Vithalbhai Patel, Sardar Patel

LATEST POSTS

Vithalbhai Patel

Vithalbhai Patel

Sardar Patel

sardar patel

Today That Day - 26-03-1990 Tribute to Maniben Patel - કુમારી મણીબેન પટેલ - વલ્લભનંદિનીને શ્રધ્ધાંજલિ

કુમારી મણીબેન પટેલ - વલ્લભનંદિની

આજે મણીબેનની પુણ્યતિથી તા. ૨૬-૦૩-૨૦૨૪ ના દિવસે સફેદ ખાદીના કાપડની થિગડાવાળી સાડી અને કોણી સુધીની બાય વાળો બ્લાઉઝ કે પોલકું, સાડી થોડી ઊંચી પહેરેલ અને માથે ઓઢેલી હોય, સદાય આ પહેરવેશમાં નજર આવનાર ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રીના દીકરી મણીબેન પટેલ વલ્લભનંદીની એક અલગ દેખાઈ આવતા, સ્વભાવે તેઓ ગરમ મિજાજના અને સદાય સરદાર સાહેબની પાછળ પડછાયો બનીને રહ્યા. મણીબેનનો આટલો જ પરિચય ન હોઈ શકે. તેમના વિષે વિગતવાર સમજીએ તો તેઓનો જન્મ એવા યુગમાં થયો કે તે સમયે પુત્રીનો જન્મ એક અભિશાપ માનવામાં આવતો હતો, અને કદાચ જન્મ પછી તરત દૂધપીતી કરવાનો પણ રિવાજ હશે. આવા સમયમાં મણીબેન પટેલ ૩ એપ્રિલ ૧૯૦૪ ના દિવસે બેરિસ્ટર વલ્લભભાઈ પટેલના ઘરે માતા ઝવેરાબા ની કૂખે જન્મ લીધો. અને ૧૦ નવેમ્બર ૧૯૦૫ના દિવસે મણિબેનના નાના ભાઈ ડાહ્યાભાઈ પટેલનો જન્મ થયો. પાચેક વર્ષના મણીબેન થયા હશે ને તેમના માતા ઝવેરબાનું અવસાન થયું. અને બન્ને નાના બાળકોની જવાબદારી બેરિસ્ટર વલ્લભભાઈ પટેલના શિરે આવી. અને વલ્લભભાઈ પટેલે બીજા લગ્ન કર્યા નહી, બન્ને નાના બાળકો મનોમન સમજી ગયા હતા કે હવે દુનિયામાં માતા રહ્યા નથી. બેરિસ્ટર વલ્લભભાઈ એ બન્ને બાળકો માતાની હુંફ આપી અને પિતાની ફરજ બન્ને નિભાવી. વલ્લભભાઈ જ્યારે બેરિસ્ટર થવા માટે વિલાયત ગયા ત્યારે તેમણે નક્કી કરી રાખ્યું હતુ કે મણિબેન કે ડાહ્યાભાઈ બન્ને બાળકો સહેજ મોટા થાય એટલે વિલાયતમાં રાખી ત્યાંની જ કેળવણી આપવી, અને તેની પુર્વતૈયારીના ભાગરુપે મુંબઈની સેંટ મેરિઝ સ્કૂલના એક મિસ વિલ્સનને ત્યા છાત્ર તરીકે રાખ્યા જેના કારણે બન્ને બાળકો સીધી વાતચીત પધ્ધતિ દ્વારા અંગ્રેજી શીખી શકે. મણિબેનના શબ્દોમાં કહીએ તો : અમારા બુટ, મોજાં, હેટ તથા બીજા કપડા વાઈટવે તથા એવાંસ ફ્રેઝરને ત્યાંથી ખરીદવામા આવતા હતાં. વલ્લભભાઈ પટેલે બન્નેના ભણતર અને ઘડતરમાં કોઈ કચાશ રાખી નહોતી, અને જ્યારે વલ્લભભાઈ બેરિસ્ટર થવા વિલાયત ગયા ત્યારે બન્ને બાળકોની જવાબદારી વિઠ્ઠલભાઈ પટેલે મુંબઈમાં લીધી અને બન્ને બાળકોના ઘડતરમાં પિતા જેવોજ ભાગ ભજવ્યો.

બેરિસ્ટર થયા પછી વલ્લભભાઈએ અમદાવાદ વકીલાત અને રહેવા માટે પસંદ કર્યુ અને બન્ને બાળકો પણ સાથે રહેવા લાગ્યા, વલ્લભભાઈ કામની વ્યસ્તતાના કારણે બહુ ઓછો સમય ઘરમાં ગાળતા, પરંતુ સમયાંતરે પુત્ર ડાહ્યાભાઈ સાથે ગેલ પણ કરી લેતા, પણ મણિબેન એક શબ્દ પણ વલ્લભભાઈ સાથે બોલતા નહી, અને મણીબેનને સરદાર સાહેબ સામે આવતા પણ સંકોચ થતો. જ્યારે સવારે દિવાનખાનામાં સરદાર સાહેબ આંટા મારતા ત્યારે મણીબેન નહાઈ ને પાસેના ખંડના બારણાં પાસે આવતા ત્યારે સરદાર સાહેબ પૂછાતા કેમ છે? અને વળતાં જવાબમાં મણીબેન કહે સારું છે. પિતા પુત્રી વચ્ચે આખા દિવસમાં આટલો જ સંવાદ થતો. પાડોશમાં રહેતા દાદાસાહેબ માવળંકર રહેતા, અને તેમના માતૃશ્રી મણીબહેનની ખૂબ સંભાળ રાખતા. તેમના પત્ની મણિબેનનું દુઃખ સમજીને અવારનવાર તેને તેના ઘરે બોલાવતી હતી. તે  તેની સાથે વાત કરતી અને ક્યારેક તેની સાથે રમતી. મણિબેનમાં  થઈ રહેલું પરિવર્તન  તેના પિતાના ધ્યાનમાં આવ્યું અને તે સમજી ગયા કે પરિવારનો પ્રેમ કેવી રીતે  અનિવાર્ય છે. તે પછી તેણે ઘનિષ્ઠ મિત્રોના પરિવારો સાથે ગાઢ સંપર્કો કેળવવાનો  પ્રયાસ કર્યો.  ડો.કાનુગા અને ડો.હરિપ્રસાદ દેસાઈના બે પરિવારો  સાથે ગૃહસંબંધ બાંધવામાં  આવ્યા  હતા, જેમની સાથે મણિબેન પણ ગાઢ રીતે જોડાયેલા હતા. આમાં પરિવારો, તેણીને  તેની ઉંમરના સાથીઓ હતા. મૈત્રીપૂર્ણ સંબંધોનું આવું બંધન છેલ્લે સુધી રહ્યું.

