Showing posts with label government of india. Show all posts
Showing posts with label government of india. Show all posts

Nagpur Jhanda Satyagrah

નાગપુર ઝંડા સત્યાગ્રહનું સુકાન સરદાર સાહેબે સંભાળ્યુ હતું, માર્ચ ૧૯૨૩માં જબલપુર શહેરમાં જ્યારે કોંગ્રેસ કારોબારીની મીટીંગ મળેલ તે સમયે ત્યાંની મ્યુનિસિપાલિટીએ એવો ઠરાવ પસાર કર્યો કે મ્યુનિસિપલ હોલ ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવવો. પરંતુ જ્યારે આ ઠરાવની જિલ્લા મેજિસ્ટ્રેટને ખબર પડી ત્યારે તેમણે આ ઠરાવ રદ્દ કરાવ્યો અને ટાઉનહોલ આગળના મેદાનમાં સભા ન ભરાય અને મ્યુનિસિપાલિટી ઉપર રાષ્ટ્રધ્વજ ન ચડાવે તે માટે ત્યાં કલમ ૧૪૪ લાગુ કરી.

આ સામે ૧૮મી માર્ચ ૧૯૨૩ના રોજ પંડિત સુંદરલાલજીની આગેવાની હેઠળ રાષ્ટ્રધ્વજ સાથે મોટું સરઘસ કાઢવામાં આવ્યું. આ સમયે પંડિત સુંદરલાલજી સહિત બીજા દસ લોકોની ધરપકડ કરવામાં આવી અને રાષ્ટ્રધ્વજ ઝુંટવી લીધો. અને બીજા દિવસે બધાને છોડી મુક્યા. જ્યારે રાષ્ટ્રધ્વજ પાછો માગ્યો, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે, એ તો જપ્ત કરવામાં આવ્યો છે. પંડિત સુંદરલાલજીએ આ રાષ્ટ્રધ્વજનું અપમાન છે તેમ જણાવીને વાંધો ઉઠાવ્યો અને આની આગ સમગ્ર દેશમાં ભભુકી ઉઠશે તેમ જણાવ્યું. આના લીધે સુંદરલાલજીને ૬ માસની સજા કરવામાં આવી.

નાગપુરમાં ૧૩મી એપ્રિલ ૧૯૨૩ના રોજ રાષ્ટ્રધ્વજ સાથે મોટું સરઘસ કાઢવામાં આવ્યું. એ વખતે જાહેર કરવામાં આવ્યુ કે, આ સરઘસ “સિવિલ લાઈન્સ”માં થઈને સદર બજારમાં જશે અને ત્યાં સભા યોજાશે. આની જાણ જિલ્લા મેજિસ્ટ્રેટ તથા પોલીસ સુપરિન્ટેન્ડેટને જાણ થતા તેઓ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પાસેના ચાર રસ્તા જ્યાંથી સિવિલ લાઈન્સ શરૂ થાય છે ત્યાં ફોજ સાથે સરઘસ રોકવા માટે હાજર થયા. અને સરઘસ રોક્યું પણ જ્યારે સ્વયંસેવકોએ આગળ વધવાનો પોતાનો નિશ્ચય જાહેર કર્યો અને પોલીસ ફોજ તેમના ઉપર ટુટી પડી. ધ્વજના દંડા વડે જ સ્વયંસેવકોને ખુબજ માર્યા અને નીચે પાડી ઢસરડીને રસ્તાની બાજુમાં ગટરમાં નાખી દીધા.

