Complaint to Sardar Patel on Sheikh Abdullah's Dictatorial Issue | Vithalbhai Patel, Sardar Patel

Complaint to Sardar Patel on Sheikh Abdullah's Dictatorial Issue

Complaint to Sardar Patel on Sheikh Abdullah's Dictatorial Issue
0

Complaint to Sardar Patel on Sheikh Abdullah's Dictatorial Issue

૧૧ ડિસેમ્બર૧૯૪૭ના રોજ જમ્મુ કાશ્મીરમાં શેખ અબ્દુલ્લાની હિટલરશાહી પ્રવૃત્તિની ફરીયાદ કરતો પત્રમેહર ચંદે સરદાર સાહેબને લખ્યો.


પ્રિય સરદાર પટેલજી,



અહીનું શાસન હિટલરશાહી તરીકે ચાલી રહ્યુ છે જેનાથી બદનામી થઈ રહી છે. આજ કારણે હું આવા લોકોનો
સાથ જેટલો જલ્દી છોડું તે જ સારુ રહેશે, કારણકે હું કોઈ પણ રીતે આ લોકો સાથે મળીને કામ ન કરી શકું. અહીંયા કાનુન વ્યવસ્થા જેવું કાંઈજ રહ્યું નથી. હું અહીયાં થતી અસંખ્ય હિટલરશાહી પ્રવૃત્તિઓમાંથી ઉદાહરણ તરીકે આપને જણાવું છું.

  • ઉચ્ચ ન્યાયાલયને કામ કરવા નથી દેવામાં આવતું. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે ઉચ્ચ ન્યાયાલય જમ્મુમાં બનવું જોઈએ. આ આદેશને માનવામાં નથી આવતો. આશરે દોઢ મહીનાથી કોઈ ઉચ્ચ ન્યાયાલયમાં નથી. એક ન્યાયાધીશ છે, જે અહીયા સમય પસાર કરી રહ્યા છે. શ્રીનગરમાં એક ન્યાયાલય છે અને બીજુ મુખ્ય ન્યાયાલય કલકત્તામાં છે. પ્રશાસનના અધ્યક્ષને ઉચ્ચ ન્યાયાલયના કાર્યોમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી તેમ છતાં તે આ કરી રહ્યા છે.
  • જમ્મુના ગવર્નરનું સ્થાળાંતર કરવામાં આવ્યુ, પછી તેમને નિલંબિત કરવામાં આવ્યા ત્યારબાદ તેમનું કાર્યક્ષેત્ર સીમીત કરી દેવામાં આવ્યું. ખુબ મોટી સંખ્યામાં અધિકારીઓ જેલમાં છે. મે સલાહ આપી હતી કે તેમના ઉપર લાગેલ આરોપોની તપાસ થવી જોઈએ અને તે તપાસ માટે પંચ કે આયોગની નિમણુંક કરવી જોઈએ, પરંતુ તે બાબતે કોઈ પણ પગલાં ન લેવાયા. લોકો તથા ઉચ્ચ પદાધિકારીઓની ઉલટ તપાસ કર્યા વગર જેલમાં ન રાખવા જોઈએ.
  • ખુબ મોટી સંખ્યામાં અન્ય લોકો પણ જેલોમાં છે. તેમની કોઈ પુછપરછ કે તપાસ નથી કરવામાં આવી. આ કોઈ પણ એકહથ્થું સત્તાવાળા દેશ કરતા પણ વધારે દમનકારી શાસન વ્યવસ્થા છે.
  • મહામહિમે આદેશ કર્યો કે અમુક કાર્યાલયો જમ્મુમાં રહે. એક મહિનો વિતી ગયો તેમ છતાં આ બાબતે પણ કોઈ કાર્યવાહી નથી થઈ રહી.
  • શેખ અબ્દુલ્લાએ મહારાજને થોડા અધિકારીઓ બાબતે વાત કરી, જેમને મહારાજ દ્વારા પાકિસ્તાની હોવાના શક ઉપર જેલમાં રાખવામાં આવ્યા છે. પરંતુ તે અધિકારીઓને પાછા કાર્યાલયોમાં મોકલી દેવામાં આવ્યા અને એકને તો મહારાજની ઈચ્છા વિરુધ્ધ વિશેસ આદેશ મુજબ ગર્વનર નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • અબ્દુલ્લા જાતેજ નિયમ અને કાનુન બનાવી રહ્યા છે. આ બધા કુશાસનના ઉદાહરણ છે. જે અનેક ગણુ વધી શકે છે. ઘણા ખરા લોકોને ધરપકડની ધમકીઓ આપવામાં આવી રહી છે, આવી ધમકીઓ મને પણ મળી છે. આવા પ્રકારનું શાસન કેવી રીતે ચાલશે.
સાદર નમન
મેહર ચંદ

મહાજન  



No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in