Sardar Patel, Gandhiji and Aruna Asafali

Sardar Patel, Gandhiji and Aruna Asaf ali

સરદાર પટેલના વિરોધીઓ દ્વારા ફેલાવેલી ગેરસમજ બાબતે સરદાર પટેલે ગાંધીજીને તા. ૨૪ ફેબ્રુઆરી ૧૯૪૬ના રોજ લખેલ એક મહત્વપુર્ણ પત્ર

અરુણા અસફઅલીએ એક એવી આગ લગાવી છે કે જેના કારણે ખુબ મોટો ભડકો થઈ ગયો છે. લગભગ બસો પચાસ લોકોને ગોળીઓ મારી મારી નંખાયા. એક હજારથી પણ વધારે લોકોને પકડી લેવામાં આવ્યા છે. પોલિસ પોતાને નિ:સહાય અનુભવી રહી છે અને એટલે જ તેમની જગ્યાએ સૈનિકોની ટુકડી તૈનાત કરવામાં આવી છે. અચ્યુત પટવર્ધન અને તેમના સાથીઓએ અરુણા અસફઅલીને આગળ રાખ્યા છે. અરુણા અસફઅલીએ જવાહરલાલને તાર મોકલેલ છે અને સમાચાર પત્રો થકી પણ આ તાર જાહેર કરી દીધો છે અને એવો આડકતરો સંદેશો ફેલાવવાની કોશિષ કરવામાં આવેલ છે કે આ પરિસ્થિતિઓમાં ફક્ત જવાહરલાલ એક એવા નેતા છે કે જેઓ તેમની આગેવાની લઈ શકે છે. આવુ અરુણા અસફઅલીને મારા તરફથી સમર્થન ન મળ્યુ તેથી આમ તેઓએ કર્યુ છે.


Aruna Asaf Ali
Aruna Asaf Ali - अरुणा असफ अली - અરુણા અસફ અલી
જવાહરે મને તાર મોકલાવી મને પુછ્યું છે કે શું તેમની ઉપસ્થિતિ જરૂરી હશે અને આવી સ્થિતિમાં બીજા કામ પડતા મુકીને આવી જશે. મેં તેમને ન આવવાની સલાહ આપી છે. તેમ છતાં તેઓ અહીયાં આવી રહ્યા છે. તેમના જવાબી તારમાં મને જણાવ્યુ છે કે તેઓ બહુ બેચેની અનુભવી રહ્યા છે અને તેઓ કાલે બપોર પછી ૩ વાગે પહોચી જશે. એ આવે તે સારુ જ છે પરંતુ તેઓ અરુણા અસફઅલીના તારને કારણે આવે છે જેથી અરુણા અસફઅલી આગને ઔર હવા આપશે અને તેમના અવિવેકી અને ઉતાવળનો વિરોધ નહી કરીએ તો સ્થિતિ બદથી બદતર થઈ જશે. શહેરમાં દુકાનોની સાથે સાથે રાહદારીઓને પણ લુંટવામાં આવ્યા છે. સાર્વજનિક ઈમારતો, થોડા રેલ્વે ક્વાટર્સ અને એક રેલગાડીને આગ લગડવામાં આવી છે. અને આવી પરિસ્થિતિમાં સેનાને બોલાવવી પડે તો તેના માટે દોષ આપવો નિરર્થક છે.


આજે વાતાવરણ શાંત છે અને કાલથી શાંતિ બહાલ કરી શકાય તેમ છે. પરંતુ સેનાને જલ્દી પરત બોલાવી લેવાશે તેની સંભાવના બહુ ઓછી છે. આવા ઝેરી વાતાવરણમાં અંગ્રેજ અને અંગ્રેજી વેશભૂષાને નાપસંદ કરવાની સાથે સાથે તેઓએ વિદ્યાર્થીઓનો ભરપુર ઉપયોગ કર્યો જે ત્રાસદી સમાન છે. જલસેના અને વાયુસેનામાં હડતાલ થવાના કારણે આવા બનાવ બન્યા છે. તેઓ હવે એ સહન નથી કરી શકતા કે તેમના અંગ્રેજ સહકર્મીઓની તુલનામાં તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યુ છે. અને હવે તેઓ પોતાના અંગ્રેજ અધિકારીઓના હાથે અપમાનિત થવાનુ સહન કરી શક્તા નથી.

આપણું કામ કઠિન છે. તેઓ કોંગ્રેસના સમાજવાદીઓની સલાહ પર ધ્યાન નથી આપી રહ્યા. તેઓ તમારુ સન્માન ફક્ત એક સંતના રૂપે કરે છે. પરંતુ તેઓ વાસ્તવમાં તમને એક કંટાળાજનક નેતાના સ્વરુપે જોઈ રહ્યા છે. તેઓ સાર્વજનિક રુપમાં આપણી નિંદા કરતા કહે છે કે તેમનો રસ્તો નિષ્ફળ અને અવ્યવહારિક સાબિત થયો છે. આ વાત વિચાર કરવા જેવી છે કે આપણે આ સ્થિતિનો સામનો કેવી રીતે કરીશુ.



