2021 | Vithalbhai Patel, Sardar Patel

Tribute to Sardar Patel - 15-12-2021

ð અંતિમ દિવસોમાં સરદાર સાહેબે એન. વી. ગાડગીલ પાસે શું વચન લીધું હતું.

ð સરદાર સાહેબના પૈત્રુક વતન કરમસદ બાબતે આદરણીય વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીએ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે વર્ષ ૨૦૦૬, ૨૦૧૦ અને ૨૦૧૨ દરમ્યાન રાષ્ટ્રીય પ્લાનીંગ કમિશનમાં શું માંગણી કરેલ?

ð કરમસદ સ્થિત સરદાર સાહેબના પૈત્રુક ઘરની સાર સંભાળ રાખનાર સરદાર પટેલ ટ્રસ્ટ બાબતે સંસદમાં થયેલ ચર્ચાઓ 

આજે ૧૫-૧૨-૨૦૨૧ ભારત રત્ન શ્રી સરદાર પટેલની પુણ્યતિથિ, સરદાર સાહેબે પોતાના કાર્યોથી આઝાદી પછી ખુબ ટુંકા સમયમાં ભારતની વિશ્વ ફલક પર નોંધ લેવાઈ, સરદાર પટેલ પોતાના અંતિમ સમય સુધી કાર્યરત રહ્યા અને દેશ સેવા કાજે સમર્પિત રહ્યા. એન. વી. ગાડગીલે તેમના પુસ્તક ગવર્ન્મેંટ ઈનસાઈડમાં નોંધ્યુ છે કે એક સમય હતો કે જ્યારે લોકો મુક્તપણે કહેતા હતા કે કેબિનેટ બે જુથો વચ્ચે વિભાજિત થયેલ છે, એક જુથ વલ્લભભાઈની આગેવાની હેઠળ અને બીજુ જુથ નહેરૂની આગેવાની હેઠળ, પરંતુ હકીકતમાં આવા કોઈ જુથો નહોતા. ૧૧ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ સરદાર સાહેબના સચિવ શંકર નો ફોન એન. વી. ગાડગીલ પર આવ્યો અને જણાવ્યું કે સરદાર સાહેબ તેમને મળવા માંગે છે. આથી ૧૨ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ એન. વી. ગાડગીલ સરદાર સાહેબને મળ્યા હતા. મુલાકાત દરમ્યાન સરદાર સાહેબે ગાડગીલને જણાવ્યું કે “હવે હું જઊ છું.” તેમણે હળવી મુસ્કાન સાથે કહ્યું કે “હવે હું વધારે નહી જીવી શકું. તમે મને એક વચન આપો કે હું જે કહીશ તેનું તમે પાલન કરશો.” ગાડગીલે જણાવ્યું કે “પહેલાં મને કહો તો ખરા કે વાત શું છે.” પરંતુ સરદાર સાહેબ મારી સામે જોઈ ને જાણે વિચારતા હોય કે જાણે હું તેમને વચન નહી આપુ આથી તેમણે વચન માટે સતત આગ્રહ રાખ્યો. તેમના દિકરા ડાહ્યાભાઈ આ બધુ દરવાજે ઊભા રહી સાંભળતા હતા. જેવું મે સરદાર સાહેબને વચન આપી તેમની વાત માનવાની હામી ભરી કે તરત તેમણે મારો હાથ તેમના હાથમાં લઈ કહ્યું કે “તમારે નહેરૂ સાથે ગમે તેટલા મતભેદ હોય પરંતુ તમે તેમને છોડશો નહી.” મે તેમને ફરીવાર હા કહ્યુ અને સરદાર સાહેબની જાણે અંતિમ ઈચ્છા હોય તેમ તેઓને જાણે રાહત થઈ તેમ લાગ્યું. અને આખરે ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ તેઓએ આ દુનિયાને અંતિમ વિદાય આપી. તેમના મૃત્યુ બાદ મને જાણવા મળ્યું કે સરદાર પટેલે જગજીવન રામ, મુંશી,અને બલદેવ સિંહને જણાવ્યું હતુ કે તમે ગાડગીલની સલાહ મુજબ અનુસરજો.

સરદાર સાહેબને અન્યાયની વાતો તો ઘણી કરી અને ઘણીવાર આવી બાબતોને તુલ મળતું રહ્યુ અને તે બાબતે પડકારો પણ મળતા રહ્યાં પરંતુ આજે આપણે સરદાર સાહેબના વતન કરમસદને વારંવાર થતા અન્યાય વિશે વાત કરીએ, સરદાર સાહેબની પુણ્યતિથીએ તેમના પૈત્રુક વતનના વિકાસ અને તેના પૈત્રુક ઘરની સારસંભાળ બાબતે ઘણી રજુઆતો થવા છતાં પરિણામ શુન્ય. કરમસદ ગામનો રાજકીય ઉપયોગ ઘણો જ થતો રહ્યો છે. ચુંટણી ટાણે તો જાણે કરમસદ અને ચરોતરની ભુમિ તો એક રાજકીય તીર્થ સમાન બની રહે છે. અનેક સભાઓ, અનેક નેતાઓની મુલાકાતો, તેમના થકી થતા વાયદાઓ વગેરે નજરોનજર જોયા અને સાંભળ્યા છે. આજે તેમની પુણ્યતિથિના દિવસે થોડી વાત તેમના પૈત્રુક વતન કરમસદ બાબતે પણ કરવી જરૂરી છે. વર્ષ ૨૦૦૬માં ૫૨મી રાષ્ટ્રીય ડેવલોપ્મેંટ કાઉંસિલમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેંદ્રભાઈ મોદી (આદરણીય વડાપ્રધાન)એ JnNURM યોજનામાં સરદાર પટેલના વતન કરમસદ અને ગાંધીજીના વતન પોરબંદરને સમાવવા માટે રજુઆત કરી. વર્ષ ૨૦૧૦માં પણ કરમસદ અને ગાંધીનગરને JnNURM યોજના હેઠળ આવરી લેવા રજુઆત કરતા કહ્યું કે રાજ્ય સરકારે JnNURM યોજના હેઠળ સક્રિય પણે ભાગ લીધો છે, જેમા ૮૦ થી વધુ યોજના અને આશરે રૂ. ૭૦૦૦ કરોડ ચાર મિશનમાં ખર્ચ શહેરોમાં કરવામાં આવેલ છે. તાજેતરમાં પોરબંદરનું નામ JnNURM યોજનામાં પાંચમું શહેર બન્યું છે. અમે ભારત સરકારને વિનંતી કરીએ છે કે ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને સરદાર વલ્લભભાઈ પટેલનું વતન કરમસદનો સમાવેશ આ યોજના હેઠળ થાય તેની વિનંતી ફરી એકવાર કરીએ છીએ. વર્ષ ૨૦૧૨માં ફરી એકવાર તેમણે જણાવ્યું કે છેલ્લા છ વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતાં પાટનગર ગાંધીનગર અને સરદાર પટેલના જન્મસ્થળ કરમસદ ટાઉનનો JnNURM હેઠળ સમાવેશ કરવામાં આવ્યો નથી. આમ સમયાંતરે કરમસદને દેશના નક્શા પર આગવું સ્થાન મળે તે માટે રજુઆતો થતી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે જે મહાન વ્યક્તિએ એટલે કે સરદાર પટેલે આઝાદી પછી ભારતના નક્શાને આકાર આપ્યો અને જિન્હાના ખંડિત ભારતના સ્વપ્નને રગદોડી અખંડ ભારતની રચના કરી તેવા વ્યક્તિના પૈત્રુક વતનને ભારતના નક્શા પર આગવુ સ્થાન નથી મળી રહ્યું.