આવો ગેરવર્તાવ જોઈને નાગપુર કોંગ્રેસ પ્રાંતિક સમિતિની કારોબારીએ ઠરાવ કર્યો કે, “કોઈપણ સરિયામ રસ્તા ઉપરથી શાંતિપૂર્વક રાષ્ટ્રધ્વજ લઈને જવાનો પ્રજાને અધિકાર છે અને સરકાર તેમાં અંતરાય નાખે છે. માટે ૧લી મે ૧૯૨૩થી આના માટે લડત આપવી. જબલપુર અને નાગપુર બે સ્થળને બદલે નાગપુર ઉપર જ શક્તિ કેંદ્રિત કરવી.” આ લડતની આગેવાની જમનાલાલ બજાજે લીધી. તેમની સૂચના મુજબ પ્રતિજ્ઞાવાળૅઅ દસ દસ સૈનિકોને રોજ લડતને મોરચે મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. મુદ્દો બહુ સાફ હતો. રાષ્ટ્રધ્વજ લઈને શાંતિપૂર્વક, બીજા લોકોને હેરાનગતી ન થાય તે રીતે દરેકે રસ્તા ઉપરથી વ્યવસ્થિત સરઘસના રૂપમાં જવાનો નાગરિકોનો મૂળભૂત હક દરેક સુધરેલ ગણાતા દેશોમાં સ્વીકારાયેલ છે. આપણા દેશમાં પણ આવા સરઘસો બીજા બધાં શહેરોમાં વગર રોકટોક ફરતાં, ખુદ નાગપુરમાં પણ રાષ્ટ્રધ્વજ લઈને સરઘસ બીજે બધે ફરે તેની સરકારની કોઈ હેરાનગતી નહોતી. પરંતુ સિવિલ લાઈન્સમાં રાષ્ટ્રધ્વજ લઈને જવાનો હક્ક સ્થાપિત કરવાની લડતનો જે ઠરાવ કોંગ્રેસ કમિટીએ કરેલ તે નાગપુરના ગોરા સિવિલયનોથી સહન થયુ નહી.

આ ગોરાઓમાં નાગપુરનો કમિશ્નર બહુ તુમાખીવાળો હતો. અને તે સિવિલ લાઈન્સમાં જ રહેતો તથા ગોરાઓનો તે આગેવાન હતો. તેણે તો લોકોને ત્યાં સુધી કહેલ કે જો મારા બંગલા આગળ સરઘસ આવશે તો હું ગોળીઓ ચલાવીશ. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે સરઘસબંધી અને સભાબંધીનો હુકમ તા. ૧લી મે ૧૯૨૩ના રોજ બહાર પડેલ હતો અને ત્યાર પછીતો જાણે ધરપકડોનો દોર શરુ થઈ ગયો. જમનાલાલ બજાજને સાથે સાથે બીજા કાર્યકરોને પણ પકડવામાં આવ્યા. ગુજરાત તથા અલગ અલગ પ્રાંતોમાંથી સ્વયંસેવકોની ટુકડીઓ નાગપુર આવવા માંડી. પરંતુ બધાને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા.

ગાંધીજીતો જેલમાંજ હતા. એટલે કોંગ્રેસ કારોબારીએ સરદાર વલ્લભભાઈ પટેલને આ લડતનું સંચાલન સોંપ્યું. સરદાર પટેલ ૨૨મી જુલાઈ ૧૯૨૩ના રોજ નાગપુર પહોચ્યા. અને લોકોને એમ જ લાગતું કે સરદાર સાહેબને પણ સરકાર બીજાની જેમ પકડી લેશે પણ એવુ બન્યું નહી. સરકારે ભારે દમનનીતી વાપરી હતી જેથી કોઈ સત્યાગ્રહી તથા સ્થાનિક કાર્યકરોને જેલ ભેગા કરેલા એટલે સરદાર સાહેબને એક્લા હાથે કામ કરવું પડેલ. આથી સરદારે પોતાની રીતે પરિસ્થિતિ તપાસી લીધી અને કામ વ્યવસ્થિત ગોઠવી લીધેલ. આ સંદર્ભે તેમણે એક કાગળમાં લખ્યું હતું: “અહી આવીને દરેક પ્રાંત માટે સ્વયંસેવકો મોકલવાની સંખ્યા અને તારીખો ગોઠવી અને તે મુજબ દરેક પ્રાંતોને ખબર આપી દીધી છે. અને યોજના મુજબ સ્વયંસેવકો આવતા રહેશે, તો રોજ ઓછામાં ઓછા ૫૦ સૈનિકો સ્ટેશન પર પકડાશે.....”