1 Aurangzeb Road - Delhi

1 Aurangzeb Road - Delhi (સરદાર પટેલ અને બનવારી લાલ)

કેન્દ્રિય ગૃહમંત્રી બન્યા તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલ પાસે પોતાની માલિકીનું કહી શકાય તેવું કોઈ ઘર ન તો દિલ્હીમાં હતું કે ન તો ગુજરાતમાં અમદાવાદ, બારડોલી અને કરમસદમાં હતું. દિલ્હીમાં તેઓ હંમેશા ઘનશ્યામદાસ બિરલાના મહેમાન તરીકે બિરલા હાઉસમાં જ રહેતા. સરદાર અમદાવાદમાં ક્યારેક પોતાના સ્વજન અને મિત્ર એવા ડો. કાનુગા તથા ક્યારેક દાદાસહેબ માવળંકરના બંગલે રહેવાનું પસંદ કરતા. અને કોઈ વાર સાબરમતી આશ્રમ કે પછી ગુજરાત વિદ્યાપીઠના ઓરડામાં પણ સરદાર મણીબેન સાથે પોતાના બે જોડી કપડાની સાથે પતરાની પેટી અને રેંટિયો મુકતા.

સરકાર સામે લડત સમયે બિરલા હાઉસમાં રહેવું અને સરકારને ખસેડી કાર્યભાર સંભાળી બિરલા હાઉસમાં રહેવું તે સાવ જુદી વાત હતી. સરકારી રાહે તત્કાલ કોઈ ઉચિત રહેઠાણ ફાળવી દેવાય એવી કોઈ ગોઠવણો હજી સુધી થઈ નહોતી. જેથી સરદાર ઊંડે ઊંડે મનમાં ગડમથલતો રહેતી. એવામાં બનવારીલાલ કે જેઓ મૂળ દિલ્હીના ઉદ્યોગપતિ, અને રાજકારણમાં પણ સક્રિય રસ લેતા હોવાથી કોંગ્રેસ સાથે એક અનેરો નાતો બંધાયો હતો. જેમાં મુખ્યત્વે સરદારના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ સાથે ખુબજ મૈત્રીપુર્ણ વ્યવહાર બંધાયો હતો. વિઠ્ઠલભાઈ ધારાસભામાં સ્પીકર તરીકે કાર્યભાર સંભાળતા હતા તે સમયથી વિઠ્ઠલભાઈ સાથે સાથે સરદારના સંપર્કમાં બનવારીલાલ આવ્યા. બનવારીલાલ વિઠ્ઠલભાઈ પ્રત્યે જેટલો સદ્ભાવ અને સન્માન ધરાવતા તેવીજ લાગણી તેમને સરદાર પટેલ માટે હતી. વિઠ્ઠલભાઈ જ્યારે પોતાની તબીબી સારવાર કરાવવા માટે જીનિવા ગયા ત્યારે પોતાનો અંગત સામાન, દસ્તાવેજો અને પુસ્તકો બનવારીલાલને જ સોંપતા ગયા.

સરદારની મુંઝવણ બનવારીલાલ સમજી ગયા હતા. અને તેમણે સરદારને તેમની મુંઝવણનો ઉકેલ એવી રીતે સુચવ્યો કે સરદાર લાગણી સભર થઈ ના ન કહી શક્યા.
બનવારીલાલે સરદારને કહ્યું કે : સરદાર ! બિરલા હાઉસમાંથી સરકારી તંત્રનો વહીવટ સંભાળવો એ બે નાવમાં એક સવારી કરવા જેવુ થશે.. આપને જો વાંધો ન હોય તો... “ આટલુ કહી બનવારીલાલ અટકી ગયા અને સરદારના પ્રતિભાવની રાહ જોતા રહ્યા..
સરદારે પુછ્યુ : તો શું બનવારીલાલ ? પેટછુટી વાત કરો..
બનવારીલાલે કહ્યુ કે : ઔરંગઝેબ રોડ ઉપર મારો બંગલો આપને બધી જ રીતે અનુકૂળ રહે તેવો છે અને બીજી વધુ સારી વ્યવસ્થા ન ગોઠવાય ત્યાં સુધી આપ આ બંગલામાં રહો.”
અને આ રીતે ૧ ઔરંગઝેબ તરીકે ઓળખાતો આ બંગલો સરદારનું નવું નિવાસસ્થાન બન્યો. જ્યારે સરદાર સાહેબના પુત્રી શ્રી મણીબેન પટેલ રહેઠાણ બદલતા પહેલાં થોડા અંગત સામાન સાથે બંગલો જોવા આવ્યા ત્યારે બંગલાના ચોકીદારો જ્યારે સફેદ સાળી પહેરેલ, પતરાની બે પેટી, બે ત્રણ ડબ્બા અને થોડીઘણી ચીજવસ્તુઓ સાથે મણીબેન મોટરમાંથી ઉતર્યા ત્યારે તેમને જોતા જ રહી ગયા. સરદાર જેવ મહાપુરુષનો સરસામાન આ રીતે લાવે અને દેશના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાનનો આવો અને આટલો જ સામાનની તો તેમને કલ્પના જ નહોતી.

