October 2019 | Vithalbhai Patel, Sardar Patel
October 2019
#atulyavarso #gandhiji #hindumigration #hindustan #independenceday #india #karamsad #kashmir #migration #patelnekahatha #quotesbysardarpatel #quotesofsardarpatel #sardarpatel #sardarvallabhbhaipatel #somnath #statueofunity #teamkaramsad #vallabh #vallabhbhai #vallabhbhaipatel #veersardarsena #vithalbhaipatel #westbengal #सोमनाथ #કરમસદ #વીરસરદારસેના 1 aurangzeb road 12-June-1928 15th August 1947 15th December 1950 16 July 1934 26 january 2nd october abdul bari about sardar vallabhbhai patel africa aga khan ahmedabad AICC akhand bharat allah baksh amaresh ambedkar amrit kaur amrita bazar patrika amul arrested indian leaders article 370 aruna asaf ali atulya varso ayurved ayurvedic medicine balkrishna sharma banwari lal bardoli bardoli satyagrah Bardoli Satyagraha baroda baroda state basanta kumar das bhaikaka bhailalbhai patel bhaktiba bharat bhavnagar bhikhabhai bhikhakaka bhil conference bochasan bombay Bombay Chronicle bombay legislative council bombay ministry books on sardar patel borsad borsad satyagraha boycott foreign cloth boycott viceregal visit bratain british india British Policy in India in 1945 british provinces budget c r das c rajagopalachari central assembly elections central jail chandra bhanu gupta charutar education society Chittagong Chronology of Sardar Patel's Jail Term civil disobedience communal riots congress congress government congress hierarchy congress leaders list Congress Party Constitutient Assembly Debates constitutional assembly cutch dahod dahyabhai patel dandi march dandi yatra dar-e-salaam Darbar Gopaldas daughter of patel delhi Delhi debate Deshbandhu Chitta Ranjan Das devendra patel dewan of rajkot dharm Dinsha Mehta Do You Know documentary film dr. kedd dr. ravindra kumar drawing of sardar vallabhbhai patel east africa economic ekta end of british rule england essay on sardar vallabhbhai patel european farmers featured first president of india flag satyagraha future citizenship g v mavalankar gaandheeji a dictator gadgil gandhi gandhi and jawahar gandhi jayanti Gandhi Majoor Samiti gandhiji Gandhiji’s Letter to Sardar Vallabhbhai Patel gandhiji's speech germany government government of india governor great leaders of india h m patel happy new year happy republic day harijan bandhu hidayatulla cabinet hindi language hindu marriage hindu marriage act hindu marriage bill hindu muslim Hindustan Hindustan Mazdoor Sevak Sangh hindustan times history tv 18 How to Draw Sardar Vallabhbhai Patel step by step Hyderabad Hydrabad ideal village important leaders of indian national congress Independence Day india india's partition indian Indian Army indian bill indian budget indian great leaders Indian Independence Day indian leaders Indian shipping indian states Indian Statesman Indian Union indulal yagnik Interim Government Iron man of India jail jaisalmer jammu Jammu And Kashmir Jamnalal jamnalal bajaj jamshedpur jawaharlal jawaharlal nehru jawaharlal nehru's mother jayantilal amin jehangir tata jhanda satyagrah jhaverbhai Jinnah jivraj mehta jodhpur john matthai jrd tata junagadh kabir kaira kakasaheb kakasaheb kalelkar kantibhai patel karamsad Karamsadian kashmir Kashmir Problem kashmir visit kasturba kelkar khan abdul ghaffar khan kheda satyagraha kheda visit kripalani kriplani kutch Lala Lajpat rai lala lajpatrai lawyer legislative Lele liaquat ali khan lincoln's inn lok seva trust london Lord Helifax lord linlithgow lord lytton Lord Mountbatten lord reading M R Jayakar mad elephant madras madras premier mahadev desai Mahadevbhai Desai mahagujarat maharaja Maharaja Harisinh mahatma Mahatma Gandhi mahatma gandhi essay mahatma gandhiji manben patel Maniben Patel Maulana maulana abul kalam azad maulana azad maulana mahomed ali mavalankar mayor mayor of mumbai medicine mehar chand mahajan michael brecher middle temple Ministry modern marvel mohan parikh morarji desai Motilal Nehru mountbatten mumbai muslim league naarayan desai nadiad nagpur nagpur university nairobi narayan dev nariman national herald nationalism navjivan navy revolt nehru News Paper Nizam nizamuddin non-violence organizer of freedom pandit jawaharlal nehru pandit jawaharlal nehru speech pandit jawaharlal nehru speech in hindi pandit mandan mohan malaviya Pandit Nehru parliamentary partation Patel patel sardar patel vallabhbhai Plan of Action postage stamp president of india president of the bombay municipal corporation president vithalbhai patel prime minister princely states pyarelal Quotes by Sardar Patel Quotes of Sardar Patel rabindranath Rajagopalachari rajaji rajendra prasad rajguru rajkot rajkot dewan rajkot gujarat rajkot maharaja Ramchandra Kak Rashtriya Ekta Diwas ravi shankar maharaj ravindra kumar republic day residence of sardar patel respionsible monarchy revolt Rowlatt Satyagraha royal navy sabarmati sabarmati ashram Sabarmati Ashram's Library sadhu safeguard cutch salt satyagrah sampraday sar patel saradar vallabhai patel saradar vallabhbhai patel Sarat Chandra Bose sardar sardar balabh patel sardar chandulal shah sardar jyot sardar pate sardar patel sardar patel birthday sardar patel death sardar patel family sardar patel poem sardar patel quotes sardar patel song sardar patel speech sardar patel speeches sardar patel statue Sardar Patel Treatment Sardar Patel vithalbhai sardar patel's letter sardar patel's speech sardar s sardar vallabh bhai patel sardar vallabh patel sardar vallabhai patel sardar vallabhbhai sardar vallabhbhai patel sardar vallabhbhai patel biography sardar vallabhbhai patel drawing sardar vallabhbhai patel history in hindi sardar vallabhbhai patel ki jivani sardar vallabhbhai patel ppt sardar vallabhbhai patel statue sardardham sardarpatel school scindia steam navigation company Secularism Self Appreciation servants of india shahid bhagatsingh sheikh abdulla Sheikh Abdullah simla sindh ministry Sir Harcourt Butler Sir Ibrahim Rahimutulla somnath somnath temple songs during bardoli satyagrah speech of sardar vallabhbhai patel speeches statue of unity Subhash Chandra Bose sukhdev surat swaminarayan swaraj swarajya tanganyika tata Tata Worker's Union Team Karamsad thakore sahib Today That Day Tribal tribhuvandas patel tribute unani union Leader unity v j patel v. j. patel vadodara vallabh vidyanagar vallabha vidyanagar vallabhai patel vallabhbhai vallabhbhai patel vallabhbhai patel was cremated in veervithalbhai Viceroy vidyanagar violence viravala vithalbhai Vithalbhai Patel wavell when sardar patel died who is known as iron man of india wild elephant world war worldwar yerwada jail अंबेडकर आत्म प्रशंसा एकता कस्तूरबा काश्मीर खेडूत गांधी गांधीजी जवाहर लाल जवाहरलाल तानाशाह नेहरु नेहरू पटेल बी. आर. अंबेडकर मणिबेन मणिबेन पटेल मणिबेन पटेल मौलाना विठ्ठलभाई पटेल शेख अब्दुल्ला समाचार पत्र सरदार पटेल सरदार पटेल और काश्मीर समस्या सरदार पटेल का परिवार सरदार वल्लभभाई पटेल सरदार वाणी सुभाषचंद्र बोस सैयद अली शफात अहमद खान जहीर सोमनाथ सोमनाथ मंदिर हिंदुस्तान આત્મ પ્રશંસા આંબેડકર એકતા કટ્ટરવાદી કરમસદ કાકાસાહેબ કાલેલકર કાશ્મીર કોંગ્રેસ ખુશામતખોરો ગાંધી ગાંધીજી ગોરધનભાઈ પટેલ જનક જી વી માવળંકર જુનાગઢ ઝવેરભાઈ દરબારશ્રી દાંડીકૂચ દિલ્હી ધર્મ નરહરિ પરીખ નાગપુર ઝંડા સત્યાગ્રહ નારાયણ દેસાઈ નિઝામુદ્દીન ઓલિયા નેહરુ નૌકાદળનો બળવો પટેલ સરદાર પુસ્તકાલય બંધારણ સભા બારડોલી બારડોલી દિન બારડોલી દિવસ બારડોલી સત્યાગ્રહ બિપિનચંદ્ર પાલ બેરિસ્ટર બોરસદ સત્યાગ્રહ ભક્તિબા ભારત ભારતીય નૌકાદળ મણીબેન પટેલ મહાગુજરાત ચળવળ મહાદેવ દેસાઈ માવળંકર મુસલમાન મોહન પરીખ મોહમ્મદ અલી ઝીણા રવિશંકર મહારાજ રાજેંદ્ર પ્રસાદ રોયલ નેવીનો બળવો વલ્લભ વિદ્યાનગર વલ્લભભાઈ વલ્લભભાઈ પટેલ વિઠ્ઠલભાઈ વિઠ્ઠલભાઈ પટેલ વિભાજન વિશ્વયુધ્ધ શંકર શરત ચંદ્ર બોઝ સંપ્રદાય સરદાર સરદાર જ્યોત સરદાર પટેલ સરદાર પટેલનું ગીત સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વાણી સરદાર સાહેબ સરદારશ્રી સંસદીય પ્રથા સાબરમતી સાબરમતી આશ્રમ સાબરમતીના સંત સુભાષચંદ્ર સોમનાથ સ્વરાજ સ્વરાજ્ય હૈદરાબાદ