સરકારે જેલમાં ભારે ત્રાસ કરેલ જેલમાં કેદીઓના વર્ગ બનાવી દીધેલ જેથી પહેલા વર્ગના કેદીઓને રોજ સવા મણ અનજ દળવાનું, બીજા વર્ગવાળાને પોણો મણ અનાજ દળવાનું અને ત્રીજા વર્ગવાળાને શણ કૂટવાનું. બીજું મુખ્ય કામ પથરા તોડવાનું. તેના પણ વર્ગ પ્રમાણે જુદાં જુદાં માપ નક્કી થયા. ખાવામાં એક વાર જુવારના રોટલા અને દાળ, તથા એક વાર જુવારના રોટલા અને ભાજી. દાળમાં દાળ શોધવી પડે અને દાળને બદલે ઈયળો મળે અને ભાજી તો ઘરડાં થઈ ગયેલાં કોઈ પણ પાંદડા, રોટલા કાચા અને કાંકરીઓનો પાર નહી.

મોટી તકલીફ તો પાયખાનાની (જાજરૂ જવાની) હતી. લાઈનબંધ બનાવેલ અને બારણાં એકેયમાં નહી. અને એમાં પણ નિયમ એવો કે ૫ મિનિટમાં પતાવી નાખવાનું, ૩ મિનિટ થાય એટલે વોર્ડન બુમો પાડે. આ તો ત્યાંના નિયમો પણ પજવણી તો સૌથી વધારે કેદીઓને હતી. માફી મંગાવવા વોર્ડર નિષ્ઠુર અત્યાચારો કરતા. અત્યાચારો કરવા માટે દરેક યુક્તિઓ વાપરતા. આ લડત કુલ ૧૧૦ દિવસ ચાલી અને ૧૭૫૦ જેટલા સત્યાગ્રહીઓની સંખ્યા થયેલી તેમાંથી લગભગ આશરે ૨૦૦ જેટલા કેદીઓ પાસે તો અત્યાચારથી માફી પણ મંગાવેલ.

નાગપુરમાં એક દિવસ છુટીને આવેલા કેટલાક કેદીઓની માનમાં સભા યોજાઈ જેમાં સરદાર સાહેબ પણ હાજર હતાં. સભા દરમ્યાન કેદીઓએ પોતાના જેલવાસના અનુભવોની રોષપુર્વક તીખા ભાષણો કર્યા. આ લડત વિનયપુર્વક ચાલે એ સંભાળવાનું કામ સરદાર સાહેબનું હતું. અને આ લડતના સિધ્ધાંતો સમજાવવાની તક સરદારે ઝડપી લીધી. “આજે જેલમાંથી સજા ભોગવી આવેલા ભાઈઓએ આપણને કેટલીક વાતો કહી. એમના દિલમાં રોષ ભરાયેલ છે. જેલમાં આપવામાં આવેલ કષ્ટો તેમણે સભ્યતા છોડીને આપણી આગળ કહ્યાં. અમાનુષી વર્તનનું વર્ણન આવેશમાં આવીને કર્યુ.

પણ આપણે આવું બોલીએ, તો સરકારી નોકરોને મુકાબલે આપણે કેટલા સારા? એ તો નોકરીમાં છે, આપણે સ્વતંત્ર છીએ. એ લોકોનો વિચાર કરવાને બદલે આપણે શું કર્યુ. તેનો વિચાર કરવો રહ્યો. આપણે તેમને ગાળો દઈએ, તેમના દોષ જોઈએ, તે પહેલાં આપણે આપણો પોતાનો વિચાર પણ કરવો જોઈએ. આપણે લાયકાત મેળવી કર્તવ્યપરાયણ થવું એ આપણો ધર્મ છે. જેલમાંથી છુટી આવેલા ભાઈઓને મારી સલાહ છે કે, તેમણે પ્રજાને પ્રેમ અને ધર્મના પાઠ સમજાવવા એ તમારૂ પરમ કર્તવ્ય છે. પરમાત્મા તમને આવા સત્ય અને ધર્મના યુધ્ધો લડવાનું બળ આપો.”