બીજા દિવસે સરદાર જ્યારે અહી રહેવા આવ્યા ત્યારે બંગલાની વિશાળતા જોઈ સરદારે મણીબેનને કહ્યુ કે: મણીબેન ! આટલા બધા ઓરડાઓની જો તમે સારસંભાળ લેવા જશો તો મારુ કામ ક્યારે કરશો? આ સાંભળી મણીબેન હસ્યા અને કહ્યુ: બાપુ મારે તમારુ કામ કરવા માટે ઓરડા જોઈએ છે. ઓરડા સંભાળવા માટે આપણે અહીયા નથી આવ્યા.. એમ કહી તેઓ સરદાર સાહેબના કાર્યક્રમ વિશે જાણકારી આપવા લાગ્યા.

Sarat Bose tried to cause rift between Sardar Patel and Nehru

Sarat Bose tried to cause rift between Sardar Patel and Nehru

Both Patel and Nehru shared uneasy relationship with Sarat Bose. Sarat Bose tried to cause rift between the two leaders during Tripuri Congress in 1939.

Poona,
6th October, 1945

My Dear Jawaharlal,
I received your letter of the 1st instant yesterday afternoon.

Rajkumari Amrit Kaur
Mr. Dharam Yash Dev had written to Bapu and to [Rajkumari] Amrit Kaur about the same matter, and as those letters were referred to me for disposal I had asked him to meet me in Bombay. He met me when we were in Bombay and he impressed me very well indeed. But from his conversation with me I gathered that he has a family and a style of living which is expensive. The ordinary Congress salary will not in my opinion suit him at all. He draws about Rs. 1250 from Dalmia and his father has left him practically nothing. He has therefore to earn his own living. I learn from Amrit Kaur, who knows him intimately, that his wife is a society girl of expensive habits and she would not like that he should join the Congress office. But she has very good opinion on him. He has been correspondence with me, but I am not sure whether his style of propaganda would suit us in the election campaign. I agree with you that he has made ample amends for his past mistake and he has also made up with [Acharya J. B.] Kripalani. At present we are confining ourselves to Central Assembly elections propaganda and for that we need not go in for any elaborate plan. But we shall consider when we meet next whether we should employ him for election propaganda in connection with the provincial assembly elections.

You must have received my letter suggesting that you should draft a small election manifesto for the Central Assembly. We have not much time as these elections are to take place next month.

The unfortunate and unnecessary controversy between you and Sarat Bose distressed us here very much. Bapu has written to Sarat about it. He has probably written to you also. I fail to understand why he chose to make such a public attack against Chiang Kai-Shek without having any consultation with you or Bapu. He knows that Congress policy. He must have some purpose behind it. I do not know what grievance he could have against you. I am afraid his re-entry into the Congress will create once again a situation which may not be pleasant for us all. Bapu is going to Bengal in the beginning of next month and he will probably talk to him more freely at that time.

I see that P.C.Joshi has started vigorous propaganda against the Congress for our attitude towards his group. It would have been better if we had expelled them straightway. Our notice has given him a handle to create propaganda here and abroad against us.

The Maharajkumar of Vizianagram had written a letter to Amrit Kaur expressing a desire to stand for the Central Assembly. She has advised him to see you and Pantji [G.B.Pant] in the matter.

Hope you are doing well.

Yours Sincerely,
Vallabhbhai Patel

Gandhiji and Sardar Patel at Yerwada Jail 04-11-32

યરવડા જેલવાસ દરમ્યાન તા. ૪ નવેમ્બર ૧૯૩૨ના રોજ બાપુ સાથે સરદાર સાહેબનો વાર્તાલાપ – મહાદેવભાઈ દેસાઈ થકી..

બાપુએ આજે વધુ એક ઉપવાસ રાખવાની સંભાવના વ્યક્ત કરી અને સાથે સાથે ટીપ્પણી પણ કરી કે આ ઉપવાસ કરવામાં એક મુશ્કેલી છે. સરકાર આ ઉપવાસ બાબતે એવુ સમજશે કે આ વ્યક્તિ કોઈ પણ બહાને જેલની બહાર આવવા માંગે છે.

મે (મહાદેવભાઈ) સહમતિ આપી, આ વ્યાજબી વાંધા સાથે છે.

