Unity - Ekta - Quotes by Sardar Patel

Unity : - Happiness and misery are paper balls. Dont be afraid of death. Join the nationalist forces, be united. Give work to those who are hungry, food to invalids, forget your quarrels.

(Date : 7th March 1942)

 

एकता : - खुशी और दुख कागज़ की गेंद की तरह है। मौत से मत डरो। राष्ट्रवादी ताकतों में शामिल हो जाओ, एकजुट रहो। अपने आपसी झग़डे भूल कर जो लोग भूखे है, अशक्त या अपाहिज है उन लोगो के लिए काम करो।

(दि. : ७ मार्च १९४२ )

 

એકતા : - ખુશી અને દુ:ખ કાગળના દડા જેવા છે. મૌતથી ન ડરો. રાષ્ટ્રવાદી તાકાતો સાથે મળી જાઓ, એકજુથ રહો. પોતાના આપસના ઝગડાઓ ભુલી જે લોકો ભુખ્યા છે, અશક્ત કે અપંગ છે તેમના માટે કામ કરો.

(તા : ૭ માર્ચ ૧૯૪૨,)

TODAY THAT DAY : 25-11-1946 Sardar Patel reiterates conditions for League joining Interim Government

Sardar Patel reiterates conditions for League joining Interim Government


BOMBAY CHRONICLE - 25 November 1946


In a speech rivalling that to Pt. Nehru's performance on Thursday in its outspoken rss, Sardar Vallabhbhai Patel delivered a broadside against the Muslim League at the open session of the Congress here today. In the clearer possible terms he said that if the League did not enter the Constituent Assembly there was no alternative for them except to get out of the Interim Government.

Referring to the correspondence which has passed between Pt. Nehru and the Viceroy released today. Sardar Vallabhbhai Patel pointed out how Pt. Nehru had made two points clear.

One was that it is the League came into the Interim Government it was to work as a team and not as a separate group.

Secondly, he had said that the League could not enter the Interim Government unless they accepted the Cabinet Mission's Proposal of May 16.

The Viceroy agreed with this position and said that the League too had accepted it. Mr. Ji nah has often accused the British Government of bad faith and of double-crossing. It is now upto the Viceroy to settle accounts with Mr. Ji nah. We have nothing to do with this quarrel, Sardar Patel said.

At the same time he made it clear that as far as the Congress was concerned they were going to stick to their seats. "We will stay there;we will work effectively and we will function as a Cabinet", Sardar Patel emphasised.

They would, however, resign the moment they felt convinced that the British Government was going back upon their promises. Their resignations were always in their pockets, but these would not be submitted unless Britain perjured herself and had her name blackened among the nations of the world.

Meanwhile they would not surrender to the war of nerves and resign. They would have to be dismissed.

If Pt. Nehru thrilled the people, the Sardar roused them to anger by his caustic sallies.

Referring to the widespread disturbances which in his view were the result of the political policy of the Muslim League, Sardar Patel said that the time had come for the people to defend themselves. "They can ask for Pakistan? They can ask for all India", he said. But this method would not pay, Poison would produce poison and the sword would ultimately have to be met by the sword. Therefore, he made on behalf of the entire Congress one last appeal to the League to desist from its present course and arrive at a peaceful agreement with the Congress.

Unity – Ekta – 2 - Quotes by Sardar Patel

Ekta - Quotes by Sardar Patel


Unity : - We have to shed mutual bickerings, shed the difference of being high or low and develop the sense of equality and banish untouchability. We have to restore the conditions of Swaraj prevalent prior to British rule. We have to live like a children of the same father.

(Date : 21st January 1942, During Quit India Movement)


एकता : - हमें पारस्परिक कलह छोडना है, उच्च या निम्न होने का अंतर बहाल करना और समानता की भावना विकसित करना और अस्पृश्यता को खत्म करना है। हमें ब्रिटिश शासन से पहले स्वराज की परिस्थितियों को बहाल करना होगा। हमें एक ही पिता के बच्चों की तरह जीना है।

(दि. : २१ जनवरी १९४२, भारत छोडो आंदोलन के दौरान)

એકતા : - આપણે પરસ્પર ઝઘડાઓ કરવાનું બંધ કરવુ જોઈએ, ઉચ કે નીચા તફાવતને એક સરખો કરવાનો છે અને સમાનતાની ભાવનાનો વિકાસ કરવો જોઈએ અને અસ્પૃશ્યતાને દૂર કરવી જોઈએ. આપણે બ્રિટીશ શાસન પહેલા સ્વરાજની સ્થિતિને પુનઃસ્થાપિત કરવી પડશે. આપણે એક જ પિતાના બાળકોની જેમ જીવવું પડશે.