જ્યારે ડાહ્યાભાઈએ ગાંધીજીને કહ્યું કે “મણીબેન મોટા છે અને તેમના લગ્ન પછી હું લગ્ન કરીશ”, ત્યારે મણીબેને ગાંધીજીને કહ્યું કે “મારા લગ્ન માટે ડાહ્યાભાઈ બેસી રહેશે તો એને બેસી જ રહેવું પડશે કારણ કે મારે પરણવું નથી.” મણીબેને તો લગ્ન નહી કરવા વિષે મક્કમતાથી નક્કી કરી લીધું હતું.

વર્ષ ૧૯૨૭ પછી સરદાર પટેલ મણિબેનના હાથે કાંતેલા સુતરની ખાદી જ પહેરવાનું પસંદ કરતા. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહના અંત સુધીમાં જ્યારે સરદારને માંદગી અનુભવતા હતા, ત્યારે એવું સૂચન કરવામાં આવ્યું હતું કે કોઈકે તેમને સચિવ તરીકે મદદ કરવી જોઈએ.ત્યારે મણીબેને કહ્યું: "જો કોઈને રાખવા હોય તો હું કેમ નહીં?" ૧૯૨૯થી બાપુજીના મૃત્યુ સુધી, જ્યારે પણ શક્ય હોય ત્યારે મેં તેમનો પત્રવ્યવહાર જાળવી રાખ્યો હતો. એક વખત ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રાજકીય વિવેચક કે. ગોપાલસ્વામી મુંબઈના મરીન ડ્રાઈવ પરના તેમના ફ્લેટમાં તેમની મુલાકાતે આવ્યા ત્યારે બાપુજીએ સી. રાજગોપાલાચારીએ લખેલ એક પત્ર મંગાવ્યો. તેઓ એ ભૂલી ગયા કે તેમણે પત્ર ફાડી નાખ્યો હતો અને તેમણે તેને કચરાપેટીમાં ફેંકી દીધો હતો. સદભાગ્યે, મેં એ ટુકડાઓ એકઠા કર્યા હતા. તેને પસાર કરતા પહેલા તેમને એક સાથે ગોઠવી ચોંટાડવામાં મને થોડો સમય લાગ્યો. અને આ પત્ર તેમના હાથમાં જ્યારે મે આપ્યો ત્યારે તેઓ એકીટસે મારી સામે જોઇ રહ્યા, જાણે વિચારતા હોય કે આ દીકરી મારુ કેટલું ધ્યાન રાખે છે. 

મણીબેન પટેલે સરદાર સાહેબના અંતિમ સમય સુધી તો સાથ આપ્યો પરંતુ સરદાર સાહેબના સ્વર્ગવાસ બાદ પણ સરદાર સાહેબના પત્રો અને માહિતી જાહેર જનતા સમક્ષ મૂકી. તેમણે પોતાના અંત સામે સુધી સરદાર સાહેબ વિષે લોકોને માહિતગાર કર્યા અને એક સાદગી ભર્યું જીવન જીવ્યા. આજે આપણે જે કાંઈ પણ સરદાર સાહેબ વિષે જાણીએ છે તે મણીબેનને આભારી છે.


રશેષ પટેલ - કરમસદ 


Subscri
be us : Youtube Channel Visit us : Sardar Patel

07 Do You Know? Why did Sardar Patel break the protocol for Pandit Vijayalakshmi?

07 Do You Know? Why did Sardar Patel break the protocol for Pandit Vijayalakshmi?

સરદાર સાહેબે નહેરૂ પરિવારની દીકરી વિજયાલક્ષ્મી પંડિતને વિદાય કેવી રીતે આપી?


સ્વતંત્રતા પછી અમેરિકા ખાતે ભારતના પ્રથમ એલચી તરીકે નીમાયેલા શ્રીમતિ વિજયાલક્ષ્મી પંડિત જ્યારે પોતાના વડીલ સમા સરદાર પટેલના આશિર્વાદ લેવા તેમના નિવાસે ગયા ત્યારે વલ્લભભાઈ પટેલે (નાયબ વડાપ્રધાન) સહ્રદયતાથી ઉષ્માભર્યું આલિંગન આપી વાત્સલ્યસભર શબ્દોમાં શુભેચ્છા પાઠવતાં વિજયાલક્ષ્મીને કહ્યું કે “તમે નહેરુ પરિવારના પુત્રી છો, અને ગુજરાતનાં પુત્રવધુ પણ છો એનું મને ગૌરવ છે.”

મણીબેને જણાવ્યા મુજબ જ્યારે વિજયાલક્ષ્મી પંડિતને વિદાય આપવા વલ્લભભાઈ વિમાની મથકે ઉપસ્થિત રહેવા જતા, ત્યારે સરદાર સાહેબના વિદેશાખાતાના ઉચ્ચ અધિકારી તેમનું ધ્યાન દોર્યું કે પ્રોટોકોલ મુજબ નાયબ વડાપ્રધાનશ્રી ભારતના એલચીને વિદાય આપવા વિમાન મથકે ન જઈ શકે. વલ્લભભાઈ તે અધિકારીની વાતને અવગણી વિમાની મથકે હાજર રહ્યા, અને તે અધિકારીને રૂબરૂ બોલાવી ભવિષ્યમાં આવી સલાહ ન આપવાની શિખામણ પણ આપી.


આવા સરદાર આપણાં ભારત દેશના..

सरदार साहबने नेहरू परिवार की बेटी विजयलक्ष्मी पंडित को कैसे विदाई दी?



