Vithalbhai Patel - "Janak" of Parliamentary Practice

Vithalbhai Patel - "Janak" of Parliamentary Practice

વિઠ્ઠલભાઈ પટેલ – સંસદીય પ્રથાના “જનક”

આજે ૨૭-૦૯-૨૦૨૧ સંસદીય પ્રથાના જનક એવા શ્રી વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ દિવસ, સામાન્ય રીતે શ્રી વિઠ્ઠલભાઈ પટેલને આપણે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાઈ તરીકે જ ઓળખીએ છે, પરંતુ શ્રીયુત શ્રી વિઠ્ઠલભાઈ પટેલ“સંસદીય પ્રથાના જનક” તરીકે વધારે સારી રીતે ઓળખ આપી શકાય, શ્રી વિઠ્ઠલભાઈ પટેલના કાર્યો થી આપણે ઘણા અજાણ છે કદાચ આઝાદી થી આજ સુધી તેમના કાર્યોને જાહેરજનતા સુધી કદાચ કોઈ રાજકીય પક્ષોએ ઉજાગર નથી કર્યા કે તેમની વિગતો જાહેર જનતા સુધી પહોચડવામાં ઉદાસીનતા દાખવી છે.

વર્ષ ૧૯૦૮માં ઈંગ્લેંડથી પરત ફર્યા બાદ તેમનો કાનુની બાબતોનો રસ હોવાથી એક વાત સ્પષ્ટ હતી કે તેઓએ એક પ્રખ્યાત વકીલ બનવાનો નિર્ણય કરી લીધો હતો. આશરે એક વર્ષની મુંબઈમાં પ્રેક્ટિસ ના સમયગાળામાં વર્ષ ૧૯૧૦ દરમ્યાન એવી બે ઘટનાઓ ઘટી કે તેમના જીવન પ્રત્યેના વિચારો બદલાયા જેમાં તેમના પત્ની દિવાળીબેનના મૃત્યુ, અને તેમની પોતાની માંદગી દરમ્યાન ગ્રામ્ય લોકોના વધુ સંપર્કમાં આવ્યા અને આ દરમ્યાન શ્રી વિઠ્ઠલભાઈને બ્રિટિશ રાજ હેઠળ ગામડાઓની દુર્દશાની માહીતે મળી અને ગામડાઓની સમસ્યા સમજ્યા બાદ જ તેમણે પોતાનું જીવન દેશસેવાને સમર્પિત કરવાનો નિર્ણય કર્યો.

૬ઠ્ઠી જાન્યુઆરી, ૧૯૧૩ના દિવસે શ્રી વિઠ્ઠલભાઈએ ગવર્નર ઓફ બોમ્બેની લેજિસ્લેટિવ કાઉંસિલના શપથ ગ્રહણ કરી તે પદ શોભાવ્યું અને આ પ્રસંગ પછી તેઓ *“માનનીય શ્રી વિઠ્ઠલભાઈ પટેલ”* તરીકે ઓળખાયા. શ્રી વિઠ્ઠલભાઈ પટેલે વર્ષ ૧૯૧૪ના સત્રના સૌથી વિવાદાસ્પદ વિધેયકોમાં મહત્વનો ફાળો આપ્યો જેમાં મુખ્યત્વે ધ બોમ્બે ડિસ્ટ્રીક્ટ મ્યુનિસિપલ એક્ટ એમેંડમેંટ બિલ, ટાઉન પ્લાનિંગ બિલ, બોમ્બે લેંડ રેવન્યુ કોડ એમેંડમેંટ બિલ, બોમ્બે પોર્ટ ટ્રસ્ટ બિલ, કરાંચી પોર્ટ ટ્રસ્ટ બિલ માં મહત્વની ભુમિકા અદા કરી, સાથે સાથે પંચમહાલ જિલ્લાના તાલુકા અને જિલ્લા બોર્ડમાં નામાંકન પધ્ધતિના સ્થાને ચુટણી પ્રથાને અમલમાં લાવવા માટેનો ઠરવ પણ સફળતા પુર્વક પસાર કર્યો. અને આથી જ તેઓ *“ગ્રામ સ્વરાજના પ્રણેતા”* તરીકે ઓળખાયા.

આ સિવાય શ્રી વિઠ્ઠલભાઈ પટેલ મેડિકલ એમેંડમેંટ બિલ, પ્રાથમિક શિક્ષણ કાયદો, આયુર્વેદ અને યુનાની ચિકિત્સકોના રક્ષક, રોલેટ એક્ટ, ઈંગલેંડમાં કોંગ્રેસનો પ્રચાર, અસહકાર આંદોલન અને સવિનય કાનુનભંગ, બોમ્બે મ્યુનિસિપલ કાઉંસિલનો કાર્યકાળ, બોમ્બેના મેયર, સ્વરાજ પક્ષની રચના, હિંદુ મેરેજ એક્ટ, પેશાવર ઈંક્વાયરી કમિટી, કે પછી અમેરીકામાં વિઠઠલભાઈ પટેલના ભાષણો હોય, વગેરે બાબતોમાં જરુર જણાય ત્યાં તેઓએ દેશહિતમાં આક્રમક વલણો પણ અપનાવ્યા છે અને ક્યારેક નરમાશથી પણ કાર્યો કરેલ છે. એક કિસ્સામાં પોતાના જ સ્વરાજ પક્ષના નેતા શ્રી મોતીલાલ નહેરુનો ખોફ પણ એમણે વહોરી લીધેલો, સ્પીકર તરીકે ચુંટાયા એટલે એમને કરવેરા જતાં માસિક રુ. ૩,૬૨૫નો પગાર મળતો થયો શ્રી વિઠ્ઠલભાઈ પટેલજે સાદા અને નિ:સંતાન વિધુરને આટલી મોટી પગારની રકમનું શુ કરવું એમ પ્રથમ નજરે લાગે આથી નેતા શ્રી મોતીલાલ નહેરુની ઈચ્છા હતી કે શ્રી વિઠ્ઠલભાઈ પોતાના પગરનો અર્ધો હિસ્સો પક્ષના ફંડમાં આપે. શ્રી વિઠ્ઠલભાઈ એ જે પળે પ્રમુખપદ સ્વીકાર્યું તે જ પળે, મન સાથે જ નિશ્ચય કરેલ કે પક્ષની વિચારસરણીને પોતે વરેલા ખરા, ભારતના સ્વાતંત્ર્યના સેનાની પણ પોતે અચૂક, પણ પક્ષ તરીકે કોઈ પક્ષ સાથે, કોઈ સંબંધ ચિન્હ ટકાવવા નહી. આથી જ તેઓએ પક્ષના સભ્યપદે થી મુક્ત થયા, આવી પરિસ્થિતિમાં તેઓ પોતે ફાળો કેવી રીતે આપી શકે તે સવાલ સ્વાભાવિક પેદા થયો. આ ઉપરાંત વિઠ્ઠલભાઈ નું દિલ્હીનું ઘર એટલે સરોજીની નાયડુંથી માંડી મહાદેવભાઈ દેસાઈ જેવા કેટલાય રાષ્ટ્રીય કાર્યકરોનું વિરામ સ્થળ. બહોળી મહેમાન ગતિ અને વિશાળ નિવાસસ્થાન જે ૨૦, અકબર રોડ, દિલ્હીમાં આવેલ જ્યાં આજે લોકસભાના સ્પીકર શ્રી ઓમ બિરલાનું નિવાસસ્થાન છે. 