(તા : ૨૧ જાન્યુઆરી ૧૯૪૨, ભારત છોડો આંદોલન દરમ્યાન)

Sardar Vallabhbhai Patel and family

Sardar Vallabhbhai Patel and family

સરદારશ્રી સાધનસંપન્ન ઘરમા‌‌‍‍ જન્મ્યા નહોતા. એમના પિતા ઝવેરભાઈ પાસે આશરે કુલ ૧૦ વિઘા જેટલી જમીન હતી. તેની આવકમાંથી મોટા કુટુંબનું ભરણપોષણ થતું. એક રીતે જોઈએ તો માતાપિતા અને સરદાર પટેલ સહિત પાંચ ભાઈઓ અને બહેન ડાહીબા માટે આજે કપરો સમય હતો. અને પિતા ઝવેરભાઈ નું મન તો સંસાર કરતા પરમાર્થ તરફ ઢળેલું અને પચાસ વર્ષ પૂરા થતાં પહેલાં જ તેમણે વાનપ્રસ્થાન જીવન શરૂ કર્યું હતું. સરદાર સાહેબના માતૃશ્રી ભારે સ્નેહાળ, મોટા મનનાં તથા પરગજુ હતા.


આજથી સો વર્ષ પહેલાં ભારતમાંસાક્ષરતા કેટલી હશેતેનો અંદાજો લગાવી શકાય અને કરમસદ તો એક નાનું ગામ ગણાય, એવામાં કરમસદમાં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું અને વિઠ્ઠલભાઈ મામાને ત્યાં નડીયાદ ભણ્યા. ૧૯૪૯માં દીલ્હીના એક બાળકોના વિશેષાંક માટે પોતાના બાલ્ય જીવન બાબતે એક લેખમાં કહેલું કે “મને સ્મરણ છે કે ઠઠ્ઠામશ્કરી કરવમાં કે મોટાઓને પજવવામાં હું કોઈનાથી ઉણો ઊતરુ એવો નહોતો. પરંતુ એ સમયે પણ કંઈક સારુ કરવા માટે જ આવી મસ્તી કરવા પ્રેરાતો. વિદ્યાઅભ્યાસ માટે જેટલી ધગશ હતી તેટલી જ ધગશ રમતમાં હતી. આજે જે હું ઘડાયેલો છું તેનો શ્રેય મારા બાલ્યકાળ ને કેટલો આપુ તે વિષે કહી ન શકું? પરંતુ મારુ શરીર જે રીતે ઘડાયેલ છે તે બાલ્યકાળમાં જેવુ બનેલું તેવુ જ છે. મારુ જીવન ખુલ્લા પુસ્તક જેવુ છે. મને નાનપણ થી ઓળખનારા આજે ગણ્યા ગાંઠયા જ રહ્યા હશે. આજે ૧૯૪૯ના પ્રસાદી વર્ષમાં જીવી રહ્યો છુ તેના કરતા સિત્તેર વર્ષ પહેલા હું જેવો બાળક હતો તે રીતે જીવવાનું વધુ પસંદ કરીશ.


સરદારશ્રીને માતાપિતા પ્રત્યે લાગણી એમના કુટુંબની સંસ્કારીતાને આભારી છે. મહાદેવભાઈ દેસાઈએ તેમની ડાયરીમાં લખેલ કે માતાપિતા વિષે સરદારશ્રી તેમનો પ્રેમ અને ભક્તિભાવ ઘણીવાર વ્યક્ત કરતા. અને દાદીમાં (લાડબાના માતા) પ્રત્યે જે લગાવ હતો તે તો તેમના શબ્દોમાં જાણીએ : “હું જ્યારે નડીયાદમાં રહેતો ત્યારે કોઈક વાર કરમસદ જાઉં, ત્યારે દાદીમા મને નડીયાદ રેલ્વે ક્રોસિંગ ઓળંગાવી થોડેક દુર મુકી આવતા. ત્યારે નડીયાદથી આણંદ રેલ્વે હતી. પરંતુ કરમસદ જવા માટે તેનો ઉપયોગ નહોતા કરતા. ઘેરથી નીકળતી વેળા રસ્તામાં ખાવાનું લેવા બે-ચાર આના ખિસ્સામાં મુકી દે. પરંતુ તે અમે ગાડીભાડામાં ન વાપરી નાખીએ એટલા માટે દાદીમા અમને રેલ્વે ફાટકથી કેટલેક દુર સુધી મુકી જતા.

