2018 | Vithalbhai Patel, Sardar Patel

Renunciation of Sardar Patel

Renunciation of Sardar Patel - સરદાર પટેલનો ત્યાગ

સન ૧૯૨૯ના પ્રવચનો દ્વારા જાણી શકાય કે સરદાર પટેલનો મુખ્ય મુદ્દો જમીન મહેસૂલનો અન્યાયી બોજ હતો, તેમનું માનવુ હતુ કે આ મુદ્દા ઉપર આખા હિંદુસ્તાને સરકાર સામે લડવા તૈયાર કરી શકાશે. સપ્ટેમ્બર ૧૯૨૯ના યંગ ઈંડિયામાં ગાંધીજીએ આ વિષય બાબતે વિસ્તારથી લખેલ છે અને જેમા બારડોલીનું મહત્વ અને સરદારની શક્તિઓની જાણકારી દેશ સમક્ષ મુકી હતી. જેમા તેમણે જણાવ્યુ કે “સરદારની આગેવાની શક્તિઓનો લાભ ઉઠાવી શકે તેવા કેટલા બારડોલી જેવા ગામો છે?” બારડોલીની લડાઈ માટે તૈયાર ખેડુતોએ તાલીમબધ્ધ સેવકોની મદદથી અહિંસાની આ લડતમાં વિજય મેળવ્યો હતો.

કોંગ્રેસના પ્રમુખપદ જેવા મહત્વના સવાલમાં મોતીલાલ નહેરુ પછી કોની વરણી કરવી તેમાં સરદાર પટેલ અને ગાંધીજી વ્યસ્ત બન્યા હતા. સુભાષચંદ્ર બોઝે લખેલ કે “કોંગ્રેસના સભ્યોમાં સરદાર પટેલ અને ગાંધીજી બન્નેમાંથી આ પદ કોને મળવું જોઈએ તે બાબતે અસમંજસ હતી. કેટલાક સભ્યો સરદાર પટેલને આ માન મળવું જોઈએ અને કેટલાક સભ્યો એમ માનતા હતા કે અંગ્રેજો સામેની લડત ગાંધીજીએ લડવાની હતી તેથી આ માન તેમને મળવું જોઈએ. ગાંધીજીને આ માન મળે તેમાં રાજાજી અને ઘણાખરા અંશે સરદાર પટેલ પોતે પણ આ મત ધરાવતા હતા.

સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં વૈદારણ્ય પરિષદમાં સરદારે કહ્યુ હતુ કે “સહું કોઈ ગાંધીજીને પ્રમુખપદ સોંપવા આતુર છે.” દસ પ્રાંતિક સમિતિઓએ ગાંધીજીના નામની દરખાસ્ત મૂકી હતી અને નવા પ્રમુખ તરીકે ગાંધીજીના નામની જાહેરાત પણ કરી દેવામા આવી હતી. પણ ગાંધીજીએ આ હોદ્દો સ્વીકરવાની સાફ મનાઈ કરી. હવે પાંચ પ્રાંતિક સમિતિઓએ સરદાર વલ્લભભાઈ પટેલના નામની અને ત્રણ પ્રાંતિક સમિતિઓએ જવાહરલાલ નેહરુના નામની દરખાસ્ત કરેલ, હવે પસંદગી આ બન્ને વચ્ચે કરવાની હતી. લખનૌમાં મળેલ કોંગ્રેસ સમિતિની સભામાં ગાંધીજીને તેમના નિર્ણય બાબતે ફરી વિચારવા વિનંતી કરી પરંતુ ગાંધીજી પોતાની વાતને વળગી રહ્યા.
ઉત્તરપ્રદેશના નરેંદ્ર દેવ અને બાલકૃષ્ણ શર્મા જવાહરલાલના યુવાન અને ઉત્સાહી ટેકેદારો હતા. અને તેઓએ વલ્લભભાઈ ઉપર દબાણ કરવાનું શરુ કર્યુ અને જાહેરમાં હવે સરદાર શુ કરશે? સરદાર શુ કહેશે? આ બાબતોને પ્રાધાન્ય આપી ચર્ચા કરવા માંડી. આ સમયે નરેંદ્ર દેવ અને બાલકૃષ્ણએ જે ભાગ ભજવેલ તેની યાદ તાજી કરતા સરદારે આશરે ૧૯ વર્ષ પછી એટલે કે આશરે ૧૯૪૮માં તેમને જવાહરલાલના “ડાઘિયા કુતરા” તરીકે ગણાવ્યા હતા. નરેંદ્ર દેવ ના લખાણ મુજબ ૧૯૨૯માં ઉમેદવારી પાછી ખેચી લેવા માટે સમજાવવા ગાંધીજી માટે કપરો સમય હતો, આ લખાણનો ઉલ્લેખ રાણીએ કરેલ તે સાવ ખોટી રીતે બોમ્બે ક્રોનિકલ ૨૮-૧૯૩૯માં વંચાયો છે. હકીકતમાં આ લખાણ વર્ષ ૧૯૩૬ બાબતે નરેંદ્ર દેવે લખેલ જે ખોટી રીતે વંચાયેલ હોવાતી ૧૯૨૯ માટે ગેર સમજ ઉભી કરે છે. હકીકતમાં તો વર્ષ ૧૯૨૯માં તો સરદાર પટેલે તરત ઉમેદવારી પાછી ખેચી લીધી હતી. અને જવાહરલાલ નેહરુ ૧૯૨૯માં કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા.

Narayan Dev
“ડાઘિયા” શબ્દપ્રયોગ ઉપરથી તો સમજી શકાય કે વલ્લભભાઈ પટેલના મનમાં કેટલી કડવાશ હશે. આ કડવાશ શા કારણે છે? તે સમજવા ઘણા કારણો છે. તેમના માટે સૌથી વેદનાકારી કારણ એ હતુ કે જેના માટે થઈને તેમણે ઘરબાર છોડ્યાં, અને દરેક બાબતે જેમનો અભિપ્રાય સર્વોપરી અને મૂલ્યવાન હતો, તે મહાત્મા ગાંધીજીએ તેમની શક્તિઓને ઊતરતી ગણાવી હતી. “ડાઘિયાઓ” જવાહરલાલને ટેકો આપે તે સમજી શકાય પરંતુ ગાંધીજી પોતે જવાહરલાલની વરણી કરે તે તેમના માટે અસહ્ય હતું. માઈકલ બ્રેચરના પુસ્તક નેહરુમાં આ બાબતે ઉલ્લેખ કરેલ છે. અને મોતીલાલ નેહરુ અને માતા સ્વરૂપરાણી ની ખુશીનો તો કોઈ પાર નહોતો. વર્ષને અંતે લાહોર કોંગ્રેસના પ્રમુખપદેથી જવાહરલાલ નહેરુએ કહ્યુ કે “હું ગણતંત્રવાદી છુ અને રાજાઓ અને રાજકુમારોની પરંપરામાં મને જરા પણ શ્રધ્ધા નથી.” સ્વાયત્તની શાસનની બાબતમાં વલ્લભભાઈ જવાહરલાલ કરતા ઓછા ઉગ્ર હતા. તેમ છતા ગણતંત્ર તેમના લોહીમાં વણાઈ ગયેલું. આ ગોળી ઘણી કડવી હતી પરંતુ વલ્લભભાઈએ કોઈપણ આનાકાની વગર ગળે ઉતારી લીધી.

Balkrishna Sharma

ગાંધીજીને અનુસરવાની પોતાની પ્રતિજ્ઞાને કારણે જ વલ્લભભાઈ બધા જ આઘાત અને અણગમાને પોતાના મનમાં ઉગતા પહેલા જ દાબી દીધા. પરંતુ એક વાતથી તો ગાંધીજી, જવાહરલાલ અને બીજા સભ્યો પણ પરિચિત હતા કે ગુજરાતમાં તો ફક્ત પટેલ કહેશે તે જ થશે ખુદ કોંગ્રેસ પ્રમુખ કે ગાંધીજી કહેશે તો પણ નહી ઉપજે. જેમ ૧૯૦૫માં વલ્લભભાઈએ વિઠ્ઠલભાઈ માટે જે ભોગ આપ્યો (બેરિસ્ટર થવા માટે વિલાયત જવાનો) તેમા એક વણલખી શરત હતી તેમ ૧૯૨૯માં તેમણે જવાહરલાલ માટે આપેલ ભોગમાં પણ એક મૂક શરત હતી – ગુજરાતમાં વલ્લભભાઈ ધારશે તેમ જ થશે.

Sardar, Gandhi And Jawahar



ગાંધીજી અને સરદારશ્રીનો સંબંધ કેટલો નિકટનો હતો તે સમજવા અમુક પ્રસંગો વાગોળવાથી જણાશે. સરદારશ્રી ગાંધીજીના અંધભક્ત તરીકે ઓળખાતા. સરદાર પારદર્શી દૃષ્ટિના અને વ્યવહારકુશળ માનવી હતા કે તેઓ પોતાની બુધ્ધિ ગીરવે મુકે જ નહી! ગાંધીજી સરદારશ્રીના મનની વાત સમજતા તેવી જ રીતે સરદારશ્રી પણ ગાંધીજીના મનની વાત સમજતા અને એટલેજ ગાંધીજીએ તા. ૮ મે ૧૯૩૩ના રોજ પોતાના નિવેદનમાં જ કહેલ કે “
યરવાડા જેલવાસ દરમ્યાન સરદારે જે પ્રેમથી મને તરબોળ કર્યો છે. તેના કારણે જ મને મારા માતાની યાદ આવતી. મને જરાક કાંઈ થાય તો સરદાર પથારીમાંથી ઊઠ્યાજ સમજો. મારી સગવડની નાનામાં નાની વસ્તુઓની પણ કાળજી રાખતા. ક્યારેક તો ગાંધીજી બોલી ઉઠતા સરદાર તો મને મારા પુત્રની જેમ વહાલા છે.




વર્ષ ૧૯૪૭ના અંતમાં લોકતંત્રના વહીવટી કાર્યક્ષેત્રોમાં જ્યારે સરદાર અને જવાહરલાલ વચ્ચે મતભેદો ઉભા થયા ત્યારે બન્ને અવારનવાર ગાંધીજી સાથે રજુઆત કરતા. સરદારશ્રી સાથે ગાંધીજીએ વાત કરતા એક સમયે તો સરદારશ્રીને કહ્યું હતું કે 
તમારી આજની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠાનો ખ્યાલ કરતા મને લાગે છે કે તમારે પ્રધાનમંત્રી પદનો સ્વીકાર કરવો જોઈએ!
આ પ્રસંગનીતો મણીબેને પણ નોંધ લીધેલ. ત્યારે સરદારે ગાંધીજીને જણાવ્યું કે 
પ્રધાનમંત્રી તો જવાહર જ રહે. માત્ર મને રાજકાજથી મુક્ત કરો એટલું જ પ્રાર્થુ છું. જો હું આ પદ સ્વીકારુ તો જે લોકો મારી સામે અવળી વાતો ફેલાવી રહ્યા છે તેમની વાતોને પણ નાહકની પુષ્ટિ મળશે.
કોંગ્રેસ સંગઠનમાં સૌથી કાર્યકુશળ અને પ્રભાવી વ્યક્તિ તરીકે પ્રધાનમંત્રી બનવું સરદાર માટે તો જરાય અઘરું નહોતુ. ગાંધી કહે તે પ્રમાણે વર્તવું એવો ધર્મ પોતાના અંગત જીવનમાં સદાય પાળ્યો હતો.



સરદારે જવાહરને ફક્ત નેતા તરીકે જ સ્વીકાર્યા નહોતા, બલ્કે અણીના વખતે તેઓ હરહંમેશ એમની પડખે ઉભા રહેતા. અપ્રિલ ૧૯૫૦માં જ્યારે નહેરુ-લિયાકત કરાર વખતે જે મદદ સરદારે કરી તે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ બાબતે આપણે વિગતવાર ચર્ચા ફરી ક્યારેક કરીશું. નહેરુ અને સરદાર વચ્ચે મતભેદો હતા પરંતુ તે ક્યારેય રાજકીય દુશ્મનાવટમાં પરિવર્તિત નહોતા થયા. સરદારે ગૃહમંત્રી પદે જેટલી મદદ નહેરુ ને કરી છે તે જ આ વાત સાબિત કરે છે કે નહેરુને સરદારની જરૂર હંમેશા રહી હતી.



ગાંધીજીના નિર્વાણ પછીનો સરદારનો તા. ૮-૨-૪૮ના પત્રમાં જ સરદારની ગાંધીભક્તિ આંખે ઉડીને વળગે
છે. આપણા માથેથી છત્ર ચાલી ગયુ, સૂનુ લાગે છે, પણ શું થાય! મહાત્માનું જીવન એટલે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઈતિહાસ! આ ઉદ્ગારો રૂપે બાપુને ભવ્ય શ્રધ્ધાંજલી આપતા સરદારના મુખેથી રામલીલા મેદાન પર ભાષણ આપતા સરી પડ્યા.

જ્યારેબાપુની હત્યા થઈ ત્યારે કેટલાક સમાજવાદી નેતાઓએ તે જ સમયે બાપુની શહીદીનો ડાઘ સરદારના માથે ચોટાડવાનો સુવર્ણ અવસર માનવા લાગ્યા. દેશના કેટલાય અખબારોએ આ બાબતેસમાજવાદીઓ ઉપર ઉગ્ર ટીકાઓ પણ કરી. સરદારને ગૃહપ્રધાન પદ ઉપરથી ખસેડવાનો જેઅંદરખાને પ્રયાસ મૌલાના આઝાદે કર્યો હતો તેનો જ ભાગ હતો. સરદારે તો આ વાત મૌલાનાનેરોકડી પરખાવી હતી અને તેનો પ્રતિઉત્તર મૌલાના આપી શકે તેવી પરિસ્થિતિમાં જ નહોતા.


સરદારને તો સૌથી વધુ ખરાબ તો એ લાગ્યુ કે જ્યારે બાપુના મૃત્યુના શોકમાં ભારત આખું ડુબેલ છે ત્યારે આવું કર્મ સમાજવાદીઓએ કર્યુ. પ્રાર્થના સ્થળ ઉપર કોઈની પણ ઝડતી ન લેવાનો આદેશ સ્વંય બાપુનો જ હતો. સરદારે તો બાપુને ઘણું સમજાવ્યા પરંતુ બાપુ માન્યા નહોતા. તેમ છતાં બાપુના રક્ષણ માટે ૩૦ જેટલા પોલીસના માણસો સાદા વેશમાં પ્રાર્થનામાં બેસતા જેથી બાપુના રક્ષણ માટે જઈ શકાય. લોકસભા કોંગ્રેસના સભ્યો આગળ સરદારે તા. ૪-૨-૪૮ ના રોજ પોતાના ભાષણમાં જણાવ્યુ કે “બોમ્બનો બનાવ બનતા પહેલા બિરલા હાઉસને સંપૂર્ણ શસ્ત્રધારી દળોથી ઘેરી લેવામાં આવ્યું હતું. બોમ્બના બનાવ પછી તો દરેક ઓરડામાં એક એક સશ્સ્ત્ર પોલીસ અધિકારી રાખવામાં આવ્યો હતો. આગળ સરદારે કહ્યુ કે હું જાણતો હતો કે બાપુને આ પસંદ નહોતુ અને તે બાબતે બાપુએ અણગમો દર્શાવેલ હતો. પરંતુ આખરે તેઓ માની ગયા પણ સાફ સાફ કહ્યુ કે કોઈ પણ સંજોગોમાં પ્રાર્થનામાં ભાગ લેવા આવતા માણસોની તલાશી ન લેવાવી જોઈએ.