આ નિવાસસ્થાનમાં શરુઆતમાં શ્રી વિઠ્ઠલભાઈને સારી એવી રકમ રાચરચીલામાં ખર્ચવી પડી હતી અને છ માસને અંતે એમને સમજાયુ કે માળી, નોકરોના મોટા કાફલા અને પોતાના મોભાને યોગ્ય સામાજિક ખાણી પીણીને નિભાવવા, માસિક બે હજાર જોઈએ. એટલે બાકીના માસિક રૂ. ૧૬૨૫ એમણે મહાત્મા ગાંધીને મોકલી આપ્યા. એમને ઈચ્છા થાય તે રીતે જનકલ્યાણની પ્રવૃત્તિમાં વાપરવા માટે અને આ વાત મોતીલાલ નહેરૂને પસંદ નહોતી અને આથી જ તેમણે આ રકમ પર પક્ષનો દાવો પોતાના રોષ સાથે કર્યો. અને આ તરફ મહાત્મા ગાંધીજી એ આ રકમ કેટલાય સમય સુધી વાપરી નહોતી આ કારણે પણ મોતીલાલ નહેરૂનો રોષ યથાવત રહ્યો. પરંતુ સમયાંતરે ગાંધીજીએ મોતીલાલ નહેરૂની સંમતિથી આ રકમ રાષ્ટ્રહિતમાં વાપરી અને પ્રતિમાસ વિઠ્ઠલભાઈ રૂ. ૧૬૨૫ ગાંધીજીને મોકલાવતા રહ્યા. 

આજે આપણે “બંધુ બેલડી” એટલે કે શ્રી વિઠ્ઠલભાઈ પટેલઅને શ્રી શ્રી સરદાર પટેલના પ્રસંગો વાગોળીએ. બંને ભાઈઓમાં શ્રી વિઠ્ઠલભાઈ પટેલમોટા અને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ નાના તેમની સમજશક્તિ અને રમૂજ માટે જાણીતા હતા. તે એક કુદરતી ભેટ હતી અને બંનેએ તેમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો અને આ સુંદર કલાનો ઉપયોગ કર્યો, તેનો ઉપયોગ વિદેશી શાસકો અને તેમના યુરોપિયન અધિકારીઓ સામે સફળતાપૂર્વક કર્યો. ડીસ્ટ્રીક પ્લીડરની પરીક્ષા પાસ કરી શ્રી વિઠ્ઠલભાઈ પટેલે પંચમહાલ જિલ્લાના ગોધરામાં વકીલાત શરૂ કરી. શ્રી વિઠ્ઠલભાઈને શરૂઆતમાં ખુબજ કઠીણાઈનો સામનો કરવો પડ્યો પરંતુ પોતાની કુનેહથી અને કાયદાના ઝીણવટ ભર્યા અભ્યાસના કારણે સફળતા મળવા લાગી અને ફોજદારી વકીલ તરીકે તેઓ પ્રખ્યાત થઈ ગયા. જવાબદાર વકીલ હોવાની સાથે સાથે તેઓ નીડર પણ એટલા જ હતા.

વિઠઠલભાઈ એ જ્યારે બોરસદમાં પોતાની વકીલાત શરૂ કરી ત્યાં પણ તેમને સફળતા અને ખ્યાતી મળતા વાર ન લાગી. તેમની ગોધરાની કારકીર્દી અગાઉથી જ બોરસદમાં પ્રસરી ગયેલ આથી ફોજદારી કેસોનો જમાવડો વધવા લાગ્યો આથી તેમણે વલ્લભભાઈને પણ બોરસદ બોલાવી લીધા. તેમના અભ્યાસ અને આવડતના કારણે મુશ્કેલ જણાતા કેસો પણ પલકવારમાં જીતી જતા. આમ બન્ને ભાઈની જુગલજોડીએ સરકારી તંત્ર અને પોલીસખાતાને રાડ પડાવી દીધી. ક્યારેક તો બન્ને ભાઈઓ સામ સામે પક્ષકારોના વકીલ તરીકે ઊભા રહેતા અને તે સમયે તેઓની રજુઆત અને દલીલો સાંભળવા વકીલમંડળ ઉપરાંત જનસમૂહના કારણે કોર્ટનો રુમ ભરાઈ જતો. એક સમયે તો સરકારને લાગ્યું કે તાલુકાનું પોલીસતંત્ર બન્ને ભાઈઓથી પરાસ્ત થયેલ છેએમની શેહમાં દબાઈ ગયુંએટલે બોરસદની ફોજદારી કોર્ટ આણંદ ખસેડીપણ આ સ્થળફેરની યોજના પણ કારગત ન નીવડી. બન્ને ભાઈઓ બોરસદથી આણંદ પહોચી કેસ લડી જીતી જતા. અને સરકારને પણ બોરસદથી આણંદનો ખર્ચો, ભાડા ભથ્થાવધવા લાગ્યા એટલે વળી પાછા થાકીને આણંદથી કોર્ટ બોરસદ બદલી અને આ રીતે બન્ને ભાઈઓની વચ્ચે સરકાર પીસાતી જ રહી.

            શ્રી સરદાર પટેલ અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલના આગમન પછી નાગપુર સત્યાગ્રહનો વ્યાપ વધવા લાગ્યોશ્રી વિઠ્ઠલભાઈએ તે સમયે બધી જ પરિસ્થિતિનો તાગ મેળવી સરઘસ કાઢવાની યોજના બનાવી, ૧૮ ઓગષ્ટના રોજ આ યોજના અમલમાં મુકવા ૨ શર્તો મુકી જેમા ૧) ૧૭ ઓગષ્ટ સુધી નાગપુરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને ૨) સરઘસ યોજવા સરકારની આગોતરી મંજુરી મેળવવી. એ સમયે સર ફ્રેંક સ્લાય સેંટ્રલ પ્રોવિન્સિઝ્ના ગવર્નર હતા અને તેઓ શ્રી વિઠ્ઠલભાઈના લંડનમાં સહાધ્યાયી હતા. આથી શ્રી વિઠ્ઠલભાઈ પટેલસર સ્લાયને અનેક વખત મળેલા અને આ મુલાકાતોની ગુપ્તતા જળવાઈ રહેલ હતી. શ્રી વિઠ્ઠલભાઈના રાજદ્વારી પ્રયત્નોને કારણે ૧૮ ઓગષ્ટે સરઘસ વિના અવરોધે સફળ રહ્યુ. શ્રી સરદાર પટેલ અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલે સાથે મળીને સફળતા મેળવી હોય તેવા પ્રસંગોમાં નાગપુર સત્યાગ્રહ ખુબજ મહત્વનો છે. શ્રી વિઠ્ઠલભાઈના કારણે જ આપણને શ્રી સરદાર પટેલ જેવા રાજપુરુષ મળ્યાં તે ક્યારેય ભુલી ન શકાય.

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

હિંદુ – મુસ્લિમ અને સરદાર પટેલ

હિંદુ – મુસ્લિમ અને સરદાર પટેલ

 

૧૫ ઓગષ્ટ ૨૦૨૧, સ્વતંત્ર દિવસ 

૧)        શું સરદાર પટેલને અન્યાય થયો?

૨)        કોમવાદી સરદાર પટેલ – હિંદુવાદી સરદાર પટેલ – સરદાર પટેલ પર લાગેલ આ આરોપોનું સત્ય શું છે?

