Tribute to President Vithalbhai Patel - 22-10-2021

Tribute to President Vithalbhai Patel - 22-10-2021

AMRITA BAZAR PATRIKA

The Stormy Patel

    Mr. Vithalbhai Patel has died away from his homeland. His last wishes that he might lay down his mortal coil on the soil of his motherland could not be fulfilled. Like Raja Rammohun Roy, the prophet of the new era, this fighter for the freedom of the motherland, one of the bravest and most skilful, has died in a strange land where his words, his movements were being watched with the closest attention by his countrymen. Mr. Patel, the " Stormy Petrel" of the Swaraj Party was not a mere personality unique though he is. He represented in his person the three great phases of India's struggle for freedom-a non-co-operator, then a co-operator and again a non-co-operator; he has died in grief that he had to leave the world before he could see his country free.  Ripe in age and further stricken by bodily infirmities any other man of his achievement would have been content to rest on his laurels, and the gratitude of his countrymen would not have been less for it. Both before and after he became President of the Assembly, he had done glorious service to his countrymen of which any man could justly be proud. But neither age nor infirmity nor incarceration could conquer the indomitable spirit of the man who had determined to fight till the last breath of his life for his country. For this soldier there was to be no invalidation, no place on the retired list. Those who had the privilege to know him intimately wondered how he could manage to do the strenuous work that he was doing. He reminded them of the hero in the story who fought when his legs were blown away, who maintained the fight when nothing was left of his hands, who continued the fight with his head resting on his trunk. Such was Mr. Patel of the indomitable will who had for years fought also against death. Death has at last conquered his flesh but has it conquered his spirit? That spirit lives and will live till the battle is won.

 

THE HINDUSTAN TIMES (DELHI)

    India is the poorer for the loss of Vithalbhai Patel. As a patriot and doughty fighter, he represented a class by himself and rendered services to the utmost of his capacity and opportunities. Deliberately, Vithalbhai chose the harder path at a time when men of lesser ability were being lured into good careers of comfort and his death in a foreign land after a long struggle completes a chapter of accomplishment and sacrifice which will be gratefully remembered by a nation that is in mourning today. As a patriot, Vithalbhai was cast in the mould of Parnell, he belonged to the “logic school” of politics as compared with what Pandit Jawaharlal Nehru would call the “magic school” of politics. As a politician, he liked leadership not for personal self-aggrandisement and material exploitation but for the rendering of service wherever possible in terms of national self-respect, a quality in which we are still deficient. Even in private, he was a rare example of Indian manhood and patriotism, and one fears that taken all in all, we shall not look upon his like again.



sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

Today That Day - 08-10-1916

Today That Day - 08-10-1916

Temperance Legislation in Bombay (Mumbai)

today that day

બોમ્બેમાં સંંયમ કાયદો

બોમ્બે ગવર્નમેન્ટ ગેઝેટનો વર્તમાન નંબર અબકરી એક્ટમાં સુધારો કરવા માટેના વિધેયકનું લખાણ અને તેના પરની પસંદગી સમિતિનો અહેવાલ કેટલાક સભ્યોની અસંમતિની મિનિટો સાથે છાપે છે. આ બિલ બે મુદ્દાઓ સાથે કામ કરે છે: ખેડા જિલ્લામાં મ્હોરા ફૂલોનો સંગ્રહ, કબજો અને વેચાણ અને કોકેઈનનો ટ્રાફિક. કોકેઈન ટ્રાફિકના સંદર્ભમાં, જેને અટકાવવા માટે હાલમાં કાયદો શક્તિવિહીન છે, ખરડો એવા મકાનના માલિક અને કબજેદાર બનાવવાની દરખાસ્ત કરે છે, જેમાં વાહનવ્યવહાર થાય છે, જે કેદ અને દંડને પાત્ર છે, ઉપરાંત દોષિત ઠેરવ્યા પછી ત્રણ વર્ષના સમયગાળા માટે સમાન ગુનાઓથી દૂર રહેવા માટે બોન્ડ ચલાવો. આ પ્રસ્તાવને સિલેક્ટ કમિટીના તમામ સભ્યોની સર્વસંમતિથી મંજૂરી મળી છે. ખેડા જિલ્લામાં લાયસન્સ કે પરમિટ વિના મ્હોરા ફૂલોના સંગ્રહ, પરિવહન, વેચાણ અથવા કબજામાં પ્રવાસ દરમિયાન અને જામીનના મહિનાઓ સિવાય દંડની દરખાસ્ત કરવામાં આવી નથી. મ્હોરા ફૂલો, તે સ્વીકારવામાં આવે છે, વર્ષના કેટલાક ભાગમાં જંગલના આદિવાસીઓના સ્ત્રોત દ્વારા ખોરાકની સામગ્રી તરીકે ઉપયોગ થાય છે. સિલેક્ટ કમિટીના મોટાભાગના સભ્યો ૧૬મી ફેબ્રુઆરીથી ૩૦મી જૂનની વચ્ચેનો આ સમયગાળો નક્કી કરે છે અને તેના માટે લાયસન્સની આવશ્યકતા ધરાવતા બિલની જોગવાઈમાંથી તે સમયગાળા દરમિયાન તેમના સંગ્રહ અને વેચાણને મુક્તિ આપવાનો પ્રસ્તાવ મૂકે છે. આ પૂ. શ્રી લાલુભાઈ સોમૈદાસ સમયગાળો 15 ઓગસ્ટ સુધી લંબાવશે કારણ કે સમિતિ સમક્ષ મુકવામાં આવેલા પુરાવા દર્શાવે છે કે, ખેડા જિલ્લાના મોટા ભાગના સ્થળોએ, મ્હોરા ફૂલનો ઉપયોગ લગભગ તે તારીખ સુધી ખોરાકની સામગ્રી તરીકે થાય છે. આ પૂ. શ્રી ગોકુલદાસ પરીખ અને પૂ. શ્રી વી.જે. પટેલે અસંમતિની એક મિનિટ નોંધી છે જેમાં, જ્યાં સુધી આપણે નિર્ણય કરી શકીએ છીએ, તેઓ મ્હોરા ફૂલોના સંગ્રહ અને ઉપયોગ પર મૂકવામાં આવેલા કોઈપણ નિયંત્રણ સામે સંપૂર્ણપણે વાંધો ઉઠાવે છે.

નોંધ : બોમ્બે હાલ મુંબઈ..

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,


Sabarmati na Sant - સાબરમતીના સંત - Gandhi Jayanti | Salt Satyagrah

Sabarmati na Sant - સાબરમતીના સંત - Gandhi Jayanti | Salt Satyagrah





મીઠું આપણા જીવનમાં શું ભાગ ભજવે છે? સામાન્ય રીતે મીઠું જો શરીરમાં જરૂર કરતા વધારે માત્રામાં હોય તો હાઈ બ્લડ પ્રેશર કે લો બ્લડ પ્રેશરથી પરેશાન થઈ જવાય કે પછી જીવલેણ પણ સાબિત થાય છે, એટલે કહી શકાય કે મીઠું માનવ શરીરમાં એક અગત્યનો ભાગ ભજવે છે. પરંતુ ક્યારેય કોઈએ વિચાર્યુ કે મીઠાથી કોઈ સરકારના પાયા હચમચી ગયા હોય, કલ્પના પણ ન કરી શકાય એવો એક સત્યાગ્રહ એક પોતડી પહેરેલ સાબરમતીના સંતે કર્યો અને અંગ્રેજ કે બ્રિટિશ હકુમતોના પાયા હચમચાવી દીધા. અને અંગ્રેજોએ પણ ક્યારેય કલ્પના નહોતી કરી કે જે મીઠા પર તેઓ વેરો લાદી રહ્યા છે તેજ મીઠું તેમની સરકાર માટે હાઈ બ્લડ પ્રેશરની બીમારી જેવું સાબિત થશે. આજે એ પોતડી ધારી સાબરમતીના સંત ગાંધીજીની જન્મ તારીખ ૨ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ તેમના મીઠા સત્યાગ્રહના અમુક પ્રસંગો વાગોળીએ. 