આખરે સરકારે નમતું જોખ્યું અને ૧૮મી ઓગસ્ટ ૧૯૨૩ના રોજ આ લડતનો અંત આવ્યો. રાતે જાહેર સભામાં સરદારશ્રીએ કહ્યું : “રાષ્ટ્રીય ધ્વજની પ્રતિષ્ઠા આખરે કબૂલ કરવામાં આવી છે. જાહેર રસ્તાઓ ઉપરથી શાંતિપુર્વક અને વ્યવસ્થિત રીતે રાષ્ટ્ર ધ્વજ સાથે સરઘસ લઈ જવાનો આપણો હક્ક આપણને પાછો પ્રાપ્ત થયો છે. આને હુ સત્ય, અહિંસા તથા તપનો વિજય માનું છુ. એટલે ઈશ્વરક્રુપાથી હવે હું જાહેર કરી શકુ છુ કે નાગપુર સત્યાગ્રહનો આજના પુણ્ય દિવસે, મહાત્મા ગાંધીજીના ઉપદેશના અનુસાર વિજયી અંત થાય છે. અને આજના સંધ્યાકાળથી આપણો ધ્વજ-સત્યાગ્રહ રીતસર બંધ થયેલો હું જાહેર કરૂ છું. અને જે વીર ભાઈઓ બહેનોએ દેશની ખાતર, રાષ્ટ્રધ્વજ ખાતર અને રાષ્ટ્રની ખાતર દુ:ખો વેઠ્યાં અને આજે પણ જેલમાં દુ:ખ વેઠી રહ્યાં છે તે દરેકને અંતરના ઉંડાણથી ધન્યવાદ.

વિજય જાહેર થયા બાદ નાગપુર સહિત જુદી જુદી જેલોમાં આશરે ૨૦૦૦ જેટલા કેદીઓ હતાં તેમના છુટવાની રાહ આખો દેશ જોવા લાગ્યો પરંતુ સરકારી તંત્રે તેમા વિલંબ કરવા માંડ્યો, અને અંદર અંદર અકળામણ વધતી જતી હતી. છેવટે સરદારે મધ્ય પ્રાંતની સરકારને નોટિસ આપી કે, હવે ચોવીસ કલાકમાં કેદીઓ નહીં છુટે તો સરકાર સામે વિશ્વાસઘાતનો આરોપ મૂકીને તેમની સાથે થયેલો તમામ પત્રવ્યવહાર પોતે પ્રસિધ્ધ કરશે અને સત્યાગ્રહનું આંદોલન ફરી શરૂ કરવામાં આવશે જેની તમામ જવાબદારી સરકારની રહેશે. સરદારનું આ અલ્ટિમેટમ સાંભળીને પ્રાંતના ગવર્નર અને ગ્રુહમંત્રીએ સેક્રેટરી ઓફ સ્ટેટને તાર કરીને જણાવ્યું કે જો કેદીઓને તાબડ્તોબ નહી છોડવામાં આવે તો બન્નેને રાજીનામું આપવાની ફરજ પડશે.

સરદાર સાહેબની નોટીસને પુરા થવાના ચોવીસ કલાકતો સવારે પુરા થતા હતા તે પહેલાં રાતે બે વાગ્યે સરદારને ખબર આપવામાં આવી કે સરકારે કેદીઓને છોડી મુકવાનો હુકમ કરેલ છે. અને પેલો તુમાખી ગોરો કમિશ્નર લાંબી રજા ઉપર ચાલ્યો ગયો અને કદી પાછો જ ન આવ્યો.

