December 2019 | Vithalbhai Patel, Sardar Patel

સરદાર જ્યોત - લોક સેવા ટ્રસ્ટ - Sardar Jyot

સરદાર જ્યોત - લોક સેવા ટ્રસ્ટ


લોક સેવા ટ્રસ્ટ દ્વારા દ્વિ-માસિક પત્રિકા જેમાંં  સરદાર સાહેબના વિચારો પ્રદર્શીત કરાય છે. સરદાર સાહેબના વિચારોને જાહેર જનતા સુધી પહોચડવા માટે કરાતી પ્રવૃત્તિઓનો એક અંશ છે. જે કોઈ પણ સરદાર સાહેબના સંદેશાઓ જનતા સુધી પહોચાડે તેઓને શોધીને અમે સરદાર પટેલની વેબસાઈટ દ્વારા જાહેર કરવાનો એક પ્રયાસ કરીએ છીએ જેથી દેશ અને સમાજને આની જાણકારી મળતી રહે અને આવી પ્રવૃત્તિ કરનારાઓને પ્રોત્સાહન મળતુંં રહે. - જય વલ્લભ વિઠ્ઠલ  


Naman Ho Darbar Gopaldas, Bhaktiba & Vandan Ho Sardar Patel


Naman Ho Darbar Gopaldas, Bhaktiba & Vandan Ho Sardar Patel


આજે દરબાર ગોપાળદાસના જન્મદિવસે આજે વડોદરા રાજ્ય પ્રજા મંડળના પ્રમુખ શ્રી ચુનીલાલ પુ. શાહે તા. ૨૫-૫-૧૯૪૭ના રોજ સંદેશમાં દરબાર ગોપાળદાસ વિષે લખેલ લેખ વાગોળવાનું જરૂરી લાગ્યુ.

ત્યાગ અને બલિદાન આપનાર દરબારશ્રીને અમારા હજારો હજારો નમન છે.

જ્યારે ગુલામીના ચીન્હો રાખવા કે ન રાખવા એ પ્રશ્ન બળવાખોર દરબાર સાહેબના મગજમાં તરતો હતો. અને પોતાની ગાદીને લાત મારવી પણ પોતાના આત્માને સ્વતંત્ર રાખવો એમાં જ માનવતા છે તે વાત દરબારશ્રીને લાગતા શ્રી ભક્તિબાની સહર્ષ અનુમતિ મળતા તરત જ ગાદી છોડી દીધી. અને એ બનાવે હિંદ અને ખાસ કરીને ગુજરાતના રાષ્ટ્રિયતાના પગલાને એક કદમ આગળ ધપાવ્યું. સૌના મનમાં તે વખતે એક જ પોકાર હતો. ધન્ય છે દરબાર સાહેબને ! ધન્ય છે ભક્તિબાને ! ગાદીથી મળતા લાભ, ગાદીથી મળતા સુખ, ગાદીથી મળતા એશઆરામ, ગાદીથી મળતી પ્રતિષ્ઠા એ સૌને તેમણે તિલાંજલી આપી અને સામાન્ય માણસ તે બની ગયાં, રાજારાણી મટી ગયાં, પણ સામાન્ય સેવક અને સેવિકા થઈ ગયાં.