ખેડા, સુરત, તીથલ, ધરાસણા અને લસુંદ્રા જેવા નામો ચર્ચામાં હોય અને સરદાર પટેલ પણ બોરસદ જઈ ઝીણવટ ભરી તપાસ કરતા અને મીઠાના અગારોની પણ તપાસ કરી રહ્યા હતા તેમ છતાં દાંડી પર પસંદગીનો કળશ કેવી રીતે ઢોળાયો તેવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. ફેબ્રુઆરીના અંતમાં મહાદેવભાઈ દેસાઈએ બારડોલી અને ત્યારબાદ ધરાસણામાં મીઠાના વખાર કે ડેપોની તપાસ કરી હતી. શરુઆતમાં તો ગાંધીજી સાબરમતીથી નીકળી મહીસાગર સુધી પોતાના સાથીદારો કે સત્યાગ્રહીઓ સાથે બદલપુર પહોચે અને ત્યાં પાણી ઉકાળી મીઠું બનાવવાની યોજના હતી. પરંતુ કલ્યાણજીભાઈ મહેતાને વિચાર આવ્યો કે ગુજરાતની વચ્ચે થી જો આ યાત્રા પસાર થાય તો સમગ્ર ગુજરાત જ નહી પરંતુ ભારતભર અને વિશ્વની નજરે આ યાત્રા આવશે. અને ખુબ મોટો પ્રચાર થશે. આ વાતની જાણ કલ્યાણજીભાઈ એ પોતાના સાથી મિત્રો દયાળજીભાઈ, કુંવરજીભાઈ, મીઠુબેન વગેરેને કરી અને આ વાત બધાને પસંદ પડી, એટલે કલ્યાણજીભાઈ અમદાવાદ જઈ ખમાસા ચોકી પાસે સરદાર સાહેબ રહેતા હતા, તેમની સમક્ષ વિચાર મુક્યો, સરદાર સાહેબને આ વાત ગળી ઉતરી અને તેઓ કલ્યાણજીભાઈ સાથે આશ્રમમાં બાપુને મળવા ગયા. અને બાપુએ પણ આ વાત સહર્ષ સ્વીકારી, પરંતુ સ્થળ કયું પસંદ કરવુ તે બાબતે કલ્યાણજીભાઈને પુછતાં તેમણે કહ્યુ કે યાત્રાના અંતિમ સ્થળો તો ઘણા છે પરંતુ મહાદેવભાઈનું જન્મસ્થાન દિહેણ, પાંચા પટેલનું કરાડી, અને તેની પાસેનું દાંડી, મીઠાના અગારોવાળું ધરાસણા અને પારસીઓનું પવિત્ર ધામ ઉદવાડા પણ સમુદ્ર કિનારે જ છે. ત્યારબાદ આ દરેક ગામોની મુલાકાત લેવાઈ અને નવસારીના કાર્યકર્તાઓના ઉત્સાહથી દાંડી પર પસંદગીનો કળશ ઢોળાયો. 

ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક પહેલા તમામ આગેવાનોની હાજરીમાં સત્યાગ્રહની લડત માટે સરદાર પટેલને પ્રમુખ અને મંત્રી તરીકે મહાદેવભાઈને ચુંટવામાં આવ્યા. જમનાલાલજી ગાંધીજીની પહેલી ટુકડીને વ્યવસ્થા કરવા આશ્રમમાં જ રહે અને પુનાથી ૫૦૦ સ્વયંસેવકોએ, દિલ્હીથી ૨૦૦ સ્વયંસેવકોએ જોડાવાની તૈયારી સાથે સંદેશો પાઠવ્યો. તામીલનાડમાં રાજાજીએ હાકલ કરી. આમ ભારત ભરમાં આ યાત્રાની વાતો થવા લાગી આથી વાઈસરોય પણ મુઝવણમાં મુકાય, અને અંગ્રેજ અમલદારો અને વાઈસરોયની મસલતોનો દોર શરૂ થયો, પ્રશ્ન એક જ કે ગાંધીજીને ગિરફ્તાર કરવા કે નહી. અને ગિરફ્તાર કરવા તો ક્યારે કરવા સાબરમતીથી યાત્રા શરૂ થાય ત્યારે કે સત્યાગ્રહ કરી કાયદો ભંગ કરે ત્યારે, કે પછી ગાંધીજીને ગિરફ્તાર ન કરી સ્વયંસેવકોને ગિરફ્તાર કરવા. વગેરે વાતો આ મીટીંગોમાં થઈ.