Tribute to Sardar Patel

Tribute to Sardar Patel - 15th December 2018

અતુલ્ય સરદાર

શુક્રવાર તારીખ ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે સરદાર વલ્લભભાઈના દેહાંતના સમાચાર આખા દેશમાં પ્રસરી ગયા હતા. આ સમાચાર જાણી આખો દેશ આઘાતમાં સરી પડ્યો હતો. સરદાર પટેલે ૧૯૧૬-૧૭માં ગાંધીજીના એક અનન્ય સાથી તરીકે રાષ્ટ્રની સેવામાં અને તેમની આઝાદીની લડાઈમાં શામેલ થયા., ત્યારથી વિદેશી હુકુમતોને દેશમાંથી હટાવવા માટે ગાંધીજીની સાથે રહીને તેમણે સત્યાગ્રહની એક એવી આંધી ચલાવી કે આ આંધીએ બ્રિટિશ સરકારના મુળિયા ઉખેડી નાખ્યા. સરદાર પટેલની આજે ૬૮મી પુણ્ય તિથીના દિવસે સરદાર પટેલે લીલાવતીબેન આસરને જે રીતે આશ્વાસન આપેલ તે સાચે જ દરેકે સમજવા લાયક છે. લીલાવતીબેને તા ૧૬-૫-૧૯૪૯ના રોજ સરદાર પટેલને પોતાનું દુ:ખ સરદાર સાહેબ સમક્ષ પત્ર દ્વારા રજુ કરેલ. લીલાવતીબેનને પત્રમાં જણાવેલ કે મારા ભાઈ જેઓ ઘણા લાંબા સમયથી માંદા રહેતા હતા તેઓ આખરે ગુજરી ગયા. મારી છેલ્લી એમ.બી.બી.એસની પરિક્ષાને આગલે દિવસે ગુજરી ગયા. આ અઘાતને સહન કરી પરીક્ષા આપેલ. મારી સફળતાનું જેમને કૌતુક હતુ તેવા ભાઈ સરખા મહાદેવભાઈ પણ ખોયા. મા-બાપ જેવા બા-બાપુને ખોયા. અને હવે બાકી હતુ તે ભાઈએ પુરુ કર્યુ. હવે બાકી શુ રહ્યુ છે? કોને માટે હવે કરુ? જન્મીને દુ:ખ સિવાય કદી કાંઈ જોયુ નથી. બાળપણમાં માતાપિતા ખોયા, બાળવયે વૈધવ્ય, ત્યાર બાદ પૂ. બાપુને ખોળે આવીને પડી. બધાનો પ્રેમ પામીને બધાને ખોયા. ઘર તરફ નજર વાળી તો જે ભાઈ જે મારા જ વિચારોના અને મને ચાહનાર હતા તેને ખોયા. હજી પણ પથ્થરની થઈ જીવું છું.


આ પત્ર બાદ સરદાર સાહેબે તા. ૧૯-૫-૧૯૪૯ના રોજ પત્ર લીલાવતીબેન આસરને પાઠવ્યો તે સાચે જ હિમ્મત આપનારો હતો. સરદાર લખે છે કે.


ચિ. લીલાવતી,


તારો તા. ૧૬મીનો પત્ર મળ્યો. કાગળ દુ:ખ અને વેદનાથી ભરેલો છે. એટલે તારા મનની સ્થિતિ હું સમજી શકુ છુ. બાપુની ખોટ તો સૌને થોડેઘણે અંશે લાગે જ અને તારા જેવીને તો વિશેષ લાગે! પૂ. બાપુએ આપણને શું શીખવ્યું તેનો ખ્યાલ રાખવો જોઈએ અને એમણે જ શીખ્વ્યું તે યાદ રાખીએ તો અનેક સંકટોમાંથી રસ્તો કાઢવાની સુઝ પડે. તારા ઉપર એક પછી એક મુસીબતો આવી પડી. પણ ઈશ્વર મુસીબતોથી જ કસોટી કરે છે ને સોનું જેમ તપે તેમ શુધ્ધ થતું જાય તેમ માણસના મન ઉપર જેમ દુ:ખ પડતુ જાય તેમ ઈશ્વરની નજીક જવાનો પ્રયત્ન કરે ને હિંમત હારે નહીં- તો જ બાપુનો માર્ગ પકડેલો ગણાય.


તારા ભાઈ તો ઘણા વર્ષોથી માંદા હતા અને છેવટના ભાગમાં તો અતિશય દુ:ખી થતા હતા. એટલે તે દુ:ખમાંથી છુટી ગયા. તેને માટે તારે શોક ન કરવો જોઈએ. નાનામોટા સૌને જવાનું તો છે જ અને આ જગતમાં

દુ:ખી થઈને રહેવુને પોતાનું ને પારકાનું ભલુ ન કરી શકાય તેવી સ્થિતિમા બીજાના ઉપર બોજારૂપ થઈને દુ:ખ્માં સડ્યા કરવુ તેના કરતા છુટી જવુ તે જ સારુ ગણાય. બાકી મરણ એ તો મુક્તિનું દ્વાર છે ને બાપુએ આપણને વારંવાર શીખવ્યું છે, તે ભુલવુ ન જોઈએ.


તું આ વખતે હિમ્મત હારી ગઈ તેથી મને દુ:ખ થયુ છે. હજી થોડો વખત વિચાર કરજે ને હવે છેલ્લા એક વરસ માટે ફરીથી હિમ્મત કરીને જો. તુ તારો અભ્યાસ પૂરો કરી શકે તો ઘણું સારુ ગણાય. તારી પ્રતિજ્ઞા પણ પૂરી થશે. (ઉલ્લેખનીય છે કે લીલાવતીબેનને બાપુની સેવા કરવાની ઘણી જ હોશ હતી અને આ જ કારણે તેમણે એમ.બી.બી.એસ. થવાની પ્રતિજ્ઞા લીધી હતી.), અને ભવિષ્યમાં પણ તારે જે કામ કરવાનું છે તેમાં તને સંતોષ રહે. તું આવતે વર્ષે જરૂર પાસ થઈ જઈશ ને પછી નિરાંતે તુ સેવાગ્રામમાં જઈને બાપુના સ્થાનમાં જે કામ કરવાનું છે તે પુરુ કરી શકીશ. તારી જિંદગી ત્યાં સફળ થશે.


તારી ભાભી બહુ ઉદાર દિલની છે. તેણે હિમ્મતથી તને ભણવા માટે રજા આપી તે માટે તેને ધન્યવાદ ઘટે છે. તારી મદદની તો તેને જરૂર પડવાની જ. પણ તેની બહાદુરીમાંથી તારે પણ શીખવાનું છે. હવે તુ તારુ કામ પુરૂ કરી લે ને સેવાગ્રામ જવાની ઉતાવળ ન કર.



તું જાણે છે કે મને પણ ઘણાં વર્ષથી આંતરડાનો રોગ લાગુ પડ્યો છે જે તારા ભાઈને પ્રાણઘાતક નીવડ્યો.
હું સંભાળી સંભાળીને ચલાવી રહ્યો છું અને એ ઉપર વળી હ્રદયનું દરદ પણ થયેલું છે. અહીયા આરામને માટે આવ્યો છું. થોડોઘણો આરામ અહીં મળી શકે છે. બાકી કામનો પાર નથી.


સુશીલાના કાગળો મારા પર આવે છે. તે આ વર્ષની આખર સુધી ત્યાં રહેવાનો વિચાર કરે છે.


તું. હિમ્મત હારતી નહી. અમતુસ્સલામ તેના કામમાં ઊંડી ઉતરી ગયેલી છે. ભારે બહાદુરી બતાવી રહી છે. ભઠ્ઠીમાં પડેલી છે.



તારા સમાચાર લખતી રહેજે.


લિ.
વલ્લભભાઈનાઆશિર્વાદ

સરદાર પટેલ તો મરતાને પણ જીવન જીવવાની હિમ્મત આપતા, આવા સરદાર જેઓ  કહે છે કે મરણ તો મુક્તિનું દ્વાર છે! 

સરદાર પટેલ અમર રહો.

Complaint to Sardar Patel on Sheikh Abdullah's Dictatorial Issue

Complaint to Sardar Patel on Sheikh Abdullah's Dictatorial Issue

૧૧ ડિસેમ્બર૧૯૪૭ના રોજ જમ્મુ કાશ્મીરમાં શેખ અબ્દુલ્લાની હિટલરશાહી પ્રવૃત્તિની ફરીયાદ કરતો પત્રમેહર ચંદે સરદાર સાહેબને લખ્યો.


પ્રિય સરદાર પટેલજી,



અહીનું શાસન હિટલરશાહી તરીકે ચાલી રહ્યુ છે જેનાથી બદનામી થઈ રહી છે. આજ કારણે હું આવા લોકોનો
સાથ જેટલો જલ્દી છોડું તે જ સારુ રહેશે, કારણકે હું કોઈ પણ રીતે આ લોકો સાથે મળીને કામ ન કરી શકું. અહીંયા કાનુન વ્યવસ્થા જેવું કાંઈજ રહ્યું નથી. હું અહીયાં થતી અસંખ્ય હિટલરશાહી પ્રવૃત્તિઓમાંથી ઉદાહરણ તરીકે આપને જણાવું છું.

  • ઉચ્ચ ન્યાયાલયને કામ કરવા નથી દેવામાં આવતું. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે ઉચ્ચ ન્યાયાલય જમ્મુમાં બનવું જોઈએ. આ આદેશને માનવામાં નથી આવતો. આશરે દોઢ મહીનાથી કોઈ ઉચ્ચ ન્યાયાલયમાં નથી. એક ન્યાયાધીશ છે, જે અહીયા સમય પસાર કરી રહ્યા છે. શ્રીનગરમાં એક ન્યાયાલય છે અને બીજુ મુખ્ય ન્યાયાલય કલકત્તામાં છે. પ્રશાસનના અધ્યક્ષને ઉચ્ચ ન્યાયાલયના કાર્યોમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી તેમ છતાં તે આ કરી રહ્યા છે.
  • જમ્મુના ગવર્નરનું સ્થાળાંતર કરવામાં આવ્યુ, પછી તેમને નિલંબિત કરવામાં આવ્યા ત્યારબાદ તેમનું કાર્યક્ષેત્ર સીમીત કરી દેવામાં આવ્યું. ખુબ મોટી સંખ્યામાં અધિકારીઓ જેલમાં છે. મે સલાહ આપી હતી કે તેમના ઉપર લાગેલ આરોપોની તપાસ થવી જોઈએ અને તે તપાસ માટે પંચ કે આયોગની નિમણુંક કરવી જોઈએ, પરંતુ તે બાબતે કોઈ પણ પગલાં ન લેવાયા. લોકો તથા ઉચ્ચ પદાધિકારીઓની ઉલટ તપાસ કર્યા વગર જેલમાં ન રાખવા જોઈએ.
  • ખુબ મોટી સંખ્યામાં અન્ય લોકો પણ જેલોમાં છે. તેમની કોઈ પુછપરછ કે તપાસ નથી કરવામાં આવી. આ કોઈ પણ એકહથ્થું સત્તાવાળા દેશ કરતા પણ વધારે દમનકારી શાસન વ્યવસ્થા છે.
  • મહામહિમે આદેશ કર્યો કે અમુક કાર્યાલયો જમ્મુમાં રહે. એક મહિનો વિતી ગયો તેમ છતાં આ બાબતે પણ કોઈ કાર્યવાહી નથી થઈ રહી.
  • શેખ અબ્દુલ્લાએ મહારાજને થોડા અધિકારીઓ બાબતે વાત કરી, જેમને મહારાજ દ્વારા પાકિસ્તાની હોવાના શક ઉપર જેલમાં રાખવામાં આવ્યા છે. પરંતુ તે અધિકારીઓને પાછા કાર્યાલયોમાં મોકલી દેવામાં આવ્યા અને એકને તો મહારાજની ઈચ્છા વિરુધ્ધ વિશેસ આદેશ મુજબ ગર્વનર નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • અબ્દુલ્લા જાતેજ નિયમ અને કાનુન બનાવી રહ્યા છે. આ બધા કુશાસનના ઉદાહરણ છે. જે અનેક ગણુ વધી શકે છે. ઘણા ખરા લોકોને ધરપકડની ધમકીઓ આપવામાં આવી રહી છે, આવી ધમકીઓ મને પણ મળી છે. આવા પ્રકારનું શાસન કેવી રીતે ચાલશે.
સાદર નમન
મેહર ચંદ

મહાજન  


Sardar Patel, Jammu And Kashmir

Sardar Patel, Jammu And Kashmir

સરદારપટેલ ગૃહમંત્રી તથા સુચના અને પ્રસારણ મંત્રી હોવાના કારણે તથા રાજ્યો સંબંધીમામલાઓના મંત્રી હોવાના કારણે સરદાર પટેલ સ્વાભાવિક રીતે જમ્મુ અને કાશ્મીરનામામલા પણ સંભાળતા હતા. પરંતુ પાછળથી પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ જ આ મામલાઓસંભાળવા લાગ્યા. જમ્મુ કાશ્મીરની નેશનલ કોંફ્રંસના કદાવર નેતા શેખ અબ્દુલ્લા સાથે નહેરુને ભાવનાત્મક સંબંધ હતો. સરદાર પટેલે પોતે શ્રી એચ વી. કામતને કહેલું કે 
જો જવાહરલાલ નહેરુ અને ગોપાલસ્વામી આયંગર કાશ્મીર મુદ્દે દખલગીરી ન કરી હોત અને આ બાબતને ગૃહમંત્રાલયથી અલગ ન કરી હોત તો હું હૈદરાબાદની જેમ આ મુદ્દાને આરામથી દેશહિતમાં સુલઝાવી દેત.
Kashmir Pir Panjal mountain range, on the way to Srinagar from Jammu.
Kashmir Pir Panjal mountain range, on the way to Srinagar from Jammu.
જમ્મુ અને કાશ્મીર એક મહત્વનું રાજ્ય હોવાનું એક કારણ એ પણ હતુ કે તેની સીમાઓ કેટલાય દેશો સાથે જોડાતી હતી. અને સરદાર પટેલ જમ્મુ કાશ્મીરનો ભારતમાં વિલય કરવા માટે ખુબ ઉત્સુક હતા. પરંતુ ભારતના ગવર્નર જનરલ માઉંટબેટનના ચર્ચિલ અને ટોરી પક્ષ સાથે મિત્રતાના સંબધો હતા, તેઓ કાશ્મીર પાકિસ્તાનમાં ભળે તેના વિરુધ્ધ નહોતા. અને તેઓએ તો પાકિસ્તાનને એવુ આશ્વાસન પણ આપેલુ કે જો કાશ્મીર પાકિસ્તાનમાં ભળવા માટેની તૈયારી બતાવશે તો ભારત તેનો વિરોધ નહી કરે. સરદાર પટેલ આ આશ્વાસનના વિરુધ્ધ હતા, પરંતુ અમુક યોજનાઓના કારણે તેઓએ આ બાબતે મૌન ધારણ કરવાનું ઉચિત સમજ્યા.

To meet Pandit Jawaharlal Nehru, Prime Minister of India, Sheikh Mohd. Abdullah, Premier of Jammu & Kashmir, held a reception at the Kashmir Government Arts Emporium in New Delhi, on November 18, 1949. Sardar Patel is seen with Dr. Saif-ud-Din Kitchleu, former President of the Punjab Provincial Congress Committee, at the reception.

જમ્મુ કાશ્મીરના પ્રધાનમંત્રી પંડિત રામચંદ્ર કાકને ૩ જુલાઈ ૧૯૪૭ના રોજ એક પત્ર થકી રાજા હરીસિંહને એવો વિશ્વાસ અપાવ્યો કે તેમનું હિત ભારતમાં જમ્મુ કાશ્મીરનો વિલય કરીને થશે. આ પત્રમાં તેમણે લખ્યુ કે 
હું કાશ્મીરની કઠીણાઈઓને ખુબ સારી રીતે સમજુ છુ તેમ છતાં ઈતિહાસ અને પરંપરાથી ચાલતા રીતિ રિવાજોને દ્યાનમાં રાખીને મારા વિચારથી જમ્મુ અને કાશ્મીરનો વિલય ભારતમાં કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સાથે સાથે તેમણે જણાવ્યું કે પંડિત નહેરુ કાશ્મીરના છે. અને તેમને તે વાતનો ગર્વ છે, તેઓ ક્યારેય તમારા દુશ્મન ન હોઈ શકે.

તેમ છતાં મહારાજા હરિસિંહ રેડક્લિપ એવોર્ડના કારણે પણ અસમંજસમાં હતા જેનું મુખ્ય કારણ ગુરદાસપુર જિલ્લો હતો, જેની પુરી સીમાઓ કાશ્મીર રાજ્ય તથા ભાવી ભારતીય સંઘ સાથે મળતી હતી,અને પાકિસ્તાનમાં ભેળવી દેવાયું હતુ અને જો આનો સ્વીકાર થાય તો હિમાલયની ઉંચી પહાડીઓ સિવાય જમ્મુ કાશ્મીરની સીમાઓ ક્યાંય ન મળત. અને એક શંકા પણ હતી કે જવાહરલાલ નહેરુનો પરિવાર કેટલીય પેઢીઓ પહેલા કાશ્મીર છોડી દીધેલ તો પછી તેઓ પોતાને કાશ્મીરી માનતા હોવા છતા નેશનલ કોંફ્રંસના નેતા શેખ અબ્દુલ્લા સાથે સબંધોના કારણ પણ એક મોટી મુશ્કેલી હતી.