સરદાર સાહેબના યાદગાર સ્થળો બાબતે સંસદમાં ચર્ચાઓ તો કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ ઘણી થઈ અને ભાજપની સરકાર છે તે સમયે પણ ચર્ચાઓ થઈ અને આથી જ આ ચર્ચાઓના અમુક અંશો આજે વાગોળવાનું મન થઈ રહ્યું છે. જે સાંસદોએ આ ચર્ચાઓ કરી તેમને સાચેજ બિરદાવવા જોઈએ પરંતુ આજે પણ આ ચર્ચાઓ ફક્ત અને ફક્ત ચર્ચાઓ જ બની રહી. આ ચર્ચાઓને આકાર ન મળ્યો. સંસદમાં વર્ષ ૨૦૦૭ દરમ્યાન વડોદરાના સાંસદ એવા જયાબેન ઠક્કરે (ભાજપ) ૧૪-૦૮-૨૦૦૭ના દિવસે સંસદમાં પ્રશ્નોત્તરી દરમ્યાન જણાવેલ કે સરદાર પટેલ મેમોરિયલ – કરમસદને તેના નિભાવ અને અન્ય ખર્ચને પહોચી વળવા રૂ. ૫૦૦ કરોડની સહાય કોરપસ ફંડ તરીકે જરૂરી છે. આથી હું ભારત સરકારને વિનંતી કરૂ છું કે સરદાર પટેલ મેમોરિયલ માટે આ ફંડની ફાળવણી વહેલાંમાં વહેલી તકે થાય. આવી જ એક રજુઆત વડોદરાના સાંસદ બાલકૃષ્ણ ખાંડેરાવ શુક્લાએ (ભાજપ) તા. ૧૮-૦૮-૨૦૧૧ના રોજ જણાવેલ કે ગુજરાત સરકારે ૨૦૦૬માં કેંદ્ર સરકારને સરદાર પટેલ મેમોરિયલ – કરમસદ ખાતે નેશનલ રીસોર્સ સેંટર બને અને ત્યાં સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલની બધી જ જાણકારી ઉપલબ્ધ થઈ શકે તે માટે ૫ કરોડ કોરપસ ફંડની ફાળવણી કરવા માટે દરખાસ્ત કરવામાં આવેલ તો હું આ બાબતે ભારત સરકારને વિનંતી કરૂ છું કે આ ફંડની ફાળવણી કરવામાં આવે. આભાર. આજ રીતે તા. ૦૮-૦૭-૨૦૧૪ના રોજ અહેમદનગરના (મહા.) સાંસદ દિલિપકુમાર મનસુખલાલ ગાંધી (ભાજપ)એ નવી દિલ્હી સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાનને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરાવ બાબતે જણાવ્યું કે સરદાર પટેલનું દિલ્હી સ્થિત ૧ ઔરંગઝેબ રોડ પર આવેલ નિવાસસ્થાનને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવા બાબતે સમયાંતરે માંગ થતી રહી છે. અને આજ સુધી રાષ્ટ્રના શિલ્પીના કાર્યોને નજરઅંદાજ કરી તેમના કાર્યોને મહત્વ નથી અપાતું. આથી રાષ્ટ્ર પ્રતિ પ્રેમ રાખનાર લોકોને દુ:ખ થાય તે સ્વાભાવિક છે. આથી આ દર્દને દુર કરવા માટે સરદાર પટેલના કાર્યોને નવી પેઢીને જાણકારી મળતી રહે તે માટે તેમના દિલ્હી સ્થિત ઘરને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવે. તા. ૩૧-૦૭-૨૦૧૫ના રોજ મિર્ઝાપુરના (ઉ. પ્ર) સાંસદ અનુપ્રિયા પટેલ (અપના દલ – ભાજપ સહયોગી)એ જણાવ્યું કે હું એન.ડી.એ સરકારને વિનંતી કરૂ કે સરદાર પટેલનું ૧ ઔરંગઝેબ રોડ, દિલ્હી સ્થિત નિવાસસ્થાન ભારત સરકાર પોતાના હસ્તક લે અને તેને રાષ્ટ્રીય સ્મારક તરીકે નિર્માણ કરે. આભાર.

સરદાર સાહેબને અન્યાય થયો કે નથી થયો તે વાત કરતા પણ પહેલાં આપણે વિચારવું જોઈએ કે સરદાર સાહેબના યાદગાર સ્થળોને કેવીરીતે વિક્સાવી શકીએ. જેથી આવનાર પેઢી તેમના વિશે વધુ ને વધુ જાણકારી મેળવી શકે. 




sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

Dr. RAJENDRA PRASAD - 03-12-1884

Dr. RAJENDRA PRASAD - 03-12-1884



आज ०३-१२-२०२१ भारतके प्रथम राष्ट्रपति राजेंद्र प्रसाद जिन्हे हम राजेनबाबु से भी जानते है, उनका जन्म दिवस है। उनके जन्म दिवस ०३-१२-१९५१ के दिवस राष्ट्रपति भवन के कर्मचारियों द्वारा दिये गये  अभिनंदन के उत्तर में राष्ट्रपतिजीने कहा –

बहनो और भाईओ,

मै आप सब का बहुत अनुगृहीत हूं कि आज इस दिन पर आपने मेरे लिये अपनी शुभकामना प्रकट की। ऐसा मौका हर साल एक बार आया ही करता है। जो यहां पर काम करते है और आपके साथ जो दूसरे लोग रहते है सब ही का प्रेम और सौहार्द मुझे हमेशा मिला है। मेरे लिये यह बडी खुशी की बात है कि मैं आपका प्रेम पा सका हूं। मैं सच कहता हूं कि सारे देश के लोगों ने जिस तरह से मेरे साथ अच्छा और मेहरबानी का बर्ताव किया है उसी तरह से जिन लोगों के साथ मुझे काम करने का मौका मिला है उन सब ने मेरे साथ महेरबानी और प्रेम का बर्ताव किया है जिससे मुझे काम करने में ज्यादा उत्साह भी मिला है। मुझे यह भी विश्वास है कि अगर मुझ से कहीं गलती भी होगी तो लोग मुझे ठीक तरह से समझायेंगे और हर तरह से मदद करने के लिये प्रयत्न करेंगे जिसमें और गलतियां न होने पावें। ईश्वर से मेरी यही प्रार्थना है कि वह मुझे शक्ति दे, बल दे जिसमें देश की और सब लोगों की सेवा कर सकूं। आप लोगो को एक बार और ह्रदय से धन्यवाद देता हूं।

 

राजेंद्र प्रसादके भाषण – ६१८



Photo Courtesy - PhotoDivision India

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

Responsible Monarchy is not a Puppet Show, It is a bargain of death. - Sardar Patel

Responsible Monarchy is not a Puppet Show, 

It is a bargain of death. - Sardar Patel


  • જવાબદાર રાજતંત્ર એ બચ્ચાના ખેલ નથી, મરણના સોદા છે. – સરદાર પટેલ
  • નવા વાઘા પહેરાવી પ્રજાતંત્રના ખોટા નામથી જેમ ચાલતું આવ્યું છે તેમનું તેમ ચલાવ્યું છે. – સરદાર પટેલ
  • જુલ્મી રાજાઓને પદભ્રષ્ટ કરવાનો અધિકાર અનાદિ કાળથી સ્વીકારાયેલ છે. – સરદાર પટેલ
  • હિંદુસ્તાનના રાજાને જો કોઈ બગાડનાર હોય તો તે ખુશામતખોરો છે. – સરદાર પટેલ
  • રાજતંત્રમાં ઉપર ચોટિયા ફેરફાર કરવાની મોટા આડંબરવાળી યોજના ઘડી કાઢવી એવી વ્યવસ્થા રચવામાં પોતાની સઘળી શક્તિ ખર્ચી રહ્યા છે. – સરદાર પટેલ

૧૧ અપ્રિલ ૧૯૪૭ – ફુલછાબમાં લખાયેલ સરદાર પટેલનો લેખ ખુબજ રસપ્રદ છે. આ લેખ જો આજના સંદર્ભ કે આઝાદી પછીના સંદર્ભને ધ્યાનમાં રાખીને વાંચીએ તો સરદાર સાહેબે જે કહ્યું તે આજે પણ થઈ રહ્યું છે રાજાઓની જગ્યા ફક્ત નેતાઓએ લીધી છે. સરદાર સાહેબે જણાવ્યું કે કાઠિયાવાડની પ્રજાને થયેલ કે હાશ હવે આપણો છુટકારો થયો પરંતુ જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ લાગ્યું કે સત્તાઓ સરી જવા માંડી છે અને આથી તેમણે અને તેમના સાથીઓએ શક્તિ ભેગી કરવા માંડી. જુલમ, ત્રાસ, મારકૂટ કરી ઝેરી વાતાવરણ ઊભુ કર્યુ. અત્યારે બધે જ જાગૃતિ આવી છે અને પ્રજા સફાળી ઊઠી તેથી ઘણા બઘવાયા બન્યા છે, ઈશ્વરને સાથે રાખીને ભેદભાવ સિવાય કામ કરવાનું છે. ત્યાગ અને બલિદાન જેટલા અપાય તેટલા આપવા પડશે. હાડકાના હાર મળે તો પણ ફૂલના હાર માનજો.

કોઈને સત્તા છોડવી ગમતી નથી. દરેક રાજ્યો પ્રજાને કેમ રાજી રાખવી તેના ઉપાયો શોધે છે. પરંતુ તેમને એમ નથી થતુ કે રાજ પુરૂ આપ્યા સિવાય રીઝરો નહી ત્યારે શા માટે તેઓ ઉપાયો શોધે છે? ઘણા રાજાઓને તો ગમ પણ નથી કે તેમના રાજમાં અમલદારો જ સત્તા ભોગવે ચે. અને સારા ખોટાનો બોજ રાજા પર છે.

જવાબદાર રાજ તંત્ર એ કાંઈ બચ્ચાના ખેલ નથી. સમશેરના ખેલ આવડતા હોય તે પટ્ટાના દાવ ખેલી શકે. નાટકના ખેલ જેવી ભવાઈની આ રમત નથી. આ તો મરણના સોદા છે.

રાજાઓમાં લાયકાત કેટલી?

પ્રજાની લાયકાતની વાતો કરનારાઓએ એક એવો વિચાર કર્યો છે, ખરો કે આ દેશમાં છ્સ્સો જેટલા રજવાડાં છે તેમાથી કેટલા નરેશો પોતાની પ્રજા કરતા વધારે લાયકાત ધરાવનારા છે? શું રાજકુટુંબના જન્મ લેનારા સઘળા લાયકાતના વારસા સાથે જ જન્મે છે? અને જો રાજાઓમાંથી કેટલાક તો રાજ્ય કરવાને નાલાયક હોવા જ જોઈએ એ વાત કબુલ હોય તો એવા સંજોગોમાં પ્રજાએ શું કરવું એનો કાંઈ ઉપાય બતાવશે ખરા? જુલ્મી રાજાઓને પદભ્રષ્ટ કરવાનો અધિકાર અનાદિ કાળથી સ્વીકારાયેલ છે.