ચૌરીચોરા અને બારડોલી સત્યાગ્રહની લડત બંધ રાખી તે સમયેજ બ્રિટિશ સરકારે પીઠ પાછળ ઘા કરી ગાંધીજીની ધરપકડ કરીને ૬ વર્ષની સજા ફટકારી. અને લોર્ડ બર્કનહેડે પાર્લામેંટમાં અભિમાન સાથે કહ્યુ કે “ગાંધીજીને પક્ડ્યા અને હિંદુસ્તાનમાં કુતરુ પણ ભસ્યુ નહી. અમારી સરકાર સુખેથી ચાલી રહી છે.” આ તરફ સરદાર પટેલ બ્રિટિશ સરકારને જડ્બાતોડ જવાબ આપવાનો વિચાર મનમાં સતત ઘોળાયા કરતો હતો. અને ગાંધીજીને ધરપકડ મીઠા સત્યાગ્રહમાં થાય અને તરત જ સત્યાગ્રહનો જ્વાળામુખી ભભુકી ઉઠે અને સત્યાગ્રહીઓ બધી જ જેલો ભરી દે અને સરકારને જમીન મહેસૂલની એક પાઈ પણ ન મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાની યોજના સરદાર સાહેબના મનમાં ચાલી રહી હતી. અને આ વાત તેમના ભરુચના ભાષણમાં પણ જણાઈ આવે છે. ૧૨મી માર્ચે સાબરમતીથી ગાંધીજી કૂચનો આરંભ કરે તે પહેલાં સરદાર પટેલ દરેક કૂચના માર્ગમાં આવતા દરેક ગામો કે નગરોની મુલાકાત લેવી તેમ તેમણે વિચાર્યું હતુ અને તેના ભાગરૂપે તેમણે પાટણવાડિયા-ક્ષત્રિય ભાઈઓને શાંતિપુર્વક સત્યાગ્રહમાં ભાગ લેવા મહીસાગર કાંઠે આવેલ કંકાપુરા ગામમાં મળનારી જાહેરસભામાં ભાષણ કરવા ૭મી માર્ચ રવિવારનો દિવસ નકકી થયો, અને તે માટે સરદાર પટેલ સવારમાં બોરસદ આવ્યા અને ત્યાથી એક બસમાં કાર્યકર્તાઓ સાથે કંકાપુરા ગામે જવા નીકળ્યા, રસ્તામાં રાસ ગામે જમી બપોરે કંકાપુરા જવાનું હતું પરંતુ રાસ ગામના લોકોને લાગ્યું કે અમારો એવો કયો ગુનો કે સરદાર સાહેબ ગામમાં પધારે અને ગામના લોકોને સત્યાગ્રહ વિશે એક વાત પણ ન કરે? પરંતુ સરદાર સાહેબે સ્વાભાવિક રીતે મીઠા સત્યાગ્રહ બાબતે ગામની તૈયારી વિશે પુછતા, ગામના આશાકાકા (આશાભાઈ લલ્લુભાઈ પટેલ)એ કહ્યું કે રાસ ગામ આખું આ લડતમાં જોડાશે અને જેલમાં જવા માટે ૨૦૦ જેટલા સ્વયંસેવકોએ તૈયારી દર્શાવી. અને બહેનોએ પણ સ્વેચ્છાએ સત્યાગ્રહની લડતમાં જોડાવા તૈયારી બતાવી. ગામનો જુસ્સો જોતા સરદાર પટેલે ગામની ભાગોળે વડ નીચે જાહેરસભા કરવાની તૈયારી દર્શાવી. સભા તો કંકાપુરામાં જ હતી એટલે સરકારી પોલીસનો કાફલો કંકાપુરામાં ખડકાયો હતો, રાસની સભાની ખબર મળતા પોલીસો મેજીસ્ટ્રેટ સાથે મારતી મોટરે રાસ પહોચ્યાં, સભાનો સમય થતા મેજિસ્ટ્રેટે સરદારને ભાષણ નહી કરવાનો હુકમ કર્યો. અને આ હુકમની નાફરમાની કરવાની સરદાર પટેલે જાહેરાત કરી આથી મેજિસ્ટ્રેટે સરદાર સાહેબની ધરપકડ કરવાનો હુકમ જાહેર કર્યો. અને પોલીસ સુપરિંટેંડંટ બીલીમોરીઆએ સરદાર પટેલની ધરપકડ કરી. ૧૨મી માર્ચ પહેલાં જ રાસ ગામે લડત શરૂ થઈ ગઈ તેમ સરદાર સાહેબે જણાવી રાસને અભિનંદન પાઠવ્યા અને રાસમાં સભા ન હોવા છતા સરદાર સાહેબે ગામના આગ્રહથી સભા કરવાની તૈયારી બતાવી આથી રાસ ગામે પોતાની જવાબદારી સ્વીકારી લડતમાં ઝુકાવવાની ગાંઠ વાળી. ફુલચંદભાઈ અને રાવજીભાઈ વગેરે કંકાપુરા પહોચ્યા અને હજારોની સંખ્યામાં એકત્ર થયેલા ક્ષત્રિયભાઈઓને સંબોધ્યા. અને આમ સરદાર સાહેબનું કંકાપુરાનું અધુરુ કાર્ય પુરુ કર્યુ. એક તરફ સરદાર પટેલની ધરપકડ, ખટલાની સુનવણી અને ૩ માસની સજાના સમાચાર અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં ફેલાયા એટલે ૮મી ની સાંજે સાબરમતીના તટ પર ગાંધીજીના પ્રમુખપદે ૫૦ થી ૭૫ હજાર લોકોની વિરાટ સભા મળી અને ઠરાવ થયો કે અમે અમદાવાદના શહેરીઓ અમારો નિર્ણય જાહેર કરીએ છીએ કે, વલ્લભભાઈને જ્યા લઈ જવામાં આવ્યા છે ત્યાં અમે જવા તૈયાર છે. જ્યા સુધી દેશને સ્વાધીનતા પ્રાપ્ત ન થાય ત્યા સુધી જંપીને બેસીશું નહી, અને સરકારને પણ શાંતિથી બેસવા નહી દઈએ. અમે અંતઃકરણથી માનીએ છે કે હિંદુસ્તાનની મુક્તિ સત્ય અને અહિંસાના પાલનમાં રહેલી છે.” આ ઠરાવ થતાં જ મહાત્મા ગાંધીજીની જય અને સરદાર વલ્લભભાઈની જય ના ગગનભેદી નારાઓ ગુંજી ઉઠ્યા.

સરદાર પટેલની ધરપકડ થયા બાદ ગાંધીજીએ મીઠા સત્યાગ્રહ અટકાવ્યો નહી અને સાબરમતી થી દાંડી કૂચ કરી બ્રિટિશ સરકારના પાયા હચમચાવી દીધા. દાંડીમાં ૦૫-૦૫-૧૯૩૦ના રાત્રે ૧ વાગ્યે ગાંધીજીની ધરપકડનું વોરંટ બહાર પડ્યુ. જે મુજબ મોહનદાસ કરમચંદ ગાંધીને સરકારની ઈચ્છા હોય ત્યાં સુધી યરવડા મધ્યસ્થ જેલમાં કેદ રાખવા. ગાંધીજી સહિત તેમના દાંડીકૂચના ૮૧ સાથીદારો તથા દરેક સત્યાગ્રહીઓને નમન. 






sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

Vithalbhai Patel - "Janak" of Parliamentary Practice

Vithalbhai Patel - "Janak" of Parliamentary Practice

વિઠ્ઠલભાઈ પટેલ – સંસદીય પ્રથાના “જનક”

આજે ૨૭-૦૯-૨૦૨૧ સંસદીય પ્રથાના જનક એવા શ્રી વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ દિવસ, સામાન્ય રીતે શ્રી વિઠ્ઠલભાઈ પટેલને આપણે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાઈ તરીકે જ ઓળખીએ છે, પરંતુ શ્રીયુત શ્રી વિઠ્ઠલભાઈ પટેલ“સંસદીય પ્રથાના જનક” તરીકે વધારે સારી રીતે ઓળખ આપી શકાય, શ્રી વિઠ્ઠલભાઈ પટેલના કાર્યો થી આપણે ઘણા અજાણ છે કદાચ આઝાદી થી આજ સુધી તેમના કાર્યોને જાહેરજનતા સુધી કદાચ કોઈ રાજકીય પક્ષોએ ઉજાગર નથી કર્યા કે તેમની વિગતો જાહેર જનતા સુધી પહોચડવામાં ઉદાસીનતા દાખવી છે.

વર્ષ ૧૯૦૮માં ઈંગ્લેંડથી પરત ફર્યા બાદ તેમનો કાનુની બાબતોનો રસ હોવાથી એક વાત સ્પષ્ટ હતી કે તેઓએ એક પ્રખ્યાત વકીલ બનવાનો નિર્ણય કરી લીધો હતો. આશરે એક વર્ષની મુંબઈમાં પ્રેક્ટિસ ના સમયગાળામાં વર્ષ ૧૯૧૦ દરમ્યાન એવી બે ઘટનાઓ ઘટી કે તેમના જીવન પ્રત્યેના વિચારો બદલાયા જેમાં તેમના પત્ની દિવાળીબેનના મૃત્યુ, અને તેમની પોતાની માંદગી દરમ્યાન ગ્રામ્ય લોકોના વધુ સંપર્કમાં આવ્યા અને આ દરમ્યાન શ્રી વિઠ્ઠલભાઈને બ્રિટિશ રાજ હેઠળ ગામડાઓની દુર્દશાની માહીતે મળી અને ગામડાઓની સમસ્યા સમજ્યા બાદ જ તેમણે પોતાનું જીવન દેશસેવાને સમર્પિત કરવાનો નિર્ણય કર્યો.

