Farmers - 6 - સરદાર વાણી - सरदार वाणी
ઉમાશંકર જોશીની એક કવિતાની પંક્તિ
ગંધાતા દુરિત પ્રતિ ધારદાર શબ્દોના ઘા કરવામાં એ રાચે છે,
પણ હમણાં હમણાં તો એની આત્માની ગોફણમાંથી
છુટે છે - શબ્દ નહી, પણ તાતી સંકલ્પ શક્તિ
એન શબ્દો શબ્દો નથી, કાર્યો છે.
તા. ૦૫-૧૨-૧૯૨૫ના રોજ સરદારશ્રીએ અમદાવાદથી
કુમારી મણીબેનને પુના સેવાસદનમાં પત્ર લખ્યો
“તમને ત્યા બધુ બરોબર ગોઠવાઈ ગયુ હશે. બધા
સાથે હળી મળીને રહેજો.” આજે જ્યારે પરસ્પર કુસંપ, ઝગડાઓ વધતા જાય ત્યારે
સરદાર સાહેબે મણીબેનને લખેલ પત્ર દ્વારા જણાવેલ તેમના વિચારો ખુબ જ ઉપયોગી થાય છે.
સરદાર સાહેબ હળીમળીને કામ કરવાની સાથે સાથે સંપ અને સહકારની તરફેણ કરતા જણાય. તેમનું
માનવું હતું કે હળીમળીને કામ કરવાથી ઘણા સંઘર્ષોનો ઉકેલ સરળતાથી થાય છે.
તા. ૦૯-૦૫-૧૯૩૪ના રોજ સેંટ્રલ પ્રિઝન, નાસિક
રોડથી સરદાર પટેલે કસ્તુરબા સેવાશ્રમ, તથા અન્યોને લખેલ કાગળમાં
દર્શાવ્યુ કે “જુલ્મ કરનારની ખબર ઈશ્વર લેશે. વહેલો કે મોડો ખબર લેશે તેમા કોઈ શંકા
નથી.” સરદારના આ પત્ર દ્વારા સમજ આવે કે દરેકને જો ઈશ્વરનો ડર હોય તો તે દરેક વ્યક્તિ
અમાનુષી સામાજીક અત્યાચારો બંધ થઈ શકે છે.
સરદાર સાહેબે અશ્પૃશ્યતાની નવી વ્યાખ્યા
કરેલ તે જાણવા જેવી છે અને તેઓ આ વ્યાખ્યા તેમના ભાષણોમાં અવારનવાર કહેતા;
“અશ્પૃશ્યની વ્યાખ્યા તમે જાણો છો? પ્રાણીના
શરીરમાંથી જ્યારે પ્રાણ નીકળી જાય ત્યારે તે અશ્પૃશ્ય બને છે. પરંતુ જ્યારે મનુષ્ય
કે પ્રાણીમાત્રમાં પ્રાણ હોય ત્યાં સુધી તે અશ્પૃશ્ય નથી તે પ્રભુનો એક અંશ છે. અને
કોઈને અશ્પૃશ્ય કહેવુ તે પ્રભુના અંશનો તિરસ્કાર કરવા જેવુ છે.”
સરદારનું તો સ્પષ્ટ પણે માનવું હતું કે
ઊંચનીચના ભેદભાવ માનનારને રાજસત્તાનો કોઈ અધિકાર નથી. કોંગ્રેસ પક્ષની વિચારધારામાં
એક અગત્યનો ભાગ અશ્પૃશ્યતા નિવારવાનો હતો. પોતાની રાજકીય વગ ધરાવી સરદારે અશ્પૃશ્યતા
નિવારણ માટે પ્રેરણાદાયક પ્રયાસો કર્યા. જેમ કે નવેમ્બર ૧૯૨૫માં તેમણે પોતે કાઠિયાવાડ
રાજપરિષદમાં તેમણે અશ્પૃશ્યતા નાબૂદીનો ઠરાવ પસાર કરાવ્યો. એ સભામાં જેમના માટે બેસવાની
અલગ જગ્યા કે વિભાગની વ્યવસ્થા કરવામાં આવેલ તે જગ્યાએ સરદાર સાહેબ પોતે જઈને બેઠા.
અને પોતાનું પ્રવચન પણ પોતે જ ત્યાંથી આપ્યું.
સરદારશ્રી જ્યારથી સમજણા થયા ત્યારથી પાટીદાર
નાતના પહેરામણી (પરઠણ) જેવા અન્ય રિવાજો પ્રત્યે તેમને ભારે તિરસ્કાર હતો. કોઈની પહેરામણીની
વાત સરદારસાહેબ પાસે આવે તો તરત પુછતા કે “આખલાના પાંચ હજાર ઉપજ્યા કે સાત હજાર ઉપજ્યા? એક
વાર તો પોતાના સગામાં જ એક છોકરાની સગાઈ વખતે પહેરામણીની બાબતે રકઝક ચાલતી હતી તે સમયે
જ સરદાર બોલ્યા કે “આ બધી ભાંજગડ છોડો અને છોકરાને શુક્રવારીમાં જ મુકો! સરદાર બાળલગ્નની
જેમ પરઠણના પણ સખત વિરોધી હતા. એક વાર ભાદરણની જાહેર સભામાં સરદારે કહેલું કે “ભાદરણમાં
પાટીદારોની મોટી ઈમારતો છે, તેથી ત્યા ધન વધુ છે તેમ ન માનતા
એ તો છોકરાઓના લગ્ન થાય ત્યારે ઈમારત જોઈ સારા પૈસા, સામાવાળા
પાસેથી લેવાય તેના માટે છે.”
વિઠ્ઠલભાઈ
પટેલ પોતાના પુરુષાર્થ અને હોશિયારીથી “બેરિસ્ટર વિઠ્ઠલભાઈ” તરીકે મુંબઈ (તે સમયે બોમ્બે)
હાઈકોર્ટમાં ખ્યાતનામ થયેલ વિઠ્ઠલભાઈ હવે પ્રજાસેવક “માનનીય શ્રી વિઠ્ઠલભાઈ” તરીકે
ઓળખાવા લાગ્યા. વિઠ્ઠલભાઈના તે સમયના સાથીદારો મુખ્યત્વે સર
ફિરોજશાહ મહેતા, ગોકુલદાસ કહાનદાસ પારેખ, ઈબ્રાહીમ રહીમતુલ્લા, સર રઘુનાથરાવ પરાંજપે, સર લલ્લુભાઈ શામળદાસ અને સર ચીમનલાલ સેતલવાડ હતા. ધારાસભાની કાર્યવાહીમાં પ્રશ્નો
કેમ પૂછવા, ઠરાવો કેવી રીતે રજુ કરવા, સુધારા
કેવી રીતે રજુ કરવા, વધારાના પ્રશ્નો ક્યારે અને કેવી રીતે પુછી
શકાય આમ આખી કાર્યવાહી પર પકડ કેવી રીતે મજબુત કરાય તે માટે વિઠઠલભાઈ એક અભ્યાસી જીવન
શરૂ કર્યુ અને તેઓ સવારથી સેક્રેટેરિયેટ લાયબ્રેરીમાં અને બોમ્બે પ્રેસીડેંસી અસોસિયેશન
લાયબ્રેરીમાં અભ્યાસ કરતા.
વિઠ્ઠલભાઈ પટેલ પોતાની બાજ નજરે આખા પ્રાંતના વહીવટ પર નજર રાખતા અને જરા પણ ગરબડ, ગેરવહીવટ, કે શંકાસ્પદ કાર્ય ઘ્યાન આવે તો એન વિશે પ્રશ્નો પૂછી વહીવટકર્તાઓને મુશ્કેલીમાં મુકી દેતા, એમના સવાલોની સંખ્યા અને ધારાસભાના કુલ સભ્યોએ પુછેલ પ્રશ્નોની સંખ્યા સરખાવીએ તો વિઠ્ઠલભાઈના પ્રશ્નોની સંખ્યા વધારે રહેતી, એક વર્ષેતો કુલ પ્રશ્નોનો મોટોભાગ જ વિઠ્ઠલભાઈ એકલાનો હતો. એક પ્રસંગે તો બે ગોરા અફસરોએ એક ભારતીય નાગરીકને તુમાખીમાં માર્યો, અને આની જાણ વિઠ્ઠલભાઈને થઈ એટલે, તેમણે ધારાસભામાં જ પ્રશ્ન કર્યો કે સરકારે આ અફસરો સામે શું પગલા લીધા જેથી એવા વર્તનનું પુનરાવર્તન ન થાય? ધારાસભામાં વિઠ્ઠલભાઈના આ સવાલે તો સરકારને અવઢવમાં મુકી દીધી અને આખરે જાહેરમાં કબુલવુ પડ્યુ કે આવી વર્તણૂક શરમજનક છે અને ગૌરવઘાતક છે.હોમરૂલ લીગના આદ્યસ્થાપક શ્રીમતી એની બેસેંટની ધરપકડ થઈ ત્યારે વિઠ્ઠલભાઈએ પ્રશ્નોનો મારો ચલાવી સરકારને ફરી કફોડી સ્થિતિમાં મુકેલ.
સરકારી બિલો પર સુધારાનો કાર્યક્રમ તેમણે ધારાસભાની ત્રીજી બેઠકથી શરૂ કરી. આ બેઠકોમાં તેમણે મહત્વના સુધારા રજુ કર્યા જેમા આબકારી કાયદો, ટાઉન પ્લાનિંગનો ધારો, મહેસૂલી કરના સુધારો, દરેક પર સુધારાઓ રજુ કર્યા અને તેમના થકી આશરે ૬૫ જેટલા સુધારાઓને રજુઆત માટે કરેલ વક્તવ્યથી તો એક ગોરા સભ્ય તો અધીરા થઈ ગયા અને વારંવાર કાનુની મુદ્દા રજુ કરી દખલ કરવા માંડી પરંતુ તેમા ફાવટ ન આવી અને વિઠ્ઠલભાઈએ આ બાબતે કરેલ અભ્યાસ ના કારણે ગવર્નરે પણ નમતુ જોખવુ પડેલ.
The Indian Army has added one more chapter to its glorious record of achievenes and I should like to convey to you and through you to all those who have had a hand in these operations my persoel thanks,
The speed and the skill of these operations cannot fail to extort admiration even from our severest critics and I have no doubt that history will record these operations as masterpiece of efficiency, organisation and all-round co-operation. The Indian Army has added one more chapter to its glorious record of achievements and I should like to convey to you and through you to all those who have had a hand in these operations my personal thanks for the part which each one has played in it. We are really proud of them all.