૩)        મુસ્લિમો પાકિસ્તાન જઈને શું કરશે? – સરદાર પટેલ

૪)        લિયાકત પેક્ટ અને જસ્ટિસ બશીર અહેમદ

 

આપણો રાષ્ટ્ર દ્વજ નક્કી કરવા એક કમીટીનું ગઠનનો ઠરાવ ૦૨ એપ્રિલ ૧૯૩૧ના રોજ કરાંચી અધિવેશનમાં થયો. અને આ કમીટીએ રાષ્ટ્ર દ્વજ બાબતે જરૂરી સુચનો અને રીપોર્ટ ૩૧ જુલાઈ ૧૯૩૧ ના દિવસે કે તે પહેલાં આપવા તેવું નકકી કરવામાં આવ્યુ. 

૧)        શું સરદાર પટેલને અન્યાય થયો? 

                        સૌ પ્રથમ તો સરદાર પટેલને અન્યાય થયો કહેનાર જ સરદાર પટેલને અન્યાય સહન કરનાર વ્યક્તિ સમજે છે ત્યારે જ આ પ્રશ્ન ઉદ્ભભવે ... સરદાર પટેલને અન્યાય થયો તેવું અન્યો નહી પરંતુ હું પોતે પણ માનતો હતો, પરંતુ ૨૦૧૨ પછી જેમ જેમ સરદાર પટેલ વિશે જાણતો થયો, તેમ તેમ હું તે સમજી ગયો કે સરદાર પટેલને કોઇ અન્યાય કરીજ ન શકે. અને આ બાબતે એક સ્પષ્ટ સવાલ હંમેશા દરેકને પુછું કે સરદાર પટેલને અન્યાય થયો તેવું સરદાર પટેલે કોઈને કહ્યું ખરું (કારણકે સરદાર પટેલ પોતે બેરિસ્ટર હતા અને સ્પષ્ટ વાત કહેનારા હતા, પીઠ પાછળ તો વાત કરતા નહી), સરદાર પટેલે આ વિશે બીજા કોઈને ન કહ્યું હોય તેવું પણ માની લઈએ, તો તેમના દિકરી કું. મણીબેન પટેલ જેઓએ સરદાર પટેલ માટે આયખું અર્પણ કર્યુ શું સરદાર પટેલે તેમને પણ ક્યારેય કહ્યું કે કું મણીબેન પટેલે પણ ક્યારેય આ વાતનો ઉલ્લેખ સરદાર પટેલના મૃત્યુ પછી કહ્યું? “ના” 

                        તમારા મુજબ જેને અન્યાય થયો તેમણે ક્યારેય નથી કહ્યુ અને તેમના વારસદારો નથી બોલ્યા કે અન્યાય કર્યો. તો પછી આ વાતને તુલ આપનાર હું કે તમે કોણ? 

ઈતિહાસમાં જે સમયે જે નિર્ણયો લેવાયા તે હકીકતમાં સમયને આધીન નિર્ણયો લેવાયા અને આ મુદ્દાને એક બીજી દ્રષ્ટિએ જોઈએ તો સરદાર પટેલ વડાપ્રધાન બન્યા અને નહેરુ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બને તો શું ભારત નો જે નક્શો આજે આપણી જોઈએ છે તે શક્ય બની શકે ખરો? શું નહેરુ હૈદ્રાબાદ, જામનગર, ભોપાલ, ના નવાબો સાથે ભારતમાં ભેળવી શક્યા હોત ખરા? મારા મંતવ્ય મુજબ તો આ શક્ય ન બન્યું હોત, અને એટલે જ માનવું રહ્યુ કે સરદાર પટેલની કુનેહથી જ અખંડ ભારતની રચના શક્ય બની.           

            વર્ષ ૧૯૪૭ ના અંતમાં (એટલે કે આઝાદી ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે મળી) એટલે કે ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ અને ડિસેમ્બર ૧૯૪૭ના સમયગાળાની વાત જ્યારે સરદાર અને જવાહરલાલ વચ્ચે મતભેદો ઉભા થયા ત્યારે બન્ને અવારનવાર ગાંધીજી સાથે રજુઆત કરતા, એક સમયે ગાંધીજીએ સરદાર સાહેબને કહ્યું પણ હતું કે 

“તમારી આજની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠાનો ખ્યાલ કરતા મને લાગે છે કે તમારે પ્રધાનમંત્રી પદનો સ્વીકાર કરવો જોઈએ.”           

            ત્યારે સરદાર સાહેબે ગાંધીજીને કહ્યું કે “પ્રધાનમંત્રી તો જવાહર જ રહે, માત્ર મને રાજકાજથી મુક્ત કરો એટલું જ પ્રાર્થુ છું. જો હું આ પદનો સ્વીકાર કરુ તો જે લોકો મારી સામે અવળી વાતો ફેલાવી રહ્યા છે તેમની વાતોને નાહકની પુષ્ટિ મળશે” (આ પ્રસંગની વાત મણીબેનની ડાયરીમાં લખેલ છે અને જેની નોંધ સરદાર પટેલ જન્મ શતાબ્દી ગ્રંથમાળામાં પણ કરેલ છે.) 

આ વાત સ્પષ્ટ કરવી જરૂરી છે અને જેમ સરદાર પટેલ પર મુસ્લિમ વિરોધી છે તેવો આરોપ લગાવે છે તેવા જ એક સેનાની મૌલાના આઝાદ કે તેમના અને સરદાર સાહેબના મતભેદો તીવ્ર હતા તેઓ પોતાના મરણોત્તર પુસ્તક “ઈન્ડિયા વિન્સ ફ્રીડમ” માં અનેક આકરા પ્રહારો સરદાર સહેબ પર કરેલા છે, અને તેમના જ સહકાર્યકર્તા હુમાયુ કબીરે “ધ સ્ટેટ્સમેન”ને  ૨૫ જુલાઈ ૧૯૬૯ ના રોજ કહ્યુ કે પોતાના અંતિમ દિવસોમાં આઝાદ એવા તારણ પર આવ્યા હતા કે પોતે પટેલની બાબતમાં ગલત હતા. તેમણે કહ્યું હતું કે પોતે ૧૯૪૬માં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પટેલનું સુચન કરવું જોઈતું હતું. (એટલે કે જે ચુંટણીની વાત થઈ રહી છે કે સરદાર પટેલને ૧૯૪૬માં પ્રધાનમંત્રી પદ માટે અન્યાય થયો તે હકીકતમાં કોંગ્રેસ અધ્યક્ષની ચુંટણી હતી નહી કે પ્રધાનમંત્રી પદની) 

૨)        કોમવાદી સરદાર પટેલ – હિંદુવાદી સરદાર પટેલ – સરદાર પટેલ પર લાગેલ આ આરોપોનું સત્ય શું છે?

                        ભારતની એકતા અને અખંડિતતા તથા હિંદુ-મુસ્લિમ બંધુત્વ વિશે સરદારનો હઠાગ્રહ હંમેશા રહ્યો. તેમના રાષ્ટ્રવાદ અને દેશદાઝ વિશે કોઈ શંકા કે વિવાદ નહોતો તેમ છતાં તેમના પર કહેવાતા બનાવટી બિનસાંપ્રદાયિકતાવાદીઓએ ખુલ્લેઆમ કોમવાદી અને હિંદુ તરફી પક્ષપાતી વલણ ધરાવતા હોવાનો અક્ષેપ કરેલ અને આવા આક્ષેપો પર ખરાઈ અન્ય કોઈ નહી પણ તેમના સાથીઓ મૌલાના અબુલ કલામ આઝાદ અને જયપ્રકાશ નારાયણ જેવાએ પણ કરેલ. અને તેઓએ જ પાછળથી કબુલાત કરેલ કે તેમણે સરદાર પટેલને સમજવામાં ભુલ કરેલ.