૬ઠ્ઠી જાન્યુઆરી, ૧૯૧૩ના દિવસે શ્રી વિઠ્ઠલભાઈએ ગવર્નર ઓફ બોમ્બેની લેજિસ્લેટિવ કાઉંસિલના શપથ ગ્રહણ કરી તે પદ શોભાવ્યું અને આ પ્રસંગ પછી તેઓ *“માનનીય શ્રી વિઠ્ઠલભાઈ પટેલ”* તરીકે ઓળખાયા. શ્રી વિઠ્ઠલભાઈ પટેલે વર્ષ ૧૯૧૪ના સત્રના સૌથી વિવાદાસ્પદ વિધેયકોમાં મહત્વનો ફાળો આપ્યો જેમાં મુખ્યત્વે ધ બોમ્બે ડિસ્ટ્રીક્ટ મ્યુનિસિપલ એક્ટ એમેંડમેંટ બિલ, ટાઉન પ્લાનિંગ બિલ, બોમ્બે લેંડ રેવન્યુ કોડ એમેંડમેંટ બિલ, બોમ્બે પોર્ટ ટ્રસ્ટ બિલ, કરાંચી પોર્ટ ટ્રસ્ટ બિલ માં મહત્વની ભુમિકા અદા કરી, સાથે સાથે પંચમહાલ જિલ્લાના તાલુકા અને જિલ્લા બોર્ડમાં નામાંકન પધ્ધતિના સ્થાને ચુટણી પ્રથાને અમલમાં લાવવા માટેનો ઠરવ પણ સફળતા પુર્વક પસાર કર્યો. અને આથી જ તેઓ *“ગ્રામ સ્વરાજના પ્રણેતા”* તરીકે ઓળખાયા.

આ સિવાય શ્રી વિઠ્ઠલભાઈ પટેલ મેડિકલ એમેંડમેંટ બિલ, પ્રાથમિક શિક્ષણ કાયદો, આયુર્વેદ અને યુનાની ચિકિત્સકોના રક્ષક, રોલેટ એક્ટ, ઈંગલેંડમાં કોંગ્રેસનો પ્રચાર, અસહકાર આંદોલન અને સવિનય કાનુનભંગ, બોમ્બે મ્યુનિસિપલ કાઉંસિલનો કાર્યકાળ, બોમ્બેના મેયર, સ્વરાજ પક્ષની રચના, હિંદુ મેરેજ એક્ટ, પેશાવર ઈંક્વાયરી કમિટી, કે પછી અમેરીકામાં વિઠઠલભાઈ પટેલના ભાષણો હોય, વગેરે બાબતોમાં જરુર જણાય ત્યાં તેઓએ દેશહિતમાં આક્રમક વલણો પણ અપનાવ્યા છે અને ક્યારેક નરમાશથી પણ કાર્યો કરેલ છે. એક કિસ્સામાં પોતાના જ સ્વરાજ પક્ષના નેતા શ્રી મોતીલાલ નહેરુનો ખોફ પણ એમણે વહોરી લીધેલો, સ્પીકર તરીકે ચુંટાયા એટલે એમને કરવેરા જતાં માસિક રુ. ૩,૬૨૫નો પગાર મળતો થયો શ્રી વિઠ્ઠલભાઈ પટેલજે સાદા અને નિ:સંતાન વિધુરને આટલી મોટી પગારની રકમનું શુ કરવું એમ પ્રથમ નજરે લાગે આથી નેતા શ્રી મોતીલાલ નહેરુની ઈચ્છા હતી કે શ્રી વિઠ્ઠલભાઈ પોતાના પગરનો અર્ધો હિસ્સો પક્ષના ફંડમાં આપે. શ્રી વિઠ્ઠલભાઈ એ જે પળે પ્રમુખપદ સ્વીકાર્યું તે જ પળે, મન સાથે જ નિશ્ચય કરેલ કે પક્ષની વિચારસરણીને પોતે વરેલા ખરા, ભારતના સ્વાતંત્ર્યના સેનાની પણ પોતે અચૂક, પણ પક્ષ તરીકે કોઈ પક્ષ સાથે, કોઈ સંબંધ ચિન્હ ટકાવવા નહી. આથી જ તેઓએ પક્ષના સભ્યપદે થી મુક્ત થયા, આવી પરિસ્થિતિમાં તેઓ પોતે ફાળો કેવી રીતે આપી શકે તે સવાલ સ્વાભાવિક પેદા થયો. આ ઉપરાંત વિઠ્ઠલભાઈ નું દિલ્હીનું ઘર એટલે સરોજીની નાયડુંથી માંડી મહાદેવભાઈ દેસાઈ જેવા કેટલાય રાષ્ટ્રીય કાર્યકરોનું વિરામ સ્થળ. બહોળી મહેમાન ગતિ અને વિશાળ નિવાસસ્થાન જે ૨૦, અકબર રોડ, દિલ્હીમાં આવેલ જ્યાં આજે લોકસભાના સ્પીકર શ્રી ઓમ બિરલાનું નિવાસસ્થાન છે. 

આ નિવાસસ્થાનમાં શરુઆતમાં શ્રી વિઠ્ઠલભાઈને સારી એવી રકમ રાચરચીલામાં ખર્ચવી પડી હતી અને છ માસને અંતે એમને સમજાયુ કે માળી, નોકરોના મોટા કાફલા અને પોતાના મોભાને યોગ્ય સામાજિક ખાણી પીણીને નિભાવવા, માસિક બે હજાર જોઈએ. એટલે બાકીના માસિક રૂ. ૧૬૨૫ એમણે મહાત્મા ગાંધીને મોકલી આપ્યા. એમને ઈચ્છા થાય તે રીતે જનકલ્યાણની પ્રવૃત્તિમાં વાપરવા માટે અને આ વાત મોતીલાલ નહેરૂને પસંદ નહોતી અને આથી જ તેમણે આ રકમ પર પક્ષનો દાવો પોતાના રોષ સાથે કર્યો. અને આ તરફ મહાત્મા ગાંધીજી એ આ રકમ કેટલાય સમય સુધી વાપરી નહોતી આ કારણે પણ મોતીલાલ નહેરૂનો રોષ યથાવત રહ્યો. પરંતુ સમયાંતરે ગાંધીજીએ મોતીલાલ નહેરૂની સંમતિથી આ રકમ રાષ્ટ્રહિતમાં વાપરી અને પ્રતિમાસ વિઠ્ઠલભાઈ રૂ. ૧૬૨૫ ગાંધીજીને મોકલાવતા રહ્યા. 

આજે આપણે “બંધુ બેલડી” એટલે કે શ્રી વિઠ્ઠલભાઈ પટેલઅને શ્રી શ્રી સરદાર પટેલના પ્રસંગો વાગોળીએ. બંને ભાઈઓમાં શ્રી વિઠ્ઠલભાઈ પટેલમોટા અને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ નાના તેમની સમજશક્તિ અને રમૂજ માટે જાણીતા હતા. તે એક કુદરતી ભેટ હતી અને બંનેએ તેમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો અને આ સુંદર કલાનો ઉપયોગ કર્યો, તેનો ઉપયોગ વિદેશી શાસકો અને તેમના યુરોપિયન અધિકારીઓ સામે સફળતાપૂર્વક કર્યો. ડીસ્ટ્રીક પ્લીડરની પરીક્ષા પાસ કરી શ્રી વિઠ્ઠલભાઈ પટેલે પંચમહાલ જિલ્લાના ગોધરામાં વકીલાત શરૂ કરી. શ્રી વિઠ્ઠલભાઈને શરૂઆતમાં ખુબજ કઠીણાઈનો સામનો કરવો પડ્યો પરંતુ પોતાની કુનેહથી અને કાયદાના ઝીણવટ ભર્યા અભ્યાસના કારણે સફળતા મળવા લાગી અને ફોજદારી વકીલ તરીકે તેઓ પ્રખ્યાત થઈ ગયા. જવાબદાર વકીલ હોવાની સાથે સાથે તેઓ નીડર પણ એટલા જ હતા.

