Gandhi and Sardar Patel | गांधी और सरदार पटेल । ગાંધી અને સરદાર પટેલ
Gandhi & Sardar Patel | गांधी और सरदार पटेल । ગાંધી અને સરદાર પટેલ
How were Sardar Vallabhai Patel related to the Gandhiji?
ગાંધીજીમાં સરદાર સાહેબે વિશ્વાસ મુક્યો, અને સરદાર પટેલ એમ કાંઈ કોઈને પારખ્યા વગર વિશ્વાસ ન મુકે,
સરદાર સાહેબે કેમ ગાંધીજી પર વિશ્વાસ મુક્યો તે પણ જાણવું જોઈએ. ગાંધીજી
ફક્ત રાજકીય કે ફક્ત આર્થિક કે ફક્ત સામાજિક નેતા ન હતા આપણે ખુશીથી કહી શકીએ કે મહાત્મા
ગાંધીજી એક ધર્મનેતા હતા, એક આધ્યાત્મિક નેતા હતા. એમનું લક્ષ્ય
સત્ય હતું. તેઓ કહેતા ઈશ્વર સત્ય છે એમ નહી પણ સત્ય ઈશ્વર છે. સત્યની શોધમાં લાગેલ
ગાંધીજીમાં સરદાર પટેલે શ્રધ્ધા રાખી. અને ગાંધીજીને જે સત્ય
સમજાયુ તે સત્યને અપનાવવાની વૃત્તિ સરદાર સાહેબે રાખી. સરદાર પટેલે તો અનેકવાર કહ્યુ
છે કે : “હું ગાંધીજીનો સૈનિક છું. તે કહે તેમ કરવાને કાજે બંધાયેલો છું.” આ શબ્દો
સરદાર સાહેબે ફક્ત બોલવા માટે નહોતા કહ્યા પરંતુ તેમણે તે વાતનો અક્ષરે અક્ષર પાળી
બતાવ્યો.
સરદાર પટેલના શતાબ્દી ગ્રંથમાં એક વાત લખાયેલ છે તે સમજવા જેવી છે કે સરદાર પટેલ
ગાંધીજીના અનુયાયી હતા પરંતુ અંધ ભક્ત નહોતા. તેમણે કહ્યુ કે : ઘણા મને ગાંધીજીનો અંધ ભક્ત કહે છે. હું ઈચ્છું છું
કે હકીકતમાં મને તેમના અંધ ભક્ત બનવાની શક્તિ મળે, પરંતુ અફસોસ તેવુ નથી. હું મારી પાસે સરેરાશ બુધ્ધિ અને સમજ
હોવાનો દાવો કરું છું. મે દુનિયા જોઈ છે, અને તેથી આ સંભવ નથી કે હું આ અર્ધ નગ્ન વ્યક્તિને પાગલ માણસની
જેમ અથવા કોઈ સમજણ વગર અનુસરુ. હું એવા વ્યવસાયનો સભ્ય હતો કે જેમાં કદાચ હુ ઘણાને
ગેરમાર્ગે દોરી હું શ્રીમંત બની શક્યો હોત, પરંતુ મે આ વ્યવસાય છોડી દીધો, કારણકે મે આ માણસ પાસેથી જાણ્યુ કે આ એ રસ્તો નથી જેના થકી હું
ખેડુતોનું ભલુ કરી શકુ. તેઓ ભારતમાં આવ્યા ત્યારથી જ હું તેમની સાથે રહ્યો છું, અને જ્યાં સુધી હું જીવીશ અને તે જીવે ત્યાં સુધી આ સંબંધ
રહેશે. તેમ છતાં હું તેમને મારા કામથી દૂર રાખું છું. જો આપણે ફક્ત નેતૃત્વ માટે
તેમની તરફ ધ્યાન રાખીએ તો આપણે પહેલ અને સ્વતંત્ર કાર્યવાહીની ક્ષમતા ફરીથી મેળવી
શકીશું નહી આ માટે તેમના માર્ગદર્શનની જ રાહ જોવી પડે. આપણે હંમેશા કોઈની સહાયતા
પર નિર્ભર હોઈએ તો આપણે કાંઈ પણ પ્રાપ્ત કરવાની આશા રાખી શકીએ? જ્યારે તેઓ મૈસુરમાં બીમાર હતા, ત્યારે ઘણા લોકોએ તેમને ટેલીગ્રામ મોકલી વિનંતી કરી કે તેઓએ
પૂર-રાહત કાર્ય માટે ગુજરાત આવવું. આથી તેમણે મને પુછ્યુ કે શું કરવું જોઈએ? ત્યારે મે કહ્યુ કે દસ વર્ષથી તેઓ ગુજરાતને સલાહ આપે છે, અને જો તેમણે જાણવું હોય કે આ સલાહ મુજબ ગુજરાત અનુસરે છે કે
નહી તો તમારે ગુજરાત ન જવુ જોઈએ. આવી જ રીતે મે તેમને કહ્યુ હતુ કે મારી
બારડોલીમાં ધરપકડ થાય ત્યાર પછી જ તેમણે બારડોલી આવવું. શિસ્ત અને સંગઠનનો અભાવ એજ
આપણી મુખ્ય ખામી છે. સૈનિક કેવી રીતે બનવું તે આપણે નથી જાણતા. આપણે હુકમ આપવા
માટે ટેવાયેલ નથી. વ્યક્તિગત સ્વતંત્રતાના આ યુગમાં, સ્વતંત્રની પરવાનગી ભુલ ભરેલ છે.