जब श्रीमती विजयलक्ष्मी पंडित, जिन्हें स्वतंत्रता के बाद संयुक्त राज्य अमेरिका में भारत की पहली दूत के रूप में नियुक्त किया गया था, अपने बड़े बुजुर्ग समान सरदार पटेल का आशीर्वाद लेने के लिए वे उनके निवास पर गईं, तो वल्लभभाई पटेल (उप प्रधान मंत्री) ने गर्मजोशी से विजयलक्ष्मी को गले लगाया और शब्दों में उनका अभिवादन करते हुए कहा, "आप नेहरू परिवार की बेटी हैं, और गुजरात की बहू भी हो जिसका मुझे गौरव है।

मणिबेन के अनुसार, वल्लभभाई विजयलक्ष्मी पंडित को अंतिम विदाई देने के लिए हवाई अड्डे पर मौजूद थे। सरदार साहब के विदेश मंत्रालय के एक वरिष्ठ अधिकारी ने बताया कि प्रोटोकॉल के अनुसार, उप प्रधानमंत्री भारत के उच्चायुक्त को विदाई देने के लिए हवाई अड्डे पर नहीं जा सकते थे। वल्लभभाई ने अधिकारी की बातों को अनसुना कर दिया और हवाई अड्डे पर मौजूद थे, और बादमे अधिकारी को आमने-सामने बुलाया और भविष्य में ऐसी सलाह न देने का निर्देश भी दिया।

ऐसे सरदार हमारे भारत देश के थे।





Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

Kamlaben Patel - Lion Lady of Charotar - ચરોતરની સિંહણ

Kamlaben Patel - Lion Lady of Charotar

ચરોતરની સિંહણ


આજે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું. ભારતનું બંધારણ અમલમાં આવતા પહેલાં ભારતની આઝાદી બાદ અને આઝાદી સમયે કેટલાય લોકોએ ભારત દેશ માટે અનેક કાર્યો કર્યા અને ઇતિહાસના પાનાઓમાં પોતાનું નામ લખાવી તેઓ આ દુનિયાને અલવિદા કહી ગયા. આજે એક એવી મહિલા વિષે વાત કરવી છે કે જે ઇતિહાસના પાન પર ખોવાઈ ગઈ અથવા તો જાણે અજાણે ધ્યાનમાં નથી.

કમળાબેન પટેલ એક એવી મહિલા કે જેઓ ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ ના દિવસે આઝાદી મળ્યા બાદ ભારત વિભાજનના કારણે જે રમખાણો ફેલાયા તે સમયે તેમણે એક મહિલા હોવા છતાં અને રમખાણોમાં મહિલાઓ પર થતાં અત્યાચારો ની જાણ હોવા છતાં તેમણે પાકિસ્તાનમાં જઈ ભારતના હજારો લોકોને પાકિસ્તાનથી ભારત અને ભારતમાં રહેતા કે જેઓને પાકિસ્તાનમાં જવું છે તેવા લોકોને સહીસલામત પહોચાડ્યા અને તે સમયના અનુભવો તેમણે પોતાની પુસ્તક “મુળ સોતા ઊખડેલાં” માં જણાવેલ છે, આ પુસ્તકને નવેસરથી નવજીવન પ્રકાશને પ્રકાશિત કરેલ છે.

કમળાબેન પટેલ - ચરોતરની સિંહણનો જન્મ સોજિત્રાના વતનીનો જન્મ ૧૯૧૨માં નડિયાદમાં થયેલો. કુલ ચાર બહેનોમાં કમળાબેન પટેલ સૌથી મોટા અને તેઓ જ્યારે બારેક વર્ષના હશે તે સમયે તેમાના માતા મૃત્યુ પામ્યા, આથી તેમનાથી નાની 3 બહેનોની દેખભાળની જવાબદારી કમળાબેન પર હતી. તેમના પિતા શંકરભાઈ પટેલ ગાંધીજી પ્રત્યે જબરૂ આકર્ષણ, અને બીજા લગ્ન તેમણે નહોતા કર્યા આથી તેઓ ચારેય દિકરીઓ સાથે સત્યાગ્રહ આશ્રમમાં જોડાયા. જ્યારે તેઓ ૧૮ વર્ષની ઉમરે તેમનું લગ્ન થયેલ અને એક વર્ષમાં તેઓ વિધવા થયા અને ૨ ઓરમાન પુત્રીઓને ઉછેરવાની જવાબદારી પણ તેમના શિરે આવી.

ભારત વિભાજન બાદ પંજાબમાં પરિસ્થિતિ ખુબ વણસી અને નિર્વાસિતોના પુર ભારત આવવા લાગ્યા. તે સમયે ભારત જરાય સમૃધ્ધ નહોતું અને નિર્વાસિતોની છાવણીઓમાં પુરતી સગવડો પણ આપી શકેતે પરિસ્થિતિ તો હતી જ નહી. ભારતમાં વસતા લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ નિર્વાસિતો માટે ૨ ટંક ભોજનની વ્યવસ્થા કરી તેઓના પુન:વસન માટે રાત દિવસ મહેનત કરત.. આ દરમ્યાન સ્ત્રી-બાળકોના અપહરણની હ્રદયદ્રાવક વાતો પણ જાણવા મળતી, પરંતુ નિર્વાસિતોના આવતા પ્રવાહના કારણે આ જટિલ પ્રશ્નોના નિરાકરણની અને તેના પર વિચાર કરવાની પણ ફુર્સદ નહોતી. આખરે ૧૯૪૭ નવેમ્બર મહિના દરમ્યાન જ્યારે નિર્વાસિતોનો પ્રવાહ થોડો ઓછો થયો ત્યારબાદ અપહ્રત સ્ત્રી અને બાળકોને પરત મેળવવાની તજવીજ શરુ કરી શક્યા. આ સમયે કમળાબેન પટેલે પાકિસ્તાનમાં રહી લોકોને સુરક્ષિત ભારત પહોંચાડવા અને ભારત થી પાકિસ્તાન હિજરત કરતાં લોકોને સુરક્ષિત પાકિસ્તાન પહોંચાડવા માટે અભૂતપૂર્વ યોગદાન આપ્યું. પ્રસંગો તો ખુબજ છે જે એક લેખમાં લખી શકાય તેમ નથી. પરંતુ તેમનું પુસ્તક મૂળ સોતા ઊખડેલા વાંચવું જોઈએ. સમયાંતરે અનેક પ્રસંગો દ્વારા કમળાબેન પટેલ વિષે જણાવીશું. આજે તો આ ભુલાયેલ વ્યક્તિને અક્ષર પુષ્પ થકી નમન. 



Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

Tribute to Sardar Patel - 15-12-2023 - રાજકુમારી અમૃત કૌરે સરદાર પટેલને આપેલ શ્રદ્ધાંજલિ

રાજકુમારી અમૃત કૌરે સરદાર પટેલને આપેલ શ્રદ્ધાંજલિ


ભારતના મહાન સૈનિક અને રાજકીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલને અંજલિ આપતી વેળા સદ્દગત જે દ્રષ્ટાંત તેમની પાછળ મૂકતાં ગયા છે તે જ યાદ કરવું ઠીક થઈ પડશે. જે ભાવના વડે સરદાર પટેલ મહાન બન્યા એ ભાવના પોત પોતાના ક્ષેત્રમાં બધા જ અમલી બનાવવાનો પ્રયત્ન કરશે નહી ત્યાં સુધી તેમણે માત્ર અંજલિ આપવાનો કશો અર્થ નથી. જે હ્રદય અને બુધ્ધિ સરદારમાં હતા તે બધાને મળતા નથી. આમ છતાં દરેક માણસ એવો ખ્યાલ રાખશે કે અમુક ચોક્કસ કાર્ય કરવા માટે તેમણે આ દુનિયામાં મોકલવામાં આવ્યા છે. આપણી આજુબાજુની પરિસ્થિતિ સુધારી શકવાની આપણામાં શક્તિ છે, અને આપણાય બંધુઑ પ્રત્યે આપણે સેવા અને પ્રેમની ભાવના દર્શાવી શકીએ છીએ, તો જે મહાન સિધ્ધાંતની દિશામાં સરદાર પ્રસ્થાન કરી રહ્યા હતા તેની પ્રાપ્તિ દૂર નહી રહે. ગાંધીજી કહ્યું છે કે “જો બારડોલી સત્યાગ્રહને કારણએ સરદારને તેમની શક્તિનો ખ્યાલ આવ્યો હોય તો પણ બારડોલીનો જંગ યાદગાર બની જશે.” સરદારના જીવનમાં બારડોલી જેવાતો અનેક બનાવો બની ગયા, અને એમને જીત મળી. અંગત રીતે હું ઈચ્છું છું કે સરદાર આજે આપણને સલાહ અને માર્ગદર્શન આપવા જીવતા રહ્યા હોત તો ઠીક થયું હોત. મુશ્કેલીમાં આવેલો કોઈ પણ માનવી સરદારની સલાહ લેવા જતો ત્યારે હિંમત અને આનંદ મેળવીનેજ પાછો આવતો. આજે આપણી સૌની પાસેથી દેશ સેવા અને પ્રેમની ભાવના માંગે છે.



Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

Tribute to Sardar Patel - 15-12-2023 - યુવરાજ કરણસિંઘે સરદાર પટેલને આપેલ શ્રદ્ધાંજલિ

યુવરાજ કરણસિંઘે સરદાર પટેલને આપેલ શ્રદ્ધાંજલિ


સ્વરાજ્ય માટેની આપણી ઝંખેશના વિરલાઑ અને સુવિખ્યાત નેતાઓમાં સરદાર પટેલનું નામ મોખરે રહેશે. તેમની બહાદુરીભરી હિંમત, સ્થિર અને તીક્ષ્ણ દૃષ્ટિ, માતૃભૂમિની સેવા માટેની ધગશ અને દૃઢ સંકલ્પ, ઇતિહાસના પાના ઉપર એમના નામના કે બજાવશે. માતૃભૂમિને સાદ જે ઘડીએ તેમણે સાંભળ્યા તેજ ઘડીએ તેમણે વકીલાતનો ધંધો ફગાવી દીધો, અને સામ્રાજ્યવાદી સત્તા સામેની રાષ્ટ્રની મહાન લડતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પડખે જ તે ઉભા. રાજકીય સ્વતંત્રતાની પ્રાપ્ત અર્થે અહિંસક સત્યાગ્રહની ચળવળની યથાતા તેમણે બારડોલી સત્યાગ્રહમાંથી ચકાસી લેઈ અને તેમને મળેલા વિજયને કારણે લોકેએ સરદારની ઉપાધિ તેમને અર્પણ કરી, ગાંધીજીએ પણ તેમની હંમેશા કદર કરી હતી. 

આઝાદી બાદ સરદારે પોતાનો સામે ભારતની એકતા માટે વિતાવ્યો. ભારતના સંખ્યાબંધ રાજવાડાઓને સંઘ સરકારના અંકુશ હેઠળ લાવવાનું જે કાર્ય તેમણે ઉપાડેલ તે અશક્ય છે, એવી જેઓ ટીકા કરી રહ્યા હતા તેમણે પાછળથી શરમમાં શિર ઝુકાવ્યા. ભારતના એક બનાવવામાં અને ખાસ કરીને અનેક દેશી રાજ્યોને મધ્યસ્થ એકમના એક મજબૂત ભાગો તરીકે રાજીખુશીથી જોડવાનું કાર્ય ઉપાડી સરદારે ખરેખર મહાન કાર્ય કર્યું છે. કાશ્મીર અંગેના કામકાજમાં સરદારને ખૂબ જ રસ હતો. તેમની હયાતી દરમ્યાન અમે વારંવાર તેમની સલાહ લેવા દોડી જતાં. 15-12-1950ના રોજ નિપજેલ મૃત્યુ ભારતની જાણતા પર કારમો ઘા સમું હતું, પરંતુ તેમના ઝળકતા જીવને માત્ર આઝાદી કાજે જ નહી. પરંતુ આપણી માતૃભૂમિ સંયુક્ત, બળવાન અને સ્વાવલંબી બની શકે એ માટે પણ પૂરતા પ્રમાણમાં માર્ગદર્શન કર્યું છે. જો આજે તમામ લોકશાહી અને શાંતિવાન્છું રાષ્ટ્રો આપણી નીતિ તેમજ સલાહને યોગ્ય માં આપતા હોય તો તે સદગતે રાષ્ટ્રની બજાવેલી સેવાઓને આભારી છે. 




Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

Why was Sardar Patel cremated in Mumbai's Sonpur Crematorium?

Why was Sardar Patel cremated in Mumbai's Sonpur Crematorium?
સરદાર પટેલના અંતિમ સંસ્કાર શા માટે મુંબઈના સોનપુર સ્મશાનમાં કરવામાં આવ્યા?



જ્યારે વિઠ્ઠલભાઈની અંતિમ ક્રિયા કરવા માટે સરદાર પટેલને જેલમાંથી પેરોલ પર છોડવા માટે બ્રિટિશ સરકાર તરફથી જે શરતો મૂકવામાં આવી તે શરતો સરદાર પટેલે માન્ય ન રાખી અને સરદારે આગ્રહ રાખ્યો કે બિનશરતે છોડો અને ફરી પકડવો હોય તો હું જ્યાં હોઉ ત્યાંથી ફરી ધરપકડ કરવી. હું મારી મેળે પોલીસને હવાલે થવા નહી જાઉ. આ દુખ:દ પ્રસંગે મારી જરૂર છે પરંતુ મારે સ્વાભિમાનના ભોગે બહાર નથી જવું. વિઠ્ઠલભાઈની અંતિમ ઈચ્છા મુજબ તેમના અંતિમ સંસ્કાર ચોપાટી પર કરવા જ્યાં લોકમાન્ય ટિળકની અંતિમ વિધિ થઈ હતી, તેની બાજુમાં જ અંતિમ સંસ્કાર કરવા. પરંતુ બ્રિટિશ સરકારે ચોપાટી પર પરવાનગી ન આપતા તેમના અંતિમ સંસ્કાર સોનપુર સ્મશાનમાં સરદાર પટેલના દીકરા ડાહ્યાભાઈના હાથે થયા હતા. નોંધનીય છે કે સરદાર સાહેબના પત્ની ઝવેરબાના અંતિમ સંસ્કાર પણ સોનપુર સ્મશાનમાં જ કરવામાં આવ્યા હતા.   