પ્રજાને વહીવટ-ભાર આપો

આથી જ મારી રાજામહારાજાઓને તો અતિશય નમ્રતાપૂર્વક વિનંતિ કે પ્રજાનો માર્ગ મોકળો કરી આપે. પ્રજાના સાચા રક્ષક બની એને આગળ દોરે અને ખુદ શહેનશાહને પગલે ચાલી રાજા પ્રજા વચ્ચેની અથડામણના ભયમાંથી કાયમને માટે નીકળી જવાની રચના કરી નિર્ભય બની જાય. રાજાઓ પરદેશીઓની ભાગલા પાડીને સત્તા ચલાવવાની નીતિનું અનુકરણ કરી એમાં જ સત્તાની સલામતી માની બેઠેલા છે. એક તરફથી પ્રજાને ઘાતકી, અમાનુષી અને જંગલી રીતે દબાવવા સઘળા પ્રયત્નો કરવામાં આવે છે અને ધાકધમકીઓ વગેરે અયોગ્ય સાધનોનો ઉપયોગ કરી વફાદારીના પત્રો ઉપર જબરજસ્તીથી સહીઓ લેવામાં આવે છે, જ્યારે બીજી તરફથી નામના અને નકલી સુધારા દાખલ કરી દુનિયાની આંખે પાટા બાંધી કોઈ પણ જાતની ખરી સત્તા ન છોડતા ચાલતા આવેલા સડેલા તંત્રને નવા વાઘા પહેરાવી પ્રજાતંત્રના ખોટા નામથી જેમ ચાલતું આવ્યું છે તેમનું તેમ ચલાવ્યું છે. આજે તો કેટલાક રાજાઓ એક્ત્ર થઈ સંગઠિત રૂપે પ્રજાને દબાવવાનાં પગલાં લેવામાં પોતાનું શ્રેય માનતા જોવામાં આવે છે અને ઓછમાં ઓછી પણ સત્તા છોડ્યા સિવાય રાજતંત્રમાં ઉપર ચોટિયા ફેરફાર કરવાની મોટા આડંબરવાળી યોજના ઘડી કાઢી એથી આગળ કોઈ રાજ્યે જવું જ નહી એવી વ્યવસ્થા રચવામાં પોતાની સઘળી શક્તિ ખર્ચી રહ્યા છે.

પ્રજા લાયક ન થાય ત્યાં સુધી જવાબદારી સોંપાય નહી અને જવાબદારી મળ્યા સિવાય લાયકાત આવે નહીં એવા અવળ સવળ સૂત્રોનાં આધાર લઈ ઘાણીના બળદની માફક ગોળ ચકરાવામાં ફર્યા કરવાથી કોઈ દિવસ અંત ન આવે. 

ખુશામતખોરો

હિંદુસ્તાનના રાજને જો કોઈ બગાડનાર હોય તો તે ખુશામતખોરો છે. ખુશામત એ મહા પાપ છે. ખુશામતીઆઓએ સમજી લેવું જોઈએ કે તેઓ પ્રજાનો દ્રોહ કરે છે. ખુશામત કરવી છોડી રાજાને સીધી વાત કરવી તેનું નામ સાચો પ્રજાધર્મ અને તે જ રાજ્યની સાચી સેવા છે.


sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

Sardar Patel's Thoughts and Congress Resolution to Help Allies During 1940 World Wars

Sardar Patel's Thoughts and Congress Resolution to Help Allies During 1940 World Wars


ð  ૧૯૪૦ના વિશ્વયુધ્ધ દરમ્યાન મિત્રરાજ્યોને મદદ કરવી કે નહી?
ð  વિશ્વયુધ્ધ દરમ્યાન કોંગ્રેસ અહિંસાને વળગી રહેશે કે નહી?
ð  ગાંધીજીએ કોંગ્રેસની સલાહસુચનના કાર્યથી મુક્ત થવાની માંગણી કરી

સરદાર પટેલ ગાંધીજીના અંધ અનુયાયી તરીકે દરેક જાણતા પરંતુ સરદાર એવા તો અંધ નહોતા, તેઓ ગાંધીજીની નજરે જોવાનો પ્રયત્ન કરતા પણ, સરદાર પોતાની પારખી નજર થકી તેઓ પરિસ્થિતિનો તાગ પણ મેળવી લેતા. ઘણીવાર તેઓ પોતાની આંખે પાટા બાંધીને ગાંધીજીને અનુસરતા પણ ખરા. પણ હંમેશા આંખે પાટા પણ બાંધીને રાખતા એવું પણ નથી. ૧૯૪૦માં વિશ્વયુધ્ધ દરમ્યાન મિત્રરાજ્યોને મદદ કરવી કે ન કરવી તેવો પ્રશ્ન કોંગ્રેસ સમક્ષ આવ્યો અને કોંગ્રેસનો સિધ્ધાંત સત્ય અને અહિંસાની નીતિ હોવાથી મદદ કેવી રીતે કરી શકાય? તે એક યક્ષ પ્રશ્ન હતો. કોંગ્રેસ કારોબારી સભ્યોની સમિતિમાં સરદાર પણ સભ્ય હતાં તેમણે કહ્યું 

કોંગ્રેસની સત્ય અને અહિંસાની નીતિ સ્વરાજ્યપ્રાપ્તિ માટે છે, દેશ પર બાહ્ય આક્રમણ થાય ત્યારે તે નીતિને વળગી રહેવું તે મુર્ખામી છે અને કોંગ્રેસ આવી નીતિ સાથે બંધાયેલ નથી. કોંગ્રેસ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે આથી બાહ્ય આક્રમણ સામે લોકોનું રક્ષણ કરવાની જવાબદારી કોંગ્રેસની છે. આવી પરિસ્થિતિઓ સમયે અહિંસાની નીતિને છોડવી જ જોઈએ.

સરદારની આ વાત જાણે દરેકને ગળે ઉતરી હોય તેમ સમિતિમાં નક્કી કરાયું કે જો સરકાર કોંગ્રેસને અમુક શરતો સ્વીકારે તો યુધ્ધપ્રયાસમાં મિત્રરાજ્યોને મદદ કરવા કોંગ્રેસ તૈયાર થશે. એક તરફ ગાંધીજીનો માટે અહિંસા એક નીતિ નહી, પરંતુ ધર્મ હતો. કોંગ્રેસ કારોબારી સમિતિએ તથા મહાસમિતિએ નક્કી કરેલ શરતોનો સ્વીકાર સરકાર કરે તો યુધ્ધમાં મદદ કરવાનો ઠરાવ પસાર થયો. આથી ગાંધીજી જેઓ પોતે કોંગ્રેસના સભ્ય નહોતા, છતાં તેઓ કોંગ્રેસને સલાહસૂચનો અને દોરવણી આપવાનું કામ કરતા તેમાંથી મુક્તિની માંગણી કરી. કોંગ્રેસે ભારે હ્રદય સાતે તે સ્વીકારી. સરદાર માટે તો આ પ્રસંગ ધર્મસંકટનો હતો કારણ કે તેઓ ગાંધીજીના અનુયાયી હોવા છતાં દેશહિતને ધ્યાને રાખી આવો ઠરાવ પસાર કરવો પડ્યો. 

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

Sardar Patel - Dharm - Sampraday

Sardar Patel - Dharm - Sampraday

સરદાર પટેલ - ધર્મ - સંપ્રદાય

 

સરદાર પટેલ જન્મે હિંદુ અને પરિવાર પણ ચુસ્ત સ્વામિનારાયણ ધર્મ પાળનાર, પિતા ઝવેરભાઈને ગામમાં ભગત તરીકે જ ઓળખે, પોતાના જીવનની પાછલી અવસ્થામાં તો તેઓએ કરમસદ ગામના સ્વામીનારાયણ મંદિરમાં જ બેસવાનું રાખ્યું હતું ફક્ત તેઓ જમવા માટે જ ઘરે આવતા. તેમના જીવન દરમ્યાન તેઓ દર પૂનમે વડતાલ સ્વામીનારાયણ મંદિર જવાનો નિયમ અને તે ક્યારેય ચુક્યા નહિ. વર્ષ ૧૯૧૪ માર્ચ મહિનામાં ૮૫ વર્ષની વયે ઝવેરભાઈનું મૃત્યુ થયેલ. સરદાર પટેલ ૧૭ વર્ષના થયા ત્યાં સુધી પિતા સાથે કરમસદમાં જ રહેલા અને ત્યાં સુધી નિર્જળા એકાદશી બને ત્યાં સુધી તેમણે કરેલ. એટલે સમજી શકાય કે સરદાર પટેલને ઉપવાસની ટેવ તો બાળપણથી જ મળેલ જે આગળ જતાં ઉપયોગી પણ નિવડી. આવી રીતે તેઓ સ્વામીનારાયણ સંપ્રદાયમાં ઊછરેલ હોવા છ્તાં એટલા ઓતપ્રોત કે ખાસ શ્રધ્ધા સેવેલ નહોતી. કરમસદ છોડ્યું, સરદારે સાધુઓના પવિત્ર જીવનની અને સમાજ સુધારવામાં સંપ્રદાયોએ સારો ફાળો આપેલ પરંતુ પાછળથી સ્વાર્થ અને લોભનો પણ પ્રવેશ થયો તે પણ તેમણે સ્વીકારેલ. (સરદાર પટેલ – નરહરી પરીખ ભાગ ૧, પાન – ૪) આજ પુસ્તકમાં જણાવેલ એક પ્રસંગ કે જેમાં એક યજ્ઞપુરુષોત્તમદાસજી નામના સાધુ, જે વિદ્વાન બ્રામ્હણ જેઓ શાસ્ત્રીજી મહારાજ તરીકે પણ ઓળખાયા, તેમણે વડતાલની ગાદીથી જુદા પડી બોચાસણમાં ગાદી સ્થાપેલી અને ત્યાં જ એક મોટું શિખરબંધી મંદિર બંધાવેલ. સરદાર પટેલના પિતાશ્રી આ બોચાસણવાળા નવા પંથમાં ભળ્યા અને શાસ્ત્રીજીના અનુયાયી થયા. જ્યારે શાસ્ત્રીજી વડતાલથી છુટા પડ્યા ત્યારે બન્ને પક્ષે સામસામે કેસ કરવામાં આવેલ અને પિતાશ્રીના આગ્રહને કારણે સરદાર પટેલે શાસ્ત્રીજીના પક્ષે કેસ લીધેલ અને કેસની માંડવાળ કરાવી બન્ને પક્ષના તહોમતદારોને છોડાવેલ.


સરદાર પટેલ જ્યારથી જાહેરજીવનમાં પ્રવેશ કરેલ ત્યારથી તેમના માટે રાષ્ટ્રસેવા કે રાષ્ટ્રધર્મ સિવાય અન્ય કોઈ ધર્મ કે સંપ્રદાયમાં રૂચી નહોતી. સરદાર પટેલના શબ્દોમાં કહીએ તો ઘણા મને ગાંધીજીનો અંધ ભક્ત કહે છે. હું ઈચ્છું છું કે હકીકતમાં મને તેમના અંધ ભક્ત બનવાની શક્તિ મળેપરંતુ અફસોસ તેવુ નથી. હું મારી પાસે સરેરાશ બુધ્ધિ અને સમજ હોવાનો દાવો કરું છું. મે દુનિયા જોઈ છેઅને તેથી આ સંભવ નથી કે હું આ અર્ધ નગ્ન વ્યક્તિને પાગલ માણસની જેમ અથવા કોઈ સમજણ વગર અનુસરુ. હું એવા વ્યવસાયનો સભ્ય હતો કે જેમાં કદાચ હુ ઘણાને ગેરમાર્ગે દોરી હું શ્રીમંત બની શક્યો હોતપરંતુ મે આ વ્યવસાય છોડી દીધોકારણકે મે આ માણસ પાસેથી જાણ્યુ કે આ એ રસ્તો નથી જેના થકી હું ખેડુતોનું ભલુ કરી શકુ. તેઓ ભારતમાં આવ્યા ત્યારથી જ હું તેમની સાથે રહ્યો છુંઅને જ્યાં સુધી હું જીવીશ અને તે જીવે ત્યાં સુધી આ સંબંધ રહેશે. તેમ છતાં હું તેમને મારા કામથી દૂર રાખું છું. (સંદર્ભ - ધ કોમેમોરેટિવ – મણીબેન પટેલ ) કૃષ્ણલાલ ચીમનલાલ શાહ નામના એક પત્રકારે સરદારના સાંનિધ્યમાં નામક તેમની પુસ્તિકામાં એક સુંદર પ્રસંગ લખેલ છે જે મુજબ સરદારના ગુજરાતના પ્રવાસ દરમ્યાન આણંદ, બોરસદ, બોચાસણ અને રાસનો પ્રવાસ કરેલ અને તે સમયે બોચાસણ આશ્રમમાં પૂજ્ય. રવિશંકર મહારજ અને શ્રી શિવાભાઈની કાર્ય પ્રવૃત્તિઓનું કેંદ્રસ્થાન. અને બોચાસણમાં જ શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયનું મોટુ મંદિર જે શાસ્ત્રીજી મહારાજે બંધાવેલ. સરદાર સાહેબ બપોરના સમયે બોચાસણના કાર્યો અને જમી પરવારીને આરામ કરી રહ્યા હતા તે સમયે સ્વામીનારાયણ મંદિરના બે સંતો પ્રસાદ અને કંઠી લઈ આવ્યા. સંતો સરદાર સાહેબ સાથે વાતો કરતા હતા તે સમયે પૂજ્ય રવિશંકર મહારાજ સરદારની સાથે જ બેઠેલા હતા. વાતો દરમ્યાન સંતોએ સરદાર સાહેબને તેમના પિતા સ્વામીનારાયણ સંપ્રદાયની કંઠી બાંધેલી છે. આથી આપે મંદિરમાં દર્શનાર્થે પધારવું જોઈએ તેવી રીતે સંતો સરદારશ્રીને આમંત્રણ આપવા આવેલ. સરદારશ્રી રાજકીય રંગે રંગાયેલા અને આધ્યાત્મિક છે તે તેમના સંતો સાથેના સંવાદથી જાણી શકાય. સંતોના આમંત્રણ વખતે સરદાર સાહેબે જણાવ્યું કે : તમારી વાત સાચી કે હું અને મારા વડવાઓ સ્વામીનારાયણ સંપ્રદાયના એ વાત પણ સાચી; પરંતુ સ્વામી સહજાનંદ તો મહાન અવતારી પુરુષ હતા. એમણે તો કોળી, ભીલ, પછાત લોકો અને તમામ વર્ણો માટે ઊંચનીચના ભેદભાવ ફગાવી સંપ્રદાયના દરવાજ સૌને માટે ખુલ્લ મુક્યા હતા. એજ સહજાનંદ સ્વામીના મંદિરના દરવાજા હરિજનો માટે ખુલ્લા ન હોય, હરિજનોએ મંદિરમાં આવી શકતા ન હોય, તો હું શી રીતે આવી શકું? આખરે તો મે ગાંધીજીની કંઠી બાંધેલી છે. અને ગાંધીજી અસ્પૃશ્યતાનિવારણ માટે શું વિચારે છે તે તો તમે સૌ જાણતા જ હશો.” સરદારશ્રીની આ સચોટ દલીલ સામે સંતો વધુ દલીલ કરી ન શક્યા અને પ્રસાદ અને કંઠી સરદારશ્રી પાસે મુકી વિદાય લીધી. સંતોની વિદાય પછી પણ સરદારે આ ચર્ચા આગાળ ચલાવી અને કહ્યું :”હિંદુ ધર્મ કેટલો સંકુચિત થતો જાય છે? ગાંધીજી જે વાત કરે છે એ હિંદુ ધર્મની વાત છે. માત્ર કાયદાથી અસ્પૃશ્યતા નિવારણ નહી થાય. જ્યા સુધી જડ નાબૂદ નહી થાય ત્યાં સુધી હિંદુ સમાજ સુખી પણ નહીં થાય. સહજાનંદ સ્વામી તો મહાન પુરુષ હતા. તેમણે ગુજરાતની ધરતી ઉપરથી ઊંચનીચના ભેદભાવ મિટાવી પદદલિત થયેલ જાતિઓને અને પછાત લોકોને સંપ્રદાયમાં લઈ કંઠી બંધાવી અપનાવ્યા એ મહાન કાર્ય હતું.”


આમ, પિતા અને વડવાનો ધર્મ હોવા છતાં તેઓ રાષ્ટ્રકાજે સમર્પિત હોવાથી અને ગાંધીજીના અનુયાયી હોવાના કારણે તેઓ કોઈએક ધર્મ, જાતિ, કે સંપ્રદાયમાં બંધાયેલ ન હતા. અને એટલે જ કદાચ તેમણે જે કાર્યો કર્યા તે નિર્ભય પણે અને કોઈ પણ ભેદભાવ વગર કર્યા.

નોંધ : કૃષ્ણલાલ ચીમનલાલ ના લેખ માં હરિજન શબ્દપ્રયોગ થયેલ છે એટલે એ મુજબ જ લખેલ છે. કોઈ નાત, જાત, ધર્મ, સમાજ કે વ્યક્તિની લાગણી દુભાવવાનો હેતુ તસુભાર પણ નથી જેની નોંધ લેવા વિનંતી.

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

Swarajya - Sardar Patel

Swarajya - Sardar Patel


Swarajya :-

The animosity between each other should be forgotten. Discreminition of high and low, and untouchability, etc., should be discarded. People should now live as children of the one father. Swaraj as it was before in India - all the disputes were settled by the village panchayat, and to protect people the village elders used to kept the people of the village near their chest - the same swaraj will have to be brought now.

સ્વરાજ્ય :-

પોતપોતાના વેરભાવ ભુલી જવા જોઈએ. ઊંચનીચના ભેદભાવ અને છૂત-અછૂતના ભેદ છોડો. લોકોએ હવે એક બાપની ઓલાદ બની ને રહેવું જોઈએ. હિંદુસ્તાનમાં પહેલા જેવુ સ્વરાજ્ય હતું-બધાજ ઝગડા ગામની પંચાયતથી સુલઝાવતા, અને ગામના વડીલો ગામના લોકોને પોતાની છાતીસરસા રાખતા, અને તેઓની રક્ષા કરતા-એજ સ્વરાજ્ય હવે લાવવું પડશે. 
(પટેલને કહા થા - ડો. ગિરિરાજ શરણ - પેજ નં : ૧૪૦)



sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

Aatma Prashansha - Self Appreciation - Sardar Patel

Aatma Prashansha - Sardar Patel


Self Appreciation :-

A man himself cannot grow up by singing his own praises. The smallness or nobility of a human being manifests itself by his actions, behavior and attitude. Such people are so involved in their selfishness, that they think that they can hide their selfishness from the public eye by wearing the clothes of charity.