તેમના વીરલ ત્યાગ અને ભવ્ય બલિદાનની છાપ પ્રજાના દિલમાં અંકાઈ ગઈ. આજે ગોપાળદાસ તરીકે પ્રજા તેમને નથી ઓળખતી. દરબાર સાહેબનું નામ દેતાં ગમે તેવો પ્રજાજન હોય, સામાન્ય માણસ હોય, કે રાષ્ટ્રિય માણસ હોય, પણ તેનું માથુ નીચું નમે છે. અને જાણે અજાણે તેમના ભોગ અને ત્યાગની દીલમાં કદર કરે છે. ગાદી છોડીએ ૨૫ વર્ષ થયા છતાં જાણે કાલે સવારે જ દરબારશ્રી એ ગાદી છોડી હોય તેમ લાગ્યા કરે છે. આપણૅઅ દેશને સ્વતંત્ર બનાવવાની ભાવનાથી જ્યારે પ્રજાના ઘણા મોટા ભાગના કાર્યકર્તા જરા ભોગ આપતા જાણે ખુબ ભોગ આપી દીધો છે અને ભોગના પાટીયા પોતાના કપાળમાં લગાડીને ફરે છે, ત્યારે દ્રબારશ્રી અને ભક્તિબાએ જાણે કાંઈપણ ભોગ આપ્યો હોય તેમ જાણવા દીધુ નથી. તેમની જોડે વાતમાં તેમના નીકટના માણસો જોડે ચર્ચામાં ગાદી છોડવાથી આટલું સહન કરવું પડ્યું તેવું બોલ્યાની વાત પણ કોઈએ સાંભળી નથી. આ બલીદાનથી તેઓ વધારે મોટા અને ભવ્ય બન્યા હતા. દરબારશ્રી જોડે મારે ઘણો લાંબા વખતનો પરીચય હોવા છતાં મને યાદ નથી કે આ ત્યાગ માટે એક નીસાસો કે દીલગીરી કોઈપણ ઘડીએ વ્યક્ત કરી હોય અથવા પ્રજા નગુણી કે બેકદર છે, તેવું તેમને લાગ્યું હોય. ત્યાગ હોજો તો આવો હોજો ! ભોગ આપ્યો હોય તો આવો હોય ! બલીદાનની જ્વાળા જોવી હોય તો આવો અમારા દરબારશ્રી પાસે અને વધારે જાણવું હોય તો આવો અમારા પુજ્ય ભક્તિબા પાસે ! દરબારશ્રી તો ભોગ આપી શકે પણ ભક્તિબાનો સાથ સહકાર હુંફ ન હોય તો દરબારશ્રી પણ લાચાર બને! પણ એ વિરાંગના ભક્તિબાએ સામાન્ય સ્ત્રી જાતી પ્રિય સત્તા શોખ અને વૈભવ સામુ પણ ન જોયુ. જોયુ તો મહાત્મા ગાંધીજી અને સરદાર તરફ, જોયું પોતાના હિંદ તરફ, જોયુ પોતાના વતન ગુજરાત તરફ અને પોતાના ગુજરાતને આવા બલીદાનથી દેશમાં મોખરે આણ્યો. રાણીઓતો ઘણીએ જોઈ છે. પણ દીલમાં જો રાણી તરીકેની મહત્તા અને માન અમારા દીલમાં કોતરી રહ્યા હોય તો તે ભક્તીબા માટે !

સરદારશ્રીના દિલમાં વસેલા દરબાર ગોપાળદાસ અને ભક્તિબા



પ્રજા સર્વ ભુલી ગઈ હતી. ગાદી હતી કે કેમ તે વિચારણા પણ રહી ન હતી. પચીસ વર્ષથી સામાન્ય માણસ તરીકે જીવન ગુજારતા આ યશસ્વી દંપતી અમારામાંના એક વહાલસોયા બની ગયા હતા. છતાં એ ત્યાગની વાત એક મહાન પુરુષ ન ભુલ્યા. અને તે પુરુષ હતા ગુજરાતના નુર સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતના મહાન લડવૈયા, હિંદના રાજદ્વારી, વજ્ર જેવા દેખાતા છતાં ફુલ જેવા નાજુક દિલના મહાનુભાવ ભોગ આપનારે સહર્ષે ભોગ આપવો જોઈએ, ભોગ અને બલીદાન નિષ્કામપણે આનંદથી તે આપવા જોઈએ, તે કદર માંગતો નથી, માન માંગતો નથી. પોતાના ભોગનો તેને વિચાર આવતો નથી. અરે એટલું જ નહી પણ જાણે પોતાની ફરજ બજાવવામાં જે આનંદ થવો જોઈએ તે તેને થવો જોઈએ. આ બધુ સાચુ છે અને એ પ્રમાણે આદર્શ બલીદાન દરબાર સાહેબ અને ભક્તિબાએ આપ્યું છે અને પચાવ્યું છે. જેમણે તેમની ફરજ બજાવી પણ તે તો એક બાજુનું કર્તવ્ય ગણાય પણ જે ભોગ માગે તેની ફરજ એકલો ભોગ માંગવાથી નથી અટકતો તેની ફરજ તો એ છે કે એ ભોગ આપનારને એ વસ્તુ પાછી મળે તે કરવી જોઈએ અને સરદારશ્રી આખો દિવસ તેનુ ચિંતન કરતા હતા.

