Showing posts with label #somnath. Show all posts
Showing posts with label #somnath. Show all posts

06 Do you know? સરદાર સાહેબનો જુનાગઢનો ઐતિહાસિક પ્રવાસ

શું તમે જાણો છો?
સરદાર સાહેબનો જુનાગઢનો ઐતિહાસિક પ્રવાસ




સરદાર સાહેબનો જુનાગઢનો પ્રવાસ એટલા માટે ઐતિહાસિક હતો કારણકે તે આવનાર ભવિષ્યમાં એક એવી ધરોહર અર્પણ કરવાના હતાં કે જે એક યાદગાર સ્થળ અને ઈતિહાસમાં જેને વારંવાર લૂંટવામાં આવ્યું તે મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ લીધો હતો. આ ઐતિહાસિક મંદિર એટલે સોમનાથ મહાદેવનું મંદિર. સરદાર સાહેબ જામ સાહેબના પ્લેનમાં જામસાહેબ, હિંમતસિંહજી, દરબાર સાહેબ વગેરે સાથે કેશોદ માટે રવાના થયા. કેશોદ સ્ટેશનથી રેસિડેંટ સલૂનમાં (ટ્રેનનો ખાસ ડબ્બો) જુનાગઢ ગયા. જુનાગઢ સ્ટેશન પર તેમને ખાસ ગાર્ડ ઓફ ઓનર અને પુષ્પહારથી સન્માનિત કરવામાં આવ્યા. જુનાગઢમાં એક જાહેરસભામાં જુનાગઢના લોકો વથી શામળદાસ ગાંધીએ સરદાર સાહેબનું સન્માન કર્યું. અને સરદાર સાહેબે તેનો યોગ્ય જવાબ પણ આપ્યો. એજ સલૂનમાં વેરાવળ અને ત્યાંથી કાર દ્વારા સોમનાથ પહોચ્યા. ત્યાંના રમણીય દરિયા કિનારે પાણીમાં પગ રાખી એક શાંતિની અનુભુતી કરી. સોમનાથમાં ખંડેર હાલતમાં મંદિર જોઈ અને પાતાળેશ્વર મહાદેવ તરીકે ઓળખાતા ભગવાન શિવના દર્શન કરી મંદિર પરિસરની સભામાં સરદાર સાહેબે સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારની પ્રતિજ્ઞા લીધી.

તા. ૧૨ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સરદાર પટેલ (ભારતના સંરક્ષણ પ્રધાન અને નાયબ વડા પ્રધાન તથા ગુજરાતનાં પનોતા પુત્ર) તેમના સાથીઓ કાકા સાહેબ ગાડગીલ સાથે જુનાગઢ આવ્યા. અને બીજા દિવસે એટલે કે ૧૩ નવેમ્બર ૧૯૪૭ ના રોજ તેઓ સોમનાથ મંદિરના દર્શને ગયા અને ત્યાં સમુદ્રતટે તેમણે જળ હાથમાં લઈ સાથે આવેલા મહારાજ જામસાહેબ દિગ્વિજયસિંહજીની ઉપસ્થિતિમાં જાહેર કર્યું કે “ભારત સરકાર સોમનાથ મંદિરનું નવનિર્માણ કરશે અને જ્યોતિર્લિંગની સ્થાપના કરવાનો ઠરાવ કરે છે.” આ ઘોષણા ત્યાં હાજર રહેલ જનસમુદાયે સહર્ષ વધાવી અને દરેક સ્ત્રી પુરુષોની આંખોમાં હર્ષના આસું પણ ઉભરાયા. સરદાર સાહેબે ગંભીર અને મક્કમ સવારે જાહેર કર્યું કે “આજના નવા વર્ષના શુભ દિવસે અમે એવો નિર્ણય કર્યો છે કે ભગવાન સોમનાથના મંદિરને ફરી બાંધવું; સૌરાષ્ટ્રની પ્રજાએ તે માટે બનતું કરવું જોઈએ, કારણ કે આ પવિત્ર કાર્યમાં પ્રત્યેક વ્યક્તિએ પોતાનો યથાશક્તિ ફાળો આપવો જોઈએ.”