સરદારશ્રીના પિતા સને ૧૯૧૪માં ૮૫ વર્ષની વયે સ્વર્ગવાસી થયા. તેના એકાદ વર્ષ પહેલા જ સરદારશ્રી વિલાયતથી પરત આવી અમદાવાદમાં વકીલાત શરૂ કરવા માંડી હતી. તેમના પિતા સરદાર્શ્રીમાં થયેલ જીવનપલટાને અને તેમની ઉત્તરોત્તર વધતી યશકિર્તી અને પ્રતિભા જોઈ ન શક્યા. પરંતું આ ભાગ્ય લાડબાને થોડા ઘણાં અંશે મળ્યુ. ૧૯૩૨માં સરદાર સાહેબ જ્યારે ગાંધીજી અને મહાદેવભાઈ સાથે યરવડા જેલમાં હતા તે સમયના અરસામાં લાડબાનું અવસાન થયુ. રાષ્ટ્રભક્તિના જે રંગે સરદાર સાહેબ રંગાયા તેનાથી તો લાડબા પણ વંચિત ન રહ્યા. ૮૦ વર્ષની ઉમરે તેમણે રેંટીયો કાંતતા. લાડબાઈના અવસાન પર કરમસદમાં કંઈક ધર્માદા કામ માટે સરદારશ્રીએ એમની પુણ્યસ્મૃતિમાં ૧૦૦૦.૦૦ પોતાની નજીવી બચતમાંથી મોકલ્યા હતા.


સરદારશ્રીનો મોટા ભાઈઓ પ્રત્યેનો સંબંધ એક આદર્શ હતો. વિઠ્ઠલભાઈ પ્રત્યે તેમના માન અને આદર વિષે આજે કેટલીય વાતો જાણીતી છે. પોતાના ભાઈઓના સુખ ખાતર સરદારશ્રી મોટામાં મોટો ત્યાગ ખચકાયા વગર કરી શકતા. સૌથી મોટા સોમાભાઈ, તે પછી નરસિંહભાઈ પ્રત્યે પણ સરદારશ્રી નો વિઠ્ઠલભાઈ પ્રત્યેની જેમ જ બંધુભાવ હતો. કેટલાક જુના રિવાજો જે સરદારશ્રીને પસંદ નહોતા તે બાબતે પણ તેમણે પોતાના ભાઈઓનું મન સંભાળીને જ સુધારાનું કામ કર્યુ હતુ. નરસિંહભાઈ અને સરદારશ્રી આ બન્ને ભાઈઓએ કુટુંબને ઊંચુ લાવવા હળીમળીને પ્રયત્નો કર્યા હતા અને સરદારશ્રીને રાષ્ટ્રીયતાનો રંગ લાગ્યો ત્યારથી કુટુંબની જવાબદારી નરસિંહભાઈ ઉપર જ આવી. જમીન ખરીદવાની નાની સરખી બાબતે તેમનુ ભેદી રીતે ખૂન થયુ હતુ ત્યારે સરદારશ્રી બારડોલી સત્યાગ્રહના વિજય પછી લોકજાગૃતિ માટે દરેક પ્રાંતમાં ફરી રહ્યા હતા. સરદારશ્રીના શબ્દોમાં મહાદેવભાઈ એ મણીબેનને પત્ર માં લખ્યુ કે “ આ જાહેરજીવનના કારણે ઘર તરફ જરાય ધ્યાન અપાતુ નથી. કેટલાક વર્ષો થયા, ઘરે ગયો જ નથી. સામાન્ય રીતે જમીનની કે કશી તકરાર આટલી હદ સુધી પહોચવાની હોત તો એક દિવસ જઈ આવી અને તકરાર પણ પતાવી આવીએ. અમદાવાદમાં હોત અને ખબર પડત તો પણ જઈ આવત. પણ રોજ રખડતા હોઈએ એટલે શુ થાય? એ ભાઈ જાહેરકામમાં ભાગ લેનાર હતા. શાળાનું મકાન પણ એમણે જ બંધાવેલુ. દાદુભાઈને એમની બહુ મદદ હતી. હવે બધો ભાર કાશીભાઈ ઉપર પડવાનો અને બહુ હેરાન થવાના.”


સરદારશ્રીને તેમના એકમાત્ર સૌથી નાના બહેન ડાહીબા પ્રત્યે સરદારશ્રીને ભારે હેત હતુ. સરદાર વિલાયતમાં હતા તે દિવસોમાં મણીબેનને રજાઓમાં ડાહીબા પાસે જ રહેવાનું કહેતા. યુવાવસ્થામાં જ એમને જીવલેણ રોગ લાગુ પડ્યો હતો. તે વખતે સરદાર અમદાવાદમાં બેરિસ્ટર હતા. પરંતુ તેઓ જીવી શક્યા નહી. આ બહેનના સ્મરણથી સરદારશ્રી ઘણીવાર ભાવુક બની જતા.

Unity - Ekta - Quotes by Sardar Patel

Ekta - Quotes by Sardar Patel


Unity : - The negligence of a few could easily send a ship to the bottom, but it required the whole-hearted co-operation of all on board; she could be safely brought to port.

