be a success. Every girl trained here, I hope, will prove to be an exemplary teacher. I do not think there are many places in India where so much work has been done on a philanthropic basis, everything has proceeded so quickly and planned so efficiently as it has been here. I am glad to open a finished institution instead of laying a foundation-stone for an institution hereafter to be built.
I give my best wishes to all the girls. Let no one who is studying here imagine that girls who are in modern colleges are more lucky. Let them not imagine that here they go through a training which builds them up more to look after the household than after public institutions. In time to come, girls who are educated here will qualify better to be leaders even in the legislatures than college girls who come from the Universities. I utter this warning to the girls who are wasting their time in other colleges! There they get first-class education, but to a certain extent they are cut away from the main current of women’s life in India. Those who have organised the scheme of education in this institution—and I know all of them personally—have based it so that girls who are educated here can become true leaders of culture in India on the women’s side.
I thank the organizers on my own behalf, and, may I say, on behalf of Sardar Vallabhbhai Patel also. Thank you for giving me the honour of being at this large and beautiful gathering.

Source : SPEECHES OF C. RAJAQOPALACHARl - GOVERNOR GENERAL OF INDIA

Naman Ho Darbar Gopaldas, Bhaktiba & Vandan Ho Sardar Patel


Naman Ho Darbar Gopaldas, Bhaktiba & Vandan Ho Sardar Patel


આજે દરબાર ગોપાળદાસના જન્મદિવસે આજે વડોદરા રાજ્ય પ્રજા મંડળના પ્રમુખ શ્રી ચુનીલાલ પુ. શાહે તા. ૨૫-૫-૧૯૪૭ના રોજ સંદેશમાં દરબાર ગોપાળદાસ વિષે લખેલ લેખ વાગોળવાનું જરૂરી લાગ્યુ.

ત્યાગ અને બલિદાન આપનાર દરબારશ્રીને અમારા હજારો હજારો નમન છે.

જ્યારે ગુલામીના ચીન્હો રાખવા કે ન રાખવા એ પ્રશ્ન બળવાખોર દરબાર સાહેબના મગજમાં તરતો હતો. અને પોતાની ગાદીને લાત મારવી પણ પોતાના આત્માને સ્વતંત્ર રાખવો એમાં જ માનવતા છે તે વાત દરબારશ્રીને લાગતા શ્રી ભક્તિબાની સહર્ષ અનુમતિ મળતા તરત જ ગાદી છોડી દીધી. અને એ બનાવે હિંદ અને ખાસ કરીને ગુજરાતના રાષ્ટ્રિયતાના પગલાને એક કદમ આગળ ધપાવ્યું. સૌના મનમાં તે વખતે એક જ પોકાર હતો. ધન્ય છે દરબાર સાહેબને ! ધન્ય છે ભક્તિબાને ! ગાદીથી મળતા લાભ, ગાદીથી મળતા સુખ, ગાદીથી મળતા એશઆરામ, ગાદીથી મળતી પ્રતિષ્ઠા એ સૌને તેમણે તિલાંજલી આપી અને સામાન્ય માણસ તે બની ગયાં, રાજારાણી મટી ગયાં, પણ સામાન્ય સેવક અને સેવિકા થઈ ગયાં.