                        ગાંધીજીએ તેમના વિશે કહ્યું કે “સરદારને મુસ્લિમ-વિરોધી કહેવા એ તો સત્યનો ઉપહાસ કરવા જેવુ લેખાશે.” 

૩)        મુસ્લિમો પાકિસ્તાન જઈને શું કરશે? – સરદાર પટેલ 

                        આઝાદી બાદ ભાગલા દરમ્યાન જ્યારે ભારતીય મુસ્લિમો પાકિસ્તાન હિજરત કરી રહ્યા હતા ત્યારે સરદાર પટેલ દેશના ભાગલા પડવાના નિર્ણય અયોગ્ય હતો તે હકીકતથી દુ:ખી હતા તેમણે કહ્યું કે “સમુદ્ર કે નદીઓની જળરાશિના કંઈ ભાગ પાડી શકાતા નથી. જ્યા સુધી મુસ્લિમોનો સવાલ છે, એમના મૂળિયાં, એમના પવિત્ર સ્થાનો અને ધાર્મિક કેંદ્રો અહીં જ છે. મને નથી ખબર કે તેઓ પાકિસ્તાન જઈને શું કરશે?

                        અમે જ્યારે ભાગલાનો સ્વીકાર કર્યો ત્યારે એવી ઈચ્છાથી કરેલો કે કદાચ તેમ કરવાથી પ્રગતિને અશક્ય બનાવી દેનાર બાબતોથી અવરોધ પામ્યા વિના બન્ને દેશ પોતપોતાની રીતે મુક્તપણે વિકાસ સાધી શકશે. અને સાથે સાથે પાકિસ્તાનને અમે શુભેચ્છાઓ પાઠવી હતી અને અમે આશા સેવતા હતા કે પરિસ્થિતિ થાળે પડતા, જ્યારે તેઓને ખ્યાલ આવે કે ખરેખર આપણે ભાઈઓ છીએ અને ભિન્ન ધાર્મિક વિચારો અને આદર્શોમાં વહેચાયેલા બે અલગ રાષ્ટ્રો નથી, ત્યારે તેઓ આપણી પાસે પાછા ફરશે. 

૪)        લિયાકત પેક્ટ અને જસ્ટિસ બશીર અહેમદ 

            લિયાકત પેક્ટ કેમ થયો તેની પાછળ સરદાર પટેલની દેશભક્તિ હતી અને નેહરુ પ્રત્યેની વફાદારીની કસોટી હતી. 

                        જ્યારે પાકિસ્તાન દ્વારા હજારો હિંદુઓને પૂર્વ બંગાળમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને પાકિસ્તાન સરકારના આવા અસહકારી વલણથી સરદાર સાહેબ અત્યંત ક્ષુબ્ધ થયા હતા, હિંદુ અને મુસ્લિમો વચ્ચેના સંબંધો બગાડવાની પ્રવૃત્તિ પાકિસ્તાને કોઈ પણ રીતે છોડી નહોતી. 

                        ડિસેમ્બર ૧૯૪૮ના જયપુર અધિવેશનમાં પટેલે પાકિસ્તાનને ચીમકી આપી કે જો તે આ રીતે હિંદુ નિર્વાસિતોનો પ્રવાહ ભારતમાં ધકેલવાનું, ખાસ કરીને પૂર્વ બંગાળથી બંધ નહી કરે તો, અમારી પાસે એટલી જ સંખ્યામાં મુસ્લિમોને તગેડી મૂકવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહી રહે.” આ વાતથી સરદાર પટેલના ટીકાકારો એમના પર ટુટી પડ્યા અને સરદાર પટેલ પર ભારતીય મુસ્લિમોના વિરોધી અને દુશ્મન હોવાના આરોપો થયા. આ વાતને રદિયો આપતા નહેરુ સરદાર સાહેબના બચાવ માટે આગળ આવ્યા અને તેમણે કહ્યુ કે નાયબ વડાપ્રધાનનું વિધાન પાકિસ્તાનને અનુલક્ષીને કરવામાં આવેલ હતુ; એ કાંઈ ભારતના મુસ્લિમોને આપેલ ધમકી નહોતી. અને આ વિધાન અનુસાર રાજસ્થાનમાં શાંતિ અને સંવાદિતાપૂર્ણ વાતાવરણ સ્થાપી ભારત તરફ ધસી આવતા નિરાશ્રિતોનો પ્રવાહ અટકાવવાનો અનુરોધ કરેલ છે.

                        જયપુર અધિવેશન દરમ્યાન સરદાર સાહેબે અપનાવેલ કડક વલણને પરિણામે, લિયાકત અલી ખાન એપ્રિલ ૧૯૫૦ના પહેલા સપ્તાહમાં દિલ્હી દોડી આવ્યા અને તેમની સાથે વાટાઘાટો બાદ કરાર કરવામાં આવ્યો જે નહેરુ લિયાકત સમજુતિ તરીકે જાણીતો થયો. આના કારણે બન્ને રાષ્ટ્રોએ હિંદુઓ અને મુસ્લિમોને સમાન નાગરિક્ત્વ અપાશે તેમ નક્કી થયુ અને સુરક્ષાની ખતરી આપી. આ કારણે નારાજ થઈ નહેરુ મંત્રી મંડળના ૨ મંત્રીઓ શ્યામા પ્રસાદ મુખર્જી અને કે. સી. નિયોગીએ રાજીનામા ધરી દીધા. સરદાર પટેલ તેમ છતાં પણ નહેરુની પડખે અડગ રહ્યા. એમણે ખાસ કરીને પશ્ચિમ બંગાળના ઉશ્કેરાયેલા સંસદસભ્યોને કહ્યુ, કે પ્રવર્તમાન સંજોગોમાં આ કરાર શ્રેષ્ઠ છે અને જે સારા હેતુ અને જુસ્સા સાથે તે સ્વીકારેલ છે, તેનુ વચન પણ લિયકતે પાળ્યું છે. ત્રણ મહિનામાં જ એક લાખથી વધુ હિંદુ નિરાશ્રિતોને પરત લઈ લીધા. અને આ કારણે નહેરુની પ્રતિષ્ઠામાં વધારો થયો. અને સરદાર પટેલનો વિશ્વાસ પણ જળવાયો.           

          જસ્ટિસ બશીર અહેમદ

સરદાર પટેલ મુસ્લિમ વિરોધી ન હતા તે ફરી એક વાર સરદાર પટેલના અંતિમ દિવસોમાં પુરવાર થયુ. મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ બશીર અહેમદને કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની દરખાસ્ત ભારત સરકારે કરી પરંતુ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ કાનિઆએ આ પ્રસ્તાવને નકારી દીધો અને આ ફાઈલ વડાપ્રધાન નહેરૂ પાસે પહોચી, ત્યારે નહેરૂ ખુબ ક્રોધિત થયા અને સરદાર પટેલ કે જેઓ ગૃહમંત્રી તરીકે આ બધી નિમણૂકોનો સીધો હવાલો સંભાળતા હતા, તેમને કાનિઆના આવા વલણ વિશે ફરીયાદનો પત્ર ૨૩ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ લખ્યો, સરદાર પટેલે તેજ દિવસે વળતા જવાબમાં જણાવ્યું કે તેમણે ગૃહસચિવ આયંગરને કાનિઆના વિરોધની ઉપેક્ષા કરીને બશીર અહેમદની નિયુક્તિ કરી દેવા જરૂરી સુચનાઓ આપી દીધી છે અને આ બાબતે મુખ્ય ન્યાયાધિશ કાનિઆને ટેલિફોન પર કહ્યુ કે જસ્ટિસ બશીર અહેમદની નિમણૂકની દરખાસ્તનો અસ્વીકાર કરીએ તો તે કોમી પક્ષપાતને લીધે છે તેમ સહેલાઈથી માનવાને કારણ મળી જશે.