(Date : 14th May 1928, To villagers of Bardoli Taluka during Bardoli Movement)



एकता : - कुछ लोगो की लापरवाही बडी आसानी से एक बडे जहाज को डुबो सक्ती है, लेकिन सब एक दिल से किये सहयोग से अगर जहाज को चलाया जाए तो उसे सुरक्षित रुपसे बंदरगाह लाया जा सक्ता है।

(दि. : १४ मे १९२८, बोरसद सत्याग्रह के दौरान)

 

એકતા : - થોડા લોકોની લાપરવાહી સરળતાથી એક મોટા જહાજને ડુબાડી શકે છે, પરંતુ બધા એકસાથે ભેગા મળીને સહકારથી જો જહાજ ચલાવવામાં આવે તો તેને આસાનીથી બંદરગાહ સુધી પહોચાડી શકાય છે. (તા : ૧૪ મે ૧૯૨૮, બોરસદ સત્યાગ્રહ દરમ્યાન)

Sardar Patel: The Man Who Shaped India

SARDAR PATEL PUBLIC MEETING – SHIROHI - RAJASTHAN – 26-June-1936

SARDAR PATEL PUBLIC MEETING – SHIROHI - RAJASTHAN – 26-June-1936


સરદાર વલ્લભભાઈએ રાજસ્થાની કાર્યકરોને સંભળાવેલી કેટલીક સાફ વાતો.


આપણી કાયરતાની દાંડી પીટી નકામો ફજેતો કાં કરો?


નામર્દીના રોદણા રડ્યે શુ વળવાનું છે?


કોઈ પ્રજા કે રાજ્ય એમ મહાત થતાં નથી. – શીહોરી રાજ્ય પ્રજામંડળના વાર્ષિક ઉત્સવમાં સરદારની સલાહ


આપણી કાયરતાની દાંડી પીટવાથી રાજસ્થાની પ્રજાનું તલભાર પણ કામ થવાનું નથી. નામર્દીના રોદણા રડવાથી આપણું કશુ નથી વળવાનું, ઉલટી આપણી જ લાજ જશે. આજની સભાનું પ્રમુખ સ્થાન સ્વીકરવાની મે ના પાડી કારણકે મારા વિચારો ઘણાને ગમતા નથી, ન ગમતી વાત વારંવાર કહેવાનું મને ગમતું નથી છતાં આગ્રહ હતો કે મારે આવવું એટલે આવ્યો છું.


“તમને ગમે તેવી વાત હું કહેવાનો નથી. હું તો મને સુઝે તેવું કહીશ તમે એમ ન માનતા કે તમારા ઉપરના જુલ્મો કોઈ નવી શોધ છે. આજે અનેક દેશી રાજ્યો હિંદુસ્તાનમાં છે જેના જુલ્મો અરેબીયન નાઈટસને પણ ભુલાવી દે તેવા છે. કોઈપણ ડાહ્યો માણૅસ પોતાની પૂંઠ જાણી જોઈને ખુલ્લી નથી કરતો. તેથી ગમે તેવો રાજા હોય છતાં તેની નિંદા કરવાથી આપણૂં કામ નથી સરતું. એથી તો આપણી નામર્દાઈની જાહેરાત માત્ર થાય છે.


“રાજસ્થાની પ્રજાના દુ:ખોની અમને પડી નથી કે મહાસભા બેદરકાર છે એવું રખે કોઈ માનતા. મહાત્મા ગાંધી જેવો રાજસ્થાની પ્રજાનું દુ:ખ જાણનારો મે બીજો કોઈ જોયો નથી, પણ આજે રાજાઓ કોણ છે? નાટકશાળામાં તરગાળાના છોકરાઓ તલવારો ચડાવીને ફરે છે તેમનામાં જે સ્વતંત્રતા છે તેટલી સ્વતંત્રતા પણ આજના દેશી રાજઓમાં નથી.


“દેશી રાજાઓના પોપડા ઉખેડવાથી આપણને લાભ નથી થવાનો પણ આપણી લાજ તેથી તો જાય છે. હું જાહેર કામ કરતા શીખ્યો હોઉં તો મહાત્મા ગાંધીજી પાસેથી શીખ્યો છું. તલવાર ચલાવી જાણો છતાં જે તલવાર મ્યાન રાખે તેની જ અહીંસા સાચી કહેવાય. કાયરોની અહિંસાની કિંમત કેટલી?”


“રાજાઓના દોષ જોતાં પહેલાં આપણે આપણી નામર્દીને ન ભુલવી જોઈએ. આપ મુવા વીના સ્વર્ગે ન જવાય. તમારા સિવાય તમારો ઉધ્ધાર બીજા કોઈથી થવાનો નથી.”


“શ્રી મણીશંકર ત્રિવેદીને તેમના મિત્રો જે માર્ગે લઈ રહ્યા છે તે ઊંધો રસ્તો છે. હું કહું છું કે આ ફજેતો કરવો છોડી દો. જેને લાજ છેજ નહી તેની લાજ જવાની શું છે? જે પોતાની લાજનું રક્ષણ કરતો નથી તેની લાજ બીજુ કોણ બચાવી શકવાનું છે?


