Showing posts with label મણીબેન પટેલ. Show all posts
Showing posts with label મણીબેન પટેલ. Show all posts

HAPPY BIRTHDAY MANIBEN - 03-04-2025

સત્યાગ્રહી વલ્લભનંદીની કુ. મણીબેન પટેલ

આજે કુ. મણીબેન પટેલ સરદાર સાહેબના પુત્રીના જન્મ દિવસે તેમનું સત્યાગ્રહમાં યોગદાન


સફેદ ખાદીના કાપડ ની થીંગડાવાળી સાડી અને કોણી સુધી ની બાંય વાળો બ્લાઉઝ કે પોલકુંસાડી થોડી ઊંચી પહેરેલ અને માથે ઓઢેલી હોયસદાય આ પહેરવેશમાં નજર આવનાર ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રીના દીકરી મણીબેન પટેલ - વલ્લભનંદીની એક અલગ દેખાઈ આવતા, સ્વભાવે તેઓ ગરમ મિજાજના અને સદાય સરદાર સાહેબની પાછળ પડછાયો બનીને રહ્યા. મણીબેનનો આટલો જ પરિચય ન હોઈ શકે. મણીબેન પટેલ પોતે સત્યાગ્રહી બન્યા તેની સાથે તેમણે આદર્શ પુત્રીની પણ ફરજ બજાવી.

સરદાર પટેલે ખેડા સત્યાગ્રહથી અંગ્રેજી પોશાક ત્યજી ધોતિયું, કોટ અને ટોપી પહેરવાના શરૂ કર્યા. નરહરિ પરીખ તેમના પુસ્તકમાં ટાંકે છે કે સરદારે તેમના બેરિસ્ટરના ઝભ્ભા ઉપરાંત ડઝનબંધ સૂટઓ, નેકટાઈઓ, બસો થી અઢીસો જેટલા કોલર અને દસેક જોડી જૂતાં બાળ્યા હતા આમ સરદાર સાહેબે પોતાના વૈભવી ઠાઠનો દેશની આઝાદીની લડત માટે ત્યાગ કર્યો. અને ત્યારબાદ વર્ષ ૧૯૨૧ થી આ પહેરવેશ છોડી ફક્ત ખાદી પહેરવા લાગ્યા હતા અને ૧૯૨૩ થી તો મણીબેન પોતાના હાથે કાંતેલા સૂતરને વણાવી વલ્લભભાઈના કપડાં બનાવતા. અને વર્ષ ૧૯૨૭ પછી સરદાર પટેલ મણિબેનના હાથે કાંતેલા સુતરની ખાદી જ પહેરવાનું પસંદ કરતા.

મણીબેનને સરદાર સાહેબે સત્યાગ્રહ માટે લોકોને જગાડવા અને હિંમત આપવા માટે ૦૯ સપ્ટેમ્બર ૧૯૩૦ના રોજ યરવડા જેલમાંથી પત્ર લખ્યો તેમાં જણાવ્યું કે : તબિયત સંભાળીને ખૂબ કામ કરજે, ખેડા જિલ્લામાં રખડવાનું રાખજે અને લોકોને હિંમત આપ્યા કરજે, માવળંકરને બને તો એક દિવસ મળી આવજે, બાને ફરી વખત મળે તો મળી આવજે. એમને કંઈ પૈસાની જરૂર હોય તો કૃષ્ણલાલને મળી મારા ખાનગી ખાતામાંથી મંગાવી આપી શકાય. તું હાલ ક્યાં રહે છે તે ખબર લખી નથી. હું માની લઉં છું કે દાદુભાઈને ત્યાંજ રહેવાનું રાખ્યું હશે.”

૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહના અંત સુધીમાં જ્યારે સરદારને માંદગી અનુભવતા હતાત્યારે એવું સૂચન કરવામાં આવ્યું હતું કે કોઈકે તેમને સચિવ તરીકે મદદ કરવી જોઈએ.ત્યારે મણીબેને કહ્યું: "જો કોઈને રાખવા હોય તો હું કેમ નહીં?" ૧૯૨૯થી બાપુજીના મૃત્યુ સુધીજ્યારે પણ શક્ય હોય ત્યારે મેં તેમનો પત્રવ્યવહાર જાળવી રાખ્યો હતો. મણીબેન એક પ્રસંગ જણાવતા કહે છે કે એક વખત ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રાજકીય વિવેચક કે. ગોપાલસ્વામી મુંબઈના મરીન ડ્રાઈવ પરના તેમના ફ્લેટમાં તેમની મુલાકાતે આવ્યા ત્યારે બાપુજીએ સી. રાજગોપાલાચારીએ લખેલ એક પત્ર મંગાવ્યો. તેઓ એ ભૂલી ગયા હતા કે તેમણે પત્ર ફાડી નાખ્યો હતો અને તેમણે તેને કચરાપેટીમાં ફેંકી દીધો હતો. સદભાગ્યેમેં એ ટુકડાઓ એકઠા કર્યા હતા. તેને પસાર કરતા પહેલા તેમને એક સાથે ગોઠવી ચોંટાડવામાં મને થોડો સમય લાગ્યો. અને આ પત્ર તેમના હાથમાં જ્યારે મે આપ્યો ત્યારે તેઓ એકીટસે મારી સામે જોઇ રહ્યા, જાણે વિચારતા હોય કે આ દીકરી મારુ કેટલું ધ્યાન રાખે છે.

દાંડી કૂચ દરમ્યાન ૧૯૩૦ ના સપ્ટેમ્બર મહિનામાં મણીબેન જેલમાં ગયા અને તેમને પહેલા ખેડા જેલમાં અને ત્યારબાદ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા. સાબરમતીમાં સરદારે મણીબેનને લખેલા પત્રોમાં તેમની હિન્દી અને મરાઠી તાજું કરી લેવાની સલાહ આપી હતી. સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક નિયમ હતો કે જે બહેનોને જેલની સજા થઈ હોય તેઓ કાચની બંગડી પહેરી ન શકે. અને હિન્દુ ધર્મ અનુસાર પરણેલી સ્ત્રીઓ માટે હાથમાં બંગડીઓ પહેરાવી એ સૌભાગ્યવંતીનું નિશાન છે અને તેને ઉતારવી તેનો અર્થ એ થાય કે તેનું સૌભાગ્ય સાથે અમંગળ થયું તેમ સૂચવે, આવી એક ધાર્મિક લાગણી હોવાના કારણે જેલમાં પુરાયેલ દરેક પરણીત સ્ત્રીઓએ તેનો સખત વિરોધ કર્યો અને વારંવાર જેલ અધિકારીઓ સાથે ઝઘડા કર્યા, આખરે મણીબેને આ બાબતે જેલ અધિકારી સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું ત્યારે હવાલદારે તુમાખી ભરી નજરે જાણે મણીબેનને ડરવતા હોય તેમ ગુસ્સે થઈ જોયું, પરંતુ મણીબેનને તેનો કોઈ ભય નહતો, તેમણે મક્કમતાથી જેલ અધિકારીને જણાવ્યું કે અમારે જેલ બાબતે કોઈ ફરિયાદ નથી કે કોઈ સગવડ નથી જોઈતી, પરંતુ અમારી પરંપરાઓ બાબતે રજૂઆત કરવી છે અને જણાવ્યું કે તમે રોજ ચર્ચમાં જતાં હશો, તમે કરેલ પ્રાર્થનાને વિશ્વાસ સાથે કાયમ કરવા ગાળામાં ક્રોસ પહેર્યો છે, તેવી જ રીતે અમારી બહેનો દેશની આઝાદી ખાતર જેલવાસ ભોગવી રહી છે, અને અમારા ધર્મ અનુસાર પરીણિત સ્ત્રીના હાથમાં કાચની બંગડીઓ અને તેનો રણકાર સ્ત્રીને સૌભાગ્યવંતી છે તેનો વિશ્વાસ અને તેની હિંમત છે, તો આ કાચની બંગડીઓ ઉતારવાનો જે નિયમ છે તે પરત ખેચવામાં આવે. મણીબેનની રજૂઆત જેલ અધિકારીને ગળે ઉતારી અને પરિણામે આ જડ નિયમને નાબૂદ કરવાની પરવાનગી મળી (મણીબેન પટેલ – લે. મેધા ત્રિવેદી). રાજકોટ સત્યાગ્રહ સમયે ઢેબરભાઈની ધરપકડ થયા પછી તરત સરદાર સાહેબે તેમના પુત્રી મણીબેનને રાજકોટ મોકલ્યા. મણીબેને ગામેગામ ફરી લોકજાગૃતિ ટકાવી રાખી. પાંચમી ડીસેમ્બરે તેમની ધરપકડ કસ્તૂરબાની સાથે મણીબેન પણ રાજ્યની જેલમાં પુરાયા.