અખિલ ભારતીય રાજ્ય પ્રજા પરિષદના અધ્યક્ષના કારણે જવાહરલાલ નેહરુએ રાજ્યમાં એક જવાબદાર સરકારની માંગણી કરી અને શેખ અબ્દુલ્લાને બંદી બનાવવા બાબતે મહારાજા હરિસિંહ પર દોષારોપણ પણ કર્યુ. અને જવાહરલાલ નહેરુએ રાજ્ય પ્રજા પરિષદના આંદોલન માટે રાજયની મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી જેની મહારાજાએ મંજુરી ન આપી. મહારાજા હરિસિંહ સાથેના તણાવભર્યા સંબંધોના કારણે જવાહરલાલ નહેરુને મહારાજા સાથે વાતાઘાટો કરવા માટે સરદાર પટેલ ઉપર નિર્ભર રહેવુ પડતુ.

To meet Pandit Jawaharlal Nehru, Prime Minister of India, Sheikh Mohd. Abdullah, Premier of Jammu & Kashmir, held a reception at the Kashmir Government Arts Emporium in New Delhi, on November 18, 1949. Sardar Patel is seen with Bakshi Ghulam Mohd. at the reception.

સરદાર પટેલે ૨૨ ડિસેમ્બર ૧૯૪૭ના પોતાના પત્રમાં નાણાકીય મંત્રી આર. કે. ચેટ્ટીને જણાવ્યુ કે “જ્યા સુધી કાશ્મીરની મુશ્કેલીઓનો ઉકેલ ન નિકળે ત્યાં સુધી પાકિસ્તાનની કોઈ પણ પ્રકારની રકમની ચુકવણી ન કરવી. આ બાબતે જ્યારે ચુકવણી કરવાનો ઉચિત સમય આવશે ત્યારે હું તમને જાણ કરીશ.” સાથે સાથે સરદાર પટેલે ૫ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ બંગાળના લોકોને આશ્વાસન આપ્યુ કે એક ઈંચ કાશ્મીરની જમીન છોડીશું નહી. પાકિસ્તાનના અધિકારીઓને ત્યાં રહેવા મજબુર કરી રહ્યા છે. આ રીતે વર્તમાન પરિસ્થિતિ સંપુર્ણ રીતે કઠિન છે. આજે સવારે જ મે ઝફરઉલ્લા ખા નું એક લાંબુ ભાષણ જોયુ, જેમાં તેમણે જુનાગઢને પણ કાશ્મીર ની સાથે જોડ્યુ છે. પરંતુ કાશ્મીર અને જુનાગઢમાં કોઈ સમાનતા નથી. આ બાબતે તો અમે પણ માનીએ છીએ કે પાકિસ્તાન સાથે એકવાર યુધ્ધ થઈ જાય. આમ અવાસ્તવિક યુધ્ધ કરવાનો કોઈ મતલબ નથી કે કોઈ સચોટ પરિણામ નથી. પરંતુ જ્યારે આવા પ્રકારનું યુધ્ધ ચાલતુ હોય ત્યારે જનમત કેવી રીતે શક્ય છે? જો આપણે તલવારના જોરે જ કાશ્મીરની સુરક્ષા કરવાની હોય તો જનમતની જરૂર જ નથી રહેતી. આજ કારણે સયુક્ત રાષ્ટ્ર સંઘમાં આપણા પ્રધાનમંત્રીએ વિનંતી કરી છે.


Photo Courtesy : Photo division of India

The song written about Sardar Patel : Hata Sardar

હતા સરદાર 


હતા સરદાર અહીંના તે હવા આજે કહી રહી છે, "બનો લોખંડી વિરલાઓ" અમર સંદેશ એનો છે.

મરદ માટી મહીથી આ, ખડા કીધા ઘણાએ, ગયા સરદાર પણ એની, ખુમારી તો રહી ગઈ છે.

તમારી યાદ તો આજે, કણેકણમાં ભરેલી છે, અરે। આ ઝાડવાં જુઓ, કરે વાતો તમારી છે.

અહીંસાની એ મુર્તિના, તો જમણી આંખ જેવા છે, કહો ચારૂ ચરોતરના,  એ એકલવીર બંકા છે.

નિઝામી રાજ્ય જેવાં તો પલકમાં તે પતાવ્યાં છે, હજારો રાજવીના રાજ પલટાઈ મુકાવ્યા છે.

વખત આવે તમે ખેડા ને બારડોલી જગાવ્યાં છે, બની સત્યાગ્રહી સાચા સુતેલાઓને જગાડ્યા છે.

જરા પાછા ફરી જુઓ, વિભુતિ સાદ પાડે છે, કરી પુકાર ધરતી આ ફરી સરદાર માગે છે.

તમે આઝાદીના રાહે, નવો આતશ જલાવ્યો છે, વળી સંજીવની છાંટી મરદનો પંથ ચીંધ્યો છે.

નમન સરદાર તમને, ધન્ય બની ધરા આ છે, કરમસદનું આ ગૌરવ છે, ને ભારતનું રત્ન પણ આ છે.

 

નોંધ : તા: ૩૧-૧૦-૧૯૫૮ના રોજ કરમસદ સરદાર વલ્લભભાઈ હાઈસ્કુલમાં સરદાર જયંતીની ઉજવણી નિમિત્તે એકત્રિત ગામની રાત્રી સભામાં ગાયેલ ગીત.

ગીત બનાવનાર પ્રો. દિનકર દેસાઈ વિશ્વ બંધુ જે સને ૧૯૫૮માં આ શાળામાં શિક્ષક હતા.,

The Ministry in Bombay : B. G. Kher to Vallabhbhai Patel

The Ministry in Bombay : B. G. Kher to Vallabhbhai Patel

I have had discussion with my colleagues as to the subject which you referred into in your letters dated. 3rd April 1939.

No ultimatum was given by the Bombay Ministry to the Governor, or indication to the grave implications of the situation arising out of Mahatmaji’s fast. But it pointed out to him the state of tension in the country. I think we should have failed in our duty if we had not done so and pointed out the necessity of prompt action to save Gandhiji’s life. No communication whatsoever was sent to the Government of India.

It is not necessary for me to state what I and our Cabinet might have done if the Government of India had not interfered in the matter of Gandhiji’s fast. No doubt the situation that event would have been serious, and before resigning it might have become necessary to make a reference either to the Parliamentary Sub-Committee, or to the Working Committee or the President. I would like to tell you frankly that I do not think that I have done anything which I should not have been done. In matters relating to rural administration, we have to take prompt decisions and so long as we act in consonance with the principles of our party, neither the President nor the Working Committee nor the Parliamentary Sub-Committee should desire to interfere. I am perfectly certain that your decisions would have been the same as ours.

I wish to assure you that there was no intention either deliberately or otherwise to ignore you. No information was sent because there was nothing to send information about. I had discussed this matter with His Excellency they Governor. The press reports, as you know, very often attribute such steps to the Ministry as the press desire them to take and put on scare headlines. I think the best course is to trust the several Ministries and not the press. I am sure you will at once believe me when I say that I am incapable of indiscipline, it is ingrained in the whole of my being. I have not acted contrary to the needs either of duty or of discipline.

I think the Khare episode has no application at all to this occasion. I have given you my reaction to your letter frankly as you desired me to do so.

As regards your circular letter dated 3 April, without going into the merits of the allegations that several ministers canvassed, my colleagues and I are of the view that Congressmen, by accepting office do not cease to be Congressmen and, in the domestic affairs of the Congress, are entitled to act exactly as other members of the organisation in all matters connected with it.

We do not also subscribe to the view that the Ministers are like the members of a civil service in an administration. They are non-political agents of a policy laid down by politicians who form the Government. That view would deny to the Ministers the rights of a four anna member and would be destructive of the confidence which the Ministers enjoy by reason of their being called upon to perform the arduous and responsible duties of their office. Ref. Towards Freedom - 1939 Pg. 78

Gandhiji’s Letter to Sardar Vallabhbhai Patel

Gandhiji’s Letter to Sardar Vallabhbhai Patel


Date : 7th December 1933


                I shall keep writing to Ba. Going to prison this time was not easy for her, but God will look after her. showed me your letter. But the fault is not his. As a matter of fact he tries unceasingly to protect me. He does not let troublesome people come to me at all in the first place. His disposes of so many himself, but some have to be brought to me. There is constant improvement in dealing with visitors as a result of experience. But do not worry about it. His will be done.


                Kishorlal has fallen ill in Bombay. He is somewhat better now. Do write to inquire about his healthy.


                Dr. Jivraj Mehta is also considerable pulled down. He is in Rugby hotel, Matheran.


                Mathuradas came along with others and is still with me and will go with me up to Delhi. He is also much reduced and has backache. He cannot move around much, but he will get stronger if he takes some rest.


                The Working Committee meeting can only be described as a mere talking session.


                What should I say about Jamnalalji? He has put on weight and is generally better, but his car is as troublesome to him as your nose to you. I am glad to see that you propose to practice neti but who is there to teach it to you? I can be regarded as an expert in it. Could you not call me in as a specialist? Inexpert use of neti often results in slight bleeding. A twig or straw is often used at first, but you should never try it. A strip of fine cloth should suffice. There is no difficulty if you do it slowly. Krishnadas, Mahadev and Devadas all learned it from me. Janakibehn had come with Jamnalalji. Both left at night.


                Chandrashankar is doing good work. Kaka and Swami have gone to Matheran for a few days.


                I reach Delhi on the Roth.


Ref. :  Letters to Sardar Patel Pg. 29

Vallabhbhai Patel on Congress Plan of Action in Congress Majority Provinces

Vallabhbhai Patel on Congress Plan of Action in Congress Majority Provinces


AICC Papers, F. No. 1(a)/1936-37, 5th May1937


Dear Friend,


                As the policy of the Government in the various Provinces, in which the Congress commands a majority, is now definitely fixed, it is necessary for us now to start our plan of action. In all these provinces ‘bogus’ Ministers which have been styled as Interim Ministries have been formed. The ostensible object is to allow some time, for a reconsideration of the situation created by the refusal of the Congress Party to form Ministries consequent upon the Anglo-Indian Press which with one voice welcomed our Delhi formula, have suddenly changed their front with remarkable rapidity and unanimity. Some of them now have started appealing to the Congress leaders for reconsideration of their attitude. It is the usual way of preparing ground for throwing blame on the Congress for the break-down when they see that the Government have made up their mind the other way. The Congress has nothing to reconsider. It keeps no secrets and its policy has been open and above board. It is also unlikely, that the Government will now reconsider its position, as from the uniform nature of the answers given by the different Governors it appears, that their policy has been dictated from the Whitehall. Under the circumstances there are two alternatives left. (1) The Governor suspending the Constitution by a proclamation and taking over all the responsibility of administration on himself at the end of six months. (2) Before the expiry of the period of six months the Legislatures may be called, when the Ministry is bound to go, unless in the meantime, these Ministries succeed in reducing the strength of the Congress Party, so as to make their position stable. The first course is most unlikely. It is also highly unlikely that the ministry will succeed in any Province in breaking the Congress strength to any appreciable extent, if at all. On the contrary, in all probability, the other groups and individuals will join the Congress party in removing those unwanted ministries at the very first opportunity. It is more than probable that the first meeting of the Legislatures will be called in July or latest in August, and it is certain that when these ministries are faced with their respective Assemblies, they will have to go. The Legislatures then in all probability I will be dissolved and a fresh struggle of the elections will follow as a matter of course.

                Under these circumstances, the Congress Party in the various assemblies should from now organise its campaign to meet the situation that is likely to arise. I suggest, that a representation explaining a vote of no-confidence in these ministries should be organised in all Provinces and submitted forthwith to the Governors concerned. Signatures on such representation should secured from all groups and individuals, who are ready to join in such a vote of no-confidence, in addition to the signatures of all members of the Congress Party. No time should be lost in organising such a representation. It should then be published in the press also. This representation should contain a demand for immediate summoning of the Assembly.


Provincial Conventions of Congress members in the Legislatures may be organised and there also resolutions expressing a vote of no-confidence and a demand for calling a meeting of the Assembly should be passed and a programme of work for immediately educating the constituencies from which these members have been elected should be drawn up. Intensive campaign should be carried on all over the Province. The voters should be informed of the possible consequences of the present situation and of the possibility of a fresh election in the near future, so that when the time comes they may be prepared to return the Congress in a greater majority. The Congress organisation should be strengthened and the Congress machinery should be perfected during this interval for a swift and successful election struggle, which is bound to come much sooner than is expected. It must be remembered that when the next election comes there will be very short notice and we must keep our machinery in order from now.


Yours Sincerely,


Vallabhbhai Patel - Chairman

Unity Ekta | Quotes by Sardar Patel

Unity Ekta | Quotes by Sardar Patel


Unity : - There are some young men who believe that in this country there should be Hindu Raj and that Hindu culture alone has a place in India. Gandhiji was fighting against that mad idea. He said our salvation depended on unity.

    (Date : 26th February 1946, During Addressing Congress workers at the Residency of Bangalore)
एकता : - ऐसे कुछ युवा पुरुष हैं जो मानते हैं कि इस देश में हिंदू राज होना चाहिए और भारत में अकेले हिंदू संस्कृति का स्थान होना चाहिए। गांधीजी उस पागल विचार के खिलाफ लड़ रहे थे। उन्होंने कहा कि हमारा उद्धार एकता पर निर्भर था।

(दि. : २६ फरवरी १९४६, बेंगलोरेमे कोंग्रेस के कार्यकरो की सभा के दौरान)

 

એકતા : - એવા કેટલાક યુવાન પુરુષો છે જેઓ માને છે કે આ દેશમાં હિન્દુ રાજ હોવું જોઈએ અને હિન્દુ સંસ્કૃતિમાં એકલા ભારતમાં સ્થાન હોવું જોઈએ. ગાંધીજી તે પાગલ વિચાર સામે લડતા હતા. તેમણે કહ્યું કે આપણો મોક્ષ એકતા પર આધારિત છે.

(તા : ૨૬ ફેબ્રુઆરી ૧૯૪૬, બેંગલોરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની સભા દરમ્યાન)

.
.
#sardarpatel #ironmanofindia #sardarvallabhbhaipatel #sardarpatel #sardarpatelstatue #sardarpatelstadium #sardarpateljayanti

Vallabhbhai Patel on Importance of Faizpur Session

Vallabhbhai Patel on Importance of Faizpur Session


“The Maharashtra Provincial Congress had to work against heavy odds, both nature and some anti-Congress elements in that province putting obstacles in their way, but Faizpur was a tremendous success of the first experiment of the village Congress, and all those who scoffed have been effectively silenced” said Sardar Vallabhbhai Patel, Chairman of the Parliamentary Board, in an interview (1st January 1937), summing up his impression of the Faizpur session.


“Its effect in rural areas in Maharashtra will last for years-- millions of villages have taken active interest in the great national organisation which they had worshiped in the past from a distance and for whose cause they had made tremendous sacrifices. Maharashtra has reasons to be proud of the splendid organising capacity disclosed during the Congress week by a number of willing workers, both men and women, which is an eye opener. That Maharashtra is thoroughly Congress minded has been effectively demonstrated, and I have no doubt that the successful demonstration will be repeated at the polls in February on the polling day.”

Problems after Independence

Problems after Independence


ભારત જ્યારે સ્વતંત્ર થયુ ત્યારે ખરા અર્થમાં તો બ્રિટિશ હકુમતોના પ્રદેશો સ્વતંત્ર બન્યા હતા. ભારતના વિભાજન તથા ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે બ્રિટિશ શાસનમાંથી મુક્તિની મોહર માઉંટબેટને ૩ જુન ૧૯૪૭ના રોજ જાહેર થતાં કરેલ.


મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ અને તે સમયના કોંગ્રેસના પ્રમુખ આચાર્ય જે. બી. કૃપલાણી અને બંધારણ સભાના પ્રમુખ ડો. રાજેંદ્ર પ્રસાદ ભારતના પ્રતિનીધીઓ હતા. સ્વતંત્રતાનો ખરડો જ્યારે જાહેર થયો ત્યારે જ સૌને એક મોટો ઝટકો લાગ્યો અને બ્રિટીશ સરકારે જે રીતે આ ખરડો તૈયાર કરેલ તે મુજબતો ભારત ટુકડાઓમાં વહેચાઈ જાય. આ ખરડા મુજબ બ્રિટિશ પાર્લામેંટૅ બ્રિટીશ તાજે લડાઈ કે કુટનીતી ધ્વારા રજવાડા ઉપર સર્વોપરિત્વ મેળવ્યુ હતુ. અને જ્યારે ભારતને સ્વતંત્રતા આપવાનો સમય આવ્યો ત્યારે રજવાડાના રાજાઓને બ્રિટિશ તાજની વફાદારીના બદલામાં મુક્તિ તથા સર્વભૌમત્વ આપવાનો ઉલ્લેખ હતો.


ભારતને આ રાજ્યો સામે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ તથા આ ખરડા મુજબ ભારત ટુકડાઓમાં વહેચાઈ જાય તેવી યોજના વ્યવસ્થિત રીતે ગોઠવીને રજુ કરેલ હતી. ૧૯૩૫માં ગવર્ન્મેંટ ઓફ ઈંડીયા એક્ટ પસાર થયો. ભારતમાં ૫૫૯ રજવાડા હતા જેમા આશરે ૧૧૮ રજવાડાઓને ૨૧ થી ૯ તોપોની સલામી મેળવવાનું સન્માન ધરાવતા હતા. જેમા હૈદરાબાદ પણ એક હતુ જેનો ૮૨૬૮૯ ચો. માઈલ નો વિસ્તાર હતો. અને ફક્ત ૪૯ ચો. માઈલ ધરાવતું સચીન રાજ્ય પણ હતુ. તોપોની સલામી વિનાના ૪૪૧ નાના મોટા રાજ્યોમાં ૨૩૧ રાજ્યો મુંબઈ પ્રાંતમાં હતા અને લગભગ ૧૮૯ રાજ્યો ઉત્તર ગુજરાત અને કાઠીયાવાડ / સૌરાષ્ટ્રમાં હતા. બાકીના ૧૨૧ રાજ્યો મધ્યપ્રાંત, મધ્ય ભારત, બિહાર, અને ઓરિસ્સામાં હતા.


રજવાડાઓ સિવાય પશ્ચિમ ભારતમાં અસંખ્ય જાગીરદારો પણ હતા. વડોદરા, ગ્વાલિયર, હૈદરાબાદ, કાશ્મીર, મૈસુર, અને સિક્કીમ ભારત સરકાર સાથે રેસીડંટ દ્વારા સીધા સંબંધમાં હતા. સર્વોપરીતાના સિધ્ધાંત મુજબ બ્રિટીશ તાજના પ્રતિનિધી તરીકે વાઈસરોયની આ બધા રાજ્યો ઉપર અબાધિત સત્તા હતી. બ્રિટિશ તાજની સર્વોપરિતાનો અંત આવે એટલે તેની સાથે સાથે રજવાડાઓને બાકીના ભારત સાથે કોઈ બંધારણીય કે કાયદેસરનો સંબંધ ન રહે, તે બધા રાજ્યો સર્વભૌમ રાજ્યો બને.આ રાજ્યોમાં થોડા વારસાગત કુટુંબો દ્વારા શાસિત હતા. ત્રાવણકોર સિવાય ગુહિલપુત્રો અથવા ઘેલોતોનું કુટુંબ મુખ્ય હતું. આ કુટુંબમાંથી જ પ્રતાપગઢ, વાંસવાડા, અને ડુંગરપુરના રાજાઓ આવ્યા હતા. ગુહિલપુત્રો બાપ્પા રાવળના વંશજો હતા અને ગુપ્ત સામ્રાજ્યના વિસર્જન પછી મેવાડને પોતાનું રાજ્ય  બનાવ્યુ. પોતાના રાજ્ય માટે સૈકાઓ સુધી  લડવાનું સન્માન આ બહાદુર ગુહિલપુત્રોને જાય છે. મહારાણા પ્રતાપ પણ આજ કુટુંબના વંશજ હતા.


આર્યવ્રતના મહારાજાધિરાજ તરીકે કન્નોજમાંથી રાજ્ય કરતા પ્રતિહાર ગોત્રના ગુર્જરોના સેનાપતિઓ તરીકે નવમી અને દસમી સદીમાં કામ કરનારાઓએ જયપુર, જોધપુર, જેસલમેર, સિરોહી, બુંદી, કરૌલી, અલ્વર, બિકાનેર, જેવા રાજ્યો સ્થપાયા. આ રાજ્યકર્તાઓ સાથે મળીને સૈકાઓ સુધી તુર્કીઓ, અફઘાનો, અને મોગલોનો સામનો કર્યો હતો. તેઓના વંશ પરંપરાગત ધર્મનું રક્ષણ કરતા અને ટકી રહ્યા હતા.


આ બધા જ રજવાડાઓને એકત્રિત કરવાનું કાર્ય કોઈ કાચાપોચા હ્રદયના વ્યક્તિ માટે તો શક્ય જ નથી. ભારતના ટુકડાઓ થતા અટકાવવા માટે જ કદાચ સરદાર પટેલનો જન્મ થયો હતો. આ કાર્ય એ સમયના કોઈ વ્યક્તિ દ્વારા થઈ ન શકત એવુ મારુ માનવું છે.

Gandhiji's Letter to Sardar Vallabhbhai Patel

Gandhiji's Letter to Sardar Vallabhbhai Patel


Date : 1st December 1933

I am writing this in the Itarsi Dharmashala at 3:15 am. Mira has just gone for wash. When she returns, we shall offer prayers and take the train for Kareli en route to Anantpur, where Jethalal has his headquarters. We were in Betul yesterday, and after coming to Itarsi by train, we had a meeting and then slept in this rest-house.

I have received your letter. How can we deal with the lies published in the Times of India? Still I keep on doing what I can think of. I have now little time for reading newspapers. I for one do feel that my work for Harijans is being looked after by Hari. the same power which draws thousands to our meetings will disarm the liars. We should feel quite satisfied so long as we watch our own step.

I know your eye is on me all along. Will it not protect me from harm? Have I not observed the mother like love you feel for me all the time I was in Yeravda? That quality of your mind can be realized in your letters. I have also seen that you follow others to with the same watchfulness.

Don't worry about me or about what goes on at present. This is God's own work; "Who except Him, can set right things that have gone wrong?"

We are in the train now. I hope you will do the needful about your nose.

 

Ref. : Letters to Sardar Patel from Mahatma Gandhi Pg. 27

Sardar Patel's Letter to C Parmeswaram

Sardar Patel's Letter to C Parmeswaram - Regarding Nehru's Visit to Kashmir


Date : 19th June 1946


Dear Friend,


I have received your letter of the 15th. The situation in Kashmir is difficult and delicate and Pandit Nehru himself has realised that some of his early statements were not based on accurate information, and hence he has not hesitated to rectify the errors publicly.


You know, he is a Kashmiri Pandit and he would naturally feel for them more than any other leader would do. But by nature and training, he is a democrat. His sympathies are always with the underdog. In Kashmir, there is Muslim majority and a large majority of them are comparatively very poor. The Kashmiri Pandits and the Hindus form a very small proportion of the population, and as they are comparatively better off, the poorer majority which is getting conscious, is trying to assert itself and the conflict of interests is creating a situation in which the minority finds itself in an unenviable position and lives in a state of perpetual insecurity and fear, resulting in demoralization. The State being a Hindu State, situated in Muslim surroundings, finds itself in a very delicate and difficult position to take strong action against revolt or lawlessness, as such action at once disturbs the communal atmosphere outside, a part from its repercussions inside the State. The extreme poverty and illiteracy of the masses present an unpleasant picture to a foreign visitor and the State is generally represented outside as extremely irresponsible and unprogressive.


Sheikh Abdullah is supposed to be very popular and his association with Pandit Nehru has been regarded as sufficient guarantee of his being against any separatist movement. Evidently, his present stand appears to be capable of double interpretation and perhaps inconsistent with the policy of the States People's Conference and therefore contrary to Pandit Nehru's views on this matter.


Pandit Nehru has left for Kashmir this morning and it is hoped that this unfortunate and regrettable movement will end in an honourable settlement and restore peace and harmony in Kashmir.


Yours sincerely,
Vallabhbhai Patel


Shri C. Parmeswaram


C/o. Kashmir Metal Mart,


Hari Singh High St.,


Srinagar, Kashmir


Ref. : Sardar Patel's Correspondence - 1945-50 Pg. 4


Topic : Nehru's Visit to Kashmir

Sardar Patel's Letter to Nehru - 9th March 1937

Sardar Patel's Letter to Nehru - 9th March 1937 - Regarding Resolution for Nomination of Nariman


Date : 9th March 1937



My Dear Jawaharlal,

I see from the Press reports that the M. P. C. C. met at poona on the 8th and decided decided against office acceptance, but on the same day the Assembly members of Maharashtra (newly elected) held a meeting and passed a resolution in favor of office acceptance. They did not stop there but went further and passed another resolution recommending the nomination of Mr. Nariman as Chief Minister. This is too bad. It is in direct contravention of your instructions recently issued in this behalf. I am afraid this resolution is the result of active canvassing for Ministership from Bombay. It appears that the M. P. C. C. is unable to control their elected members of the Assembly. Unless stronger control from Centre is exercised, things will go wrong. I am enclosing a cutting of these reports for your information. I am reaching Delhi via Bombay on the 14th evening. Hope you are doing well.

Yours sincerely,

Vallabhbhai Patel

Unity - Ekta - Quotes by Sardar Patel

Unity : - Happiness and misery are paper balls. Dont be afraid of death. Join the nationalist forces, be united. Give work to those who are hungry, food to invalids, forget your quarrels.

(Date : 7th March 1942)

 

एकता : - खुशी और दुख कागज़ की गेंद की तरह है। मौत से मत डरो। राष्ट्रवादी ताकतों में शामिल हो जाओ, एकजुट रहो। अपने आपसी झग़डे भूल कर जो लोग भूखे है, अशक्त या अपाहिज है उन लोगो के लिए काम करो।

(दि. : ७ मार्च १९४२ )

 

એકતા : - ખુશી અને દુ:ખ કાગળના દડા જેવા છે. મૌતથી ન ડરો. રાષ્ટ્રવાદી તાકાતો સાથે મળી જાઓ, એકજુથ રહો. પોતાના આપસના ઝગડાઓ ભુલી જે લોકો ભુખ્યા છે, અશક્ત કે અપંગ છે તેમના માટે કામ કરો.

(તા : ૭ માર્ચ ૧૯૪૨,)

TODAY THAT DAY : 25-11-1946 Sardar Patel reiterates conditions for League joining Interim Government

Sardar Patel reiterates conditions for League joining Interim Government


BOMBAY CHRONICLE - 25 November 1946


In a speech rivalling that to Pt. Nehru's performance on Thursday in its outspoken rss, Sardar Vallabhbhai Patel delivered a broadside against the Muslim League at the open session of the Congress here today. In the clearer possible terms he said that if the League did not enter the Constituent Assembly there was no alternative for them except to get out of the Interim Government.

Referring to the correspondence which has passed between Pt. Nehru and the Viceroy released today. Sardar Vallabhbhai Patel pointed out how Pt. Nehru had made two points clear.

One was that it is the League came into the Interim Government it was to work as a team and not as a separate group.

Secondly, he had said that the League could not enter the Interim Government unless they accepted the Cabinet Mission's Proposal of May 16.

The Viceroy agreed with this position and said that the League too had accepted it. Mr. Ji nah has often accused the British Government of bad faith and of double-crossing. It is now upto the Viceroy to settle accounts with Mr. Ji nah. We have nothing to do with this quarrel, Sardar Patel said.

At the same time he made it clear that as far as the Congress was concerned they were going to stick to their seats. "We will stay there;we will work effectively and we will function as a Cabinet", Sardar Patel emphasised.

They would, however, resign the moment they felt convinced that the British Government was going back upon their promises. Their resignations were always in their pockets, but these would not be submitted unless Britain perjured herself and had her name blackened among the nations of the world.

Meanwhile they would not surrender to the war of nerves and resign. They would have to be dismissed.

If Pt. Nehru thrilled the people, the Sardar roused them to anger by his caustic sallies.

Referring to the widespread disturbances which in his view were the result of the political policy of the Muslim League, Sardar Patel said that the time had come for the people to defend themselves. "They can ask for Pakistan? They can ask for all India", he said. But this method would not pay, Poison would produce poison and the sword would ultimately have to be met by the sword. Therefore, he made on behalf of the entire Congress one last appeal to the League to desist from its present course and arrive at a peaceful agreement with the Congress.

Unity – Ekta – 2 - Quotes by Sardar Patel

Ekta - Quotes by Sardar Patel


Unity : - We have to shed mutual bickerings, shed the difference of being high or low and develop the sense of equality and banish untouchability. We have to restore the conditions of Swaraj prevalent prior to British rule. We have to live like a children of the same father.

(Date : 21st January 1942, During Quit India Movement)


एकता : - हमें पारस्परिक कलह छोडना है, उच्च या निम्न होने का अंतर बहाल करना और समानता की भावना विकसित करना और अस्पृश्यता को खत्म करना है। हमें ब्रिटिश शासन से पहले स्वराज की परिस्थितियों को बहाल करना होगा। हमें एक ही पिता के बच्चों की तरह जीना है।

(दि. : २१ जनवरी १९४२, भारत छोडो आंदोलन के दौरान)

એકતા : - આપણે પરસ્પર ઝઘડાઓ કરવાનું બંધ કરવુ જોઈએ, ઉચ કે નીચા તફાવતને એક સરખો કરવાનો છે અને સમાનતાની ભાવનાનો વિકાસ કરવો જોઈએ અને અસ્પૃશ્યતાને દૂર કરવી જોઈએ. આપણે બ્રિટીશ શાસન પહેલા સ્વરાજની સ્થિતિને પુનઃસ્થાપિત કરવી પડશે. આપણે એક જ પિતાના બાળકોની જેમ જીવવું પડશે.

(તા : ૨૧ જાન્યુઆરી ૧૯૪૨, ભારત છોડો આંદોલન દરમ્યાન)

Sardar Vallabhbhai Patel and family

Sardar Vallabhbhai Patel and family

સરદારશ્રી સાધનસંપન્ન ઘરમા‌‌‍‍ જન્મ્યા નહોતા. એમના પિતા ઝવેરભાઈ પાસે આશરે કુલ ૧૦ વિઘા જેટલી જમીન હતી. તેની આવકમાંથી મોટા કુટુંબનું ભરણપોષણ થતું. એક રીતે જોઈએ તો માતાપિતા અને સરદાર પટેલ સહિત પાંચ ભાઈઓ અને બહેન ડાહીબા માટે આજે કપરો સમય હતો. અને પિતા ઝવેરભાઈ નું મન તો સંસાર કરતા પરમાર્થ તરફ ઢળેલું અને પચાસ વર્ષ પૂરા થતાં પહેલાં જ તેમણે વાનપ્રસ્થાન જીવન શરૂ કર્યું હતું. સરદાર સાહેબના માતૃશ્રી ભારે સ્નેહાળ, મોટા મનનાં તથા પરગજુ હતા.