પ્રશ્ન ખેડા સત્યાગ્રહનો હોય કે બારડોલી સત્યાગ્રહનો હોય, કે પછી મીઠા સત્યાગ્રહ હોય સરદાર પટેલ માટે
તો ગાંધીજી એ કહ્યું એટલે કરવાનું. પરંતુ તે સત્યાગ્રહો કેવી રીતે સફળ બનાવવા તેની
યોજનાઓ સરદાર પટેલ જ તૈયાર કરતા જેમ કે મીઠા સત્યાગ્રહ (દાંડી કૂચ્) ની વાત કરીએ તો
સરદાર સાહેબે સાબરમતિ આશ્રમથી દાંડી સુધી આવતા ગામોની સ્વંય મુલાકાત લીધી અને ગાંધીજીનો
રાતવાસો ક્યા રહેશે? તે માટે કેવી સગવડો કરવી? ગામે ગામથી કેટલા લોકો આ કૂચમાં જોડાશે? એમ આવી નાનામાં
નાની બાબતોનું પોતે ધ્યાન રાખ્યું અને અંગ્રેજોએ દાંડી કૂચ સફળ ન જાય તે માટે રાસ ગામે
સરદાર સાહેબની ધરપકડ કરી. જ્યારે તેમની ધરપકડ થઈ ત્યારે પણ તેમણે જેલમાં રહીને સત્યાગ્રહ
સફળ કેવી રીતે કરવો તેની પુરેપુરી તકેદારી રાખી.તેમની ધરપકડ ૭ માર્ચ ૧૯૩૦ના રોજ રાસ
ગામે સરદાર પટેલને ભાષણ કરવા માટે રોકવામાં આવ્યા અને તેમને એક એવા ગુના હેઠળ દોષી
ઠેરવવામાં આવ્યા કે જે તેમણે કર્યો જ નહોતો. સરદાર પટલે ભાષણનો એક પણ શબ્દ બોલ્યા નહોતા
તેમ છ્તાં તેમને દોષી ઠેરવવામાં આવ્યા.
આવા હતા સરદાર આપણા
સંદર્ભ : સરદાર રાષ્ટ્રીય સંવાદિતાના સર્જક
sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel
India - The New Republic - 26 January 1950
India - The New Republic - 26 January 1950
Ref : The Western Mail - 26 January 1950
sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel
Did Sardar Patel called Gandhiji a dictator?
Did Sardar Patel called Gandhiji a dictator?
सरदार पटेलने गांधीजी को ध हिंदुस्तान टाईम्स के रीपोर्टर को
गांधीजी को स्नेह व धैर्य से शासन करनेवाला तानाशाह बताया
ध हिंदुस्तान टाईम्स ९ मई १९३९
सरदार पटेलने कहा “लोग
मुझे हिटलर कहते है, लेकिन मैं कहता हूं कि गांधीजी सबसे बडे
हिटलर हैं, जिन्हें मैंने देखा है। परंतु वह जो प्रभाव डालते
है, वह अनंत प्रेम और धैर्य से पैदा होता है। उनके और जर्मनी
के हिटलर के बीच यह खास फर्क है। महात्मा गांधी और अन्य लोगों के बीच अंतर इतना विशाल
है, जो उन्हें लोगों का एकमात्र नेता बनाता है। मैं नही जानता
कि उनके साथ कार्य करने के लायक हूं, लेकिन हमने उनका विश्वास
जीत लिया लगता है। जो भी द्वेषपूर्ण आलोचनाएँ उन्हें सहनी पडती है, जो चाहे कितना भी प्रमुख हो, पर उनके बिना कार्य करने
का साहस नही कर सकता। कितना भी कद्दावर नेता हो, उनका सहयोग चाहता
है।“
अपने बारे में हुईं आलोचना के बारे में पटेलने कहा “दो या तीन प्रांतों में और
अब कुछ राज्यों में मेरे विरुध्ध घातक मिथ्या प्रचार जान-बूझकर किया जा रहा है। परंतु मैंए जान-बूझकर कोई गलत या
असम्मानजनक कार्य नही किया है। मैं इस प्रकार के प्रलोभन के सामने झुकने के बजाय आत्महत्या
कर लूंगा। मुझे महात्मा गांधी के साथ कार्य करने का गौरव प्राप्त हुआ है। मैं आपको
विश्वास दिलाता हूं कि मैं उनके नाम पर अपने कार्यो के द्वारा कलंक नही लगने दूंगा।“
Ref: Gandhi, Nehru aur Subhash - P N Chopra
sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel
Vallabhbhai's Patriotism - Sardar Patel - सरदार पटेल - સરદાર પટેલ
Vallabhbhai's Patriotism
Sardar Patel - सरदार पटेल - સરદાર પટેલ
શ્રી અમૃતલાલ
યાજ્ઞિકે સરદારની ઝાંખી ખુબ સરસ રીતે વર્ણવી છે. સરદાર પટેલ રાષ્ટ્રપ્રેમી, અનોખી વ્યવસ્થાશક્તિવાળા અને વ્યવહારુ દ્રષ્ટિએ સ્થિતિ પારખી લઈ તુરત નિર્ણય
લેનાર રાજપુરુષ હતા. કાશ્મીર, જુનાગઢ અને હૈદ્રાબાદ સામે જે પગલાં
લેવાની જે હિંમત તેમણે દેખાડી તેના લીધે રાષ્ટ્રના ઇતિહાસમાં તેઓ હંમેશા અમર થયા.