વિઠઠલભાઈ એ જ્યારે બોરસદમાં પોતાની વકીલાત શરૂ કરી ત્યાં પણ તેમને સફળતા અને ખ્યાતી મળતા વાર ન લાગી. તેમની ગોધરાની કારકીર્દી અગાઉથી જ બોરસદમાં પ્રસરી ગયેલ આથી ફોજદારી કેસોનો જમાવડો વધવા લાગ્યો આથી તેમણે વલ્લભભાઈને પણ બોરસદ બોલાવી લીધા. તેમના અભ્યાસ અને આવડતના કારણે મુશ્કેલ જણાતા કેસો પણ પલકવારમાં જીતી જતા. આમ બન્ને ભાઈની જુગલજોડીએ સરકારી તંત્ર અને પોલીસખાતાને રાડ પડાવી દીધી. ક્યારેક તો બન્ને ભાઈઓ સામ સામે પક્ષકારોના વકીલ તરીકે ઊભા રહેતા અને તે સમયે તેઓની રજુઆત અને દલીલો સાંભળવા વકીલમંડળ ઉપરાંત જનસમૂહના કારણે કોર્ટનો રુમ ભરાઈ જતો. એક સમયે તો સરકારને લાગ્યું કે તાલુકાનું પોલીસતંત્ર બન્ને ભાઈઓથી પરાસ્ત થયેલ છેએમની શેહમાં દબાઈ ગયુંએટલે બોરસદની ફોજદારી કોર્ટ આણંદ ખસેડીપણ આ સ્થળફેરની યોજના પણ કારગત ન નીવડી. બન્ને ભાઈઓ બોરસદથી આણંદ પહોચી કેસ લડી જીતી જતા. અને સરકારને પણ બોરસદથી આણંદનો ખર્ચો, ભાડા ભથ્થાવધવા લાગ્યા એટલે વળી પાછા થાકીને આણંદથી કોર્ટ બોરસદ બદલી અને આ રીતે બન્ને ભાઈઓની વચ્ચે સરકાર પીસાતી જ રહી.

            શ્રી સરદાર પટેલ અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલના આગમન પછી નાગપુર સત્યાગ્રહનો વ્યાપ વધવા લાગ્યોશ્રી વિઠ્ઠલભાઈએ તે સમયે બધી જ પરિસ્થિતિનો તાગ મેળવી સરઘસ કાઢવાની યોજના બનાવી, ૧૮ ઓગષ્ટના રોજ આ યોજના અમલમાં મુકવા ૨ શર્તો મુકી જેમા ૧) ૧૭ ઓગષ્ટ સુધી નાગપુરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને ૨) સરઘસ યોજવા સરકારની આગોતરી મંજુરી મેળવવી. એ સમયે સર ફ્રેંક સ્લાય સેંટ્રલ પ્રોવિન્સિઝ્ના ગવર્નર હતા અને તેઓ શ્રી વિઠ્ઠલભાઈના લંડનમાં સહાધ્યાયી હતા. આથી શ્રી વિઠ્ઠલભાઈ પટેલસર સ્લાયને અનેક વખત મળેલા અને આ મુલાકાતોની ગુપ્તતા જળવાઈ રહેલ હતી. શ્રી વિઠ્ઠલભાઈના રાજદ્વારી પ્રયત્નોને કારણે ૧૮ ઓગષ્ટે સરઘસ વિના અવરોધે સફળ રહ્યુ. શ્રી સરદાર પટેલ અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલે સાથે મળીને સફળતા મેળવી હોય તેવા પ્રસંગોમાં નાગપુર સત્યાગ્રહ ખુબજ મહત્વનો છે. શ્રી વિઠ્ઠલભાઈના કારણે જ આપણને શ્રી સરદાર પટેલ જેવા રાજપુરુષ મળ્યાં તે ક્યારેય ભુલી ન શકાય.

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

હિંદુ – મુસ્લિમ અને સરદાર પટેલ

હિંદુ – મુસ્લિમ અને સરદાર પટેલ

 

૧૫ ઓગષ્ટ ૨૦૨૧, સ્વતંત્ર દિવસ 

૧)        શું સરદાર પટેલને અન્યાય થયો?

૨)        કોમવાદી સરદાર પટેલ – હિંદુવાદી સરદાર પટેલ – સરદાર પટેલ પર લાગેલ આ આરોપોનું સત્ય શું છે?

૩)        મુસ્લિમો પાકિસ્તાન જઈને શું કરશે? – સરદાર પટેલ

૪)        લિયાકત પેક્ટ અને જસ્ટિસ બશીર અહેમદ

 

આપણો રાષ્ટ્ર દ્વજ નક્કી કરવા એક કમીટીનું ગઠનનો ઠરાવ ૦૨ એપ્રિલ ૧૯૩૧ના રોજ કરાંચી અધિવેશનમાં થયો. અને આ કમીટીએ રાષ્ટ્ર દ્વજ બાબતે જરૂરી સુચનો અને રીપોર્ટ ૩૧ જુલાઈ ૧૯૩૧ ના દિવસે કે તે પહેલાં આપવા તેવું નકકી કરવામાં આવ્યુ. 

૧)        શું સરદાર પટેલને અન્યાય થયો? 

                        સૌ પ્રથમ તો સરદાર પટેલને અન્યાય થયો કહેનાર જ સરદાર પટેલને અન્યાય સહન કરનાર વ્યક્તિ સમજે છે ત્યારે જ આ પ્રશ્ન ઉદ્ભભવે ... સરદાર પટેલને અન્યાય થયો તેવું અન્યો નહી પરંતુ હું પોતે પણ માનતો હતો, પરંતુ ૨૦૧૨ પછી જેમ જેમ સરદાર પટેલ વિશે જાણતો થયો, તેમ તેમ હું તે સમજી ગયો કે સરદાર પટેલને કોઇ અન્યાય કરીજ ન શકે. અને આ બાબતે એક સ્પષ્ટ સવાલ હંમેશા દરેકને પુછું કે સરદાર પટેલને અન્યાય થયો તેવું સરદાર પટેલે કોઈને કહ્યું ખરું (કારણકે સરદાર પટેલ પોતે બેરિસ્ટર હતા અને સ્પષ્ટ વાત કહેનારા હતા, પીઠ પાછળ તો વાત કરતા નહી), સરદાર પટેલે આ વિશે બીજા કોઈને ન કહ્યું હોય તેવું પણ માની લઈએ, તો તેમના દિકરી કું. મણીબેન પટેલ જેઓએ સરદાર પટેલ માટે આયખું અર્પણ કર્યુ શું સરદાર પટેલે તેમને પણ ક્યારેય કહ્યું કે કું મણીબેન પટેલે પણ ક્યારેય આ વાતનો ઉલ્લેખ સરદાર પટેલના મૃત્યુ પછી કહ્યું? “ના” 

                        તમારા મુજબ જેને અન્યાય થયો તેમણે ક્યારેય નથી કહ્યુ અને તેમના વારસદારો નથી બોલ્યા કે અન્યાય કર્યો. તો પછી આ વાતને તુલ આપનાર હું કે તમે કોણ? 

ઈતિહાસમાં જે સમયે જે નિર્ણયો લેવાયા તે હકીકતમાં સમયને આધીન નિર્ણયો લેવાયા અને આ મુદ્દાને એક બીજી દ્રષ્ટિએ જોઈએ તો સરદાર પટેલ વડાપ્રધાન બન્યા અને નહેરુ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બને તો શું ભારત નો જે નક્શો આજે આપણી જોઈએ છે તે શક્ય બની શકે ખરો? શું નહેરુ હૈદ્રાબાદ, જામનગર, ભોપાલ, ના નવાબો સાથે ભારતમાં ભેળવી શક્યા હોત ખરા? મારા મંતવ્ય મુજબ તો આ શક્ય ન બન્યું હોત, અને એટલે જ માનવું રહ્યુ કે સરદાર પટેલની કુનેહથી જ અખંડ ભારતની રચના શક્ય બની.           