(Patel ne Kaha Tha - Dr. Giriraj Sharan - Page : 24)

आत्म प्रशंसा : - 

अपनी बडाई गा-गाकर आदमी स्वयं बडा नहीं हो सकता। मनुष्य का छोटापन या बडप्पन उसके काम, व्यवहार और मनोवृत्ति से आप ही प्रकट हो जाते हैं। इस प्रकार के लोग अपने स्वार्थ में इतने लिप्त हैं, कि वे समझते हैं कि अपने स्वार्थ को परमार्थ के कपडे पहनाकर जनता की आंख से छिपा सकते है।

(पटेल ने कहा था - डो. ग़िरिराज शरण - पेज नं : २४)

આત્મ પ્રશંસા :-

માણસ પોતે પોતાના ગુણગાન ગાઈને ક્યારેય મોટો થઈ શકતો નથી. માણસની નાનપ કે ખાનદાની તેના કાર્યો, વર્તન અને વલણથી પ્રગટ થાય છે. આવા લોકો પોતાના સ્વાર્થમાં એટલા સંડોવાયેલા હોય છે કે તેઓ વિચારે છે કે તેઓ પરમાર્થના વસ્ત્રો પહેરીને લોકોની નજરથી પોતાનો સ્વાર્થ છુપાવી શકે છે.

(પટેલને કહા થા - ડો. ગિરિરાજ શરણ - પેજ નં : ૨૪)


sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

I want to be a Sadhu - Sardar Patel - To Safeguard Cutch

I want to be a Sadhu - Sardar Patel - To Safeguard Cutch


I want to be a Sadhu Sardar Patel

“Once while in the Yeravada Jail roundabout 1945, Mahatma Gandhi had asked Sardar Patel what post he would accept after Independence, Sardar Patel had replied that he would become a SADHU” - N G Ranga wrote.

Note: Jawaharlal Nehru elected as Congress President in the year 1946 and become Prime Minister

Ref :  Had Sardar Patel Been The First Prime Minister -Justice S N Aggarwal

To Safeguard Cutch

[The infiltration of Pakistan into Cutch in 1965 matter of recent history. It were these considerations of defence and safety of the frontier post that Sardar, to that earlier day, revoked his earlier thought of merging Cutch into Saurashtra and tagged it to Centre as a Centrally-administered unit. What a tragic fate to Cutch that it still lost a precious lump proving the truth of the popular adage that when the salt loses its flavour wherewith shall it be salted! In this context Sardar’s message of 2nd June 1948 to the Maharao and the people of Cutch on this historic transfer of Cutch to Union makes a painful reading for our failing to that Warder on the Hills!]

The administrative, strategic and economic importance of Cutch cannot be over-emphasized. It forms, as it is, an important frontier outpost of India. Although backward in development, it possesses resources of immense potentialities. It has considerable scope for settlement of refugees uprooted from their homes and sorely needing succour, relief and rehabilitation. The people of Cutch are not lacking in grit, enterprise, determination, wealth and spirit of adventure. The success achieved by Cutchees in commerce and industry all over India is a sufficient testimony to those qualities.

The people of Cutch have also taken a prominent part in India's Struggle for Independence, having always been ready to place India's interests above their own. The latest decision of His Highness the Maharao of Cutch and his people to accept the advice of the Government of India that, from an all-India point of view, it was necessary that Cutch should merge into the Indian Dominion as a unit of Central administration rather than with any other unit is proof positive of their intense desire to subordinate narrow parochial interests to broader national considerations.

On this wise and patriotic decision, I congratulate both the Maharao and the people of Cutch and thank them for the valuable assistance they have given to the Indian Dominion in solving a very important and strategic problem. 

I should like to assure the Ruler and the people that, under Central administration, the welfare and interests of the people will always command vigilant attention and sympathetic understanding. They can rest assured that their well-being and prosperity shall be my constant thought. I have no doubt that they will extend to the new administration their wholehearted support and unstinted co-operation. 

Considerations too deep for casuistry or quibbling and factors too weighty for prejudiced or narrow-minded approach are involved in the decision which has been taken. I hope that, in their dealings with the new administration, the people of Cutch will show the same breadth of vision and spirit of understanding which they have displayed in coming to this decision.

I wish the people of Cutch all happiness and prosperity and to their Ruler my heartiest congratulations on the spirit of self-sacrifice in the cause of the country which he has shown.

I wish them all and the new administration Godspeed.

 

Ref – Sardar Patel – In Tune with the Millions I – Maniben Patel & G M Nandurkar

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

Princely States - Nagpur University

Princely States - Nagpur University 



On Princely States : -
There were 562 states, all separate units. When alien rulers left us we could settle that problem smoothly and without bloodshed.
All this happened by mutual consultations and goodwill. There was no heart-burning, no discontent and no compulsion.
(Date : 3 November 1948, Occasion : Addressing Nagpur University.)
रियासतो पर : -
देशमे ५६२ अलग-अलग रियासतें थी। जब विदेशी शासक (अंग्रेज) हमें गुलामी से मुक्त करके जा रहे थे, तब हम उस समस्या को सुचारू रूप से और बिना रक्तपातके सुलझा सकते थे।
यह सब आपसी विचार-विमर्श और सद्भावना से हुआ। कोई दिल दहलाने वाला नहीं था, कोई असंतोष नहीं था और कोई मजबूरी नहीं थी।
(दिनांक: ३ नवम्बर १९४८, अवसर: नागपुर विश्वविद्यालय को संबोधन करते समय )
રજવાડાંઓ : -
દેશમાં ૫૬૨ અલગ-અલગ રજવાડાં હતા. જ્યારે વિદેશી શાસકો (અંગ્રેજો) આપણને ગુલામીમાંથી મુક્ત કરી જઈ રહ્યા હતા ત્યારે, આપણે તે સમસ્યાને સરળૅતાથી અને રક્તપાત વગર ઉકેલી શકીએ છીએ.
આ બધું પરસ્પર પરામર્શ અને સદ્ભાવનાથી થયું. તે સમયે ન કોઈનું દિલ દુ:ખ્યું, ન કોઈ અસંતોષ હતો કે ન કોઈ મજબૂરી હતી.
(તારીખ: ૩ નવેમ્બર ૧૯૪૮, પ્રસંગ: નાગપુર વિશ્વવિદ્યાલયને સંબોધન કરતા સમયે.)

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

Tough Personality with Gentle Heart - Sardar Patel

Tough Personality with Gentle Heart - Sardar Patel

કોમળ હૃદયનું કઠોર વ્યક્તિત્વ એટલે સરદાર 
રશેષ પટેલ




આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી ૩૧-૧૦-૨૦૨૧, સરદાર સાહેબની તો વાતો કરીએ એટલી ઓછી છે. વાંચન દરમિયાન અનેક નવી નવી વાતો સામે આવતી જાય છે અને સાથે સાથે જે વ્હોટ્‌સએપ યુનિવર્સિટીએ જે લોકોના વિચારશક્તિનો કચ્ચરઘાણ વાળ્યો તે પણ સમજમાં આવતો જાય છે. સરદાર સાહેબ કે તે સમયના કોઈપણ રાજપુરુષ વિશે વ્હોટ્‌સએપ યુનિવર્સિટીમાં તૈયાર થયેલ પ્રસંગોમાં સમય બરબાદ કરવા કરતા એ લોકો વિશે સત્તાવાર રીતે જે સાહિત્ય મળે છે તે વાંચવાથી જ સત્ય સમજાશે. આજે સરદાર સાહેબના અમુક પ્રસંગો યાદ કરીએ... 
સરદાર સાહેબ કરમસદ કન્યાશાળાના ઉદ્‌ઘાટન પ્રસંગે પધારેલ અને સરદાર સાહેબના વરદ્‌હસ્તે તા. ૦૬-૦૪-૧૯૪૭ના રોજ કન્યાશાળાનું ઉદ્‌ઘાટન કરવામાં આવેલ. આ સમયે તેમની ઉંમર ૭૨ વર્ષની હતી. તે સમયે કરમસદ ગામે તે સમયે તેમનું સન્માન કરેલ અને ૭૨ વર્ષના સરદાર સાહેબ થયેલ, તેથી તેમને ૭૨ તોલાનો સોનાનો થાળ અર્પણ કરવામાં આવેલ.(ટાઈમ્સ ઓફ ઈંડીયા - ૦૭-૦૪-૧૯૪૭) આ સમયે સરદાર સાહેબે જે ભાષણ કરેલ તે સમયે તેઓએ શ્રી ભાઈકાકા, શ્રી મગનભાઈ ડોક્ટર અને રાસ ગામના શ્રી આશાકાકને યાદ કર્યા અને તેઓએ કરેલ પરિશ્રમને પણ આવકાર્યો. કન્યાશાળા વિશે તેમણે કહ્યુ કે “આ શાળામાં સૌ બાળાઓને સાચી કેળવણી મળવી જાેઈએ. આજની કેળવણી એવી છે કે કેળવણી લીધેલાને કામ કરતા પણ શરમ આવે છે, આ સાચી કેળવણી નથી. આપણી કન્યાઓને સાચી કેળવણી આપીશું તો આપણા સમાજમાંથી કેટલાય કુરિવાજાે જે આપણને આગળ વધવા દેતા નથી. તેનો નિકાલ સહેલાઈથી કરી શકીશું.” માઉંટબેટને ભોપાલના નવાબને ૧૧-૦૮-૪૭ના દિવસે એક પત્ર લખ્યો અને પત્ર મુજબ ઃ તમે ૧૪મી ઓગષ્ટની મધરાત પહેલા જાેડાણ દસ્તાવેજ અને જૈસે થે કરાર પર સહી કરી આપો અને પછી તમે અંગત રીતે મને આપો, હું તે દસ્તાવેજાે ખાનગી રાખેસ્શ અને આ દસ્તાવેજ રાજ્યોના ખાતાને સોંપીશ નહી. અને જાે તમારે વહેલાં દસ્તાવેજ સોંપવા હોય તો મને પરવાનગી આપજાે. અને જાે ૨૫ ઓગષ્ટ સુધીમાં તમારો વિચાર બદલાય અને જાેડાણ ન કરવું હોય તો તમને હું દસ્તાવેજ પરત સોંપી દેવા માટે બંધાયેલ છું. આવી ખાસ ગોઠવણ તમારા માટે કરેલ છે જેની ગોપનીયતા રાખવા માટે મારે તમને સમજાવવાની જરૂર નથી. આ બાબતે સરદાર પટેલની અનુમતિ પહેલાથી જ મેળવી લીધી છે.  “મારી અંગત સલાહ છે કે તમારે જાેડાણ માટે સહી કરી દેવી જાેઈએ.” માઉંટબેટનની સલાહ જાણે ગળે ઉતરી હોય તેમ ભોપાલના નવાબ હમીદુલ્લાહએ દસ્તાવેજાે સહી કરી મોકલી આપ્યા અને નવાબે તે કાગળો પરત માંગ્યા પણ નહી આથી ૨૫ ઓગષ્ટ ના રોજ આ દસ્તાવેજાે માઉંટબેટને સરદાર સાહેબને મોકલી આપ્યા. “જૈસે થે દસ્તાવેજ” જ્યારે સરદાર પટેલને મળ્યો ત્યારે ભોપાલના નવાબ હમીદુલ્લાહે સરદાર સાહેબને એક પત્ર લખી જણાવ્યું કે સંઘર્ષ ચાલતો હતો ત્યારે મારા રાજ્યની આઝાદી ટકાવી રાખવા માટે જ મે તમામ શક્તિ લગાવી હતી, તે વાત સંતાડવાની કોઈ ઈચ્છા નથી અને મે પરાજય કબુલ્યો છે. એક સમયે મારા રાજ્યની આઝાદી ટકાવી રાખવા જે કટ્ટર દુશ્મન જેવું વર્તન હતું પરંતુ હવે હું તેટલો જ વફાદાર મિત્ર હું છું જેની ખાતરી થશે. સરદાર સાહેબે બે ખુબ જ વિનમ્રતાથી વળતા જવાબમાં લખ્યું કે “તમારા રાજ્યનું જાેડાણ અમારા માટે વિજય અને આપના માટે પરાજય તેવુ હું ક્યારેય માનતો નથી. પરંતુ આખરે સત્ય અને વ્યાજબીપણાનો વિજય છે અને આ વિજયમાં આપણે બન્નેને ઘણું શીખવા મળ્યુ છે.” સરદાર સાહેબની આવી વાતો જ સામે વાળાનું મન જીતી લે છે અને આ કળાનો ઉપયોગ સરદાર સાહેબે રજવાડા ભેગા કરવા માટે ભરપુર કર્યો.  બીજાે એક પ્રસંગ શરણાર્થીઓ વિશે સરદાર સાહેબની વેદના અને શક્ય હોય તે રીતે મદદરૂપ થવું. પંજાબ અને બંગાળના શરણાર્થીઓની મુશ્કેલીઓ, દેશના તોફાનો વગેરે અતિ સંવેદંશીલ પરિસ્થિતિ હતી. શરણાર્થીઓની દેખભાળ અને તેઓના હિતની રક્ષણની સરદારને ખુબજ અંતરવેદના હતી. તે માટે તેમણે “પંજાબ રિલીફ ફંડ” અને બંગાલ રિલીફ ફંડ” શરૂ કર્યા અને સમગ્ર દેશવાસીઓને મદદરૂપ થવા અપીલ કરી. અને દેશવાસીઓએ ઢગલાબંધ મદદ નાણા કે કપડા, કે અન્ય સામગ્રીઓ ૧, ઔરંગઝેબ રોડ, દિલ્હી (સરદાર સાહેબનું નિવાસ્થાન) પહોચાડી. આ બધી જ સામગ્રીઓ જેમ જેમ આવતી તેમ તેમ તેમણે તેમના અંગત સચિવ મૂળશંકર ભટ્ટને આ બધી મદદની વ્યવસ્થિત યાદી બનાવવાની સુચના આપી સાથે સાથે જે વસ્તુઓ આવેલ છે તે દરેક વસ્તુનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવાની પણ સુચના સરદાર સાહેબે આપેલ અને તેઓ પોતે પણ અંગત રસ દાખવી ચોક્સાઈથી તપાસ પણ કરી લેતા. 
વર્ષ ૧૯૩૫ના માર્ચ માસમાં સરદાર સાહેબ દિલ્હીમાં હતા. તે સમયે બોરસદ તાલુકામાં મરકીનો (પ્લેગ) રોગચાળો ફાટી નીકળ્યો તે સમાચાર મળ્યા. સરદાર સાહેબને તો દુષ્કાળ, મહામારી, રેલ સંકટ વગેરે જેવી અણધારી આફતોનો સામનો કરવો અને લોકોને આવી આફતોથી બચવાની તાલીમ આપવાનું કાર્ય તો સ્વાભાવિક રીતે કરતા જ હતા. તેઓ તા. ૦૯-૦૩-૧૯૩૫ના રોજ દિલ્હીથી મુંબઈ આવ્યા અને ડો. ભાસ્કર પટેલને બોરસદ જઈ ત્યાંની સ્થિતિનો અહેવાલ લઈ આવવા માટે મોકલ્યા. ડો. ભાસ્કર પટેલ દરબાર સાહેબ (દરબાર ગોપાળદાસ) સાથે ૨ દિવસમાં આશરે બાર ગામ ફર્યા અને રીપોર્ટ લઈ પરત મુંબઈ ફર્યા. એ રીપોર્ટ જાેતા જ સરદારને સમજાઈ ગયું કે રોગચાળો તો વધતો જ જાય છે. અને તેની સામે અસરકારક પગલાં ભરવા માટેનો ઈલાજ ડો. પટેલને પુછ્યો. ડો. પટેલે જણાવ્યું કે “ યુરોપમાં આવા રોગચાળાને વધારે વધવા ન દેવા માટે તેના પર અંકુશ મુકવામાં આવે છે અને તેને નાબૂદ પણ કરે છે. આપણે પણ તે જ રીતે બોરસદમાં કરી શકીએ.”સરદારે ડો. પટેલ સાથે પ્લેગ નિવારણ અંગે જરૂરી ચર્ચા કરી પોતાની સાથે કામ કરવા મદદ માંગી. ડો. પટેલ ધુળિયા જેલમાંથી થોડા વખત પહેલાં જ છુટ્યા હતા અને તેઓ મુંબઈમાં સ્થાયી થવાની વેતરણમાં હતા, તેવામાં સરદારનું સેવાકાર્ય માટે નિમંત્રણ તેમના માટે તો એક સ્વપ્ન જેવું હતું. અને તેમણે સરદાર સાહેબના નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો. શરૂઆતમાં તો લોકોએ સ્વયંસેવકોની મદદ લેવાની સુધ્ધા ના પાડી, પછાત વર્ગના અજ્ઞાન લોકો માટે તો મરકી એ દેવીનો કોપ હતો. અને તેમના મન તો જાે દવાદારુ કરીએ તો દેવી વધુ કોપાયમાન થાય એવી અંધશ્રધ્ધા હતી. સરદારે લોકોના એ વહેમને અને જુનવાણી વિચારો પર હુમલો કર્યો અને ગામે ગામ અનેક ભાષણો આપ્યા. આરોગ્ય અંગે સમજ પાડે તેવી પત્રિકાઓ છપાવી અને લોકો સુધી પહોચાડી. આથી લોકોએ ધીમે ધીમે સ્વયંસેવકોને સહકાર આપતા થયા અને ઘર, શેરીઓ અને ગામની સફાઈ ઝુંબેશ શરુ થઈ.

Tribute to President Vithalbhai Patel - 22-10-2021

Tribute to President Vithalbhai Patel - 22-10-2021

AMRITA BAZAR PATRIKA

The Stormy Patel

    Mr. Vithalbhai Patel has died away from his homeland. His last wishes that he might lay down his mortal coil on the soil of his motherland could not be fulfilled. Like Raja Rammohun Roy, the prophet of the new era, this fighter for the freedom of the motherland, one of the bravest and most skilful, has died in a strange land where his words, his movements were being watched with the closest attention by his countrymen. Mr. Patel, the " Stormy Petrel" of the Swaraj Party was not a mere personality unique though he is. He represented in his person the three great phases of India's struggle for freedom-a non-co-operator, then a co-operator and again a non-co-operator; he has died in grief that he had to leave the world before he could see his country free.  Ripe in age and further stricken by bodily infirmities any other man of his achievement would have been content to rest on his laurels, and the gratitude of his countrymen would not have been less for it. Both before and after he became President of the Assembly, he had done glorious service to his countrymen of which any man could justly be proud. But neither age nor infirmity nor incarceration could conquer the indomitable spirit of the man who had determined to fight till the last breath of his life for his country. For this soldier there was to be no invalidation, no place on the retired list. Those who had the privilege to know him intimately wondered how he could manage to do the strenuous work that he was doing. He reminded them of the hero in the story who fought when his legs were blown away, who maintained the fight when nothing was left of his hands, who continued the fight with his head resting on his trunk. Such was Mr. Patel of the indomitable will who had for years fought also against death. Death has at last conquered his flesh but has it conquered his spirit? That spirit lives and will live till the battle is won.