“શ્રી મણીશંકર ત્રિવેદી કહે છે કે વ્યક્તિશાસનને બદલે પ્રજાશાસન હોય તો બધા જુલ્મો સહેજે નીકળી જાય, પણ રાજ્યમાં તો જમાદાર ને ફોજદાર વગેરેનું આખુ તંત્ર છે, તે ઉપરાંત આપણી નામર્દાઈ છે. જ્યાં સુધી પ્રજા પોતાનું ખરુ બળ નહી જમાવે ત્યાં સુધી આ ગ્રહણ લાગેલા રાજાઓ માત્ર અંધકાર જ ફેલાવે છે.


“રાજસ્થાની પ્રજાના દુ:ખો વિષે મતભેદ નથી. પણ તે કેવી રીતે દુર કરવા તે વિષે મતભેદ છે. દુ:ખો તો જુના હતા જ પણ બ્રિટીશ હિંદમાંની લડતને કારણે બધે જાગ્રુતી આવી છે ને તેથી હવે આ દુ:ખો જણાવઆ માંડ્યા છે. પ્રજાને કચડી નાખવા બ્રિટિશ સરકાર દમનના જે ઉપાયો લઈ રહી છે તેનું ભુંડુ અનુકરણ રાજાઓ આજે કરી રહ્યા છે. બ્રિટીશ હિંદમાં રાજ્ય અને પ્રજા વચ્ચે આજે હાડોહાડની જામી છે. પ્રજાએ સ્વતંત્ર થવાનો નિશ્ચય કર્યો છે. ઈતિહાસ કહે છે કે આનો અંજામ પ્રજાની સ્વતંત્રતામાં આવ્ય વિના રહેવાનો નથી.


“તમારા દુ:ખો જો હું ગાવા બેસું ને રાજાઓને ગાળો દઉં તો તમને મીઠો લાગુ., કેમકે તમારામાં બીજી તાકાત નથી. છાપામાં પ્રગટ થયેલી વાત જો સાચી હોય તો તમારે સળગી ઉઠવું જોઈએ. એ પ્રસિધ્ધી તમને ગાળસમી છે.


જો આજે એક પણ દેશી રાજ્યમાં જાગ્રુત પ્રજામત હોય તો તે આખા હિંદુસ્તાનને પદાર્થ પાઠ આપશે. મહાસભા તમે માગો તેવો ઠરાવ કદાચ કરી આપે પણ તેથી તમારી સ્થિતીમાં રતીભર ફેર પડવાનો નથી. ઠરાવ હોય કે ન હોય, પ્રજામાં જેટલી શક્તિ હશે તેટલુંજ કામ થશે.


પ્રજાની તપશ્ચર્યાથી જો રાજ્યની શુધ્ધી થઈ હશે તો આખા હિંદનું ત્યા આકર્ષણ થશે. બુમો પાડવાથી કે ગાળો દેવાથી કોઈ નહી આકર્ષાય. જો પ્રજામત જાગૃત હશે તો એ વસ્તુ સહેલાઈથી થઈ શકશે. મહાસભાના ઠરાવથી તમારુ બહેતર નહી થાય, ને શીરોહી રાજ્યનું કલ્યાણ અહીના બે ઠરાવોથી કે કડક ભાષણોથી થવાનું નથી.


પ્રજાની સંમતી કે ટેકા વીના રાજ્ય ચાલી શક્તું નથી. અત્યારે બહુ બોલવાથી કાંઈ આપણી શોભા નથી. પાંત્રીસ કરોડ ઉપર બે લાખ માણસો રાજ્ય કરે તેવી વાત અરેબીયન નાઈટસમાં પણ નથી તમે જોયું કે પ્રજાસંઘ પણ આખરે ચોરોનું મહાજન નીકળ્યું અને છેવટે એબીસીનીયા હજમ થઈ ગયુ. સૌ ઠંડે પેટે છુટા થઈ ગયા છે. જો તે ફાવ્યુ હોય તો આખુ જગત એબીસીનીયાને પુંજવા મંડી પડત.


તાકાત વગર બોલવાથી કશો ફાયદો થતો નથી. દારુગોળા વગર જામગ્રીથી ભડકો થયો એ જાણ્યો નથી.