બાપુએ પુછ્યું કે વલ્લભભાઈ, તમે આ બાબતે શું વિચારો છો?
વલ્લભભાઈએ થોડો વિચાર કરીને થોડા દુ:ખી સ્વરે કહ્યું કે હું ઈચ્છું છું કે તમે થોડો સમય લોકોને આરામ આપો. જે લોકો ત્યાં એકત્ર થયા છે તેઓને તેમની મરજી મુજબ કરવા દો. તમે તેમને માથે પિસ્તોલ (ઉપવાસ રુપી) રાખીને તેમને ચિંતિત કેમ કરો છો? અન્ય લોકો પણ એવુ વિચારશે કે આ માણસ પાસે કરવા માટે કશું નથી એટલે ટાણે કટાણે ઉપવાસ કરવાની વાત કરે છે. પરંતુ આ ફક્ત જેલની બહાર નિકળવાનું બહાનું છે તે એક બિલકુલ અલગ વાત છે.
બાપુએ હસતા હસતા કહ્યું, શું તમે આ પ્રકારના ઉપવાસની સાથે સહમતિ આપશો, જેની સિફારિશ મહાદેવ કરે છે?
વલ્લભભાઈએ કહ્યું, હકીકતમાં આ પ્રશ્ન અમારી પરીક્ષા લેવા માટે પુછ્યો છે. જો હું “ના” કહુ તો તમે “હા” કહેશો અને જો મે “હા” કહ્યુ હોત તો તમે “ના” કહેશો. આ તમારી ખાસિયત છે.
બાપુ કહે ઓહ તો પછી હુ વિચારું છુ કે હવે મારે ઉપવાસ અવશ્ય રાખવો જોઈએ.
વલ્લભભાઈએ હસતા હસતા જવાબ આપ્યો કે, જો તમે ઉપવાસ રાખવા જ માંગો છો, તો તમે એ બધાજ લોકો વિરુધ્ધ ઉપવાસ કેમ નથી રાખતા કે જેઓએ ગોળમેજી પરીષદમાં ભાગ લેવા જઈ રહ્યા છે?
બાપુએ કહ્યું, આ તો તમારે અવશ્ય કરવુ જોઈએ, હુ તમને આની મંજુરી આપું છું.
વલ્લભભાઈએ કહ્યું, હું શુ કામ ઉપવાસ રાખું? જો હું ઉપવાસ રાખીશ, તો લોકો મને મરવા દેશે. આ બધા લોકો તો તમારા મિત્ર છે અને તમારી વાત સાંભળી શકે છે. પરંતુ, આવો આપણે આ વાતને છોડી દઈએ. જેઓ પહેલાથી ત્યા ગયા છે તેમની પરત આવવાની સંભાવના નથી. પરંતુ હુ એક વાત ભારપુર્વક કહેવા માંગુ છું. એવું દેખાઈ રહ્યુ છે કે આપણા લોકો થોડા નિરુત્સાહી થઈ ગયા છે. ચાલો, હવે આપણે ત્રણે આ માટે ઉપવાસ રાખીએ.
બાપુ કહે તમે સાચા છો. પરંતુ આ સમય આવા ઉપવાસ રાખવા માટે યોગ્ય સમય નથી. આ માટે યોગ્ય સમય આવશે, પરંતુ આ યોગ્ય સમય નથી.
વલ્લભભાઈ કહે જો તમે મને મંજુરી આપો તો હુ આ બાબતે ઉપવાસ રાખવા પુરી રીતે સહમત છું.

Sardar Patel and Sarat Chandra Bose - 09-01-1948

સરદાર પટેલ અને મૌલાના વચ્ચે થયેલ અનબન ના કારણે સરદાર પટેલ અને ગાંધીજી વચ્ચે જે ગેરસમજ પેદા થયેલ તે સંદર્ભે  સરદાર પટેલે શરતચંદ્ર બોઝ-કલકત્તા ને તા. ૯ ફેબ્રુઆરી ૧૯૪૬ના રોજ લખેલ પત્ર ખુબ જ મહત્વપુર્ણ છે.

પ્રિય શરત,

મને ટુંડલાથી તમે મોકલેલ ૮ જાન્યુઆરીનો તાર મળ્યો, જેમાં પંજાબની મુલાકાત દરમ્યાન તમારા વિચારો પ્રગટ થયેલ છે. જ્યારે મને તમારો તાર મળ્યો, તો તે સમયે પંજાબ પ્રાંતિય કોંગ્રેસ સમિતિના એક મુખ્ય સદસ્ય હાજર હતા અને આ બાબતે વિસ્તારથી વિચારવિમર્શ કરી રહ્યા હતા. મે તમારા વિચારો બાબતે તેમને સલાહસુચન કર્યા. જ્યા સુધી નાણાકિય જરૂરિયાતો નો સંબંધ છે, તે બાબતે સહમતિ નથી થયેલ અને મે તેમને કહ્યુ કે તેઓ કોઈ સહાયતા જોઈએ તો તે બધાએ સાથે મળીને એક સહમતિ થવી જોઈએ.

બીજી બે અન્ય બાબતો છે, જે વિષે મારે તમારી સાથે સમજવી છે. પહલી શમસુદ્દિન વિષે છે, જેના વિષે જાણકારી મળી છે કે તેઓ લીગમાં શામિલ થઈ ગયા છે. જે બાબતે પાછળથી સમાચાર પત્રોમાં પણ પ્રકાશિત થયેલ છે કે તેમના સામે એક બેંકમાં ગેરરીતી આચરવા બાબતે વોરંટ જાહેર થયેલ છે. આ બહુ આશ્ચર્યજનક છે.

મને જાણકારી મળી છે કે મૌલાના ઈચ્છે છે કે શમ્સુદ્દિનની જગ્યાએ અશરફુદ્દિન પ્રભારી બને અને તેઓ તેમને નાણાકીય બાબતોમાં પુરી આઝાદી આપવા માંગે છે. તમને આ વ્યક્તિ માટે ખાતરી નથી અને તમે તેમની ઉપર વિશ્વાસ નથી કરતા, એટલા માટે તમને સભ્ય ચુંટવાની કમિટીમાંથી હટાવવામાં આવ્યા. તે એક કોંગ્રેસી છે તો તેઓ એક સ્વતંત્ર મુસ્લિમ કમિટીની રચના શા માટે કરવા માંગે છે? એવું પ્રતિત થાય છે કે તેઓ એક સ્વતંત્ર સંસ્થાની એટલા માટે સ્થાપના કરવા માંગે છે, કે જેથી તેઓ પોતાની મનમાની કરી શકે, સ્થિતિને પોતાના કાબુમાં કરવાની કોશિષ કરી રહ્યા છે. પ્રફુલ્લબાબુ આ વ્યવસ્થાથી સંતુષ્ટ નથી અને નથી સીતારામ સેકસરિયા પણ. મૌલાનાની ઈચ્છા છે કે તમારી સમિતિ તેમને ખુબ મોટી માત્રામાં ધન આપે, પરંતુ આ બન્ને આ માટે તૈયાર નથી, જેના કારણે નિર્ણય નથી કરાયો.