સરદાર ગાંધીજીના
વફાદાર સેવક હતા ને ગાંધીજીની ભાવનાના રંગે રંગાયા હતા, છતાં તેમની નિજી પ્રતિભા કાર્યશીલ રહેતી હતી તે હકીકત છે. પાકિસ્તાન વિશે ગાંધીજી
સિધ્ધાંતોને વળગીને વિચારતા જ્યારે સરદાર વ્યવહારુ નજરે વિચારતા, આથી મતભેદને અવકાશ મળે જ, છતાં સમગ્ર જીવન ગાંધીજીના
મૂલ્યોના રંગે રંગાયેલા રહ્યા. તેમણે તેમના પુત્ર ડાહ્યાભાઈને એક પત્ર લખેલ તે આ બાબતને
સ્પષ્ટ કરે છે.
તેઓ લખે છે
કે : “તમે ઓફિસમાં જે પત્રો લખો છો તેમાં ભાષા ઉગ્ર અને સામાને માઠું લાગે તેવી હોય
છે. હકીકતમાં તો આપણાથી નાના માણસો હોય તેમની સાથે મીઠાશથી અને આદર પુર્વક કામ લેવું
જોઈએ. કોઈને માઠું લાગવા જેવું કાંઈ લખેલ હોય તો માફી માંગજો અને તેમને પ્રેમ સંપાદન
કરજો. મારો સ્વભાવ પણ કડક હતો, પણ મને એ વિશે ખુબ પસ્તાવો થયો છે. અનુભવથી
તમને લખું છુ.”
આ પત્રમાં
સરદારનું પોતાનાથી નાન વ્યક્તિઓ કે માણસો પ્રત્યેનો આદર અને પ્રેમાળ દિલની ઝાંખી થાય, સાથે સાથે તેઓ પોતાના પુત્રને પણ આજ રીતે વર્તવું તે સમજાવે છે. આમ એક વાત
તો ચોક્કસ પણે કહી શકાય કે સરદાર પટેલનું વ્યક્તિત્વ કડક હોવા છતાં તેઓ કોમળ હ્રદયના
પણ હતા.
સરદાર પટેલ
કર્મવીર હતા, ફક્ત મોટી મોટી વાતો કર્યા કરનાર પ્રત્યે તેમને
હંમેશા અનાદર રહ્યો. ગાંધીજી ૧૯૧૫માં હિંદુસ્તાન આવ્યા ત્યારે તેમની ઘણી પ્રતિષ્ઠા
હતી. ગાંધીજી આશ્રમ કાઢવાના હતા, ત્યારે ગુજરાત કલબમાં તેમનું
પ્રવચન હતું તે સમયે સરદાર ગુજરાત ક્લબમાં જ બ્રિજ રમતા હતાં. કોઈએ કહ્યુ કે ગાંધીજીનું
પ્રવચન સાંભળવા જઈએ તો સરદાર પટેલે કહ્યુ એમાં શું સાંભળવાનું છે? તે સમયે ત્યાંના લોકોને ક્યાં ખબર હતી કે વલ્લભભાઈ ગાંધીજીના શિષ્ય બનશે?
કોઈએ પણ ધાર્યુ નહોતું તેઓ સ્વાતંત્ર્યસંગ્રામના સેનાપતિ અને સરદાર બનશે?
જ્યારે સરદારે જાતે જોયું કે ગાંધીજી અન્યાય સામે લડનાર વીરપુરુષ છે
ત્યારે સરદારે પોતાની ખુમારી અને ખમીર સાથે ગાંધીજી સાથે જોડાયા અને પોતાની ઠાઠની જીંદગીને
અલવિદા કહી એક સામાન્ય પુરુષ બની ગાંધીજીના અનુયાયી બન્યા.
બારડોલી સત્યાગ્રહની
લડત પછી ગાંધીજીએ કહ્યું કે : “સેનાપતિની ચતુરાઈ પોતાનુ કારભારીમંડળ પસંદ કરવામાં રહી
છે. મને વિચાર આવ્યો કે ઉપસેનાપતિ કોણ થશે? ત્યાં મારી નજર વલ્લભભાઈ પર પડી. મેં તેમની
પહેલી મુલાકાત લીધી ત્યારે એમ થયું કે આ અક્કડ પુરુષ તે કોણ હશે? એ શું કામ કરશે? પણ જેમ જેમ હું એમના વધારે પરિચયમાં
આવ્યો તેમ તેમ મને લાગ્યું કે મારે વલ્લભભાઈ તો જોઈએ જ. વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો
જે કામ થયું છે તે ન જ થાત.”
સરદારે બારડોલી સત્યાગ્રહ વખતે કરેલ ભાષણોએ ખેડુતોના ખમીર જગાડી દીધા. જે રીતે બહારવટિયા બાબર દેવાને સંદેશો આપ્યો તેવો સંદેશો કોઈ ઢીલા વ્યક્તિનું કામ નહોતુ. તેમણે બાબર દેવાને જાહેરમાં ભાષણ દરમ્યાન સંદેશો આપ્યો કે “બાબર દેવાને તમારામાંનો કોઈ પણ જાણતો હોય, કોઈને પણ તેની સાથે ભેટો કરવાનો કે વાતો કરવાનો પ્રસંગ આવે તો તેને કહેજો કે તારું બહારવટું એ બહારવટું નથી. બંદૂકડી લઈને ભાગતા ફરવું અને નિર્દોષોને લૂંટવા અને મારવા એમાં બહારવટું નથી. સાચા બહારવટિયાને તો હથિયારની જરૂર નથી. બહારવટું તો ઢસાના દરબારનું છે. બહારવટું તો ગાંધીજીનું છે. જે માણસ નિશસ્ત્રને સતાવે, લોકોને લૂટે અને ખૂનો કરે તે તો માણસકોમને કલંકરુપ છે.” આવુ હિંમતભર્યુ ભાષણ સાંભળીને તો લોકોમાં અનેરી શક્તિનું સિંચન થયુ.
આવા સરદાર આપણા હતા.
સરદાર શતાબ્દી
સ્મારક ગ્રંથ – જશવંત શેખડીવાલા
sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel
PATEL - ORGANIZER OF FREEDOM - 15-12-2020
PATEL - ORGANIZER OF FREEDOM - 15-12-2020
આજે ૧૫-૧૨-૨૦૨૦ સરદાર પટેલ નિર્વાણ દિવસ, તા. ૧૫-૧૨-૧૯૫૦ના રોજ સરદાર પટેલે આ દુનિયાથી વિદાય લીધી. આઝાદી માટે ભારતે શૂરવીર સેનાની ગુમાવ્યો છે. દિલ્હી નાગરિકોની સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા મૌલાના અબુલ કલામ આઝાદની અધ્યક્ષતામાં રામલીલા ગ્રાઉન્ડમાં આજે એક વિશાળ જાહેર સભામાં સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જેમાં આચાર્ય જે. બી. કૃપલાની, શ્રી જગજીવન રામ, શ્રી એન. વી. ગાડગીલ, શ્રી મોહનલાલ ગૌતમ, સરદાર શર્દુલ સિંગ, કવિશ્રી શ્રી રામ, શ્રી દેશબંધુ ગુપ્તા, ડો. યુધવિર સિંગ, અને શ્રી મીર અહેમદ હતા.
દિલ્હીમાં સરદાર પટેલના સૌથી વરિષ્ઠ સાથી અને સાથીદાર મૌલાના આઝાદના ભાષણથી ભેગા થયેલા લોકો સરદાર પટેલ દ્વારા સ્વતંત્રતાની લડતમાં અજોડ હિંમત, દ્રઢ નિર્ધાર અને લોખંડી ઇરાદાઓ દર્શાવશે તેવી કથાઓ સાથે સંકળાયેલા હતા. ૯ નવેમ્બરના રોજ સ્વામી દયાનંદની પુણ્યતિથિની ઉજવણીમાં સ્થાનિક આર્યસમાજ દ્વારા આયોજીત સભામાં સરદાર પટેલે આજ મેદાનમાં કરેલા છેલ્લા જાહેર ભાષણની ઘણાને યાદ આવી હશે.
દિલ્હી રાજ્ય કોંગ્રેસ સમિતિ દ્વારા એક ઠરાવમાં આયોજિત બેઠકમાં કહેવામાં આવ્યું છે કે સરદાર પટેલના મૃત્યુમાં રાષ્ટ્રએ સ્વતંત્રતા માટે પોતાનો એક શૂરવીર સેના ગુમાવ્યો હતો.
"લડવૈયા અને સેનાપતિની તેમની પરંપરાઓ પ્રત્યે સાચું." આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, "સરદાર પટેલ મરણ અને મહિમાથી મરી ગયા. તેમ છતાં સરદાર હવે નથી, તેમ છતાં તેમનું નામ આપણા રાષ્ટ્રીય ઇતિહાસની ચોખ્ખી નોંધણીમાં સમેટશે અને વર્તમાન અને આવનારી પેઢી હંમેશાં તેમને યાદ રાખશે, જેમના હાથની ભૂમિકા ભજવી હતી. મુક્ત ભારતના બંધારણને આકાર આપવામાં સૌથી મુખ્ય ભૂમિકા. "
ઉર્દુમાં બોલતા મૌલાના આઝાદે કહ્યું: "આશરે ૩૦ કે ૩૫ વર્ષ પહેલા કેટલાક લોકોએ તેમના જીવનની શરૂઆત કરી હતી. તેમના જીવનની વાર્તા ભારતની ક્રાંતિની વાર્તા છે. આવી ઘણી વાર્તાઓ સમાપ્ત થઈ ગઈ છે અને અન્ય ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. સરદાર પટેલોનું જીવન શૌર્ય અને બહાદુરીની ગૌરવપૂર્ણ કથા હતી તે વાર્તા આજે સવારે ૯.૩૭ વાગ્યે સમાપ્ત થઈ ગઈ છે, તે હવે અમારી સાથે નથી, જોકે તેઓ આ દેશના અસંખ્ય લોકોના દિલ અને દિમાગમાં ખૂબ જ રહેશે.તેની વાર્તા તેમની જીવન એક અમર વાર્તા છે. તે વર્તમાન પેઢીના લોકો અને આવનારી પેઢીઓને હંમેશા યાદ રહેશે. તે આપણા દેશવાસીઓને કાયમ માટે પ્રેરણારૂપ રહેશે."
આગળ ભાષણ ચાલુ રાખીને મૌલાના આઝાદે કહ્યું: " ગાંધીજી લોકોને આકાર આપવા માટે એક મહાન પ્રતિભાશાળી હતા. તેમની મહાનતાએ તેમને જ્યાં પણ ત્યાંની પ્રતિભા શોધવામાં સક્ષમ બનાવ્યા. સરદાર પટેલ તે લોકોમાંથી એક હતા જેમણે ભારતની સ્વતંત્રતા સંગ્રામના પ્રારંભિક તબક્કામાં તેમને શોધ્યા હતા. હું ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના બોમ્બે સત્રમાં ૩૦ વર્ષ પહેલાં સરદાર પટેલને ચાર વર્ષ કેદ કર્યા બાદ મળ્યા હતા, આ સમયગાળા દરમિયાન તે મારા માટે લોહીના ભાઈ જેવો હતો. આપણે બધા એક જ બોટમાં સવાર હતા. અમે એક સભ્યોના સભ્યો જેવા હતા કુટુંબ. અમે એકબીજાના દુsખ અને આનંદ વહેંચી દીધા છે.
આવા અનેક મહાનુભાવોએ પોતાની શ્રાધાંજલી આપેલ પરંતુ તા. ૧૫-૧૨-૧૯૫૦ના રોજ વડાપ્રધાને સાંસદમાં જે કહ્યું તે સમજવા જેવું છે.
પાર્લામેંટ પ્રોસીડીંગ તા. ૧૫-૧૨-૧૯૫૦ સમય સવારે ૧૦ વાગ્યે
સવારે ૧૦.૪૫
શ્રી નાયબ સ્પીકર (અનંથાસ્યન્મ આયંગર) : આદરણીય પ્રધાનમંત્રીને સરદાર પટેલના નિધનના સમાચર અંગે બોલવા માટે આવકારે છે.
વડાપ્રધાન શ્રી (જવાહરલાલ નહેરુ) : મારે તમને અભિવ્યક્ત કરવું છે. સાહેબ અને હાઉસને શોકપૂર્ણ સમાચાર છે. એક કલાક પહેલા, આજે સવારે ૯.૩૭ વાગ્યે. નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલનું બોમ્બે શહેરમાં નિધન થયું છે. ત્રણ દિવસ પહેલાં આપણામાંના ઘણા લોકોએ તેમને વિલિંગ્ડન એરફિલ્ડ પર જોયા હતા અને અમે આશા રાખી હતી કે બોમ્બેમાં તેમના રોકાવાના કારણે તેમનું સ્વાસ્થ સુધરી શકશે, તેમના સ્વાસ્થ પર અસર સખત મહેનત અને સતત ચિંતાઓના કારણે ખૂબ જ કપરી થઈ ગઈ હતી. એક કે બે દિવસ સુધી તે સુધરે તેવું લાગતું હતું, પરંતુ આજે વહેલી સવારે તેમની તબિયત ફરી બગડવા લાગી અને તેમની જીંદગીની વાર્તા પૂરી થઈ હતી.
તેમની એક મહાન વાર્તા છે, કેમ કે આપણે બધા જાણીએ છીએ, અને આખો દેશ જાણે છે, અને ઇતિહાસ તેને ઘણા પાનામાં નોંધાયું છે અને લોકો તેમને નવા ભારતના રચયિતા કહેશે અને તેમના વિશે ઘણી વાતો કહેશે. પરંતુ કદાચ અહીંના ઘણા લોકો માટે તે આઝાદીની લડતમાં આપણા સૈન્યના મહાન કેપ્ટન તરીકે યાદ આવશે અને જેમણે આપણને મુશ્કેલીઓ સમયે તેમજ વિજયની ક્ષણોમાં મિત્ર અને સાથીદાર તરીકે સલાહ આપી હતી. જેના પર કોઈ અવિરતપણે આધાર રાખે છે, એક મજબુત આધાર સ્તંભ જેમ કે જ્યારે આપણે મુશ્કેલીમાં હતા ત્યારે ડૂબતા હૃદયને જીવંત બનાવ્યો. આપણે તેને એક મિત્ર અને એક સાથીદાર અને બધા ઉપરના સાથી તરીકે યાદ કરીશું, અને હું ઘણા વર્ષોથી તેમની સાથે અહીં આ બેન્ચ પર બેઠો છું, અને હવે હું જ્યારે આ ખાલી બેંચ પર નજર કરું છું ત્યારે ચોક્કસ ખાલીપણું મારા પર હાવી થઈ જાય છે.
હું આ પ્રસંગે થોડું વધારે કહી શકું છું. મારા સાથીદાર શ્રી.રાજગોપાલાચારી અને હું અમારી અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે લગભગ તરત જ જઇ રહ્યા છીએ. હું સમજું છું કે રાષ્ટ્રપતિએ પણ તુરંત બોમ્બે જાવનું નક્કી કર્યું છે, અને અધ્યક્ષ સર આજે વહેલી સવારે ગયા હતા. મને કોઈ શંકા નથી કે મારા ઘણા સાથીદારો અને આ ગૃહના માનનીય સભ્યો આ અંતિમ શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે આ પ્રસંગે બોમ્બે જવું ગમશે, પણ મને લાગે છે કે તેઓ ભવ્ય કાર્યકર હતા કે તેઓ અમને અમારું કામ છોડવાનું ગમશે નહીં. તેથી મારી પાસે છે,સરદાર પટેલના સાથીદારો અને સાથીદારોમાં સૌથી વૃદ્ધ અહીંના બધામાં શ્રી રાજગોપાલાચારી સિવાય મારા સાથીદારોને અહીં રોકાવાનું કહ્યું. અને તે સાચું છે કે તેમણે જવું જોઈએ અને તે સાચું છે કે તેના અન્ય જૂના સાથીદાર રાષ્ટ્રપતિએ પણ જવું જોઈએ. બાકીના સમયમાં, દેશના કામ માટે અહીં અને બીજે ક્યાંક કામ કરવાનું અમારું છે કે ક્યારેય અટકતું નથી. અને તેથી આ દુ:ખ કે જે આપણી ઉપર આવી ગયું છે તે છતાં, આપણે પોતાને કામ ચાલુ રાખવા માટે મજબુત બનવું પડશે જેમ મહાન માણસ, મહાન મિત્ર અને સહકાર્યકર જેમનું નિધન થયું છે તે આવી ભવ્ય ભૂમિકા ભજવી.
શ્રી નાયબ સ્પીકર: ગુજરાતના સિંહ અને ભારતના સરદારનું નિધન થયું છે. તેમના અવસાનમાં ભારતે તેના એક રાષ્ટ્રીય નાયકને ભારતનો સૌથી મોટો પુત્ર ગુમાવ્યો છે. તે મહાત્માજીનો જમણો હાથ હતો. સરદારનું બિરુદ જે તેમને મળ્યું તે કોઈ પણ રાજા દ્વારા આપવામાં આવ્યું ન હતું. પરંતુ તે ભારતની સમગ્ર વસ્તી દ્વારા હાર્દિક માન્યતાનું પ્રતીક હતું. તેમની નિ:શંક હિંમત અને અવિચારી બલિદાન બધા માટે જાણીતા છે. યુદ્ધના મેદાનમાં સૈનિકની જેમ તેનું મૃત્યુ થયું. છેલ્લા દિવસ સુધી, તે તેના સ્વાસ્થ્યના ભાવે પણ, અનિયમિત રીતે સેવા આપી રહ્યો હતો. તેમણે આ દેશની આઝાદી જીતવા અને આ દેશના એકીકરણ અને એકીકરણના હેતુસર આઝાદી પ્રાપ્ત કર્યા પછી પણ આ દેશમાં એક ચમત્કાર કર્યો. તેણે ખરેખર એક ચમત્કાર કર્યો. એક ક્રાંતિ લોહી વગરની ક્રાંતિ જે વિશ્વના ઇતિહાસમાં અજાણી છે તે તેમના દ્વારા લાવવામાં આવી છે. તેમના દ્વારા પાંચસો ને પાંસઠ વિચિત્ર રાજ્યો અને મધ્યયુગીન શાસનને આખરે ભારતમાં વિલિન કરવામાં આવ્યું છે. ભારતને તેમના પ્રત્યે કૃતજ્ઞતા ઋણ સદાય રહેશે. તેના નામની આપણને બધા વહાલ કરશે અને વંશ સુધી સોંપવામાં આવશે. તેમનું જીવન આપણા બધા માટે અને ભાવિ પેઢી માટે પણ એક ચમકતો પ્રકાશ હશે. મને ખાતરી છે કે ભલે તેમણે પોતાનો આત્મા છોડી દીધો છે, પરંતુ તેમ છતાં તેની ભાવના આપણી સાથે રહેશે અને સદા અને આપણને માર્ગદર્શન આપશે. તેના આત્માને શાંતિ મળે. તેમની યાદમાં હું આજે આ ગૃહ મુલતવી રાખું છું અને આવતી કાલે ગૃહનું બેઠક નહીં મળે. અમે આદર માટે બે મિનિટ મૌનમાં ઉભા રહીશું.
અમે સોમવારે મળીશું.
sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel
Why didn't Dahyabhai contest against Congress in Ahmedabad Lok Sabha elections?
Why didn't Dahyabhai contest against Congress in Ahmedabad Lok Sabha elections?
અમદાવાદની લોકસભા ચુંટણીમાં ડાહ્યાભાઈ એ શા માટે કોંગ્રેસ સામે ઉમેદવારી ન કરી?
જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાનો સમય હતો અને શહેરમાં ઉમેદવારની પસંદગીનો માહોલ જામ્યો
હતો, તે સમયે ઈંદુલાલ યાજ્ઞિકને મધ્યસ્થ સમિતિએ અમદાવાદ
લોકસભાની બેઠક માટે નામ પસંદ કરાયું હતું પરંતુ ઈંદુલાલ યાજ્ઞિકને મહાગુજરાત આંદોલન
ગુજરાતમાં ચલાવી તે આંદોલનને જીતવાના સ્વપનમાં રાચતા હતા, અને
આથી જ તેઓ ગુજરાત છોડી દિલ્હી તરફ જવા નહોતા માંગતા. આથી ઈંદુલાલ યાજ્ઞિક પોતાની જગ્યાએ
બીજા ઉમેદવારોની શોધમાં લાગેલ હતા અને તેમની નજરે અમદાવાદના જ વિખ્યાત કુટુંબ હઠીસિંગના
રાજા હથીસિંગ ચડ્યા, (હઠીસિંગના લગ્ન પંડિત નહેરુના બહેન કૃષ્ણા
સાથે થયા હતા.), હઠીસિંગ સાથે ચર્ચા કરતા તેઓ લોકસભાની બેઠક માટે
જરૂરી ખર્ચ કરવા અને બધી જ જવાબદારી ઉઠાવવા તૈયાર હતા. મંડળોમાં ચર્ચા કરતા સર્વેએ
આગ્રહ કર્યો કે કોંગ્રેસના ઉમેદવાર ખંડુભાઈ દેસાઈને બીજો કોઈ ઉમેદવાર હરાવી શકશે નહી,
સામે દાદુભાઈ અમીન પણ હરીફાઈએ ઉતર્યા ત્યારે ભલામણ સમિતીએ તેમને પુરતી
સહાય કરવાની શરત કરેલ પણ તે નામંજુર થયેલ આથી આ ઝગડાનું નિરાકરણ કરવા વલ્લભ વિદ્યાનગરના
સર્જક ભાઈલાલભાઈ પટેલની હાજરીમાં મનુભાઈ ભીખાભાઈ પટેલના ઘરે એક મીટીંગનું આયોજન થયું,
કેટલાય માજી કોંગ્રેસીઓએ ભાઈકાકા આગળ દલીલો રજુ કરી અને તેમણે ઉમેદવારોની
રજુઆત પણ કરી ત્યારબાદ પસંદગી મંજુર થઈ. આજ સમયે ઈંદુલાલ તરફથી એક નવા ઉમેદવારનું નામ
આગળ આવ્યું એ નામ હતુ ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલ (સરદાર પટેલના પુત્ર) અને સાથે સાથે
ઈંદુલાલે તો ત્યાં સુધી જણાવ્યુ કે મારા વતી ડાહ્યાભાઈને ઉમેદવાર તરીકે પસંદ કરો. આથી
બધા ભાઈકાકાને મળી કું. મણીબેનને મળવાં ગયા અને આખી વિગતની જાણ કરી. અને ડાહ્યાભાઈને
ઉમેદવાર તરીકે પસંદ કર્યા તેની પણ ચર્ચા થઈ.