મહારાજા જામસાહેબે એક લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી. આરઝી હકુમતના શામળદાસ ગાંધીએ આરઝી હકૂમત વતી ૫૧ લાખ રૂપિયાની જાહેરાત કરી. વેરાવળમાં મિલીટરી થાણું પણ મૂકવામાં આવ્યું. મહારાજા જામસાહેબના અધ્યક્ષપદે સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી અને મંદિરના જીર્ણોદ્ધારનો પ્રારંભ થયો.

રાજા કુમારપાળ દ્વારા બંધાયેલ અને અનેક વખત ખંડિત થયેલ, તે સ્થળે નવા મંદિરને બાંધવાનો નિર્ણય ટ્રસ્ટે લીધો. પ્રભાસના લોકોએ, પ્રભાસ ઇતિહાસ સંશોધન સભા, સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદ વગેરે જેવી સંસ્થાઓએ સખત વાંધાઓ નોંધાવ્યા, પરંતુ સોમનાથ ટ્રસ્ટે આ બધા વાંધાઓને અમાન્ય રાખી પુરાતત્ત્વની એક દુર્લભ ઇમારત જેવા આ મંદિરને પાયેથી પાડી નાંખવાનો નિર્ણય લીધો.




क्या आप जानते हैं?

सरदार साहब का जूनागढ़ का ऐतिहासिक दौरा


क्या आप जानते हैं?

सरदार साहब का जूनागढ़ का ऐतिहासिक दौरा

सरदार साहब की जूनागढ़ यात्रा ऐतिहासिक थी क्योंकि उन्हें आने वाले भविष्य के लिए एक विरासत पेश करनी थी जो एक यादगार जगह है और इतिहास में बार-बार लूटे गए मंदिर को पुनर्स्थापित करने का संकल्प लेना था। यह ऐतिहासिक मंदिर सोमनाथ महादेव का मंदिर है। सरदार साहब जाम साहब, हिम्मतसिंहजी, दरबार साहब आदि के साथ जाम साहब के विमान से केशोद के लिए रवाना हुए। केशोद स्टेशन से रेजिडेंट सैलून (ट्रेन का विशेष डिब्बा) से जूनागढ़ तक। जूनागढ़ स्टेशन पर उन्हें विशेष गार्ड ऑफ ऑनर और माला पहनाकर सम्मानित किया गया। जूनागढ़ में एक सार्वजनिक बैठक में शामलदास गांधी ने जूनागढ़ के लोगों की ओर से सरदार साहब का सम्मान किया। और सरदार साहब ने इसका उचित उत्तर भी दिया। वेरावल एज सैलून और वहां से कार द्वारा सोमनाथ पहुंचे। वहां का खूबसूरत समुद्र तट पानी में पैर रखने पर शांति का एहसास कराता है। सोमनाथ में खंडहर हो चुके मंदिर को देखने और पातालेश्वर महादेव के नाम से प्रसिद्ध भगवान शिव के दर्शन करने के बाद सरदार साहब ने मंदिर परिसर की बैठक में सोमनाथ मंदिर के जीर्णोद्धार का संकल्प लिया।

दिनांक १२ नवंबर १९४७ को सरदार पटेल (भारत के रक्षा मंत्री और उप प्रधान मंत्री और गुजरात के पोते) अपने साथियों काका साहेब गाडगिल के साथ जूनागढ़ आये। और अगले दिन यानी १३ नवंबर १९४७ को उन्होंने सोमनाथ मंदिर के दर्शन किए और वहां समुद्र तट पर अपने साथ आए महाराज जामसाहेब दिग्विजयसिंहजी की उपस्थिति में उन्होंने घोषणाकी कि "भारत सरकार सोमनाथ मंदिर का जीर्णोद्धार करेगी और ज्योतिर्लिंग स्थापित करने का संकल्प लेगी।" इस घोषणा पर वहां मौजूद भीड़ खुशी से झूम उठी और हर महिला-पुरुष की आंखों में खुशी के आंसू छलक पड़े। सरदार साहब ने सुबह गंभीरता और दृढ़ता से घोषणा की कि “आज, नए साल के शुभ दिन पर, हमने भगवान सोमनाथ के मंदिर का पुनर्निर्माण करने का फैसला किया है; सौराष्ट्र के लोगों को इसके लिए अपना सर्वश्रेष्ठ प्रयास करना चाहिए, क्योंकि प्रत्येक व्यक्ति को इस पवित्र कार्य में अपनी क्षमता का योगदान देना चाहिए।”