સરદાર પટેલને વિઠ્ઠલભાઈના અંતિમ દર્શન અને અંતિમ વિધિમાં શામેલ ન રહી શકવાનો વસવસો હંમેશા રહ્યો. અને સરદાર પટેલના અંતરાત્માનો અવાજ જાણે મણીબેન અને ડાહ્યાભાઈ પટેલે જાણતા હોય તેમ ભાઈ-બહેનની ઈચ્છા મુજબ સરદારસાહેબની અંતિમ ક્રિયા સોનપુર સ્મશાનમાં કરવામાં આવી.


सरदार पटेल का अंतिम संस्कार मुंबई के सोनपुर श्मशान में क्यों किया गया?

जब विट्ठलभाई के अंतिम कार्य को करने के लिए सरदार पटेल को जेल से पैरोल पर रिहा करने के लिए ब्रिटिश सरकार द्वारा रखी गई शर्तों का उन्होंने स्वीकार नहीं किया, और सरदार पटेल ने बिना शर्त रिहाई पर जोर दिया और अगर उन्हें दोबारा पकड़ना पड़ा, तो उन्हें फिर से गिरफ्तार वह जहां थे वहां से कर लिया जाए। मे अपनी मर्जी से पुलिस के हवाले नहीं करूंगा। इस दुखद मौके पर मेरी जरूरत है लेकिन मैं अपने आत्मसम्मान की कीमत पर बाहर नहीं जाना चाहता। विट्ठलभाई की अंतिम इच्छा के अनुसार, उनका अंतिम संस्कार चोपाटी में किया जाना था, जहाँ लोकमान्य तिलक का अंतिम संस्कार किया गया था। लेकिन ब्रिटिश सरकार ने उनका अंतिम संस्कार करने की अनुमति नहीं दी, आखिर सोनपुर श्मशान घाट में सरदार पटेल के बेटे डाहयाभाई के द्वारा विठ्ठलाभाई के अंतिम संस्कार हुए। मालूम हो कि सरदार साहब की पत्नी जवेरबा का भी अंतिम संस्कार सोनपुर श्मशान घाट में किया गया था.

सरदार पटेल विट्ठलभाई के अंतिम दर्शन और अंतिम संस्कार में शामिल न हो पाने को लेकर हमेशा दु:ख रहा। और मानो मणिबेन और दहयाभाई पटेल को सरदार पटेल की अंतरात्मा की आवाज पता थी, सरदार साहब का अंतिम संस्कार भाई बहनकी इच्छा के अनुसार सोनपुर श्मशान में किया गया।



Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

Today That Day - 29-11-2023 - Tribute to Shri Motibhai Amin

મોતીભાઈ અમીન ૨૯-૧૧-૧૮૭૩ – ચરોતરના ગ્રંથાલયોના પ્રણેતા, મૌન લોક સેવક, અને શિક્ષક  

 


મારુ કામ જ્યાં અંધારું હોય ત્યાં અજવાળું કરવાનું છે, જ્યાં કઈં ન હોય ત્યાં કઈંક કરી બતાવી માર્ગદર્શક બનવાનું છે. ઊંઘતાને જગાડવાનું છે, જાગતાને બેઠા કરવાનું છે; બેઠેલાને ઊભા કરવાનું, ઊભેલાને ચાલતા કરવાનું અને ચાલતાને દોડતા કરવાનું છે. – મોતીભાઈ અમીન (૧૯૩૧ના પત્રમાં લખેલ)

વસો ગામના વતની એવા મોતીભાઈ અમીનનો જન્મ દિવસ ૨૯-૧૧-૧૮૭૩ના રોજ તેમના મોસાળ આલીદ્રા ગામે થયેલ. મોતીભાઈના માંટા જીબા ભોળા અને નમ્ર સ્વભાવના, આંખે ઓછું દેખાય અને થોડી બહેરાશની અસર ખરી, આખો દિવસ તેઓ શ્રી કૃષ્ણ શરણં મમઃ ની માળા જપતા. નરસિંહભાઈ શરીરે કદાવર અને દેખાવડા, સ્વતંત્ર મિજાજના, નરસિંહભાઈ પેટલાદની વહીવટી કચેરીમાં કારકુન હતા અને મોતીભાઈના જન્મ પછી તેમની બદલી તેમના વતન વસોમાં મેજિસ્ટ્રેટની કચેરીમાં ફોજદારી કારકુનની જગ્યાએ થયી હતી. નરસિંહભાઈ એક કુટુંબીની જાનમાં જવા માટે નાહી ધોઈ એક ઓરડીમાં બીજા સગાં સાથે પૂજા કરવા બેઠા અને તે સમયે દીવો પ્રગટાવી  સળગતી દિવાસળી ઓરડીમાં ફેકી તે જ ઓરડીમાં દારૂખાનું ભરેલ હતું તેમાંથી એક પર પડી અને આગ લાગી, આ અકસ્માતમાં નરસિંહભાઈ અને અન્ય દઝાયા, બે જાણ તો ત્યાંજ મૃત્યુ પામ્યા અને બીજા દિવસે નરસિંહભાઈ અને ત્યાર બાદ ચાર દિવસે તેમના કાકાના દીકરા શંકરભાઈ મૃત્યુ પામ્યા. તે સમયે મોતીભાઈ અમીનની ઉંમર આશરે નવેક વર્ષની હશે. 