 

THE HINDUSTAN TIMES (DELHI)

    India is the poorer for the loss of Vithalbhai Patel. As a patriot and doughty fighter, he represented a class by himself and rendered services to the utmost of his capacity and opportunities. Deliberately, Vithalbhai chose the harder path at a time when men of lesser ability were being lured into good careers of comfort and his death in a foreign land after a long struggle completes a chapter of accomplishment and sacrifice which will be gratefully remembered by a nation that is in mourning today. As a patriot, Vithalbhai was cast in the mould of Parnell, he belonged to the “logic school” of politics as compared with what Pandit Jawaharlal Nehru would call the “magic school” of politics. As a politician, he liked leadership not for personal self-aggrandisement and material exploitation but for the rendering of service wherever possible in terms of national self-respect, a quality in which we are still deficient. Even in private, he was a rare example of Indian manhood and patriotism, and one fears that taken all in all, we shall not look upon his like again.



sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

Today That Day - 08-10-1916

Today That Day - 08-10-1916

Temperance Legislation in Bombay (Mumbai)

today that day

બોમ્બેમાં સંંયમ કાયદો

બોમ્બે ગવર્નમેન્ટ ગેઝેટનો વર્તમાન નંબર અબકરી એક્ટમાં સુધારો કરવા માટેના વિધેયકનું લખાણ અને તેના પરની પસંદગી સમિતિનો અહેવાલ કેટલાક સભ્યોની અસંમતિની મિનિટો સાથે છાપે છે. આ બિલ બે મુદ્દાઓ સાથે કામ કરે છે: ખેડા જિલ્લામાં મ્હોરા ફૂલોનો સંગ્રહ, કબજો અને વેચાણ અને કોકેઈનનો ટ્રાફિક. કોકેઈન ટ્રાફિકના સંદર્ભમાં, જેને અટકાવવા માટે હાલમાં કાયદો શક્તિવિહીન છે, ખરડો એવા મકાનના માલિક અને કબજેદાર બનાવવાની દરખાસ્ત કરે છે, જેમાં વાહનવ્યવહાર થાય છે, જે કેદ અને દંડને પાત્ર છે, ઉપરાંત દોષિત ઠેરવ્યા પછી ત્રણ વર્ષના સમયગાળા માટે સમાન ગુનાઓથી દૂર રહેવા માટે બોન્ડ ચલાવો. આ પ્રસ્તાવને સિલેક્ટ કમિટીના તમામ સભ્યોની સર્વસંમતિથી મંજૂરી મળી છે. ખેડા જિલ્લામાં લાયસન્સ કે પરમિટ વિના મ્હોરા ફૂલોના સંગ્રહ, પરિવહન, વેચાણ અથવા કબજામાં પ્રવાસ દરમિયાન અને જામીનના મહિનાઓ સિવાય દંડની દરખાસ્ત કરવામાં આવી નથી. મ્હોરા ફૂલો, તે સ્વીકારવામાં આવે છે, વર્ષના કેટલાક ભાગમાં જંગલના આદિવાસીઓના સ્ત્રોત દ્વારા ખોરાકની સામગ્રી તરીકે ઉપયોગ થાય છે. સિલેક્ટ કમિટીના મોટાભાગના સભ્યો ૧૬મી ફેબ્રુઆરીથી ૩૦મી જૂનની વચ્ચેનો આ સમયગાળો નક્કી કરે છે અને તેના માટે લાયસન્સની આવશ્યકતા ધરાવતા બિલની જોગવાઈમાંથી તે સમયગાળા દરમિયાન તેમના સંગ્રહ અને વેચાણને મુક્તિ આપવાનો પ્રસ્તાવ મૂકે છે. આ પૂ. શ્રી લાલુભાઈ સોમૈદાસ સમયગાળો 15 ઓગસ્ટ સુધી લંબાવશે કારણ કે સમિતિ સમક્ષ મુકવામાં આવેલા પુરાવા દર્શાવે છે કે, ખેડા જિલ્લાના મોટા ભાગના સ્થળોએ, મ્હોરા ફૂલનો ઉપયોગ લગભગ તે તારીખ સુધી ખોરાકની સામગ્રી તરીકે થાય છે. આ પૂ. શ્રી ગોકુલદાસ પરીખ અને પૂ. શ્રી વી.જે. પટેલે અસંમતિની એક મિનિટ નોંધી છે જેમાં, જ્યાં સુધી આપણે નિર્ણય કરી શકીએ છીએ, તેઓ મ્હોરા ફૂલોના સંગ્રહ અને ઉપયોગ પર મૂકવામાં આવેલા કોઈપણ નિયંત્રણ સામે સંપૂર્ણપણે વાંધો ઉઠાવે છે.

નોંધ : બોમ્બે હાલ મુંબઈ..

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,


Sabarmati na Sant - સાબરમતીના સંત - Gandhi Jayanti | Salt Satyagrah

Sabarmati na Sant - સાબરમતીના સંત - Gandhi Jayanti | Salt Satyagrah





મીઠું આપણા જીવનમાં શું ભાગ ભજવે છે? સામાન્ય રીતે મીઠું જો શરીરમાં જરૂર કરતા વધારે માત્રામાં હોય તો હાઈ બ્લડ પ્રેશર કે લો બ્લડ પ્રેશરથી પરેશાન થઈ જવાય કે પછી જીવલેણ પણ સાબિત થાય છે, એટલે કહી શકાય કે મીઠું માનવ શરીરમાં એક અગત્યનો ભાગ ભજવે છે. પરંતુ ક્યારેય કોઈએ વિચાર્યુ કે મીઠાથી કોઈ સરકારના પાયા હચમચી ગયા હોય, કલ્પના પણ ન કરી શકાય એવો એક સત્યાગ્રહ એક પોતડી પહેરેલ સાબરમતીના સંતે કર્યો અને અંગ્રેજ કે બ્રિટિશ હકુમતોના પાયા હચમચાવી દીધા. અને અંગ્રેજોએ પણ ક્યારેય કલ્પના નહોતી કરી કે જે મીઠા પર તેઓ વેરો લાદી રહ્યા છે તેજ મીઠું તેમની સરકાર માટે હાઈ બ્લડ પ્રેશરની બીમારી જેવું સાબિત થશે. આજે એ પોતડી ધારી સાબરમતીના સંત ગાંધીજીની જન્મ તારીખ ૨ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ તેમના મીઠા સત્યાગ્રહના અમુક પ્રસંગો વાગોળીએ. 

ખેડા, સુરત, તીથલ, ધરાસણા અને લસુંદ્રા જેવા નામો ચર્ચામાં હોય અને સરદાર પટેલ પણ બોરસદ જઈ ઝીણવટ ભરી તપાસ કરતા અને મીઠાના અગારોની પણ તપાસ કરી રહ્યા હતા તેમ છતાં દાંડી પર પસંદગીનો કળશ કેવી રીતે ઢોળાયો તેવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. ફેબ્રુઆરીના અંતમાં મહાદેવભાઈ દેસાઈએ બારડોલી અને ત્યારબાદ ધરાસણામાં મીઠાના વખાર કે ડેપોની તપાસ કરી હતી. શરુઆતમાં તો ગાંધીજી સાબરમતીથી નીકળી મહીસાગર સુધી પોતાના સાથીદારો કે સત્યાગ્રહીઓ સાથે બદલપુર પહોચે અને ત્યાં પાણી ઉકાળી મીઠું બનાવવાની યોજના હતી. પરંતુ કલ્યાણજીભાઈ મહેતાને વિચાર આવ્યો કે ગુજરાતની વચ્ચે થી જો આ યાત્રા પસાર થાય તો સમગ્ર ગુજરાત જ નહી પરંતુ ભારતભર અને વિશ્વની નજરે આ યાત્રા આવશે. અને ખુબ મોટો પ્રચાર થશે. આ વાતની જાણ કલ્યાણજીભાઈ એ પોતાના સાથી મિત્રો દયાળજીભાઈ, કુંવરજીભાઈ, મીઠુબેન વગેરેને કરી અને આ વાત બધાને પસંદ પડી, એટલે કલ્યાણજીભાઈ અમદાવાદ જઈ ખમાસા ચોકી પાસે સરદાર સાહેબ રહેતા હતા, તેમની સમક્ષ વિચાર મુક્યો, સરદાર સાહેબને આ વાત ગળી ઉતરી અને તેઓ કલ્યાણજીભાઈ સાથે આશ્રમમાં બાપુને મળવા ગયા. અને બાપુએ પણ આ વાત સહર્ષ સ્વીકારી, પરંતુ સ્થળ કયું પસંદ કરવુ તે બાબતે કલ્યાણજીભાઈને પુછતાં તેમણે કહ્યુ કે યાત્રાના અંતિમ સ્થળો તો ઘણા છે પરંતુ મહાદેવભાઈનું જન્મસ્થાન દિહેણ, પાંચા પટેલનું કરાડી, અને તેની પાસેનું દાંડી, મીઠાના અગારોવાળું ધરાસણા અને પારસીઓનું પવિત્ર ધામ ઉદવાડા પણ સમુદ્ર કિનારે જ છે. ત્યારબાદ આ દરેક ગામોની મુલાકાત લેવાઈ અને નવસારીના કાર્યકર્તાઓના ઉત્સાહથી દાંડી પર પસંદગીનો કળશ ઢોળાયો. 

ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક પહેલા તમામ આગેવાનોની હાજરીમાં સત્યાગ્રહની લડત માટે સરદાર પટેલને પ્રમુખ અને મંત્રી તરીકે મહાદેવભાઈને ચુંટવામાં આવ્યા. જમનાલાલજી ગાંધીજીની પહેલી ટુકડીને વ્યવસ્થા કરવા આશ્રમમાં જ રહે અને પુનાથી ૫૦૦ સ્વયંસેવકોએ, દિલ્હીથી ૨૦૦ સ્વયંસેવકોએ જોડાવાની તૈયારી સાથે સંદેશો પાઠવ્યો. તામીલનાડમાં રાજાજીએ હાકલ કરી. આમ ભારત ભરમાં આ યાત્રાની વાતો થવા લાગી આથી વાઈસરોય પણ મુઝવણમાં મુકાય, અને અંગ્રેજ અમલદારો અને વાઈસરોયની મસલતોનો દોર શરૂ થયો, પ્રશ્ન એક જ કે ગાંધીજીને ગિરફ્તાર કરવા કે નહી. અને ગિરફ્તાર કરવા તો ક્યારે કરવા સાબરમતીથી યાત્રા શરૂ થાય ત્યારે કે સત્યાગ્રહ કરી કાયદો ભંગ કરે ત્યારે, કે પછી ગાંધીજીને ગિરફ્તાર ન કરી સ્વયંસેવકોને ગિરફ્તાર કરવા. વગેરે વાતો આ મીટીંગોમાં થઈ.

ચૌરીચોરા અને બારડોલી સત્યાગ્રહની લડત બંધ રાખી તે સમયેજ બ્રિટિશ સરકારે પીઠ પાછળ ઘા કરી ગાંધીજીની ધરપકડ કરીને ૬ વર્ષની સજા ફટકારી. અને લોર્ડ બર્કનહેડે પાર્લામેંટમાં અભિમાન સાથે કહ્યુ કે “ગાંધીજીને પક્ડ્યા અને હિંદુસ્તાનમાં કુતરુ પણ ભસ્યુ નહી. અમારી સરકાર સુખેથી ચાલી રહી છે.” આ તરફ સરદાર પટેલ બ્રિટિશ સરકારને જડ્બાતોડ જવાબ આપવાનો વિચાર મનમાં સતત ઘોળાયા કરતો હતો. અને ગાંધીજીને ધરપકડ મીઠા સત્યાગ્રહમાં થાય અને તરત જ સત્યાગ્રહનો જ્વાળામુખી ભભુકી ઉઠે અને સત્યાગ્રહીઓ બધી જ જેલો ભરી દે અને સરકારને જમીન મહેસૂલની એક પાઈ પણ ન મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાની યોજના સરદાર સાહેબના મનમાં ચાલી રહી હતી. અને આ વાત તેમના ભરુચના ભાષણમાં પણ જણાઈ આવે છે. ૧૨મી માર્ચે સાબરમતીથી ગાંધીજી કૂચનો આરંભ કરે તે પહેલાં સરદાર પટેલ દરેક કૂચના માર્ગમાં આવતા દરેક ગામો કે નગરોની મુલાકાત લેવી તેમ તેમણે વિચાર્યું હતુ અને તેના ભાગરૂપે તેમણે પાટણવાડિયા-ક્ષત્રિય ભાઈઓને શાંતિપુર્વક સત્યાગ્રહમાં ભાગ લેવા મહીસાગર કાંઠે આવેલ કંકાપુરા ગામમાં મળનારી જાહેરસભામાં ભાષણ કરવા ૭મી માર્ચ રવિવારનો દિવસ નકકી થયો, અને તે માટે સરદાર પટેલ સવારમાં બોરસદ આવ્યા અને ત્યાથી એક બસમાં કાર્યકર્તાઓ સાથે કંકાપુરા ગામે જવા નીકળ્યા, રસ્તામાં રાસ ગામે જમી બપોરે કંકાપુરા જવાનું હતું પરંતુ રાસ ગામના લોકોને લાગ્યું કે અમારો એવો કયો ગુનો કે સરદાર સાહેબ ગામમાં પધારે અને ગામના લોકોને સત્યાગ્રહ વિશે એક વાત પણ ન કરે? પરંતુ સરદાર સાહેબે સ્વાભાવિક રીતે મીઠા સત્યાગ્રહ બાબતે ગામની તૈયારી વિશે પુછતા, ગામના આશાકાકા (આશાભાઈ લલ્લુભાઈ પટેલ)એ કહ્યું કે રાસ ગામ આખું આ લડતમાં જોડાશે અને જેલમાં જવા માટે ૨૦૦ જેટલા સ્વયંસેવકોએ તૈયારી દર્શાવી. અને બહેનોએ પણ સ્વેચ્છાએ સત્યાગ્રહની લડતમાં જોડાવા તૈયારી બતાવી. ગામનો જુસ્સો જોતા સરદાર પટેલે ગામની ભાગોળે વડ નીચે જાહેરસભા કરવાની તૈયારી દર્શાવી. સભા તો કંકાપુરામાં જ હતી એટલે સરકારી પોલીસનો કાફલો કંકાપુરામાં ખડકાયો હતો, રાસની સભાની ખબર મળતા પોલીસો મેજીસ્ટ્રેટ સાથે મારતી મોટરે રાસ પહોચ્યાં, સભાનો સમય થતા મેજિસ્ટ્રેટે સરદારને ભાષણ નહી કરવાનો હુકમ કર્યો. અને આ હુકમની નાફરમાની કરવાની સરદાર પટેલે જાહેરાત કરી આથી મેજિસ્ટ્રેટે સરદાર સાહેબની ધરપકડ કરવાનો હુકમ જાહેર કર્યો. અને પોલીસ સુપરિંટેંડંટ બીલીમોરીઆએ સરદાર પટેલની ધરપકડ કરી. ૧૨મી માર્ચ પહેલાં જ રાસ ગામે લડત શરૂ થઈ ગઈ તેમ સરદાર સાહેબે જણાવી રાસને અભિનંદન પાઠવ્યા અને રાસમાં સભા ન હોવા છતા સરદાર સાહેબે ગામના આગ્રહથી સભા કરવાની તૈયારી બતાવી આથી રાસ ગામે પોતાની જવાબદારી સ્વીકારી લડતમાં ઝુકાવવાની ગાંઠ વાળી. ફુલચંદભાઈ અને રાવજીભાઈ વગેરે કંકાપુરા પહોચ્યા અને હજારોની સંખ્યામાં એકત્ર થયેલા ક્ષત્રિયભાઈઓને સંબોધ્યા. અને આમ સરદાર સાહેબનું કંકાપુરાનું અધુરુ કાર્ય પુરુ કર્યુ. એક તરફ સરદાર પટેલની ધરપકડ, ખટલાની સુનવણી અને ૩ માસની સજાના સમાચાર અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં ફેલાયા એટલે ૮મી ની સાંજે સાબરમતીના તટ પર ગાંધીજીના પ્રમુખપદે ૫૦ થી ૭૫ હજાર લોકોની વિરાટ સભા મળી અને ઠરાવ થયો કે અમે અમદાવાદના શહેરીઓ અમારો નિર્ણય જાહેર કરીએ છીએ કે, વલ્લભભાઈને જ્યા લઈ જવામાં આવ્યા છે ત્યાં અમે જવા તૈયાર છે. જ્યા સુધી દેશને સ્વાધીનતા પ્રાપ્ત ન થાય ત્યા સુધી જંપીને બેસીશું નહી, અને સરકારને પણ શાંતિથી બેસવા નહી દઈએ. અમે અંતઃકરણથી માનીએ છે કે હિંદુસ્તાનની મુક્તિ સત્ય અને અહિંસાના પાલનમાં રહેલી છે.” આ ઠરાવ થતાં જ મહાત્મા ગાંધીજીની જય અને સરદાર વલ્લભભાઈની જય ના ગગનભેદી નારાઓ ગુંજી ઉઠ્યા.

સરદાર પટેલની ધરપકડ થયા બાદ ગાંધીજીએ મીઠા સત્યાગ્રહ અટકાવ્યો નહી અને સાબરમતી થી દાંડી કૂચ કરી બ્રિટિશ સરકારના પાયા હચમચાવી દીધા. દાંડીમાં ૦૫-૦૫-૧૯૩૦ના રાત્રે ૧ વાગ્યે ગાંધીજીની ધરપકડનું વોરંટ બહાર પડ્યુ. જે મુજબ મોહનદાસ કરમચંદ ગાંધીને સરકારની ઈચ્છા હોય ત્યાં સુધી યરવડા મધ્યસ્થ જેલમાં કેદ રાખવા. ગાંધીજી સહિત તેમના દાંડીકૂચના ૮૧ સાથીદારો તથા દરેક સત્યાગ્રહીઓને નમન. 






sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

© all rights reserved
SardarPatel.in