ગુજરાતના ખેડુતોએ દેશને કાજે જમીનો છોડી અને તે જમીનો બારણાં ઠોકતી પાછી આવી હતી જમીનો પાછી આપવાનું કામ મહાસભાએ હંમેશા જ્યારે જ્યારે શક્તિ આવે ત્યારે ભોગ આપનારને તે પાછી મળે તેવું કરતી હતી. નોકરી છોડનારને નોકરી મળે. મિલ્કત ગુમાવનારને મિલ્કત પાછી મળે, અને આજે ગુજરાતની પ્રજા સહર્ષે જોઈ શકે છે કે પચીસ વર્ષે દરબારશ્રીને ગાદી પાછી મળે છે. એમાં સૌ કોઈ સમજી શકે છે કે સરદારશ્રીનો તેમાં હાથ છે અને આજે ગુજરાત અરે આખુ હિંદ જોઈ શકે છે કે રાષ્ટ્રે ભોગ માંગ્યો ખરો, ભોગ લીધો અને રાષ્ટ્રે તે ગાદી પાછી આપીને પોતાનો ધર્મ બજાવ્યો ખરો.

એક વાત તો સમજવી જ રહી કે જે રાષ્ટ્ર ભોગ માંગે છે તે રાષ્ટ્રના કાર્યકર્તાઓ, સંસ્થાના મુખ્ય સંચાલકોની ફરજ છે કે એ ભોગ નકામો ન જાય તે જુવે, હંમેશા ધુરંધર કાર્યકર્તાઓએ પોતાના હજારો કામોની અંદર એક વસ્તુ ગોખી રાખવી જોઈએ કે તેમણે ચલાવેલી હીલચાલને સફળ બનાવવા ભોગ અને ત્યાગ આપવાનું મોજુ ઉછળી રહે છે. અને હજારો પતંગીયાની માફક જાન ગુમાવવા કુદી પડે છે. છ્ગા એ ભોગ અને ત્યાગ કરનારના કુટુંબો જરૂર માને છે કે જ્યારે તે હીલચાલ સફળ થયેલી હશે ત્યારે ત્યાગ અને ભોગ કરનારને જેટલી રાહત આપી શકાય તેટલી આપ્યા વગર નહી રહે. તે ભોગ અને ત્યાગ કરનાર તો જુના જમાનામાં ભલે બહારવટીઆ ગણાતા હોય પણ જ્યારે રાષ્ટ્રીય હિલચાલ સફળ થશે ત્યારે એ બહારવટીઆ મટી જશે. અને પ્રજારત્નો બનશે. અને તેમની જે જાતની કદર કરી શકાય તે કરી લેશે. આ પ્રમાણે બન્ને પક્ષ જ્યારે યશસ્વી રીતે કામ કરે છે ત્યારે જ પ્રજા આગળને આગળ ધપતી રહે છે, મારો હાથ પકડનાર કોઈ છે. મારી ચિંતા કરનાર કોઈ વર્ગ છે તેવુ લાગે છે આજે સર્વ ગુજરાતને પુજ્ય સરદારશ્રી માટે તેવું માન છે અને સરદારશ્રીએ દરબારશ્રીને ગાદી પાછી અપાવીનેએ ત્યાગના ઉપર સોનેરી કળશ ચડાવ્યો છે. સરદારશ્રીએ પોતાનું પાણી બતાવ્યું છે.

નમન હો ! વંદન હો !
ત્યાગ અને બલિદાન આપનાર દરબારશ્રી તથા ભક્તિબાને અમાર હજારો હજારો નમન છે ! તે ભોગની કદર જાણનાર સરદારશ્રીને અમાર હજારો હજારો વંદન છે. !