તે પછી, મને મૌલાનાનો એક પત્ર મળ્યો, જેમા તેમણે શિકાયત કરી કે મે કલકત્તામાં તેમની સાથે ચર્ચા કર્યા વગર તેમની ગેરહાજરીમાં જાતે જ નાણાકીય સમિતીની રચના કરી અને તેથી તેઓ મુસલમાનોની ચુંટણી બાબતે તેમની યોજના અનુસાર કામ નથી કરી શકતા. આથી જ તેઓ કહે છે કે મામલો બગડે તો તેઓ જવાબદાર નથી. મે તેમને આ બાબતે લખ્યુ છે કે મને એક અલગ નાણાકીય સમિતિ બનાવવા બાબતે કોઈ જ જાણકારી નથી અને મે આ બાબતે કાંઈ સાંભળ્યુ પણ નથી. આ બધુ શુ ચાલે છે તે હું સમજતો નથી. જો તમારી પાસે કોઈ જાણકારી હોય, તો મહેરબાની કરી મને જાણાવો.

તેમણે મને કલકત્તાથી તાર મોકલેલ કે હું સીતારામ ને એક લાખ રૂપિયા મોકલુ અને મે આ બાબતે વ્યવસ્થા કરી દીધી છે.

જો તમે સાવધાન નહી રહો, તો કેંદ્રિય એસેમ્બલીની ચુંટણીનો અનુભવ ફરી થશે અને જો આપણે શમસુદ્દિન અને અશરફુદ્દિન જેવા લોકો સાથે સોદો કરવો પડશે તો ભગવાન જ આપણી સહાયતા કરશે!

તમારે આંતરિયાળ વિસ્તારોમાં જરૂર જવુ જોઈએ, કે જ્યા મુસ્લિમ ચુંટણીઓ માટે જે જીલ્લાઓ આપણા માટે અનુકુળ છે અને સાથે સાથે જે રિપોર્ટ મળે છે, તે સાચા છે કે નહી તેની પણ ખાતરી કરવી.

આજે મૌલાનાનો એક તાર મળ્યો, જેમાં જણાવ્યું છે કે સમિતિની મીટીંગની તારીખ ૧૯ની જગ્યાએ બદલીને ૧૬ કરી રહ્યા છે. તેમણે તારીખ બદલવા માટે કોઈની સલાહ નથી લીધેલ અને જાતેજ આ નિર્ણય લીધેલ છે. તમે મને લખ્યુ હતુ કે તમારે પ્રસ્તાવ મંજુર કરવા માટે તા. ૧૬ સુધી બેસવુ પડશે. એટલે, હુ નથી જાણતો કે તમે ૧૬મી એ દિલ્હી આવી શકશો કે નહી.

મને આશા છે કે તમે તંદુરસ્ત હશો.

આપનો
વલ્લભભાઈ પટેલ.


ફોટો સૌજન્ય : વીકીપીડીયા તથા ફોટો ડીવિઝન - ભારત

Sardar Patel and Secularism

Sardar Patel and Secularism

સરદાર જ્યાં સુધી જીવતા રહ્યાં ત્યાં સુધી ભારતની અખંડિતતા અને એકતાને બચાવવા જે કાંઈ કરવું પડે તે દરેક કાર્ય કર્યા. ભારત વિભાજનનો નિર્ણય હકીકતમાં અયોગ્ય હતો અને તેઓ આ આઘાતમાંથી પોતાના અંતિમસમય સુધી બહાર આવી ન શક્યા. તેમને લાગ્યું કે આપણે એક અને અવિભાજીત છીએ તે જ વાસ્તવિકતા ભાગલાથી નષ્ટ થઈ જશે. “સમુદ્ર કે નદીઓના ક્યારેય ભાગ પાડી શકાય નહી. જ્યાં સુધી મુસ્લિમોનો સવાલ છે, તો તેઓના મૂળ, તેઓના પવિત્ર સ્થાનો અને ધાર્મિક સ્થળો અહીંજ છે. મને નથી ખબર કે તેઓ પાકિસ્તાન જઈને શું કરશે.”
Dargah Khwaja Nizamuddin New Delhi