સરદાર પટેલની કેટલીક જાણી અજાણી વાતો 
  • સરદાર પટેલ વિચાર બોધ કરતા આચાર બોધ પર વધુ ભાર આપતા અને આથી જ ગાંધીજીના વિચારોને અમલમાં લાવવા ગાંધીજીની પ્રેરણા ઝીલનારી ગુજરાત વિદ્યાપીઠ, મજૂર મહાજન સંઘ, વિઠ્ઠલ કન્યા વિદ્યાલય, સ્વરાજ આશ્રમ જેવી અનેક સંસ્થાઓ ઊભી કરી અને તેનું જાહેરમાં સમર્થન પણ કર્યું.

  • બારડોલી સત્યાગ્રહ વખતે  બ્રિટિશ સરકારને, આ આંદોલન રશિયાની બોલ્શેવિક ક્રાંતિ જેવું લાગતું, બ્રિટિશ  હુકમ શાહી માં સરદારને લેનિન તરીકે ઓળખાતા. ૧૯૨૮માં મહાદેવભાઈ દેસાઈએ સરદાર પટેલને  બરફથી ઢંકાયેલો જ્વાળામુખી કર્યા હતા. એકવાર જિન્હાએ પોતાના પ્રવચનમાં કહ્યું કે ગાંધીએ શું કર્યું છે? ત્યારે સરદારે આ પ્રશ્નનો વેધક જવાબ આપતા પ્રતિ ઘાતક ઉત્તર આપતા કહ્યું કે ગાંધીજીએ કાંઈ નથી કર્યું ફક્ત જિંન્હાને  કુરાન વંચાવી દીધું છે. આવો વેધક જવાબ મળશે તેવી જિન્હાને આશા જ નહોતી.

  • સરદાર ન હોત તો હિંદુસ્તાન અને પાકિસ્તાન ની સાથે સાથે રાજાસ્તાન  પણ આ ભૂમિખંડ પર બની જાત, ૧૯૪૬માં ભોપાલના કટ્ટરપંથી નવાબની આ જ યોજના હતી, તે યોજના પર સરદારે પાણી ફેરવી દીધું હતુ. સરદારના સચિવ વી. શંકરે નોંધ્યું છે કે હૈદરાબાદમાં લશ્કરી કાર્યવાહી માટે અંતિમ ક્ષણો સુધી જવાહરલાલ અને રાજાજી વિરોધી રહ્યા હતા. ત્યારે સરદારે મણીબહેનને કહ્યુ હતું કે આ બે વિધવા ડોશીઓ જેવા છે, જે કાયમ આક્રંદ કર્યા કરે છે કે આ સંજોગોમાં તેમના સદ્દગત પતિ(ગાંધીજીએ) શું કર્યુ હોત?

  • વી. શંકર કે જેઓ વી. પી. મેનન સાથે સરદારને હિંદુસ્તાનનો નક્શો બદલી નાખવામાં સહાયભુત થયા હતા તેમનું નામ સરદારે પહેલાં સાંભળ્યું પણ નહોતુ. વી. શંકરે નોધ્યું છે કે ગુજરાત પ્રવાસ દરમ્યાન એક વાર મચ્છરો કરડતા હતાં ત્યારે સરદારે હુકમ કરીને પોતાની મચ્છરદાની વી. શંકરના ખાટલે બંધાવી હતી. આવા આપણા ગૃહપ્રધાન અને ઉપ પ્રધાનમંત્રી હતા. 

  • ૩૧ ઓક્ટોબર ૧૮૭૫ એ દિવસે ભાઈબીજ ૩૦ ઓક્ટોબર અને ૩૧ ઓક્ટોબર એમ બે દિવસ હતી. એટલે કહી શકાય કે દિવાળીના દિવસો હશે. સાથે સાથે ઈસ્લામિક કેલેડર મુજબ રમજાન ઈદ - અલ ફિત્રની તિથી હતી. સરદાર ને તેમના વિરોધીઓએ મુસ્લિમ વિરોધી કહી બદનામ કરવાની નાકામ કોશીશ પણ કરી હતી, જેમા મુખ્યત્વે મૌલાના આઝાદ અને જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓએ કાંઈ બાકી રાખ્યુ નહોતુ પરંતુ પાછળથી તેઓએ પોતાની ભુલ સ્વીકારી અને કહેલ કે તેઓએ સરદારને સમજવામાં ભુલ કરેલ છે. સરદાર એવા કટ્ટરપંથીઓના વિરોધી હતા કે જેઓના કારણે દેશની સુરક્ષા જોખમાતી. સરદારે વિરોધ છતાં ઉર્દુ શાયર જોશ મલીદાબાદીને ઉર્દુ આજકલના તંત્રી તરીકે નીમ્યા હતા.

  • મુંબઈના પૃથ્વીરાજ કપુરના પૃથ્વી થીયેટર્સને પ્રમોદકર મુક્ત કરવા માટે સરદાર જ કારણભુત હતા અને વિનુ માંકંડ અને અન્ય ક્રિકેટરોને આર્થિક સહાય જ્યારે જામનગર તરફથી બંધ થવાની વાત આવી ત્યારે તે પણ સરદારે તે ચાલુ રખાવી.