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

Bardoli Diwas - બારડોલી દિવસ - બારડોલી સત્યાગ્રહનો ઘટનાક્રમ

Bardoli Diwas - બારડોલી દિવસ - બારડોલી સત્યાગ્રહનો ઘટનાક્રમ

શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં

            દેખ ભાગે સોઉ શૂર નાહીં

કામ ઔર ક્રોધ મદ લોભ સે ઝૂઝના,

            મંડા ઘમસાણ તંહ ખેત માહી

શીલ ઔર શૌચ સંતોશ સાથી ભયે,

            નામ શમ્શેર તંહ ખૂબ બાજે

કહત કબીર કોઉ ઝુઝિ હૈ સૂરમાં,

            કાયરાં ભેડ તંહ તુરત ભાજે

                                    કબીર

 

આજે ૧૨-૦૬-૨૦૨૧ એટલે કે બારડોલી દિવસ (૧૨-૦૬-૧૯૨૮ બારડોલી વિજય દિવસ) ૯૩ વર્ષ પહેલાં ભારત અને સમગ્ર વિશ્વને સરદાર મળ્યાં, એક એવો સત્યાગ્રહી કે આંદોલનકારી જે જેણે અંગ્રેજોના હાજા ગગડાવી દીધા, વલ્લભભાઈ પટેલની વકીલાતથી તો આમેય બોરસદ, આણંદ, ગોધરા અને અમદાવાદની કોર્ટોના અંગ્રેજ જજો અને વકીલો ડરતા હતા અને ત્યારબાદ ગુજરાત ક્લબમાં પોરબંદરના એક ઔર વીરલા ગાંધી સાથે ભેટો થયો પછી તો પુછવું જ શું? આખરે ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું, પણ અત્યારે વાત વલ્લભભાઈ પટેલની કે જેમણે બારડોલી સત્યાગ્રહની કમાન સંભાળી અને આખરે એક ઐતિહાસિક જીત મેળવી જે દરમ્યાન મકોટી ગામના શ્રીમતી ભીખીબેને વલ્લભભાઈને સરદાર કહી બોલાવ્યાં કહ્યું “આજથી તમે અમારા સરદાર” અને આજે પણ આપણે સૌ વલ્લભભાઈ પટેલને સરદાર પટેલથી જાણીએ છીએ. ઉપરોક્ત કબીરની કવિતા કે દોહો એ દરેક શૂરા સત્યાગ્રહીને સમર્પિત.

 

બારડોલી સત્યાગ્રહનો ઘટનાક્રમ :

 

તા. ૦૬-૦૯-૧૯૨૭ :        બારડોલીના જૈનોના અપાસરામાં તાલુકાના લોકોની જંગી સભા થઈ. અને સભામાં મહેસૂલનો

વધારો નહી ભરવાનો ઠરાવ થયો. આ સભામાં શ્રી દાદુભાઈ પુરુષોત્તમ દેસાઈ અને શ્રી ભીમભાઈ રણછોડજી નાયકની હાજર હતા.

તા. ૧૧-૧૨-૧૯૨૭ :        શ્રી શિવદાસાનીના પ્રમુખપદ હેઠળ વાલોડ મહાલના લોકોની સભા મળી અને આ સભાએ વધારાનું

મહેસૂલ ભરવાનો ઈનકાર કાર્યો.

તા. ૦૫-૦૨-૧૯૨૮ :        બારડોલીમાં વધેલું અન્યાયી મહેસૂલ ખેડૂતો ન ભરે તે માટે શ્રી વલ્લભભાઈએ ચળવળની શરુઆત કરી.

તા. ૧૨-૦૨-૧૯૨૮ :        બારડોલીના હજારો ખેડૂતોએ સભા ભરીને વધેલું મહેસૂલ નહી ભરવાની પ્રતિજ્ઞા લીધી.

તા. ૨૯-૦૨-૧૯૨૮ :        સત્યાગ્રહી ખેડુતોની જમીનોનું લિલાઉ થવાની શરૂઆત થઈ

તા. ૦૩-૦૫-૧૯૨૮ :        બારડોલી અને વાલોડમાં સરઘસો અને નગારાનો પ્રતિબંધ થયો.

તા. ૨૭-૦૫-૧૯૨૮ :        બારડોલીમાં જંગી હડતાળ પડી

તા. ૦૪-૦૬-૧૯૨૮ :        વધેલા જમીન મહેસૂલ સામે વિરોધ દર્શાવવા માટે મુંબઈની ધારાસભામાંથી સભ્યોએ રાજીનામાં આપવાની શરુઆત કરી.

તા. ૧૨-૦૬-૧૯૨૮ :        “બારડોલી દિન” અને મકોટીના શ્રીમતી ભીખીબેને વલ્લભભાઈને ઉદ્દેશીને કહ્યુ “આજથી તમે અમારા સરદાર”

તા. ૧૩-૦૬-૧૯૨૮ :        હિંદી વજીર એ બારડોલીની લડતમાં હસ્તક્ષેપ કરવાની ના પાડી

તા. ૧૭-૦૬-૧૯૨૮ :        હિંદી વેપારી ચેમ્બરના પ્રતિનિધિઓ સાથે સમાધાનની ચાલેલી મસલત પડી ભાંગી, તથા કનૈયાલાલ મુંશીએ ગવર્નરને છેલ્લો પત્ર લખીને બારડોલીમાં ચાલતી સરકારની દમનનીતિ વિશે ચોકવનારી વિગતો આપી અને ધારાસભામાંથી રાજીનામું આપ્યું.

તા. ૨૧-૦૬-૧૯૨૮ :        બારડોલીમાં ચલતી દમનનીતિમાં સ્વતંત્ર તપાસ કરવા માટે શ્રી કનૈયાલાલ મુંશીએ પોતાના પ્રમુખપદ હેઠળ કમિટીની સ્થાપના કરી.

તા. ૨૪-૦૬-૧૯૨૮ :        મુંશી કમિટીએ તપાસ શરુ કરી.

તા. ૦૮-૦૭-૧૯૨૮ :        કોંગ્રેસ નેશનાલીસ્ટ પક્ષે સરકારને બારડોલીના મામલામાં તપાસ કરવા જણાવ્યું

તા. ૧૬-૦૭-૧૯૨૮ :        ગવર્નરે બારડોલી વિષે વાઈસરોય જોડે સીમલામાં મસલત કરી.

તા. ૧૮-૦૭-૧૯૨૮ :        ગવર્નરે બારડોલીના ખેડુતોના ડેપ્યુટેશન સાથે સુરતના કિલ્લામાં મસલત કરી, સરકારી શરતોની જાહેરાત કરી.