            વર્ષ ૧૯૪૭ ના અંતમાં (એટલે કે આઝાદી ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે મળી) એટલે કે ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ અને ડિસેમ્બર ૧૯૪૭ના સમયગાળાની વાત જ્યારે સરદાર અને જવાહરલાલ વચ્ચે મતભેદો ઉભા થયા ત્યારે બન્ને અવારનવાર ગાંધીજી સાથે રજુઆત કરતા, એક સમયે ગાંધીજીએ સરદાર સાહેબને કહ્યું પણ હતું કે 

“તમારી આજની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠાનો ખ્યાલ કરતા મને લાગે છે કે તમારે પ્રધાનમંત્રી પદનો સ્વીકાર કરવો જોઈએ.”           

            ત્યારે સરદાર સાહેબે ગાંધીજીને કહ્યું કે “પ્રધાનમંત્રી તો જવાહર જ રહે, માત્ર મને રાજકાજથી મુક્ત કરો એટલું જ પ્રાર્થુ છું. જો હું આ પદનો સ્વીકાર કરુ તો જે લોકો મારી સામે અવળી વાતો ફેલાવી રહ્યા છે તેમની વાતોને નાહકની પુષ્ટિ મળશે” (આ પ્રસંગની વાત મણીબેનની ડાયરીમાં લખેલ છે અને જેની નોંધ સરદાર પટેલ જન્મ શતાબ્દી ગ્રંથમાળામાં પણ કરેલ છે.) 

આ વાત સ્પષ્ટ કરવી જરૂરી છે અને જેમ સરદાર પટેલ પર મુસ્લિમ વિરોધી છે તેવો આરોપ લગાવે છે તેવા જ એક સેનાની મૌલાના આઝાદ કે તેમના અને સરદાર સાહેબના મતભેદો તીવ્ર હતા તેઓ પોતાના મરણોત્તર પુસ્તક “ઈન્ડિયા વિન્સ ફ્રીડમ” માં અનેક આકરા પ્રહારો સરદાર સહેબ પર કરેલા છે, અને તેમના જ સહકાર્યકર્તા હુમાયુ કબીરે “ધ સ્ટેટ્સમેન”ને  ૨૫ જુલાઈ ૧૯૬૯ ના રોજ કહ્યુ કે પોતાના અંતિમ દિવસોમાં આઝાદ એવા તારણ પર આવ્યા હતા કે પોતે પટેલની બાબતમાં ગલત હતા. તેમણે કહ્યું હતું કે પોતે ૧૯૪૬માં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પટેલનું સુચન કરવું જોઈતું હતું. (એટલે કે જે ચુંટણીની વાત થઈ રહી છે કે સરદાર પટેલને ૧૯૪૬માં પ્રધાનમંત્રી પદ માટે અન્યાય થયો તે હકીકતમાં કોંગ્રેસ અધ્યક્ષની ચુંટણી હતી નહી કે પ્રધાનમંત્રી પદની) 

૨)        કોમવાદી સરદાર પટેલ – હિંદુવાદી સરદાર પટેલ – સરદાર પટેલ પર લાગેલ આ આરોપોનું સત્ય શું છે?

                        ભારતની એકતા અને અખંડિતતા તથા હિંદુ-મુસ્લિમ બંધુત્વ વિશે સરદારનો હઠાગ્રહ હંમેશા રહ્યો. તેમના રાષ્ટ્રવાદ અને દેશદાઝ વિશે કોઈ શંકા કે વિવાદ નહોતો તેમ છતાં તેમના પર કહેવાતા બનાવટી બિનસાંપ્રદાયિકતાવાદીઓએ ખુલ્લેઆમ કોમવાદી અને હિંદુ તરફી પક્ષપાતી વલણ ધરાવતા હોવાનો અક્ષેપ કરેલ અને આવા આક્ષેપો પર ખરાઈ અન્ય કોઈ નહી પણ તેમના સાથીઓ મૌલાના અબુલ કલામ આઝાદ અને જયપ્રકાશ નારાયણ જેવાએ પણ કરેલ. અને તેઓએ જ પાછળથી કબુલાત કરેલ કે તેમણે સરદાર પટેલને સમજવામાં ભુલ કરેલ.

                        ગાંધીજીએ તેમના વિશે કહ્યું કે “સરદારને મુસ્લિમ-વિરોધી કહેવા એ તો સત્યનો ઉપહાસ કરવા જેવુ લેખાશે.” 

૩)        મુસ્લિમો પાકિસ્તાન જઈને શું કરશે? – સરદાર પટેલ 

                        આઝાદી બાદ ભાગલા દરમ્યાન જ્યારે ભારતીય મુસ્લિમો પાકિસ્તાન હિજરત કરી રહ્યા હતા ત્યારે સરદાર પટેલ દેશના ભાગલા પડવાના નિર્ણય અયોગ્ય હતો તે હકીકતથી દુ:ખી હતા તેમણે કહ્યું કે “સમુદ્ર કે નદીઓની જળરાશિના કંઈ ભાગ પાડી શકાતા નથી. જ્યા સુધી મુસ્લિમોનો સવાલ છે, એમના મૂળિયાં, એમના પવિત્ર સ્થાનો અને ધાર્મિક કેંદ્રો અહીં જ છે. મને નથી ખબર કે તેઓ પાકિસ્તાન જઈને શું કરશે?

                        અમે જ્યારે ભાગલાનો સ્વીકાર કર્યો ત્યારે એવી ઈચ્છાથી કરેલો કે કદાચ તેમ કરવાથી પ્રગતિને અશક્ય બનાવી દેનાર બાબતોથી અવરોધ પામ્યા વિના બન્ને દેશ પોતપોતાની રીતે મુક્તપણે વિકાસ સાધી શકશે. અને સાથે સાથે પાકિસ્તાનને અમે શુભેચ્છાઓ પાઠવી હતી અને અમે આશા સેવતા હતા કે પરિસ્થિતિ થાળે પડતા, જ્યારે તેઓને ખ્યાલ આવે કે ખરેખર આપણે ભાઈઓ છીએ અને ભિન્ન ધાર્મિક વિચારો અને આદર્શોમાં વહેચાયેલા બે અલગ રાષ્ટ્રો નથી, ત્યારે તેઓ આપણી પાસે પાછા ફરશે. 

૪)        લિયાકત પેક્ટ અને જસ્ટિસ બશીર અહેમદ 

            લિયાકત પેક્ટ કેમ થયો તેની પાછળ સરદાર પટેલની દેશભક્તિ હતી અને નેહરુ પ્રત્યેની વફાદારીની કસોટી હતી. 

                        જ્યારે પાકિસ્તાન દ્વારા હજારો હિંદુઓને પૂર્વ બંગાળમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને પાકિસ્તાન સરકારના આવા અસહકારી વલણથી સરદાર સાહેબ અત્યંત ક્ષુબ્ધ થયા હતા, હિંદુ અને મુસ્લિમો વચ્ચેના સંબંધો બગાડવાની પ્રવૃત્તિ પાકિસ્તાને કોઈ પણ રીતે છોડી નહોતી. 

                        ડિસેમ્બર ૧૯૪૮ના જયપુર અધિવેશનમાં પટેલે પાકિસ્તાનને ચીમકી આપી કે જો તે આ રીતે હિંદુ નિર્વાસિતોનો પ્રવાહ ભારતમાં ધકેલવાનું, ખાસ કરીને પૂર્વ બંગાળથી બંધ નહી કરે તો, અમારી પાસે એટલી જ સંખ્યામાં મુસ્લિમોને તગેડી મૂકવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહી રહે.” આ વાતથી સરદાર પટેલના ટીકાકારો એમના પર ટુટી પડ્યા અને સરદાર પટેલ પર ભારતીય મુસ્લિમોના વિરોધી અને દુશ્મન હોવાના આરોપો થયા. આ વાતને રદિયો આપતા નહેરુ સરદાર સાહેબના બચાવ માટે આગળ આવ્યા અને તેમણે કહ્યુ કે નાયબ વડાપ્રધાનનું વિધાન પાકિસ્તાનને અનુલક્ષીને કરવામાં આવેલ હતુ; એ કાંઈ ભારતના મુસ્લિમોને આપેલ ધમકી નહોતી. અને આ વિધાન અનુસાર રાજસ્થાનમાં શાંતિ અને સંવાદિતાપૂર્ણ વાતાવરણ સ્થાપી ભારત તરફ ધસી આવતા નિરાશ્રિતોનો પ્રવાહ અટકાવવાનો અનુરોધ કરેલ છે.

                        જયપુર અધિવેશન દરમ્યાન સરદાર સાહેબે અપનાવેલ કડક વલણને પરિણામે, લિયાકત અલી ખાન એપ્રિલ ૧૯૫૦ના પહેલા સપ્તાહમાં દિલ્હી દોડી આવ્યા અને તેમની સાથે વાટાઘાટો બાદ કરાર કરવામાં આવ્યો જે નહેરુ લિયાકત સમજુતિ તરીકે જાણીતો થયો. આના કારણે બન્ને રાષ્ટ્રોએ હિંદુઓ અને મુસ્લિમોને સમાન નાગરિક્ત્વ અપાશે તેમ નક્કી થયુ અને સુરક્ષાની ખતરી આપી. આ કારણે નારાજ થઈ નહેરુ મંત્રી મંડળના ૨ મંત્રીઓ શ્યામા પ્રસાદ મુખર્જી અને કે. સી. નિયોગીએ રાજીનામા ધરી દીધા. સરદાર પટેલ તેમ છતાં પણ નહેરુની પડખે અડગ રહ્યા. એમણે ખાસ કરીને પશ્ચિમ બંગાળના ઉશ્કેરાયેલા સંસદસભ્યોને કહ્યુ, કે પ્રવર્તમાન સંજોગોમાં આ કરાર શ્રેષ્ઠ છે અને જે સારા હેતુ અને જુસ્સા સાથે તે સ્વીકારેલ છે, તેનુ વચન પણ લિયકતે પાળ્યું છે. ત્રણ મહિનામાં જ એક લાખથી વધુ હિંદુ નિરાશ્રિતોને પરત લઈ લીધા. અને આ કારણે નહેરુની પ્રતિષ્ઠામાં વધારો થયો. અને સરદાર પટેલનો વિશ્વાસ પણ જળવાયો.           

          જસ્ટિસ બશીર અહેમદ

સરદાર પટેલ મુસ્લિમ વિરોધી ન હતા તે ફરી એક વાર સરદાર પટેલના અંતિમ દિવસોમાં પુરવાર થયુ. મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ બશીર અહેમદને કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની દરખાસ્ત ભારત સરકારે કરી પરંતુ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ કાનિઆએ આ પ્રસ્તાવને નકારી દીધો અને આ ફાઈલ વડાપ્રધાન નહેરૂ પાસે પહોચી, ત્યારે નહેરૂ ખુબ ક્રોધિત થયા અને સરદાર પટેલ કે જેઓ ગૃહમંત્રી તરીકે આ બધી નિમણૂકોનો સીધો હવાલો સંભાળતા હતા, તેમને કાનિઆના આવા વલણ વિશે ફરીયાદનો પત્ર ૨૩ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ લખ્યો, સરદાર પટેલે તેજ દિવસે વળતા જવાબમાં જણાવ્યું કે તેમણે ગૃહસચિવ આયંગરને કાનિઆના વિરોધની ઉપેક્ષા કરીને બશીર અહેમદની નિયુક્તિ કરી દેવા જરૂરી સુચનાઓ આપી દીધી છે અને આ બાબતે મુખ્ય ન્યાયાધિશ કાનિઆને ટેલિફોન પર કહ્યુ કે જસ્ટિસ બશીર અહેમદની નિમણૂકની દરખાસ્તનો અસ્વીકાર કરીએ તો તે કોમી પક્ષપાતને લીધે છે તેમ સહેલાઈથી માનવાને કારણ મળી જશે.

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

Bardoli Diwas - બારડોલી દિવસ - બારડોલી સત્યાગ્રહનો ઘટનાક્રમ

Bardoli Diwas - બારડોલી દિવસ - બારડોલી સત્યાગ્રહનો ઘટનાક્રમ

શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં

            દેખ ભાગે સોઉ શૂર નાહીં

કામ ઔર ક્રોધ મદ લોભ સે ઝૂઝના,

            મંડા ઘમસાણ તંહ ખેત માહી

શીલ ઔર શૌચ સંતોશ સાથી ભયે,

            નામ શમ્શેર તંહ ખૂબ બાજે

કહત કબીર કોઉ ઝુઝિ હૈ સૂરમાં,

            કાયરાં ભેડ તંહ તુરત ભાજે

                                    કબીર

 

આજે ૧૨-૦૬-૨૦૨૧ એટલે કે બારડોલી દિવસ (૧૨-૦૬-૧૯૨૮ બારડોલી વિજય દિવસ) ૯૩ વર્ષ પહેલાં ભારત અને સમગ્ર વિશ્વને સરદાર મળ્યાં, એક એવો સત્યાગ્રહી કે આંદોલનકારી જે જેણે અંગ્રેજોના હાજા ગગડાવી દીધા, વલ્લભભાઈ પટેલની વકીલાતથી તો આમેય બોરસદ, આણંદ, ગોધરા અને અમદાવાદની કોર્ટોના અંગ્રેજ જજો અને વકીલો ડરતા હતા અને ત્યારબાદ ગુજરાત ક્લબમાં પોરબંદરના એક ઔર વીરલા ગાંધી સાથે ભેટો થયો પછી તો પુછવું જ શું? આખરે ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું, પણ અત્યારે વાત વલ્લભભાઈ પટેલની કે જેમણે બારડોલી સત્યાગ્રહની કમાન સંભાળી અને આખરે એક ઐતિહાસિક જીત મેળવી જે દરમ્યાન મકોટી ગામના શ્રીમતી ભીખીબેને વલ્લભભાઈને સરદાર કહી બોલાવ્યાં કહ્યું “આજથી તમે અમારા સરદાર” અને આજે પણ આપણે સૌ વલ્લભભાઈ પટેલને સરદાર પટેલથી જાણીએ છીએ. ઉપરોક્ત કબીરની કવિતા કે દોહો એ દરેક શૂરા સત્યાગ્રહીને સમર્પિત.

 

બારડોલી સત્યાગ્રહનો ઘટનાક્રમ :

 

તા. ૦૬-૦૯-૧૯૨૭ :        બારડોલીના જૈનોના અપાસરામાં તાલુકાના લોકોની જંગી સભા થઈ. અને સભામાં મહેસૂલનો

વધારો નહી ભરવાનો ઠરાવ થયો. આ સભામાં શ્રી દાદુભાઈ પુરુષોત્તમ દેસાઈ અને શ્રી ભીમભાઈ રણછોડજી નાયકની હાજર હતા.

તા. ૧૧-૧૨-૧૯૨૭ :        શ્રી શિવદાસાનીના પ્રમુખપદ હેઠળ વાલોડ મહાલના લોકોની સભા મળી અને આ સભાએ વધારાનું

મહેસૂલ ભરવાનો ઈનકાર કાર્યો.

તા. ૦૫-૦૨-૧૯૨૮ :        બારડોલીમાં વધેલું અન્યાયી મહેસૂલ ખેડૂતો ન ભરે તે માટે શ્રી વલ્લભભાઈએ ચળવળની શરુઆત કરી.