सरदार पटेल - સરદાર પટેલ - Sardar Patel - 31 October 2019

सरदार पटेल, સરદાર પટેલ,Sardar Patel

૩૧ ઓક્ટોબર ૧૮૭૫ના રોજ સરદાર પટેલનો જન્મદિવસ, હિંદુ કેલેંડર મુજબ ૩૦ ઓક્ટોબર ૧૮૭૫ અને ૩૧ ઓક્ટોબર ૧૮૭૫ એમ બે દિવસ ભાઈબીજ નો દિવસ અને આજ દિવસે ઇસ્લામિક કેલેંડર મુજબ રમજાન ઈદ અલ-ફિત્રની તિથી આવે છે. આ લખવા પાછળનો હેતુ એજ કે સરદાર પટેલને મુસ્લિમોના વિરોધી અને હિંદુઓ તરફી નેતા તરીકે વિરોધીઓએ બદનામ કરવાની કોશિષ ઈતિહાસમાં કરેલ જેમા મૌલાના અબુલ કલામ આઝાદ અને જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓએ પણ કાંઈ બાકી નહોતુ રાખ્યુ પરંતુ પાછળથી સરદારને સમજવામાં કરેલ ભુલનો એકરાર પણ તેઓએ કરેલ.

સરદાર પટેલ મુસ્લિમોના વિરોધી ક્યારેય નથી રહ્યા તેઓ એવા કટ્ટરપંથીઓના વિરોધી રહ્યા છે કે જેમના કારણે દેશની શાંતિ કે દેશહિત જોખમાતુ હોય, પછી એ હિંદુ હોય, મુસલમાન હોય, શીખ હોય, કે ઈસાઈ હોય તેમને તેનાથી કોઈ ફર્ક નહોતો પડતો. હકીકતમાં તો, સરદારના હ્રદયમાં કોઈપણ જ્ઞાતિ કે સંપ્રદાય પ્રત્યે એવી સંકુચિતતા કે પક્ષપાતને કોઈ સ્થાન નહોતુ, સ્વયં ગાંધીજીના શબ્દોમાં કહીએ તો :

સરદારને મુસ્લિમ-વિરોધી કહેવા એ તો સત્યનો ઉપહાસ કરવા જેવુ લેખાશે.

સરદારે આજીવન ભારતની અખંડિતતા અને એકતાને બચાવી રાખવા જે શક્ય હોય તે કર્યુ, દેશના ભાગલા સમયે તેમણે કહ્યુ કે : 
સમુદ્ર કે નદીઓના તો કાંઈ ભાગ પાડી ન શકાય. જ્યાં સુધી મુસ્લિમોનો સવાલ છે, તેમના મૂળિયા એમના પવિત્ર સ્થાનો અને ધાર્મિક કેંદ્રો અહીં જ છે. મને નથી ખબર કે તેઓ પાકિસ્તાન જઈને શું કરશે.

મને સાંભરે છે કે કઈ રીતે વર્ષોની યાતના ભોગવીને લાંબી લડત આપ્યા પછી ભારતે વિદેશી શાસનના પાયા હલાવી દઈ સ્વાતંત્રતા મેળવી છે. અમે સહુ જેમણે સંગ્રામમાં હિસ્સો લીધો તેમણે એવા વિચાર સાથે ભાગ લીધો હતો કે સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ, ભારતમાં એક સારી સરકાર સત્તા સ્થાને આવશે. જ્યારે અમે ભાગલાનો સ્વીકાર કર્યો, ત્યારે એવી સંનિષ્ઠ ઈચ્છાથી કરેલો કે કદાચ તેમ કરવાથી પ્રગતિને અશક્ય બનાવી દેનાર બાબતોથી અવરોધ પામ્યા વિના બન્ને દેશ પોતપોતાની રીતે મુક્તપણે વિકાસ સાધી શકશે. તેની સાથોસાથ, પાકિસ્તાનને અમે શુભેચ્છાઓ પાઠવી હતી અને અમે આશા સેવતા હતા કે પરિસ્થિતિ થાળે પડતાં, જ્યારે તેઓને ખ્યાલ આવે કે આપણે ખરેખર ભાઈઓ છીએ અને ભિન્ન ધાર્મિક વિચારો અને આદર્શોમાં વહેચાયેલા બે અલગ રાષ્ટ્રો નથી, ત્યારે તેઓ આપણી પાસે પાછા ફરશે.

ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવા માટે વલ્લભભાઈ ઉપર સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું, અને આનું કારણ એ હતુ કે પાકિસ્તાનને મુસ્લિમ રાષ્ટ્ર જાહેર કરવામાં આવેલ હતું. સરદાર પટેલે છેવટ સુધી આનો વિરોધ કર્યો. એક. ગોપાલે પોતાની નોંધમાં પણ લખેલ છે કે :

સરદાર પટેલને સામાન્ય રીતે હિંદુત્વવાદના પ્રખર ટેકેદાર તરીકે ચીતરવામાં આવ્યા છે પરંતુ હકીકતમાં તેમની ખરી નિસ્બત રાષ્ટ્રીય એકતા વિશે જ છે.

સરદાર પટેલના જાહેરજીવનના શરુઆતના વર્ષોમાં જ્યારે ખિલાફત ભંગ માટે ગાંધીજીએ અલીભાઈઓ – મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમદ અલી સાથે મળીને કાર્યરત થવાનું જણાવ્યુ. બ્રિટિશરાજ વતી ત્યારના વડાપ્રધાન લોઈડ જ્યોર્જ ભારતના મુસ્લિમોને વચન આપ્યુ કે પ્રથમ વિશ્વયુધ્ધ (૧૯૧૪-૧૮)માં તુર્કીની હાર થવા છતાં મુસ્લિમોના સૌથી પવિત્ર ગણાતા ધર્મસ્થળો મક્કા અને મદીના, કાબા સહિત તેમના ધર્મવડા ઓટોમેન ખલીફા પાસેથી છીનવી નહી લેવામાં આવે, પરંતુ આ વચન ભંગ થયો અને મુસ્લિમોને સતત ડર સતાવતો રહ્યો કે અંગ્રેજો દ્વારા કાબાને અપવિત્ર કરી નાંખવામાં આવશે. દક્ષિણ અને મધ્ય એશિયામાં આ કારણે મુસ્લિમોમા ક્રોધનો ચરુ ઉકળી રહ્યો હતો. ભારતમાં આના વિરોધ કરવા માટે આગેવાની અલી ભાઈઓએ લીધી. ગાંધીજીને લાગ્યુ કે મુસ્લિમોની સાથે તેમના સંકટ સમયે હિંદુઓએ સાથે રહેવુ જોઈએ, જ્યારે મોટાભાગના કોંગ્રેસી નેતાઓ ગાંધીજી સાથે સહમત ન થયા. આ બાબતે કોંગ્રેસમાં અનિર્ણાયકતા પેદા થઈ, પરંતુ મહાત્મા પોતાની વાતને વળગી રહ્યા આ કારણે મુસ્લિમોએ તેમને પોતાના હ્રદયમાં સ્થાન આપ્યુ અને તેમની આગેવાની પણ સ્વીકારી.