આજથી સો વર્ષ પહેલાં ભારતમાંસાક્ષરતા કેટલી હશેતેનો અંદાજો લગાવી શકાય અને કરમસદ તો એક નાનું ગામ ગણાય, એવામાં કરમસદમાં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું અને વિઠ્ઠલભાઈ મામાને ત્યાં નડીયાદ ભણ્યા. ૧૯૪૯માં દીલ્હીના એક બાળકોના વિશેષાંક માટે પોતાના બાલ્ય જીવન બાબતે એક લેખમાં કહેલું કે “મને સ્મરણ છે કે ઠઠ્ઠામશ્કરી કરવમાં કે મોટાઓને પજવવામાં હું કોઈનાથી ઉણો ઊતરુ એવો નહોતો. પરંતુ એ સમયે પણ કંઈક સારુ કરવા માટે જ આવી મસ્તી કરવા પ્રેરાતો. વિદ્યાઅભ્યાસ માટે જેટલી ધગશ હતી તેટલી જ ધગશ રમતમાં હતી. આજે જે હું ઘડાયેલો છું તેનો શ્રેય મારા બાલ્યકાળ ને કેટલો આપુ તે વિષે કહી ન શકું? પરંતુ મારુ શરીર જે રીતે ઘડાયેલ છે તે બાલ્યકાળમાં જેવુ બનેલું તેવુ જ છે. મારુ જીવન ખુલ્લા પુસ્તક જેવુ છે. મને નાનપણ થી ઓળખનારા આજે ગણ્યા ગાંઠયા જ રહ્યા હશે. આજે ૧૯૪૯ના પ્રસાદી વર્ષમાં જીવી રહ્યો છુ તેના કરતા સિત્તેર વર્ષ પહેલા હું જેવો બાળક હતો તે રીતે જીવવાનું વધુ પસંદ કરીશ.


સરદારશ્રીને માતાપિતા પ્રત્યે લાગણી એમના કુટુંબની સંસ્કારીતાને આભારી છે. મહાદેવભાઈ દેસાઈએ તેમની ડાયરીમાં લખેલ કે માતાપિતા વિષે સરદારશ્રી તેમનો પ્રેમ અને ભક્તિભાવ ઘણીવાર વ્યક્ત કરતા. અને દાદીમાં (લાડબાના માતા) પ્રત્યે જે લગાવ હતો તે તો તેમના શબ્દોમાં જાણીએ : “હું જ્યારે નડીયાદમાં રહેતો ત્યારે કોઈક વાર કરમસદ જાઉં, ત્યારે દાદીમા મને નડીયાદ રેલ્વે ક્રોસિંગ ઓળંગાવી થોડેક દુર મુકી આવતા. ત્યારે નડીયાદથી આણંદ રેલ્વે હતી. પરંતુ કરમસદ જવા માટે તેનો ઉપયોગ નહોતા કરતા. ઘેરથી નીકળતી વેળા રસ્તામાં ખાવાનું લેવા બે-ચાર આના ખિસ્સામાં મુકી દે. પરંતુ તે અમે ગાડીભાડામાં ન વાપરી નાખીએ એટલા માટે દાદીમા અમને રેલ્વે ફાટકથી કેટલેક દુર સુધી મુકી જતા.

સરદારશ્રીના પિતા સને ૧૯૧૪માં ૮૫ વર્ષની વયે સ્વર્ગવાસી થયા. તેના એકાદ વર્ષ પહેલા જ સરદારશ્રી વિલાયતથી પરત આવી અમદાવાદમાં વકીલાત શરૂ કરવા માંડી હતી. તેમના પિતા સરદાર્શ્રીમાં થયેલ જીવનપલટાને અને તેમની ઉત્તરોત્તર વધતી યશકિર્તી અને પ્રતિભા જોઈ ન શક્યા. પરંતું આ ભાગ્ય લાડબાને થોડા ઘણાં અંશે મળ્યુ. ૧૯૩૨માં સરદાર સાહેબ જ્યારે ગાંધીજી અને મહાદેવભાઈ સાથે યરવડા જેલમાં હતા તે સમયના અરસામાં લાડબાનું અવસાન થયુ. રાષ્ટ્રભક્તિના જે રંગે સરદાર સાહેબ રંગાયા તેનાથી તો લાડબા પણ વંચિત ન રહ્યા. ૮૦ વર્ષની ઉમરે તેમણે રેંટીયો કાંતતા. લાડબાઈના અવસાન પર કરમસદમાં કંઈક ધર્માદા કામ માટે સરદારશ્રીએ એમની પુણ્યસ્મૃતિમાં ૧૦૦૦.૦૦ પોતાની નજીવી બચતમાંથી મોકલ્યા હતા.


સરદારશ્રીનો મોટા ભાઈઓ પ્રત્યેનો સંબંધ એક આદર્શ હતો. વિઠ્ઠલભાઈ પ્રત્યે તેમના માન અને આદર વિષે આજે કેટલીય વાતો જાણીતી છે. પોતાના ભાઈઓના સુખ ખાતર સરદારશ્રી મોટામાં મોટો ત્યાગ ખચકાયા વગર કરી શકતા. સૌથી મોટા સોમાભાઈ, તે પછી નરસિંહભાઈ પ્રત્યે પણ સરદારશ્રી નો વિઠ્ઠલભાઈ પ્રત્યેની જેમ જ બંધુભાવ હતો. કેટલાક જુના રિવાજો જે સરદારશ્રીને પસંદ નહોતા તે બાબતે પણ તેમણે પોતાના ભાઈઓનું મન સંભાળીને જ સુધારાનું કામ કર્યુ હતુ. નરસિંહભાઈ અને સરદારશ્રી આ બન્ને ભાઈઓએ કુટુંબને ઊંચુ લાવવા હળીમળીને પ્રયત્નો કર્યા હતા અને સરદારશ્રીને રાષ્ટ્રીયતાનો રંગ લાગ્યો ત્યારથી કુટુંબની જવાબદારી નરસિંહભાઈ ઉપર જ આવી. જમીન ખરીદવાની નાની સરખી બાબતે તેમનુ ભેદી રીતે ખૂન થયુ હતુ ત્યારે સરદારશ્રી બારડોલી સત્યાગ્રહના વિજય પછી લોકજાગૃતિ માટે દરેક પ્રાંતમાં ફરી રહ્યા હતા. સરદારશ્રીના શબ્દોમાં મહાદેવભાઈ એ મણીબેનને પત્ર માં લખ્યુ કે “ આ જાહેરજીવનના કારણે ઘર તરફ જરાય ધ્યાન અપાતુ નથી. કેટલાક વર્ષો થયા, ઘરે ગયો જ નથી. સામાન્ય રીતે જમીનની કે કશી તકરાર આટલી હદ સુધી પહોચવાની હોત તો એક દિવસ જઈ આવી અને તકરાર પણ પતાવી આવીએ. અમદાવાદમાં હોત અને ખબર પડત તો પણ જઈ આવત. પણ રોજ રખડતા હોઈએ એટલે શુ થાય? એ ભાઈ જાહેરકામમાં ભાગ લેનાર હતા. શાળાનું મકાન પણ એમણે જ બંધાવેલુ. દાદુભાઈને એમની બહુ મદદ હતી. હવે બધો ભાર કાશીભાઈ ઉપર પડવાનો અને બહુ હેરાન થવાના.”


સરદારશ્રીને તેમના એકમાત્ર સૌથી નાના બહેન ડાહીબા પ્રત્યે સરદારશ્રીને ભારે હેત હતુ. સરદાર વિલાયતમાં હતા તે દિવસોમાં મણીબેનને રજાઓમાં ડાહીબા પાસે જ રહેવાનું કહેતા. યુવાવસ્થામાં જ એમને જીવલેણ રોગ લાગુ પડ્યો હતો. તે વખતે સરદાર અમદાવાદમાં બેરિસ્ટર હતા. પરંતુ તેઓ જીવી શક્યા નહી. આ બહેનના સ્મરણથી સરદારશ્રી ઘણીવાર ભાવુક બની જતા.

Unity - Ekta - Quotes by Sardar Patel

Ekta - Quotes by Sardar Patel


Unity : - The negligence of a few could easily send a ship to the bottom, but it required the whole-hearted co-operation of all on board; she could be safely brought to port.

(Date : 14th May 1928, To villagers of Bardoli Taluka during Bardoli Movement)



एकता : - कुछ लोगो की लापरवाही बडी आसानी से एक बडे जहाज को डुबो सक्ती है, लेकिन सब एक दिल से किये सहयोग से अगर जहाज को चलाया जाए तो उसे सुरक्षित रुपसे बंदरगाह लाया जा सक्ता है।

(दि. : १४ मे १९२८, बोरसद सत्याग्रह के दौरान)

 

એકતા : - થોડા લોકોની લાપરવાહી સરળતાથી એક મોટા જહાજને ડુબાડી શકે છે, પરંતુ બધા એકસાથે ભેગા મળીને સહકારથી જો જહાજ ચલાવવામાં આવે તો તેને આસાનીથી બંદરગાહ સુધી પહોચાડી શકાય છે. (તા : ૧૪ મે ૧૯૨૮, બોરસદ સત્યાગ્રહ દરમ્યાન)

Sardar Patel: The Man Who Shaped India

SARDAR PATEL PUBLIC MEETING – SHIROHI - RAJASTHAN – 26-June-1936

SARDAR PATEL PUBLIC MEETING – SHIROHI - RAJASTHAN – 26-June-1936


સરદાર વલ્લભભાઈએ રાજસ્થાની કાર્યકરોને સંભળાવેલી કેટલીક સાફ વાતો.


આપણી કાયરતાની દાંડી પીટી નકામો ફજેતો કાં કરો?


નામર્દીના રોદણા રડ્યે શુ વળવાનું છે?


કોઈ પ્રજા કે રાજ્ય એમ મહાત થતાં નથી. – શીહોરી રાજ્ય પ્રજામંડળના વાર્ષિક ઉત્સવમાં સરદારની સલાહ


આપણી કાયરતાની દાંડી પીટવાથી રાજસ્થાની પ્રજાનું તલભાર પણ કામ થવાનું નથી. નામર્દીના રોદણા રડવાથી આપણું કશુ નથી વળવાનું, ઉલટી આપણી જ લાજ જશે. આજની સભાનું પ્રમુખ સ્થાન સ્વીકરવાની મે ના પાડી કારણકે મારા વિચારો ઘણાને ગમતા નથી, ન ગમતી વાત વારંવાર કહેવાનું મને ગમતું નથી છતાં આગ્રહ હતો કે મારે આવવું એટલે આવ્યો છું.


“તમને ગમે તેવી વાત હું કહેવાનો નથી. હું તો મને સુઝે તેવું કહીશ તમે એમ ન માનતા કે તમારા ઉપરના જુલ્મો કોઈ નવી શોધ છે. આજે અનેક દેશી રાજ્યો હિંદુસ્તાનમાં છે જેના જુલ્મો અરેબીયન નાઈટસને પણ ભુલાવી દે તેવા છે. કોઈપણ ડાહ્યો માણૅસ પોતાની પૂંઠ જાણી જોઈને ખુલ્લી નથી કરતો. તેથી ગમે તેવો રાજા હોય છતાં તેની નિંદા કરવાથી આપણૂં કામ નથી સરતું. એથી તો આપણી નામર્દાઈની જાહેરાત માત્ર થાય છે.


“રાજસ્થાની પ્રજાના દુ:ખોની અમને પડી નથી કે મહાસભા બેદરકાર છે એવું રખે કોઈ માનતા. મહાત્મા ગાંધી જેવો રાજસ્થાની પ્રજાનું દુ:ખ જાણનારો મે બીજો કોઈ જોયો નથી, પણ આજે રાજાઓ કોણ છે? નાટકશાળામાં તરગાળાના છોકરાઓ તલવારો ચડાવીને ફરે છે તેમનામાં જે સ્વતંત્રતા છે તેટલી સ્વતંત્રતા પણ આજના દેશી રાજઓમાં નથી.


“દેશી રાજાઓના પોપડા ઉખેડવાથી આપણને લાભ નથી થવાનો પણ આપણી લાજ તેથી તો જાય છે. હું જાહેર કામ કરતા શીખ્યો હોઉં તો મહાત્મા ગાંધીજી પાસેથી શીખ્યો છું. તલવાર ચલાવી જાણો છતાં જે તલવાર મ્યાન રાખે તેની જ અહીંસા સાચી કહેવાય. કાયરોની અહિંસાની કિંમત કેટલી?”


“રાજાઓના દોષ જોતાં પહેલાં આપણે આપણી નામર્દીને ન ભુલવી જોઈએ. આપ મુવા વીના સ્વર્ગે ન જવાય. તમારા સિવાય તમારો ઉધ્ધાર બીજા કોઈથી થવાનો નથી.”


“શ્રી મણીશંકર ત્રિવેદીને તેમના મિત્રો જે માર્ગે લઈ રહ્યા છે તે ઊંધો રસ્તો છે. હું કહું છું કે આ ફજેતો કરવો છોડી દો. જેને લાજ છેજ નહી તેની લાજ જવાની શું છે? જે પોતાની લાજનું રક્ષણ કરતો નથી તેની લાજ બીજુ કોણ બચાવી શકવાનું છે?


“શ્રી મણીશંકર ત્રિવેદી કહે છે કે વ્યક્તિશાસનને બદલે પ્રજાશાસન હોય તો બધા જુલ્મો સહેજે નીકળી જાય, પણ રાજ્યમાં તો જમાદાર ને ફોજદાર વગેરેનું આખુ તંત્ર છે, તે ઉપરાંત આપણી નામર્દાઈ છે. જ્યાં સુધી પ્રજા પોતાનું ખરુ બળ નહી જમાવે ત્યાં સુધી આ ગ્રહણ લાગેલા રાજાઓ માત્ર અંધકાર જ ફેલાવે છે.


“રાજસ્થાની પ્રજાના દુ:ખો વિષે મતભેદ નથી. પણ તે કેવી રીતે દુર કરવા તે વિષે મતભેદ છે. દુ:ખો તો જુના હતા જ પણ બ્રિટીશ હિંદમાંની લડતને કારણે બધે જાગ્રુતી આવી છે ને તેથી હવે આ દુ:ખો જણાવઆ માંડ્યા છે. પ્રજાને કચડી નાખવા બ્રિટિશ સરકાર દમનના જે ઉપાયો લઈ રહી છે તેનું ભુંડુ અનુકરણ રાજાઓ આજે કરી રહ્યા છે. બ્રિટીશ હિંદમાં રાજ્ય અને પ્રજા વચ્ચે આજે હાડોહાડની જામી છે. પ્રજાએ સ્વતંત્ર થવાનો નિશ્ચય કર્યો છે. ઈતિહાસ કહે છે કે આનો અંજામ પ્રજાની સ્વતંત્રતામાં આવ્ય વિના રહેવાનો નથી.


“તમારા દુ:ખો જો હું ગાવા બેસું ને રાજાઓને ગાળો દઉં તો તમને મીઠો લાગુ., કેમકે તમારામાં બીજી તાકાત નથી. છાપામાં પ્રગટ થયેલી વાત જો સાચી હોય તો તમારે સળગી ઉઠવું જોઈએ. એ પ્રસિધ્ધી તમને ગાળસમી છે.


જો આજે એક પણ દેશી રાજ્યમાં જાગ્રુત પ્રજામત હોય તો તે આખા હિંદુસ્તાનને પદાર્થ પાઠ આપશે. મહાસભા તમે માગો તેવો ઠરાવ કદાચ કરી આપે પણ તેથી તમારી સ્થિતીમાં રતીભર ફેર પડવાનો નથી. ઠરાવ હોય કે ન હોય, પ્રજામાં જેટલી શક્તિ હશે તેટલુંજ કામ થશે.


પ્રજાની તપશ્ચર્યાથી જો રાજ્યની શુધ્ધી થઈ હશે તો આખા હિંદનું ત્યા આકર્ષણ થશે. બુમો પાડવાથી કે ગાળો દેવાથી કોઈ નહી આકર્ષાય. જો પ્રજામત જાગૃત હશે તો એ વસ્તુ સહેલાઈથી થઈ શકશે. મહાસભાના ઠરાવથી તમારુ બહેતર નહી થાય, ને શીરોહી રાજ્યનું કલ્યાણ અહીના બે ઠરાવોથી કે કડક ભાષણોથી થવાનું નથી.


પ્રજાની સંમતી કે ટેકા વીના રાજ્ય ચાલી શક્તું નથી. અત્યારે બહુ બોલવાથી કાંઈ આપણી શોભા નથી. પાંત્રીસ કરોડ ઉપર બે લાખ માણસો રાજ્ય કરે તેવી વાત અરેબીયન નાઈટસમાં પણ નથી તમે જોયું કે પ્રજાસંઘ પણ આખરે ચોરોનું મહાજન નીકળ્યું અને છેવટે એબીસીનીયા હજમ થઈ ગયુ. સૌ ઠંડે પેટે છુટા થઈ ગયા છે. જો તે ફાવ્યુ હોય તો આખુ જગત એબીસીનીયાને પુંજવા મંડી પડત.


તાકાત વગર બોલવાથી કશો ફાયદો થતો નથી. દારુગોળા વગર જામગ્રીથી ભડકો થયો એ જાણ્યો નથી.

