TRIBUTE TO SARDAR PATEL
ખરી પડેલો ચમકતો તારો – હિંદના લાડીલા “સરદાર”
“મારી ઈંતેજારી તો જ્યા મહાત્મા ગાંધીજી, કસ્તુરબા અને મહાદેવ દેસાઈ ગયા છે ત્યાં જવાની છે. છતાં થોડાંક વર્ષ આ દુનિયામાં હજુ રહેવા ઈચ્છું છું. તેઓની ઈચ્છાથી જ તેઓનું કાર્ય પુરૂ કરવા હું અહી રહ્યો છું.” – સરદાર પટેલ – ઓક્ટોબર ૩૧મી ના ૭૫મી વર્ષગાંઠની આગલી સાંજે સાબરમતી આશ્રમમાં આ ઉદ્દ્ગારો કાઢ્યા હતા.
સત્યાગ્રહો વખતે તેમણે દેશને પ્રેરણા આપનારા કેટલાક ટુચકાઓ કહ્યા તેમાના અમુકતો એવા છે કે જે વાંચીને પણ આપણા રોમ રોમમાં દેશ માટે લડવા તૈયાર થઈ જાય એવા છે...
સત્તાધીશોની સત્તા તેમના મ્રુત્યુ સાથે જ સમાપ્ત થાય છે. જ્યારે મહાન દેશ ભક્તોની સત્તા તેમના મ્રુત્યુ પછીથી જ ખરો અમલ ચલાવે છે.
- બે ટીપાં ગંગાજળ નાખવાથી ગટર પવિત્ર નહી બને... પ્રજાની ઉન્નતીનો આધાર તેની હિંમત, તેના ચારિત્ર, અને તેની ભોગ આપવાની શક્તિ ઉપર રહેલ છે.
- જુલ્મી રાજનીતીના અમલદારોની દેખરેખ નીચે જે શિક્ષણ અપાય છે તે લેવું તમારે બંધ કરવું જોઈએ. એમાંજ તમારૂ સ્વમાન જળવાયેલું રહેશે. એવા શિક્ષણથી તમારૂ કશુ ભલુ નથી થવાનું. તમારે સાહસીક થવાનું છે. બધા કરતા દેશના શ્રેયનો આધાર તમારાજ સાહસ પર રહેલો છે. દેશને સ્વતંત્ર બનાવવા તમેજ મદદ કરી શકશો.