તા. ૧૨-૦૨-૧૯૨૮ :        બારડોલીના હજારો ખેડૂતોએ સભા ભરીને વધેલું મહેસૂલ નહી ભરવાની પ્રતિજ્ઞા લીધી.

તા. ૨૯-૦૨-૧૯૨૮ :        સત્યાગ્રહી ખેડુતોની જમીનોનું લિલાઉ થવાની શરૂઆત થઈ

તા. ૦૩-૦૫-૧૯૨૮ :        બારડોલી અને વાલોડમાં સરઘસો અને નગારાનો પ્રતિબંધ થયો.

તા. ૨૭-૦૫-૧૯૨૮ :        બારડોલીમાં જંગી હડતાળ પડી

તા. ૦૪-૦૬-૧૯૨૮ :        વધેલા જમીન મહેસૂલ સામે વિરોધ દર્શાવવા માટે મુંબઈની ધારાસભામાંથી સભ્યોએ રાજીનામાં આપવાની શરુઆત કરી.

તા. ૧૨-૦૬-૧૯૨૮ :        “બારડોલી દિન” અને મકોટીના શ્રીમતી ભીખીબેને વલ્લભભાઈને ઉદ્દેશીને કહ્યુ “આજથી તમે અમારા સરદાર”

તા. ૧૩-૦૬-૧૯૨૮ :        હિંદી વજીર એ બારડોલીની લડતમાં હસ્તક્ષેપ કરવાની ના પાડી

તા. ૧૭-૦૬-૧૯૨૮ :        હિંદી વેપારી ચેમ્બરના પ્રતિનિધિઓ સાથે સમાધાનની ચાલેલી મસલત પડી ભાંગી, તથા કનૈયાલાલ મુંશીએ ગવર્નરને છેલ્લો પત્ર લખીને બારડોલીમાં ચાલતી સરકારની દમનનીતિ વિશે ચોકવનારી વિગતો આપી અને ધારાસભામાંથી રાજીનામું આપ્યું.

તા. ૨૧-૦૬-૧૯૨૮ :        બારડોલીમાં ચલતી દમનનીતિમાં સ્વતંત્ર તપાસ કરવા માટે શ્રી કનૈયાલાલ મુંશીએ પોતાના પ્રમુખપદ હેઠળ કમિટીની સ્થાપના કરી.

તા. ૨૪-૦૬-૧૯૨૮ :        મુંશી કમિટીએ તપાસ શરુ કરી.

તા. ૦૮-૦૭-૧૯૨૮ :        કોંગ્રેસ નેશનાલીસ્ટ પક્ષે સરકારને બારડોલીના મામલામાં તપાસ કરવા જણાવ્યું

તા. ૧૬-૦૭-૧૯૨૮ :        ગવર્નરે બારડોલી વિષે વાઈસરોય જોડે સીમલામાં મસલત કરી.

તા. ૧૮-૦૭-૧૯૨૮ :        ગવર્નરે બારડોલીના ખેડુતોના ડેપ્યુટેશન સાથે સુરતના કિલ્લામાં મસલત કરી, સરકારી શરતોની જાહેરાત કરી.

તા. ૨૦-૦૭-૧૯૨૮ :        સરદાર વલ્લભભાઈએ સરકારી શરતોનો અસ્વીકારવાની જાહેરાત કરી.

તા. ૨૧-૦૭-૧૯૨૮ :        તાડીના માંડવાઓના લિલાઉ થાય તે માટે પિકેટીંગ કરતા શ્રી મણીલાલ કોઠારી, કુ. મીઠુબેન પીટીટ, શ્રીમતી ભેંસાણીઆ, ડો. ઘીઆ વગેરેની ધરપકડ થઈ.

તા. ૨૩-૦૭-૧૯૨૮ :        મુંબઈની ધારાસભામાં ગવર્નરે, સમાધાન ન થાય તો દમનનીતિ આદરવાની ધમકી આપી. અર્લ વીંટરટને પન આમની સભામાં ખુલાસો કરતા મુંબઈ સરકારની નીતિને ટેકો આપ્યો.

તા. ૨૫-૦૭-૧૯૨૮ :        સરકારના અલ્ટીમેટમ સામે મુંબઈની ધારાસભાના સભ્યોએ વિરોધ કર્યો. તથા શ્રી રામચંદ્ર ભટ્ટે બારડોલીના ખેડૂતોનું વધારાનું મહેસૂલ ડિપોઝિટ તરીકે મુકવાની ઈચ્છા દર્શાવી.

તા. ૨૬-૦૭-૧૯૨૮ :        સરકારે શ્રી રામચંદ્ર ભટ્ટને વળતા જવાબમાં જણાવ્યુ કે તમારી ઓફર ધારાસભામાં સુરતના સભ્યો દ્વારા કરો.

તા. ૦૨-૦૮-૧૯૨૮ :        ગાંધીજીનું બારડોલીમાં આગમન

તા. ૦૨-૦૮-૧૯૨૮ :        ધારાસભાના ગુજરાતના સભ્યોના આમંત્રણના કારણે શ્રી વલ્લભભાઈ પૂના ગયા

તા. ૦૩-૦૮-૧૯૨૮ :        શ્રી વલ્લભભાઈ પટેલ સાથે પૂનામાં સર ચૂનીલાલ મહેતાને ઘેર સમાધાનની ગંભીર વાતો ચાલી.

તા. ૦૪-૦૮-૧૯૨૮ :        પૂનામાં સમાધાનની વાતો ચાર વાગ્યા સુધી ચાલી અને ત્યારબાદ શ્રી વલ્લભભાઈ સુરત પરત જવા નિકળ્યા

તા. ૦૫-૦૮-૧૯૨૮ :        આખરે સુરતમાં સમાધાન થયુ

તા. ૦૬-૦૮-૧૯૨૮ :        સુરતના સભ્યોએ રેવેન્યુ મેમ્બરને પત્ર લખીને સરકાર શરતો બર આવશે તેમ જાહેર કર્યુ અને સરકારે જાહેરનામુ બાહર પાડી સંપુર્ણ સ્વતંત્રને ખુલ્લી તપાસ કમિટી નીમવા જણાવ્યું

તા. ૦૯-૦૮-૧૯૨૮ :        મહાત્મા ગાંધી અને શ્રી વલ્લભભાઈએ યાદી બહાર પાડી, લડતની પૂર્ણાહુતિ જાહેર કરી અને પ્રજાને વધારો ભરવા, ભૂલેલાનો બહિષ્કાર છોડવા અને તપાસ માટે પુરાવાઓ ભેગા કરવા અને રચનાત્મક કાર્યો કરવા અપીલ કરી.

 

લાજ રાખી પ્રભુએ આપણી રે,

            જીત આપી પળાવી ટેક

શસ્ત્રધારી શસ્ત્ર બૂઠાં થયા રે,

            શસ્ત્રધારી થયા છે ફજેત

એક ટીપુ પાડ્યુ નથી લોહીનું રે,

            યુધ્ધ જીત્યા દાનત કરી નેક

શસ્ત્ર દૈવી લીધાં છે હાથમાં રે,

            નથી છોડ્યો લગારે વિવેક

પૂરણ પુણ્યે વલ્લભભાઈ પામીઆ રે,

            લીધો તાલુકા કાજે ભેખ

બારડોલીનો ડંકો વાગીઓ રે,

            બધી કોમો ઝૂઝી બની એક

ગયા થંભી આકાશમાં દેવતા રે,

            પુષ્પવૃષ્ટિ કરે ધરી હેત

                                    ફુલચંદ શાહ (વઢવાણ)

સંદર્ભ : બારડોલી સત્યાગ્રહ – સંપાદક – ઈશ્વરલાલ દેસાઈ. 

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

© all rights reserved
SardarPatel.in