Barrister Sardar Patel

૧૩ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ સરદાર પટેલ મુંબઈ આવ્યા. સરદાર પટેલ બીજા જ દિવસે અમદાવાદ પહોચી ગયા. સરદાર પટેલ તે સમયના પ્રધાન ન્યાયાધીશ સર બેસિલ સ્કોટ સાથે સારો પરિચય હતો, અને એટલે જ તેમણે સરદાર પટેલને મળવા મુંબઈ બોલાવ્યા. સર બેસિલે તેમનું ખુબજ સારી રીતે સ્વાગત કર્યુ અને તેમણે સરદાર સાહેબને દરેક પ્રકારની સહાય કરવાનું વચન આપ્યું. સર બેસિલે ગવર્ન્મેંટ લો સ્કુલમાં સરદાર સાહેબને પ્રોફેસરનું પદ પણ આપવાની ઈચ્છા જાહેર કરી, પરંતુ આ સાથે સાથે સરદાર પટેલે મુંબઈ સ્થાયી રહેવુ પડશે એમ સ્કોટનું માનવુ હતું. પરંતુ સરદાર પટેલ વકીલાતની શરૂઆતના દિવસોમાં મુંબઈ પસંદ નહોતા કરતા એટલે જ અમદાવાદ આવી ગયા. પોતાના અસીલોની સેવા કરવા માટે તેમના મનમાં ખાસ યોજનાઓ બનાવેલી હતી. અને અમદાવાદ રહી તેમને જાહેર જીવનમાં પણ કામ કરવાની ઈચ્છા હતી. ભગવાન પણ જાણે મહાત્માને સરદાર સાથે મેળવવા માટે આતુર હોય તેમ ગાંધીજીએ પણ પોતાના જાહેર જીવનના સામાજીક કાર્યો માટે અમદાવાદ પસંદ કર્યુ. અમદાવાદની જનતાને આ વાતનો ગર્વ હતો.



સરદાર પટેલ એક પ્રતિભા સંપન્નયુવકના રુપમાં અંગ્રેજી પહેરવેશ, માથે એક તરફ ઝુકેલી હેટ લગાવી બાર કાઉંસિલમાં પ્રવેશ કર્યો. એક અલગ પ્રકારનું તેજ તેમની આંખોમાં જોવા મળતું હતુ. તે બહુ ઓછા બોલા પરંતુ જેટલુ બોલતા તે દરેક શબ્દોમાં વજન રહેતુ. વકીલની હેસિયતના કારણે તેમને ફોજદારીના કેસોમાં વધુ રૂચી હતી. તેઓની સામેના વ્યક્તિનો સ્વભાવ એક નજરમાં પારખી લેવાની ક્ષમતાના કારણે પોતાના શબ્દોથી એવો હુમલો કરતા કે તે સમજી જ નહોતો શક્તો કે શુ થઈ રહ્યુ છે અને શુ થશે? અને આ કારણે સામેવાળો પોતાનો બચાવ પણ કરી શક્તો નહોતો.

Speech of Sardar Patel at Karachi as Congress President - કરાંચી કોંગ્રેસના પ્રમુખ - સરદાર પટેલ

કરાંચી કોંગ્રેસના પ્રમુખ – માર્ચ ૧૯૩૧



જે વખતે વાઈસરોય સાથે વાટાઘાટો ચાલતી હતી તે વખતે જ કારોબારીના સભ્યો આવતી કોંગ્રેસ ક્યા અને ક્યારે ભરવી તેનો વિચાર કરી રહ્યા હતા. લાહોરની કોંગ્રેસમાં એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે દર વર્ષે નાતાલના સમયે કોંગ્રેસ ભરાય છે અને તે દિવસો દરમ્યાન ટાઢ વધુ હોવાથી, માર્ચ મહિનામાં કોંગ્રેસની સભા ભરવી. આ વર્ષ દરમ્યાન લડત ચાલતી હોવાથી દરેક પ્રાંતની કોંગ્રેસ સમિતિઓ પ્રમુખની તેમજ પ્રતિનિધિઓની ચુંટણી શક્ય ન હોવાથી કારોબારીમાં ઠરાવ થયો કે જો પ્રાંતિય સમીતિઓ સમાધાન કરે તો કરાંચીમાં કોંગ્રેસની સભા ભરવી અને તેનું પ્રમુખ પદ સરદાર પટેલને સોંપવું. પ્રતિનિધીઓની બાબતમાં એવો ઠરાવ કર્યો કે પ્રાંતિય સમિતિઓ ચુંટવાના સભ્યોમાં અડધા પોતાના સભ્યો તથા બાકી અડધા જેલમાં ગયેલ પોત પોતાના પ્રાંતના સભ્યોમાંથી ચુંટે.



માર્ચ ૧૯૩૧ના છેલ્લા અઠવાડિયામાં કોંગ્રેસ કરાંચીમાં ભરવાનું નક્કી કરવામાં આવ્યું, એટલે કરાંચીના લોકોને તૈયારી કરવા માટે ખુબ ઓછા દિવસો હતા, પણ ત્યાંની મ્યુનિસિપાલિટીના પ્રમુખશ્રી જમશેદ મહેતાના સહકારના કારણે અને ડો. ચોઈથરામ તથા સિંધના નિરાભિમાની અને નિષ્ઠાવાન કાર્યકર્તા શ્રી જયરામદાસજીની વ્યવસ્થાને કારાણે કરાંચીમાં વ્યવસ્થા સરસ રીતે થઈ. તૈયારી માટે પુરતો એક મહિનો ન હોવા છ્તાં ત્યાં વસતા ગુજરાતીઓએ પણ તેમાં પુરો ફાળો આપ્યો હતો, હજ્જારો માણસોની રહેવાની તથા નિત્યકર્મની વ્યવસ્થા આદર્શ ગણાય એવી કરવામાં આવી.