તેમના વીરલ ત્યાગ અને ભવ્ય બલિદાનની છાપ પ્રજાના દિલમાં અંકાઈ ગઈ. આજે ગોપાળદાસ તરીકે પ્રજા તેમને નથી ઓળખતી. દરબાર સાહેબનું નામ દેતાં ગમે તેવો પ્રજાજન હોય, સામાન્ય માણસ હોય, કે રાષ્ટ્રિય માણસ હોય, પણ તેનું માથુ નીચું નમે છે. અને જાણે અજાણે તેમના ભોગ અને ત્યાગની દીલમાં કદર કરે છે. ગાદી છોડીએ ૨૫ વર્ષ થયા છતાં જાણે કાલે સવારે જ દરબારશ્રી એ ગાદી છોડી હોય તેમ લાગ્યા કરે છે. આપણૅઅ દેશને સ્વતંત્ર બનાવવાની ભાવનાથી જ્યારે પ્રજાના ઘણા મોટા ભાગના કાર્યકર્તા જરા ભોગ આપતા જાણે ખુબ ભોગ આપી દીધો છે અને ભોગના પાટીયા પોતાના કપાળમાં લગાડીને ફરે છે, ત્યારે દ્રબારશ્રી અને ભક્તિબાએ જાણે કાંઈપણ ભોગ આપ્યો હોય તેમ જાણવા દીધુ નથી. તેમની જોડે વાતમાં તેમના નીકટના માણસો જોડે ચર્ચામાં ગાદી છોડવાથી આટલું સહન કરવું પડ્યું તેવું બોલ્યાની વાત પણ કોઈએ સાંભળી નથી. આ બલીદાનથી તેઓ વધારે મોટા અને ભવ્ય બન્યા હતા. દરબારશ્રી જોડે મારે ઘણો લાંબા વખતનો પરીચય હોવા છતાં મને યાદ નથી કે આ ત્યાગ માટે એક નીસાસો કે દીલગીરી કોઈપણ ઘડીએ વ્યક્ત કરી હોય અથવા પ્રજા નગુણી કે બેકદર છે, તેવું તેમને લાગ્યું હોય. ત્યાગ હોજો તો આવો હોજો ! ભોગ આપ્યો હોય તો આવો હોય ! બલીદાનની જ્વાળા જોવી હોય તો આવો અમારા દરબારશ્રી પાસે અને વધારે જાણવું હોય તો આવો અમારા પુજ્ય ભક્તિબા પાસે ! દરબારશ્રી તો ભોગ આપી શકે પણ ભક્તિબાનો સાથ સહકાર હુંફ ન હોય તો દરબારશ્રી પણ લાચાર બને! પણ એ વિરાંગના ભક્તિબાએ સામાન્ય સ્ત્રી જાતી પ્રિય સત્તા શોખ અને વૈભવ સામુ પણ ન જોયુ. જોયુ તો મહાત્મા ગાંધીજી અને સરદાર તરફ, જોયું પોતાના હિંદ તરફ, જોયુ પોતાના વતન ગુજરાત તરફ અને પોતાના ગુજરાતને આવા બલીદાનથી દેશમાં મોખરે આણ્યો. રાણીઓતો ઘણીએ જોઈ છે. પણ દીલમાં જો રાણી તરીકેની મહત્તા અને માન અમારા દીલમાં કોતરી રહ્યા હોય તો તે ભક્તીબા માટે !

સરદારશ્રીના દિલમાં વસેલા દરબાર ગોપાળદાસ અને ભક્તિબા



પ્રજા સર્વ ભુલી ગઈ હતી. ગાદી હતી કે કેમ તે વિચારણા પણ રહી ન હતી. પચીસ વર્ષથી સામાન્ય માણસ તરીકે જીવન ગુજારતા આ યશસ્વી દંપતી અમારામાંના એક વહાલસોયા બની ગયા હતા. છતાં એ ત્યાગની વાત એક મહાન પુરુષ ન ભુલ્યા. અને તે પુરુષ હતા ગુજરાતના નુર સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતના મહાન લડવૈયા, હિંદના રાજદ્વારી, વજ્ર જેવા દેખાતા છતાં ફુલ જેવા નાજુક દિલના મહાનુભાવ ભોગ આપનારે સહર્ષે ભોગ આપવો જોઈએ, ભોગ અને બલીદાન નિષ્કામપણે આનંદથી તે આપવા જોઈએ, તે કદર માંગતો નથી, માન માંગતો નથી. પોતાના ભોગનો તેને વિચાર આવતો નથી. અરે એટલું જ નહી પણ જાણે પોતાની ફરજ બજાવવામાં જે આનંદ થવો જોઈએ તે તેને થવો જોઈએ. આ બધુ સાચુ છે અને એ પ્રમાણે આદર્શ બલીદાન દરબાર સાહેબ અને ભક્તિબાએ આપ્યું છે અને પચાવ્યું છે. જેમણે તેમની ફરજ બજાવી પણ તે તો એક બાજુનું કર્તવ્ય ગણાય પણ જે ભોગ માગે તેની ફરજ એકલો ભોગ માંગવાથી નથી અટકતો તેની ફરજ તો એ છે કે એ ભોગ આપનારને એ વસ્તુ પાછી મળે તે કરવી જોઈએ અને સરદારશ્રી આખો દિવસ તેનુ ચિંતન કરતા હતા.