WHY I FOLLOWED GANDHIJI - SARDAR PATEL

WHY I FOLLOWED GANDHIJI


Many call me a blind devotee of Gandhiji. I wish that in fact I had the strength to become his blind devotee but that, alas is not the case. I claim to have average intelligence and understanding. I have seen something of the world, so it is not likely that I would follow this half-naked person like a mad man or without any understanding. I was a member of profession in which I could perhaps have become rich by misleading many, but I gave up the profession, for I learnt from this man that that was not the way in which I could do good to the peasants. I have been with him almost since he came to India, and so long as I live and he lives, that relationship will continue. Even so, I keep him away from my work. We are not likely to regain our capacity for initiative and independent action, if we merely look to him for leadership and wait for his guidance. How can we hope to achieve anything if we are always dependent upon assistance from someone? When he was ill in Mysore, many people sent him telegraphs urging him to come to Gujarat for flood-relief work. He enquired of me whether he should. I told him that for ten years he had been advising Gujarat, and that if he wished to see whether Gujarat had assimilated his advice, he should not come to Gujarat. In the same way, I told him to go to Bardoli only after I was arrested. Our chief defect is lack of discipline and organization. We do not know how to be soldiers. We have not accustomed ourselves to carrying out orders. In this age of individual liberty, we have mistaken licence for liberty.

The Commemorative Volume - Maniben V. Patel





ઘણા મને ગાંધીજીનો અંધ ભક્ત કહે છે. હું ઈચ્છું છું કે હકીકતમાં મને તેમના અંધ ભક્ત બનવાની શક્તિ મળે, પરંતુ અફસોસ તેવુ નથી. હું મારી પાસે સરેરાશ બુધ્ધિ અને સમજ હોવાનો દાવો કરું છું. મે દુનિયા જોઈ છે, અને તેથી આ સંભવ નથી કે હું આ અર્ધ નગ્ન વ્યક્તિને પાગલ માણસની જેમ અથવા કોઈ સમજણ વગર અનુસરુ. હું એવા વ્યવસાયનો સભ્ય હતો કે જેમાં કદાચ હુ ઘણાને ગેરમાર્ગે દોરી હું શ્રીમંત બની શક્યો હોત, પરંતુ મે આ વ્યવસાય છોડી દીધો, કારણકે મે આ માણસ પાસેથી જાણ્યુ કે આ એ રસ્તો નથી જેના થકી હું ખેડુતોનું ભલુ કરી શકુ. તેઓ ભારતમાં આવ્યા ત્યારથી જ હું તેમની સાથે રહ્યો છું, અને જ્યાં સુધી હું જીવીશ અને તે જીવે ત્યાં સુધી આ સંબંધ રહેશે. તેમ છતાં હું તેમને મારા કામથી દૂર રાખું છું. જો આપણે ફક્ત નેતૃત્વ માટે તેમની તરફ ધ્યાન રાખીએ તો આપણે પહેલ અને સ્વતંત્ર કાર્યવાહીની ક્ષમતા ફરીથી મેળવી શકીશું નહી આ માટે તેમના માર્ગદર્શનની જ રાહ જોવી પડે. આપણે હંમેશા કોઈની સહાયતા પર નિર્ભર હોઈએ તો આપણે કાંઈ પણ પ્રાપ્ત કરવાની આશા રાખી શકીએ? જ્યારે તેઓ મૈસુરમાં બીમાર હતા, ત્યારે ઘણા લોકોએ તેમને ટેલીગ્રામ મોકલી વિનંતી કરી કે તેઓએ પૂર-રાહત કાર્ય માટે ગુજરાત આવવું. આથી તેમણે મને પુછ્યુ6 કે શું કરવું જોઈએ? ત્યારે મે કહ્યુ કે દસ વર્ષથી તેઓ ગુજરાતને સલાહ આપે છે, અને જો તેમણે જાણવું હોય કે આ સલાહ મુજબ ગુજરાત અનુસરે છે કે નહી તો તમારે ગુજરાત ન જવુ જોઈએ. આવી જ રીતે મે તેમને કહ્યુ હતુ કે મારી બારડોલીમાં ધરપકડ થાય ત્યાર પછી જ તેમણે બારડોલી આવવું. શિસ્ત અને સંગઠનનો અભાવ એજ આપણી મુખ્ય ખામી છે. સૈનિક કેવી રીતે બનવું તે આપણે નથી જાણતા. આપણે હુકમ આપવા માટે ટેવાયેલ નથી. વ્યક્તિગત સ્વતંત્રતાના આ યુગમાં, સ્વતંત્રની પરવાનગી ભુલ ભરેલ છે. 