Barrister Sardar Patel

૧૩ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ સરદાર પટેલ મુંબઈ આવ્યા. સરદાર પટેલ બીજા જ દિવસે અમદાવાદ પહોચી ગયા. સરદાર પટેલ તે સમયના પ્રધાન ન્યાયાધીશ સર બેસિલ સ્કોટ સાથે સારો પરિચય હતો, અને એટલે જ તેમણે સરદાર પટેલને મળવા મુંબઈ બોલાવ્યા. સર બેસિલે તેમનું ખુબજ સારી રીતે સ્વાગત કર્યુ અને તેમણે સરદાર સાહેબને દરેક પ્રકારની સહાય કરવાનું વચન આપ્યું. સર બેસિલે ગવર્ન્મેંટ લો સ્કુલમાં સરદાર સાહેબને પ્રોફેસરનું પદ પણ આપવાની ઈચ્છા જાહેર કરી, પરંતુ આ સાથે સાથે સરદાર પટેલે મુંબઈ સ્થાયી રહેવુ પડશે એમ સ્કોટનું માનવુ હતું. પરંતુ સરદાર પટેલ વકીલાતની શરૂઆતના દિવસોમાં મુંબઈ પસંદ નહોતા કરતા એટલે જ અમદાવાદ આવી ગયા. પોતાના અસીલોની સેવા કરવા માટે તેમના મનમાં ખાસ યોજનાઓ બનાવેલી હતી. અને અમદાવાદ રહી તેમને જાહેર જીવનમાં પણ કામ કરવાની ઈચ્છા હતી. ભગવાન પણ જાણે મહાત્માને સરદાર સાથે મેળવવા માટે આતુર હોય તેમ ગાંધીજીએ પણ પોતાના જાહેર જીવનના સામાજીક કાર્યો માટે અમદાવાદ પસંદ કર્યુ. અમદાવાદની જનતાને આ વાતનો ગર્વ હતો.



સરદાર પટેલ એક પ્રતિભા સંપન્નયુવકના રુપમાં અંગ્રેજી પહેરવેશ, માથે એક તરફ ઝુકેલી હેટ લગાવી બાર કાઉંસિલમાં પ્રવેશ કર્યો. એક અલગ પ્રકારનું તેજ તેમની આંખોમાં જોવા મળતું હતુ. તે બહુ ઓછા બોલા પરંતુ જેટલુ બોલતા તે દરેક શબ્દોમાં વજન રહેતુ. વકીલની હેસિયતના કારણે તેમને ફોજદારીના કેસોમાં વધુ રૂચી હતી. તેઓની સામેના વ્યક્તિનો સ્વભાવ એક નજરમાં પારખી લેવાની ક્ષમતાના કારણે પોતાના શબ્દોથી એવો હુમલો કરતા કે તે સમજી જ નહોતો શક્તો કે શુ થઈ રહ્યુ છે અને શુ થશે? અને આ કારણે સામેવાળો પોતાનો બચાવ પણ કરી શક્તો નહોતો.

Speech of Sardar Patel at Karachi as Congress President - કરાંચી કોંગ્રેસના પ્રમુખ - સરદાર પટેલ

કરાંચી કોંગ્રેસના પ્રમુખ – માર્ચ ૧૯૩૧



જે વખતે વાઈસરોય સાથે વાટાઘાટો ચાલતી હતી તે વખતે જ કારોબારીના સભ્યો આવતી કોંગ્રેસ ક્યા અને ક્યારે ભરવી તેનો વિચાર કરી રહ્યા હતા. લાહોરની કોંગ્રેસમાં એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે દર વર્ષે નાતાલના સમયે કોંગ્રેસ ભરાય છે અને તે દિવસો દરમ્યાન ટાઢ વધુ હોવાથી, માર્ચ મહિનામાં કોંગ્રેસની સભા ભરવી. આ વર્ષ દરમ્યાન લડત ચાલતી હોવાથી દરેક પ્રાંતની કોંગ્રેસ સમિતિઓ પ્રમુખની તેમજ પ્રતિનિધિઓની ચુંટણી શક્ય ન હોવાથી કારોબારીમાં ઠરાવ થયો કે જો પ્રાંતિય સમીતિઓ સમાધાન કરે તો કરાંચીમાં કોંગ્રેસની સભા ભરવી અને તેનું પ્રમુખ પદ સરદાર પટેલને સોંપવું. પ્રતિનિધીઓની બાબતમાં એવો ઠરાવ કર્યો કે પ્રાંતિય સમિતિઓ ચુંટવાના સભ્યોમાં અડધા પોતાના સભ્યો તથા બાકી અડધા જેલમાં ગયેલ પોત પોતાના પ્રાંતના સભ્યોમાંથી ચુંટે.



માર્ચ ૧૯૩૧ના છેલ્લા અઠવાડિયામાં કોંગ્રેસ કરાંચીમાં ભરવાનું નક્કી કરવામાં આવ્યું, એટલે કરાંચીના લોકોને તૈયારી કરવા માટે ખુબ ઓછા દિવસો હતા, પણ ત્યાંની મ્યુનિસિપાલિટીના પ્રમુખશ્રી જમશેદ મહેતાના સહકારના કારણે અને ડો. ચોઈથરામ તથા સિંધના નિરાભિમાની અને નિષ્ઠાવાન કાર્યકર્તા શ્રી જયરામદાસજીની વ્યવસ્થાને કારાણે કરાંચીમાં વ્યવસ્થા સરસ રીતે થઈ. તૈયારી માટે પુરતો એક મહિનો ન હોવા છ્તાં ત્યાં વસતા ગુજરાતીઓએ પણ તેમાં પુરો ફાળો આપ્યો હતો, હજ્જારો માણસોની રહેવાની તથા નિત્યકર્મની વ્યવસ્થા આદર્શ ગણાય એવી કરવામાં આવી.



કરાંચીની કોંગ્રેસની સભા ખુબ જ તંગ વાતાવરણમાં થઈ હતી, સરકાર સાથે કરવામાં આવેલ સમાધાનથી નવજુવાનિયાઓમાં ભારોભાર અસંતોષ હતો. સમાધાનની શરતો મુજબ જે લોકો જેલમાંથી છુટવા જોઈતા હતા તેવા બધા કેદીઓ અમલદારોની આડખીલીઓને લીધે હજી છુટ્યા નહોતા. તથા બંગાળ તથા બીજા કેટલાય પ્રાંતોમાં મોટી સંખ્યામાં કેદીઓની અટકાયત કરવામાં આવેલી અને અમુક લોકોને નજરકેદમાં રાખેલ હતા. તેઓ સત્યાગ્રહની લડતને કારણે પકડાયેલ નહોતા પરંતુ રાજદ્વારી કેદીઓ તો હતા જ. અને સમાધાનમાં તેમને છોડાવવાની કોઈ જોગવાઈ થઈ શકી નહોતી, તથા નારજગીનું સૌથી મોટું કારણ તો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ કે જેઓને પંજાબના એક અમલદારના ખૂન કરવા બદલ ૧૯૨૮ના લાહોર કાવતરા કેસમાં ફાંસીની સજા થી હતી અને તેઓને ફાંસી ન આપવામાં આવે તેવી સૌ નવજુવાનિયાઓની માંગણી હતી. વાઈસરોય સાથેની ચર્ચામાં ગાંધીજીએ એમને ફાંસી ન આપવામાં આવે તે માટે વાઈસરોયને સમજાવવામાં કાંઈ બાકી નહોતુ રાખ્યુ, પરંતુ વાઈસરોય ફાંસી અટકાવવા તૈયાર જ નહોતા અને વાટાઘાટો સત્યાગ્રહની લડત અંગેની હોવાથી ગાંધીજી સંધિની શરતોમાં એ મુકી શકતા નહોતા, વળી ભગતસિંહ પોતે એવો બહાદુર યુવાન હતો કે તેણે વાઈસરોયને દયાની અરજી કરવાની સાફ ના પાડી હતી અને કહ્યુ કે મે તો દેશની સ્વતંત્રતાની લડતમાટે એક શત્રુનું ખૂન કર્યુ છે, માટે સરકાર પણ મને શત્રુ ગણી ભલે ગોળી મારી દે, કે મને ફાંસીએ લટકાવે. ભગતસિંહે તો આવા બહાદુરી તથા હિમતવાળા વર્તનથી નવજુવાનિયાઓના હ્રદય જીતી લીધા હતા અને વાઈસરોયે ગાંધીજીને એટલુ જ કહ્યુ કે તમે ચાહતા હો તો કરાંચીની કોંગ્રેસ સભા પુરી થઈ જાય પછી ફાંસીની સજા દેવાય તેવી વ્યવ્સ્થા કરી શકું, પરંતુ ગાંધીજીએ વાઈસરોયને વિનંતિ કરી કે તમે નવજુવાનોના હ્રદય પર સારી અસર કરવાની એક તક ગુમાવી રહ્યા છો. પરંતુ તમારે એ કરવુ નથી આથી જો તમારે ફાંસી દેવાની જ હોય તો કરાંચીની સભા પહેલા જ આપો જેથી મારે અને સરદાર પટેલને નવજુવાનોનો રોષ વહોરવાનો હોય તે અમે વહોરીએ.



છેવટે કરાંચી અધિવેશન ના થોડા દિવસ પહેલા જ એટલે કે ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ભગતસિંહ અને તેમના સાથીઓને ફાંસી અપાઈ, નવજુવાનો ખુબ જ ઉશ્કેરાયા. ગાંધીજી અને સરદાર પટેલ કરાંચી પહોચ્યા તે વખતે નવજુવાનોએ તેમની આગળ કાળા વાવટા અને કાળા ફુલો ધરી પોતાનો વિરોધ દર્શાવવા ઈચ્છતા હતા. ગાંધીજી અને સરદાર પટેલે તેઓને રોક્યા નહી બલ્કે તેઓને સૌથી પહેલા બોલાવી તેમના રોષનો આદર કર્યો અને જણાવ્યુ કે તેઓને રોષ કરવાનો હક્ક છે. અને નવજુવાનોના દિલમાં રોષ ની સાથે સાથે સરદાર પટેલ તથા ગાંધીજી પ્રત્યે અનાદર તો નહોતો જ, માત્ર પોતાની લાગણીઓનો ઉભરો તેમની આગળ ઠાલવવો હતો. અને જ્યારે ગાંધીજી તથા સરદાર પટેલે તેઓને રોષ પ્રગટ કરવાની પુરેપુરી તક આદર સાથે આપી ત્યારે નવજુવાનિયાઓ શરમાયા.



સરદાર પટેલનું પ્રમુખ તરીકેનું ભાષણ બહુ ટુંકુ હતુ, પોતાને કોંગ્રેસના પ્રમુખ નીમવામાં આવ્યા તે પોતાની નહી પરંતુ ગુજરાતની કદર કરવા માટે છે. સાથે સાથે તેમણે જે કહ્યુ તે દરેકે સમજવા જેવું છે.



“મારા જેવા સીધાસાદા ખેડૂતને તમે દેશના પ્રથમ સેવકના પદને માટે ચુંટ્યો તે મારી સેવાની કદર કરતા ગુજરાતે ગયા વર્ષના યજ્ઞમાં જે અદ્ભુત બલિદાન આપ્યા તેની કદર કરવાને અર્થે છે, તે હુ સારી રીતે સમજુ છુ, ગુજરત પ્રાંતને એ માનને માટે તમે પસંદ કર્યો એ તમારી ઉદારતા છે બાકી સાચી વાતતો એ છે કે આ જમાનાની અપૂર્વ જાગૃતિના ગયા વર્ષ્માં કોઈ પ્રાંતને બલિદાન આપવમાં કોઇ કચાશ રાખી નથી. દયાળુ પ્રભુ નો પાડ છે કે એ જાગૃતિ સાચી આત્મ શુધ્ધિની હતી.”



ભગતસિંહની ફાંસી વિષે બોલતા કહ્યુ : “નવજુવાન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને થોડા જ દિવસ ઉપર ફાંસી મળી છે તેથી દેશને પારાવાર ઉકળાટ થયો છે. એ યુવકોની કાર્યપધ્ધતિની સાથે મારે નિસ્બત નથી, બીજા કોઈ પણ હેતુને માટે ખૂન કરવુ તેના કરતા દેશને માટે કરવુ એ ઓછું નિંદનીય છે તેમ હું માનતો નથી. છતાં ભગતસિંહ અને તેના સાથીઓની દેશભક્તિ, હિમ્મત અને બલિદાન આગળ મારૂ શિર ઝુકે છે. આ યુવાનોને થયેલી ફાંસીની સજા બદલીને દેશનિકાલની કરવામાં આવે એવી લગભગ આખા દેશની માંગણી છતા સરકારે એમને ફાંસી દઈ દીધી છે, એ હાલનુ રાજતંત્ર કેટલુ હ્રદયશુન્ય છે એ પ્રગટ કરે છે.”



આપણે સમાધાન ન સ્વીકર્યુ હોત તો આપણો દોષ ગણાત અને ગયા વર્ષની બધી તપશ્ચર્યા ધોવાઈ જાત. આપણે તો હંમેશા સુલેહ માટે તૈયાર છીએ એટલુ જ નહી પણ ઉત્સુક છીએ. એટલે જ્યારે સુલેહ માટે દ્વાર ખુલ્લુ દેખાયુ ત્યારે આપણે તેનો લાભ લીધો. ગોળમેજી પરિષદમાં ગયેલા આપણા દેશબંધુઓને સંપુર્ણ જવાબદારીવાળા તંત્રની માંગણી કરી. બ્રિટિશ પક્ષોએ માંગણી સ્વીકારી. કોન્ગ્રેસ આગળ મુખ્ય ઠરાવ ગાંધી અવિર્ન કરારથી થયેલી સંધીને બહાલી આપવાનો હતો અને આ સંધિ નવજુવાનોને પસંદ પડી નહોતી તે વખતે કોંગ્રેસમાં નવજુવાનો મધ્યમમાર્ગી નેતા જવાહરલાલ નેહરુ હતા અને અંતિમમાર્ગી નેતા શ્રી સુભાષચંદ્ર બોઝ હતા એવુ કહેવાય. નહેરુને આ સંધિ એટલા માટે પસંદ નહોતી પડી કારણ કે એમના મુજબ આ સંધિમા પૂર્ણ સ્વરાજ્ના તત્વનો ત્યાગ થયેલો લાગતો હતો. તેમ છતાં ગાંધીજીની ભક્તિને લીધે અને તેમની સમજાવટને કારણે સંધિની બાબતમાં એમણે પોતાના મનને મનાવી લીધુ હતુ.

When will we understand Sardar Patel?

When we will understand Sardar Patel?


સરદારને સમજવા જરૂરી


 

વિઠ્ઠલભાઈ પટેલ ન હોત તો સરદાર ગાંધીજીને ન મળ્યાં હોત, ભારત હંમેશા વિઠ્ઠલભાઈ પટેલ નો આભારી રહેશે કે જેમના કારણે આપણને સરદાર જેવા રાજનેતા મળ્યાં, આજના રાજનેતાઓ સરદારની વાત કરતા થાકતા નથી એ સમયે સરદારે જે પરિસ્થિતિમાંથી દેશને ઉગાર્યો તેવી પરિસ્થિતિ જો આજકાલના નેતાઓ સમક્ષ હોત તો કદાચ તેઓ અંદર ખાને અંગ્રેજો સાથે સાંઠગાઠ સાધીને સીધી કે આડકતરી રીતે પોતાનું વર્ચસ્વ બનાવી અને દેશને ઔર ગુલામીમાં ધકેલી દીધો હોત. જોકે આજે પણ કાંઈ નવું નથી. જે રીતે આજકાલના નેતાઓ પોતાના ભથ્થા વધારવા માટે એક થઈ જાય છે અને જ્યારે પ્રજાની પરેશાની દુર કરવાની વાત આવે ત્યારે વિપક્ષ કાંઈ ઔર કહે અને સત્તાપક્ષ કાંઈ ઔર કહે.. પરંતુ પોતાના ભથ્થાં વધારવાની વાત હોય ત્યારે બધાજ નેતાઓની સરગમ એક સરખી ધુન વગાડતી હોય છે.મુળ વાત એ છે કે સરદાર સાહેબ જેવા રાજનેતાઓએ ક્યારેય પોતાના સ્વાર્થ માટે રાજનીતિ નથી કરેલ, પ્રજાના પ્રશ્નોને વાચા આપીને પ્રજાહિતમાંજ કાર્યો કરેલ છે.