૧ ઓગષ્ટ ૧૯૨૦ના રોજ મુંબઈ સ્થિત ખિલાફત હાઉસમાં અસહકાર ચળવળની શરૂઆત થઈ અને તેમને પ્રચંડ પ્રતિસાદ મળ્યો આજ દિવસે તિલકજી અવસાન પામ્યા. અસહકાર ચળવળના પ્રચંડ પ્રતિસાદના કારણે બ્રિટિશ સરકાર હચમચી ગઈ. ગાંધીજીની હાકલથી લોકોએ બ્રિટિશ ખિતાબો, વિલાયતી ચીજોનો ત્યાગ કર્યો, ટાગોરજીએ પોતાના નાઈટહૂડના ખિતાબનો પણ ત્યાગ કર્યો. સરદાર પટેલ પ્રેરણા પુર્વક ગાંધીજીને અનુસર્યા અને હકીકતમાં તેઓ જ આ ચળવળના પ્રણેતા બન્યા. આ ચળવળ ધાર્મિક બાબતની હોવા છતાં તેમણે ક્યારેય અન્ય નેતાઓ માફક વિરોધ ન કર્યો. પોતાના વક્ત્વ્યમાં સરદાર પટેલે કહ્યુ કે :

બ્રિટનના વચન છતાં તુર્કી સામ્રાજ્યનું વિભાજન કરવામાં આવ્યુ. સુલતાનને કોંસ્ટેંટીનોપોલ્માં કેદી બનાવવામાં આવ્યા, સિરીયા ઉપર ફ્રાંસે કબ્જો જમાવ્યો, જ્યારે મેસોપોટેમીયા અને પેલેસ્ટાઈન બ્રિટનને તાબે થઈ ગયા. અરેબિયામાં પણ એક શાસક મુકવામાં આવશે જે બ્રિટિશ સરકારને ટેકો આપે. ખુદ વાઈસરોયે પણ સ્વીકાર્યુ કે શાંતિની અમુક શરતો મુસ્લિમ કોમને નારજ કરનારી છે. હકીકતમાં ભારતના મુસ્લિમો માટે ખૂબ દિલ દુભાવનારો બનાવ છે, અને જ્યારે હિંદુઓ પોતાના જ દેશવાસીઓને આ રીતે દુ:ખી જુઈને બેઅસર કેવી રીતે રહી શકે?

સરદાર પટેલ લોકપ્રતિસાદ જગાવવા માટે ગુજરાતભરમાં ઠેરઠેર ફર્યા. તેમણે પોતાના પ્રવચનોમાં  ખિલાફત ચળવળ કે પંજાબ ચળવળ ના ટીકાકારો પર આકરા પ્રહારો કર્યા અને ગાંધીજીએ જલિયાવાલા હત્યાકાંડને પણ ખિલાફતના મુદ્દા સાથે જોડી દીધો. તેમણે નવજીવનમાં નોધ્યુ છે કે :

આપણે ઘણીવાર એવુ માનવા પ્રેરાઈએ છીએ કે હિંમત અને નિર્ભયતા એ ઉધ્ધતાઈ અને ઉશ્કેરણીજનક ભાષાના પાયા છે. વલ્લભભાઈ પટેલે સાબિત કરી બતાવ્યુ છે કે અવિનયી થયા વિના પણ અડગ રહી શકાય છે.

હિંદુઓમાં સરદાર એક એવા હતા કે જેમના પર ગાંધીજી ખુદ તેઓને મુસ્લિમોની નજીક લાવવા માટે મદાર રાખતા હતા. અન્ય કોંગ્રેસીનેતાઓ અચકાતા પરંતુ સરદાર પટેલ પોતાના માર્ગદર્શકની પડખે અડગ ઊભા રહેતા.

સંદર્ભ : સરદાર પટેલ અને ભારતીય મુસ્લિમો – ડો. રફીક ઝકરીયા.

આવા તો અનેક પ્રસંગો છે. સરદારને મુસ્લિમ વિરોધી માનવા હું તો તૈયાર નથી. સરદાર પટેલના જન્મ દિવસની દરેક રાષ્ટ્રપ્રેમી નાગરિકોને શુભકામનાઓ 

86th Death Anniversary of Vithalbhai Patel


જીવન માટે જરૂરી તાલીમ પ્રાપ્ત કરી, આપ મહેનત અને પોતાનો માર્ગ જાતે શોધવાની કળાથી દરેક મુશ્કેલીઓ પાર પાડી. વકીલાતનો ધીકતો ધંધો છોડીને દેશની આઝાદી માટે પોતાની જાતને ઝોકી દીધી. દેશની ગરીબ લોકોની તથા સ્વાતંત્ર્ય સંગ્રામ માટે અંગ્રેજો સામે વકીલાત આદરી. પોતાની દરેક સુખ સાહ્યબી, સગવડ અને એશઆરામ ભરી જીંદગીને તિલાંજલી આપી.

મુંબઈ ધારાસભાના સભ્ય તરીકે, મુંબઈ કોર્પોરેશનના મેયર તરીકે, વડી ધારાસભાના સભાસદ અને પ્રમુખ તરીકે એમણે જે કાર્યો દેશહિત માટે કર્યા તે માટે તેઓ હંમેશા અંગ્રેજ સરકાર માટે સિરદર્દ સાબિત થયા. પાર્લામેંટરી અવરોધનો અભ્યાસ અને ઉત્તમ આચરણ તેમણે હંંમેશા કર્યા. પરીણામે તેઓ ના દરેક કાર્યોમાં વિધ્નો નો વરસાદ રહેતો પરેંતુ તેમણે દરેક મુશ્કેલીઓ પાર કરી પોતાના કાર્યો પુરા કર્યા. આખુ સરકારીતંત્ર તેમને ચારેકોરથી સંકટોથી ઘેરી રાખતુ તેમ છતાં તેઓ અજેય રહ્યા, અને સૌ વિરોધીઓને તેમણે પરાસ્ત કર્યા. પરંતુ આ બધાની અસર તેમની તબિયત પર પણ પડી અને તેમનું સ્વાસ્થ કથળી ગયું. ચારેક વાર તેઓએ જીવજોખમી ઓપરેશન કરાવ્યા, તેમ છતાં દેશના સ્વાતંત્ર્યનો કેસ સ્વતંત્ર રાષ્ટ્રો સમક્ષ રજુ કરવા તેમણે શ્રમયુક્ત પ્રવાસો પણ કર્યા. પોતાના છેલ્લાં શ્વાસ સુધી દેશહિત, દેશની પ્રગતિ અને તેનુ ગૌરવ જ એક માત્ર ઝંખના રહી.

હજારો રુપિયાની વકીલાત છોડી તેમણે દેશ ખાતર ફકીરી અપનાવી ત્યારે તેમના ખર્ચની સંપુર્ણ જવાબદારી તેમના નાના ભાઈ સરદાર પટેલે ઉઠાવી, અને વિઠ્ઠલભાઈના થકી જ વલ્લભભાઈ પટેલ ગાંધીજીને અમદાવાદ સ્થિત ગુજરાત ક્લબમાં મળ્યા અને ત્યાર પછી વલ્લભભાઈએ સ્વરાજ્યની લડતમાંં ઝંપલાવ્યું, વિઠ્ઠલભાઈ ના કારણે જ આજે આપણા દેશને એક કરનાર સરદાર પટેલ જેવા આઝાદીના લડવૈયા મળ્યા. મહાદેવભાઈ દેસાઈના શબ્દોમાં કહીએ તો બન્ને ભાઈઓ બ્રિટિશ સરકાર સામે બહારવટે ચડ્યા હતા અને આ બહારવટુ એટલુંં અસરકારક હતું કે સરકાર હંમેશા આ બન્ને ભાઈઓથી ભડકેલી રહેતી.

મધ્યસ્થ ધારાસભાના પ્રમુખ તરીકે એમને સારો એવો પુરસ્કાર મળતો થયો ત્યારે તેઓ પોતાના ઘર ખર્ચમાંથી બચતી રકમ આશરે દોઢેક હજાર દર માસે તેઓ ગાંધીજીને મોકલતા. ગુજરાતની જળસંકટ સમયે તો તેમનો અંગત ફાળો આશરે દસેક હજાર નોંધાવી પ્રમુખ રેલરાહતફંડ ઊભું કરેલ.