વિભાજન પછી પણ સરદારે કહ્યું કે “મને સાંભરે છે કે કઈ રીતે વર્ષોની યાતના ભોગવીને લાંબી લડત આપ્યા બાદ ભારતે વિદેશી શાસનના પાયા હલાવી દઈને સ્વાતંત્ર મેળવ્યું છે. અમે સહુ જેમણે આ સંગ્રામમાં હિસ્સો લીધો તેમણે એવા વિચાર સાથે ભાગ લીધો હતો કે સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ, ભારતમાં એક સારી સરકાર સત્તાસ્થાને આવશે. જ્યારે અમે ભાગલાનો સ્વીકાર કર્યો, ત્યારે એવી સનિષ્ઠ ઈચ્છાથી કરેલો કે કદાચ તેમ કરવાથી પ્રગતિને અશક્ય બનાવી દેનાર બાબતોથી અવરોધ પામ્યા વિના બન્ને દેશ પોતપોતાની રીતે મુક્તપણે વિકાસ સાધી શકશે. તેની સાથોસાથ, પાકિસ્તાનને અમે શુભેચ્છાઓ પાઠવી હતી અને અમે આશા સેવતા હતા કે પરિસ્થિતિ થાળે પડતાં, જ્યારે તેઓને એમ ખ્યાલ આવે કે આપણે ખરેખર ભાઈઓ છીએ અને ભિન્ન ધાર્મિક વિચારો અને આદર્શોમાં વહેંચાયેલા બે અલગ રાષ્ટ્રો નથી, ત્યારે તેઓ આપણી પાસે પાછા ફરશે.”

NIZAMUDDIN, NEW DELHI
સરદાર હંમેશા કટ્ટરવાદીઓના વિરોધી રહ્યા એ ભલે પછી હિંદુ હોય કે મુસલમાન તેમના માટે કટ્ટરવાદી એટલે બધા સરખા અને દરેક કટ્ટરવાદીઓ કે જેઓએ દેશની શાંતિ ડહોડવાનો પ્રયાસ કર્યો તેનો હંમેશા તેમણે પુરા જોશથી વિરોધ કર્યો. ધર્મઝનૂની હિંદુઓનો શિકાર બનેલા નિર્દોષ અને નિરાધાર મુસ્લિમોને રક્ષણ આપવામાં નિષ્ફળ ગયેલા સરકારી અને પોલીસ અધિકારીઓને પાછળ પડી જઈને સરદારે કામે લગાડ્યા હોય તેવા તો અનેક કિસ્સાઓ છે. વી. શંકરેની નોધ મુજબ દિલ્હીમાં નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પર જ્યારે તોફાનીઓએ કબ્જો જમાવ્યો ત્યારે તેને બચાવવા સરદાર પોતે ખભે શાલ વીટાળીને પોતાના મદદનીશને કહ્યુ કે, 
સંતનો પ્રકોપ આપણા પર ઊતરે તે પહેલાં જ આપણે એમની પાસે જઈએ.
એમ કહી તેઓ દરગાહ પહોચ્યા હતા. આ પવિત્ર દરગાહ ફરતે તેમણે પૂજ્યભાવ સાથે સઘળું જાતે નિરીક્ષણ કર્યું, આસપાસના લોકો પાસેથી જરૂરી પૂછપરછ કરી ફરજ પરના પોલીસ અધિકારીઓને કડક શબ્દોમાં સાબદા કર્યા કે જો કાંઈ પણ વધુ ગરબડ થઈ તો તેમને ફારેગ કરવામાં આવશે, દરગાહ પર આશરે એકાદ કલાક ગાળ્યો.

સૌજન્ય : સરદાર પટેલ અને ભારતિય મુસલમાનો
ફોટો સૌજન્ય : ફોટો ડીવિઝન - ભારત સરકાર

Appeal issued by Sardar Patel & Nehru

ALL INDIA CONGRESS PARLIAMENTARY COMMITTEE

Appeal issued by Sardar Patel & Nehru

Congress House, Bombay
Dt. 8th October 1936

The following appeal has been issued by Pandit Jawaharlal Nehru – President – Indian National Congress, and Sardar Vallabhbhai Patel – President – All India Congress Parliamentary Committee:

“In the election manifesto the Congress has stated its general policy and programme and appealed to the nation to support it in the coming elections. The appeal has been confidently addressed to all classes of our people who stand for the complete freedom of our country. On that fundamental basis, the Congress offers a national platform to our countrymen and a united front against the forces that work for the continued domination and exploitation of India. In this national campaign, the Congress expects the willing co-operation and help of all; each giving that help according to his capacity. Ours is a mass organization and it derives its strength from the mass of the people and it relies on them for support. It is also on this broad popular basis that we desire to fight the elections. The preliminary work of setting up the machinery for organizing these elections and for setting up proper candidates on behalf of the Congress has been completed. But we have to approach over three million voters and contest about 1500 seats in constituencies spread over the vast country from one end to the other. It is a huge task and for this purpose, our organizations will require money. For the general propaganda of the Congress alone, we will require large sums of money. Besides, it will be necessary to give financial help to some candidates who cannot bear their expenses particularly those of the Scheduled and Backward Classes and to areas suffering from starvation and scarcity due to natural calamities or other causes. Those who are in a position to meet their expenses are expected to do so.

To our people, therefore, we appeal to subscribe to the election funds of the Congress, so that the message of the Congress may reach each voter and the remotest corner of our vast country, and the success of the Congress at the elections be otherwise assured.

We suggest for this purpose that a special fortnight be devoted to this work all over India, to the collection of funds for the elections and to the broadcasting of the Congress message. We fix the fortnight beginning from November First, 1936 for this purpose. All Provincial Committees should make arrangements through their subordinate Committees and otherwise, for these collections to be made on the widest scale during the first half of November. With these collections must always go the message of the Congress, of Indian freedom, of the ending of our exploitation. Thus we shall build up our campaign on the solid and enduring basis of popular support.”