તા. ૨૦-૦૭-૧૯૨૮ :        સરદાર વલ્લભભાઈએ સરકારી શરતોનો અસ્વીકારવાની જાહેરાત કરી.

તા. ૨૧-૦૭-૧૯૨૮ :        તાડીના માંડવાઓના લિલાઉ થાય તે માટે પિકેટીંગ કરતા શ્રી મણીલાલ કોઠારી, કુ. મીઠુબેન પીટીટ, શ્રીમતી ભેંસાણીઆ, ડો. ઘીઆ વગેરેની ધરપકડ થઈ.

તા. ૨૩-૦૭-૧૯૨૮ :        મુંબઈની ધારાસભામાં ગવર્નરે, સમાધાન ન થાય તો દમનનીતિ આદરવાની ધમકી આપી. અર્લ વીંટરટને પન આમની સભામાં ખુલાસો કરતા મુંબઈ સરકારની નીતિને ટેકો આપ્યો.

તા. ૨૫-૦૭-૧૯૨૮ :        સરકારના અલ્ટીમેટમ સામે મુંબઈની ધારાસભાના સભ્યોએ વિરોધ કર્યો. તથા શ્રી રામચંદ્ર ભટ્ટે બારડોલીના ખેડૂતોનું વધારાનું મહેસૂલ ડિપોઝિટ તરીકે મુકવાની ઈચ્છા દર્શાવી.

તા. ૨૬-૦૭-૧૯૨૮ :        સરકારે શ્રી રામચંદ્ર ભટ્ટને વળતા જવાબમાં જણાવ્યુ કે તમારી ઓફર ધારાસભામાં સુરતના સભ્યો દ્વારા કરો.

તા. ૦૨-૦૮-૧૯૨૮ :        ગાંધીજીનું બારડોલીમાં આગમન

તા. ૦૨-૦૮-૧૯૨૮ :        ધારાસભાના ગુજરાતના સભ્યોના આમંત્રણના કારણે શ્રી વલ્લભભાઈ પૂના ગયા

તા. ૦૩-૦૮-૧૯૨૮ :        શ્રી વલ્લભભાઈ પટેલ સાથે પૂનામાં સર ચૂનીલાલ મહેતાને ઘેર સમાધાનની ગંભીર વાતો ચાલી.

તા. ૦૪-૦૮-૧૯૨૮ :        પૂનામાં સમાધાનની વાતો ચાર વાગ્યા સુધી ચાલી અને ત્યારબાદ શ્રી વલ્લભભાઈ સુરત પરત જવા નિકળ્યા

તા. ૦૫-૦૮-૧૯૨૮ :        આખરે સુરતમાં સમાધાન થયુ

તા. ૦૬-૦૮-૧૯૨૮ :        સુરતના સભ્યોએ રેવેન્યુ મેમ્બરને પત્ર લખીને સરકાર શરતો બર આવશે તેમ જાહેર કર્યુ અને સરકારે જાહેરનામુ બાહર પાડી સંપુર્ણ સ્વતંત્રને ખુલ્લી તપાસ કમિટી નીમવા જણાવ્યું

તા. ૦૯-૦૮-૧૯૨૮ :        મહાત્મા ગાંધી અને શ્રી વલ્લભભાઈએ યાદી બહાર પાડી, લડતની પૂર્ણાહુતિ જાહેર કરી અને પ્રજાને વધારો ભરવા, ભૂલેલાનો બહિષ્કાર છોડવા અને તપાસ માટે પુરાવાઓ ભેગા કરવા અને રચનાત્મક કાર્યો કરવા અપીલ કરી.

 

લાજ રાખી પ્રભુએ આપણી રે,

            જીત આપી પળાવી ટેક

શસ્ત્રધારી શસ્ત્ર બૂઠાં થયા રે,

            શસ્ત્રધારી થયા છે ફજેત

એક ટીપુ પાડ્યુ નથી લોહીનું રે,

            યુધ્ધ જીત્યા દાનત કરી નેક

શસ્ત્ર દૈવી લીધાં છે હાથમાં રે,

            નથી છોડ્યો લગારે વિવેક

પૂરણ પુણ્યે વલ્લભભાઈ પામીઆ રે,

            લીધો તાલુકા કાજે ભેખ

બારડોલીનો ડંકો વાગીઓ રે,

            બધી કોમો ઝૂઝી બની એક

ગયા થંભી આકાશમાં દેવતા રે,

            પુષ્પવૃષ્ટિ કરે ધરી હેત

                                    ફુલચંદ શાહ (વઢવાણ)

સંદર્ભ : બારડોલી સત્યાગ્રહ – સંપાદક – ઈશ્વરલાલ દેસાઈ. 

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

Today That Day - 01-05-2021 - Maha Gujarat Movement

મહાગુજરાત ચળવળ (ગુજરાતની પ્રજાનું ગુજરાત માટેનું આંદોલન) (સમયગાળો ૧૯૫૬ – ૧૯૬૦) 



આજે ૦૧-૦૫-૨૦૨૧ ગુજરાત દિવસ. ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર રાજ્યથી અલગ થયેલ. આમ તો વર્ષ ૧૯૨૧માં ભાષાવાર પ્રાંત રચવાની વાત કોંગ્રેસમાં વહેતી થયેલ. અને આના કારણે જ કોંગ્રેસે પ્રાંતિક સમિતિ, ભાષા મુજબ રચના કરેલ. કોંગ્રેસેતોપોતાના ચુટણી મેનીફેસ્ટોમાં પણ આને જાહેરાત કરેલ. આથી જ ૨૭-૧૧-૧૯૪૭ના રોજ બંધારણ સભામાં વડાપ્રધાને ભાષા મુજબ પ્રાંત રચના થવી જોઈએ તેનો સ્વીકાર કર્યો અને આથી જ ધાર કમિશનની રચના થઈ.

જયપુર અધિવેશનમાં ભાષાવાર પ્રાંત રચના અંગે ત્રણ સભ્યોની એક સમિતિનું નિર્માણ થયું જેમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડો. પટ્ટાભી સીતારામૈયા હતા અને આ કમિટીને સુચના અપાઈ કે કોંગ્રેસે જે ભાષાવાર પ્રાંત રચનાના નિર્ણયો લીધા છે તે આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બધીજ ઉલટ તપાસ કરી આહેવાલ બનાવવો.

