Sardar Patel & Dr. M. R. Jayakar during Indian Constitutient Assembly Debates - 16-12-1946 | Vithalbhai Patel, Sardar Patel

Sardar Patel & Dr. M. R. Jayakar during Indian Constitutient Assembly Debates - 16-12-1946

Sardar Patel & Dr. M. R. Jayakar during Indian Constitutient Assembly Debates - 16-12-1946
0

Sardar Patel & Dr. M. R. Jayakar during Indian Constitutient Assembly Debates - 16-12-1946

 

૧૬ ડિસેમ્બર ૧૯૪૬ના રોજ ડો. રાજેંદ્ર પ્રસાદના અધ્યક્ષ સ્થાને બપોરે ૩ વાગ્યે શરૂ થઈ તે સભામાં ડો. એમ. આર. જયકરે સંવિધાન સભા દરમ્યાન સભાપતિને દેશી રિયાસતો અને મુસ્લિમલીગ વિશે પોતાની ચર્ચા દરમ્યાન ભાર આપતા જણાવ્યુ કે સંવિધાન સભા દરમ્યાન ૨ સંગઠનોની ઉપસ્થિતિ નથી. અને દેશી રિયાસતો ગેરહાજર છે તેમા તેમનો દોષ નથી કારણ કે રિયાસતો આ સમયે આ સભામાં મોજુદ એટલા માટે નથી રહી શકતી કારણ કે તેઓએ પોતાની મંત્રણા કમિટીનું ગઠન કરી લીધું છે પણ આપણે આવી કોઈ પણ કમિટી હજી સુધી બનાવી નથી. જ્યારે આપણે આવી કમિટી બનાવીશું ત્યારે બન્ને કમિટી સાથે બેસી શકે અને યોજના મુજબ રિયાસતો આ સભામાં હાજર રહી શકે. મુસ્લિમ લીગની વાત છે તેમાં પરિસ્થિતિ અલગ છે. મુસ્લિમ લીગને હાલમાં ૩-૪ રિયાસતો જ મળી છે. આ રિયાસતો લીગે કેવી રીતે મેળવી તે બાબતે મારે અહિયા ચર્ચા કરવાની જરૂર નથી.

ભવિષ્યમાં ૨ વાતોનું સ્પષ્ટીકરણ જરૂરી છે. એક તો વોટિંગ દ્વારા મત આપવાની વાત અને બીજા વિભાગોમાં શામિલ થવાની વાત. મારા મત મુજબ આ પ્રશ્ન ફેડરલ કોર્ટ સામે રાખવો જોઈએ અને આ ફેડરલ કોર્ટના એક ભુતપૂર્વ જજ તથા પ્રિવી કાઉંસિલના ન્યાય સંબધી મોટી અદાલતના એક વર્તમાન સદસ્ય હોદ્દાની રૂએ હોય, આ મામલાને ફેડરલ કોર્ટમાં મોકલવા કે તે બાબતે વધારે કહેવું હું ઉચિત નથી સમજતો. હું આપને મંગલકામના સાથે અભિનંદન પાઠવી આ કામ માટે યોગ્ય વૈધાનિક કાનુનવિદ્દ મારા મિત્ર સર અલ્લાદી કૃષ્ણાસ્વામી અય્યરની સેવા આપને મળી શકે છે. એક વાત તો સ્પષ્ટ છે કે જુથબંદી અને વોટિંગ ના પ્રશ્ન પર સ્પષ્ટીકરણ મેળવવા માટે આપ ફેડરલ કોર્ટમાં જઈ શકો છો, પરંતુ જે રિયાસતો લીગને મળી ચૂકી છે તે બાબતે આપ ફેડરલ કોર્ટમાં દાદ નહી માંગી શકો. હાલના વકત્વ્ય માં સમ્રાટની સરકારે એ વ્યવસ્થા કરી છે કે તમે વિધાન-નિર્માણ માટે જાતિનો એક મોટા ભાગનો સમાવેશ નહી થાય તો સરકાર આ વિધાનને કોઈ દેશના એ વર્ગ પર જબર્દસ્તી નહી લાદે. આ વ્યવસ્થા મુસ્લિમ લીગના પક્ષમાં છે અને આપ આ બાબતને ફેડરલ કોર્ટમાં નહી લઈ જઈ શકો. ૧૬ મે ના વક્તવ્ય સિવાય મુસ્લિમ લીગને નવી રિયાસત અપાઈ છે. આ રિયાસત પ્રધાનમંત્રી મિસ્ટર એટલી ના હાઉસ ઓફ કોમંસમાં ૧૫ માર્ચ ૧૯૪૬ના રોજ અપાયેલ વક્તવ્ય ને અનુકુળ નથી. જેમા તેમણે કહ્યું હતુ કે અલ્પસંખ્યકો ને સંરક્ષણ અવશ્ય મળશે, પરંતુ બહુમતની પ્રગતિમાં અવરોધ નહી કરી શકે. આ વાત ૧૫  માર્ચ ૧૯૪૬ના રોજ બ્રિટનના જવાબદાર સર્વોચ્ચ હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ કે જેઓ ત્યાંના પ્રધાનમંત્રી છે તેમણે કહી હતી. આજે એ વાત પુરી થઈ ગઈ. અને હવે સ્થિતિમાં જબરદસ્ત અંતર આવી ગયું છે.

આ બાબતના જવાબમાં સરદાર પટેલે ખુબ શાંતિથી સભાપતિને જણાવ્યું કે

શું માનનીય સદસ્ય સમ્રાટની સરકાર દ્વારા નિર્ધારિત નીતિઓની વ્યાખ્યા કરી રહ્યા છે? આ બધી કહેવાતી રિયાસતો જેનો ઉલ્લેખ માનનીય સદસ્ય કરી રહ્યા છે, હાઈટ પેપર કે યોજનામાં છે જ નહી. આ તો લીગને અલગથી અપાઈ રહી છે. આપણે તેને મંજુરી નથી આપે અને આ સભા ૧૬ મે ૧૯૪૬ના વક્તવ્ય અને આવા કોઈ પણ પરિવર્તન કે વધારાને મનવા તૈયાર નથી.

આ વાત સાંભળીને સભાના બધા જ સભ્યોનો હર્ષ ધ્વનિની નોંધ સભા દ્વારા લેવામાં આવી.

સંદર્ભ : પાન નં ૧૨ : ભારતીય સંવિધાન સભાના વાદ વિવાદનો સરકારી રિપોર્ટ – અંક ૧ 




#sardarpatel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in