તન મન ધન સર્વસ્વની દેશોન્નતિ માટે વિઠ્ઠલભાઈની યશકલગી એટલે તેમનું વસિયતનામું. તેમણી પોતાના ચાર ભાઈઓ અને તેમનો પરિવાર હોવા છતાં તેમણે આખા દેશના સંતાનોને પોતાના ગણી પોતાની સમગ્ર મિલ્કત દેશને વસિયતનામા થકી સમર્પિત કરી. આ વસિયત થકી થોડો વિવાદ ઉભો થયેલ અને કોર્ટ કેસ પણ થયેલ આ કારણે સરદાર પટેલ વિશે થોડી ગેરસમજો પણ પ્રજામાનસમાં પેદા થયેલ, પરંતુ કોર્ટના ચુકાદા બાદ સમગ્ર મિલ્કત વિઠ્ઠલભાઈની વસિયત મુજબ દેશ્ને સમર્પિત કરવામાં આવી.

તારીખ ૨૨ ઓક્ટોબર ૧૯૩૩ના રોજ તેમનુ જીનીવામાં અવસાન થયું અને તેમને જે કોફીન દ્વારા ભારત લાવવામાં આવ્યા તે કોફીન આજે પણ કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલમાં જાહેર જનતા માટે સાચવીને રાખવામાં આવેલ છે. 

વિઠ્ઠલભાઈએ જીવતાં અને મરતા દેશભક્તિ અને દેશદાઝની ધૂણી ધખાવી રાખી તેમના જેવા અનેક દેશસેવકોના કારણે જ આજે દેશ સ્વતંત્ર બની શક્યો. 

सुभाषचंद्र और सरदार पटेल के बीच तनाव की हकीकत 

THE FACT OF THE DISPUTE BETWEEN SARDAR PATEL AND SUBHASH CHANDRA BOSE


वर्ष १९३९ के कांग्रेस अधिवेशन के लिए अध्यक्ष पद के सवाल पर विचार किया गया, तो गांधी ने अध्यक्ष के रूप में जवाहरलाल पर नजर रखी, गांधीजी के अनुसार जवाहरलाल समाजवादियों के जातिवादी दृष्टिकोण और विचारों को शांत कर सकते थे। ब्रिटिश सरकार ने प्रांतीय स्वायत्तता स्वीकार कर ली थी और इसका फायदा तभी मिल सकता था अगर कोंग्रेस एक जुथ हो, जवाहरलाल समाजवादीयो और जातिवादी कट्टरपंथियों को नियंत्रित किया जा सकता था। यह जानकर कि जवाहरलाल का नाम गांधीजी के दिमाग में है, कांग्रेस के कई नेताओं और कार्यकारी समिति के सदस्यों ने लखनऊ सम्मेलन के लिए सरदार पटेल के नाम का सुझाव दिया। और अगर सुझाव सामने आते रहे और चर्चाएँ होती रहीं, तो मतभेद सतह पर आए बिना नहीं रहेता। इस प्रकार, अपने बयान में, सरदार पटेलने कहा:
हालाँकि कुछ मित्रों ने लखनऊ अधिवेशन की अध्यक्षता के लिए मेरा नाम सुझाया है, लेकिन मैं इस चुनाव को सर्वसम्मति से करना चाहता हूँ और इसके साथ ही मैं अपना नाम वापस लेता हूँ। लेकिन इसका मतलब यह नहीं है कि मैं जवाहरलाल के हर विचार से सहमत हूं। देश जानता है कि कुछ महत्वपूर्ण मुद्दों पर जवाहरलाल के  विचार और मेरे विचार अलग-अलग हैं; हालांकि, मैं उन सभी से आग्रह करता हूं कि वे अब तक जवाहरलाल को अध्यक्ष चुने। इसका मतलब यह भी नहीं है कि कांग्रेस समाजवादी सोच को स्वीकार करती है।
लखनऊ कांग्रेस अधिवेशन में, प्रांतीय स्वराजके चुनावो की सम्पूर्ण व्यवस्था की जिम्मेदारी सरदार पटेल को सौंप दी गई थी,  वर्ष १९३७ के इन चुनावोके रुझान जब आए तो पुरे देश मे कोंग्रेसको बहुत बडी जीत मीली थी। फरवरी १९३८ के हरीपुरा (बारडोली तालुका) कोंग्रेस अधिवेशन जब हुआ त्तब तक जवाहरलाल के साथ साथ कोंग्रेसको समाजवादी और जातिवादीओने पुरा सहकार दिया, यह देखते हुए, गांधी इस तर्क के साथ आए कि यदि कांग्रेस एक या दो साल तक और एक जुथ रही तो अंग्रेजों पर और बेहतर तरीके से दबाव डाला जा सकता है। सुभाष चंद्र बोस को वर्ष १९३७ के चुनावों के दौरान कैद किया गया था, लेकिन चुनावों के बाद उन्हें रिहा कर दिया गया था, और सुभाषचंद्र की मुक्ति को कांग्रेस के समाजवादियों द्वारा उत्साह से स्वीकार। गांधीजी का यह मानना था कि अगर सुभाष बाबू जवाहरलाल के उत्तराधिकारी के रूप में कांग्रेस के अध्यक्ष बनते हैं, तो कांग्रेस के कट्टरपंथी अपने आप खामोश हो जाएंगे। और इस वजह से गांधीजीने अध्यक्ष के लिए सुभाषचंद्र बोझ का सुचन दिया, कांग्रेस पार्टी ने सर्वसम्मति से इस सुझाव को स्वीकार कर लिया। 

लेकिन इसके साथ, एक नई समस्या का जन्म हुआ। नए अध्यक्ष सुभाष चंद्र बोस को कोंग्रेसने सर्वसम्मति से स्वीकार किया, औस समाजवादी लोगों ने समाजवाद की एक जीत के रूप में अपनाया और कांग्रेस की दक्षिणपंथी नीतियों की सार्वजनिक रूप से निंदा करने लगे। और उनका यह मानना था कि सरदार पटेल कांग्रेस की इस दक्षिणपंथी नीति में सबसे सक्रिय व्यक्ति थे। और इसलिए उन्होंने सरदार पटेल के खिलाफ अभियान शुरू कर दिया। और सुभाष चंद्र बोस ने उन्हें कांग्रेस पार्टी के अध्यक्ष के रूप में नहीं रोका, इसलिए सरदार पटेल बहुत नाराज़ थे और अपने एक भाषण में, उन्होंने सार्वजनिक रूप से समाजवादी लोगों पर व्यंग्य किया कि वह शर्मीले, गैर जिम्मेदार और कोई ठोस काम करने में असमर्थ हैं। इस प्रकार, सुभाष चंद्र बोस और अन्य सभी कट्टरपंथी सरदार पटेल से नाराज हुए।

सुभाष चंद्र बोस कांग्रेस पार्टी के अध्यक्ष बनने के लायक नहीं हैं यह बात जल्द ही गांधीजी को अहेसास हुआ, साथ साथ उन्होने महसूस किया कि यह लोग गांधी के विचारों से कोसो दूर है। सुभाष चंद्र एक समाजवादी नहीं थे, लेकिन जयप्रकाश और अन्य समाजवादियों के साथ उनका तालमेल था, जिन्होंने सरदार पटेल के बारे में तीखी टिप्पणी की थी। यद्यपि जवाहरलाल गांधी से अलग, फिर भी उन्होंने गांधी की मर्यादा और विवेक को बनाए रखा। यह सुभाषचंद्र के स्वभाव में नहीं था,गांधी के प्रति गांधी के सम्मान और श्रद्धा के बावजूद, कभी-कभी वह गांधीजी के साथ अपनी मर्यादा लांग देते थे।

