Mayor of Mumbai

Mayor of Mumbai

૧૯૨૪ના ડિસેમબર દરમ્યાન, ગાંધીજી દ્વારા શરુ કરાયેલ ૧૯૨૧ના અસહકાર આંદોલનની અસર ધીરે ધીરે ઓછી થઈ રહી હતી. ગાંધીજી પોતે બ્રિટિશ સરકારના કેદી તરીકે યરવડા જેલમાં કેદ હતા. અને આવા સમયે બ્રિટિશ સરકારને ભારતમાંથી હાંકી કાઢવાની વાત એક દિવસ્વપ્ન કે વાહિયાત લાગવા માંડી હતી. અને બ્રિટિશ સરકાર પોતાની પકડ દેશ પર મજબૂત કરી રહી હતી. અને આવામાં સલામતીશોધક સૌ સરકારની પડખે સંતાવા લાગ્યા.

આવા સમયે હિંદુસ્તાનના વાઈસરોય લોર્ડ રીડિંગની સત્તાવાર મુલાકાત મુંબઈ શહેર માટે ગોઠવાઈ. અને તેમના હાથે ગેટ વે ઓફ ઈંડિયાનો ઉદ્ઘાટનવિધિનો કાર્યક્રમ યોજાયો. એટલે સ્વાભાવિક છે કે તેમના માનમાં ભવ્ય સમારંભો, ભોજન સમારંભો, સ્નેહ મિલનો યોજાયા અને વાઈસરોયને સન્માન માટે યોજાયેલ મિલનોને સમારંભોમાં પહોચવા માટે તલપાપડ થતા કેટલાય સજ્જનો અને આગેવાનો આ સમારંભોના આમંત્રણો માટે પડાપડી કરતા હતા.

આવામાં એક નીડર, હિંમતવાન દેશદીપકે અસહકારની જ્યોત જલાવી રાખેલ. એ સમયે આ દેશદીપક મુંબઈનું મોભાદાર મેયરપદ (મુંબઈનો પ્રથમ નાગરિક) શોભાવતા હતા. આમતો મેયરે શહેરમાં પધારતા દરેક મહાનુભાવોનું સૌ પ્રથમ સ્વાગત કરવાનો હક્ક અને અધિકાર હતો. અને આવામાં વાઈસરોયના સ્વાગતનો લહાવો કાંઈ વારે વારે મળતો નથી, અને આ સ્વાગતમાં પરિચય પણ થાય અને આ પરિચય ખુબજ  મદદરૂપ થાય.


આ દરેક સંભાવનાઓ કે લાલચોને ઠોકર મારી એ મેયરે પોતાના નામે આવેલ મુંબઈ સરકારનું આમંત્રણ આવ્યુ કે તરત મુખ્ય સચિવને સખેદ લખી જણાવ્યું કે પરદેશી ધૂંસરીમાંથી રાષ્ટ્રને મુક્ત કરવા મથતા પોતાના પક્ષની સ્વીકૃત નીતિ અનુસાર હું એ સમારંભોમાં ઉપસ્થિત રહી શકીશ નહીં!


સમગ્ર ભારતના વહીવટી વડા અને ઈંગલેંડના રાજાના પ્રતિનિધિ, ભારતના પ્રમુખ શહેરમાં પધારે અને તેના સ્વાગતમાં શહેરનો પ્રથમ નાગરિક જ ગેરહાજર હોય તો કેવું ખરાબ લાગે! અને વાઈસરોયનું અપમાન બ્રિટિશ સરકારની નોકરશાહી કેવી રીતે સહન કરી શકે? આથી પડદા પાછળનો દોરીસંચાર શરૂ થયો. કોર્પોરેશનના સરકાર નિયુક્ત સભ્યોને ફરમાન આવ્યા, બિનસરકારી, પણ સરકારથી અંજાઈ જતા મ્યુનિસિપલ સભ્યોને ઈશારા થયા કે પ્રમુખ ઉપર દબાણ લાવો, કોર્પોરેશની સભામાં આ અંગે ઠરાવ લાવો અને પ્રમુખને આદેશ આપો કે એમણે આ પ્રસંગોએ હાજરી આપી કોર્પોરેશનની શોભા વધારવી! ચારેકોર ચક્રો ગતિમાન થયા; મેયર પર અંગત દબાણો આવ્યા છતાં મેયર અડગ જ રહ્યા. એમને જાણનાર દરેકને ખાતરી થઈ કે કોર્પોરેશનની સભા વગર કોઈ આરો નથી; આથી સભા બોલાવાઈ.

સભાની શરૂઆતમાં જ મેયરે સ્પષ્ટતા કરી કે 
રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ બજાવવાના અને પોતાના અંતરાત્માના અવાજને માન આપવાના દ્વિવિધ હેતુથી પોતે જે પગલું ભર્યુ અને એમાં વાઈસરોય પ્રત્યે અંગત કોઈ આદરભાવની છાયા નહોતી.
પ્રમુખની આ સ્પષ્ટતા પૂરી થયે એક સભ્યે કાનૂની મુદ્દો ઊભો કર્યો કે મેયરેની કાર્યવાહી અંગે ચર્ચા કરવા સભા એકત્ર થઈ છે ત્યારે તેઓ પ્રમુખપદ શોભાવી શકે ખરા? મેયર ચુકાદો આપ્યો કે પોતે તત્કાલીન મ્યુનિસિપલ નિયમ અને ધારા અનુસાર વર્તન કરી રહ્યા છે અને એ ધારાની જોગવાઈઓનું પાલન કરતા હતા. મેયરની કાયદાની પકડ અને વકીલાતી ચોકસાઈ એવી હતી કે એમાં વાંધો ઉઠાવવા કોઈની હિંમત ચાલી નહી. પરિણામે પરચૂરણ સામાન્ય કામકાજ કરી સભા બરખાસ્ત થઈ અને મેયરની હાજરીનો સવાલ વિચારવા અલગ સભા બોલાવાઈ.

આ સભામાં મેયર ગેરહાજર રહ્યા અને કોર્પોરેશનની બહુમતીએ ઠરાવ કર્યો કે વાઈસરોયના માનમાં કે એમની મુલાકતના સંદર્ભમાં ગોઠવાયેલા આ સમારંભોમાં, કોર્પોરેશનનું પ્રતિનિધત્વ સાચવવા મેયરે હાજર રહેવું. રાજતરફી વલણથી દોરવાયેલા બહુમતી સભ્યોના આ આદેશને, પોતાની દેશભક્તિને આંચ આવે એટલે સર્વ જોખમો વહોરી, મેયરે અવગણ્યો અને મુંબઈ શહેરના પ્રથમ નાગરિકની ગેરહાજરી સર્વપ્રસંગે વર્તાઈ, એટલું જ નહી પણ લોકજીભે ચઢી. આ અવજ્ઞાથી છંછેડાયેલા, ધુંધવાયેલા ઉચ્ચ અધિકારીઓના ચઢાવેલા પેલા સભ્યો પણ ઉશ્કેરાટ અનુભવી રહ્યા હતા અને પ્રમુખશ્રી પ્રત્યે આગામી સભામાં, અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવાનો મનસૂબો સેવતા રહ્યા અને તેની યોજનાઓ પણ બનાવતા રહ્યા.

વાઈસરોયની વિદાયના થોડાજ સમય પછી કોર્પોરેશનની બેઠક બોલાવાઈ એટલે પેલા અવિશ્વાસની દરખાસ્તની ખુજલીવાળા લોકોને લાગ્યુ કે મેયરને સબક શીખવાડવાનો મોકો મળ્યો છે, અને આ તક ગુમાવવી ન જોઈએ, પણ આ સ્વામાની મેયરની અગમચેતી ના કારણે તેમનો અંદાજ કાચો પડ્યો. પેલા મેયર સભાના પ્રમુખસ્થાને બેસવાને બદલે, અન્ય સૌ સભ્યગણ સાથે સ્વસ્થતાથી બિરાજ્યા હતા. આ સ્થાનફેરનો આંચકો વિરોધીઓ માટે અણધાર્યો હતો અને તેમને આ આંચકાથી મુક્તિ મળે તે પહેલાં તો મ્યુનિસિપલ સેક્રેટરીએ સભા સમક્ષ મેયરશ્રીના રાજીનામાનો પત્ર પ્રસ્તુત કર્યો. પત્રમાં ઉલ્લેખ હતો કે, “પોતાના વલણની કોર્પોરેશનના સભ્યોને સ્પષ્ટ જાણ હોવા છતાં બહુમતીએ ઠરાવ કર્યો કે મારે વાઈસરોયના સમારંભોમાં હાજર રહેવું તેને હું મારા પ્રત્યેના અવિશ્વાસનું સુચક લેખું છું; અને એટલે મારા અંતરાત્માના અવાજને માન આપતાં આ સ્થાન ખાલી કરવાની મારી ફરજ સમજું છું. કેટલાક મિત્રોએ મને એવી પણ સલાહ આપી છે કે ઠરાવની તરફદારી કરનાર બહુમતી સાવ નજીવી હતી. એટલે આને મારે વિશ્વાસનો અભાવ લેખ્યા સિવાય, મારુ કાર્ય ચાલું રાખવું. એ મિત્રોની સદ્દભાવના બદલ હું એમનો ઋણી છું. પણ મારા પોતાના સ્વમાન ખાતર મારે રાજીનામું આપવું મને વિશેષ પસંદ અને ઉચિત લાગ્યું છે.”

સભામાં સન્નટો વ્યાપી ગયો. મેયરનું આવું અણધાર્યુ પગલાના કારણે જે લોકો મેયર ઉપર હાવી થવા માંગતા હતા તેઓની મનની મનમાં રહી ગઈ, અને સભા હવે કેવી રીતે આગળ વધારવી તે એક વિચારવા જેવો પ્રશ્ન થઈ ગયો. થોડી ગુસપુસ અને મસલતો થયા બાદ એક સભ્યે ઠરાવ મુક્યો કે માજી મેયર આજની સભાના પ્રમુખ સ્થાને કામગીરી બજાવે. આ વાતને બહુમતી સાથે ટેકો મળ્યો અને રાજીનામું આપનાર મેયર સભાના પ્રમુખસ્થાને બિરાજ્યા.અને શાંતિથી સભાનું સમાપન થયું. બીજી સભામાં પણ પહેલી સભાની જેમ જ માજી મેયરના પ્રમુખપદે સભાનું કામકાજ સંપુર્ણ થયું.

૫ જાન્યુઆરી ૧૯૨૫ મેયરની ચુંટણીની તારીખ આવી. રાષ્ટ્રીય પક્ષના એક સભ્યે દરખાસ્ત કરી કે રાજીનામું આપનાર માજી મેયરને જ પુન:ચુંટવા એ દરખાસ્તને અણધાર્યો ટેકો બહેરામજી જીજીભાઈ જેવા સરકારતરફી વલણવાળા સભ્યનો મળ્યો. તેમણે નિવેદન કર્યુ કે વાઈસરોય સમારંભની ગેરહાજરી અંગે પોતાના અંતરાત્માના અવાજને માન આપી એમણે જે પગલું ભર્યુ તેને બાદ કરતા એમનું એવું કોઈ કાર્ય નથી કે જેનો આદર સૌએ ન કર્યો હોય! એમની કામ કરવાની ધગશ અને ઢબના કારણે જ તેમને પુન: મેયરપદે ચુંટવા.

ગોરા અને સનદી મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ક્લેટને પણ જણાવ્યું કે મેયરપદને શોભાવે તેવા સૌ ગુણ, લક્ષણો અને આવડત માજી મેયરમાં છે, એમની આજદિન સુધીની કાર્યવાહીની સ્પષ્ટ અસરથી માલુમ થાય કે તેમની નિષ્પક્ષતાપણામાં કોઈ શક કરી શકે તેમ નથી.

બહેરામજી અને ક્લેટનના અણધાર્યા ટેકાથી પુન: મેયરપદે બહુમતીથી ચુંટાયા અને રાષ્ટ્રીયત્વની દ્વજા લહેરાઈ.

આમ પોતાના નિર્ણયમાં મક્કમ રહી વિરોધીઓને પોતાની કાર્યશક્તિ, કુનેહ અને અક્કલહોશિયારીથી માત આપી, અને આજીવન બ્રિટિશ સરકાર અને તેની નોકરશાહીને પોતાના દાવપેચથી નિયંત્રણમાં રાખનાર ભારતના સ્વાતંત્રસંગ્રામના એક અગ્રગણ્ય સેનાની, ભારતની વડી ધારાસભાના પ્રથામ ચુંટાયેલ પ્રમુખ એ જ તો હતા શ્રી વિઠ્ઠલભાઈ પટેલ.

Modern Marvel : Statue of Unity - 1 of the Best Creation by India

Modern Marvel : Statue of Unity - Full Episode



Watch Full Documentary film : Modern Marvel: Statue of Unity released on 29th May 2019 at 9 PM made by History TV 18 Sardar Patel's Statue of Unity. Detail story of Modern Marvel : Statue of Unity




Sardar Patel and Indian Nationalism by Dr Ravindra Kumar

Sardar Patel and Indian Nationalism by Dr Ravindra Kumar



About Dr. Ravindra Kumar

A well-known Indologist and the former Vice-Chancellor of CCS University Meerut, India, Kumar has been associated with several national and international academic, cultural, educational, peace and social bodies/institutions/organizations. As an International Professor and a Cultural Ambassador of India, he has delivered four than four hundred lectures at various institutions and universities of the world on subjects related to Asian values, civilization, culture, Gandhian philosophy, Indology, international co-operation and understanding, leadership, way of life, women's empowerment, world peace, youth affairs etc.

As a Peace Worker, Kumar started Peace Review – an international journal of peace studies in 1998 and worked as its Editor-in-Chief. In 2001 he has started Global Peace –another international journal of philosophy, peace, education, culture and civilization. Besides, he has inspired hundred and thousands of people all over the world for their commitment towards non-violence by signing pledges.

Between 1993 and 2015 Ravindra Kumar has organised a number of seminars, symposiums and workshops at national and international level on subjects related to value education, religion and politics, non-violence and democracy, morality and ethics in public life, human values and rights, education, peace and development, Gandhian philosophy.

Source : Wikipedia


Sardar Patel’s ImportantRole in Borsad Satyagraha-2

Sardar Patel’s Important Role in Borsad Satyagraha-2

બોરસદ સત્યાગ્રહ માં સરદાર પટેલની ભૂમિકા ભાગ-૨

સપ્ટેમ્બરના અંતમાં જેવા સરદાર પટેલ અમદાવાદ પહોંચ્યા કે તરત બોરસદના લોકો પોલીસ થી થતી કનડગત અને દંડના અનેક પ્રશ્નો લઈને તેમની પાસે આવ્યા. સરદાર પટેલે આખી વિગત નો તાગ મેળવી, આખી પરિસ્થિતિ વિશે વિચાર-વિમર્શ કરવા ૨૦ ઓક્ટોબર ૧૯૨૩ ના દિવસે ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક બોલાવી. આ બેઠક પણ નક્કી થયું કે બોરસદના ગામડાઓની તપાસ શ્રી મોહનલાલ પંડ્યા અને શ્રી રવિશંકર મહારાજ કરશે. મોહનલાલ પંડયા અને રવિશંકર મહારાજ બંને ગામડાઓના ભોમિયા આથી તેઓ સરળતાથી પરિસ્થિતિ નો રિપોર્ટ ગુજરાત પ્રાંતિક સમિતિ આગળ રાખ્યો સાથે સાથે સરદાર પટેલે પણ આ બાબતે સરકાર નું શું અભિગમ છે તથા સરકાર ના અમલદારો આ બાબતે શું કરી રહ્યા છે તેની માહિતી મેળવી.

બોરસદની પ્રજાએ જે ફરિયાદો સરકાર ને લગતી કરેલી તે સાચી પડી અને પ્રજા ને જે કનડગત થઈ રહી છે તે સાચી છે. હવે આ અન્યાય સામે લડવા લોકો કેટલા તૈયાર છે તે સમજવાનું હતું આ માટે ૨જી ડિસેમ્બર ૧૯૩૦ ના દિવસે બોરસદમાં જ બોરસદ તાલુકા પરિષદ બોલાવવામાં આવી. અને તેના આગલા દિવસે ગુજરાત પ્રાંતિક સમિતિની ખાસ બેઠક પણ ત્યાં જ રાખી, બેઠકમાં સરદાર પટેલ દ્વારા રવિશંકર મહારાજ અને મોહનલાલ પંડ્યા ને તેમના દ્વારા સોંપાયેલ રિપોર્ટ વિશે અનેક પ્રશ્નો પૂછ્યા, રવિશંકર મહારાજ આ પહેલા સરદાર પટેલ ના સંપર્ક માં બહુ ઓછા આવેલા હતા જેથી તેમને થોડું માઠુ પણ લાગ્યું, બંનેને અંદરખાને એવું લાગવા માંડ્યું ગામેગામ ફરીને જે રિપોર્ટ બનાવ્યો તેને શંકાની દૃષ્ટિએ જોવામાં આવી રહ્યો છે અને મોહનલાલ પંડ્યા એ તો કહી પણ દીધું કે વલ્લભભાઈ સાથે એમનાથી ભવિષ્યમાં કોઈ પણ કામ નહીં બને.