ડાહ્યાભાઈની ઉમેદવારીની વાત જાણી કું. મણીબેન પટેલની આંખોમાં આસું સરી પડ્યા અને
તેમણે ડાહ્યાભાઈને ઠપકો આપ્યો કે બાપુની (સરદાર પટેલની) આંખ મીંચાઈ ત્યારે તારાથી કોંગ્રેસ
સામે ચુંટણીમાં ઊભા રહેવાય જ કેમ? બહેનના આવા શબ્દો
સાંભળી ડાહ્યાભાઈ પણ પોતાની આંખોના આંસુ રોકી ન શક્યા અને હતાશા સાથે તેમણે ઉમેદવારીની
વાત માંડી વાળી.
sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel
ડાહ્યાભાઈની ઉમેદવારીની વાત જાણી કું. મણીબેન પટેલની આંખોમાં આસું સરી પડ્યા અને
તેમણે ડાહ્યાભાઈને ઠપકો આપ્યો કે બાપુની (સરદાર પટેલની) આંખ મીંચાઈ ત્યારે તારાથી કોંગ્રેસ
સામે ચુંટણીમાં ઊભા રહેવાય જ કેમ? બહેનના આવા શબ્દો
સાંભળી ડાહ્યાભાઈ પણ પોતાની આંખોના આંસુ રોકી ન શક્યા અને હતાશા સાથે તેમણે ઉમેદવારીની
વાત માંડી વાળી.
TODAY THAT DAY - 15-12-1950 - Irrepairable Loss to the Nation | Sardar Patel
TODAY THAT DAY - 15-12-1950 - Irrepairable Loss to the Nation | Sardar Patel
MR KALA VENKATA RAO : - General Secratary of the Congress
Mr. Rao said : "the Sudden death of the Sardar in our present circumstances is a great national catastrophe. We need him today more than at any time in our midst. His iron will, strong decision and moral stature had stood by us in the nation's fight for freedom and when we are consolidating our gains today.
"Of all our great leaders, next to the Father of the Nation, the Sardar has been our asset to advise us to do the right and correct. The congress today is bereft of its elder brother and it is certain that the Congress will follow the path lit by the splendour of his great sacrifice, courage and service."
श्री राव ने कहा: "हमारी वर्तमान परिस्थितियों में सरदार की अचानक मृत्यु एक महान राष्ट्रीय तबाही है। हमें अपने बीच में किसी भी समय की तुलना में आज उनकी अधिक आवश्यकता है। उनकी लौह इच्छाशक्ति, मजबूत निर्णय और नैतिक कद हमारे द्वारा खड़ा था। देश की आजादी की लड़ाई और जब हम आज अपने लाभ को मजबूत कर रहे हैं।
"राष्ट्रपिता के बगल में, हमारे सभी महान नेता, सरदार हमारी संपत्ति हैं जो हमें सही और सही करने की सलाह देते हैं। कांग्रेस आज अपने बड़े भाई के प्रति उदासीन है और यह निश्चित है कि कांग्रेस का अनुसरण करेगी। पथ उनके महान बलिदान, साहस और सेवा के वैभव द्वारा जलाया गया। ”
DR. B. C. ROY - Chief Minister of West Bengal
Mr. Roy said :"The news of Sardar's passing away, though not unexpected, would be received by all with the greatest sorrow."
"To the country, he was the symbol of stability. His sound judgment and practical wistom saved this country under many difficult circumstances."
"We had all hoped, hoping against hope, perhaps, that ill and suffering as he was during the last few years, his life would be saved for the country for a few more years. Truly he sacrificed himself in the service of his belovd country, for in spite of failing health his indomitable spirit forced him to ignore nature's call for rest. But man proposes and God disposes. Sardar is dead. May he live for ever in spirit among his sorrowing countrymen."
ACHARYA KRIPALANI : Sardar Patel's friend, collegue and Freedom Fighter
Dr. B. R. AMBEDKAR : Law Minister
Mr. JAYA PRAKASH NARAYAN : The Socialist leader
YUVARAJ KARAN SINGH : The Prince Regent of Jammu and Kashmir
ABDUL QAYYUM KHAN : Premier North West Frontier Province
sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel
Today That Day - 05-12-1949 Resolution on Hindi
Today That Day - 05-12-1949 Resolution on Hindi
BOMBAY CHRONICLE - 05-12-1949