આશરે ચાર વર્ષ ચાલેલું મહાગુજરાતનું આંદોલન આમ તો પ્રાદેશિક આંદોલન તરીકે ગણાય, પરંતુ તેના મૂળિયામાં તો ગાંધીજીએ નાગપુરની કોંગ્રેસમાં (૧૯૨૦) અસહકારની યુગવર્તી લડત શરુ કરીને દેશના રાજકારણના સૂત્ર હાથમાં લીધા, તે પછી થોડા જ માસમાં નાગપુરની બેઠકમાં તેમણે કોંગ્રેસનું જે નવુ બંધારણ રજૂ કર્યુ, તેમાં ભાષાવાર અલગ અલગ પ્રાતિક સમિતિઓ રચવાની ભલામણ કરેલી. ગુજરાત, મહાકોશલ, આંધ્ર, અને કેરલ વગેરે વિભાગની કોંગ્રેસની નવી પ્રાંતિક સમિતિઓ સ્થાપાઈ, તે સમયે જ ગાંધીજીએ સ્વરાજ્ય મળે ત્યારે આવા જ ભાષાવાર રાજ્યોની સ્થપનાનો આદેશ આપ્યો હતો. અને આથી દ્વિભાષી રાજ્યનું ભૂત ગુજરાતમાં ભરાયું અને જે આખરે એક આંદોલનના સ્વરૂપે જાહેર થયું. તા ૦૬-૦૮-૧૯૫૬ના રોજના અખબારોમાં મુંબઈના દ્વિભાષી રાજ્યની રચના નિશ્ચિત છે. તેવા સમાચારોથી ભરાઈ ગયા. જેનો સારાંશ એવો થતો હતો કે ગુજરાતના નેતાઓ અને મોરારજીભાઈ દેસાઈ આ રાજ્ય રચનામાં હસ્તક્ષેપ કરશે નહી. અને લોકસભાના સભ્યો પણ સમાધાનકારી વલણ અપનાવવા તૈયાર થઈ ગયા છે. આશરે ૨૦૦થી વધુ સભ્યોએ લોકસભામાં દ્વિભાષી રાજ્યને ટેકો જાહેર કર્યો. સાથે સાથે કોંગ્રેસ કારોબારીએ આ નિર્ણયનો અમલ કરાવવાનું કાર્ય પંડિત નહેરુ, ઢેબરભાઈ, મૌલાના આઝાદ જેવા નેતઓ ને સોંપ્યુ. તા. ૦૭-૦૮-૧૯૫૬ના રોજના અખબારોમાં છપાયું કે મુંબઈમાં દ્વિભાષી રાજ્યની રચના થઈ છે. અને કોંગ્રેસ સંસદે આ બાબતે ટેકો આપ્યો છે. સાથે સાથે મુંબઈના મોહના કારણે ગુજરાતની પ્રજાને અને નેતાઓને અંધારામાં રાખી ગુજરાત અને મહારાષ્ટ્રની પ્રજા ઉપર દ્વિભાષી રાજ્ય કરવાનો પડદા પાછળ ખેલ રમાઈ રહ્યો હતો. એમાં નહેરુએ આ નિર્ણયને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો. આથી ગુજરાતમાં તો ઘેરાપ્રત્યાઘાતો પડ્યા. આ સમાચાર ગુજરાતમાં ફેલાતા વાર ન લાગી અને જાણે સ્વયંભૂ આંદોલન જોતજોતાંમાં ફેલાયું. ઈંદુલાલ યાજ્ઞિક, દિનકર મહેતા, દાદુભાઈ અમીન, નલિનીબેન મહેતા, જયંતિ દલાલ, ભાઈકાકા જેવા અનેક કદાવર નેતાઓએ આ ચળવળનું નેતૃત્વ લીધું.

૧૯૪૭માં ભારત આઝાદ થયું તે પછી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી દેશી રાજ્યો કેંદ્રિય તંત્રમાં વિલીન થયા અને ૧૯૪૮માં સૌરાષ્ટ્રના બધા રાજ્યોનું એક એકમ રચાયુ જે સરદારશ્રીના આશીર્વાદથી ઢેબરભાઈની આગેવાની હેઠળ ૧૫-૦૨-૧૯૪૮ના રોજ સૌરાષ્ટ્રના એકમની સ્થાપના થઈ અને જામસાહેબ તે રાજ્યાના રાજપ્રમુખ નિમાયા હતા. અને તેના જોડાણના પત્રમાં નવા રાજ્યને બાકીની ગુજરાતી પ્રજા સાથે જોડવાની છુટ અપાઈ. એપ્રિલ માસમાં મહાગુજરાત સંમેલન મળ્યું જેના પ્રમુખ કનૈયાલાલ મુનશી હતા, જેમાં ગુજરાતી બોલતી સમસ્ત પ્રજાનું મહાગુજરાત તરીકે સુસંગઠિત એકીકરણ કરવાનો ગુજરાતી જનતાનો મક્કમ નિર્ધાર જાહેર કરવામાં આવ્યો.

મુંબઈની પરિષદના ઠરાવમાં અંગ્રેજોએ સ્થાપેલ મુંબઈ રાજ્યમાં ગુજરાતનો આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ રુંધાયાના સવાલો પણ થયા અને તે મુજબ ઠરાવો પણ થયા, પરંતુ આ સંમેલનમાં ગુજરાતનું અલગ રાજ્ય માટે કોઇએ પણ રજુઆત નહોતી કરી. જ્યારે મોરારજીભાઈએ પંતપ્રધાન ખેર સાથે ડાંગના પ્રવાસ દરમ્યાન જાણવા મળ્યું કે મરાઠીને જ તેની સાચી ભાષા તરીકે અપનાવવાની ફરજ પડાઈ છે ત્યારે તેમને આઘાત થયો અને તરત ગુજરાતના સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથે સિંહગર્જના કરી અને ગુજરાતી સાહિત્ય સભા અને વર્તમાન પત્રોએ સરકારી વિધાન સામે મોરચા માંડ્યા. ૧૯૫૧માં સર પુરુષોત્તમદાસની આગેવાની હેઠળ મહાગુજરાતની સીમા સમિતિની રચના થઈ. અને થોડા જ માસમાં તે સમિતિ તરફથી વલ્લભ વિદ્યાનગરના પ્રતિષ્ટિત વિધ્વાનોની આગેવાની હેઠળ પરિષદો ભરાઈ. આ પરિષદે વિચાર ગોષ્ટી કરીને આખરી ઉત્તરે અરવલ્લે પહાડથી આબુ પ્રદેશ, ડુંગરપુર, વાંસવાડા, પુર્વમાં પશ્ચિમ ખાનદેશ અને દક્ષિણે ડાંગ અને ઉમરગામ સુધીનો પ્રદેશ ગુજરાતમાં સમાવવાનો ઠરાવ કર્યો.

આમ ગુજરાતી અને મરાઠી લોકો વચ્ચે ઠંડી લડતના રણશિંગા ફુંકાયા, ત્યારે વલ્લભ વિદ્યાનગરના સર્જક ભાઈલાલભાઈ પટેલના પુરુષાર્થી પહેલી મહાગુજરાત પરિષદ અમદાવાદના જાણીતા ધારાશાસ્ત્રી હિંમતલાલ શુકલના પ્રમુખપણા નીચે ૧૯૫૨માં યોજાઈ, આ પરિષદમાં પહેલીવાર મહાગુજરાતનું જુદુ રાજ્ય સ્થપવાની સ્પષ્ટ ધોષણા કરવા મળવાની હતી તેમ જાણીને અને મુંબઈ શહેર મહારાષ્ટ્રમાં જવાના ડરથી, ગુજરાતની કોંગ્રેસે પરિષદનો બહિષ્કાર કર્યો. કમનસીબી તો એ હતી કે ગુજરાતની અસ્મિતા માટે અનેક પુસ્તકો લખનાર કનૈયાલાલ મુનશી તે સમયે ઉત્તરપ્રદેશના ગવર્નર પદે હતા અને તેમણે પણ આ પરિષદનો વિરોધ કરવા ખાસ નિવેદન કર્યુ.

આ ચળવળના દરેક ચળવળકારીઓનો ગુજરાત તથા દરેક ગુજરાતી આભારી છે.