તેમના દ્વારા ‘વસો યુવક મંડળ’, ‘ચરોતર એજ્યુકેશન સોસાયટી’ અને ‘ચરોતર યુવક મંડળ’ની સ્થાપનાના કારણએ ચરોતર પ્રદેશમાં કેળવણી અને જ્ઞાનનો પુરાવો સાબિત થયો. લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કર્યા. દુષ્કાળ સંકટ સમયે ચરોતર યુવક મંડળ થકી શું સેવ કરી શકાય તેવા વિચારો તેમના મનમાં શરૂ થયા. બ્રિટિશ પ્રદેશ ખેડા જીલ્લામાટે ફેમિન કમિટી નિમાઈ અને તેના ઉપપ્રમુખ રા. રા. દાદુભાઈ દેસાઈ હતા. અને તેમણે મળી જિલ્લાના સ્વયંસેવકો દ્વારા દુષ્કાળ રાહત કાર્યોની યોજના બનાવી. મોતીભાઈ અમીન મુંબઈથી આવનાર બંગાળી બાબુ સુધીરચંદ્ર બેનર્જીને લઈ જાતે ભડકદ ગયા અને ત્યાં આગેવાનો સાથે ચર્ચા કરી ઘેર ઘેર જઈ પરિવારની પરિસ્થિતિની ખાતરી કરી માણસ દીઠ એક શેર અનાજ ગામમાંથી બજારભાવે ખરીદી આપવાની યોજના કરી. અને બીજા દિવસે તે અનાજ વિતરણ માટે મોતીભાઈના વિદ્યાર્થી હીમચંદ કપૂરચંદ શાહની નિમણૂક કરી. વડોદરા રાજયાના કોમન કમિશનર તરફથી પેટલાદ તાલુકામાં દંતાળી, ધર્મજ, મઘરોલ, સાઠ વગેરે ગામોમાં આ કાર્ય શરૂ થયું. આ માટે ધર્મજના રાય. વલ્લભભાઈ નરોત્તમદાસ પટેલના પુત્રોએ મુંબઈની ભાટિયા વૉલંટિયર કોરને રૂ. ૩૦૦૦૦ ના કપડાં ગુજરાતનાં ગરીબોને વહેવા આપ્યા. આ સાથે ગામે ગામ થી દાન મળતું થયું, આથી નાણાંનો વ્યય અને દુરુપયોગ ન થાય તેની તકેદારી પણ મોતીભાઈ એ રાખી. 

તેમના મનમાં ગામેગામ પુસ્તકાલય એ ધૂન ઘર કરી ગયેલ અને તે માટે તેમણે બે વર્ષ કામ કર્યું. આ ધૂનને નવા નામ સાથે જ્યાં શાળા ત્યાં પુસ્તકાલય તેવા સિદ્ધાંતમાં ફેરવી, તેના અમલ માટે શિક્ષકોને પ્રેરણા આપી. મહિલા પુસ્તકાલયો, અને બાળ પુસ્તકાલયોની સ્થાપના ની યોજનાઓ પણ શરૂ કરી. પુસ્તકાલયને પ્રવૃત્તિની પ્રગતિના પ્રયત્નો ચાલુ જ હતા. તેમણે ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા ચરોતર પુસ્તકાલયની યોજનાઓ શરૂ કરી. ૧૯૩૧ માં ચરોતર ફરતું પુસ્તકાલય યોજ્યું. આમ તેઓ ચરોતરના પુસ્તકાલયોના પ્રણેતા તરીકે ઓળખાયા. 




Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

150th Birthday Celebration of Honorable Vithalbhai Patel (President V J Patel) - 27-09-2023

150th Birthday Celebration of Honorable Vithalbhai Patel (President V J Patel) - 27-09-2023




જ્યારે ૧૯૧૭ની ગોધરા રાજકીય પરિષદ સમયે સફેદ દાઢી જુલાવતા, સાધુની લાંબી ગેરુરંગની કફની, ધોતિયું, કાનટોપી પહેરેલા વેશમાં વિઠ્ઠલભાઈ પટેલ ખૂણામાં બેઠા હતા, અને ગાંધીજીએ જ્યારે સભાસ્થાને જ્યારે દલિત વસ્તીમાં વિઠ્ઠલભાઈને જોયા તે જ સમયે ઠક્કરબાપાએ વિઠ્ઠલભાઈને ગાંધીજીની પાસે બેસાડ્યા ત્યારે ગાંધીજી વિઠ્ઠલભાઈનો વેશ જોઈ બંને એક બીજાની જોઈ પેટભરીને ભેટયા અને હસ્યાં. અનેક ભાષણો બાદ ગાંધીજી વિઠ્ઠલભાઈને ખભે હાથ મૂકીને ઊભા થયા અને કહ્યું

“નરસિંહ મહેતાએ ગાયું છે કે પક્ષાપક્ષી ત્યાં નહી વસે પરમેશ્વર! એટલે પરમ દિવસથી જે રાજકીય પરિષદ થઈ તેમાં પરમેશ્વર હતા કે નહી એ કહી શકાય નહી. પણ આ પરિષદમાં ચોક્કસ તેમની હાજરી છે. વિઠ્ઠલભાઈની કફની પર હાથ ફેરવીને કહ્યું વિઠ્ઠલભાઈ આજે આ પોષાકમાં આવીને બેઠા છે એટલે હું છાતી તપાસીને જોઉ છું કે અંત્યજ પ્રેમ એમના દિલમાં છે કે શું? જો હશે તો આ કામમાં આપણે ચોક્કસ ફતેહ પામીશું આવી પરિષદો ઘેર ઘેર થાય, તેમાં ભાષણો થાય અને વિખેરાઈ જાય તે મને નથી ગમતું. આજે આપણે આટલા બધા કામ કરનારા ભેગા થયા છીએ તો આજે અંત્યજ લોકોનું કાઈ કાયમી કામ શરૂ કરવું જોઈએ.”

ત્યાર બાદ ઠકકરબાપાના ભાષણ બાદ વિઠ્ઠલભાઈ પટેલે ભાષણ કરતાં કહ્યું

“ અહીના માણસોને મારો પોષાક જોઈને નવાઈ લાગી હશે પણ મુંબઈ શહેરમાં હું ઘણીવાર આ પોષાકમાં ફરું છું. એનું કારણ એ છે કે હું સાધુ છું. મારે નથી ઉલાળ કે ધરાળ. પણ ગાંધીજીને એટલી હું ખાતરી આપું છું કે આ પોષાક ઉપર જે દેખાય છે તે જ મારા દિલની અંદર પણ છે.”

વિઠ્ઠલભાઈની આ વાતને ગાંધીજી અને શ્રોતાઓએ વધાવી લીધી. આવીજ એક ભરૂચની પરિષદમાં ગાંધીજી ભાષામાં સ્વદેશીનો કડક અમલ કર્યો અને બધાજ વક્તાઓને ગુજરાતીમાં બોલવાનું કહ્યું. ત્યારે વિઠ્ઠલભાઈએ ટીખળ કરતાં કહ્યું

“ગઈ કાલે ઝીણાની પરીક્ષા લેવાઈ હતી, આજે ગાંધીજીએ ગુજરાતી બોલતા મને આવડે છે કે હું ભૂલી ગયો છું તે વિષે મારી પરીક્ષા લેવાનું ઠરાવ્યું છે.”