કરાંચીની કોંગ્રેસની સભા ખુબ જ તંગ વાતાવરણમાં થઈ હતી, સરકાર સાથે કરવામાં આવેલ સમાધાનથી નવજુવાનિયાઓમાં ભારોભાર અસંતોષ હતો. સમાધાનની શરતો મુજબ જે લોકો જેલમાંથી છુટવા જોઈતા હતા તેવા બધા કેદીઓ અમલદારોની આડખીલીઓને લીધે હજી છુટ્યા નહોતા. તથા બંગાળ તથા બીજા કેટલાય પ્રાંતોમાં મોટી સંખ્યામાં કેદીઓની અટકાયત કરવામાં આવેલી અને અમુક લોકોને નજરકેદમાં રાખેલ હતા. તેઓ સત્યાગ્રહની લડતને કારણે પકડાયેલ નહોતા પરંતુ રાજદ્વારી કેદીઓ તો હતા જ. અને સમાધાનમાં તેમને છોડાવવાની કોઈ જોગવાઈ થઈ શકી નહોતી, તથા નારજગીનું સૌથી મોટું કારણ તો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ કે જેઓને પંજાબના એક અમલદારના ખૂન કરવા બદલ ૧૯૨૮ના લાહોર કાવતરા કેસમાં ફાંસીની સજા થી હતી અને તેઓને ફાંસી ન આપવામાં આવે તેવી સૌ નવજુવાનિયાઓની માંગણી હતી. વાઈસરોય સાથેની ચર્ચામાં ગાંધીજીએ એમને ફાંસી ન આપવામાં આવે તે માટે વાઈસરોયને સમજાવવામાં કાંઈ બાકી નહોતુ રાખ્યુ, પરંતુ વાઈસરોય ફાંસી અટકાવવા તૈયાર જ નહોતા અને વાટાઘાટો સત્યાગ્રહની લડત અંગેની હોવાથી ગાંધીજી સંધિની શરતોમાં એ મુકી શકતા નહોતા, વળી ભગતસિંહ પોતે એવો બહાદુર યુવાન હતો કે તેણે વાઈસરોયને દયાની અરજી કરવાની સાફ ના પાડી હતી અને કહ્યુ કે મે તો દેશની સ્વતંત્રતાની લડતમાટે એક શત્રુનું ખૂન કર્યુ છે, માટે સરકાર પણ મને શત્રુ ગણી ભલે ગોળી મારી દે, કે મને ફાંસીએ લટકાવે. ભગતસિંહે તો આવા બહાદુરી તથા હિમતવાળા વર્તનથી નવજુવાનિયાઓના હ્રદય જીતી લીધા હતા અને વાઈસરોયે ગાંધીજીને એટલુ જ કહ્યુ કે તમે ચાહતા હો તો કરાંચીની કોંગ્રેસ સભા પુરી થઈ જાય પછી ફાંસીની સજા દેવાય તેવી વ્યવ્સ્થા કરી શકું, પરંતુ ગાંધીજીએ વાઈસરોયને વિનંતિ કરી કે તમે નવજુવાનોના હ્રદય પર સારી અસર કરવાની એક તક ગુમાવી રહ્યા છો. પરંતુ તમારે એ કરવુ નથી આથી જો તમારે ફાંસી દેવાની જ હોય તો કરાંચીની સભા પહેલા જ આપો જેથી મારે અને સરદાર પટેલને નવજુવાનોનો રોષ વહોરવાનો હોય તે અમે વહોરીએ.



છેવટે કરાંચી અધિવેશન ના થોડા દિવસ પહેલા જ એટલે કે ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ભગતસિંહ અને તેમના સાથીઓને ફાંસી અપાઈ, નવજુવાનો ખુબ જ ઉશ્કેરાયા. ગાંધીજી અને સરદાર પટેલ કરાંચી પહોચ્યા તે વખતે નવજુવાનોએ તેમની આગળ કાળા વાવટા અને કાળા ફુલો ધરી પોતાનો વિરોધ દર્શાવવા ઈચ્છતા હતા. ગાંધીજી અને સરદાર પટેલે તેઓને રોક્યા નહી બલ્કે તેઓને સૌથી પહેલા બોલાવી તેમના રોષનો આદર કર્યો અને જણાવ્યુ કે તેઓને રોષ કરવાનો હક્ક છે. અને નવજુવાનોના દિલમાં રોષ ની સાથે સાથે સરદાર પટેલ તથા ગાંધીજી પ્રત્યે અનાદર તો નહોતો જ, માત્ર પોતાની લાગણીઓનો ઉભરો તેમની આગળ ઠાલવવો હતો. અને જ્યારે ગાંધીજી તથા સરદાર પટેલે તેઓને રોષ પ્રગટ કરવાની પુરેપુરી તક આદર સાથે આપી ત્યારે નવજુવાનિયાઓ શરમાયા.



સરદાર પટેલનું પ્રમુખ તરીકેનું ભાષણ બહુ ટુંકુ હતુ, પોતાને કોંગ્રેસના પ્રમુખ નીમવામાં આવ્યા તે પોતાની નહી પરંતુ ગુજરાતની કદર કરવા માટે છે. સાથે સાથે તેમણે જે કહ્યુ તે દરેકે સમજવા જેવું છે.



“મારા જેવા સીધાસાદા ખેડૂતને તમે દેશના પ્રથમ સેવકના પદને માટે ચુંટ્યો તે મારી સેવાની કદર કરતા ગુજરાતે ગયા વર્ષના યજ્ઞમાં જે અદ્ભુત બલિદાન આપ્યા તેની કદર કરવાને અર્થે છે, તે હુ સારી રીતે સમજુ છુ, ગુજરત પ્રાંતને એ માનને માટે તમે પસંદ કર્યો એ તમારી ઉદારતા છે બાકી સાચી વાતતો એ છે કે આ જમાનાની અપૂર્વ જાગૃતિના ગયા વર્ષ્માં કોઈ પ્રાંતને બલિદાન આપવમાં કોઇ કચાશ રાખી નથી. દયાળુ પ્રભુ નો પાડ છે કે એ જાગૃતિ સાચી આત્મ શુધ્ધિની હતી.”



ભગતસિંહની ફાંસી વિષે બોલતા કહ્યુ : “નવજુવાન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને થોડા જ દિવસ ઉપર ફાંસી મળી છે તેથી દેશને પારાવાર ઉકળાટ થયો છે. એ યુવકોની કાર્યપધ્ધતિની સાથે મારે નિસ્બત નથી, બીજા કોઈ પણ હેતુને માટે ખૂન કરવુ તેના કરતા દેશને માટે કરવુ એ ઓછું નિંદનીય છે તેમ હું માનતો નથી. છતાં ભગતસિંહ અને તેના સાથીઓની દેશભક્તિ, હિમ્મત અને બલિદાન આગળ મારૂ શિર ઝુકે છે. આ યુવાનોને થયેલી ફાંસીની સજા બદલીને દેશનિકાલની કરવામાં આવે એવી લગભગ આખા દેશની માંગણી છતા સરકારે એમને ફાંસી દઈ દીધી છે, એ હાલનુ રાજતંત્ર કેટલુ હ્રદયશુન્ય છે એ પ્રગટ કરે છે.”



આપણે સમાધાન ન સ્વીકર્યુ હોત તો આપણો દોષ ગણાત અને ગયા વર્ષની બધી તપશ્ચર્યા ધોવાઈ જાત. આપણે તો હંમેશા સુલેહ માટે તૈયાર છીએ એટલુ જ નહી પણ ઉત્સુક છીએ. એટલે જ્યારે સુલેહ માટે દ્વાર ખુલ્લુ દેખાયુ ત્યારે આપણે તેનો લાભ લીધો. ગોળમેજી પરિષદમાં ગયેલા આપણા દેશબંધુઓને સંપુર્ણ જવાબદારીવાળા તંત્રની માંગણી કરી. બ્રિટિશ પક્ષોએ માંગણી સ્વીકારી. કોન્ગ્રેસ આગળ મુખ્ય ઠરાવ ગાંધી અવિર્ન કરારથી થયેલી સંધીને બહાલી આપવાનો હતો અને આ સંધિ નવજુવાનોને પસંદ પડી નહોતી તે વખતે કોંગ્રેસમાં નવજુવાનો મધ્યમમાર્ગી નેતા જવાહરલાલ નેહરુ હતા અને અંતિમમાર્ગી નેતા શ્રી સુભાષચંદ્ર બોઝ હતા એવુ કહેવાય. નહેરુને આ સંધિ એટલા માટે પસંદ નહોતી પડી કારણ કે એમના મુજબ આ સંધિમા પૂર્ણ સ્વરાજ્ના તત્વનો ત્યાગ થયેલો લાગતો હતો. તેમ છતાં ગાંધીજીની ભક્તિને લીધે અને તેમની સમજાવટને કારણે સંધિની બાબતમાં એમણે પોતાના મનને મનાવી લીધુ હતુ.

© all rights reserved
SardarPatel.in