महाराजा जामसाहब ने एक लाख रुपये दान देने की घोषणा की. आरज़ी हकूमत के शामलदास गांधी ने आरज़ी हकूमत की ओर से ५१ लाख रुपये देने की घोषणा की, वेरावल में एक सैन्य अड्डा भी स्थापित किया गया था। महाराजा जामसाहब की अध्यक्षता में सोमनाथ ट्रस्ट की स्थापना हुई और मंदिर का जीर्णोद्धार शुरू हुआ।

ट्रस्ट ने भगवान सोमनाथ के मंदिर के स्थान पर एक नया मंदिर बनाने का निर्णय लिया, जिसे राजा कुमारपाल ने बनवाया था। प्रभास के लोगों, प्रभास इतिहास अनुसंधान परिषद, सौराष्ट्र इतिहास परिषद आदि संगठनों ने कड़ी आपत्ति जताई, लेकिन सोमनाथ ट्रस्ट ने इन सभी आपत्तियों को नजरअंदाज कर दिया और एक दुर्लभ पुरातात्विक इमारत की तरह इस मंदिर को ध्वस्त करने का फैसला किया।



Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel



75 years of Sardar Patel's Somnath Temple Renovation Announcement

75 years of Sardar Patel's Somnath Temple Renovation Announcement




सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।
उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम्॥
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्।
सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने॥
वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे।
हिमालये तु केदारं घुश्मेशं च शिवालये॥
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः।
सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति॥
एतेशां दर्शनादेव पातकं नैव तिष्ठति।
कर्मक्षयो भवेत्तस्य यस्य तुष्टो महेश्वराः॥:

પુરાણોમાં તો સૃષ્ટિના સર્જન સમય થી જ શિવલિંગ પૂજા પ્રચલિત છે અને ભગવાન સોમનાથ બિરાજે છે. અને આ વાતને પ્રભાસખંડ ના છઠ્ઠા અધ્યાયમાં સમર્થન આપવામાં આવેલ છે. ભારત અને ગુજરાતનું સ્વાભિમાન સમું ભગવાન સોમનાથનું જયોર્તિલિંગની સ્થાપના સૌરાષ્ટ્રના દરિયા કિનારે પ્રભાસ પાસે આવેલ છે જે આજે સોમનાથ મંદિર તરીકે ઓળખાય છે અને જાજરમાન સોમનાથ મંદિરની ખ્યાતિ દેશ વિદેશમાં પ્રસરી હતી અને આ પ્રસિધ્ધિથી અંજાઈને કાબુલ નો મહમુદ ગઝની પોતાની ધનલાલસા સંતોષવા અને ગાઝીનું બિરુદ મેળવવા સોમનાથ ધ્વંસના ઈરાદે ઇ. સ. ૧૦૨૫-૨૬માં ભારત આવ્યો અને એ સમયે તેનો સામનો કરી શકે એવા કોઈ હિન્દુ રાજા નહોતા અને આથી મહમૂદ ગઝની માટે આ ખૂબ સરળ રહ્યુ. મહમુદ ગઝની ની સેનામાં આશરે ૩૦ હજાર ઘોડેસવાર અને ૫૪ હજાર જેટલા સેવકો અને તેમના સાધનો અને યુદ્ધ સામગ્રી સ્થાળાંતર માટે ૫૦ હજાર ઊંટો હતા. આશરે બધા મળીને એક લાખ જેટલા માણસો હતા. ગઝની એ ૫૪ હજાર સેવકોને વચન આપેલ કે સરાહના કાનૂન મુજબ સોમનાથની લૂંટનો ભાગ આપવામાં આવશે. સોમનાથમાં પોતાની સામે લડી શકે તેવો કોઈ વ્યક્તિ ના હોવાનું જાણી ગઝનીનું અભિમાન સમાતુ નહોતું, ગુરુવારની સાંજે સોમનાથમાં કોઈ સૈન્ય હતું નહીં અને મંદિરના રક્ષકો જ હતા અને આથી ગઝની ની સેના બેફિકર હતી, પરંતુ આ રક્ષકો અને પ્રજાજનોએ ભેગા મળી સેનાનો પ્રતિકાર કર્યો ત્યાં વસતા દરેક પોતાના ઇષ્ટદેવના રક્ષણાર્થે મૃત્યુના મુખમાં હોમાવા તૈયાર હતા. અચાનક પ્રબળ અણધાર્યો પ્રતિકાર ગઝની માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો હતો.

સોમનાથ મંદિર વિષે ઘણું લખી શકાય તેમ છે પરંતુ આજે આટલી વાતે વિરામ આપી મુખ્ય વાત એ છે કે આજે ૧૩ નવેમ્બર ૨૦૨૨, સરદાર પટેલે સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારનો સંકલ્પ લીધો હતો અને તે સંકલ્પ પૂર્ણ પણ થયો, આજે સોમનાથ દાદા સોમનાથ મંદિરમાં ગુજરાત અને સમગ્ર ભારતની આન, બાન, અને શાન સાથે બિરાજમાન છે. સરદાર સાહેબે જે દિવસે સંકલ્પ લીધો હતો તે તારીખ ૧૩ નવેમ્બર ૧૯૪૭ અને આજે તે વાતને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. તો આજે સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર નો સંકલ્પ કેવી રીતે થયો તે વિષે થોડી વાત.

સરદાર સાહેબનો જુનાગઢનો ઐતિહાસિક પ્રવાસ

સરદાર સાહેબનો જુનાગઢનો પ્રવાસ એટલા માટે ઐતિહાસિક હતો કારણકે તે આવનાર ભવિષ્યમાં એક એવી ધરોહર અર્પણ કરવાના હતાં કે જે એક યાદગાર સ્થળ અને ઈતિહાસમાં જેને વારંવાર લૂંટવામાં આવ્યું તે મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ લીધો હતો. આ ઐતિહાસિક મંદિર એટલે સોમનાથ મહાદેવનું મંદિર. સરદાર સાહેબ જામ સાહેબના પ્લેનમાં જામસાહેબ, હિંમતસિંહજી, દરબાર સાહેબ વગેરે સાથે કેશોદ માટે રવાના થયા. કેશોદ સ્ટેશનથી રેસિડેંટ સલૂનમાં (ટ્રેનનો ખાસ ડબ્બો) જુનાગઢ ગયા. જુનાગઢ સ્ટેશન પર તેમને ખાસ ગાર્ડ ઓફ ઓનર અને પુષ્પહારથી સન્માનિત કરવામાં આવ્યા. જુનાગઢમાં એક જાહેરસભામાં જુનાગઢના લોકો વથી શામળદાસ ગાંધીએ સરદાર સાહેબનું સન્માન કર્યું. અને સરદાર સાહેબે તેનો યોગ્ય જવાબ પણ આપ્યો. એજ સલૂનમાં વેરાવળ અને ત્યાંથી કાર દ્વારા સોમનાથ પહોચ્યા. ત્યાંના રમણીય દરિયા કિનારે પાણીમાં પગ રાખી એક શાંતિની અનુભુતી કરી. સોમનાથમાં ખંડેર હાલતમાં મંદિર જોઈ અને પાતાળેશ્વર મહાદેવ તરીકે ઓળખાતા ભગવાન શિવના દર્શન કરી મંદિર પરિસરની સભામાં સરદાર સાહેબે સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારની પ્રતિજ્ઞા લીધી.

તા. ૧૨ નવેમ્બર ૧૯૪૭ અને ૧૩ નવેમ્બર ૧૯૪૭

તા. ૧૨ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સરદાર પટેલ (ભારતના સંરક્ષણ પ્રધાન અને નાયબ વડા પ્રધાન તથા ગુજરાતનાં પનોતા પુત્ર) તેમના સાથીઓ કાકા સાહેબ ગાડગીલ સાથે જુનાગઢ આવ્યા. અને બીજા દિવસે એટલે કે ૧૩ નવેમ્બર ૧૯૪૭ ના રોજ તેઓ સોમનાથ મંદિરના દર્શને ગયા અને ત્યાં સમુદ્રતટે તેમણે જળ હાથમાં લઈ સાથે આવેલા મહારાજ જામસાહેબ દિગ્વિજયસિંહજીની ઉપસ્થિતિમાં જાહેર કર્યું કે “ભારત સરકાર સોમનાથ મંદિરનું નવનિર્માણ કરશે અને જ્યોતિર્લિંગની સ્થાપના કરવાનો ઠરાવ કરે છે.” આ ઘોષણા ત્યાં હાજર રહેલ જનસમુદાયે સહર્ષ વધાવી અને દરેક સ્ત્રી પુરુષોની આંખોમાં હર્ષના આસું પણ ઉભરાયા. સરદાર સાહેબે ગંભીર અને મક્કમ સવારે જાહેર કર્યું કે “આજના નવા વર્ષના શુભ દિવસે અમે એવો નિર્ણય કર્યો છે કે ભગવાન સોમનાથના મંદિરને ફરી બાંધવું; સૌરાષ્ટ્રની પ્રજાએ તે માટે બનતું કરવું જોઈએ, કારણ કે આ પવિત્ર કાર્યમાં પ્રત્યેક વ્યક્તિએ પોતાનો યથાશક્તિ ફાળો આપવો જોઈએ.”

મહારાજા જામસાહેબે એક લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી. આરઝી હકુમતના શામળદાસ ગાંધીએ આરઝી હકૂમત વતી ૫૧ લાખ રૂપિયાની જાહેરાત કરી. વેરાવળમાં મિલીટરી થાણું પણ મૂકવામાં આવ્યું. મહારાજા જામસાહેબના અધ્યક્ષપદે સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી અને મંદિરના જીર્ણોદ્ધારનો પ્રારંભ થયો. રાજા કુમારપાળ દ્વારા બંધાયેલ અને અનેક વખત ખંડિત થયેલ, તેમ છતાં અડીખમ ઊભેલા ભગવાન સોમનાથના મંદિરને પાડી તે સ્થળે નવા મંદિરને બાંધવાનો નિર્ણય ટ્રસ્ટે લીધો. પ્રભાસના લોકોએ, પ્રભાસ ઇતિહાસ સંશોધન સભા, સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદ વગેરે જેવી સંસ્થાઓએ સખત વાંધાઓ નોંધાવ્યા, પરંતુ સોમનાથ ટ્રસ્ટે આ બધા વાંધાઓને અમાન્ય રાખી પુરાતત્ત્વની એક દુર્લભ ઇમારત જેવા આ મંદિરને પાયેથી પાડી નાંખવાનો નિર્ણય લીધો.

૧૯ એપ્રિલ ૧૯૫૦ના રોજ સૌરાષ્ટ્રના પંત પ્રધાન શ્રી ઉછંગરાય ઢેબરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ૮ મે ૧૯૫૦ ના રોજ મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજીના વરદ હસ્તે શિલારોપણ વિધિ થઈ, અને ૧૧ મે ૧૯૫૧ ના રોજ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ (રાજેન બાબુ)ના વરદ હસ્તે સવારે ૯ વાગ્યે અને ૪૭ મિનિટે સોમનાથ જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા થઈ.

આજે પણ આ મંદિર ગુજરાત અને ભારતની અસ્મિતાને અમર રાખી, અચળ ધર્મના વિજયના પ્રતિકનો સંદેશો આપી રહ્યું છે.





SOMNATH TEMPLE TO BE REBUILT

SOMNATH TEMPLE TO BE REBUILT

Standing amidst the ruins of the famous temple of Somnath. During his visit to Kathiawar, in connection with the Junagadh State's preservation from anarchy by the Indian Dominion. Sardar Vallabhbhai Patel declared last week that the temple would be re-constructed and the image of Somnath reinstalled in the same site, where they stood when Mahomed Ghazni sacked and looted one thousand years ago. This act of vandalism which professor Habib has condemned as an act of avarice under the cloak of religion, was a wrong both to Islam and to Hinduism-more to Islam than to Hinduism. The restoration of the temple and the re-installation of the image will be a tardy atonement. But no one with a park of historic feeling, can fail to be thrilled by the declaration of the Sardar with whom were Mr. N. V. Gadgil, Minister of Public works in the Government of India, and the Jamasaheib of Nawanagar in whose territory Patan is situated. The outstanding movement of the last century and a half is the revival of Hinduism and the reconstruction of the Somnath Temple will be a fitting climax to it. It should not cost the State a single pice. Hindus all over India will gladly contribute the necessary funds. Broad minded Muslims, too will co-operate in redeeming their great religion from an infamy which the Ghazni-vites greed has associated with it in the popular mind.

Date November 22nd, 1947

Somnath Temple

© all rights reserved
SardarPatel.in