The Commemorative Volume - Maniben V. Patel


Vandan Sardar Aapne

Vandan Sardar Aapne


તા. ૧૫-૧૨-૨૦૧૯ આજે સરદાર પટેલની પુણ્યતિથી આજે સરદારને યાદ ન કરીએ અને પુષ્પાંજલી અર્પણ ન કરીએ તો આપણું ગુજરાતી પણુ લાજે, સરદારને આજે આપણે તેમના ભાવનગરમાં કરેલ ભાષણથી યાદ કરીએ. ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીએ જે ભરોસો સરદાર પટેલ પર મુક્યો તે હ્રદયપુર્વક સરાહનીય છે અને પ્રશંસાપાત્ર છે, આ ભરોસો અખંડ ભારતના નિર્માણમાં પાયાની ઈંટ સાબિત થયો અને એક પછી એક સરદાર પટેલે સફળતાપુર્વક દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કર્યુ.

ભાવનગર પ્રજાપરિષદના પાંચમા અધિવેશનમાં ૧૪-મે-૧૯૩૯ના રોજ સૂરાજ્ય નહી પણ સ્વરાજ્ય જોઈએ છીએ – સરદાર વલ્લભભાઈ પટેલનો હુંકાર દેશભરમાં ફેલાયો, તેમના ભાવનગર અધિવેશન સમયે આપેલ ભાષણ સમજવા જેવુ ખરુ. જેના અમુક અંશો આ સાથે રજુ કરેલ છે. 

સરદાર પટેલે પોતાની દીર્ઘદ્રષ્ટીના કારણે વિશ્વમાં ચાલી રહેલ મહાસંગ્રામની અસર સારી રીતે સમજતા હતા, અને આ મહાસંગ્રામનો દાવનળ ભારતને ભરખી ન જાય તે માટે જ તેમણે ભાવનગરમાં પ્રજાપરિષદને ભાષણમાં જણાવ્યુ કે જગતમાં ચોમેર દાવાનળ સળગી રહ્યો છે. એમાંથી આપણો દેશ એકલો કઈ રીતે અલગ રહી શકે? વળી આપણો દેશ પરાધીન હોવાથી કોઈ પણ કારણે મહાસંગ્રામ શરૂ થાય તો તેમાં જોડાવામાં યા તેનાથી અલગ રહેવામાં આપણું હિત કે અહિત રહેલું છે એનો નિર્ણય કરવાની પણ આપણને સ્વતંત્રતા નથી.અને બ્રિટિશ હિંદુસ્તાન વિસ્તૃત મતાધિકાર અને પ્રાંતીય સ્વાયત્તાના સિધ્ધાંતને અનુસરતું નવુ વિધાન અમલમાં મુકાઈ ચુક્યું. આ મર્યાદિત લોકશાસનના અમલમાં પણ પડોશના બ્રિટિશ પ્રાંતોની પ્રજા જે આત્મવિશ્વાસ અને ચેતનના અવનવા સુખનો અનુભવ કરી રહેલ છે તેની અસર દેશી રાજ્યોની પ્રજા ઉપર રોજ પડે છે, આ ખામીવાળા નવા વિધાનનો વિવેકપુર્વક ઉપયોગ કરી દેશની સર્વમાન્ય સંસ્થા કોંગ્રેસે દેશની શક્તિ અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. 

વધુ માં તેમણે જણાવ્યુ કે હરિપુરાની કોંગ્રેસ પહેલાં દેશી રાજ્યોની પ્રજાના દિલમાં કોંગ્રેસની નીતિ વિષે ચોખવટ કરી. અને એ નીતિ ઉપર કોંગ્રેસ આજે પણ કાયમ છે, કોંગ્રેસ રાજાઓનો નાશ નથી ઈચ્છતી, કે નથી તેમની દુશ્મનાવટ ઈચ્છતી. કોંગ્રેસ તો દેશી રાજ્યો સાથે મિત્રતા રાખવા મથે છે, પરંતુ કોંગ્રેસ એ સમસ્ત હિંદુસ્તાનની સંસ્થા છે. અને આખા દેશની આઝાદી પ્રાપ્ત કરવી એજ એનુ ધ્યેય છે. કોંગ્રેસની દ્રષ્ટિ અને નીતિ મુજબ ભારત એક અવિભાજ્ય છે. આથી એનો અમુક ભાગ સ્વતંત્ર અને અમુક ભાગ પરતંત્ર ન હોઈ શકે, જો એમ થાય તો પરસ્પર ભયાનક અથડામણ થયા વિના રહે જ નહી. 

