April 2021 | Vithalbhai Patel, Sardar Patel

Borsad Satyagrah Sardar Patel's Appeal

Borsad Satyagrah Sardar Patel's Appeal 

શ્રી વલ્લભભાઈ પટેલે બોરસદ સત્યાગ્રહ વખતે પ્રજાજોગ જે અપીલ કરેલ તેના પરથી ખ્યાલ આવે કે સરદાર પટેલના જાહેરજીવનમાં બોરસદ સત્યાગ્રહે એક મહત્વનો ભાગ ભજ્વ્યો, આ સત્યાગ્રહ થકી વલ્લભભાઈ પટેલે જાહેર જનતા ને કેવી રીતે પીઠબળ પૂરું પાડ્યું તથા તેમણે બોરસદના લોકોને અંગ્રેજ શાસન સામે લડવાની  હિંમત પણ આપી અને આ લડત એટલા માટે વિશેષ છે કારણકે સરદાર શ્રી બોરસદ તાલુકાના આશરે દોઢેક લાખ લોકોને આ લડત લડવા માટે જાગૃત કર્યા.  તથા આ લડત અસહકાર ની પડતી ના સમયે યોજાઇ હતી જે સમયે ગાંધીજી લાંબો જેલવાસ ભોગવી રહ્યા હતા અને મહાસભાના મંચ ઉપર અસહકાર કે ધારાસભા પ્રવેશ એવું સંઘર્ષણ ચાલી રહ્યું હતું. સરકારે આ લડત ને  પ્રજાની વાત સાચી ગણી માન્ય રાખી જે તે સમયની ઘટનામાં અભૂતપૂર્વ કહેવાય!

બોરસદ સત્યાગ્રહનો પ્રારંભ તારીખ ૨ ડિસેમ્બર ૧૯૨૩ના દિવસે થયો.  તથા તેની યશસ્વી પૂર્ણાહુતિ ૧૨ જાન્યુઆરી ૧૯૨૪ના દિવસે ઉજવવામાં આવી. આ લડત ના કારણો પરિસ્થિતિઓ જાણવી ચરોતરના નાગરિકો તથા દેશના નાગરિકો માટે  અગત્યની છે. આ લડત પૂરી થયાના ચારેક માસ પછી બોરસદમાં સાતમી ગુજરાત રાજકીય પરિષદ ભરાઈ. આ પરિષદમાં ગાંધીજી દ્વારા મોકલવામાં આવેલ સંદેશો ખૂબ જ મહત્વનો હતો,  તેમણે કહ્યું કે” બોર્ડ સાથે ગુજરાતને શોભાવ્યું છે. બોરસદ સત્યાગ્રહ કરી, ભોગ ત્યાગ કરી, પોતાની જાતને હિન્દુસ્તાનની સેવા માટે અર્પણ કરી છે. બોરસદ જમીન સાફ કરી; ચણતર કરવાનું બાકી છે ને તે કઠણ છે. તે કામ થઈ રહ્યું છે, કેમ હું જાણું છું.”

બોરસદ સત્યાગ્રહ બાદ ચારેક વર્ષ પછી બારડોલીનો સત્યાગ્રહ થયો અને બારડોલી સત્યાગ્રહ સમયે જ મકોટી ગામના ભીખીબેને વલ્લભભાઈને સરદાર કહી સંબોધ્યા. પરંતુ બારડોલી સત્યાગ્રહના બીજ કદાચ બોરસદ સત્યાગ્રહ વખતે રોપાયા હશે. વલ્લભભાઈએ લોકોને બોરસદ સત્યાગ્રહ સમયે જે અપીલ કરી છે તે જાણીએ તો સાચેજ સમજ પડે કે સત્યાગ્રહનો સુત્રધાર કે પડદા પાછળ કામ કરનાર કર્મવીર કોણ? ગાંધીજીના સત્યાગ્રહોનું આયોજન સરદાર સાહેબ કરતા અને દરેક સત્યાગ્રહે જન માનસ પર એક છાપ છોડી હતી.

શ્રી વલ્લભભાઈ પટેલની બોરસદની જનતાને અપીલ

બોરસદ અને આણંદ તાલુકાની નિર્દોષ પ્રજા પર અઢી લાખ રૂપિયા જેટલી ભારે રકમનો દંડ ઠોકી બેસાડી સરકારે લગભગ એકસો ગામો પર વધારાની પોલીસ બેસાડી છે. તેની સામે તે ગામના લોકોએ સત્યાગ્રહ કરવાનો નિશ્ચય કર્યો છે.

ગામેગામ જે પોલીસ મુકવામાં આવી છે તે બહારથી આણેલી છે. તેમાંના કેટલાક પોલીસોએ લોકો પર અનેક અત્યાચારો શરૂ કર્યા છે. બહારવટિયાના ત્રાસથી કચડાયેલી પ્રજા હવે પોલીસના ત્રાસમાં સપડાઈ છે. ગામડામાં પોલીસના અત્યાચાર સામે થવાની પ્રજામાં તાકત નથી. સ્ત્રીઓની ઈજ્જત પર હાથ નંખાય છે છતાં, શરમના માર્યા લોકો એવી વાત પ્રસિધ્ધ થાય એ ઈચ્છતા નથી.

વળી તલાટીઓને તાકીદે જપ્તીઓ કરી દેવાનો હુકમો મળી ચુક્યા છે. જલ્દીથી વસૂલ કરનારને પાઘડીની લાલચો અપાય છે. દુષ્કાળનું જ વર્ષ હોવાથી લોકો પર બેવડો માર પડ્યો છે.

સરકાર તો રૂઠેલી જ હતી, અને ઈશ્વર પણ રૂઠ્યો.

આ દુ:ખી સ્થિતિમાં લોકોની પડખે ઊભા રહેવાની અને તેમના દુ:ખ્માં ભાગ લેવાની ખાસ જરૂર છે. ગુજરાતના નવ જુવાનોને પ્રજાની સેવા કરવાની આ તક મળેલી છે. નાગપુર સુધી વહારે દોડનારા ગુજરાતના જુવાનો પોતાના જ પ્રાંતમાં પીડાતા ભાઈઓને વીલા મૂકી ન શકે. દરબારશ્રી ગોપાળદાસભાઈ બોરસદમાં સત્યાગ્રહ છાવણી નાખીને પડ્યા છે. જે સૈનિકો બોરસદ તાલુકામાં કામ કરવા ઈચ્છતા હોય તેમણે પ્રાંતિક સમિતિના મંત્રીને તાકીદે પોતાની અરજી મોકલી આપવી.

આ લડતમાં નાણાંની પણ જરૂર પડશે. મારી ઉમ્મીદ છે કે ગુજરાત જ બોરસદની લડતમાં જોઈતા નાણાં પુરા પાડશે. જે ભાઈઓ મદદ કરવા ઈચ્છતા હોય તેમણે ગુજરાત પ્રાંતિક સમિતિને પોતાનો ફાળો મોકલી આપવો. લડત શરૂ થઈ ચૂકી છે એટલે ઉતાવળથી મદદ કરવાની જરૂર છે.

સરદાર ખુબજ સારી રીતે જાણતા હતા કે લડતમાં જુસ્સો, લોકોનો આત્મવિશ્વાસ અને નાણાં ત્રણેય ની જરૂર છે. આ ત્રણમાંથી એક પણ નબળુ પડે કે લડત ભાંગી પડે પરંતુ તેમણે તેમની વાત કે અપીલમાં નાણાંને વધુ ભાર ન આપતા લોકોનો આત્મવિશ્વાસ અને જુસ્સો વધે તેના પર વધુ ધ્યાન આપ્યું.

આવા તો આપણા સરદાર .. સરદાર તમને કેવી રીતે અમે ભુલી શકીએ...!!!

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

Today That Day - Dandi March - 05-04-1930

દાંડી માર્ચ અંતિમ દિવસ ૦૫-૦૪-૧૯૩૦



દાંડી માર્ચની શરુઆત ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ થયેલ અને ૫ અપ્રિલ ૧૯૩૦ના રોજ આ સફળ સત્યાગ્રહે અંગ્રેજોના પાયા હચમચાવી દીધેલા, આજે તા ૫ એપ્રિલ ૨૦૨૧ના રોજ આ લેખ દ્વારા આ સફળતાની યાદોને વાગોળવી જોઈએ.

