Showing posts with label બારડોલી સત્યાગ્રહ. Show all posts
Showing posts with label બારડોલી સત્યાગ્રહ. Show all posts

03 Do you know? About the poems of fights of Bardoli



૦૩ શું તમે જાણો છો?

બારડોલી લડતના કાવ્યો વિશે

આજે બારડોલી વિજય દિવસ ૧૨ જુન છે ત્યારે બારડોલી સત્યાગ્રહ સમયે જે સત્યાગ્રહી કાવ્યો કે કવિતાઓ લોકો ગાતા હતાં તે કવિતાઓ કે લોક ગીત કે યુધ્ધગીતો. ગુજરાત સત્યાગ્રહના ઇતિહાસમાં કદાચ પહેલીવાર હશે કે આવા લોકગીતોની રચના થઈ. દેશમાં યુધ્ધગીતો લખાય તે સ્વાભાવિક હતું અને ગીતો તો ખુબ રચાયા, જેને સત્યાગ્રહના ગીતો કહી શકાય, તેવા સત્યાગ્રહી ગીતોની શરૂઆત બારડોલી સત્યાગ્રહથી જ શરૂ થઈ.

બારડોલી સત્યાગ્રહ વિશે વધારે રસપ્રદ માહિતી વાંચવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો. : https://www.sardarpatel.in/search?q=bardoli

०३ क्या आप जानते हैं?

बारडोली सत्याग्रह लड़ाई की कविताओं के बारे में

आज 12 जून को बारडोली विजय दिवस है, बारडोली सत्याग्रह के दौरान लोग जिन सत्याग्रही कविताओं को गाते थे, वे कविताएं या लोक गीत या युद्ध गीत हैं। शायद गुजरात सत्याग्रह के इतिहास में पहली बार इस तरह के लोकगीत रचे गए। देश में युद्धगीतों का लिखा जाना स्वाभाविक था और ऐसे अनेक गीतों की रचना हुई, जिन्हें सत्याग्रह गीत कहा जा सकता है, ऐसे गीतों की शुरुआत बारडोली सत्याग्रह से ही हुई।

बारडोली सत्याग्रह के बारे मे अधिक जानकारी के लिए नीचे दी गए लिंक पर क्लिक करे : https://www.sardarpatel.in/search?q=bardoli

03 Do you know?

About the poems of fights of Bardoli

Today is Bardoli Victory Day on 12th June, the satyagrahi poems that people used to sing during the Bardoli Satyagraha, are poems or folk songs or war songs. Perhaps for the first time in the history of Gujarat Satyagraha, such folk songs were composed. It was natural for war songs to be written in the country and many songs were composed, which can be called Satyagraha songs, that was started from Bardoli Satyagraha itself.

Click on Link to Read More Interesting facts and stories about Bardoli : https://www.sardarpatel.in/search?q=bardoli



Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

Bardoli Satyagraha - બારડોલી સત્યાગ્રહ

Bardoli Satyagraha - બારડોલી સત્યાગ્રહ

બારડોલી સત્યાગ્રહ પુર્ણાહુતિ – બારડોલી દિવસ – ૧૨-૦૬-૧૯૨૮

આપણો વલ્લભ જ આપણો સરદાર – બારડોલી સત્યાગ્રહીઓ

મકોટી ગામના  ભીખીબેને વલ્લભભાઈ પટેલને સરદાર તરીકે સૌ પ્રથમ સંબોધન કર્યુ.

બારડોલી સત્યાગ્રહની ઉજવણી પ્રસંગે સરદાર પટેલે સત્યાગ્રહીઓને વિજય દિવસના અભિનંદન પાઠવી જણાવ્યું કે

બારડોલી સત્યાગ્રહના શુભ અંત માટે અભિનંદનના તારોથી મને નવડાવી મૂકવામાં આવ્યો છે. એ બધા અભિનંદનનો હું નમ્રભાવે માથે ચડાવું છુ. તે સાથે મને ભાન છે કે તે કાંઈ મારે માટે નથી, પણ બારડોલીના બહાદુર, નિ:સ્વાર્થ નરનારીઓ માટે તેમજ જેમના સહકાર વિના આ શાંતિમય લડત ચલાવવી અશક્ય થઈ પડત તે મારા સાચા સ્વયંસેવકોના દળ માટે છે.

વળી મને એ વાતનું પણ ભાન છે કે આ પ્રસંગના અભિનંદન ધારાસભાના જે સભ્યો, જે જે સરકારી અમલદારો અને બીજાઓ સર્વ પક્ષોને ગ્રાહ્ય એવી સમાધાની કરવામાં એક બીજાથી સરસાઈ કરી રહ્યા તે સૌની જ ભાગીદારી છે.

મને ઉમેદ છે કે આ લડત ચાલતી વખતે જે અદ્ભુત સહકાર સત્યાગ્રહીઓને મળ્યો, તેવો જ સહકાર લડત સમાપ્ત થયા પછી શરૂ થતા અમારા રચનાત્મક અને વધુ કઠણ કાર્યમાં પણ મળવો ચાલુ જ રહેશે. જરૂરી પુરાવાઓ તૈયાર કરવાનું અને હકીકતો એકઠી કરવાનું કામ તેમજ તેનાથી પણ મોટુ બારડોલીના ખેડુતોની અંદર રચનાત્મક કાર્ય કરવાનું એ, જો બારડોલી વાલોડની પ્રજામાં જાગૃત થયેલા નવજીવનનું પુરેપુરૂ ફળ આપણે લેવા માંગતા હોઈએ તો, હવે પછી કરવાનું કામ છે, અને તેમાં સ્વયંસેવકો જેટલી સેવા અને જેટલી ભક્તિ આપી શકે તેટલી ઓછી જ છે.

બારડોલી સત્યાગ્રહ ફક્ત ગુજરાત પુરતો જ નહોતો રહ્યો તેની કહાની તો આખો દેશ જાણાતો થયો, અને બારડોલી સત્યાગ્રહના કારણે બ્રિટિશ સરકારના મુળિયા હલવાની શરૂઆત થઈ હતી.

સરદાર પટેલ દેશની આઝાદીનો યજ્ઞ કરતા હોય અને તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ જેઓ વડી ધારાસભાના પ્રમુખ હોય તેઓ પોતે અળગા કેવી રીતે રહી શકે. સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહમાં જે કાર્યો કર્યા અને તે સફળ બનાવ્યો તે વિશે ઘણી વાતો જાણવા મળી પરંતુ વિઠ્ઠલભાઈ પટેલ તે સમયે કેવી રીતે મદદરૂપ થતા હતા તે વિશે એક પત્ર મહાત્મા ગાંધીજીને લખેલ જેમાં તેમણે જણાવ્યુ કે બારડોલીની લડત ચાલે ત્યાંસુધી દર મહિને રૂ. ૧૦૦૦ બારડોલીના ખેડુતોની મદદને માટે મોકલવાનું વચન આપ્યું. આ પત્રમાં તેમણે લખ્યું કે

પુજ્ય મહાત્માજી

બારડોલી તાલુકાના લોકોની મદદને માટે નાણાંની મદદ સારૂ જે અપીલ આપે બહાર પાડી છે તે મેં વાંચી. બારડોલી તાલુકો મને વડી ધારાસભામાં ચૂંટી મોકલનાર મારા મતદાર સંઘનો એક ભાગ છે. એક ગુજરાતી તરીકે અને વડી ધારાસભામાંના ગુજરાત તરફના સભ્ય તરીકે બારડોલીમાં અત્યારે જે લડત ચાલી રહી છે તેનો હું ઝીણવટપૂર્વક અભ્યાસ કરૂ છું. બારડોલીના સત્યાગ્રહીઓને દાદ અપાવવા મારા દરજ્જાને લગતી ફરજો સાચવીને મારાથી જે કાંઈ બની શક્યું તે મેં યથાશક્તિ કર્યુ. જો હિંદુસ્તાન સરકારના અખત્યારમની આ બાબત હોત તો તાજા જ પડેલા શિરસ્તા મુજબ નામદાર વાઈસરોયને અગરતો તે ખાતાના કારોબારી સભ્યને વચ્ચે પડીને સહાનુભૂતિપૂર્વક આ મામલાનો ઉકેલ કરી દેવા હું વિનવત. ગયે વર્ષે મારા મતદાર સંઘવાળા ક્ષેત્રમાં (ગુજરાતમાં) જલપ્રલય થયો ત્યારે મારી વિનંતીને માન આપી નામદાર વાઈસરાયે પીડિત પ્રદેશોની મુલાકાત લઈને તથા મારા લોકોને નૈતિક તેમજ પ્રત્યક્ષ મદદ કરીને એ ટેકો આપીને એ શિરસ્તો પાડ્યો છે. પણ આ મામલો મુંબઈ સરકારના સુવાંગ અખત્યારમાંની બાબત હોવાથી મજકુર શિરસ્તાનો મારાથી આધાર લઈ શકાય તેમ નથી.

બારડોલીની લડતના મારા અભ્યાસથી મારી ખાત્રી થઈ છે કે સ્વતંત્ર અને નિષ્પક્ષ પંચની બારડોલીના લોકોની માંગણી કેવળ વાજબી છે. પોતાની ફરિયાદનો નિકાલ લાવવા માટે બંધારણસરના જે જે માર્ગો એમને માટે ખુલ્લા હતા તે તમામ તેઓ અજમાવી ચૂક્યા છે એની પણ મને ખાત્રી થઈ છે. બારડોલીના સ્ત્રીપુરૂશોની હિંમત, ધીરજ અને સહનશીલતા હું જેટલી પ્રશંસાપૂર્વક નિહાળી રહ્યો છું તેટલું જ દુ:ખ અને રોષ, તાલુકાના લોકોની અને પોતાની વચ્ચે તકરારનું કારણ થઈ પડેલું મહેસૂલ વસૂલ કરવા સરકારે જે દમનનીતિના પગલાં ભર્યા છે તેમાંનાં કેટલાંક જોઈને થાય છે. હું માનું છુ કે અનેક દાખલાઓમાં એ પગલાં કાયદો, વ્યવસ્થા અને સભ્યતાની હદ વટાવી ગયા છે. અને ઉત્તર વિભાગના કમિશ્નરના તુમાખી ભરેલા કાગળે એ ઘામાં મીઠું ભરી મામલો દુ:ખભરી રીતે બગાડી મૂક્યો છે.

આ સંજોગોમાં મને લાગે છે કે મારાથી હાથ પગ જોડીને મૂંગા બેસી રહેવાય નહી. આ સાથે હું બારડોલી સત્યાગ્રહ ફાળામાં રૂ. ૧૦૦૦ની નાનકડી ભેટ મોકલું છું. તાલુકાના લોકો પ્રત્યેની મારી ઊંડી સહાનુભૂતિ તથા મુંબઈ સરકારની દમનનીતિના પગલાં તેમજ ઉત્તર વિભાગ ના કમિશ્નરના પત્ર વિષે મારો સખ્ત અણગમો, અત્યારની ઘડીએ હું આ કરતા વધુ સચોટ બીજી કોઈ રીતે નથી દર્શાવી શકતો એ માટે દિલગીર છું. ઉપર જણાવેલી રકમ લડત ચાલશે ત્યાં સુધી દર મહિને હું મોકલ્યા કરવા માગું છું.

ઊંચો હોદ્દો ભોગવવાનું મને માન આપવામાં આવ્યું છે તે હોદ્દાને જેમણે મને એ સ્થાન માટે ચૂંટી કાઢ્યો તેમની મારા હાથમાં મૂકેલી એક થાપણ તરીકે જ હું માનું છું. વળી હું આપને આ વિશેષ ખાત્રી આપવા ઈચ્છું છું કે પહેલામાં પહેલી તકે તેમની સાથે હું વધુ મસલત કરીશ અને જો મને જણાશે કે બારડોલીની પીડિત પ્રજાને મદદ કરવા માટે બીજું કોઈ વધુ સંગીન પગલું હું લઈ શકું એમ છું તો તમે જોશો કે તેમ કરવામાં હું પાછળ નહી પડું.

લી. વિઠ્ઠલભાઈના વંદે માતરમ




sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

Bardoli Satyagraha - બારડોલી સત્યાગ્રહ


Bardoli Satyagraha - બારડોલી સત્યાગ્રહ 
બારડોલી સત્યાગ્રહમાં બાપુના બગીચાના બે ફૂલ

એક ફૂલચંદ બાપુજી શાહ (નડિયાદ) અને બીજા કર્મવીર ફૂલચંદ કસ્તુરચંદ તંબોળી (વઢવાણ)

આજે ૧૨ જુન બારડોલી વિજય દિવસ પ્રસંગે બારડોલી સત્યાગ્રહ વિશે કહી શકાય કે જેમ ગાંધીને દાંડીકૂચ થી અળગા ન કરી શકાય તેમ સરદાર પટેલને બારડોલીથી અળગા ન કરી શકાય. બારડોલી સત્યાગ્રહે સરદારના સત્યાગ્રહ જીવનથી અળગો ન કરી શકાય. બારડોલી સત્યાગ્રહે જ વલ્લભભાઈને “સરદાર” બનાવ્યા.

જ્યારે કોંગ્રેસ મહાસમિતિએ વર્ષ ૧૯૨૧માં દિલ્હીમાં નક્કી કર્યુ કે પ્રાંતિક સમિતિઓ સત્યાગ્રહની લડતો કરી શકશે. અને આ સત્યાગ્રહો કરવા માટે જીલ્લો કે તાલુકો ઘટક તરીકે લઈ શકાય. ગુજરાતમાંથી આણંદ અને બારડોલીમાંથી સરદાર પટેલે પસંદગી નો કળશ બારડોલી પર ઢોળ્યો. બારડોલી સત્યાગ્રહમાં તો અનેક સત્યાગ્રહીઓએ ભાગ લીધો અને બારડોલી સત્યાગ્રહમાં વિજય થયો. બારડોલી સત્યાગ્રહ સમયે સરદાર પટેલના ભાષણોથી લોકો મંત્રમુગ્ધ થયા.

ફૂલચંદભાઈ બાપુજી શાહનો જન્મ ૧૮૮૨માં નડિયાદ શહેરમાં થયો હતો. તેમનું જાહેર જીવન ૧૯૦૦ની સાલથી શરૂ થયુ, વર્ષ ૧૯૦૨ની અમદાવાદની રાષ્ટ્રીય કોંગ્રેસ પરિષદમાં ભાગ લીધો અને ત્યારથી જ તેઓ રાષ્ટ્રના કામમાં સક્રિય થયા. ખેડા જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રારંભથી તેઓ મંત્રી રહ્યા અને અંતિમ સમય સુધી રહ્યા. વર્ષ ૧૯૦૬માં તેમણે “ગુજરાત”નામની પત્રિકા શરૂ કરી. સાથે સાથે આ જ સમયગાળામાં તેમણે હિંદુ અનાથાશ્રમની પણ સ્થાપના કરી. “આર્ય પ્રકાશ” સાપ્તાહિકના તંત્રી તરીકે કામ કર્યુ. તેમણે ખેડા સત્યાગ્રહ, નાગપુર સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો

કર્મવીર ફૂલચંદભાઈ કસ્તુરચંદ (શાહ) તંબોળીનો જન્મ ૦૨-૦૩-૧૮૯૫ના દિવસે વઢવાણ શહેરમાં થયો હતો. ગાંધીજીએ આફ્રિકાથી પરત આવી કોચરબ આશ્રમની સ્થાપના અમદાવાદમાં કરી ત્યારે ફૂલચંદભાઈ તંબોળી ગાંધીજી સાથે રહ્યા. બારડોલીની લડતમાં કદાચ પહેલી જ વાર ગુજરાતમાં આ બન્યું હશે કે સત્યાગ્રહ સમયે અનેક કવિતાઓ લખાઈ, કે જેને સત્યાગ્રહના ગીતો કહી શકાય, દેશમાં યુધ્ધ ગીતો લખાય તે સ્વાભાવિક હતું પરંતુ સરઘસો અને સભાઓમાં ગીતો ગવાયા, તે મોટા ભાગના ગીતો બારડોલી સત્યાગ્રહ દરમ્યાન અલગ અલગ કવિઓ દ્વારા લખાયા હતા. અમુક ગીતો તો જેમનું સાહિત્યમાં નામ પણ નહી હોય તેવાં કવિઓએ પણ લખ્યાં આવા કવિ તરીકે ફૂલચંદ (શાહ) તંબોળી કે જેમણે અનેક કવિતાઓ લખી.

૧) અમે લીધી પ્રતિજ્ઞા પાળશું રે, ૨) શુરા જીતે સંગ્રામ માથાં મેલી, ૩) તારા વાગે નગારાં હવે અંતનાં રે, ૪) નહી હઠશે નહી હઠશે, બહાદુરો પાછા નહી હઠશે, ૫) અમે રોપ્યો સત્યાગ્રહ માંડવો રે, ૬) અમે ડરતા નથી હવે કોઈથી રે, ૭) ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે (સરદાર ફિલ્મમાં શરૂઆતમાં આ ગીત આવે છે), ૮) યજ્ઞ અમે માંડ્યો રે, ૯) બાણ વાગ્યાં સરકારના છાતીએ, ૧૦) વીરહાક વાગે છે, ૧૧) શૂરાના સંતાન, અમે સહુ, ૧૨) કોણ કહે છે લોકો ડરશે, ૧૩) સતનો માંડ્યો છે સંગ્રામ, ૧૪) જુધ્ધ્માં જુધ્ધમાં નહી સરકાર ફાવે, જુધ્ધમાં, ૧૫) જે દુ:ખ પડે તે પડવા દેજો રે, ૧૬) ડરતા નથી સરકારથી રે, ૧૭) નહી ભરીશું, નહી ભરીશું, સરકાર મહેસૂલ, ૧૮) લાજ રાખી પ્રભુએ આપણી રે, ૧૯) હાક વાગી વલ્લભની વિશ્વમાં રે,

બારડોલી સત્યાગ્રહમાં તેમના રચાયેલ કાવ્યોએ સત્યાગ્રહીઓમાં જુસ્સો ભરવાનું કામ કર્યુ. આમ આ લોકપ્રિય યુધ્ધગીતો તેમણે લખ્યા અને લોક મુખે ખુબ ગવાયા. ફૂલચંદ શાહ સાહિત્યની ગલીઓમાં કદાચ બહુ લોકપ્રિય નહી હોય, પણ બારડોલી સત્યાગ્રહ અને સરદાર પટેલ વિશે અનેક કાવ્યો, ગીતો, સંખ્યાબંધ કવિઓએ લખ્યા. જેમા  બાળગીતોના કવિ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ, ગરબાઓથી પ્રસિધ્ધ થયેલા કેશવ ભટ્ટ, સુરતના કવયિત્રી જ્યોત્સનાબે શુક્લ, કવિ લલિત, કવિ સ્નેહરશ્મિ વગેરેઓએ પણ ખુબ કાવ્યો અને લોક ગીતો લખ્યા.

            તેમણે વઢવાણમાં રાષ્ટ્રીય શાળા શરુ કરી. આ શાળા આર્થિક ભીડ નિવારવા ફૂલચંદભાઈ અને શિવાનંદભાઈએ એડન જવાનું નક્કી કર્યુ પરંતુ એડનમાં મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો હોવાના કારણે તે મુલત્વી રાખ્યું. અને પોરબંદર જઈ ફાળો ઉઘરાવવા લાગ્યા. પોરબંદરમાંથી સારી એવી રકમ મળી. પોરબંદરથી માંગરોળ જવાના રસ્તામાં જ બારડોલી સત્યાગ્રહના સમાચાર જાણવા મળ્યા આથી ફાળો ઉઘરાવવાનું કામ પડતું રાખી બન્ને બારડોલી જવા નિકળ્યા. શરૂઆતમાં તો દરેક ગામડાઓ ખુંદી વળી, ગામના ભજનો બનાવવાની શરૂઆત થઈ હતી. ગામજનોને આ ભજનોમાં રસ પડતો, શિવાનંદજી કડતાલથી રમઝત બોલાવતા, રામનારાયણ વીર રસની વાર્તાઓ કહેતા. લડાઈ શરૂ થઈ ગયેલ અને દરેક વિભાગના વડાને કામ સોંપાયેલા. લોકોને મક્કમ રાખવાનું, લડતનું રહસ્ય સમજાવવું, કોઈ મહેસૂલ ન ભરી દે તેની તકેદારી રાખવી વગેરે જેવા કાર્યો દરેકને સોંપાયા. આગેવાનો માટે મોટરની સગવડ હતી અને ફૂલચંદભાઈ, શિવાનંદજી તથા અન્યો માટે ગાડુ સોંપેલ. વેડછીવાળા ચુનીભાઈ, સુરજબેન, તથા રાનીપરજની બાળાઓ સાથે લોકગીતોની રમઝટ બોલાતી. ભોજનની સાથે મૃદંગ, મંજીરા, ગીતની ચોપડીઓ સાથે રાખતા. એક સ્વયંસેવક ઢોલ વગાડે એટલે બધા ભાઈ-બહેનો ભેગા થઈ સાંજની સભા જામતી. સભા દરમ્યાન એ લોકો ચોધરી ભાષામાં બોલે એટલે ફૂલચંદભાઈ, શિવાનંદજી વગેરેને સમજ ના પડે, ચુનીભાઈ કે કેશવભાઈ તેમની ચોધરી ભાષામાં લોકોને સમજાવી કે અમે બહુ ભારે – મોટા આગેવાન છે એવી ઓળખ આપતા ત્યારે આ બન્નેને શરમ પણ આવે. પાકની સ્થિતિ, ગરીબાઈ મહેસૂલ વધારો વગેરે બાબતો સમજાવી કેશવભાઈ પૂછે કે વધારો ભરવો છે? વલ્લભભાઈ પટેલ કહે છે કે નહી ભરવો. બધા બોલી ઊઠે “ની ભરી, ની ભરી”. આ ભોળા ગરીબ લોકો વલ્લભભાઈને નવા રાજા તરીકે ઓળખતા. અને વલ્લભભાઈ પ્રત્યે આદર એટલો કે તેમનો પડ્યો બોલ ઝીલતા.

આ ભોળા લોકોમાંથી જ મકોટીના ભીખીબેન બાવાભાઈ પટેલે વલ્લભભાઈને “સરદાર” કહી બોલાવ્યા.

આપણો “વલ્લભ” જ આપણો “સરદાર”

 

 

                       


Songs sung during Bardoli Satyagraha

Songs sung during Bardoli Satyagraha
બારડોલી લડતના કાવ્યો

બારડોલી વિજય દિવસ ૧૨ જુન નજીક આવી રહ્યો છે ત્યારે બારડોલી સત્યાગ્રહ સમયે જે સત્યાગ્રહી કાવ્યો કે કવિતાઓ લોકો ગાતા હતાં તે કવિતાઓ કે લોક ગીત કે યુધ્ધગીતો. ગુજરાત સત્યાગ્રહના ઇતિહાસમાં કદાચ પહેલીવાર હશે કે આવા લોકગીતોની રચના થઈ. યુધ્ધગીતો તો ખુબ રચાયા, પણ સત્યાગ્રહી ગીતોની શરૂઆત બારડોલી સત્યાગ્રહથી શરૂ થઈ.

 

શિર્ષક : - શૂર સંગ્રામ કો

 

શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં

        દેખ ભાગે સોઉ શૂર નાહી – શૂર..

કામ ઔર ક્રોધ મદ લોભ સે ઝુઝના

        મંડા ઘમાસાણ તંહ ખેત માંહી -  શૂર..

શીલ ઔર શૌચ સંતોષ સાથી ભયે

        નામ શમશેર તંહ ખૂબ બાજે – શૂર..

કહત કબીર કોઉ ઝુઝિ હૈ સૂરમાં

        કાયરાં ભેડ તંહ તુરત ભાજે – શૂર..

 

કબીર


સંદર્ભ : બારડોલી સત્યાગ્રહ – ઈશ્વરલાલ દેસાઈ. 




sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

Bardoli Diwas - બારડોલી દિવસ - બારડોલી સત્યાગ્રહનો ઘટનાક્રમ

Bardoli Diwas - બારડોલી દિવસ - બારડોલી સત્યાગ્રહનો ઘટનાક્રમ

શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં

            દેખ ભાગે સોઉ શૂર નાહીં

કામ ઔર ક્રોધ મદ લોભ સે ઝૂઝના,

            મંડા ઘમસાણ તંહ ખેત માહી

શીલ ઔર શૌચ સંતોશ સાથી ભયે,

            નામ શમ્શેર તંહ ખૂબ બાજે

કહત કબીર કોઉ ઝુઝિ હૈ સૂરમાં,

            કાયરાં ભેડ તંહ તુરત ભાજે

                                    કબીર

 

આજે ૧૨-૦૬-૨૦૨૧ એટલે કે બારડોલી દિવસ (૧૨-૦૬-૧૯૨૮ બારડોલી વિજય દિવસ) ૯૩ વર્ષ પહેલાં ભારત અને સમગ્ર વિશ્વને સરદાર મળ્યાં, એક એવો સત્યાગ્રહી કે આંદોલનકારી જે જેણે અંગ્રેજોના હાજા ગગડાવી દીધા, વલ્લભભાઈ પટેલની વકીલાતથી તો આમેય બોરસદ, આણંદ, ગોધરા અને અમદાવાદની કોર્ટોના અંગ્રેજ જજો અને વકીલો ડરતા હતા અને ત્યારબાદ ગુજરાત ક્લબમાં પોરબંદરના એક ઔર વીરલા ગાંધી સાથે ભેટો થયો પછી તો પુછવું જ શું? આખરે ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું, પણ અત્યારે વાત વલ્લભભાઈ પટેલની કે જેમણે બારડોલી સત્યાગ્રહની કમાન સંભાળી અને આખરે એક ઐતિહાસિક જીત મેળવી જે દરમ્યાન મકોટી ગામના શ્રીમતી ભીખીબેને વલ્લભભાઈને સરદાર કહી બોલાવ્યાં કહ્યું “આજથી તમે અમારા સરદાર” અને આજે પણ આપણે સૌ વલ્લભભાઈ પટેલને સરદાર પટેલથી જાણીએ છીએ. ઉપરોક્ત કબીરની કવિતા કે દોહો એ દરેક શૂરા સત્યાગ્રહીને સમર્પિત.

 

બારડોલી સત્યાગ્રહનો ઘટનાક્રમ :

 

તા. ૦૬-૦૯-૧૯૨૭ :        બારડોલીના જૈનોના અપાસરામાં તાલુકાના લોકોની જંગી સભા થઈ. અને સભામાં મહેસૂલનો

વધારો નહી ભરવાનો ઠરાવ થયો. આ સભામાં શ્રી દાદુભાઈ પુરુષોત્તમ દેસાઈ અને શ્રી ભીમભાઈ રણછોડજી નાયકની હાજર હતા.

તા. ૧૧-૧૨-૧૯૨૭ :        શ્રી શિવદાસાનીના પ્રમુખપદ હેઠળ વાલોડ મહાલના લોકોની સભા મળી અને આ સભાએ વધારાનું

મહેસૂલ ભરવાનો ઈનકાર કાર્યો.

તા. ૦૫-૦૨-૧૯૨૮ :        બારડોલીમાં વધેલું અન્યાયી મહેસૂલ ખેડૂતો ન ભરે તે માટે શ્રી વલ્લભભાઈએ ચળવળની શરુઆત કરી.

તા. ૧૨-૦૨-૧૯૨૮ :        બારડોલીના હજારો ખેડૂતોએ સભા ભરીને વધેલું મહેસૂલ નહી ભરવાની પ્રતિજ્ઞા લીધી.

તા. ૨૯-૦૨-૧૯૨૮ :        સત્યાગ્રહી ખેડુતોની જમીનોનું લિલાઉ થવાની શરૂઆત થઈ

તા. ૦૩-૦૫-૧૯૨૮ :        બારડોલી અને વાલોડમાં સરઘસો અને નગારાનો પ્રતિબંધ થયો.

તા. ૨૭-૦૫-૧૯૨૮ :        બારડોલીમાં જંગી હડતાળ પડી

તા. ૦૪-૦૬-૧૯૨૮ :        વધેલા જમીન મહેસૂલ સામે વિરોધ દર્શાવવા માટે મુંબઈની ધારાસભામાંથી સભ્યોએ રાજીનામાં આપવાની શરુઆત કરી.

તા. ૧૨-૦૬-૧૯૨૮ :        “બારડોલી દિન” અને મકોટીના શ્રીમતી ભીખીબેને વલ્લભભાઈને ઉદ્દેશીને કહ્યુ “આજથી તમે અમારા સરદાર”

તા. ૧૩-૦૬-૧૯૨૮ :        હિંદી વજીર એ બારડોલીની લડતમાં હસ્તક્ષેપ કરવાની ના પાડી

તા. ૧૭-૦૬-૧૯૨૮ :        હિંદી વેપારી ચેમ્બરના પ્રતિનિધિઓ સાથે સમાધાનની ચાલેલી મસલત પડી ભાંગી, તથા કનૈયાલાલ મુંશીએ ગવર્નરને છેલ્લો પત્ર લખીને બારડોલીમાં ચાલતી સરકારની દમનનીતિ વિશે ચોકવનારી વિગતો આપી અને ધારાસભામાંથી રાજીનામું આપ્યું.

તા. ૨૧-૦૬-૧૯૨૮ :        બારડોલીમાં ચલતી દમનનીતિમાં સ્વતંત્ર તપાસ કરવા માટે શ્રી કનૈયાલાલ મુંશીએ પોતાના પ્રમુખપદ હેઠળ કમિટીની સ્થાપના કરી.

તા. ૨૪-૦૬-૧૯૨૮ :        મુંશી કમિટીએ તપાસ શરુ કરી.

તા. ૦૮-૦૭-૧૯૨૮ :        કોંગ્રેસ નેશનાલીસ્ટ પક્ષે સરકારને બારડોલીના મામલામાં તપાસ કરવા જણાવ્યું

તા. ૧૬-૦૭-૧૯૨૮ :        ગવર્નરે બારડોલી વિષે વાઈસરોય જોડે સીમલામાં મસલત કરી.

તા. ૧૮-૦૭-૧૯૨૮ :        ગવર્નરે બારડોલીના ખેડુતોના ડેપ્યુટેશન સાથે સુરતના કિલ્લામાં મસલત કરી, સરકારી શરતોની જાહેરાત કરી.

તા. ૨૦-૦૭-૧૯૨૮ :        સરદાર વલ્લભભાઈએ સરકારી શરતોનો અસ્વીકારવાની જાહેરાત કરી.

તા. ૨૧-૦૭-૧૯૨૮ :        તાડીના માંડવાઓના લિલાઉ થાય તે માટે પિકેટીંગ કરતા શ્રી મણીલાલ કોઠારી, કુ. મીઠુબેન પીટીટ, શ્રીમતી ભેંસાણીઆ, ડો. ઘીઆ વગેરેની ધરપકડ થઈ.

તા. ૨૩-૦૭-૧૯૨૮ :        મુંબઈની ધારાસભામાં ગવર્નરે, સમાધાન ન થાય તો દમનનીતિ આદરવાની ધમકી આપી. અર્લ વીંટરટને પન આમની સભામાં ખુલાસો કરતા મુંબઈ સરકારની નીતિને ટેકો આપ્યો.

તા. ૨૫-૦૭-૧૯૨૮ :        સરકારના અલ્ટીમેટમ સામે મુંબઈની ધારાસભાના સભ્યોએ વિરોધ કર્યો. તથા શ્રી રામચંદ્ર ભટ્ટે બારડોલીના ખેડૂતોનું વધારાનું મહેસૂલ ડિપોઝિટ તરીકે મુકવાની ઈચ્છા દર્શાવી.

તા. ૨૬-૦૭-૧૯૨૮ :        સરકારે શ્રી રામચંદ્ર ભટ્ટને વળતા જવાબમાં જણાવ્યુ કે તમારી ઓફર ધારાસભામાં સુરતના સભ્યો દ્વારા કરો.

તા. ૦૨-૦૮-૧૯૨૮ :        ગાંધીજીનું બારડોલીમાં આગમન

તા. ૦૨-૦૮-૧૯૨૮ :        ધારાસભાના ગુજરાતના સભ્યોના આમંત્રણના કારણે શ્રી વલ્લભભાઈ પૂના ગયા

તા. ૦૩-૦૮-૧૯૨૮ :        શ્રી વલ્લભભાઈ પટેલ સાથે પૂનામાં સર ચૂનીલાલ મહેતાને ઘેર સમાધાનની ગંભીર વાતો ચાલી.

તા. ૦૪-૦૮-૧૯૨૮ :        પૂનામાં સમાધાનની વાતો ચાર વાગ્યા સુધી ચાલી અને ત્યારબાદ શ્રી વલ્લભભાઈ સુરત પરત જવા નિકળ્યા

તા. ૦૫-૦૮-૧૯૨૮ :        આખરે સુરતમાં સમાધાન થયુ

તા. ૦૬-૦૮-૧૯૨૮ :        સુરતના સભ્યોએ રેવેન્યુ મેમ્બરને પત્ર લખીને સરકાર શરતો બર આવશે તેમ જાહેર કર્યુ અને સરકારે જાહેરનામુ બાહર પાડી સંપુર્ણ સ્વતંત્રને ખુલ્લી તપાસ કમિટી નીમવા જણાવ્યું

તા. ૦૯-૦૮-૧૯૨૮ :        મહાત્મા ગાંધી અને શ્રી વલ્લભભાઈએ યાદી બહાર પાડી, લડતની પૂર્ણાહુતિ જાહેર કરી અને પ્રજાને વધારો ભરવા, ભૂલેલાનો બહિષ્કાર છોડવા અને તપાસ માટે પુરાવાઓ ભેગા કરવા અને રચનાત્મક કાર્યો કરવા અપીલ કરી.

 

લાજ રાખી પ્રભુએ આપણી રે,

            જીત આપી પળાવી ટેક

શસ્ત્રધારી શસ્ત્ર બૂઠાં થયા રે,

            શસ્ત્રધારી થયા છે ફજેત

એક ટીપુ પાડ્યુ નથી લોહીનું રે,

            યુધ્ધ જીત્યા દાનત કરી નેક

શસ્ત્ર દૈવી લીધાં છે હાથમાં રે,

            નથી છોડ્યો લગારે વિવેક

પૂરણ પુણ્યે વલ્લભભાઈ પામીઆ રે,

            લીધો તાલુકા કાજે ભેખ

બારડોલીનો ડંકો વાગીઓ રે,

            બધી કોમો ઝૂઝી બની એક

ગયા થંભી આકાશમાં દેવતા રે,

            પુષ્પવૃષ્ટિ કરે ધરી હેત

                                    ફુલચંદ શાહ (વઢવાણ)

સંદર્ભ : બારડોલી સત્યાગ્રહ – સંપાદક – ઈશ્વરલાલ દેસાઈ. 

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

Vallabhbhai's Patriotism - Sardar Patel - सरदार पटेल - સરદાર પટેલ

Vallabhbhai's Patriotism

Sardar Patel - सरदार पटेल - સરદાર પટેલ 

શ્રી અમૃતલાલ યાજ્ઞિકે સરદારની ઝાંખી ખુબ સરસ રીતે વર્ણવી છે. સરદાર પટેલ રાષ્ટ્રપ્રેમી, અનોખી વ્યવસ્થાશક્તિવાળા અને વ્યવહારુ દ્રષ્ટિએ સ્થિતિ પારખી લઈ તુરત નિર્ણય લેનાર રાજપુરુષ હતા. કાશ્મીર, જુનાગઢ અને હૈદ્રાબાદ સામે જે પગલાં લેવાની જે હિંમત તેમણે દેખાડી તેના લીધે રાષ્ટ્રના ઇતિહાસમાં તેઓ હંમેશા અમર થયા.

સરદાર ગાંધીજીના વફાદાર સેવક હતા ને ગાંધીજીની ભાવનાના રંગે રંગાયા હતા, છતાં તેમની નિજી પ્રતિભા કાર્યશીલ રહેતી હતી તે હકીકત છે. પાકિસ્તાન વિશે ગાંધીજી સિધ્ધાંતોને વળગીને વિચારતા જ્યારે સરદાર વ્યવહારુ નજરે વિચારતા, આથી મતભેદને અવકાશ મળે જ, છતાં સમગ્ર જીવન ગાંધીજીના મૂલ્યોના રંગે રંગાયેલા રહ્યા. તેમણે તેમના પુત્ર ડાહ્યાભાઈને એક પત્ર લખેલ તે આ બાબતને સ્પષ્ટ કરે છે.

તેઓ લખે છે કે : “તમે ઓફિસમાં જે પત્રો લખો છો તેમાં ભાષા ઉગ્ર અને સામાને માઠું લાગે તેવી હોય છે. હકીકતમાં તો આપણાથી નાના માણસો હોય તેમની સાથે મીઠાશથી અને આદર પુર્વક કામ લેવું જોઈએ. કોઈને માઠું લાગવા જેવું કાંઈ લખેલ હોય તો માફી માંગજો અને તેમને પ્રેમ સંપાદન કરજો. મારો સ્વભાવ પણ કડક હતો, પણ મને એ વિશે ખુબ પસ્તાવો થયો છે. અનુભવથી તમને લખું છુ.”

આ પત્રમાં સરદારનું પોતાનાથી નાન વ્યક્તિઓ કે માણસો પ્રત્યેનો આદર અને પ્રેમાળ દિલની ઝાંખી થાય, સાથે સાથે તેઓ પોતાના પુત્રને પણ આજ રીતે વર્તવું તે સમજાવે છે. આમ એક વાત તો ચોક્કસ પણે કહી શકાય કે સરદાર પટેલનું વ્યક્તિત્વ કડક હોવા છતાં તેઓ કોમળ હ્રદયના પણ હતા.

સરદાર પટેલ કર્મવીર હતા, ફક્ત મોટી મોટી વાતો કર્યા કરનાર પ્રત્યે તેમને હંમેશા અનાદર રહ્યો. ગાંધીજી ૧૯૧૫માં હિંદુસ્તાન આવ્યા ત્યારે તેમની ઘણી પ્રતિષ્ઠા હતી. ગાંધીજી આશ્રમ કાઢવાના હતા, ત્યારે ગુજરાત કલબમાં તેમનું પ્રવચન હતું તે સમયે સરદાર ગુજરાત ક્લબમાં જ બ્રિજ રમતા હતાં. કોઈએ કહ્યુ કે ગાંધીજીનું પ્રવચન સાંભળવા જઈએ તો સરદાર પટેલે કહ્યુ એમાં શું સાંભળવાનું છે? તે સમયે ત્યાંના લોકોને ક્યાં ખબર હતી કે વલ્લભભાઈ ગાંધીજીના શિષ્ય બનશે? કોઈએ પણ ધાર્યુ નહોતું તેઓ સ્વાતંત્ર્યસંગ્રામના સેનાપતિ અને સરદાર બનશે? જ્યારે સરદારે જાતે જોયું કે ગાંધીજી અન્યાય સામે લડનાર વીરપુરુષ છે ત્યારે સરદારે પોતાની ખુમારી અને ખમીર સાથે ગાંધીજી સાથે જોડાયા અને પોતાની ઠાઠની જીંદગીને અલવિદા કહી એક સામાન્ય પુરુષ બની ગાંધીજીના અનુયાયી બન્યા.

બારડોલી સત્યાગ્રહની લડત પછી ગાંધીજીએ કહ્યું કે : “સેનાપતિની ચતુરાઈ પોતાનુ કારભારીમંડળ પસંદ કરવામાં રહી છે. મને વિચાર આવ્યો કે ઉપસેનાપતિ કોણ થશે? ત્યાં મારી નજર વલ્લભભાઈ પર પડી. મેં તેમની પહેલી મુલાકાત લીધી ત્યારે એમ થયું કે આ અક્કડ પુરુષ તે કોણ હશે? એ શું કામ કરશે? પણ જેમ જેમ હું એમના વધારે પરિચયમાં આવ્યો તેમ તેમ મને લાગ્યું કે મારે વલ્લભભાઈ તો જોઈએ જ. વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત.”

સરદારે બારડોલી સત્યાગ્રહ વખતે કરેલ ભાષણોએ ખેડુતોના ખમીર જગાડી દીધા. જે રીતે બહારવટિયા બાબર દેવાને સંદેશો આપ્યો તેવો સંદેશો કોઈ ઢીલા વ્યક્તિનું કામ નહોતુ. તેમણે બાબર દેવાને જાહેરમાં ભાષણ દરમ્યાન સંદેશો આપ્યો કે “બાબર દેવાને તમારામાંનો કોઈ પણ જાણતો હોય, કોઈને પણ તેની સાથે ભેટો કરવાનો કે વાતો કરવાનો પ્રસંગ આવે તો તેને કહેજો કે તારું બહારવટું એ બહારવટું નથી. બંદૂકડી લઈને ભાગતા ફરવું અને નિર્દોષોને લૂંટવા અને મારવા એમાં બહારવટું નથી. સાચા બહારવટિયાને તો હથિયારની જરૂર નથી. બહારવટું તો ઢસાના દરબારનું છે. બહારવટું તો ગાંધીજીનું છે. જે માણસ નિશસ્ત્રને સતાવે, લોકોને લૂટે અને ખૂનો કરે તે તો માણસકોમને કલંકરુપ છે.” આવુ હિંમતભર્યુ ભાષણ સાંભળીને તો લોકોમાં અનેરી શક્તિનું સિંચન થયુ.

આવા સરદાર આપણા હતા.

સરદાર શતાબ્દી સ્મારક ગ્રંથ – જશવંત શેખડીવાલા




sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

© all rights reserved
SardarPatel.in