Jawaharlal Nehru
Vallabhbhai Patel

Reference: The Selected Works of Maulana Abul Kalam Azad

Stoned in Vadodara and Sardar Patel

Stoned in Vadodara and Sardar Patel

સરદાર પટેલ ની વડોદરાની સભામાં થયેલ ધમાલ

૨૦મી જાન્યુઆરી ૧૯૩૯ના દિવસે સરદારશ્રીના માનમાં વડોદરામાં જે સરઘસ નીકળ્યું હતુ તે ઉપર ગુંડાઓને રોકીને પથરા ફેંકાયા હતા. ગુંડાઓએ તો સભા મંડપ પણ બાળી નાખ્યો હતો. આથી સરદારશ્રીની સભા બીજા દિવસે અલકાપુરીમાં થઈ. તે સભા પુરી થતા જ રાજ્યે રોકી રાખેલા ગુંડાઓ તોફાને ચડ્યા હતા. તે રાત્રે કોઈ અજાણ્યા માણસે એક વિદ્યાર્થીનું ખંજર મારીને ખૂન કર્યું હતુ. આ ખૂનને કોમી રંગ લાવવાનો પ્રયાસ થયો અને સતત ત્રણ દિવસ સુધી તોફાનો ચાલુ રહ્યા હતા. લોકો પર છડેચોક હુમલાઓ થયા પણ રાજયની પોલીસે આ તોફાનો કાબૂમાં લેવા કોઈ પ્રયત્ન કર્યો ન હતો. આ તોફાનોની બાબતમાં તપાસ કરવા માટે રાજ્ય સરકારે તા. ૬ઠ્ઠી એપ્રિલ ૧૯૩૯ના રોજ એક કમિટી નીમી હતી. પરંતુ જે માણસોની દોરવણીથી આ તોફાનો થયા હતા તેમાથી કેટલાક કહેવાતા મોભાદાર માણસોએ દિલગીરી પ્રદર્શિત કરી હતી અને તપાસનું કામ આગળ ન ચલાવવા માટે વિનંતી કરી હતી. વાસ્તવિક રીતે વડોદરા રાજ્યના હાથ જ આમાં વધારે ખરડાયેલા હતા. એટલે આ પ્રકરણમાં ભીનું સંકેલવામાં આવ્યુ. આ પ્રસંગ સમયનો સરદાર સાહેબે બારડોલીથી મગનભાઈ શંકરભાઈ પટેલને લખેલ પત્ર વાંચવા જેવો ખરો.

તા. ૨૨-૦૧-૧૯૩૯
ભાઈ મગનભાઈ,

આજે પશાભાઈ પટેલને ટેલિફોન કરી ખબર કાઢ્યા ત્યારે જાણ્યું કે પેલો દીવાન સાહેબના બંગલા આગળ ઘાયલ થઈ મરી ગયેલો માણસ ગુજરાતી નહી પણ મહારાષ્ટ્રીયન હતો. આપણે જીતેલો દાવ હારવા જેવુ કાંઈક થયુ. એ શાથી અને કોનાથી મર્યો તે તો હવએ કેમ ખબર પડે? દીવનસાહેબ સુલેહશાંતિથી સભા બોલાવવા માંગે છે. ત્યાં સભ્યતાથી અને હિંમતથી ગુજરાતીઓની સલામતી નથી એવી વાત કરવી જોઈએ. જે રીતે પોલીસે વર્તન ચલાવ્યું અને જે રીતે આટલાં આટલાં તોફાનો જોયા કર્યા એ બધુ જોતા સુલેહની સભા બોલાવવા અંગે કોઈને કહેવાનું હોય તો તે ગુજરાતીઓને નહી. એ તો ચોર કોટવાળને દંડે એવુ થાય. એ બધુ દ્રઢતાથી કહેવું જોઈએ. 
જે મરી ગયો એને ગુજારાતીઓએ માર્યો એવું માનવાને કશું કારણ નથી. તોફાન કરનારાઓએ રાત્રે અંધારે ભૂલ કરી હોય અને ગુજરાતી જાણી માર્યો હોય એ બને. વળી જતા આવતા બહારના જેને પરિષદ સાથે કોઈ લેવા દેવા નથી તેવા સૌને રોકીને મારતા, લૂંટતા અને સતાવતા હતા. તેમાં કોમી ઝેર ફેલાવવાનો પ્રયત્ન કરનારાઓને રોકવા જોઈએ અને નહી રોકે તો એની જવાબદારી રહે. આપણા માણસોએ આ મરણથી ડરી જવુ ન જોઈએ. પણ સભ્યતા અને મક્કમતાથી જવાબ આપવા જોઈએ. પ્રજામંડળની ચાલતી બંધારણપુર્વક પ્રવૃતિઓ વિષે કાંઈ ઈશારો થાય તો એ સંબંધે સંભાળીને ઠીક જવાબ આપવા જોઈએ.

મને ખબર લખતા રહેજો.