મારી તો રાજામહારાજાઓને અતિશય નમ્રતાપૂર્વક વિનંતી છે કે યોગ્ય અંકુશો સાથે રાજ્ય વહીવટનો ભારપ્રજાને માથે નાખી પોતે પ્રજાનો પ્રગતિમાર્ગ મોકળો કરી આપે, અને પ્રજાના સાચા રક્ષક બની પ્રજાને પ્રગતિ તરફ દોરે અને રાજા પ્રજા વચ્ચેની અથડામણના ભયમાંથી કાયમ માટે નીકળી નિર્ભય બની જાય. પરદેશીઓની ભાગલા પાડીને સત્તા ચલાવવાની નીતિનું અનુકરણ કરી એમાં જ પોતાની સત્તા સલામતી રાજાઓ માની બેઠેલા છે. આવા પ્રતિકૂળ વાતાવરણમાં સત્યાગ્રહને સ્થગિત કરી અંતરદ્રષ્ટિ કરી આત્મનિરીક્ષણમાં અને આપણી ત્રુટીઓ તપાસી લેવામાં થોડો સમય ગાળવાથી દેશી રાજ્યોની પ્રજાને લાભ જ થવાનો છે. 

પ્રજાની લાયકાતની વાતો કરનારાઓએ એકે દિવસ એવો વિચાર કર્યો છે ખરો કે આ દેશમાં છસો જેટલાં રજવાડા છે, તેમાંથી કેટલાના નરેશો પોતાની પ્રજા કરતા વધારે લાયકાત ધરાવનારા છે? શુ રાજકુટુંબમાં જન્મ લેનારા સઘળા લાયકાતના વારસા સાથે જ જન્મે છે? અને જો અનેક રાજાઓમાંથી કેટલાક તો રાજ્ય કરવાને નાલાયક હોવા જ જોઈએ એ વાત કબૂલ હોય તો એવા સંજોગોમાં પ્રજાએ શું કરવુ એનો કાંઈ ઉપાય બતાવશો ખરા! ઈતિહાસ સાક્ષી છે કે જુલ્મી રાજાને પદભ્રષ્ટ કરવાનો અધિકાર અનાદિ કાળથી સ્વીકારેલ છે.

હવે તો એ વખત આવ્યો છે કે જ્યારે આપણે મૂળ મુદ્દાની વસ્તુ ઉપર એક જ ઠરાવ કરવો જોઈએ અને એ ઠરાવનો અમલ જો આપણે કરાવી શકીએ, એટલે કે પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર મળી રહે એવું રાજ બંધારણ આપણે રાજ પાસેથી મેળવી શકીએ, તો પછી બીજા ઠરાવોની બહુ આવશ્યકતા નથી રહેતી.

રાજ્યની મુખ્ય વસ્તી ખેડૂતોની છે. ઘણાંખરાં દેશી રાજ્યોનો ભાર ગામડામાં વસતા ગરીબ ખેડૂતોની કમ્મર ઉપર જ પડે છે. રાજ્ય વહીવટમાં એનો અવાજ નથી. અજ્ઞાન, અભણ અને ભોળો હોવાથી પોતાના હક્કનું કશું ભાન પણ નથી. ભગવાન પર ભરોસો રાખે દરેક દુ:ખનો દોષ કેવળ કિસ્મત ઉપર જ નાખવાની ટેવવાળો હોવાથી એનામાં આત્મવિશ્વાસનો અભાવ આવી ગયો છે. જવાબદાર રાજ્યતંત્ર માંગવાનો કે મેળવવાનો જો કાંઈ પણ અર્થ હોય તો તે તો આ ભુખ અને દુ:ખથી પીડાતા અસંખ્ય હાડપિંજર જેવા, કમરમાંથી વળી ગયેલા દેશી રાજ્યોના દુ:ખી ખેડૂતના દુ:ખ ભાગવાનો અને એનામાં સ્વમાન અને આત્મવિશ્વાસના માનુષી તત્વોનો સંચાર કરાવવાનો જ હોઈ શકે. એ કામ કરવામાં રાજ્ય અને પ્રજા બન્નેનું હિત સમાયેલ છે. 

