January 2019 | Vithalbhai Patel, Sardar Patel
January 2019
#atulyavarso #gandhiji #hindumigration #hindustan #independenceday #india #karamsad #kashmir #migration #patelnekahatha #quotesbysardarpatel #quotesofsardarpatel #sardarpatel #sardarvallabhbhaipatel #somnath #statueofunity #teamkaramsad #vallabh #vallabhbhai #vallabhbhaipatel #veersardarsena #vithalbhaipatel #westbengal #सोमनाथ #કરમસદ #વીરસરદારસેના 1 aurangzeb road 12-June-1928 15th August 1947 15th December 1950 16 July 1934 26 january 2nd october abdul bari about sardar vallabhbhai patel africa aga khan ahmedabad AICC akhand bharat allah baksh amaresh ambedkar amrit kaur amrita bazar patrika amul arrested indian leaders article 370 aruna asaf ali atulya varso ayurved ayurvedic medicine balkrishna sharma banwari lal bardoli bardoli satyagrah Bardoli Satyagraha baroda baroda state basanta kumar das bhaikaka bhailalbhai patel bhaktiba bharat bhavnagar bhikhabhai bhikhakaka bhil conference bochasan bombay Bombay Chronicle bombay legislative council bombay ministry books on sardar patel borsad borsad satyagraha boycott foreign cloth boycott viceregal visit bratain british india British Policy in India in 1945 british provinces budget c r das c rajagopalachari central assembly elections central jail chandra bhanu gupta charutar education society Chittagong Chronology of Sardar Patel's Jail Term civil disobedience communal riots congress congress government congress hierarchy congress leaders list Congress Party Constitutient Assembly Debates constitutional assembly cutch dahod dahyabhai patel dandi march dandi yatra dar-e-salaam Darbar Gopaldas daughter of patel delhi Delhi debate Deshbandhu Chitta Ranjan Das devendra patel dewan of rajkot dharm Dinsha Mehta Do You Know documentary film dr. kedd dr. ravindra kumar drawing of sardar vallabhbhai patel east africa economic ekta end of british rule england essay on sardar vallabhbhai patel european farmers featured first president of india flag satyagraha future citizenship g v mavalankar gaandheeji a dictator gadgil gandhi gandhi and jawahar gandhi jayanti Gandhi Majoor Samiti gandhiji Gandhiji’s Letter to Sardar Vallabhbhai Patel gandhiji's speech germany government government of india governor great leaders of india h m patel happy new year happy republic day harijan bandhu hidayatulla cabinet hindi language hindu marriage hindu marriage act hindu marriage bill hindu muslim Hindustan Hindustan Mazdoor Sevak Sangh hindustan times history tv 18 How to Draw Sardar Vallabhbhai Patel step by step Hyderabad Hydrabad ideal village important leaders of indian national congress Independence Day india india's partition indian Indian Army indian bill indian budget indian great leaders Indian Independence Day indian leaders Indian shipping indian states Indian Statesman Indian Union indulal yagnik Interim Government Iron man of India jail jaisalmer jammu Jammu And Kashmir Jamnalal jamnalal bajaj jamshedpur jawaharlal jawaharlal nehru jawaharlal nehru's mother jayantilal amin jehangir tata jhanda satyagrah jhaverbhai Jinnah jivraj mehta jodhpur john matthai jrd tata junagadh kabir kaira kakasaheb kakasaheb kalelkar kantibhai patel karamsad Karamsadian kashmir Kashmir Problem kashmir visit kasturba kelkar khan abdul ghaffar khan kheda satyagraha kheda visit kripalani kriplani kutch Lala Lajpat rai lala lajpatrai lawyer legislative Lele liaquat ali khan lincoln's inn lok seva trust london Lord Helifax lord linlithgow lord lytton Lord Mountbatten lord reading M R Jayakar mad elephant madras madras premier mahadev desai Mahadevbhai Desai mahagujarat maharaja Maharaja Harisinh mahatma Mahatma Gandhi mahatma gandhi essay mahatma gandhiji manben patel Maniben Patel Maulana maulana abul kalam azad maulana azad maulana mahomed ali mavalankar mayor mayor of mumbai medicine mehar chand mahajan michael brecher middle temple Ministry modern marvel mohan parikh morarji desai Motilal Nehru mountbatten mumbai muslim league naarayan desai nadiad nagpur nagpur university nairobi narayan dev nariman national herald nationalism navjivan navy revolt nehru News Paper Nizam nizamuddin non-violence organizer of freedom pandit jawaharlal nehru pandit jawaharlal nehru speech pandit jawaharlal nehru speech in hindi pandit mandan mohan malaviya Pandit Nehru parliamentary partation Patel patel sardar patel vallabhbhai Plan of Action postage stamp president of india president of the bombay municipal corporation president vithalbhai patel prime minister princely states pyarelal Quotes by Sardar Patel Quotes of Sardar Patel rabindranath Rajagopalachari rajaji rajendra prasad rajguru rajkot rajkot dewan rajkot gujarat rajkot maharaja Ramchandra Kak Rashtriya Ekta Diwas ravi shankar maharaj ravindra kumar republic day residence of sardar patel respionsible monarchy revolt Rowlatt Satyagraha royal navy sabarmati sabarmati ashram Sabarmati Ashram's Library sadhu safeguard cutch salt satyagrah sampraday sar patel saradar vallabhai patel saradar vallabhbhai patel Sarat Chandra Bose sardar sardar balabh patel sardar chandulal shah sardar jyot sardar pate sardar patel sardar patel birthday sardar patel death sardar patel family sardar patel poem sardar patel quotes sardar patel song sardar patel speech sardar patel speeches sardar patel statue Sardar Patel Treatment Sardar Patel vithalbhai sardar patel's letter sardar patel's speech sardar s sardar vallabh bhai patel sardar vallabh patel sardar vallabhai patel sardar vallabhbhai sardar vallabhbhai patel sardar vallabhbhai patel biography sardar vallabhbhai patel drawing sardar vallabhbhai patel history in hindi sardar vallabhbhai patel ki jivani sardar vallabhbhai patel ppt sardar vallabhbhai patel statue sardardham sardarpatel school scindia steam navigation company Secularism Self Appreciation servants of india shahid bhagatsingh sheikh abdulla Sheikh Abdullah simla sindh ministry Sir Harcourt Butler Sir Ibrahim Rahimutulla somnath somnath temple songs during bardoli satyagrah speech of sardar vallabhbhai patel speeches statue of unity Subhash Chandra Bose sukhdev surat swaminarayan swaraj swarajya tanganyika tata Tata Worker's Union Team Karamsad thakore sahib Today That Day Tribal tribhuvandas patel tribute unani union Leader unity v j patel v. j. patel vadodara vallabh vidyanagar vallabha vidyanagar vallabhai patel vallabhbhai vallabhbhai patel vallabhbhai patel was cremated in veervithalbhai Viceroy vidyanagar violence viravala vithalbhai Vithalbhai Patel wavell when sardar patel died who is known as iron man of india wild elephant world war worldwar yerwada jail अंबेडकर आत्म प्रशंसा एकता कस्तूरबा काश्मीर खेडूत गांधी गांधीजी जवाहर लाल जवाहरलाल तानाशाह नेहरु नेहरू पटेल बी. आर. अंबेडकर मणिबेन मणिबेन पटेल मणिबेन पटेल मौलाना विठ्ठलभाई पटेल शेख अब्दुल्ला समाचार पत्र सरदार पटेल सरदार पटेल और काश्मीर समस्या सरदार पटेल का परिवार सरदार वल्लभभाई पटेल सरदार वाणी सुभाषचंद्र बोस सैयद अली शफात अहमद खान जहीर सोमनाथ सोमनाथ मंदिर हिंदुस्तान આત્મ પ્રશંસા આંબેડકર એકતા કટ્ટરવાદી કરમસદ કાકાસાહેબ કાલેલકર કાશ્મીર કોંગ્રેસ ખુશામતખોરો ગાંધી ગાંધીજી ગોરધનભાઈ પટેલ જનક જી વી માવળંકર જુનાગઢ ઝવેરભાઈ દરબારશ્રી દાંડીકૂચ દિલ્હી ધર્મ નરહરિ પરીખ નાગપુર ઝંડા સત્યાગ્રહ નારાયણ દેસાઈ નિઝામુદ્દીન ઓલિયા નેહરુ નૌકાદળનો બળવો પટેલ સરદાર પુસ્તકાલય બંધારણ સભા બારડોલી બારડોલી દિન બારડોલી દિવસ બારડોલી સત્યાગ્રહ બિપિનચંદ્ર પાલ બેરિસ્ટર બોરસદ સત્યાગ્રહ ભક્તિબા ભારત ભારતીય નૌકાદળ મણીબેન પટેલ મહાગુજરાત ચળવળ મહાદેવ દેસાઈ માવળંકર મુસલમાન મોહન પરીખ મોહમ્મદ અલી ઝીણા રવિશંકર મહારાજ રાજેંદ્ર પ્રસાદ રોયલ નેવીનો બળવો વલ્લભ વિદ્યાનગર વલ્લભભાઈ વલ્લભભાઈ પટેલ વિઠ્ઠલભાઈ વિઠ્ઠલભાઈ પટેલ વિભાજન વિશ્વયુધ્ધ શંકર શરત ચંદ્ર બોઝ સંપ્રદાય સરદાર સરદાર જ્યોત સરદાર પટેલ સરદાર પટેલનું ગીત સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વાણી સરદાર સાહેબ સરદારશ્રી સંસદીય પ્રથા સાબરમતી સાબરમતી આશ્રમ સાબરમતીના સંત સુભાષચંદ્ર સોમનાથ સ્વરાજ સ્વરાજ્ય હૈદરાબાદ