 

જીનીવામાં છેલ્લા સમયે વિઠ્ઠલભાઈએ પોતાનું વસિયતનામું તૈયાર કરાવેલ અને ત્યાર પછી સરદાર સાહેબ અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે કડવાશ વધવા પામી, વિઠ્ઠલભાઈએ પોતાની વસિયતમાં આશરે સવા લાખ રુપિયા જેટલી રકમ સુભાષચંદ્ર બોઝને ફાળવેલ હતી જેનો હેતુ ભારત બહાર વસતા ભારતિયોમાં રાજકીય જાગ્રુતિ લાવવાનો હેતુ હતો. જે બાબતે સરદાર સાહેબ અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે વિખવાદ થયો અને આ વસિયતનામું કોર્ટમાં ચેલેંજ કરવામાં આવ્યુ અને જે સુપ્રિમ કોર્ટ સુધી ઘસડાયુ અને સરદાર સાહેબ જીત્યા પણ ખરા તે પછી પરિવારના સભ્યો તથા કોંગ્રેસ મહાસભાની સમક્ષ એવી શરત સાથે રકમ સોંપવામાં આવી જેમા વિઠ્ઠલભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટની રચના કરી, આ ટ્રસ્ટ દ્વારા વિઠઠલભાઈના ઉદ્દેશોની પુર્તિ માટે નાણાં વપરાય. આ પ્રસંગે એક વાત સમજવા જેવી છે. કે સરદાર ક્યારેય અન્યાય સહન કરે તેવી વ્યક્તિ નહોતા, સામે ગમે તે વ્યક્તિ હોય તે પોતાનો ગમો અણગમો વ્યક્ત કર્યા વગર રહેતા જ નહી. સરદાર સાહેબને પોતાના માટે નાણાંની જરૂર નહોતી તેમ છતાં વિઠ્ઠલભાઈના વસિયત માટે લડ્યા અને જીત્યા.

 

શ્રી દિનકર જોશીએ “મહાનાયક સરદાર” માં જણાવેલ પ્રસંગ ખુબ જ સમજવા જેવો છે. ૧૯૪૬ના આરંભમાં મુંબઈ દરિયાકાંઠે લાંગરેલ ભારતીય નૌકાદળોના જહાજોના હિંદી સૈનિકોના બળવાએ જે પરિસ્થિતિ પેદા કરેલ તે શાંત કરવા સરદારે જે ભુમિકા ભજવી તેની નોંધ બહુ લેવાઈ નથી પરંતુ પ્રસંગ તો જાણવા જેવો ખરો. બીજા વિશ્વયુધ્ધની તલવારો થોડા સમય પહેલાં જ મ્યાન થયેલ અને જેમાં વિજેતા થયેલ બ્રિટીશ યુધ્ધજહાજો મુંબઈ તથા કરાંચી બંદરેથી થોડે દુર લાંગરેલ, આ જહાજોમાં રોયલ નેવીનું “તલવાર” નામનુ એક જહાજ પણ હતુ જેમા નૌસૈનિકોની સાથે સાથે તાલીમાર્થીઓ પણ હતા, આ તાલીમાર્થીઓમાં કપ્તાને ગોરા તથા બિનગોરા એમ બે વિભાજન કરેલ જે દેખીતી રીતે બિનગોરા એટલે હિંદુસ્તાનના લોકો જ હોઈ તેવો અર્થ થતો. અને આથી જ ગોરા અને બિનગોરાઓને અપાતી સુવિધાઓમાં ખુબજ અંતર હતુ. આથી બિનગોરા તાલીમાર્થીઓએ ગોરા અફસરોનું ધ્યાન આ બાબતે પહેલા મૌખિક ત્યાર પછી આવેદન પત્ર દ્વારા દોરવામાં આવ્યુ પરંતુ તેનો જવાબ તોછડાઈથી આપવામાં આવ્યો અને તેઓને બહાર હાંકી કાઢવામાં આવ્યા. આથી સમસમીને ભુખ હડતાલ શરૂ કરી અને જહાજ ઉપર રહેલ દરેક હિંદી સૈનિકોને આ બાબતે જોડાવા વિનંતિ કરવામાં આવી, આવામાં કમાંડર ખાન અને કમાંડર દત્ત નામના બંગાળી સૈનિકની સહાયથી જહાજ તલવાર ઉપર રહેલ દરેક સૈનિકને એકત્રિત કરવામાં આવ્યા જેને એક બળવાનું સ્વરુપ ધારણ કરતા વાર ન લાગી. આ દર્મ્યાન બે હિંદી સૈનિકોએ એક ગોરા અફસરને લમણે ગોળી ધરબી દીધી. જે ગોરા ઓફિસરો માટે આ અણધાર્યો હુમલો હતો. અને સરવાળે ગોરા અફસરોની સંખ્યા પણ ખુબ ઓછી હતી. આથી સૈનિકોએ ગોરા અફસરોને કાંતો મારી નાખ્યા કાંતો બંદી બનાવી લીધા. અને જહાજ ઉપરથી બ્રિટિશનો ઝંડો ઉતારી કોંગ્રેસ તથા મુસ્લિમ લીગ એમ બન્ને ઝંડા લગાવવામાં આવ્યા. આ વાત વાયુ વેગે કરાંચી બંદરે પહોચી અને જ્યારે કરાંચી જહાજના નોસૈનિકોએ જાણ્યુ ત્યારે તેઓએ પણ જહાજ કબ્જે કરી લીધું અને ત્યાં પણ ભારે અફડાતફડી થઈ ગઈ.

આ રીતના બળવાને કોઈ પણ સરકાર સહન ન કરી શકે અને આથી જ નૌસનિકોને શસ્ત્રો મ્યાન કરી શરણે થવાના આદેશો આપવામાં આવ્યા પરંતુ અરુણા આસફઅલી અને અચ્યુત પટવર્ધને આગમાં ઘી હોમવાનું કામ કર્યુ અને આ બળવાને પોતાનું સમર્થન જાહેર કર્યુ, સાથે સાથે સરદારને મળીને આ બળવાનું નેતૃત્વ કરવાની વિનંતી સુધ્ધા પણ કરી. આ સમયે સરદાર મુંબઈમાં જ હતા જેથી તેઓ દરેક ઘટનાથી વાકેફ હતા. અને સરદાર સમજતા હતા કે જે બ્રિટિશ સરકાર પોતાના બિસ્ત્રરા પોટલા બાંધીજે દેશ છોડી દેવા તૈયાર થયી છે તે આવા બળૅવા ના કારણે પોતાનો વિચાર માંડી વાળી આ બળવાને પોતાની વિરાટ તાકાતથી કચડી નાંખવા તૈયાર થઈ જશે અને આઝાદી મેળવવાની એક ઔર તક ભારત ગુમાવી દેશે. આથી તેમણે અરુણા આસફઅલી તથા અચ્યુત પટવર્ધનને જણાવ્યુ કે તમે આ બળવાખોર નૌસૈનિકોનું અહિત તો કરી જ રહ્યા છો પરંતુ સાથે સાથે તમે દેશનું પણ અહિત કરી રહ્યા છો. અને આથી જ હું તમારી સાથે નથી અને બ્રિટિશ શાસને આ બળવો દબાવી દેવો જોઈએ તે હું દ્રઢપણે માનું છુ અને આ નૌસિનિકોને મળીને હુ તેઓને પરિસ્થિતિથી વાકેફ કરવા માંગુ છું.

 

આના જવાબમાં અરુણાએ કહ્યુ કે જો તમે હિંદિ નૌસૈનિકોના અપમાન સામે નેતૃત્વ નહી લો તો મારે ના છુટકે જવાહરલાલને અહી બોલાવવા પડશે. જવાબમાં સરદારે કહ્યુ કે જવાહરલાલને આ બાબતમાં વચ્ચે ન લાવો અને હું પોતે જવાહરલાલને અહીયા ન આવવા માટે તાર કરીશ. પરંતુ અરુણા ન માન્યા અને તેમણે મુંબઈમાં આ બળવાનું સમર્થન કરવા માટે એક જાહેર સભા યોજી અને આ સભામાં ગોળી બાર પણ થયો અને ખુબ જ અરાજકતા સાથે આશરે બસ્સોથી વધારે માણસોનો ભોગ લેવાયો. આ બે દિવસમાં ઘણું બદલાઈ ગયું. અને જવાહરલાલનો તાર પણ આવ્યો અને જે સરદારની સલાહથી એકદમ વિપરીત હતો. અને તેઓ અરુણાના કહેવાથી મુંબહી આવવા તૈયાર થઈ ગયા, સરદારને આ જરાય ગમ્યુ નહી અને જવાહરલાલના આવતા પહેલા આ બળવાને શાંત પાડવાનો નિર્ધાર કર્યો અને આથી તેમણે મુંબઈ ગવર્નરને વિનંતિ કરી કે નૌસૈનિકોને મળવાની મંજુરી આપવામાં આવે મુલાકાત માટે ગોઠવણ કરવામાં આવે. પરંતુ ગવર્નરે આ વિનંતી સ્વીકારી નહી અને જવાબમાં કહ્યુ કે આ વિકટ પરિસ્થિતિમાં સરદારને સુરક્ષા જાળવવી અઘરી બની જાય અને સૈનિકો ભાન ભુલ્યા છે. સરદારને ક્યાક કોઈ નુકસાન કરી બેસે તો મામલો ઔર ઘુચવણમાં મુકાઈ જાય. આના પ્રતિયુત્તરમાં સરદારે જણાવ્યુ કે બળવાખોરોના પ્રતિનિધિને મારી પાસે મોકલવામાં આવે અને જહાજ પરથી તેઓ મને મળે અને મુલાકાત બાદ તેઓને સુરક્ષિત પરત જહાજ ઉપર મોકલી આપવાની વ્યવ્સ્થા કરી આપવામાં આવે. આ વાત સરકારને ગળે ઉતરી અને સરદારે પોતાના વિશ્વાસુ સાથીઓ મારફતે જહાજ ઉપર સંદેશો મોકલ્યો અને બળવાખોરો તો સરદારને મળીને પોતાની રજુઆત કરવા માંગતા જ હતા પરંતુ તેઓને ડર હતો કે સરદારને મળવા જતા બ્રિટિશ સરકારનો શિકાર ન બની જઈએ. પરંતુ સરદારે તેમની સુરક્ષાની બાહેધરી આપી અને કમાંડર ખાન તથા કમાંડર દત્ત સરદારને મળ્યા.

 

સરદારે જણાવ્યુ કે ૧૮૫૭ના બળવામાં આપણે નિષ્ફળ નિવડ્યા અને જેના પરિણામ સ્વરુપે સૈકાથી પણ વધારે સમયથી ગુલામી સહન કરી રહ્યા છીએ, અને આ ભુલનું પુનરાવર્તન તમારે ફરી કરવુ છે? આવો અણધાર્યો સવાલ સાંભળીને બન્ને કમાંડરો તો હબક રહી ગયા. તેઓને તો એમ હતુ કે સરદાર તેમના સુરમાં સુર પુરાવશે અને કહ્યુ કે સરદાર સાહેબ આ ગોરાઓ યુધ્ધવિજયના મદમાં રાચતા રાચતા ખુબ તુમાખીદાર બન્યા છે તેમને સીધા કર્યા વગર છુટકો જ નથી. સરદારે તેમને ખભે હાથ મુકીને સાંત્વના આપતા કહ્યુ કે વાત સાવ સાચી છે તેમને સીધા કરવા જ જોઈએ પરંતુ શુ આપણે વાંકા થઈને તેમને સીધ કરીશું ? બન્ને કમાંડરે એક સાથે પુછ્યુ કે એટલે?

 

સરદારે કહ્યુ કે આખા દેશની સહાનુભુતી તમારી સાથે છે પરંતુ એક વાત જરા સમજો કે તમારી લડાઈમાં તમે મુઠ્ઠીભર સૈનિકો છો જેમની પાસે થોડાક શસ્ત્રો છે અને વિરાટ શક્તિ સામે લડવાનું છે. કેટલો સમય તમે ટકી શકશો? આપણા શૌર્યની લડત એવી હોવી જોઈએ કે જેથી દુશ્મન નો નાશ થવો જરૂરી છે. પરંતુ અહીયા આપણો નાશ થશે તો આ લડાઈનું ભવિષ્ય શું? સરદારની ભવિષ્યવાણી અને સચ્ચાઈ સાંભળીને બન્ને કમાંડરને પરિસ્થિતિની ગંભીરતા સમજતા વાર ન લાગી. અંગ્રેજી નૌકાદળતો ઠીક પરંતુ જો વાયુદળ હુમલો કરે તો પળવારમાં આ મામલો નિપટાઈ જશે.

 

તમે તમારા શસ્ત્રો હેઠા મુકો તમારી સાથે પુરેપુરો ન્યાય થાય અને બળવાખોરો પ્રત્યે ઉદારતા દેખાડવામાં આવે તેવા તમામ પ્રયત્નો હું કરીશ. શસ્ત્રો હેઠા મુકવામાં જ સહું નુ કલ્યાણ સમાયેલ છે. બન્ને કમાંડરોએ સરદારની વાતનો મર્મ સમજીને જણાવ્યુ કે સરદારસાહેબ આપના માર્ગદર્શનનો અમે સ્વીકાર કરીએ છીએ અને આપ અમને પરત જહાજ ઉપર પહોચડવાની વ્યવસ્થા કરો અમે યુનિયન નો દ્વજ ફરકાવી દઈશુ.

 

સરદાર પોતે લોકોને ગેરમાર્ગે જતા અટકાવવાની સાથે સાથે દેશહિતમાં જે યોગ્ય હોય તેવાજ નિર્ણયો લેતા તેઓ  ક્યારેય શેહ શરમ નહોતા ભરતા. પરંતુ પરિસ્થિતિની ગંભીરતા સમજીને શક્ય હોય તે બધુ જ કરી છુટતા.

 

 

Sardar Sneh - 3 - Father Jhaverbhai

કથા સરદારની (3)

પિતા ઝવેરભાઈ.


આજે આપણે સરદાર સા.ના પિતાશ્રી ઝવેરભાઈના ચરિત્ર વિશે જાણશું.ઉત્તર ભારતમાંથી ચરોત્તરમાં વસેલ આ ખડતલ ખેડુતે કરમસદ ગામને સન૧૮૫૦ની પૂર્વે જાતમહેનતથી આબાદ બનાવેલ.મહી તથા શેઢી નદીની વચ્ચે કાળી જમીનમાં કાચું સોનું પેદા કરનાર ઝવેરભાઈ નેકદિલ ઇન્સાન હતા. રેતાળ જમીનમાં છાણ માટીના ગાડા ઠાલવીને આ ખેડુતે ખેતી કરી જમીનના માલીકી હક્ક પણ મેળવી લીધેલ.એ સમયે પટેલોના વહેવારમાં ગોળપ્રથા હતી.ઝવેરભાઈના નામની વહેવારમાં તથા આ છ ગોળ ગામમાં હાંક વાગતી.કરમસદ, નડીયાદ, સોજીત્રા , ધર્મજ, ભાદરણ તથા વસો આ છ ગામનો છ ગોળ હતો.
૧૮૫oમાં ઝવેરભાઇને ત્રણ માળનું બે વિધામાં મકાન હતું.ભોયતળીયે રવેશમાં હીંચકા હતા. અને એમાં સૌ ભાઇઓ અને ગામના પટેલો બેસતાં અને પટલાઇ કરતાં.બધાને સુવા, બેસવાના અલગ ઓરડા, રસોડું, રેણઘર, કોઠાર ,નીણઘર એવી વ્યવસ્થા હતી.મકાનની દિવાલ ઉપર મહાભારત અને અંગ્રેજો સામે લડતા હિન્દી પ્રજાના ચિત્રો દોરેલ હતા.
કથા એવી છે કે ૧૮પ૭માં ઝવેરભાઈ ઘર છોડીને ઝાંસીની રાણી લક્મીબાઈના લશ્કરમાં અંગ્રેજો વિરૂદ્ધ લડવા માટે જોડાયેલ. ગુલામીને નોતરું આપનાર અભિમાની રાજાઓ તથા અંગ્રેજોની વાતો તથા પોતે કરેલા સાહસની વાતો ઝવેરભાઈએ બાળક વલ્લભને ખેતરમાં ખેડ કરતાં સંભળાવીને બાળક વલ્લભમાં વીરતા અને શોર્યના સંસ્કાર સિંચેલ.
ઝવેરભાઈ સ્વામીનારાયણ સંપ્રદાયના સેવક હતા.એમ કહેવાય છે કે શાસ્ત્રીજી મહારાજ વડતાલ છોડીને સૌ પ્રથમ ઠાકોરજી ઝવેરભાઈને ધેર પધરાવે છે.આજના BAPS ની પવિત્ર શરૂઆત ઝવેરભાઈને ધેર થયેલ અને ઠાકોરજી ત્યાં બિરાજેલ.આ ઝવેરભાઈ અંતના સમયમાં મંદિર અને સંતોની સેવામાં જ રહેલા.
પોતાનાં બાળકોને રાષ્ટ્પ્રેમ શિખડાવનાર ઝવેરભાઇએ આ દેશને વલ્લભભાઈ જેવાં મહાન સપૂત આપ્યાં એ વાતના સ્મરણ સાથે આ સાચા ખેડુતને વંદના અને શ્રદ્ધાંજલિ.