ભાવનગરના પ્રજાજનોએ જે પ્રેમ અને ઉમંગથી મારૂ સ્વાગત કર્યુ તેને માટે હું સૌનો આભાર માનું છું. આજના દુ”ખદ બનાવથી રોષે ભરાવાનું કે ગભરામણમાં પડવાનું નથી. જેઓએ સરઘસ ઉપર હુમલો કરી નિર્દોષ માણસો ઉપર ઘા કર્યા તેઓએ ભાન ભુલી કેવળ ગાંડપણથી આ કામ કરેલું છે. એમને જ્યારે ભાન આવશે ત્યારે પોતાની મૂર્ખાઈ માટે પસ્તાવો કરશે. આપણે ભૂલવું ન જોઈએ કે કેટલાય મુસલમાન આગેવાનો સ્વાગત મંડળમાં જોડાયેલા છે અને સરઘસમાં અને સ્વાગતમાં સામેલ થઈ પરિષદને સાઅથ અને સહકાર આપેલ છે. આવા નિર્દોષ બલિદાન ઉપર જ પ્રજા ઘડતરની ઈમારત રચાય છે. જે ઘાયલ થયા છે અને જેના પ્રાણ ગયા છે તેમના પ્રત્યે આપણી પવિત્ર ફરજ છે કે તેમના નિર્દોષ બલીદાનને આપણે રોષે ભરાઈને દુષિત ન કરવુ. સૌએ શાંતિ રાખવી. પરિષદના કાર્યમાં વધારે ઉત્સાહને પ્રેમથી ભાગ લઈ પરિષદનું કાર્ય સરળતાથી પૂર્ણ કરવુ.

The Miracle that Sardar Wrought

The Miracle that Sardar Wrought



Shri Mahadev Desai, in his famous book The Story of Bardoli gives this fascinating account of the extraordinary forbearance of an illiterate old woman who was ready to lose her all at the call of the Sardar :
One of the japti officers ordered his men to lay siege to a village. Apparently it was a single house, but really, it was one whole street that was besieged, as the armed policemen posted in front of the house with a Circle Inspector and the two Pathans who guarded the back door were ready to pounce upon any door that opened within their beat. These men were posted there at 2.30 am and were there until 6 pm when we visited the place. The house belonged to an old Government pensioner aged about 75. He had not even signed the Satyagraha pledge. But the officer thought that the best way to coerce the prisoner was to put his house under siege. The old man's wife was sitting at a window on the storey of the house, rosary in hand, and repeating Ramanama. 'I hope, old mother, you are not afraid,' asked the Sardar from outside her house. 'Why should I be afraid, when you are there to protect us?' she replied. 'Not I, but Rama,' said the Sardar correcting her.'Indeed Ramji is Merciful,' she said nodding assent. 'But how do you like these Pathans and Policemen at your doors?' asked one of us. 'The are quite welcome. But for them the Sardar would not have graced my house.'
Not an ill word, nor one of anger, though the old woman had not been able to go out of her house for those fifteen hours!

સરદારે ઘડેલ ચમત્કાર

શ્રી મહાદેવ દેસાઇએ તેમના પ્રખ્યાત પુસ્તક ધ સ્ટોરી ઓફ બારડોલીમાં એક અભણ વૃદ્ધ મહિલાની અસાધારણ મૌનનો આ રસપ્રદ અહેવાલ આપ્યો છે જે સરદારના કહેવાથી પોતાનું બધુ ગુમાવવા તૈયાર હતી:

જપ્તીના એક અધિકારીએ તેના માણસોને આદેશ આપ્યો કે તે ગામને ઘેરો ઘેરે. દેખીતી રીતે તે એક જ મકાન હતું, પરંતુ ખરેખર, તે એક આખી શેરી હતી જેને ઘેરી લેવામાં આવી હતી, કારણ કે ઘરની સામે સશસ્ત્ર પોલીસ કર્મચારીઓ એક સર્કલ ઇન્સ્પેક્ટર અને પાછળના દરવાજા પર રક્ષક બનેલા બે પઠાણ કોઈપણ દરવાજાને પછાડીને અંદર ખોલવા તૈયાર હતા. આ માણસો ત્યાં સવારે ૨ વાગ્યે તૈનાત કરવામાં આવ્યા હતા અને અમે સ્થળની મુલાકાત લીધાં ત્યાં સુધી સાંજના ૬ વાગ્યા સુધી ત્યાં હતા. આ ઘર લગભગ ૭૫ વર્ષના વૃદ્ધ સરકારી પેન્શનરનું હતું. તેમણે સત્યાગ્રહના પ્રતિજ્ઞાપત્ર પર સહી પણ કરી ન હતી. પરંતુ અધિકારીએ વિચાર્યું કે કેદીને મજબૂર કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેના ઘરને ઘેરા હેઠળ રાખવું. વૃદ્ધાની પત્ની ઘરની બારી પર એક બારી પાસે બેઠેલી હતી, હાથમાં ગુલાબ અને રામનું  નામ જપન કરતી હતી. 'મને આશા છે કે વૃદ્ધ માતા, તમે ડરશો નહીં,' સરદારને તેના ઘરની બહારથી પૂછ્યું. 'જ્યારે તમે અમારી રક્ષા કરવા માટે હોવ ત્યારે મારે કેમ ડરવું જોઈએ?' તેણીએ જવાબ આપ્યો. 'હું નહીં, રામ,' સરદારે તેને સુધારતા કહ્યું, 'રામ ભગવાન દયાળુ છે,' તેણીએ સંમતિ આપતા કહ્યું. 'પણ તમને તમારા દરવાજા પર આ પઠાણ અને પોલીસકર્મી કેવી ગમશે?' અમને એક પૂછ્યું. 'તેમનું ખૂબ સ્વાગત છે. પણ જો તેઓ ન હોત તો સરદારે મારા ઘર પર કૃપા કરી ન હોત.'


કોઈ હતાશાના શબ્દો ન હતા, કે કોઈ ગુસ્સો નથી, તેમ છતાં વૃદ્ધ સ્ત્રી તે પંદર કલાકથી ઘરની બહાર જઇ શક્યા ન હતા!

A Born Campaigner - Sardar Patel - Vallabhbhai Patel

A Born Campaigner - Sardar Patel - Vallabhbhai Patel


When Vallabhbhai Patel (Sardar Patel) was a student in high school one of his teachers put up himself as a candidate in the Municipal election. The opposing candidate was a wealthy and influential person and was pretty sure of his success. He even remarked boastingly that if he would lose in the election, he would get his mustache shaved! On behalf of the teacher, Vallabhbhai took up challenge with the man. Vallabhbhai worked with such resolute will and steadfastness that his teacher scored a resounding victory over his opponent. So Vallabhbhai with a group of 50 students and a barber accompanying them went to the house of the vanquished hero and asked him to perform his part of the business!

જ્યારે વલ્લભભાઇ પટેલ (સરદાર પટેલ) હાઇસ્કૂલનો વિદ્યાર્થી હતા, ત્યારે તેમના એક શિક્ષકે મ્યુનિસિપલની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પોતાને બેસાડ્યા હતા. વિરોધી ઉમેદવાર એક શ્રીમંત અને પ્રભાવશાળી વ્યક્તિ હતો અને તેને તેની સફળતાની ખાતરી હતી. તેમણે તોફાની સાથે ટીકા પણ કરી હતી કે જો તે ચૂંટણીમાં હારી જશે તો તેની મૂછો મુંડવામાં આવશે! શિક્ષક વતી વલ્લભભાઇએ તે વ્યક્તિ સાથે પડકાર લીધો હતો. વલ્લભભાઈએ એવી નિશ્ચયી ઇચ્છાશક્તિ અને અડગતાથી કામ કર્યું કે તેમના શિક્ષકે તેમના વિરોધી સામે પ્રચંડ વિજય મેળવ્યો. તેથી વલ્લભભાઇ ૫૦ વિદ્યાર્થીઓના એક જૂથ અને તેમની સાથે એક વાળંદ સાથે જીત મેળવેલ વીરના ઘરે ગયા અને તેમને પોતાનો ધંધાનો ભાગ કરવા કહ્યું!

THIS WAS SARDAR - G M NANDURKAR - KU. MANIBEN PATEL
© all rights reserved
SardarPatel.in