परिणाम स्वरूप, गांधीजी और उनके सहयोगियों ने वर्ष १९३९ के त्रिपुरा सम्मेलन में सुभाष चंद्र की अध्यक्षता को समाप्त करने का निर्णय लिया और इसके विपरीत, सुभाष चंद्र बोस ने एक और वर्ष के लिए अपने अध्यक्ष पदके चुनाव के लिए अपनी उम्मीदवारी की घोषणा की। सरदार पटेल, मौलाना और गांधीजी ने भी इस चुनाव को गैर-प्रतिस्पर्धी बनाने की कोशिश की लेकिन सुभाषचंद्र बोस टस से मस नहीं हुए। डो. पट्टाभि सीतारमैया गांधीजी, सरदार पटेल और अन्य वरिष्ठ कांग्रेस नेताओं के आशीर्वाद के साथ, सुभाष चंद्र बोस के प्रतिद्वंद्वी के रूप में अपनी उम्मीदवारी की घोषणा की। सुभाष चंद्र बोस अपनी जोशीली प्रक्रिया के कारण युवाओं के बीच लोकप्रिय हो गए थे और कांग्रेस के प्रतिनिधियों के बीच भी लोकप्रिय हो गए थे, इस वजह से कांग्रेस अध्यक्ष के रूप में दूसरी बार सुभाष चंद्र बोस गांधी और सरदार पटेल की इच्छा के विरुद्ध बने।

इस कारण से सुभाष चंद्र और गांधी के अनुयायियों के बीच एक अपरिहार्य दरार बन गई। महासभा में बहुमत होने के बावजूद सुभाष चंद्र के पास कारोबारी समिति में बहुमत नहीं था, और अधिकांश कारोबारे समिति के सभ्य गांधीजी समर्थक थे, इसलिए सभी गांधीवादी कारोबारी सदस्योंने फैसला किया कि नए अध्यक्ष को गांधीजी की सहमति से नये कारोबारी सदस्यो को नियुक्त किया जाना चाहिए और संकल्प पत्र के साथ उन्होंने एकमत होकर सबने इस्तिफा दे दिया। परिणाम स्वरूप, सुभाष चंद्र बोस के हाथ बंधे हुए थे। सुभाष चंद्र बोस ने समझा कि गांधीजी और सरदार के सहयोग के बिना, कांग्रेस अध्यक्ष का ताज एक परीक्षा थी। यदि गांधीजी का बहुसंख्यक समर्थक नए कारोबारी में है, तो कांग्रेस अध्यक्ष के हाथ बंधे रहेंगे, और दूसरी तरफ, यह परंपरा रही कि कांग्रेस के सभी पहले के अध्यक्ष स्वतंत्र रूप से कारोबारे की नियुक्ति कर सकते हैं, कारोबारी सदस्यो के एक प्रस्ताव के साथ अटक जाएगा। इस प्रकार, सुभाष चंद्र बोस को कांग्रेस अध्यक्ष का पद छोड़ना पड़ा।

उपरोक्त राजनीतिक भूकंप के कारण सुभाषचंद्र बोज इतने व्यस्त थे कि वे १९३३ के वर्ष दौरान विट्ठलभाई पटेल (सरदार पटेल के बड़े भाई) का निधन हो गया और उनकी वसीयत को अंजाम देने में देरी हुई, इसलिए विठ्ठलभाई पटेल अपनी वसीयत के व्यवस्थापक के रूप में गोरधनभाई पटेल, जो कलकत्ता के विधायक थे और एक अन्य सुभाष चंद्र बोस, जो विठ्ठलभाई के मित्र भी थे, ने दो व्यक्तियों को नियुक्त किया। दूसरे प्रशासक के रूप में, डॉ गोरधनभाई पटेल ने बार-बार सुभाष चंद्र बोस को वसीयतनामा निष्पादित करने के लिए याद दिलाया लेकिन सुभाष चंद्र बोस ने इस मामले पर पर्याप्त ध्यान नहीं दे पा रहे थे। परिणामस्वरूप, डॉ गोरधनभाई पटेल ने सुभाष चंद्र बोस को वसीयत की मूल प्रति देने के लिए कहा और यदि वे नहीं देंगे तो वे स्वयं अदालत जाएंगे और प्रति प्राप्त करने के लिए कानूनी कार्रवाई करेंगे। इस प्रकार, सुभाष चंद्र बोस मूल वसीयत पटेल को भेजी गई थी। जैसे ही वसीयत की मूल प्रति हाथ में आई, गोरधनभाई वल्लभभाई से मिले। और विट्ठलभाई की वसीयत का विस्तार करते हुए, भले ही सरदार पटेल विठ्ठलभाई की इच्छा से अनभिज्ञ थे, उन्होंने कोई विशेष रुचि नहीं ली, जिसका मुख्य कारण यह था कि विठ्ठलभाईने सुभाषचंद्र पर विश्वास करके वसियत बनाई थी। उनका मानना ​​था कि वे उन्हे वसीयत  में नहीं पड़ना चाहिए। लेकिन जब गोरधनभाई ने मूल प्रति सरदार पटेल के सामने रखी और सरदार पटेल ने पूरी वसीयत ध्यान से पढ़ा। वसीयत के गवाह के रूप में हस्ताक्षर किए गए तीनों बंगाली थे। जब की जिनिवा में विठ्ठलभाई पटेल की मृत्यु हुई, उस वक्त विठ्ठलभाई के गुजराती दोस्तों भुलाभाई देसाई, वालचंद हीराचंद और अंबालाल साराभाई जिनेवा में रहते थे। हालाँकि, उन्हें बताए बिना, तीनों बंगालियों को वसीयत के गवाह के रूप में क्यों चुना गया? यह बात से सरदार पटेल के दिमाग में संदेह पैदा हो गया। इसके अलावा, सुभाष चंद्रा ने वसीयत के अंतिम खंड में जो राशि व्यक्त की थी, उसका इस्तेमाल सुभाष चंद्र को सौंपे गए हिंदुओं के राजनीतिक उत्थान के लिए किया गया था, और इसका इस्तेमाल विदेशों में रह रहे हिंदुओं में राजनीतिक जागरूकता बढ़ाने के उद्देश्य से किया गया था, और उन्होंने थोडी देर सोचा और गोरधनभाई पटेल को विठ्ठलभाई पटेल की इस वसीयत को अदालत में चुनौती देने की जिम्मेदारी सौंपी और अंततः वसीयत झूठी साबित हुई।