રષેશ પટેલ





sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

Borsad Satyagrah Sardar Patel's Appeal

Borsad Satyagrah Sardar Patel's Appeal 

શ્રી વલ્લભભાઈ પટેલે બોરસદ સત્યાગ્રહ વખતે પ્રજાજોગ જે અપીલ કરેલ તેના પરથી ખ્યાલ આવે કે સરદાર પટેલના જાહેરજીવનમાં બોરસદ સત્યાગ્રહે એક મહત્વનો ભાગ ભજ્વ્યો, આ સત્યાગ્રહ થકી વલ્લભભાઈ પટેલે જાહેર જનતા ને કેવી રીતે પીઠબળ પૂરું પાડ્યું તથા તેમણે બોરસદના લોકોને અંગ્રેજ શાસન સામે લડવાની  હિંમત પણ આપી અને આ લડત એટલા માટે વિશેષ છે કારણકે સરદાર શ્રી બોરસદ તાલુકાના આશરે દોઢેક લાખ લોકોને આ લડત લડવા માટે જાગૃત કર્યા.  તથા આ લડત અસહકાર ની પડતી ના સમયે યોજાઇ હતી જે સમયે ગાંધીજી લાંબો જેલવાસ ભોગવી રહ્યા હતા અને મહાસભાના મંચ ઉપર અસહકાર કે ધારાસભા પ્રવેશ એવું સંઘર્ષણ ચાલી રહ્યું હતું. સરકારે આ લડત ને  પ્રજાની વાત સાચી ગણી માન્ય રાખી જે તે સમયની ઘટનામાં અભૂતપૂર્વ કહેવાય!

બોરસદ સત્યાગ્રહનો પ્રારંભ તારીખ ૨ ડિસેમ્બર ૧૯૨૩ના દિવસે થયો.  તથા તેની યશસ્વી પૂર્ણાહુતિ ૧૨ જાન્યુઆરી ૧૯૨૪ના દિવસે ઉજવવામાં આવી. આ લડત ના કારણો પરિસ્થિતિઓ જાણવી ચરોતરના નાગરિકો તથા દેશના નાગરિકો માટે  અગત્યની છે. આ લડત પૂરી થયાના ચારેક માસ પછી બોરસદમાં સાતમી ગુજરાત રાજકીય પરિષદ ભરાઈ. આ પરિષદમાં ગાંધીજી દ્વારા મોકલવામાં આવેલ સંદેશો ખૂબ જ મહત્વનો હતો,  તેમણે કહ્યું કે” બોર્ડ સાથે ગુજરાતને શોભાવ્યું છે. બોરસદ સત્યાગ્રહ કરી, ભોગ ત્યાગ કરી, પોતાની જાતને હિન્દુસ્તાનની સેવા માટે અર્પણ કરી છે. બોરસદ જમીન સાફ કરી; ચણતર કરવાનું બાકી છે ને તે કઠણ છે. તે કામ થઈ રહ્યું છે, કેમ હું જાણું છું.”

બોરસદ સત્યાગ્રહ બાદ ચારેક વર્ષ પછી બારડોલીનો સત્યાગ્રહ થયો અને બારડોલી સત્યાગ્રહ સમયે જ મકોટી ગામના ભીખીબેને વલ્લભભાઈને સરદાર કહી સંબોધ્યા. પરંતુ બારડોલી સત્યાગ્રહના બીજ કદાચ બોરસદ સત્યાગ્રહ વખતે રોપાયા હશે. વલ્લભભાઈએ લોકોને બોરસદ સત્યાગ્રહ સમયે જે અપીલ કરી છે તે જાણીએ તો સાચેજ સમજ પડે કે સત્યાગ્રહનો સુત્રધાર કે પડદા પાછળ કામ કરનાર કર્મવીર કોણ? ગાંધીજીના સત્યાગ્રહોનું આયોજન સરદાર સાહેબ કરતા અને દરેક સત્યાગ્રહે જન માનસ પર એક છાપ છોડી હતી.

શ્રી વલ્લભભાઈ પટેલની બોરસદની જનતાને અપીલ

બોરસદ અને આણંદ તાલુકાની નિર્દોષ પ્રજા પર અઢી લાખ રૂપિયા જેટલી ભારે રકમનો દંડ ઠોકી બેસાડી સરકારે લગભગ એકસો ગામો પર વધારાની પોલીસ બેસાડી છે. તેની સામે તે ગામના લોકોએ સત્યાગ્રહ કરવાનો નિશ્ચય કર્યો છે.

ગામેગામ જે પોલીસ મુકવામાં આવી છે તે બહારથી આણેલી છે. તેમાંના કેટલાક પોલીસોએ લોકો પર અનેક અત્યાચારો શરૂ કર્યા છે. બહારવટિયાના ત્રાસથી કચડાયેલી પ્રજા હવે પોલીસના ત્રાસમાં સપડાઈ છે. ગામડામાં પોલીસના અત્યાચાર સામે થવાની પ્રજામાં તાકત નથી. સ્ત્રીઓની ઈજ્જત પર હાથ નંખાય છે છતાં, શરમના માર્યા લોકો એવી વાત પ્રસિધ્ધ થાય એ ઈચ્છતા નથી.

વળી તલાટીઓને તાકીદે જપ્તીઓ કરી દેવાનો હુકમો મળી ચુક્યા છે. જલ્દીથી વસૂલ કરનારને પાઘડીની લાલચો અપાય છે. દુષ્કાળનું જ વર્ષ હોવાથી લોકો પર બેવડો માર પડ્યો છે.

સરકાર તો રૂઠેલી જ હતી, અને ઈશ્વર પણ રૂઠ્યો.

આ દુ:ખી સ્થિતિમાં લોકોની પડખે ઊભા રહેવાની અને તેમના દુ:ખ્માં ભાગ લેવાની ખાસ જરૂર છે. ગુજરાતના નવ જુવાનોને પ્રજાની સેવા કરવાની આ તક મળેલી છે. નાગપુર સુધી વહારે દોડનારા ગુજરાતના જુવાનો પોતાના જ પ્રાંતમાં પીડાતા ભાઈઓને વીલા મૂકી ન શકે. દરબારશ્રી ગોપાળદાસભાઈ બોરસદમાં સત્યાગ્રહ છાવણી નાખીને પડ્યા છે. જે સૈનિકો બોરસદ તાલુકામાં કામ કરવા ઈચ્છતા હોય તેમણે પ્રાંતિક સમિતિના મંત્રીને તાકીદે પોતાની અરજી મોકલી આપવી.

આ લડતમાં નાણાંની પણ જરૂર પડશે. મારી ઉમ્મીદ છે કે ગુજરાત જ બોરસદની લડતમાં જોઈતા નાણાં પુરા પાડશે. જે ભાઈઓ મદદ કરવા ઈચ્છતા હોય તેમણે ગુજરાત પ્રાંતિક સમિતિને પોતાનો ફાળો મોકલી આપવો. લડત શરૂ થઈ ચૂકી છે એટલે ઉતાવળથી મદદ કરવાની જરૂર છે.

સરદાર ખુબજ સારી રીતે જાણતા હતા કે લડતમાં જુસ્સો, લોકોનો આત્મવિશ્વાસ અને નાણાં ત્રણેય ની જરૂર છે. આ ત્રણમાંથી એક પણ નબળુ પડે કે લડત ભાંગી પડે પરંતુ તેમણે તેમની વાત કે અપીલમાં નાણાંને વધુ ભાર ન આપતા લોકોનો આત્મવિશ્વાસ અને જુસ્સો વધે તેના પર વધુ ધ્યાન આપ્યું.

આવા તો આપણા સરદાર .. સરદાર તમને કેવી રીતે અમે ભુલી શકીએ...!!!

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

© all rights reserved
SardarPatel.in