ખેડા જીલ્લાના કાર્યકરો હવે દાંડી કૂચમાં ટોળે ટોળાંમાં દેખાતા હતાં. રાસ ગામે સરદારની ધરપકડ થયા બાદ એક વાત તો નકકી થઈ ગયેલ કે રાસ અથવા દાંડી બન્નેમાંથી એક તો આ લડતનું કુરુક્ષેત્ર બનવાનું હતું. સરદાર પટેલને પકડીને રાસ ગામનું સન્માન સરકારે જ એક પ્રકારે કરી દીધેલ અને એક રીતે તો રાસ ગામને દેશ અને પરદેશમાં પ્રખ્યાત કરી દીધેલ હતુ. ગાંધીજીની યાત્રા રાસ ગામે પહોચી. બોરસદ થી રાસનો રસ્તો માણસોથી ભરાઈ ગયો હતો. અને ભાગોળ પાસે આવનાર દરેક ને જણાવતાં કે “ આ એ વડ જ્યાં સરદારને સરકારે ગિરફ્તાર કર્યા હતા” સરદાર તો બાપુની યાત્રાનો રસ્તો જોવા આવેલ અને ભાષણ આપવાની કોઈ વાત જ નહોતી. પરંતુ લોકોના આગ્રહને વશ થઈ કાંઈક કહેવાનો વિચાર કરેલ પણ સરકારે નાટક ભજવી સરદારને ન બોલવાનો હુકમ આપ્યો. આમ કાંઈ સરદાર માને તેવા નહોતા અને તેમણે સરકારના હુકમને ફગાવી દીધો. આથી સરકારે વલ્લભભાઈ પટેલ (સરદાર પટેલ)ને પકડ્યા અને બોરસદ જેલ લઈ ગયા ત્યાથી તેમને ત્રણ માસની સજા કરી સાબરમતી જેલ મોકલવામાં આવ્યા. રાસમાં ગાંધીજીએ કાંઈ વધારે કહેવા જેવું હતુ જ નહી સરદારની ધરપકડે જ માહોલ બનાવી દીધેલો. સરદારને  પકડ્યા તે વડ નીચેથી જ ગાંધીજીએ સરકારને પડકારતું ભાષણ કર્યુ. :

        આજે અમે એ તાલુકામાં પ્રવેશ્યા કે જે તાલુકામાં સરદાર વલ્લભભાઈને પકડવામાં આવ્યા હતા અને કેદની સજા થઈ હતી. અને જે તાલુકામાં સરદારે ૧૯૨૪માં એક જંગી લડત ચાલાવી હતી જેને સરકારે પોતાની ભુલ કબુલી હતી,

        સરદારને ત્રણ માસની જેલ આપવાથી લોકો ડરી જશે અને દબાઈ જશે તેમ સરકારે માન્યું હશે પણ હજારોની સંખ્યામાં અહી તમે લોકો આવ્યા છો તે ઉત્સવને મનાવવા આવ્યા હોય તેમ લાગે છે. મને અને મારા સાથીઓને પકડી જાય તો ઉત્સવ માનજો. બોરસદની હાઈસ્કુલમાં તો સરકારનો ગઢ તુટ્યો છે. અનેક મુખીઓ એ થોકબંધ રાજીનામાં આપ્યા છે.

૧૨ માર્ચ, ૧૯૩૦ ના રોજ, ગાંધી અને આશરે ૭૮ પુરૂષ સત્યાગ્રહીઓ સાબરમતી આશ્રમમાં તેમના પ્રારંભિક સ્થાનથી ૩૯૦ કિલોમીટરના અંતરે, દાંડી, કાંઠાના ગામ માટે પગપાળા નીકળ્યા. ધ સ્ટેટસમેનના જણાવ્યા મુજબ, સત્તાવાર સરકારી અખબાર જે સામાન્ય રીતે ગાંધીના કાર્યોમાં હંમેશા લોકોના ટોળા પોતાનો ભાગ ભજવે છે, આશરે ૧૦૦૦૦૦ લોકોએ રસ્તા પર ભીડ ઉભી કરી હતી જેણે સાબરમતીને અમદાવાદથી અલગ કરી દીધી હતી. ૨૧ કિલોમીટરના પ્રથમ દિવસની કૂચ અસ્લાલી ગામમાં સમાપ્ત થઈ હતી, જ્યાં ગાંધીએ આશરે ૪૦૦૦ લોકોની ભીડ સાથે વાત કરી હતી. અસ્લાલી ખાતે, અને માર્ચમાંથી પસાર થતાં અન્ય ગામોમાં સ્વયંસેવકોએ દાન એકત્રિત કર્યું, નવી સત્યાગ્રહી નોંધણી કરી અને ગામમાંથી રાજીનામું મેળવ્યું અધિકારીઓ કે જેમણે બ્રિટિશ શાસન સાથે સહકાર અંત કરવાનું પસંદ કર્યું.

તેઓ દરેક ગામમાં પ્રવેશતા જ, ટોળાએ ઢોલ, નગારા અને તોરણ પટ્ટીઓ મારી સત્યાગ્રહીઓને આવકાર્યા. ગાંધીએ મીઠાના કરને અમાનુષી ગણાતા ઘણા ભાષણો આપ્યા હતા, અને મીઠા સત્યાગ્રહને "ગરીબ માણસની લડાઇ" ગણાવી હતી. દરરોજ રાત્રે તેઓ ખુલ્લામાં સૂતા, ગ્રામજનોને સરળ ખોરાક અને આરામ કરવા અને ધોવા માટેના સ્થળ સિવાય કશું પૂછતા. ગાંધીને લાગ્યું કે આ ગરીબોને આઝાદીની લડાઇમાં લાવશે, જે અંતિમ વિજય માટે જરૂરી છે.

હજારો સત્યાગ્રહીઓ અને સરોજિની નાયડુ જેવા નેતાઓ તેમની સાથે જોડાયા. દરરોજ, વધુને વધુ લોકો કૂચમાં જોડાયા હતા. સુરતમાં તેઓને ૩૦૦૦૦ લોકોએ શુભેચ્છા પાઠવી હતી. જ્યારે કેટલાય લોકો તો દાંડી ખાતે ટ્રેનમાં બેસવાની જગ્યા ન હોવાના કારણે ટ્રેનના ડબ્બા પર બેસીને પહોંચ્યા ત્યારે ૫૦૦૦૦ થી વધુ લોકો એકઠા થયા હતા. ગાંધીએ ઇન્ટરવ્યુ આપ્યા અને રસ્તામાં લેખ લખ્યા. વિદેશી પત્રકારોએ યુરોપ અને અમેરિકામાં આ સત્યાગ્રહ વિશે ઘણું લખ્યું. ન્યુ યોર્ક ટાઇમ્સે મીઠા સત્યાગ્રહ વિશે લગભગ દરરોજ લખ્યું હતું, જેમાં ૬ઠ્ઠી એપ્રિલ અને ૭મી એપ્રિલના બે લેખ જે મુખ્ય પાન પર છપાયેલ  છે. કૂચના અંતમાં ગાંધીએ ઘોષણા કરી હતી કે, આ હક્ક્ની લડાઈમાં મને વિશ્વની સહાનુભૂતિ જોઈએ છે.

૫મી એપ્રિલના રોજ દરિયા કિનારે પહોંચ્યા પછી, એસોસિએટેડ પ્રેસના પત્રકાર દ્વારા ગાંધીની મુલાકાત લેવામાં આવી હતી:

માર્ચ દરમ્યાન તેઓ દ્વારા અપનાવવામાં આવેલી સંપૂર્ણ બિન-દખલની નીતિ માટે હું સરકાર તરફથી મારી ખુશામત રોકી શકતો નથી. હું ઇચ્છું છું કે હું માનું છું કે આ બિન-દખલ હૃદય અથવા નીતિના કોઈ વાસ્તવિક પરિવર્તનને કારણે હતી. વિધાનસભાની લોકપ્રિય લાગણી પ્રત્યેના તેમના દ્વારા બતાવવામાં આવેલી અણગમો અને તેમની ઉચ્ચતર પગલાથી શંકાની કોઈ જગ્યા નથી કે ભારતના શોષણની નીતિને કોઈપણ કિંમતે ટકાવી રાખવામાં આવે છે, અને તેથી માત્ર એક જ અર્થઘટન હું મૂકી શકું. આ બિન-દખલ એ છે કે બ્રિટીશ સરકાર, શક્તિશાળી હોવા છતાં, તે વિશ્વના અભિપ્રાય પ્રત્યે સંવેદનશીલ છે, જે આત્યંતિક રાજકીય આંદોલનનું દમન સહન કરશે નહીં, જે નાગરિક અસહકાર નિ:શંકપણે છે, જ્યાં સુધી અવગણના નાગરિક રહે છે અને તેથી તે અહિંસક છે. એ જોવાનું બાકી છે કે આવતીકાલથી અસંખ્ય લોકો દ્વારા મીઠાના કાયદાઓનો વાસ્તવિક ઉલ્લંઘન તેઓએ સત્યાગ્રહને સહન કર્યું હોવાથી સરકાર સહન કરશે કે કેમ તે એક પ્રશ્ન છે.

બીજા દિવસે સવારે, પ્રાર્થના પછી, ગાંધીએ ખારા(મીઠાના) કાદવનો ગઠ્ઠો હાથમાં લીધો અને જાહેર કર્યું કે, "આની સાથે, હું બ્રિટીશ સામ્રાજ્યનો પાયો હલાવી રહ્યો છું." તેમણે તેમના હજારો અનુયાયીઓને દરિયા કિનારે મીઠું બનાવવાનું શરૂ કરવા જણાવ્યું, “જ્યાં પણ અનુકુળ હોય ત્યાં” અને ગામલોકોને જરૂર પડે તો ગેરકાયદેસર રીતે પણ મીઠું બનાવવાની સૂચના આપતી વિનંતી કરી.

આ સાથે સાથે દાંડી કૂચ વખતે વાઈસરોય ઈરવીનની શું હાલત હતી તે વર્ણવતો એક હાસ્યાસ્પદ વિઠ્ઠલભાઈ પટેલ સાથે પણ જોડાયેલ છે. જેમાં સવાર સવારમાં વાઈસરોયનો નોકર વાઈસરોય પથારીમાંથી ઉઠતાની સાથે જ છાપું તેમના હાથમાં મુક્યું જેમાં મથાળું હતું કે : “ગાંધીજીની દાંડી કૂચ, જગતનો અદ્દ્ભુત બનાવ. મુખીઓએ ફગાવી દીધા મુખી પદ. ડોલી રહેલ અંગ્રેજ રાજ્ય” 

આવા મથાળાં વાંચતાં વાઈસરોયની અંદર છુપાયેલ સામ્રાજ્યવાદી અંગ્રેજ ઝબ્ક્યો અને પોતાનો અહંમ ઘવાયેલ સ્થિતિમાં લાલઘુમ થઈ ચપરાસી રોબર્ટ્સને બુમ મારી બોલાવ્યો અને કહ્યું અંગત મંત્રી, રાજદ્વારી મંત્રી અને ગૃહમંત્રીને બોલાવો. અને સાથે સાથે ઈવાન્સ નામના ચપરાસીને બોલાવીને કહ્યું હમણાંને હમણાં પ્રેસીડેન્ટ પટેલ (વિઠ્ઠલભાઈ પટેલ)ને બોલાવો. અને ત્યારબાદ વાઈસરોય ખુરશીમાં બેસી છાપાં વાંચવા લાગ્યા. જ્યાં જુઓ ત્યાં જે છાપું ખોલો ત્યાં બસ ગાંધી જ ગાંધી જ તેના સિવાય બીજી વાત નહોતી. આશરે કલાક પછી વિઠ્ઠલભાઈ પટેલ ઈરવીનના ખંડમાં આવ્યા અને તરત વાઈસરોય બોલ્યાં “મિ. પટેલ, આ ગાંધીએ તો દેશને સળગાવી મૂક્યો. જગતના બધાં જ સમાચાર પત્રો એજ સમાચારથી ભરેલાં છે. મારે હવે સત્તા વાપર્યા વિના છૂટકો જ નથી. એ માણસ તો અંગ્રેજી સામ્રાજ્યની જડ ખોતરવાની વાતો કરી રહ્યો છે.”

વિઠ્ઠલભાઈ તો સઘળી હકીકતથી વાકેફ તો હતાં જ આથી તેમણે ઠંડે કલેજે ઠાવકે મોઢે કહ્યુ “નામદાર, તમે નાહક ગભરાઓ છો. આ તો એ ડોસાનો પોતાના બળનું પ્રદર્શન છે. આ મહિનો રખડી ખાશે. નાનાં નાનાં પડીકામાં મીઠું વેચશે. દાંડી જશે. બીજું કરશે શું? અને તેમાંય કાંઈક ચૌરીચોરા જેવું છમકલું થયુ કે પાછી પીછેહથ નક્કી.. એમ તે કાંઈ સામ્રાજ્યો ઊથલ્યા છે? સામ્રાજ્યો તો અહીં ધારાસભામાં ઊથલે કે રણમેદાને ઊથલે.”

આવા શબ્દોથી વાઈસરોયને ટાઢક વળી અને થયું કે બે ભાઈઓમાંથી એક તો આપણી પડખે છે! એમ વિચારી વળતું વિઠ્ઠલભાઈ ને પુછ્યું પટેલ તમારી શું સલાહ છે.?

વિઠ્ઠલભાઈ એ કહ્યુ મારી સલાહ તો છાનામાના બેસીને જોયા કરવું. છાપાં વાંચીને તેમના દોરાયા દોરાવું નહી. આમ આ વાત પછે ગપ્પા ગોષ્ટી થઈ અને બન્ને છુટાં પડ્યા. 


sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel, sardar s,

© all rights reserved
SardarPatel.in