इस प्रकार, सरदार पटेल और सुभाष चंद्र बोस के बीच विवाद जारी रहा।

સરદાર પટેલ અને સુભાષચંદ્ર બોઝ વચ્ચેનો વિવાદની હકીકત 

The fact of the dispute between Sardar Patel and Subhash Chandra Bose

Vithalbhai Patel and Subhash Chandra Bose

વર્ષ ૧૯૩૯ના કોંગ્રેસ અધિવેશન માટે જ્યારે પ્રમુખપદનો પ્રશ્નન વિચાર માટે મુકાયો ત્યારે ગાંધીજીએ સમાજવાદીઓના ઉગ્ર વલણો તથા વિચારોને શાંત પાડી શકે તેવા પ્રમુખ તરીકે જવાહરલાલ ઉપર આંખ ઠેરવી હતી. અને જવાહરલાલ જો કોંગ્રેસ પ્રમુખ બને તો ઉદ્દામવાદીઓને પણ નિયંત્રણમાં રાખી શકાય સાથે સાથે બ્રિટિશ સરકાર દ્વારા પ્રાંતિજ સ્વરાજ આપવાનું સ્વીકારેલ તે માટે કોંગ્રેસ એક જુથ હોવુ ખુબ જ જરૂરી હતું. ગાંધીજીના મનમાં જવાહરલાલનું નામ વિચારમાં આવેલ છે આ જાણીને કેટલાય કોંગ્રેસી નેતાઓએ તથા કારોબારી સમિતિના સભ્યો સુધ્ધાએ લખનૌ અધિવેશન માટે સરદાર પટેલનું નામ પણ સુચવ્યું. અને જો આમ સુચનો આવતા રહે અને ચર્ચાઓ ચાલતી રહે તો મતભેદ સપાટી પર આવ્યા વિના રહે નહી આ સરદાર પટેલ બરાબર જાણતા અને સમજતા હતા કે ગાંધીજીના મનમાં પ્રમુખપદ માટે જવાહરલાલનું નામ છે અને સરદાર પટેલ ગાંધીજીની ઈચ્છા વિરુધ્ધ કાર્ય કરવા માટે વિચાર સુધ્ધાં પણ મનમાં નહોતો. આથી તેમણે પોતાના નિવેદનમાં કહ્યુ કે: 
જોકે કેટલાક મિત્રોએ મારુ નામ લખનૌ અધિવેશનના પ્રમુખપદ માટે સુચવ્યુ છે પરંતુ આ ચુંટણી સર્વાનુમતે થાય તેવુંં હું ઈચ્છું છું અને આથી મારુ નામ હું પાછું ખેચી લઉ છું. પરંતુ એનો અર્થ એ નથી કે જવાહરલાલના દરેક વિચારો સાથે હું સહમત છું. દેશ આખો જાણે છે કે કેટલીક મહત્વની બાબતોમાં મારા અને જવાહરલાલના વિચારો જુદા છે; આમ છતાં હું સૌને વિનંતી કરુ છું કે અત્યારે તેઓ જવાહરલાલને સર્વાનુમતે પ્રમુખ તરીકે ચૂંટી કાઢે. એનો અર્થ એ પણ નથી થતો કે કોંગ્રેસ સમાજવાદી વિચારસરણીનો સ્વીકાર કરે છે.
લખનૌ કોંગ્રેસ અધિવેશનમાં પ્રાંતિક સ્વરાજ માટેની ચૂંટણીઓમાં સમગ્ર તંત્રની જવાબદારી સરદારને સોંપવામાં આવી, વર્ષ ૧૯૩૭ની ચુંટણીઓના પરિણામ જ્યારે જાહેર થયા ત્યારે દેશભરમાં કોંગ્રેસપક્ષ બહું મોટી બહુમતીએ જીત્યો.ફેબ્રુઆરી ૧૯૩૮ના હરીપુરા (બારડોલી તાલુકાના) કોંગ્રેસ અધિવેશન યોજાયું ત્યારે જવાહરલાલના કોંગ્રેસ પ્રમુખ તરીકેના સમયગાળામાં ઉદ્દામવાદી તત્વોએ કોંગ્રેસને સાથ સહકાર આપ્યો, આથી ગાંધીજી એવા તર્ક ઉપર આવ્યા કે જો હજી એક-બે વર્ષ કોંગ્રેસ એક્જુથ રહે તો અંગ્રેજો ઉપર વધુ સારી રીતે દબાવ બનાવી શકાય તેમ છે. સુભાષચંદ્ર બોઝ વર્ષ ૧૯૩૭ની ચુંટણીઓ દરમ્યાન જેલમાં હતા, પરંતુ ચુંટણીઓ બાદ તેઓ મુક્ત થયા હતા, અને આ મુક્તિને કોંગ્રેસના સમાજવાદીઓએ ખુબજ ઉત્સાહભેર વધાવી. જો સુભાષબાબુ જવાહરલાલના અનુગામી તરીકે કોંગ્રેસપ્રમુખ બને તો કોંગ્રેસના ઉદ્દામવાદીઓ આપોઆપ શાંત થઈ જાય તેમ ગાંધીજીનુંં માનવું હતુ આથી તેમણે નવા પ્રમુખ તરીકે સુભાષચંદ્ર બોઝના નામનું સુચન કર્યુ. અને આ સુચનને કોંગ્રેસપક્ષે સર્વાનુમતે સ્વીકાર કર્યો. 

પરંતુ આ સાથે સાથે એક નવી મુસીબત આકાર લઈ રહી હતી. નવા પ્રમુખ સુભાષચંદ્ર બોઝની સર્વાનુમતે વરણી થઈ જેમાં સમાજવાદીઓએ પોતાનો વિજય માનીને કોંગ્રેસની જમણેરી નીતિઓને જાહેરમાં વખોડવાની શરુઆત કરી. અને કોંગ્રેસની આ જમણેરી નીતિના સૌથી વધુ સક્રિય વ્યક્તિ તરીકે સરદાર પટેલ હતા તેવુંં તેઓ માનવા લાગ્યા. અને આથી તેઓએ સરદારને વગોવવા કે સરદાર વિરુધ્ધ ઝુંબેશ શરુ કરી. અને કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે સુભાષચંદ્ર બોઝે તેઓને રોક્યા પણ નહી આથી સરદાર પટેલ ખુબ જ નારાજ થયા અને એમણે પોતાના એક ભાષણમાં સમાજવાદીઓને વાતોમાં શુરા, બિનજવાબદાર અને તેઓ કોઈ નક્કર કામ કરવાને અસમર્થ છે તેમ કહી જાહેરમાં ખુબજ ઝાટકણી કાઢી. આથી સુભાષચંદ્ર બોઝ અને અન્ય સૌ ઉદ્દામવાદીઓ સરદાર ઉપર રોષે ભરાયા.

કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે સુભાષચંદ્ર બોઝ યોગ્ય નથી અને ગાંધીજીના વિચારો સાથે બંધ બેસતા નથી થઈ શકે તેવી પ્રતિતી ગાંધીજીને થોડાજ સમયમાં થઈ ગઈ. સુભાષચંદ્ર સમાજવાદી નહોત પરંતુ સરદાર વિષે ઉગ્ર ટીપ્પણીઓ કરનાર જયપ્રકાશ તથા અન્ય સમાજવાદીઓ સાથે તેમનો ઘરોબો હતો. જવાહરલાલ ગાંધીજીની સરખામણીએ તદ્દન જુદા પડતા તેમ છતાં તેઓ ગાંધીજીની મર્યાદા અને વિવેક જાળવતા તેવુ વર્તન સુભાષચંદ્રના સ્વભાવમાં નહોતુ. સુભાષચંદ્ર બોઝને ગાંધીજી પ્રત્યે માન અને આદરભાવ હોવા છતાં ક્યારેક તેઓ ગાંધીજી સાથે અસહમત હોય ત્યારે મર્યાદાઓ વટાવી તઓ પોતાની અસંંમતિ દર્શાવી દેતા.

પરિણામે વર્ષ ૧૯૩૯ના ત્રિપુરા અધિવેશનમાં ગાંધીજી અને તેમના સાથીઓએ સુભાષચંદ્રના પ્રમુખપદનો અંત લાવવાનો મનોમન નિર્ણય કરી લીધો અને આથી વિપરીત સુભાષચંદ્ર બોઝે બીજા વર્ષે પણ પ્રમુખપદની ઉમેદવારી જાહેર કરી. સરદાર પટેલ, મૌલાના તથા ગાંધીજીએ પણ આ ચુંટણી બિનહરીફ થાય તેવા પ્રયત્નો કર્યા પરંતુ સુભાષચંદ્ર બોઝ ટસથી મસ ન થયા. આથી ડો. પટ્ટાભિ સીતારામૈયાએ ગાંધીજી, સરદાર પટેલ તથા અન્ય વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓના આશીર્વાદથી સુભાષચંદ્ર બોઝના પ્રતિસ્પર્ધી તરીકે ઉમેદવારી જાહેર કરી. સુભાષચંદ્ર બોઝ પોતાની જોશીલી કાર્યપધ્ધતિના કારણે યુવાનોમાં ખાસ્સા લોકપ્રિય બન્યા હતા અને કોંગ્રેસ પ્રતિનિધિઓમાં પણ લોકપ્રિય બન્યા હતા આ કારણે પટ્ટાભિ હારી ગયા અને સુભાષચંદ્ર બોઝ ગાંધીજી તથા સરદાર પટેલની ઈચ્છા વિરુધ્ધ કોંગ્રેસ પ્રમુખ તરીકે બીજી વાર ચુંટાયા.