વિઠ્ઠલભાઈ પટેલે સરકારી શૈક્ષણિક સંસ્થાઓના બહિષ્કાર સંદર્ભે બોમ્બે (હાલ મુંબઈ) શહેરમાં ઉલ્લેખનીય કામ કર્યું. સરોજીની નાયડુ, વિઠ્ઠલભાઈ પટેલ, ગંગાધરરાવ દેશપાંડે, જમનાદાસ મહેતા અને અન્ય નેતાઓ વિદ્યાર્થીઓને સંબોધન કરતાં અને તેમના ભાષણોની અસર વિદ્યાર્થી પર અસર પણ કરતાં હતા. અને જે વિદ્યાર્થીઓને અભ્યાસ ચાલુ રાખવો હોય તેઓ પર પણ કોઈ પણ પ્રકારનું દબાણ લાદવામાં આવતું નહોતું. બહિષ્કાર સંપૂર્ણ અહિંસા સાથે થયું હતું.

વિઠ્ઠલભાઈ પટેલની એક વિશિષ્ટતા હતી કે ધારાસભાના પ્રમુખ બન્યા ત્યારબાદ તેઓએ ચાણક્યની માફક પોતાના બધાએ સાથીઓ મારફત મુંબઈ સરકારના ઘરમાં જ લડાઈનો પલીતો સળગાવ્યો. અને ત્યારબાદ અંદર અંદર ચાલતી સરકારી તકરારની વાતો સાંભળી તેઓ મલકાતા અને રાજ્યોના દ્વિભાગી તંત્રને બદનામ કરવામાં તેઓ તેનો પૂરો ઉપયોગ કરતાં. જ્યારે એપ્રિલ મહિના અંતમાં સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ, કાકા કાલેલકર, નરીમાન, રાજગોપાલચારી વગેરે અગ્રણીઓ પકડાયા. અને ચિત્તાગોંગ શસ્ત્રાગાર પર ક્રાંતિકારીઓએ મરણીયો હુમલો કરી હથિયારો કબજે કર્યા, આ હુમલાના કારણે સરકારે પેશાવરના આગેવાનોની ધરપકડ કરી તેનો વિરોધ કરનાર લોકોના ટોળા પર યુધ્ધમાં વાપારાતી ટેન્ક ચલાવી અને કેટલાયને કચડી નાખ્યા, આ હત્યાકાંડ અને દેશભરમાં સરકારની દમનકારી નીતિ અસહ્ય લાગતાં વિઠ્ઠલભાઈએ ધારાસભાના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને આઝાદીની લડતમાં જંપલાવ્યું. અને તરતજ કોંગ્રેસ તરફથી પેશાવરમાં થયેલ અત્યાચારની તપાસ કરવા વિગતવાર અહેવાલ તૈયાર કરવાનું કામ વિઠ્ઠલભાઈને સોંપાયું હતું.  




Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

06 Do you know? સરદાર સાહેબનો જુનાગઢનો ઐતિહાસિક પ્રવાસ

શું તમે જાણો છો?
સરદાર સાહેબનો જુનાગઢનો ઐતિહાસિક પ્રવાસ




સરદાર સાહેબનો જુનાગઢનો પ્રવાસ એટલા માટે ઐતિહાસિક હતો કારણકે તે આવનાર ભવિષ્યમાં એક એવી ધરોહર અર્પણ કરવાના હતાં કે જે એક યાદગાર સ્થળ અને ઈતિહાસમાં જેને વારંવાર લૂંટવામાં આવ્યું તે મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ લીધો હતો. આ ઐતિહાસિક મંદિર એટલે સોમનાથ મહાદેવનું મંદિર. સરદાર સાહેબ જામ સાહેબના પ્લેનમાં જામસાહેબ, હિંમતસિંહજી, દરબાર સાહેબ વગેરે સાથે કેશોદ માટે રવાના થયા. કેશોદ સ્ટેશનથી રેસિડેંટ સલૂનમાં (ટ્રેનનો ખાસ ડબ્બો) જુનાગઢ ગયા. જુનાગઢ સ્ટેશન પર તેમને ખાસ ગાર્ડ ઓફ ઓનર અને પુષ્પહારથી સન્માનિત કરવામાં આવ્યા. જુનાગઢમાં એક જાહેરસભામાં જુનાગઢના લોકો વથી શામળદાસ ગાંધીએ સરદાર સાહેબનું સન્માન કર્યું. અને સરદાર સાહેબે તેનો યોગ્ય જવાબ પણ આપ્યો. એજ સલૂનમાં વેરાવળ અને ત્યાંથી કાર દ્વારા સોમનાથ પહોચ્યા. ત્યાંના રમણીય દરિયા કિનારે પાણીમાં પગ રાખી એક શાંતિની અનુભુતી કરી. સોમનાથમાં ખંડેર હાલતમાં મંદિર જોઈ અને પાતાળેશ્વર મહાદેવ તરીકે ઓળખાતા ભગવાન શિવના દર્શન કરી મંદિર પરિસરની સભામાં સરદાર સાહેબે સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારની પ્રતિજ્ઞા લીધી.

તા. ૧૨ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સરદાર પટેલ (ભારતના સંરક્ષણ પ્રધાન અને નાયબ વડા પ્રધાન તથા ગુજરાતનાં પનોતા પુત્ર) તેમના સાથીઓ કાકા સાહેબ ગાડગીલ સાથે જુનાગઢ આવ્યા. અને બીજા દિવસે એટલે કે ૧૩ નવેમ્બર ૧૯૪૭ ના રોજ તેઓ સોમનાથ મંદિરના દર્શને ગયા અને ત્યાં સમુદ્રતટે તેમણે જળ હાથમાં લઈ સાથે આવેલા મહારાજ જામસાહેબ દિગ્વિજયસિંહજીની ઉપસ્થિતિમાં જાહેર કર્યું કે “ભારત સરકાર સોમનાથ મંદિરનું નવનિર્માણ કરશે અને જ્યોતિર્લિંગની સ્થાપના કરવાનો ઠરાવ કરે છે.” આ ઘોષણા ત્યાં હાજર રહેલ જનસમુદાયે સહર્ષ વધાવી અને દરેક સ્ત્રી પુરુષોની આંખોમાં હર્ષના આસું પણ ઉભરાયા. સરદાર સાહેબે ગંભીર અને મક્કમ સવારે જાહેર કર્યું કે “આજના નવા વર્ષના શુભ દિવસે અમે એવો નિર્ણય કર્યો છે કે ભગવાન સોમનાથના મંદિરને ફરી બાંધવું; સૌરાષ્ટ્રની પ્રજાએ તે માટે બનતું કરવું જોઈએ, કારણ કે આ પવિત્ર કાર્યમાં પ્રત્યેક વ્યક્તિએ પોતાનો યથાશક્તિ ફાળો આપવો જોઈએ.”