લિ.
વલ્લભભાઈના વંદે માતરમ

Sardar Patel and Jayantilal Amin

Sardar Patel and Jayantilal Amin

જયંતિલાલ અમીનનો પશ્ચાતાપયુક્ત પત્ર અને સરદાર પટેલનો જવાબ

જયંતિલાલ અમીનનો તા : ૨૫-૧૧-૧૯૩૮ના રોજનો સરદારશ્રીને લખેલ પત્ર
પુજ્ય બાપુ,

આ પત્ર લખતાં પણ શરમાઉ છું કારણ કે કોઈ ગ્રહદશાના બળે આપના સંબંધમાં મારાથી એક એવું અપકૃત્ય થયુ છે કે હું આપની દયાને પાત્ર નથી રહ્યો. મે મારી ઊગતી જુવાનીથી આજ સુધી આપને દેવ તરીકે પૂજ્યા છે. આપના પ્રત્યે મારી કેવી લાગણી છે તે મે બારડોલી પ્રસંગના પાટીદાર માનપત્રમાં ઠાલવી છે.

આજે આપ માનશો નહી છતાં કેવલ પ્રભુ સાક્ષી છે કે મારે હાથે આપના સંબંધમાં જે જે અપકૃત્યો થયા છે તે કેવળ મારી મરજી વિરુધ્ધ થયાં છે. છેલ્લાં બે વર્ષથી હું પશ્ચ્યાતાપના જે અગ્નિમાં બળી રહ્યો છુ એની પીડા કેવળ મારુ હ્રદય સમજી શકે છે. મારી  જીવનસંધ્યાને આરે હું સર્વનાશ્ને આરે ઊભો છું ત્યારે મારા દિલમાં એક જ ઈચ્છા ઘર કરી રહી છે કે આપને ચરણે પડીને આપની ક્ષમા માગી લેવી. એક જ વખત આપ આપની સમક્ષ આવવાની આજ્ઞા આપો અને સ્વમુખે “તને ક્શમા આપી” એમ સંભળાવો ત્યારે જ મને શાંતિ વળશે.

ન ધારેલું અને ન થવાનું મારે હાથે થઈ ગયું છે. છેલ્લા બે વરસ દરમ્યાન મે ઘણું સહન કર્યુ છે. પત્ની ગુમાવી, ધંધો ગુમાવ્યો, પ્રતિષ્ઠા ગુમાવી અને શરીરસંપંતિ પણ ગુમાવી છે. મને તેનુ કાંઈ નથી. મે તેને પ્રભુએ દિધેલ શિક્ષા તરીકે માની છે. અને હજીયે વેઠવુ પડે તે હસ્તે મુખે વેઠવા તૈયાર છું. પણ આપની સન્મુખ આવીને માફી માગવાની અને મેળવવાની જીવનની એક જ આકાંક્ષા રહી છે.

છેલ્લા બે વર્ષથી મે જે સાંભળ્યુ છે, જાણ્યુ છે અને જોયુ છે તે ઉપરથી હંમેશા મને લાગ્યું છે કે મારી બધી મૂર્ખાઈ છતાં પણ આપના હ્રદયમાં મારે માટે દયાની લાગણી રહી છે અને તેથી જ્યારે જ્યારે કોર્ટમાં આપનો સામનો કરવો પડ્યો છે ત્યારે ત્યારે મને અપાર દુ:ખ થયું છે.

આથી આપના ફુરસદના સમયે આપની સમક્ષ આવવાની આજ્ઞા કરશો તો મારા હ્રદયને શાંતિ થશે.

એક પુત્ર પિતાની સમક્ષ ગમે તે સમયે આવી શકે છે તે હું જાણું છુ. હું પણ આપનો પુત્ર જેવો છું. એક પિતા ગેરરસ્તે ચડેલા પુત્ર પર પણ દયાની લાગણી રાખે છે અને એવી લાગણી સિવાય મારી આપને કશી વિનંતી નથી.

આપનો આજ્ઞાંકિત,
જયંતીલાલ અમીનના પ્રણામ.

સરદાર પટેલનો તા: ૨૮-૧૧-૧૯૩૮ના રોજનો જયંતીલાલ અમીનને લખેલ પત્ર

ભાઈ જયંતીલાલ,

તમારો તા. ૨૫-૧૧-૧૯૩૮નો કાગળ મળ્યો. છેલ્લા બે ત્રણ વર્ષથી તમારુ વર્તન હું મુદ્દલ સમજી શક્યો નથી. તમારા દિલમાં ખરેખર પસ્તાવો થયો હોય તો ગઈગુજરી વિસરી જઈ નવેસરથી તમારું જીવન શરુ કરી શકો છો. માણસ ભૂલને પાત્ર છે. પણ જેને ભૂલનું ભાન થાય છે. અને ભૂલ સુધારવાનો નિશ્ચય કરે છે તેને ઈશ્વર સાથ આપે છે.

તમારા ઉપર જે વીતી તે માટે તમારા પ્રત્યે દયાભાવ સિવાય શું હોઈ શકે? મને રોષ રાખવાની ટેવ નથી.

પાપનો પશ્ચ્યાતાપ એજ માણસને સત્ય માર્ગ દોરી શકે છે. કોઈ વખતે નવરો હોઈશ ત્યારે મળી શક્શો.

લિ.
વલ્લભભાઈના વંદે માતરમ
© all rights reserved
SardarPatel.in