મણીબેન પટેલે સરદાર સાહેબના અંતિમ સમય સુધી તો સાથ આપ્યો પરંતુ સરદાર સાહેબના સ્વર્ગવાસ બાદ પણ સરદાર સાહેબના પત્રો અને માહિતી જાહેર જનતા સમક્ષ મૂકી. તેમણે પોતાના અંત સામે સુધી સરદાર સાહેબ વિષે લોકોને માહિતગાર કર્યા અને એક સાદગી ભર્યું જીવન જીવ્યા. આજે આપણે જે કાંઈ પણ સરદાર સાહેબ વિષે જાણીએ છે તે મણીબેનને આભારી છે.



Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

Today That Day - 26-03-1990 Tribute to Maniben Patel - કુમારી મણીબેન પટેલ - વલ્લભનંદિનીને શ્રધ્ધાંજલિ

કુમારી મણીબેન પટેલ - વલ્લભનંદિની

આજે મણીબેનની પુણ્યતિથી તા. ૨૬-૦૩-૨૦૨૪ ના દિવસે સફેદ ખાદીના કાપડની થિગડાવાળી સાડી અને કોણી સુધીની બાય વાળો બ્લાઉઝ કે પોલકું, સાડી થોડી ઊંચી પહેરેલ અને માથે ઓઢેલી હોય, સદાય આ પહેરવેશમાં નજર આવનાર ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રીના દીકરી મણીબેન પટેલ વલ્લભનંદીની એક અલગ દેખાઈ આવતા, સ્વભાવે તેઓ ગરમ મિજાજના અને સદાય સરદાર સાહેબની પાછળ પડછાયો બનીને રહ્યા. મણીબેનનો આટલો જ પરિચય ન હોઈ શકે. તેમના વિષે વિગતવાર સમજીએ તો તેઓનો જન્મ એવા યુગમાં થયો કે તે સમયે પુત્રીનો જન્મ એક અભિશાપ માનવામાં આવતો હતો, અને કદાચ જન્મ પછી તરત દૂધપીતી કરવાનો પણ રિવાજ હશે. આવા સમયમાં મણીબેન પટેલ ૩ એપ્રિલ ૧૯૦૪ ના દિવસે બેરિસ્ટર વલ્લભભાઈ પટેલના ઘરે માતા ઝવેરાબા ની કૂખે જન્મ લીધો. અને ૧૦ નવેમ્બર ૧૯૦૫ના દિવસે મણિબેનના નાના ભાઈ ડાહ્યાભાઈ પટેલનો જન્મ થયો. પાચેક વર્ષના મણીબેન થયા હશે ને તેમના માતા ઝવેરબાનું અવસાન થયું. અને બન્ને નાના બાળકોની જવાબદારી બેરિસ્ટર વલ્લભભાઈ પટેલના શિરે આવી. અને વલ્લભભાઈ પટેલે બીજા લગ્ન કર્યા નહી, બન્ને નાના બાળકો મનોમન સમજી ગયા હતા કે હવે દુનિયામાં માતા રહ્યા નથી. બેરિસ્ટર વલ્લભભાઈ એ બન્ને બાળકો માતાની હુંફ આપી અને પિતાની ફરજ બન્ને નિભાવી. વલ્લભભાઈ જ્યારે બેરિસ્ટર થવા માટે વિલાયત ગયા ત્યારે તેમણે નક્કી કરી રાખ્યું હતુ કે મણિબેન કે ડાહ્યાભાઈ બન્ને બાળકો સહેજ મોટા થાય