સરદાર પટેલ અને મૌલાના વચ્ચે થયેલ અનબન ના કારણે સરદાર પટેલ અને ગાંધીજી વચ્ચે જે ગેરસમજ પેદા થયેલ તે સંદર્ભે  સરદાર પટેલે શરતચંદ્ર બોઝ-કલકત્તા ને તા. ૯ ફેબ્રુઆરી ૧૯૪૬ના રોજ લખેલ પત્ર ખુબ જ મહત્વપુર્ણ છે.

પ્રિય શરત,

મને ટુંડલાથી તમે મોકલેલ ૮ જાન્યુઆરીનો તાર મળ્યો, જેમાં પંજાબની મુલાકાત દરમ્યાન તમારા વિચારો પ્રગટ થયેલ છે. જ્યારે મને તમારો તાર મળ્યો, તો તે સમયે પંજાબ પ્રાંતિય કોંગ્રેસ સમિતિના એક મુખ્ય સદસ્ય હાજર હતા અને આ બાબતે વિસ્તારથી વિચારવિમર્શ કરી રહ્યા હતા. મે તમારા વિચારો બાબતે તેમને સલાહસુચન કર્યા. જ્યા સુધી નાણાકિય જરૂરિયાતો નો સંબંધ છે, તે બાબતે સહમતિ નથી થયેલ અને મે તેમને કહ્યુ કે તેઓ કોઈ સહાયતા જોઈએ તો તે બધાએ સાથે મળીને એક સહમતિ થવી જોઈએ.

બીજી બે અન્ય બાબતો છે, જે વિષે મારે તમારી સાથે સમજવી છે. પહલી શમસુદ્દિન વિષે છે, જેના વિષે જાણકારી મળી છે કે તેઓ લીગમાં શામિલ થઈ ગયા છે. જે બાબતે પાછળથી સમાચાર પત્રોમાં પણ પ્રકાશિત થયેલ છે કે તેમના સામે એક બેંકમાં ગેરરીતી આચરવા બાબતે વોરંટ જાહેર થયેલ છે. આ બહુ આશ્ચર્યજનક છે.

મને જાણકારી મળી છે કે મૌલાના ઈચ્છે છે કે શમ્સુદ્દિનની જગ્યાએ અશરફુદ્દિન પ્રભારી બને અને તેઓ તેમને નાણાકીય બાબતોમાં પુરી આઝાદી આપવા માંગે છે. તમને આ વ્યક્તિ માટે ખાતરી નથી અને તમે તેમની ઉપર વિશ્વાસ નથી કરતા, એટલા માટે તમને સભ્ય ચુંટવાની કમિટીમાંથી હટાવવામાં આવ્યા. તે એક કોંગ્રેસી છે તો તેઓ એક સ્વતંત્ર મુસ્લિમ કમિટીની રચના શા માટે કરવા માંગે છે? એવું પ્રતિત થાય છે કે તેઓ એક સ્વતંત્ર સંસ્થાની એટલા માટે સ્થાપના કરવા માંગે છે, કે જેથી તેઓ પોતાની મનમાની કરી શકે, સ્થિતિને પોતાના કાબુમાં કરવાની કોશિષ કરી રહ્યા છે. પ્રફુલ્લબાબુ આ વ્યવસ્થાથી સંતુષ્ટ નથી અને નથી સીતારામ સેકસરિયા પણ. મૌલાનાની ઈચ્છા છે કે તમારી સમિતિ તેમને ખુબ મોટી માત્રામાં ધન આપે, પરંતુ આ બન્ને આ માટે તૈયાર નથી, જેના કારણે નિર્ણય નથી કરાયો.

તે પછી, મને મૌલાનાનો એક પત્ર મળ્યો, જેમા તેમણે શિકાયત કરી કે મે કલકત્તામાં તેમની સાથે ચર્ચા કર્યા વગર તેમની ગેરહાજરીમાં જાતે જ નાણાકીય સમિતીની રચના કરી અને તેથી તેઓ મુસલમાનોની ચુંટણી બાબતે તેમની યોજના અનુસાર કામ નથી કરી શકતા. આથી જ તેઓ કહે છે કે મામલો બગડે તો તેઓ જવાબદાર નથી. મે તેમને આ બાબતે લખ્યુ છે કે મને એક અલગ નાણાકીય સમિતિ બનાવવા બાબતે કોઈ જ જાણકારી નથી અને મે આ બાબતે કાંઈ સાંભળ્યુ પણ નથી. આ બધુ શુ ચાલે છે તે હું સમજતો નથી. જો તમારી પાસે કોઈ જાણકારી હોય, તો મહેરબાની કરી મને જાણાવો.

તેમણે મને કલકત્તાથી તાર મોકલેલ કે હું સીતારામ ને એક લાખ રૂપિયા મોકલુ અને મે આ બાબતે વ્યવસ્થા કરી દીધી છે.

જો તમે સાવધાન નહી રહો, તો કેંદ્રિય એસેમ્બલીની ચુંટણીનો અનુભવ ફરી થશે અને જો આપણે શમસુદ્દિન અને અશરફુદ્દિન જેવા લોકો સાથે સોદો કરવો પડશે તો ભગવાન જ આપણી સહાયતા કરશે!

તમારે આંતરિયાળ વિસ્તારોમાં જરૂર જવુ જોઈએ, કે જ્યા મુસ્લિમ ચુંટણીઓ માટે જે જીલ્લાઓ આપણા માટે અનુકુળ છે અને સાથે સાથે જે રિપોર્ટ મળે છે, તે સાચા છે કે નહી તેની પણ ખાતરી કરવી.

આજે મૌલાનાનો એક તાર મળ્યો, જેમાં જણાવ્યું છે કે સમિતિની મીટીંગની તારીખ ૧૯ની જગ્યાએ બદલીને ૧૬ કરી રહ્યા છે. તેમણે તારીખ બદલવા માટે કોઈની સલાહ નથી લીધેલ અને જાતેજ આ નિર્ણય લીધેલ છે. તમે મને લખ્યુ હતુ કે તમારે પ્રસ્તાવ મંજુર કરવા માટે તા. ૧૬ સુધી બેસવુ પડશે. એટલે, હુ નથી જાણતો કે તમે ૧૬મી એ દિલ્હી આવી શકશો કે નહી.

મને આશા છે કે તમે તંદુરસ્ત હશો.

આપનો
વલ્લભભાઈ પટેલ.