૩જી સપ્ટેમ્બર ૧૯૨૩ના રોજ જન્માષ્ટમીના દિવસે તમામ સત્યાગ્રહી કેદીઓને છોડી મુક્યા અને તેઓ બધા રાષ્ટ્ર ધ્વજ સાથે સિવિલ લાઈન્સના બધા વિસ્તારમાં સરઘસમાં ફર્યા. સાંજે નાગપુરમાં મોટી જાહેરસભામાં સરદારે જે પ્રવચન કર્યુ તે સાચે સમજવા જેવુ છે. તેમણે કહ્યુ :

હું તમને સાચેસાચુ કહું છુ કે આપણી જીત થઈ છે તેનું માન મને બિલકુલ નથી. બધું માન જેલમાં કષ્ટો અને યાતનાઓ સહન કરીને આવ્યા છો તેમને અને જેઓ આ લડતને અર્થે સહન કરવાને તૈયાર હતા તેમને છે. તેમ જ આખી લડત દરમિયાન અથાક શ્રમ લેનાર અને અદ્વુત વ્યવસ્થા બતાવનાર નાગપુરની કોંગ્રેસ સમિતિને છે. નિર્મળતા અને નિર્ભયતાના સાધનોથી સજ્જ આ ધર્મયુધ્ધનું પ્રજા ભવિષ્યમાં ગૌરવ સાથે સ્મરણ કરશે. અને આ ધર્મયુધ્ધ સત્ય, અહિંસા અને આપભોગના શસ્ત્રોની શ્રેષ્ઠતા વિશે પ્રજામાં વધારે શ્રધ્ધાનો સંચાર થશે.થશે. મહાત્માજીની સાથે ખેડા સત્યાગ્રહમાં કામ કરીને જે તાલીમ લીધી હતી એને કેવી અમલમાં મુકી હતી એના દર્શન થયા વિના રહે જ નહી.

Confessions of Pandit Nehru

It was the Pioneer, if we remember rightly, that created sensation by printing the first personal pronoun with the small "i" in reporting one of Lord Curzon's speeches, with the explanation that it was obliged to do so as the capital "I" in the printing room had been exhausted in the first half of His Excellency's address. The story came to mind when reading Pandit Jawaharlal's rambling statement on his position vis-a-vis of Mr. Subhashchandra Bose's re-election to preside over the Indian National Congress. After the almost cynically frank avowal by Sardar Vallabhbhai Patel and others of how Presidents were elected until Mr. Bose broke through the conventio, the Pandit would have lost any illusion that he might have cherished about his own re-election for a second and a third time. As Lord Melbourne remarked when he accepted the Garter, "There's no damned merit about it." The Pandit pathetically avows, "often I have felt that I was a square peg in a round hole." and that "during the year of my office I have frequently been on the verge of resigning because I felt that I could serve the Congress better if I did not have the responsibilities of office." Nevertheless, he stayed on because he says he was firmly convinced that "in the dynamic and critical times we live in, we must present a united front and subordinate our individual opinion where these tend to impair that front." One has heard a similar reason assigned by persons who held high office and let things be done which went against the principles professed by them. Another stock reason, which the Pandit has mercifully not advanved is that, if one resigned on the ground of principle, another who had never professed any principle would step into one's shoes. "How would that be better in the interests of the country?" Notwithstanding his feeling that he was a round man in a square hole, the Pandit stuck to his seat and he implies that he did something sacrificial in so doing. It was, to our mind, the plain duty of the Pandit to resign when he felt that he was a misfit in his office. He not only did violence to his own convictions but he let the public believe that he was pulling his weight in the movement on the lines he believed to be right. If every man who is entrusted with the responsibility of office, conceives his duty to be preserve at all costs a semblance of unity in the face of the outside world, the movement must inevitably lose its vitality. A touch of fresh air is enough to topple it. If the Pandit and other had better realised their duty to serve the movement not merely with their bodily presence but with their mind and soul, the election of a candidate to the Presidentship who was not favoured by the seniors, would not have caused all this fuss. Where there is no real agreement, it is no good to pretend that there is.

Karamsad

કરમસદ પ્રત્યે મારો સ્નેહ...



એક સવાલ મારા મન માં સદાય હતો કે જ્યારે સરદાર પટેલ આઝાદી ની લડત લડતા હતા અને સ્વતંત્ર ભારત ને નવો આકાર આપતા હતા ત્યારે કરમસદ ગામ માં શું પ્રવ્રુતિઓ ચાલી રહી હતી? આ સવાલ નો જવાબ શોધતા મને જે વિગતો પ્રાપ્ત થઈ એમાં કરમસદ ગામનો મારા જન્મ પહેલાંનો ઈતિહાસ આટલો રસપ્રદ હશે એ મે કદીએ વિચાર્યુ નહોતું, માનવી ની ઉત્સુકતા જ માનવી ને કાંઇક કરવાની પ્રેરણા આપે છે. આપણા પુર્વજો એ કેટકેટલા સદકરમ કર્યા એટલે જ કદાચ આ ગામનું પહેલાં થી જ નામ કરમસદ છે, જે સદાય સદ કરમ કરવા ની પ્રેરણા આપતું હતું, છે અને રહેશે….

કરમસદ ગામે ભારતના જગવિખ્યાત રાજ પુરુષો અને અનન્ય દેશભક્તો સદા આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ પટેલ અને સદા આદરણીય શ્રી વલ્લભભાઈ પટેલ જેઓને આપણે સરદાર પટેલના નામે જાણીએ જ છીએ. આ જ ગામની દિકરી સદા આદરણીય શ્રીમતી મણીબેન પટેલ કે જેમણે પોતાના પિતાની દેશભક્તિ અને દેશદાઝ માટે પોતાના જીવન ની આહુતી પિતાના ચરણોમાં આર્પી, કરમસદ ગામના જ શ્રી બાબુભાઈ પટેલ જેઓનું આપણે બાબુભાઈ શહીદ સ્મારક કરમસદના જુના બજાર પાસે બનાવેલ છે. આ સિવાય કરમસદ ગામે રાષ્ટ્રીય ચળવળમાં પણ પોતાનો ખુબજ મોટો ફાળો આપેલ છે.

કરમસદ ગ્રામ પંચાયત ની સ્થાપના ૨૫-૧૨-૧૯૪૦ ના રોજ કરવા માં આવેલ જે “અ” વર્ગ ની ગ્રામ પંચાયત તરીકે સ્થાપાયેલ, જે આજે નગરપાલિકા બની છે. ૧૯૫૪ માં કરમસદ નું ક્ષેત્રફળ ૬.૧ ચો. માઈલ, ઘરો : ૨૧૮૫, કુટુંબ : ૨૩૮૫ અને વસ્તી માં પુરુષો : ૬૩૭૨, સ્ત્રી : ૪૬૪૬ એમ કુલ ૧૮૦૧૮ હતી. આણંદ – ખંભાત ની રેલ્વે લાઈન ઉપર્નું આણંદ પછીનું સ્ટેશન. ગામ નાં ઘણાં લોકો દેશનાં મોટા શહેરોમાં અને પરદેશ ખાસ કરીને પુર્વ આફ્રિકા માં વસતા હતા અને આર્થિક રીતે સધ્ધર હતા, છે અને રહેશે.

ગામમાં લાખિયો કુવો, ખારો કુવો, રબારી નો કુવો અને મોટો કુવો એ મુખ્ય અને મોટા કુવા હતા, તે સિવાય નાની કુઈઓ પણ ઘણી હતી, આજે આ કયા સ્વરુપ માં છે તે મને ખબર નથી. એ વખતે શ્રી જશભાઈ જીવાભાઈ પટેલ પોતાનું ખાનગી વોટર વર્ક્સ ગામમાં ચલાવતા, ગ્રામપંચાયત તરફથી નવુ મોટું વોટર વર્ક્સ કરવાની યોજના કરવામાં આવેલ. સરદાર પટેલના સ્વપ્ન વલ્લભ વિધ્યાનગર ઉભું કરવા માટે કરમસદ ગામ ના લોકો એ પોતાની જમીનો ઉત્સાહ પુર્વક આપેલ હતી. આ સિવાય કરમસદ ગામે ઉદ્યોગિકરણ અને યુવાનનો ને રોજગારી મળે તે માટે જરૂરી જમીન વિઠ્ઠલ ઉદ્યોગનગર માટે આપેલ, તથા આરોગ્ય – તબીબી સેવા માટે જમીનની જરૂર પડતા કરમસદ ગામે પોતાની જમીનો ખુબજ ઉત્સાહ પુર્વક આપેલ જે આજે શ્રી ક્રિષ્ના હોસ્પિટલ / ચારૂતર આરોગ્ય મંડળ તરીકે જાણીતી બની છે અને આ જમીનો આપવા માટે મુખ્ય ઉદ્દેશ સમાજ તથા આવનાર પેઢીને મદદરૂપ બનવા માટેનો જ હતો. ગામ માં ૧૯૫૧થી એક દવાખાનું ચાલે છે અને આ દવાખાનાનું મકાન શ્રી પુનમભાઈ નરસિંહ ભાઈ પટેલે તથા પ્રસુતી ગ્રુહનું મકાન શ્રી ડાહ્યાભાઈ હાથીભાઈ પટેલે બંધાવેલ. જેને આપણે સ્ટેશન રોડ ઉપર આવેલ સરકારી દવાખાના તરીકે ઓળખીએ છીએ. શ્રી ઠાકોરભાઈ પટેલ (વૈધ) કરમસદ બસ સ્ટેંડ પાસે બાલ મંદિર નું મકાન પણ બંધાવેલ છે. જેને આજે આપણે જુનું બાલમંદીર પણ કહીએ છે.

સરદાર વલ્લભાઈ પટેલ હાઇસ્કુલ શ્રી સોમાભાઈ મીઠાભાઈ પટેલ, શ્રી અંબાલાલ હાથીભાઈ પટેલ, શ્રી મણીભાઈ બાબરભાઈ પટેલ ના વડીલ પરિવાર દ્વારા ખુબજ ઉત્સાહ પુર્વક બંધવામાં દાન આપેલ અને નાની નાની રકમ નું દાન કરવામાં પણ ટુકડે ટુકડે સવલત અનુસાર આપવા ની વ્યવસ્થા કરેલ જે કરમસદ કેળવણી મંડળ ના જુના વાર્ષિક આહેવાલો થી પણ માલુમ પડે છે.

૧૯૫૪ થી આજ દિન સુધી કુમાર શાળા અને કન્યા શાળા અલગ અલગ ચાલે છે. તેમાં કન્યાશાળા સંવત ૨૦૦૩માં ગામ નાં શ્રી ત્રિભોવનદાસભાઈ ખુશાલભાઈ પટેલ અને તેઓના ભાઈ શ્રી કાશીભાઈ પટેલ અને શ્રી ડાહ્યાભાઈ પટેલ એ તેમના કાકી શ્રીમતી સાકરબાના સ્મર્ણાર્થે રૂપિયા ૧,૩૫,૦૦૦=૦૦ ના ખર્ચે તળાવ ઉપર “પાટીદાર નિવાસ” (ધર્મશાળા) બંધાવેલ જે આજે સાકરબા કન્યાશાળા ના નામે ઓળખાય છે, અને એ વખતે કુમારશાળા નું મકાન સાકડું હોવાથી બીજા મકાનો પણ ભાડે રાખી ને પણ ગામ ના સંતાનો ને ભણવા માટે સગવડ કરી આપેલ, ભણતર ની સાથે સાથે પુસ્તકાલય પણ જરૂરી છે અને આ માટે શ્રી શિવાભાઈ દાદાભાઈ પટેલ એ મકાન બંધાવી આપેલ જેનું નામ “વિદ્યાર્થી સમાજ પુસ્તકાલય” તરીકે આજે પણ જાણીતું છે. જેમાં છાપા ઉપરાંત ૭૦૦૦ જેટલા પુસ્તકો પણ ૧૯૫૪ દરમ્યાન હતાં.

આજ કાલ ખાનગી બસ સેવા આણંદ થી કરમસદ ચાલે છે તથા બીજા અન્ય સ્થળો માટે પણ ચાલે છે, પરંતુ કદાચ અપણે નહિ જાણતા હોઈએ કે આ ખાનગી બસ સેવા ની શરુઆત વર્ષ ૧૯૫૪ પહેલા કરમસદ થી આણંદ જવા ખાનગી બસ સર્વિસ ચાલતી હતી જેમાં એક બસ ખાસ વલ્લભ વિદ્યાનગર વિધ્યાર્થી ઓ ને લેવા-મુકવા ની વ્યવસ્થા પણ હતી.. આપ સમજી શકો છો કે કરમસદ ના લોકો ની દિર્ગદ્રષ્ટી કેટલી હતી અને જે પોતાની આગવી બસ સર્વિસ એ જમાના માં ચલાવતું હતું. અને આજે આપણા જ ગામના પાટીદાર ના વિચારો નું કોઈ એ અનુકરણ કરે તો તે બાબતે હું પોતે તો ગર્વ અનુભવું છું અને આવું જ ભવિષ્ય માં પણ થવું જોઈએ.



સમય, શક્તિ, ધન, બુધ્ધિ, દરેક રીતે ગામ અને સમાજ ને સીધી કે આડકતરી રીતે મદદરૂપ થાય તે બધાને દાતા કહી શકાય… એ જમાનામાં ટેક્નોલોજીનો અભાવ / ઉપયોગ પણ નહી થતો હોય, જો આમ છતાં વડિલો તથા મહાનુભાવોએ કરી બતાવ્યુ તો આપણે તો આજ ની યુવા પેઢી ટેક્નોલોજી સાથે બહુજ સારી રીતે માહિત્ગાર છે તો આપણે કરમસદ માટે તો કાંઈક એવા કાર્યો કરી જ શકીએ કે જેથી કરીને આપણા મા-બાપ, આવનારી નવી યુવા પેઢી, ગામ અને સૌથી ઉપર સમાજ પણ ગૌરવ અનુભવશે.

એવું નથી કે કરમસદમાં કદીએ મુશ્કેલીઓ નથી આવી પરંતુ કરમસદ સદાય એ મુશ્કેલીઓ નો સામનો કરી ને કરમસદે સદાય પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને ભવિષ્યમાં પણ કરશે…

ભુતકાળ ના અનુભવો થી વર્તમાન જીવવા થી ભવિષ્ય સદાય ઉજ્જ્વળ બને છે એવુ મારુ મનવું છે.

આ સિવાય ગામ ના કોઇ મહાન કે પ્રતિષ્ઠિત વ્યક્તિ / વડીલ નું નામ મારા થી ધ્યાન બહાર ગયેલ હોય તો પુત્ર / મિત્ર સમજી માફ કરજો અને ઈરાદપુર્વક નથી તેની હું ખાત્રી આપું છું. તથા હું માનું છુ કે મે કોઇ સ્વર્ગસ્થ વડિલ કે મહાનુભાવના નામ ની આગળ સ્વ. નથી કહેલ એનું એકજ કારણ કે દરેકે દરેક સીધી કે આડકતરી રીતે આપણી વચ્ચે કે આપણા હ્ર્દય માં સદા જીવંત છે, હતાં અને રહેશે.

સરદાર પટેલ અમર રહો..

© all rights reserved
SardarPatel.in