ગુજરાતના ખેડુતોએ દેશને કાજે જમીનો છોડી અને તે જમીનો બારણાં ઠોકતી પાછી આવી હતી જમીનો પાછી આપવાનું કામ મહાસભાએ હંમેશા જ્યારે જ્યારે શક્તિ આવે ત્યારે ભોગ આપનારને તે પાછી મળે તેવું કરતી હતી. નોકરી છોડનારને નોકરી મળે. મિલ્કત ગુમાવનારને મિલ્કત પાછી મળે, અને આજે ગુજરાતની પ્રજા સહર્ષે જોઈ શકે છે કે પચીસ વર્ષે દરબારશ્રીને ગાદી પાછી મળે છે. એમાં સૌ કોઈ સમજી શકે છે કે સરદારશ્રીનો તેમાં હાથ છે અને આજે ગુજરાત અરે આખુ હિંદ જોઈ શકે છે કે રાષ્ટ્રે ભોગ માંગ્યો ખરો, ભોગ લીધો અને રાષ્ટ્રે તે ગાદી પાછી આપીને પોતાનો ધર્મ બજાવ્યો ખરો.

એક વાત તો સમજવી જ રહી કે જે રાષ્ટ્ર ભોગ માંગે છે તે રાષ્ટ્રના કાર્યકર્તાઓ, સંસ્થાના મુખ્ય સંચાલકોની ફરજ છે કે એ ભોગ નકામો ન જાય તે જુવે, હંમેશા ધુરંધર કાર્યકર્તાઓએ પોતાના હજારો કામોની અંદર એક વસ્તુ ગોખી રાખવી જોઈએ કે તેમણે ચલાવેલી હીલચાલને સફળ બનાવવા ભોગ અને ત્યાગ આપવાનું મોજુ ઉછળી રહે છે. અને હજારો પતંગીયાની માફક જાન ગુમાવવા કુદી પડે છે. છ્ગા એ ભોગ અને ત્યાગ કરનારના કુટુંબો જરૂર માને છે કે જ્યારે તે હીલચાલ સફળ થયેલી હશે ત્યારે ત્યાગ અને ભોગ કરનારને જેટલી રાહત આપી શકાય તેટલી આપ્યા વગર નહી રહે. તે ભોગ અને ત્યાગ કરનાર તો જુના જમાનામાં ભલે બહારવટીઆ ગણાતા હોય પણ જ્યારે રાષ્ટ્રીય હિલચાલ સફળ થશે ત્યારે એ બહારવટીઆ મટી જશે. અને પ્રજારત્નો બનશે. અને તેમની જે જાતની કદર કરી શકાય તે કરી લેશે. આ પ્રમાણે બન્ને પક્ષ જ્યારે યશસ્વી રીતે કામ કરે છે ત્યારે જ પ્રજા આગળને આગળ ધપતી રહે છે, મારો હાથ પકડનાર કોઈ છે. મારી ચિંતા કરનાર કોઈ વર્ગ છે તેવુ લાગે છે આજે સર્વ ગુજરાતને પુજ્ય સરદારશ્રી માટે તેવું માન છે અને સરદારશ્રીએ દરબારશ્રીને ગાદી પાછી અપાવીનેએ ત્યાગના ઉપર સોનેરી કળશ ચડાવ્યો છે. સરદારશ્રીએ પોતાનું પાણી બતાવ્યું છે.