એટલે વિલાયતમાં રાખી ત્યાંની જ કેળવણી આપવી, અને તેની પુર્વતૈયારીના ભાગરુપે મુંબઈની સેંટ મેરિઝ સ્કૂલના એક મિસ વિલ્સનને ત્યા છાત્ર તરીકે રાખ્યા જેના કારણે બન્ને બાળકો સીધી વાતચીત પધ્ધતિ દ્વારા અંગ્રેજી શીખી શકે. મણિબેનના શબ્દોમાં કહીએ તો : અમારા બુટ, મોજાં, હેટ તથા બીજા કપડા વાઈટવે તથા એવાંસ ફ્રેઝરને ત્યાંથી ખરીદવામા આવતા હતાં. વલ્લભભાઈ પટેલે બન્નેના ભણતર અને ઘડતરમાં કોઈ કચાશ રાખી નહોતી, અને જ્યારે વલ્લભભાઈ બેરિસ્ટર થવા વિલાયત ગયા ત્યારે બન્ને બાળકોની જવાબદારી વિઠ્ઠલભાઈ પટેલે મુંબઈમાં લીધી અને બન્ને બાળકોના ઘડતરમાં પિતા જેવોજ ભાગ ભજવ્યો.

બેરિસ્ટર થયા પછી વલ્લભભાઈએ અમદાવાદ વકીલાત અને રહેવા માટે પસંદ કર્યુ અને બન્ને બાળકો પણ સાથે રહેવા લાગ્યા, વલ્લભભાઈ કામની વ્યસ્તતાના કારણે બહુ ઓછો સમય ઘરમાં ગાળતા, પરંતુ સમયાંતરે પુત્ર ડાહ્યાભાઈ સાથે ગેલ પણ કરી લેતા, પણ મણિબેન એક શબ્દ પણ વલ્લભભાઈ સાથે બોલતા નહી, અને મણીબેનને સરદાર સાહેબ સામે આવતા પણ સંકોચ થતો. જ્યારે સવારે દિવાનખાનામાં સરદાર સાહેબ આંટા મારતા ત્યારે મણીબેન નહાઈ ને પાસેના ખંડના બારણાં પાસે આવતા ત્યારે સરદાર સાહેબ પૂછાતા કેમ છે? અને વળતાં જવાબમાં મણીબેન કહે સારું છે. પિતા પુત્રી વચ્ચે આખા દિવસમાં આટલો જ સંવાદ થતો. પાડોશમાં રહેતા દાદાસાહેબ માવળંકર રહેતા, અને તેમના માતૃશ્રી મણીબહેનની ખૂબ સંભાળ રાખતા. તેમના પત્ની મણિબેનનું દુઃખ સમજીને અવારનવાર તેને તેના ઘરે બોલાવતી હતી. તે  તેની સાથે વાત કરતી અને ક્યારેક તેની સાથે રમતી. મણિબેનમાં  થઈ રહેલું પરિવર્તન  તેના પિતાના ધ્યાનમાં આવ્યું અને તે સમજી ગયા કે પરિવારનો પ્રેમ કેવી રીતે  અનિવાર્ય છે. તે પછી તેણે ઘનિષ્ઠ મિત્રોના પરિવારો સાથે ગાઢ સંપર્કો કેળવવાનો  પ્રયાસ કર્યો.  ડો.કાનુગા અને ડો.હરિપ્રસાદ દેસાઈના બે પરિવારો  સાથે ગૃહસંબંધ બાંધવામાં  આવ્યા  હતા, જેમની સાથે મણિબેન પણ ગાઢ રીતે જોડાયેલા હતા. આમાં પરિવારો, તેણીને  તેની ઉંમરના સાથીઓ હતા. મૈત્રીપૂર્ણ સંબંધોનું આવું બંધન છેલ્લે સુધી રહ્યું.

જ્યારે ડાહ્યાભાઈએ ગાંધીજીને કહ્યું કે “મણીબેન મોટા છે અને તેમના લગ્ન પછી હું લગ્ન કરીશ”, ત્યારે મણીબેને ગાંધીજીને કહ્યું કે “મારા લગ્ન માટે ડાહ્યાભાઈ બેસી રહેશે તો એને બેસી જ રહેવું પડશે કારણ કે મારે પરણવું નથી.” મણીબેને તો લગ્ન નહી કરવા વિષે મક્કમતાથી નક્કી કરી લીધું હતું.

વર્ષ ૧૯૨૭ પછી સરદાર પટેલ મણિબેનના હાથે કાંતેલા સુતરની ખાદી જ પહેરવાનું પસંદ કરતા. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહના અંત સુધીમાં જ્યારે સરદારને માંદગી અનુભવતા હતા, ત્યારે એવું સૂચન કરવામાં આવ્યું હતું કે કોઈકે તેમને સચિવ તરીકે મદદ કરવી જોઈએ.ત્યારે મણીબેને કહ્યું: "જો કોઈને રાખવા હોય તો હું કેમ નહીં?" ૧૯૨૯થી બાપુજીના મૃત્યુ સુધી, જ્યારે પણ શક્ય હોય ત્યારે મેં તેમનો પત્રવ્યવહાર જાળવી રાખ્યો હતો. એક વખત ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રાજકીય વિવેચક કે. ગોપાલસ્વામી મુંબઈના મરીન ડ્રાઈવ પરના તેમના ફ્લેટમાં તેમની મુલાકાતે આવ્યા ત્યારે બાપુજીએ સી. રાજગોપાલાચારીએ લખેલ એક પત્ર મંગાવ્યો. તેઓ એ ભૂલી ગયા કે તેમણે પત્ર ફાડી નાખ્યો હતો અને તેમણે તેને કચરાપેટીમાં ફેંકી દીધો હતો. સદભાગ્યે, મેં એ ટુકડાઓ એકઠા કર્યા હતા. તેને પસાર કરતા પહેલા તેમને એક સાથે ગોઠવી ચોંટાડવામાં મને થોડો સમય લાગ્યો. અને આ પત્ર તેમના હાથમાં જ્યારે મે આપ્યો ત્યારે તેઓ એકીટસે મારી સામે જોઇ રહ્યા, જાણે વિચારતા હોય કે આ દીકરી મારુ કેટલું ધ્યાન રાખે છે. 

મણીબેન પટેલે સરદાર સાહેબના અંતિમ સમય સુધી તો સાથ આપ્યો પરંતુ સરદાર સાહેબના સ્વર્ગવાસ બાદ પણ સરદાર સાહેબના પત્રો અને માહિતી જાહેર જનતા સમક્ષ મૂકી. તેમણે પોતાના અંત સામે સુધી સરદાર સાહેબ વિષે લોકોને માહિતગાર કર્યા અને એક સાદગી ભર્યું જીવન જીવ્યા. આજે આપણે જે કાંઈ પણ સરદાર સાહેબ વિષે જાણીએ છે તે મણીબેનને આભારી છે.