(સં.ભીમજી ખાચરિયા, જેતપુર.૨૩/૬/૧૮) +919913343533

Sardar Sneh - 2 - Mother Ladba

કથા સરદારની (૨) માતા લાડબા - Mother Ladba


આપણે સરદાર સા.વિશે જાણીએ છીએ પણ એમના પરિવાર કે માતાપિતા વિશે બહું ઓછું જાણીએ છીએ.આજે મારે આપને સરદાર સા.ની માતા લાડબાની વાત કરવી.છે ! તમે માનશો ? લાડબા ૭૪ વર્ષની વયે ખાદી કાંતતા શીખ્યા અને હાથે કાંતેલી ખાદીના વસ્ત્રો પહેરતાં થયાં. આ લાડબાએ પાછલી વયે પોતાના દીકરાંઓ માટે ખાદી જ કાંતેલી. આ એવી મા હતી કે જેના પાંચમાંથી ચાર દીકરા નાની વયે જ વિધૂર થયેલાં. એમાંથી કોઈએ પણ બીજું લગ્ન કરેલ નહી.સોમાભાઇ, નરસીભાઇ, વિઠલભાઇ, વલ્લભભાઇ અને નરસીભાઈ આ પાંચ ભાઈઓમાંથી નરસીભાઇ સિવાયના ચારેય ભાઈઓની પત્નીઓ ૧૯ર૦થી ૧૯૩૦ના દસકામાં ગૂજરી જતાં બધાં વિધૂર દીકરાંઓની ઉપાધિ ,અને એમનાં બાળકોનો ભાર અને ઘરનો કારભાર આ લાડબાને માથે આવ્યો. લાડબા એમના પતિ ઝવેરભાઈ કરતાં વયમાં પણ ખૂબ નાના હતા.ઝવેરભાઈ સ્વામીનારાયણ સંપ્રદાયના ચુસ્ત સેવક હતા.એઓ મોટે ભાગે મંદિર અને સંતોની સેવામાં જ રહેતા.આમ નાની ઉંમરમાં ખેતીવાડી અને ઘરની જવાબદારી તથા મોટી ઉંમરમાં પાંચમાંથી ચાર દીકરાનું વિધૂર જીવન લાડબા અનુભવી દુઃખના ડુંગર ચડ્યા હતા.ટૂંકી જમીન તથા આ પાંચ દીકરાને પરણાવી માંડ ઠરીઠામ થનાર આ માતાએ દીકરાંનું દુઃખ પણ જોયું અને એમનાં દીકરાંઓનું દુઃખ પણ જોયું. આ કપરા કાળમાં પણ હિંમત ન હારનાર લાડબા ૭૫ વર્ષની વયે ખાદી કાંતે અને અંગ્રેજ સલ્તનના પાયા ઉખેડી દેશની આઝાદી માટે આગળ આવે એ આપણા માટે ગૌરવની વાત છે. આ વાત એટલે મહત્વની લાગે છે આ માતાએ પોતાના પાંચેય દીકરાં ખાસ તો વિઠલભાઈ તથા સરદાર વલ્લભભાઇને આ દેશને સમર્પણ કરી પાકતી ઉંમરે રેંટીયાની ત્રાક હાથમાં લઈને ભારતની આઝાદીનાં પાયામાં પોતાનો પરસેવો રેડયો ! આપણી આજની આ મૂક્ત આઝાદીમાં આવા વીર સપૂતની અનેક વીર માતાઓના પણ બલિદાન છે એ વાતના સ્મરણ સાથે પૂ.લાડબાને શત શત વંદન.


( સંકલન- ભીમજી ખાચરિયા, જેતપુર)  +91 99133 43533

Sardar Sneh - 1

કથા સરદારની - ( ૧ )


સન ૧૯૨૦ પછી સરદાર બાપુને તથા ભારત માતાને પુરા સમર્પિત હતા.સરદારે બેરીસ્ટરી છોડી અને અંગ્રેજ પહેરવેશ પણ છોડ્યો. માત્ર છોડયો નહી પણ પરદેશી કાપડની હોળીમાં સળગાવીને જ જંપ્યા.ભારતમાં સૌ પ્રથમ અમદાવાદ અને મુંબઇમાં પરદેશી કાપડની હોળી થઈ અને સરદારે આગેવાની લીધી.સરદારની પાછળ અનેક દેશવાસીઓએ પોતપોતાનાં પરદેશી કપડાં સળગાવ્યા.પરદેશી કાપડની હોળીની આગ સમગ્ર ભારતમાં ભડકી.આ બનાવ પછી સરદારે ખાદી પહેરવાની શરૂ કરી તે આજીવન ખાદી પહેરી.બાળકોમાં દીકરી મણિબહેન અને દીકરા ડાહયાભાઈએ પણ ખાદી પહેરવાનું શરૂ કરી દીધું.આ સમયે જ મણિબહેનને પિતા માટે સૂતર કાંતવાનો વિચાર આવ્યો તે આજીવન રહ્યો.૧૯૨૧ પછીથી સરદાર સા.ના ઝભ્ભા અને ધોતીયા દીકરી મણિબહેને જ રેંટીયામાં પોતાના હાથે જ સૂતરથી કાંત્યા અને સરદારે આજીવન પહેર્યાં. વાત તો મારે હવે કરવી છે, જો વાંચવી હોય તો ! સન૧૯૨૧માં સતર વર્ષના મણિબહેને પોતાની સ્વર્ગસ્થ માતા ઝવેરબાના ઘરેણાં અને પોતાનાં અંગત ઘરેણાં રાષ્ટ્રને તથા મહાત્માજીને પોટલી બાંધી દેશસેવા અને આઝાદીના યજ્ઞ માટે અર્પણ કર્યા.પિતા સરદાર સાહેબની આંખ પણ ભીની થઇ. ફૈબા ડાહીબહેને આપેલ સોનાની બંગડીઓ, પરિવારમાંથી મળેલ સોનાની કાંડા ઘડિયાલ , બે એરીંગ અને બીજી સોનાની ચાર બંગડીઓ આમ આ બધા દાગીના સરદાર પુત્રી મણિબહેને આપણી આજ માટે ગઈ કાલની આઝાદીની લડાઇમાં સમર્પિત કરીને દેશની આઝાદીમાં પ્રથમ યોગદાન આપી પિતા સરદાર સાહેબના રસ્તે ચાલવાની પ્રતિજ્ઞા લીધી.આ મણિબહેન ચાર વર્ષના હતા ત્યારે માતાએ વિદાય લીધી.પિતા વલ્લભભાઇની આજીવન સેવામાં પોતાના જીવનના આનંદ અને સપનાઓનો ત્યાગ કરનાર આ મણિબહેન આઝાદીના યજ્ઞમાં મણિ જ છે.!!!


ભિમજીભાઈ કચારિયા - મો : - +91 99133 43533


HAPPY BIRTHDAY 147th Birthday of VITHALBHAI PATEL

Newspaper : The Evening Telegraph - 6th January 1932 - Wednesday



Blow to Indian sedition Campaign.


Police swoop in Bombay


Congress G.H.Q. seized and 100 arrests


Volunteers lose most of their leaders


Dramatic measures which may effectively cripple the power of the Indian National Congress to carry on its campaign against the Government were taken at Bombay early this morning.


Over one hundred arrests of prominent Congressmen, including the Honourable Vithalbhai Patel, a former president of the Legislative Assembly, were made.


The headquarters of Congress were seized, as well as the headquarters of the volunteers, and the Bombay Congress and its allied bodies were declared unlawful.


The arrests and seizures were under the new ordinances concerning Bombay which came into force yesterday, and the scope of the Government's operations has completely stunned Congress supporters.


"War cabinets" and leaders of the Congress had been appointed to carry on during the absence in prison of the recognised leaders, but the thousands of volunteers who have enrolled under Congress are now practically leaderless.


The Government, it is learned, had intended to extend to Bombay Congressman the chance of standing allot from the activities of Congress, but the decision of the letter to picket British cloth shops to-day seems to have precipitated the arrests.


The arrests


The arrests were carried out with surprising suddenness, secrecy, and rapidly by fully armed police, who at a pre-arranged time were dispatched in motor lorries to various quarters.


The names and addresses of the Congressman wanted had been drawn up beforehand and arrests were made simultaneously in every part of the city. There was not the slightest hitch in the arrangements and shortly afterwards the prisoners began to arrive at headquarters.


Mr. Vithalbhai Patel, a brother of Vallabhbhai Patel, a recent President of the Congress, who was arrested yesterday, was one of the first to be apprehended by the police, and others included Mr. Naagin da vice president of the local Congress executive, who was the Congress organiser, and who was responsible for the arrangements for the last civil disobedience movement.


Eight women also were numbered among the prisoners.


Raid on headquarters 


The Police later raided Congress Hall, the headquarters of the Congress, which had already been denuded of most of its trapping's by officials, hauled down the Congress flag, and ran up the Union Jack before turning their attention to the headquarters of the volunteers which were seized.


Apart from the crushing effect of the arrests of the most prominent Congressmen, the severest blow against Congress is the proclamation by which it is declared unlawful.


This follows swiftly upon similar action in Calcutta and the Madras Presidency, and means that Congress will not in future be allowed to assemble.


Congress still has a leader in the person of Dr. M. Ansari, the leader of the Moslems in the Congress movement, who has been appointed President in succession to Mr. Rajendra Prasad, who is now in Prison with Mr. Vallabhbhai Patel, whom he succeeded.


In Gujarati :


અખબાર: સાંજે ટેલિગ્રાફ જાન્યુઆરી ૧૯૩૨ - બુધવાર


ભારતીય રાજદ્રોહ ઝુંબેશ તરફ દોરો.


બોમ્બેમાં પોલીસે તિરસ્કાર કર્યો


કોંગ્રેસ જી.એચ.ક્યુ. જપ્ત અને 100 ધરપકડ


સ્વયંસેવકો તેમના મોટા ભાગના નેતાઓ ગુમાવે છે


સરકાર સામેની ઝુંબેશ ચલાવવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની શક્તિને અસરકારક રીતે અપ્રગટ કરી શકે તેવા નાટકીય પગલાં આજે સવારે બોમ્બેમાં લેવામાં આવ્યા હતા.


વિધાનસભાની ભૂતપૂર્વ પ્રમુખ માનનીય વિઠ્ઠભાઈ પટેલ સહિત અગ્રણી કોંગ્રેસમેનની એકથી વધુ ધરપકડો કરવામાં આવી હતી.


કૉંગ્રેસના વડામથકને, તેમજ સ્વયંસેવકોનું વડુમથક કબજે કરવામાં આવ્યું હતું, અને બોમ્બે કોંગ્રેસ અને તેની સંબંધિત સંસ્થાઓને ગેરકાનૂની જાહેર કરવામાં આવી હતી.


ધરપકડ અને હુમલાઓ બોમ્બે સંબંધિત નવા અધિનિયમ હેઠળ ગઈ હતી જે ગઈકાલે અમલમાં આવી હતી, અને સરકારના કાર્યક્ષેત્રના અવકાશથી કોંગ્રેસ સમર્થકોને સંપૂર્ણપણે આશ્ચર્ય થયું હતું.


"યુદ્ધ મંત્રીમંડળ" અને કૉંગ્રેસના નેતાઓને માન્યતાપ્રાપ્ત નેતાઓની જેલમાં ગેરહાજરીમાં ચાલુ રાખવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ કોંગ્રેસ હેઠળ દાખલ થયેલા હજારો સ્વયંસેવકો હવે વ્યવહારિક રીતે અગ્રણી છે.


સરકાર ને શીખ મળી છે કે, કૉંગ્રેસની પ્રવૃત્તિઓમાંથી ફાળવણીની તક માટે બોમ્બે કોંગ્રેસમેન સુધી વિસ્તરણ કરવાનો ઇરાદો હતો, પરંતુ આજે બ્રિટીશ કાપડની દુકાનોને પકડવાની પત્રના નિર્ણયની ધરપકડ કરવામાં આવી હોવાનું લાગે છે.


ધરપકડ


આ ધરપકડ આશ્ચર્યજનક અચાનક, ગુપ્તતા અને ઝડપથી સશસ્ત્ર પોલીસ દ્વારા કરવામાં આવી હતી, જે અગાઉ ગોઠવાયેલા સમયે મોટર લોરીમાં વિવિધ ક્વાર્ટર્સમાં મોકલવામાં આવી હતી.


કોંગ્રેસના નામો અને સરનામા અગાઉથી તૈયાર કરવામાં આવ્યાં હતાં અને શહેરના દરેક ભાગમાં ધરપકડ કરવામાં આવી હતી. ગોઠવણમાં સહેજ હચમચી ન હતી અને ટૂંક સમયમાં જ કેદીઓએ મુખ્ય મથક પર પહોંચવાનું શરૂ કર્યું.


કોંગ્રેસના તાજેતરના રાષ્ટ્રપતિ, વલ્લભભાઈ પટેલના ભાઇ શ્રી વિઠ્ઠભાઈ પટેલ, જેમને ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી, પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી પ્રથમ વ્યક્તિમાંની એક હતી અને અન્યમાં સ્થાનિક કોંગ્રેસના વહીવટી અધિકારી શ્રી નગીનદા, કોંગ્રેસના આયોજક કોણ હતા, અને છેલ્લા નાગરિક અવજ્ઞા ચળવળની ગોઠવણ માટે જવાબદાર કોણ હતા.


કેદીઓમાં આઠ સ્ત્રીઓ પણ ક્રમાંકિત થઈ હતી.


મુખ્ય મથક પર હુમલો


પોલીસે બાદમાં કૉંગ્રેસનું મુખ્ય મથક, કૉંગ્રેસ હૉલ પર હુમલો કર્યો હતો, જે અધિકારીઓ દ્વારા તેના મોટાભાગના ફાંસીની અસ્વીકાર કરાઈ હતી, કોંગ્રેસના ધ્વજને હાંકી કાઢયો હતો, અને સ્વયંસેવકોના મુખ્ય મથક તરફ ધ્યાન કેન્દ્રિત કરતા પહેલા યુનિયન જેક દોડી ગયો હતો. જપ્ત


સૌથી જાણીતા કોંગ્રેસમેનની ધરપકડની અસરકારક અસર ઉપરાંત, કૉંગ્રેસ વિરુદ્ધનો આક્રમક ઘોષણા તે ઘોષણા છે જેના દ્વારા તે ગેરકાનૂની જાહેર કરવામાં આવે છે.


આ કલકત્તા અને મદ્રાસ પ્રેસિડેન્સીમાં સમાન કાર્યવાહી પર ઝડપથી થાય છે, અને તેનો અર્થ એ છે કે ભવિષ્યમાં કોંગ્રેસને મંજૂરી આપવામાં આવશે નહીં.


કોંગ્રેસી ચળવળમાં મુસ્લિમોના નેતા ડૉ. એમ. અનસારીના નેતામાં કૉંગ્રેસ હજી પણ નેતા છે, જે શ્રી રાજેન્દ્ર પ્રસાદને વારસામાં પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ હવે વલ્લભભાઈ પટેલ સાથે જેલમાં છે, જે સફળ થયા.

© all rights reserved
SardarPatel.in