આ કારણોસર સુભાષચંદ્ર અને ગાંધીજીના અનુયાયીઓ વચ્ચે સાંધી ન શકાય તેવી તિરાડ પડી. મહાસમિતિમાં બહુમતી હોવા છતાં સુભાષચંદ્ર પાસે કારોબારીમાં બહુમતી નહોતી, અને કારોબારીની બહુમતી ગાંધીજી તરફી હતી, આથી સૌ ગાંધીવાદી કારોબારી સભ્યોએ એવો ઠરાવ કર્યો કે નવી કારોબારીની નિમણૂંક ગાંધીજીની સહમતિથી કરવી અને આ ઠરાવ બાદ બધાએ એક સાથે રાજીનામાં આપી દીધા. પરિણામે સુભાષચંદ્ર બોઝના હાથ બંધાઈ ગયા. સુભાષચંદ્ર બોઝ સમજી ગયા હતા કે ગાંધીજી અને સરદારના સહકાર વગર કોંગ્રેસ પ્રમુખનો તાજ કપરી કસોટીનો છે. નવી કારોબારીમાં જો ગાંધીજી તરફી બહુમતી થાય તો ડગલેને પગલે કોંગ્રેસપ્રમુખના હાથ બંધાઈ જાય અને બીજી તરફ અત્યાર સુધીના તમામ કોંગ્રેસપ્રમુખો કારોબારીની નિયુક્તિ સ્વતંત્ર રીતે કરી શકતા હતા તે પરંપરા કારોબારીના એક ઠરાવથી અટકી ગયી. આથી સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસપ્રમુખ પદ છોડવું પડ્યુ.

ઉપરાછપરી રાજકીય ધરતીકંપોના કારણે વર્ષ ૧૯૩૩ દરમ્યાન સરદાર પટેલના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું અવસાન થયેલ અને તેમના વસીયતનામાનો અમલ કરવામાં વિલંબ થઈ રહ્યો હતો આથી વિઠ્ઠલભાઈ પટેલની વસીયતનામાના વહીવટકર્તા તરીકે વિઠ્ઠલભાઈએ ડો. ગોરધનભાઈ પટેલ કે જેઓ કલકત્તાના ધારાશાસ્ત્રી હતા અને બીજા સુભાષચંદ્ર બોઝ કે જેઓ વિઠ્ઠલભાઈના મિત્ર પણ હતા એમ બે વ્યક્તિઓની નિમણૂંક કરી. બીજા વહીવટકર્તા તરીકે ડો. ગોરધનભાઈ પટેલ અવારનવાર સુભાષચંદ્ર બોઝને વસીયતનામાના અમલ કરવા માટે યાદ અપાવતા પરંતુ સુભાષચંદ્ર બોઝે આ બાબતે પુરતુ ધ્યાન આપ્યુ નહોતુ. પરીણામે ડો. ગોરધનભાઈ પટેલે સુભાષચંદ્ર બોઝ્ને વસીયતનામાની અસલ નકલ આપવા બાબતે જણાવ્યુ અને જો તેમ ન થાય તો વહીવટકર્તા તરીકે તેઓ પોતે અદાલતમાં જઈ આ નકલ મેળવવા કાનુની કાર્યવાહી કરશે. આથી સુભાષચંદ્ર બોઝે ડો. પટેલને અસલ વસીયતનામું મોકલી આપ્યુ. વસીયતનામાની મુળ નકલ હાથ આવતા જ ગોરધનભાઈ વલ્લભભાઈને મળ્યા. અને વિઠ્ઠલભાઈના વસીયતની વિગત જણાવી, અત્યારસુધી સરદાર પટેલ વિઠ્ઠલભાઈની વસીયતથી અજાણ હતા આથી તેમણે કાંઈ ખાસ રસ ન લીધો જેનુ મુખ્ય કારણ એ હતુંંકે વિઠ્ઠલભાઈને સુભાષચંદ્ર પર વિશ્વાસ હોવાના કારણે તેમણે પોતે સુભાષચંદ્રને આ કામ સોંપ્યુ હોય તો સુભાષચંદ્ર તે યોગ્ય લાગે તે રીતે કરે અને તેમાં ક્યાય પોતે વચ્ચે ન પડવું તેમ તેઓ માનતા હતા. પરંતુ ગોરધનભાઈએ જ્યારે મુળ નકલ સરદાર પટેલ સમક્ષ મુકી અને સરદાર પટેલે આખું લખાણ ધ્યાનપુર્વક વાંચ્યુ. વિલના સાક્ષી તરીકે જેમની સહી લેવામાં આવી હતી તેઓ ત્રણેય બંગાળીઓ હતા. જ્યારે વિઠ્ઠલભાઈ પટેલ જીનીવામાં અવસાન પામ્યા ત્યારે જીનીવામાં જ વિઠ્ઠલભાઈના ગુજરાતી મિત્રો ભુલાભાઈ દેસાઈ, વાલચંદ હીરાચંદ તથા અંબાલાલ સારાભાઈ જેવા મિત્રો વસતા હતા. તેમ છતાં તેઓને જાણ કર્યા વગર વિલના સાક્ષી તરીકે ત્રણ બંગાળીઓને શા માટે પસંદ કર્યા તેવી શંકા સરદાર પટેલના મનમાં જાગી. આ ઉપરાંત વિલની છેલ્લી કલમમાં સુભાષચંદ્રને જે રકમ સુપરત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તે રકમથી સુભાષચંદ્રને સોંપાયેલ હિંદના રાજકીય ઉત્કર્ષ તથા વિદેશ વસતા હિંદીઓમાં રાજકીય જાગરૂકતા લાવવાના ઉદ્દેશ માટે વાપરવી તે ભારે અસ્પષ્ટ લાગ્યુ અને સાથે સાથે તેઓએ મનોમન વિચારીને આ વિલના વહીવટકર્તા તરીકે ડો. પટેલને  અદાલતમાં આ વસીયતને પડકારવા માટે જવાબદારી સોંપી આ વસીયત આખરે ખોટી સાબિત થઈ. 

આમ સરદાર પટેલ અને સુભાષ ચંદ્ર બોઝ વચ્ચે વિવાદ વકરતો જ રહ્યો. 

Jinnah's Accused for Partition

Letter from Vallabhbhai Patel to Mountbatten - 3rd June 1947

My Dear Lord Mountbatten

I am deeply distressed at the abuse by Mr. Jinnah of the hospitality extended to him by All India Radio and his breach of the rules of Broadcast which, as you are aware, are almost as inviolable as the laws of nature. I had not seen the script before the broadcast but I notice later that not only did he depart from the script but he has also committed a sacrilege by making a political partition and propagandist broadcast. Had I known it in time I would certainly have prevented him from turning All India Radio into a Muslim League platform by not only justifying a movement which has resulted in so much bloodshed and destruction of property but also by appealing to Frontier voters to vote according to League persuasion.

I fully realise that you yourself did not expect, or had not sufficient notice to prevent it but I am really disappointed that he should have taken undue advantage of the courtesy and consideration extended to him by you, particularly on a solemn occasion when India and the whole world were watching us. I only hope that its consequences will not be equally mischievous and that he stood before the listeners self-condemned.

Yours sincerely,

Vallabhbhai Patel

Sardar Patel Correspondence - Vol 4



Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget