Magistrate orders Sardar Patel not to deliver speech in Ras village

Magistrate orders Sardar Patel not to deliver speech in Ras village

Magistrate orders Sardar Patel not to deliver speech in Ras village

સરદાર પટેલને રાસ ગામમાં ભાષણ નહી કરવાનો મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલ હુકમ

સરદાર વલ્લભભાઈને રાસ ગામમાં ભાષણ નહી કરવાનો હુકમ મેજીસ્ટ્રેટે ફરમાવેલો, તે હુકમનો અનાદર કરવા બદલ તેઓને ત્રણ માસની સાદી કેદની અને રૂ. ૫૦૦ના દંડની સજા થયેલી; જેલમાં જતી વેળાએ તેઓએ પોતાના સંદેશામાં કહ્યુ છે કે "ગુજરાતના કલ્યાણને માટે સાબરમતીને કાંઠે પંદર વર્ષ જે ઉગ્ર તપશ્ચર્યા મહાત્માજીએ કરેલી છે તેનો બદલો આપવાનો પ્રસંગ હવે આવ્યો છે, તે ગુજરાત ભુલી નહી જાય. સરકારને જરા પણ શાણપણ હશે તો એમના જેવા પવિત્ર પુરૂષ ઉપર હાથ નહી ઉગામે. તેઓ જ્યાસુધી છુટા છે ત્યાંસુધી ઉપર હાથ નહિ ઉગામે. તેઓ જ્યાસુધી છુટા છે ત્યાંસુધી તેમનો હુકમ માનવો એ આપણો ધર્મ છે.

એમને પણ પકડવામાં આવે તો ગુજરાતે શું કરવુ તે મે મારા ભરૂચના ભાષણમાં જણાવી દીધું છે.


Post a Comment

Previous Post Next Post