મહારાજા જામસાહેબે એક લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી. આરઝી હકુમતના શામળદાસ ગાંધીએ આરઝી હકૂમત વતી ૫૧ લાખ રૂપિયાની જાહેરાત કરી. વેરાવળમાં મિલીટરી થાણું પણ મૂકવામાં આવ્યું. મહારાજા જામસાહેબના અધ્યક્ષપદે સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી અને મંદિરના જીર્ણોદ્ધારનો પ્રારંભ થયો.

રાજા કુમારપાળ દ્વારા બંધાયેલ અને અનેક વખત ખંડિત થયેલ, તે સ્થળે નવા મંદિરને બાંધવાનો નિર્ણય ટ્રસ્ટે લીધો. પ્રભાસના લોકોએ, પ્રભાસ ઇતિહાસ સંશોધન સભા, સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદ વગેરે જેવી સંસ્થાઓએ સખત વાંધાઓ નોંધાવ્યા, પરંતુ સોમનાથ ટ્રસ્ટે આ બધા વાંધાઓને અમાન્ય રાખી પુરાતત્ત્વની એક દુર્લભ ઇમારત જેવા આ મંદિરને પાયેથી પાડી નાંખવાનો નિર્ણય લીધો.




क्या आप जानते हैं?

सरदार साहब का जूनागढ़ का ऐतिहासिक दौरा


क्या आप जानते हैं?

सरदार साहब का जूनागढ़ का ऐतिहासिक दौरा

सरदार साहब की जूनागढ़ यात्रा ऐतिहासिक थी क्योंकि उन्हें आने वाले भविष्य के लिए एक विरासत पेश करनी थी जो एक यादगार जगह है और इतिहास में बार-बार लूटे गए मंदिर को पुनर्स्थापित करने का संकल्प लेना था। यह ऐतिहासिक मंदिर सोमनाथ महादेव का मंदिर है। सरदार साहब जाम साहब, हिम्मतसिंहजी, दरबार साहब आदि के साथ जाम साहब के विमान से केशोद के लिए रवाना हुए। केशोद स्टेशन से रेजिडेंट सैलून (ट्रेन का विशेष डिब्बा) से जूनागढ़ तक। जूनागढ़ स्टेशन पर उन्हें विशेष गार्ड ऑफ ऑनर और माला पहनाकर सम्मानित किया गया। जूनागढ़ में एक सार्वजनिक बैठक में शामलदास गांधी ने जूनागढ़ के लोगों की ओर से सरदार साहब का सम्मान किया। और सरदार साहब ने इसका उचित उत्तर भी दिया। वेरावल एज सैलून और वहां से कार द्वारा सोमनाथ पहुंचे। वहां का खूबसूरत समुद्र तट पानी में पैर रखने पर शांति का एहसास कराता है। सोमनाथ में खंडहर हो चुके मंदिर को देखने और पातालेश्वर महादेव के नाम से प्रसिद्ध भगवान शिव के दर्शन करने के बाद सरदार साहब ने मंदिर परिसर की बैठक में सोमनाथ मंदिर के जीर्णोद्धार का संकल्प लिया।

दिनांक १२ नवंबर १९४७ को सरदार पटेल (भारत के रक्षा मंत्री और उप प्रधान मंत्री और गुजरात के पोते) अपने साथियों काका साहेब गाडगिल के साथ जूनागढ़ आये। और अगले दिन यानी १३ नवंबर १९४७ को उन्होंने सोमनाथ मंदिर के दर्शन किए और वहां समुद्र तट पर अपने साथ आए महाराज जामसाहेब दिग्विजयसिंहजी की उपस्थिति में उन्होंने घोषणाकी कि "भारत सरकार सोमनाथ मंदिर का जीर्णोद्धार करेगी और ज्योतिर्लिंग स्थापित करने का संकल्प लेगी।" इस घोषणा पर वहां मौजूद भीड़ खुशी से झूम उठी और हर महिला-पुरुष की आंखों में खुशी के आंसू छलक पड़े। सरदार साहब ने सुबह गंभीरता और दृढ़ता से घोषणा की कि “आज, नए साल के शुभ दिन पर, हमने भगवान सोमनाथ के मंदिर का पुनर्निर्माण करने का फैसला किया है; सौराष्ट्र के लोगों को इसके लिए अपना सर्वश्रेष्ठ प्रयास करना चाहिए, क्योंकि प्रत्येक व्यक्ति को इस पवित्र कार्य में अपनी क्षमता का योगदान देना चाहिए।”

महाराजा जामसाहब ने एक लाख रुपये दान देने की घोषणा की. आरज़ी हकूमत के शामलदास गांधी ने आरज़ी हकूमत की ओर से ५१ लाख रुपये देने की घोषणा की, वेरावल में एक सैन्य अड्डा भी स्थापित किया गया था। महाराजा जामसाहब की अध्यक्षता में सोमनाथ ट्रस्ट की स्थापना हुई और मंदिर का जीर्णोद्धार शुरू हुआ।

ट्रस्ट ने भगवान सोमनाथ के मंदिर के स्थान पर एक नया मंदिर बनाने का निर्णय लिया, जिसे राजा कुमारपाल ने बनवाया था। प्रभास के लोगों, प्रभास इतिहास अनुसंधान परिषद, सौराष्ट्र इतिहास परिषद आदि संगठनों ने कड़ी आपत्ति जताई, लेकिन सोमनाथ ट्रस्ट ने इन सभी आपत्तियों को नजरअंदाज कर दिया और एक दुर्लभ पुरातात्विक इमारत की तरह इस मंदिर को ध्वस्त करने का फैसला किया।



Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel



Sardar Patel

sardar%20patel

Vithalbhai Patel

Vithalbhai%20Patel

Maniben Patel

Maniben%20Patel

Mahatma Gandhi | Gandhiji

gandhiji
© all rights reserved
SardarPatel.in