ફોટો સૌજન્ય : વીકીપીડીયા તથા ફોટો ડીવિઝન - ભારત

Sardar Patel and Secularism

સરદાર જ્યાં સુધી જીવતા રહ્યાં ત્યાં સુધી ભારતની અખંડિતતા અને એકતાને બચાવવા જે કાંઈ કરવું પડે તે દરેક કાર્ય કર્યા. ભારત વિભાજનનો નિર્ણય હકીકતમાં અયોગ્ય હતો અને તેઓ આ આઘાતમાંથી પોતાના અંતિમસમય સુધી બહાર આવી ન શક્યા. તેમને લાગ્યું કે આપણે એક અને અવિભાજીત છીએ તે જ વાસ્તવિકતા ભાગલાથી નષ્ટ થઈ જશે. “સમુદ્ર કે નદીઓના ક્યારેય ભાગ પાડી શકાય નહી. જ્યાં સુધી મુસ્લિમોનો સવાલ છે, તો તેઓના મૂળ, તેઓના પવિત્ર સ્થાનો અને ધાર્મિક સ્થળો અહીંજ છે. મને નથી ખબર કે તેઓ પાકિસ્તાન જઈને શું કરશે.”
Dargah Khwaja Nizamuddin New Delhi

વિભાજન પછી પણ સરદારે કહ્યું કે “મને સાંભરે છે કે કઈ રીતે વર્ષોની યાતના ભોગવીને લાંબી લડત આપ્યા બાદ ભારતે વિદેશી શાસનના પાયા હલાવી દઈને સ્વાતંત્ર મેળવ્યું છે. અમે સહુ જેમણે આ સંગ્રામમાં હિસ્સો લીધો તેમણે એવા વિચાર સાથે ભાગ લીધો હતો કે સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ, ભારતમાં એક સારી સરકાર સત્તાસ્થાને આવશે. જ્યારે અમે ભાગલાનો સ્વીકાર કર્યો, ત્યારે એવી સનિષ્ઠ ઈચ્છાથી કરેલો કે કદાચ તેમ કરવાથી પ્રગતિને અશક્ય બનાવી દેનાર બાબતોથી અવરોધ પામ્યા વિના બન્ને દેશ પોતપોતાની રીતે મુક્તપણે વિકાસ સાધી શકશે. તેની સાથોસાથ, પાકિસ્તાનને અમે શુભેચ્છાઓ પાઠવી હતી અને અમે આશા સેવતા હતા કે પરિસ્થિતિ થાળે પડતાં, જ્યારે તેઓને એમ ખ્યાલ આવે કે આપણે ખરેખર ભાઈઓ છીએ અને ભિન્ન ધાર્મિક વિચારો અને આદર્શોમાં વહેંચાયેલા બે અલગ રાષ્ટ્રો નથી, ત્યારે તેઓ આપણી પાસે પાછા ફરશે.”

NIZAMUDDIN, NEW DELHI
સરદાર હંમેશા કટ્ટરવાદીઓના વિરોધી રહ્યા એ ભલે પછી હિંદુ હોય કે મુસલમાન તેમના માટે કટ્ટરવાદી એટલે બધા સરખા અને દરેક કટ્ટરવાદીઓ કે જેઓએ દેશની શાંતિ ડહોડવાનો પ્રયાસ કર્યો તેનો હંમેશા તેમણે પુરા જોશથી વિરોધ કર્યો. ધર્મઝનૂની હિંદુઓનો શિકાર બનેલા નિર્દોષ અને નિરાધાર મુસ્લિમોને રક્ષણ આપવામાં નિષ્ફળ ગયેલા સરકારી અને પોલીસ અધિકારીઓને પાછળ પડી જઈને સરદારે કામે લગાડ્યા હોય તેવા તો અનેક કિસ્સાઓ છે. વી. શંકરેની નોધ મુજબ દિલ્હીમાં નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પર જ્યારે તોફાનીઓએ કબ્જો જમાવ્યો ત્યારે તેને બચાવવા સરદાર પોતે ખભે શાલ વીટાળીને પોતાના મદદનીશને કહ્યુ કે, 
સંતનો પ્રકોપ આપણા પર ઊતરે તે પહેલાં જ આપણે એમની પાસે જઈએ.
એમ કહી તેઓ દરગાહ પહોચ્યા હતા. આ પવિત્ર દરગાહ ફરતે તેમણે પૂજ્યભાવ સાથે સઘળું જાતે નિરીક્ષણ કર્યું, આસપાસના લોકો પાસેથી જરૂરી પૂછપરછ કરી ફરજ પરના પોલીસ અધિકારીઓને કડક શબ્દોમાં સાબદા કર્યા કે જો કાંઈ પણ વધુ ગરબડ થઈ તો તેમને ફારેગ કરવામાં આવશે, દરગાહ પર આશરે એકાદ કલાક ગાળ્યો.

સૌજન્ય : સરદાર પટેલ અને ભારતિય મુસલમાનો
ફોટો સૌજન્ય : ફોટો ડીવિઝન - ભારત સરકાર

ALL INDIA CONGRESS PARLIAMENTARY COMMITTEE

Appeal issued by Sardar Patel & Nehru

Congress House, Bombay
Dt. 8th October 1936

The following appeal has been issued by Pandit Jawaharlal Nehru – President – Indian National Congress, and Sardar Vallabhbhai Patel – President – All India Congress Parliamentary Committee:

“In the election manifesto the Congress has stated its general policy and programme and appealed to the nation to support it in the coming elections. The appeal has been confidently addressed to all classes of our people who stand for the complete freedom of our country. On that fundamental basis, the Congress offers a national platform to our countrymen and a united front against the forces that work for the continued domination and exploitation of India. In this national campaign, the Congress expects the willing co-operation and help of all; each giving that help according to his capacity. Ours is a mass organization and it derives its strength from the mass of the people and it relies on them for support. It is also on this broad popular basis that we desire to fight the elections. The preliminary work of setting up the machinery for organizing these elections and for setting up proper candidates on behalf of the Congress has been completed. But we have to approach over three million voters and contest about 1500 seats in constituencies spread over the vast country from one end to the other. It is a huge task and for this purpose, our organizations will require money. For the general propaganda of the Congress alone, we will require large sums of money. Besides, it will be necessary to give financial help to some candidates who cannot bear their expenses particularly those of the Scheduled and Backward Classes and to areas suffering from starvation and scarcity due to natural calamities or other causes. Those who are in a position to meet their expenses are expected to do so.

To our people, therefore, we appeal to subscribe to the election funds of the Congress, so that the message of the Congress may reach each voter and the remotest corner of our vast country, and the success of the Congress at the elections be otherwise assured.

We suggest for this purpose that a special fortnight be devoted to this work all over India, to the collection of funds for the elections and to the broadcasting of the Congress message. We fix the fortnight beginning from November First, 1936 for this purpose. All Provincial Committees should make arrangements through their subordinate Committees and otherwise, for these collections to be made on the widest scale during the first half of November. With these collections must always go the message of the Congress, of Indian freedom, of the ending of our exploitation. Thus we shall build up our campaign on the solid and enduring basis of popular support.”

Jawaharlal Nehru
Vallabhbhai Patel

Reference: The Selected Works of Maulana Abul Kalam Azad

Stoned in Vadodara and Sardar Patel

સરદાર પટેલ ની વડોદરાની સભામાં થયેલ ધમાલ

૨૦મી જાન્યુઆરી ૧૯૩૯ના દિવસે સરદારશ્રીના માનમાં વડોદરામાં જે સરઘસ નીકળ્યું હતુ તે ઉપર ગુંડાઓને રોકીને પથરા ફેંકાયા હતા. ગુંડાઓએ તો સભા મંડપ પણ બાળી નાખ્યો હતો. આથી સરદારશ્રીની સભા બીજા દિવસે અલકાપુરીમાં થઈ. તે સભા પુરી થતા જ રાજ્યે રોકી રાખેલા ગુંડાઓ તોફાને ચડ્યા હતા. તે રાત્રે કોઈ અજાણ્યા માણસે એક વિદ્યાર્થીનું ખંજર મારીને ખૂન કર્યું હતુ. આ ખૂનને કોમી રંગ લાવવાનો પ્રયાસ થયો અને સતત ત્રણ દિવસ સુધી તોફાનો ચાલુ રહ્યા હતા. લોકો પર છડેચોક હુમલાઓ થયા પણ રાજયની પોલીસે આ તોફાનો કાબૂમાં લેવા કોઈ પ્રયત્ન કર્યો ન હતો. આ તોફાનોની બાબતમાં તપાસ કરવા માટે રાજ્ય સરકારે તા. ૬ઠ્ઠી એપ્રિલ ૧૯૩૯ના રોજ એક કમિટી નીમી હતી. પરંતુ જે માણસોની દોરવણીથી આ તોફાનો થયા હતા તેમાથી કેટલાક કહેવાતા મોભાદાર માણસોએ દિલગીરી પ્રદર્શિત કરી હતી અને તપાસનું કામ આગળ ન ચલાવવા માટે વિનંતી કરી હતી. વાસ્તવિક રીતે વડોદરા રાજ્યના હાથ જ આમાં વધારે ખરડાયેલા હતા. એટલે આ પ્રકરણમાં ભીનું સંકેલવામાં આવ્યુ. આ પ્રસંગ સમયનો સરદાર સાહેબે બારડોલીથી મગનભાઈ શંકરભાઈ પટેલને લખેલ પત્ર વાંચવા જેવો ખરો.

તા. ૨૨-૦૧-૧૯૩૯
ભાઈ મગનભાઈ,

આજે પશાભાઈ પટેલને ટેલિફોન કરી ખબર કાઢ્યા ત્યારે જાણ્યું કે પેલો દીવાન સાહેબના બંગલા આગળ ઘાયલ થઈ મરી ગયેલો માણસ ગુજરાતી નહી પણ મહારાષ્ટ્રીયન હતો. આપણે જીતેલો દાવ હારવા જેવુ કાંઈક થયુ. એ શાથી અને કોનાથી મર્યો તે તો હવએ કેમ ખબર પડે? દીવનસાહેબ સુલેહશાંતિથી સભા બોલાવવા માંગે છે. ત્યાં સભ્યતાથી અને હિંમતથી ગુજરાતીઓની સલામતી નથી એવી વાત કરવી જોઈએ. જે રીતે પોલીસે વર્તન ચલાવ્યું અને જે રીતે આટલાં આટલાં તોફાનો જોયા કર્યા એ બધુ જોતા સુલેહની સભા બોલાવવા અંગે કોઈને કહેવાનું હોય તો તે ગુજરાતીઓને નહી. એ તો ચોર કોટવાળને દંડે એવુ થાય. એ બધુ દ્રઢતાથી કહેવું જોઈએ. 
જે મરી ગયો એને ગુજારાતીઓએ માર્યો એવું માનવાને કશું કારણ નથી. તોફાન કરનારાઓએ રાત્રે અંધારે ભૂલ કરી હોય અને ગુજરાતી જાણી માર્યો હોય એ બને. વળી જતા આવતા બહારના જેને પરિષદ સાથે કોઈ લેવા દેવા નથી તેવા સૌને રોકીને મારતા, લૂંટતા અને સતાવતા હતા. તેમાં કોમી ઝેર ફેલાવવાનો પ્રયત્ન કરનારાઓને રોકવા જોઈએ અને નહી રોકે તો એની જવાબદારી રહે. આપણા માણસોએ આ મરણથી ડરી જવુ ન જોઈએ. પણ સભ્યતા અને મક્કમતાથી જવાબ આપવા જોઈએ. પ્રજામંડળની ચાલતી બંધારણપુર્વક પ્રવૃતિઓ વિષે કાંઈ ઈશારો થાય તો એ સંબંધે સંભાળીને ઠીક જવાબ આપવા જોઈએ.

મને ખબર લખતા રહેજો.

લિ.
વલ્લભભાઈના વંદે માતરમ

Sardar Patel and Jayantilal Amin

જયંતિલાલ અમીનનો પશ્ચાતાપયુક્ત પત્ર અને સરદાર પટેલનો જવાબ

જયંતિલાલ અમીનનો તા : ૨૫-૧૧-૧૯૩૮ના રોજનો સરદારશ્રીને લખેલ પત્ર
પુજ્ય બાપુ,

આ પત્ર લખતાં પણ શરમાઉ છું કારણ કે કોઈ ગ્રહદશાના બળે આપના સંબંધમાં મારાથી એક એવું અપકૃત્ય થયુ છે કે હું આપની દયાને પાત્ર નથી રહ્યો. મે મારી ઊગતી જુવાનીથી આજ સુધી આપને દેવ તરીકે પૂજ્યા છે. આપના પ્રત્યે મારી કેવી લાગણી છે તે મે બારડોલી પ્રસંગના પાટીદાર માનપત્રમાં ઠાલવી છે.

આજે આપ માનશો નહી છતાં કેવલ પ્રભુ સાક્ષી છે કે મારે હાથે આપના સંબંધમાં જે જે અપકૃત્યો થયા છે તે કેવળ મારી મરજી વિરુધ્ધ થયાં છે. છેલ્લાં બે વર્ષથી હું પશ્ચ્યાતાપના જે અગ્નિમાં બળી રહ્યો છુ એની પીડા કેવળ મારુ હ્રદય સમજી શકે છે. મારી  જીવનસંધ્યાને આરે હું સર્વનાશ્ને આરે ઊભો છું ત્યારે મારા દિલમાં એક જ ઈચ્છા ઘર કરી રહી છે કે આપને ચરણે પડીને આપની ક્ષમા માગી લેવી. એક જ વખત આપ આપની સમક્ષ આવવાની આજ્ઞા આપો અને સ્વમુખે “તને ક્શમા આપી” એમ સંભળાવો ત્યારે જ મને શાંતિ વળશે.

ન ધારેલું અને ન થવાનું મારે હાથે થઈ ગયું છે. છેલ્લા બે વરસ દરમ્યાન મે ઘણું સહન કર્યુ છે. પત્ની ગુમાવી, ધંધો ગુમાવ્યો, પ્રતિષ્ઠા ગુમાવી અને શરીરસંપંતિ પણ ગુમાવી છે. મને તેનુ કાંઈ નથી. મે તેને પ્રભુએ દિધેલ શિક્ષા તરીકે માની છે. અને હજીયે વેઠવુ પડે તે હસ્તે મુખે વેઠવા તૈયાર છું. પણ આપની સન્મુખ આવીને માફી માગવાની અને મેળવવાની જીવનની એક જ આકાંક્ષા રહી છે.

છેલ્લા બે વર્ષથી મે જે સાંભળ્યુ છે, જાણ્યુ છે અને જોયુ છે તે ઉપરથી હંમેશા મને લાગ્યું છે કે મારી બધી મૂર્ખાઈ છતાં પણ આપના હ્રદયમાં મારે માટે દયાની લાગણી રહી છે અને તેથી જ્યારે જ્યારે કોર્ટમાં આપનો સામનો કરવો પડ્યો છે ત્યારે ત્યારે મને અપાર દુ:ખ થયું છે.

આથી આપના ફુરસદના સમયે આપની સમક્ષ આવવાની આજ્ઞા કરશો તો મારા હ્રદયને શાંતિ થશે.

એક પુત્ર પિતાની સમક્ષ ગમે તે સમયે આવી શકે છે તે હું જાણું છુ. હું પણ આપનો પુત્ર જેવો છું. એક પિતા ગેરરસ્તે ચડેલા પુત્ર પર પણ દયાની લાગણી રાખે છે અને એવી લાગણી સિવાય મારી આપને કશી વિનંતી નથી.

આપનો આજ્ઞાંકિત,
જયંતીલાલ અમીનના પ્રણામ.

સરદાર પટેલનો તા: ૨૮-૧૧-૧૯૩૮ના રોજનો જયંતીલાલ અમીનને લખેલ પત્ર

ભાઈ જયંતીલાલ,

તમારો તા. ૨૫-૧૧-૧૯૩૮નો કાગળ મળ્યો. છેલ્લા બે ત્રણ વર્ષથી તમારુ વર્તન હું મુદ્દલ સમજી શક્યો નથી. તમારા દિલમાં ખરેખર પસ્તાવો થયો હોય તો ગઈગુજરી વિસરી જઈ નવેસરથી તમારું જીવન શરુ કરી શકો છો. માણસ ભૂલને પાત્ર છે. પણ જેને ભૂલનું ભાન થાય છે. અને ભૂલ સુધારવાનો નિશ્ચય કરે છે તેને ઈશ્વર સાથ આપે છે.

તમારા ઉપર જે વીતી તે માટે તમારા પ્રત્યે દયાભાવ સિવાય શું હોઈ શકે? મને રોષ રાખવાની ટેવ નથી.

પાપનો પશ્ચ્યાતાપ એજ માણસને સત્ય માર્ગ દોરી શકે છે. કોઈ વખતે નવરો હોઈશ ત્યારે મળી શક્શો.

લિ.
વલ્લભભાઈના વંદે માતરમ

Sardar Patel and Jamnalal Bajaj

સરદારશ્રીના જીવનને લગતી એક ઘટના જે ૧૯૩૭માં ઘટેલ તેમાં મુખ્યત્વે શ્રી જમનાલાલ બજાજની ગેરસમજના કારણે બન્નેને થયેલ ભારે મનદુ:ખ એ એક મહત્વની ઘટનાઓમાંની એક છે. આ ગેરસમજ મુખ્યત્વે નરીમાન પ્રકરણમાંથી ઉપજેલ. સમયાંતરે સ્પષ્ટીકરણ થતાં બન્ને વચ્ચે તે મનદુ:ખ પણ ઊડી ગયેલ. નરીમાન તરફી પત્રોએ એવો પ્રચાર ચાલ્યો હતો કે તેના વંટોળમાં ભલભલા સપડાયા. સરદારશ્રીના પીઠબળ વગર નરીમાન મુંબઈ રાજ્યના મુખ્યપ્રધાન બની શકે તેમ નહોતું. અને આ કારણે જ તેમણે સરદારશ્રી પાસે મદદ માંગેલી. કેંદ્રીય ધારાસભાની ચુંટણી સમયે નરીમાન મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોવા છતાં મહાસભાના સત્તાવાર ઉમેદવાર માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી અને તેથી જ મહાસભાને તે જગ્યા ગુમાવવી પડી હતી. અને એટલે સરદારશ્રીએ પોતાનો ટેકો નરીમાનને આપ્યો નહોતો. જે વિરોધીઓ કહેતા થાકતા નહોતા કે સરદારશ્રીએ કાવાદાવા કરીને નરીમાનને મુખ્યપ્રધાન બનવા ન દીધા તે વાતોને રદીયો બહાદુરજીના નિશંકપણે આપેલ ચુકાદાથી મળ્યો. ૧૯૩૭-૩૮માં નરીમાન પ્રકરણ જે રીતે ચાલેલું તે જોતાં તો બીજો કોઈ સામાન્ય માણસ સરદારશ્રીના સ્થાને હોત તો તે ઝુંબેશ સામે ટકી શક્યો ન હોત. તે સમયે તો સરદારશ્રીના જાહેરજીવનને પણ તોડી પાડવા અનેક કાવાદાવાઓ થયેલા અને સરદારશ્રીના કાગળો, તાર સુદ્ધા પણ મેળવવાના પ્રયત્નો કરવામાં આવેલા. હકીકતમાં તો બિનકોંગ્રેસી ઉમેદવાર કાવસજી જહાંગીરના કારણે કોંગ્રેસ ઉમેદવારની હાર થઈ હતી.
Sardar Patel & Jamnalal Bajaj

કાવસજી જહાંગીર બાબતે એક નોંધપાત્ર વાત જાણવા જેવી ખરી કે તે વર્ષ ૧૯૪૬માં કેંદ્રીય ધારાસભાના પ્રમુખપદ માટે શ્રી માવળંકર સામે ઊભા થયા હતા અને તેમણે રાષ્ટ્રીય કટોકટી સમયે મુસ્લીમ લીગનો ટેકો મેળવ્યો હતો.

પોતાના ભાઈ જેવા જમનાલાલજીની ગેરસમજથી સરદારશ્રીને ઊંડો ઘા લાગ્યો હતો અને જમનાલાલજીનો રસ્તો ખુલ્લો કરી દેવા માટે એમણે ગાંધી સેવા સંઘમાંથી પણ મુક્ત થવાનું ઠરાવ્યું હતુ. તે દિવસો દરમ્યાન સરદારશ્રી અંગત રીતે એક કટોકટી ભરી સ્થિતિનો સામનો કરી રહ્યા હતા. છાપાંઓમાં નરીમાન અને ખરે પ્રકરણને લઈને એમની સામે વંટોળ ઊભો થયો હતો. અને બાપુની ખાસ સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા તેમાં ઘર ફુટ્યા જેવી સ્થિતિ ઊભી થયેલ હતી. તેમ છતાં તેમણે પોતાના મન ઉપર કાબુ રાખ્યો અને જમનાલાલજી પ્રત્યેની હમદર્દી જાળવી રાખી. સરદારશ્રીની મિત્રો પ્રત્યેની ગજબની વફાદારી અને મિત્રોની ગેરસમજોના કારણે દુ:ખ થાય તો પણ મૂંગે મૂંગે સહન કરી મિત્રો પ્રત્યે મમતા મનમાં રાખી હતી.
Azad, Jamnalal Bajaj, Sardar Patel, Bose

નરીમાન પ્રકરણથી શ્રી જયંતીલાલ અમીન અંગે એક નવો ફણગો ફુટ્યો હતો, સરદારશ્રીને ફસાવવા નરીમાનના હિમાયતીઓ કેટલી હદ સુધી પહોચી ગયા હતા તે જયંતીલાલના તા. ૨૫-૧૧-૧૯૩૮ના પત્ર પરથી સમજી શકાય અને સરદારશ્રીએ આ પત્ર જવાબ આપતો વળતો પત્ર તા. ૨૮-૧૧-૧૯૩૮ના રોજ લખેલ હતો તે જાણવા જેવો છે.