રશેષ પટેલ - કરમસદ 


Subscri
be us : Youtube Channel Visit us : Sardar Patel

How Maniben Patel become Sardar Patel’s Secretary till his last breath?

How Maniben Patel become Sardar Patel’s Secretary till his last breath?


When the Sardar feel ill towards the end of the Bardoli Satyagraha in 1928, it was suggested that somebody should give him secretarial help. I said: “If someone is to be kept, why not I?” From 1929 until his death, I preserved his correspondence whenever possible. Once, when K. Gopalaswami, political commentator of the Times of India, visited him in his flat on Marine Drive, Bombay, the Sardar called for a letter that he had received from C. Rajagopalachari, forgetting that he had torn it up and thrown it in the wastepaper basket. Fortunately, I had collected the pieces. It took me some time to paste them together before passing it on to him. This happened before the Interim Government was formed.

મણિબેન પટેલ સરદાર પટેલના છેલ્લા શ્વાસ સુધી સેક્રેટરી કેવી રીતે બન્યાં?

૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહના અંત સુધીમાં જ્યારે સરદારને માંદગી અનુભવતા હતા, ત્યારે એવું સૂચન કરવામાં આવ્યું હતું કે કોઈકે તેમને સચિવ તરીકે મદદ કરવી જોઈએ. મેં કહ્યું: "જો કોઈને રાખવા હોય તો હું કેમ નહીં?" ૧૯૨૯થી તેમના મૃત્યુ સુધી, જ્યારે પણ શક્ય હોય ત્યારે મેં તેમનો પત્રવ્યવહાર જાળવી રાખ્યો હતો. એક વખત ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રાજકીય વિવેચક કે. ગોપાલસ્વામી મુંબઈના મરીન ડ્રાઈવ પરના તેમના ફ્લેટમાં તેમની મુલાકાતે આવ્યા ત્યારે સરદારે સી. રાજગોપાલાચારી પાસેથી તેમને મળેલો એક પત્ર મંગાવ્યો. તેઓ એ ભૂલી ગયા કે તેમણે પત્ર ફાડી નાખ્યો હતો અને તેમણે તેને કચરાપેટીમાં ફેંકી દીધો હતો. સદભાગ્યે, મેં એ ટુકડાઓ એકઠા કર્યા હતા. તેને પસાર કરતા પહેલા તેમને એક સાથે ગોઠવી ચોંટાડવામાં મને થોડો સમય લાગ્યો. વચગાળાની સરકારની રચના થઈ તે પહેલાં આવું બન્યું હતું.

आखिरी सांस तक मणिबेन पटेल सरदार पटेल की सचिव कैसे बनीं?

जब सरदार 1928 में बारडोली सत्याग्रह के अंत में बीमार महसूस करते हैं, तो यह सुझाव दिया गया कि किसी को उन्हें साचिविक सहायता देनी चाहिए। मैंने कहा, "अगर किसी को रखना है, तो मुझे क्यों नहीं? 1929 से उनकी मृत्यु तक, मैंने जब भी संभव हो उनके पत्राचार को संरक्षित रखा। एक बार, जब टाइम्स ऑफ इंडिया के राजनीतिक टिप्पणीकार के गोपालस्वामी, बॉम्बे के मरीन ड्राइव पर उनके फ्लैट में उनसे मिलने आए, तो सरदार ने सी राजगोपालाचारी से प्राप्त एक पत्र के लिए बुलाया, यह भूल गए कि उन्होंने इसे फाड़ दिया था और इसे कचरे की टोकरी में फेंक दिया था। सौभाग्य से, मैंने टुकड़े एकत्र किए थे। इसे पारित करने से पहले उन्हें एक साथ रखने  में मुझे थोड़ा समय लगा। यह अंतरिम सरकार के गठन से पहले हुआ था।




sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

© all rights reserved
SardarPatel.in