નમન હો ! વંદન હો !
ત્યાગ અને બલિદાન આપનાર દરબારશ્રી તથા ભક્તિબાને અમાર હજારો હજારો નમન છે ! તે ભોગની કદર જાણનાર સરદારશ્રીને અમાર હજારો હજારો વંદન છે. !

ગોપાળદાસભાઈ વિષે સરદાર સાહેબે કરેલ ભાષણ

Darbar Gopaldas - ગોપાળદાસભાઈ

શ્રી દરબાર સાહેબનો તાલુકો સરકારે જપ્ત કર્યો તે પ્રસંગે તા. ૩૦/૦૭/૧૯૨૨ના નવજીવનમાં લખેલ લેખ

ચરોતરના પાટીદારો પોતાના પ્રાણ કરતા વતનને વહાલું ગણે છે. "વતન જાય ત્યારે જાતનું શુ જતન?"એ આ કોમમાં સામાન્ય કહેવત છે. ટુકડા જમીન માટે કેટલાય પાટીદારોએ પોતાના પ્રાણ આપ્યા છે, ફાંસીને લાકડે લટ્ક્યા છે. સરકારની કોરટ કચેરીઓનો મુખ્ય ખોરાક વતનના કજિયા જ છે. આમ વતન પાછળ ખુવાર થવા જનાર પાટીદાર કોમના શિરોમણિભાઈ ગોપાળદાસે આજે પોતાના ત્રીસ હજાર ઉપરાંતની વાર્ષિક આવકના ગરાસને ધર્મને ખાતર ઠોકર મારી છે. 

ગોપાળદાસભાઈ કાઠિયાવાડમાં આવેલા ઢસા ગામના દરબાર અને રાઈ સાંકળીના તાલુકદાર છે. રાજકુમાર કોલેજમાં તેમને શિક્ષણ લેવાનું ભાગ્ય પ્રાપ્ત થયેલું. પોલિટિકલ એજંટની મુલાકાત, ગવર્નર સાહેબનો દરબાર અને એવા બીજા પ્રસંગોએ કેવો પોષાક પહેરવો, કેમ બોલવું ચાલવું, એ ઉપરાંત શિકાર ખેલવાનું, પરદેશીઓની ખાવાપીવાની રૂઢિનું અનુકરણ કરવાનું, ખુશામત કરવાનું વગેરે ચાલુ જમાનાના દરબારને શોભે એવુ શિક્ષણ લેવાની તેમને અનેક તકો મળેલી. પરંતુ પુર્વજ્ન્મ ના સંસ્કારના સુયોગને પ્રતાપે આ શિક્ષણનો પાશ તેમને લેશ માત્ર પણ લાગ્યો નહી. 

મુંબઈના ગવર્નર સાહેબે કાઠિયાવાડની છેલ્લી મુલાકાત લીધી તે વખતે ગોપાળદાસભાઈ સ્વરાજ્યની લડતમાં ખેડા જિલ્લામાં પુજ્ય અબ્બાસ સાહેબની સરદારી નીચે એક સૈનિક તરીકે જોડાયા હતા. ત્યા ગવર્નર સાહેબની પધરામણી વખતે તેમનો સત્કાર કરવા કાઠિયાવાડ આવવાનો કાઠિયાવાડના પોલિટિકલ એજંટનો હુકમ તેમને મળ્યો. તેમણે પોતાના સેનાપતિનો હુકમ માન્ય રાખી એજંટ સાહેબના હુકમનો માનપુર્વક અનાદર કર્યો. આથી તેમની દીવાની તેમજ ફોજદારી સત્તા છીનવી લેવામાં આવી અને મુંબઈ સરકારે તેમના વિરૂધ્ધનો છેવટનો હુકમ કરતા પહેલા તેમને અસહકારની ચળવળમાંથી છુટા થવાની અને ગવર્નર સાહેબની પધરામણી વખતે ગેરહાજર રહેવાથી તેમનું જે અપમાન થયુ હતું તે બદલ ગવર્નર સાહેબની માફી માંગવાની તક આપી. ગોપાળદાસભાઈએ અત્યંત સભ્યતાથી પણ હિંમતથી માફી માગવાની ના પડી અને અસહકારની લડતમાં પોતાનાથી બને તેટલો હિસ્સો આપવાની દરેક હિંદીની ધાર્મિક ફરજ છે, એમ જણાવ્યું. આના પરિણામે ઢસા અને રાઈસાંકળીમાં તા. ૧૭-૦૭-૨૨ના રોજ સરકારની જપ્તી શરૂ થઈ. અને બીજી બાજુ તે જ વખતે તે જ ચોગાનમાં ગામની કન્યાઓ રાસડા ગાવા લાગી. થાણેદારે ગામમાં ઠેક ઠેકાણે જાહેરખબર ચોડી જપ્તી વહીવટ શરૂ થવાની જાહેરાત આપી અને દરેકને કહેવા લાગ્યો કે હવેથી હુ તમારો દરબાર છું.

ગોપાળદાસભાઈની રૈયત તેમને દેવની પેઠે પુજે છે. તેમણે પોતાની રૈયતને પ્રેમથી જીતી લીધેલી છે. થાણદારના વર્તનથી રૈયત ઉશ્કેરાઈ. સુભાગ્યે દરબાર ત્યાં જ હાજર હતા. તેમણે લોકોને શાંત કર્યા. તે ગામની શાળાઓ એજંસીના વહીવટમાં હોવાથી તમામ શાળાઓનો બાળકોએ ત્યાગ કર્યો છે. ખાનગી શાળાઓ ખોલવાનો પ્રબંધ થાય છે. જપ્તી બેઠા પછી ત્યાના લોકોએ અસ્પ્રુશ્યતાનો ત્યાગ કરવાનો અને શુદ્ધ સ્વદેશી વ્રત પાળવાનો નિશ્ચય કર્યો છે.

સરકારે તાલુકો જપ્ત કર્યો, પણ ગોપાળદાસભાઈએ રૈયતના દિલ જપ્ત કરેલાં છે તેના ઉપર સરકારની જપ્તી બેસી શકે તેમ નથી. પણ આ પ્રકરણ આટલેથી જ પુરૂ થવાનું નથી. આ પ્રેમાળ પ્રજા ઉપર જપ્તી વહીવટમાં દુ:ખના ઝાડ ઊગવાનો સંભવ છે. અને હવે જ તેમના પ્રેમની કસોટી થવાનો વખત આવવાનો છે. 

ગોપાળદાસભાઈ રાજપાટ છોડી ગુજરાતનાં ગામડાંમાં સુકો રોટલો ખાઈ પગપાળે ફરી પ્રજાની સેવા કરે છે. આ કળિકાળમાં ઘણા એવા મળશે કે જે એમજ કહેવાના કે એમણે મુર્ખાઈ કરી. ધર્મને બાજુ પર રાખી અનેક પ્રકારની અનીતિથી દ્રવ્ય સંપાદન કરવાના જમાનામાં, હકથી મળેલી મિલ્કત ધર્મને ખાતર ખોઈ બેસનારને મુર્ખ કહેનાર મળે એમા શી નવાઈ? પરંતુ હવે દેહરખો અને દ્રવ્યરખો ધર્મ પાળવાનો યુગ પુરો થવા આવ્યો છે. મને ખાતરી છે કે ભાઈ ગોપાળદાસનો ત્યાગ ગુજરાતના ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. હજારો યુવકોના જીવ પર તેમના ત્યાગની છાપ પડશે. આ ધર્મયુદ્ધમાં એમના જેવા સાથી મળવાનું ભાગ્ય પ્રાપ્ત થવાથી હુ મગરુર થાઉ છુ.
© all rights reserved
SardarPatel.in