વલ્લભભાઈએ જે પ્રશ્નો ઉલટ તપાસ માટે પુછેલ તેનું એક જ કારણ હતુ કે દરેક વાત ઝીણવટથી સમજવી અને પ્રજાનો પક્ષ માત્ર સાચો છે તેમ માની લઈને આગળ વધતા પહેલાં જાતખરાઈ કરવી એ વલ્લભભાઈનો જાણે કે નિયમ છે.ગાંધીજીના શબ્દોમાં કહીએ તો "સત્યને અનુસરવું હોય તો હંમેશા સાવધ રહેવું."

પ્રાંતિક સમિતિની બેઠકમાં વલ્લભભાઈએ જે ભાષણ કર્યુ તે સાંભળીને રવિશંકર મહારાજ કે જેઓ વલ્લભભાઈથી અંતર રાખવાનું મન મક્કમ બનાવી બેઠા હતા તેઓ આ ભાષણથી એવા તો પ્રભાવિત થયા કે તેઓનું મનદુ:ખ દુર થવાની સાથે સાથે તેઓ વલ્લભભાઈના ચાહક બની ગયા. તેમના ભાષણમાં રવિશંકર મહારાજ અને મોહનલાલ પંડ્યાએ જે રીપોર્ટ આપેલ તે બાબતે પ્રશંસા કરી અને તેમાં ખાસ વિગતો ટાંકી પ્રાંતિક સમિતિ વતી ઠરાવ પણ લખી નાખ્યો.

ગુજરાત પ્રાંતિક સમિતિએ તા. ૦૧-૧૨-૧૯૨૩ ના રોજ જે કરેલ તેનાથી તો સમજમાં તરત આવી જાય કે જાણે વલ્લભભાઈ પટેલના મનમાં "પાર્થને કહો ચડાવે બાણ" જેવી ઉક્તિ રમતી હશે. આ ઠરાવમાં તો જાણે પ્રારંભિક લડાઈ શરુ થઈ હોય તેમ લાગે છે.

તા. ૦૧-૧૨-૧૯૨૩ નો ભાષણ :

ભાઈઓ તથા બહેનો,

આવતી કાલે જે પરિષદ થવાની છે તેનો ઉદ્દેશ શુ છે તે આજની રાતે જ વિચારીને રાખજો, પ્રશ્ન ખુબજ ગંભીર છે અને ધારાસભા ભરાશે અને ત્યાં તમારી સમસ્યાનો નિકાલ આવશે તેવી રાહ જોવે હવે પાલવે તેમ નથી. ધારાસભા તો હજુ ફેબ્રુઆરીમાં ભરાશે, તમે લુંટારાઓની સોબતમાં છો અને બહારવટીયાઓની મદદ કરો છો તેવું જુઠ્ઠાણું ચલાવીને તમારી ઉપર ૨,૪૦,૦૦૦૦નો દંડ લાધ્યો છે. આજ સુધીતો તમને બે ચાર બહારવટીયાઓનો ત્રાસ હતો અને તેમણે ઘણી લુંટ પણ ચલાવી. પોલીસ પણ ગામેગામ તુટી પડી. એ બહારવટીયાઓ તો પૈસા જ લુંટી જતા. આ નવા બહારવટીયાઓ (અંગ્રેજ સરકાર) તો કહે કે અમારે ત્યાં આવીને પૈસા આપી જાવ અને અધુરામાં પુરુ કહે કે તમે લોકો બહારવટીયાઓની મદદ કરો છો. એક ત્રાસ છોડાવતા બીજો ત્રાસ આવ્યો.

દરબાર ગોપાળદાસને માન આપી તમે આજ સુધી દંડ નથી આપ્યો, હવે દંડ ભરવો કે નહી તે આવતી કાલે વિચારવાનું છે પરંતુ આજે રાતે એક નિશ્ચય કરવાનો છે આમાં પાખંડ નહી ચાલે, આ કાંઈ આર્થિક લાભ માટે નહી પરંતુ સ્વમાન માટે કરવાનું છે, ફરી કોઈ તમન બહારવટીયાઓના મદદગાર ન કહે તેના માટે કરવાનું છે. સાચા માણસ હોવ તો દંડ નહી ભરવાનો નિશ્ચય કરજો.

આ લડત બોરસદમાં જ શરુ થાય અને બોરસદના લોકો જ પાછા પડે તો બધા જ પાછા પડશે, સરકારના ચોપડે લખાયુ છે કે બોરસદની પ્રજા ડરપોક છે, કાયર છે, બાયલા છે, ચોરીનો માલ રાખનાર છે, આ બધુ જ ભુસી નાખવા પણ લડતનો નિશ્ચય કરવો પડશે. ક્રમશ:

Modern Marvel: Statue of Unity


Modern Marvel: Statue of Unity





Don't forget to watch Documentary film : Modern Marvel: Statue of Unity on 29th May 2019 at 9 PM made by History TV 18 Sardar Patel's Statue of Unity






Modern Marvel: Statue of Unity

Sardar Vallabhbhai Patel Drawing

Sardar Vallabhbhai Patel Drawing

Drawing of Sardar Vallabhbhai Patel

How to Draw Sardar Vallabhbhai Patel step by step


Great work done by the artist who draw Sardar Patel Drawing, really appreciated.







VANDE MATARAM

Sardar Patel's Important Role in Borsad Satyagraha

Sardar Patel's Important Role in Borsad Satyagraha

બોરસદ  સત્યાગ્રહમાં સરદાર પટેલની મહત્વની ભૂમિકા - ૧


સરદારશ્રીના જીવન ચરિત્ર માં બોરસદ સત્યાગ્રહ એક મહત્વનો ભાગ ભજવ્યો છે,  આ સત્યાગ્રહ થકી સરદાર શ્રી જાહેર જનતા ને કેવી રીતે પીઠબળ પૂરું પાડ્યું તથા તેમણે બોરસદના લોકોને અંગ્રેજ શાસન સામે લડવાની  હિંમત પણ આપી. આ લડત એટલા માટે વિશેષ છે કારણકે સરદાર શ્રી બોરસદ તાલુકાના આશરે દોઢેક લાખ લોકોને આ લડત લડવા માટે જાગૃત કર્યા.  તથા આ લડત અસહકાર ની પડતી ના સમયે યોજાઇ હતી જે સમયે ગાંધીજી લાંબો જેલવાસ ભોગવી રહ્યા હતા અને મહાસભાના મંચ ઉપર અસહકાર કે ધારાસભા પ્રવેશ એવું સંઘર્ષણ ચાલી રહ્યું હતું. સરકારે આ લડત ને  પ્રજાની વાત સાચી ગણી માન્ય રાખી જે તે સમયની ઘટનામાં અભૂતપૂર્વ કહેવાય!

બોરસદ સત્યાગ્રહનો પ્રારંભ તારીખ ૨ ડિસેમ્બર ૧૯૨૩ના દિવસે થયો.  તથા તેની યશસ્વી પૂર્ણાહુતિ ૧૨ જાન્યુઆરી ૧૯૨૦ના દિવસે ઉજવવામાં આવી. આ લડત ના કારણો પરિસ્થિતિઓ જાણવી ચરોતરના નાગરિકો તથા દેશના નાગરિકો માટે  અગત્યની છે. આ લડત પૂરી થયાના ચારેક માસ પછી બોરસદમાં સાતમી ગુજરાત રાજકીય પરિષદ ભરાઈ. આ પરિષદમાં ગાંધીજી દ્વારા મોકલવામાં આવેલ સંદેશો ખૂબ જ મહત્વનો હતો,  તેમણે કહ્યું કે” બોર્ડ સાથે ગુજરાતને શોભાવ્યું છે. બોરસદ સત્યાગ્રહ કરી, ભોગ ત્યાગ કરી, પોતાની જાતને હિન્દુસ્તાનની સેવા માટે અર્પણ કરી છે. બોરસદ જમીન સાફ કરી; ચણતર કરવાનું બાકી છે ને તે કઠણ છે. તે કામ થઈ રહ્યું છે, કેમ હું જાણું છું.”

બોરસદની આ લડત બાદ આશરે ચારેક વર્ષ પછી બારડોલીનો સુપ્રસિદ્ધ  સત્યાગ્રહ થયો. આ સત્યાગ્રહથી શ્રી વલ્લભભાઈ ને સરદાર તરીકે દેશના ખૂણે ખૂણે લોકો જાણતા થયા તથા તેમનું નામ દેશના નેતાઓની પ્રથમ યાદીઓમાં ધડકવા લાગ્યું. બારડોલી સત્યાગ્રહ વિક્રમ સર્જ્યો તેના બીજ કદાચ બોરસદ સત્યાગ્રહ માં રોપાયા હશે અને આથી જ દેશને સરદાર મળ્યા.  બોરસદ સત્યાગ્રહ આશરે દોઢ માસ સુધી ચાલ્યો, અને આ સત્યાગ્રહનો ખૂબ ટૂંકો ગાળો હતો, જેથી તેને દેશમાં નહીં પરંતુ તે સમયના મુંબઇ રાજ્યમાં પણ પ્રસિદ્ધિ ન મળી. લોકો જાણે સમજે કે બોરસદમાં શું થઈ રહ્યું છે તે પહેલા તો લડત નો સંપૂર્ણ વિજય થયો.આ લડતનો વિજય કેટલો જ્વલંત હતો તે વિશે ગાંધીજીએ નવજીવન માં તારીખ ૬ એપ્રિલ ૧૯૨૪ ના રોજ લખેલ લેખ વાંચવા  જેવો છે. ગાંધીજી એ લખેલ આ લેખના અમુક મહત્વના મુદ્દા દરેક ગુજરાતીઓએ જાણવા જેવા ખરા. ગાંધીજી લેખની શરૂઆતમાં લખેલ કે ગુજરાતના છેલ્લા બે વર્ષના ઇતિહાસ ગુજરાતીને શોભાવે તેવા હતા, જે ગુજરાતને શોભાવે તે હિન્દુસ્તાનને શોભાવે. વલ્લભભાઈની કાર્યદક્ષતા દરેક જગ્યાએ જોઈ શકાય છે અને તેમના જેવા જ તેમના સાથીઓ. બોરસદ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ઘણેઅંશે ચડી જાય તેવી છે.  ખેડા સત્યાગ્રહ ની જીત માન ની હતી, જ્યારે બોરસદ સત્યાગ્રહ માં માન અને અર્થ બંને સચવાયા.

આ લડત પછી વલ્લભભાઈ પટેલ ગુજરાતના સૂબા તરીકે ઓળખાયા. તે સમયે તો બોરસદ તાલુકામાં ડાકુઓ નો ત્રાસ ખૂબ જ વધેલો હતો. સાંજના પાંચ વાગ્યા પછી કોઈ બહાર જવાની હિંમત પણ ન કરે, પરંતુ આ ત્રાસ વધારવામાં સરકારનો પણ એટલો જ હાથ હતો. સરકારે બાબરદેવા નામના ધાડપાડુને પકડવા  અલી નામના ધાડપાડુ ને બંદૂક અને કારતૂસો પૂરા પાડ્યા. અલી ને પોલીસ નું રક્ષણ મળ્યું અને ઉપરથી સરકાર લોકો ઉપર દોષારોપણ કરે કે લોકો બહારવટિયાઓને સંઘરે છે અને તે માટે સરકારી નોકરો ને બાદ કરતા ૧૬ વર્ષથી ઉપરના ભાઈઓ બહેનો પર વેરો નાખી, અને એટલે જ લોકો આ વેરાને હૈડિયાવેરો કહેતા.

મહી સાગરના કાંઠે ઘણા  કોતરો બનેલા છે જેમાં ચોર અને બહારવટિયાઓ લોકોની નજરે આવ્યા વગર સહેલાઇથી સંતાઈ શકતા હતા, આ  કોતરો ના કારણે તેમને પકડવા પણ મુશ્કેલ હતા.જેમ જેમ અંગ્રેજ હકૂમત નો વ્યાપ આ દેશમાં વધતો ગયો તેમ તેમ રાજા રજવાડા અંગ્રેજ રાજ સામે શરણાગતિ સ્વીકારી  લીધી, તથા તેમાંના કેટલાક રાજવીઓએ અંગ્રેજોની આધીનતા સ્વીકારી અને પોતાના રાજપાટ સાચવી લીધા. આના લીધે રાજ રજવાડા માં સિપાઈ કે બીજી અન્ય રોજગાર નું કામ ઓછું થતું ગયું જેનો આંચકો પ્રજાને સહન કરવો પડ્યો.  તથા લોકોનું બીજુ ભરણપોષણના સાધન તરીકે ખેતી હતી, પરંતુ પ્રજા ઘણી ભોળી અને અભણ હોવાના કારણે તથા સિપાઈગીરી કરી હોવાના કારણે કેટલેક અંશે ખર્ચાળ અને આળસુ બની ગયેલા. અને દારૂ તથા અફીણની લતે ચડી ગયેલા જેથી ખેતીનું કામ ભાગ્યે જ સારું હતું પરિણામે દેવું  વધી જતું.


પ્રજાનું સાચું દુઃખ તો આર્થિક  સંકડામણ હતું, અને તેમાં બળતામાં ઘી હોમાતું હોય તેમ અંગ્રેજોનો ક્રિમિનલ ટ્રાઈબ એક્ટ, જેના કારણે બ્રિટિશ સરકારે ખેડા જિલ્લાની આખી ઠાકોર કોમને આ કાયદો લાગુ પડાયો, જેમાં તમામ પુખ્ત વયના લોકો પુરુષો તથા સ્ત્રીઓ બધા જ ને સવાર-સાંજ પોલીસ થાણે હાજરી આપવા જવું પડતું. કોઈ સ્થળે ગુરુઓ કે લૂંટફાટ થઈ હોય તો આ લોકોમાંથી કેટલાય લોકો પર કેસ કરવામાં આવતા. જે લોકો જામીન ન લાવી શકે તેવા નિર્દોષ લોકોને પણ જેલમાં જવાનો  વારો આવતો. આવી હેરાનગતિના કારણે લોકો નાસી છુટતા અને ચોરી તથા લૂંટફાટના રવાડે ચડી જતા.
ક્રમશ:


For The Saviour of Untouchables

For The Saviour of Untouchables

“Entirely unconscious of the cultural work we are doing through our pictures inspite of great handicaps, we are still looked upon as untouchables by people from whom we seek sympathy” said Sardar Chandulal Shah in inviting Sardar Vallabhbhai Patel to inaugurate “Achhut” (The Untouchable) at the Royal Opera House on Saturday the 23rd December 1940.

In his inaugural speech Sardar Vallabhbhai Patel referred to the vital importance of the cinema in the life of a nation and stressed the necessity of using the immense potentialities of the film for the Indian film industry with patriotic enthusiasm Sardar Patel said, “That if “Achhut” really fulfills the ideals for which it is produced, it will have done a great and noble service to the cause of the Harijans. Untouchability is a blot on Hinduism and on India and must be wiped off as soon as possible. If the picture helps India to win Swaraj as untouchability is one of the chief obstacles in the road of freedom.”

While Sardar Vallabhbhai Patel said the truth in recognizing the film as a tremendous weapon of culture and propaganda, Mahatma Gandhi, the apostle of truth, “thinks” the cinema an evil. Why should there be such a great difference of opinion between the great leader and his first lieutenant? Mahatmaji has yet to see our pictures. The great apostle of truth can’t know the real truth unless his experiences it himself. Will he begin with “Achhut”? I shall ask Sardar Chandulal Shah to wait with the film tins and the Mahatma’s door, as we are all anxious to get his blessing for a struggling industry.

यह आर्टिकल फिल्म ईंडिया मेगेझीन १९४० से लिया गया है और अछुत शब्द प्रयोग आर्टिकल मे लिखा गया है यह शब्द प्रयोग हमारी किसी भी प्रकार से कोई भी व्यक्ति या समुदाय को ठेस पहुचाने हेतु नही लिखा गया यदि किसी को भी जाने अनजाने ठेस पहुची हो तो हमे क्षमा करे। - टीम सरदार पटेल.


Article & Photo Courtesy : FilmIndia - 1940 - Page - 7

Film Poster Courtesy - IMDB


The Indian States Man - Sardar Patel - Interview with Dr. Ravindra Kumar

The Indian States Man - Sardar Patel - Interview with Dr. Ravindra Kumar




Thanks to DoordarshanNational

© all rights reserved
SardarPatel.in