ફોટો સૌજન્ય : http://www.jamnalalbajajfoundation.org/

Padmashree Kantibhai Patel - Renown Sculpture Artist


પદ્મશ્રી કાંતિભાઈ પટેલ – સોજીત્રા જેમને આપણે કાંતિભાઈ શિલ્પી તરીકે પણ ઓળખીએ છીએ, જેમણે સરદાર પટેલ, ગાંધીજી, રામકૃષ્ણ પરમહંસ, ભીખાકાકા, ભાઈકાકા વગેરે જેવા મહાનુભાવોની આબેહુબ પ્રતિમાઓ બનાવેલ છે. આ સાથે સાથે તેમના સ્કલ્પચર દેશ વિદેશોમાં પણ મુકાયેલા છે સાથે સાથે વલ્લભ વિદ્યાનગર, કરમસદ બસ સ્ટેંડ, કરમસદ મેમોરિયલ જેવા અનેક સ્થળોએ તેમની દ્વારા બનાવવામાં આવેલ સરદાર પટેલની પ્રતિમાઓ મુકવામાં આવેલ છે. તેમણે પોતાની આશરે ૬૦ કરોડની મિલ્કત લલિત કળા અકાદમીને દાનમાં આપી દીધી, આવા કાંતિભાઈ શિલ્પી જેઓએ તા. ૦૮-૦૧-૨૦૧૯ના રોજ આ ફાની દુનિયાથી વિદાય લીધેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.

Sardar Patel Statue 



Sabarmati Ashram's Library

સાબરમતી આશ્રમનું પુસ્તકાલય

તા. ૩૧ જુલાઈ ૧૯૩૩ ના રોજ સાબરમતી આશ્રમ વિખેરી નાખ્યો હતો અને તે વખતે આશ્રમમાં જે પુસ્તકાલય હતુ તે રખડી ન જાય તે માટે તેમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીને સોંપેલું. જેનુ કારણ કે આશ્રમનું પુસ્તકાલય વિદ્યાપીઠના પુસ્તકાલયના એક ભાગ તરીકે ગણાતું એટલે વિદ્યાપીઠના પુસ્તકાલયને પણ મ્યુનિસિપાલિટીને સોંપવુ ઠીક રહેશે તેમ ગાંધીજીનો ખ્યાલ જોઈ કાકાસાહેબ કાલેલકરે આ પુસ્તકાલય મ્યુનિસિપાલિટીને સોંપી દીધુ હતું. તે વખતે વિદ્યાપીઠના ઘણાખરા ટ્રસ્ટીઓ જેલમાં હતા. પરંતુ ગાંધીજીની સંમતિ હોવાથી તે અંગે ટ્રસ્ટીઓની વિધિસર સંમતિ લેવાની જરૂર કાકાસાહેબ કાલેલકરને જરૂર ન જણાઈ. જ્યારે આ દાનની વાત સરદારશ્રીને ખબર પડી ત્યારે તેમણે આ બાબતે અણગમો વ્યક્ત કર્યો, તેમની દ્રષ્ટિએ આવી રીતે ટ્રસ્ટની મિલ્કત બીજી સંસ્થાને સોંપી શકાય નહી. બીજું એવું દાન વિદ્યાપીઠના ધ્યેયો અને ઉદ્દેશો સાથે અસંગત ગણાય અને પુસ્તકાલયનું કામ સાવ રખડી પડે તેવો પણ તેમને ડર લાગ્યો. સરદારશ્રી સાથે બાપુએ આ બાબતે વાત કર્યા પછી બાપુને પણ ખ્યાલ આવ્યો કે આ કામ ધમાલમાં વગર તપાસે થયું હતું. એટલે એમણે સરદારશ્રીને લખ્યું કે “ વસ્તુતાએ જો એ પુસ્તકો પાછાં લેવાનો ધર્મ હોય તો એ પાછાં લઈ લેવાં.” બીજી બાજુ કાકાસાહેબે ગાંધીજીની સલાહને આધારે જ આ પગલું ભર્યુ હોવાથી આ પ્રકરણનો અંજામ આવો આવશે તે ખ્યાલ પણ નહોતો. આ જ કારણે ટ્રસ્ટો વિષેની આવી અટપટી જવાબદારીઓમાંથી નીકળી જવું જ સારુ એવો કાકાસાહેબે નિર્ણય કર્યો હતો. તેમાં વળી લોકો એવુ સમજ્યા કે કાકાસાહેબ પોતે કેટલાય સમયથી એવુ વિચારતા હતા તે મુજબ ગુજરાત બહાર કોઈ ક્ષેત્રમાં કામ કરવું છે એટલે કાકાસાહેબે આવો નિર્ણય કર્યો હોય!



Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget